________________
પ્રબુદ્ધ જીવન
મિરાઠી
*
છે જે ૪
૨.૦૦
એની પદ્ધતિ પર પાછાં આવી જવું પડશે, ને તે માટે હજારો નાનાં નાનાં બે આંખની શરમવાળા પ્રત્યક્ષ પરિચિત સમૂહ રચવાં પડશે, જે સુમાહિતગાર હોય, જે ચર્ચા-વિચારણા કરે અને જેમના નિર્ણયોનું એક નવા પ્રકારની લોકસભાના “નીચલા ગૃહમાં” સંકલન થાય. તરુણ માટે કામની તાલીમ, મોટાઓની કેળવણી અને રાષ્ટ્રવ્યાપી લોકકળા તેમ જ લોકઉત્સવ તથા ધર્મનિરપેક્ષ વિવાહાદિ વિધિ-આવા વિશાળ નમેષને આવરી લે તેવું એક સાંસ્કૃતિક પુનરુત્થાન આપણે કરવાનું રહેશે.” . '' “ભાવિનું દર્શન કરાવતા આ શબ્દોને ભારતવાસીના હૃદયમાં પડઘો પડવે જોઈએ. ડ્રોમના વિચાર ગાંધીજીના વિચાર સાથે કેટલા મળતા આવે છે! અને આપણે ત્યાં તો હજી ૮૦ ટકા લોકો બે આંખની શરમવાળા પ્રત્યક્ષ સમાજમાં (ગામડાંમાં)જ વસે છે. અને આપણું ઉધોગીકરણ પણ હજી તે એકદમ પ્રાથમિક અવસ્થામાં છે. ઉપરાંત આપણે ત્યાં ગાંધીજી પ્રત્યેનું માન પણ હજી સારા પ્રમાણમાં જીવંત છે અને વિનોબાજીના માર્ગદર્શનમાં ગાંધીતત્વ પ્રમાણેનાં જે ધ્યેયને વરેલું એક મહાન સામાજિક આંદોલન વસ્તુત: ચાલી જ રહ્યાં છે, એટલે એવી આશા જરૂર રાખી શકાય કે કાન્તિભાઈના પ્રશસ્ય પરિઝમને પ્રતાપે ગુજરાતીમાં ઉપલબ્ધ થતા ફ્રોમના આ પુસ્તક દ્વારા કેવળ બૌદ્ધિક કરતાં કંઈક વધુ ઉદ્દેશ સરશે. આજે પણ આ દેશના ભદ્રવર્ગમાં ઘણા એવા લોકો છે, જે કોઈ પણ ભારતીય વસ્તુને જ્યાં સુધી વિદેશમાં કોઈને કોઈ રીતે માન્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગંભીરતાપૂર્વક ગણતરીમાં જ નથી લેતા. આટલાં વર્ષોથી સર્વોદય આન્દોલન સાથે જેવા વિચારો સંકળાયેલા છે, તેવા જ વિચારો એરિક ફ્રોમ જેવા પાશ્ચાત્ય ચિતકની કલમે વ્યકત થાય છે, તેથી સર્વોદય-આન્દોલન અંગે આપણા બુદ્ધિમાનામાં ન સુર જાગવો જોઈએ.
“છેલ્લે, હું આશા રાખું છું કે કાન્તિભાઈએ લીધેલી મહેનત આ પુસ્તકના અન્ય ભારતીય ભાષાઓના અનુવાદને માર્ગ સરળ કરી આપશે. આ દેશમાં “શાણા સમાજનું વાચન જેટલું વ્યાપક પ્રમાણમાં થશે, તેટલી જ એની દિશા–સૂઝ વધુ સ્પષ્ટ બનશે, એનું આયોજન અને વિકાસ વધુ સમતોલ બનશે, અને આ દેશ પાછા એની પિતાની સભ્યતાનાં મૂળની નિકટ આવશે.” અલ્યાસીને દાદાસાહેબ માવળંકર વિશેષાંક
ગુજરાતની સંસ્કારમૂર્તિ અગ્રગણ્ય સમાજસેવક અને લેકસભાના પ્રથમ સ્પીકર સ્વ. દાદાસાહેબ ગણેશ વાસુદેવ માવળંકર ૨૭ મી ફેબ્રુઆરી ૧૯૫૬ ના રોજ ૬૭ વર્ષની ઉમ્મરે વિદેહ થયા. આ ઘટનાને દશ વર્ષ થયાં તે સંધિને અનુલક્ષીને ‘અભ્યાસ’માસિકને ગયા ફેબ્રુઆરી માસને એક વિશેષાંક પ્રગટ કરવામાં આવ્યો છે. સ્વ. દાદાસાહેબ માવળંકરના પુત્ર શ્રી પુરુષોત્તમ માવળંકર જે શેઠ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૅલેજના પ્રિન્સિપાલ છે અને અમદાવાદના લાસ્કી ઈંસ્ટીટયુટના પ્રમુખ સંચાલક છે તેઓ છેલ્લાં સાડાપાંચ વર્ષથી આ અભ્યાસપૂર્ણ માસિકનું કુશળ સંપાદન કરી રહ્યા છે. આશરે ૨૫૦ પાનાને આ દળદાર અંક વાંચતાં દાદાસાહેબ જાણે કે આપણી સમક્ષ પ્રત્યક્ષ જીવતા થાય છે અને તેમના વિવિધરંગી વ્યકિતત્વને આપણને નિકટ પરિચય થાય છે. આ અંકમાં દાદાસાહેબની રોજનીશીને ૪૩ મો હફતે તા. ૨-૮-૪૮ થી તા. ૨૯-૮-૪૮ સુધીને પ્રગટ કરવામાં આવ્યો છે અને તેમાંથી તે વખતના ભારતના પાટનગર દિલ્હીના રાજકારણી પ્રવાહોને લગતી અને આપણને અજાણી એવી કેટલીક માહિતી સાંપડે છે. આ અંકમાં દાદાસાહેબનાં કેટલાંક લખાણ પ્રગટ કરવામાં આવ્યા છે જેમાં ભાઈ પુ૨ઉત્તમ ૧૯૫૧ માં ઈંગ્લાંડ વિશેષ અભ્યાસાર્થે ગયા તે પ્રસંગને ઉદ્દે શીને સલાહ સૂચના આપતે એક લાંબે અનેક ઉપયોગી સૂચનેથી ભરેલે પત્ર આપણું સહેજે ધ્યાન ખેંચે છે. આ અંકમાં દાદાસાહેબને ભાવભરી અંજલિએ આપતાં ભારતની ખાસ કરીને મહારાષ્ટ્ર તથા ગુજરાતની અનેક અગ્રગણ્ય વ્યકિતઓના પત્રને સારો
સંગ્રહ પ્રગટ કરવામાં આવ્યો છે અને તે ઉપરથી આપણી વચ્ચે કેવી મોટી માનવ - વિભૂતિ આવી ગઈ અને કેટલું બધું કામ કરી ગઈ અને તેમના પરિચયમાં આવેલી દરેક વ્યકતિને તે કેટલી બધી પ્રભાવિત કરતી ગઈ તેને આપણને જીવત ખ્યાલ આવે છે. આવા માહિતી ભરપુર અંકનું સંપાદન કરવા માટે ‘અભ્યાસ 'ના તંત્રી શ્રી પુરુષોત્તમ માવળંકરને અનેક ધન્યવાદ ઘટે છે.
. . આ વિશેષ અંકની કિંમત રૂ. ૬-૦૦ રાખવામાં આવી છે. ‘અભ્યાસ’ નું વાર્ષિક લવાજમ રૂ. ૧૦ છે. તે માટેનું પ્રાપ્તિસ્થાન અભ્યાસ કાર્યાલય, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ, - ૧. છે..
' ' “જ્યોતિશિખા * - આચાર્ય રજનીશજી આજના એક મૌલિક ચિત્તક છે અને તેટલી જ પ્રભાવશાળી તેમની વાણી છે, તેમના વિચારને ચેતરફ સારો ફેલાવો થઈ રહેલ છે અને તેમના વિશેનું આકર્ષણ દિન પ્રતિદિન વધતું જાય છે. તેમના પ્રવચનપુસ્તકોને પણ સારા પ્રમાણમાં ઉઠાવ થઈ રહ્યો છે અને તે પ્રવચનો અનુવાદ ભારતની જુદી જુદી ભાષાઓમાં પ્રગટ થઈ રહ્યો છે.
તેમના વિચાર તેમ જ સાહિત્યનું પ્રકાશન તથા પ્રચાર કરવાના હેતુથી જીવનજાગૃતિ કેન્દ્ર નામની એક સંસ્થા બેએક વર્ષથી ઊભી કરવામાં આવી છે. આ સંસ્થા તરફથી આજ સુધીમાં પ્રગટ કરવામાં આવેલ રજનીશ - સાહિત્યની યાદી નીચે મુજબ છે: - - ૧. સાધનાપથ.
હિન્દી મૂલ્ય ૨.૦૦ ૨. સાધના પથ
ગુજરાતી , ૨.૦૦ ૩. સાધના પથ કાંતિબીજ
હિન્દી ૫. ક્રાંતિ બીજ
ગુજરાતી ૬. સિહનાદ
હિન્દી
છે ૧.૨૫ ૭. સિંહનાદ
ગુજરાતી ૮. અહિંસાદર્શન
ગુજરાતી
૦-૩૫ ૯, પાથ ફસેલ્ફ રીલીઝેશન ઈગ્લીશ , ૨.૨૫
આજ સંસ્થાના ઉપક્રમે ‘જયોતિશિખા’ નામનું ત્રિમાસિક ગયા જૂન માસથી શરૂ કરવામાં આવેલ છે. તેના સંપાદક શ્રી જટુભાઈ મહેતા છે. લગભગ સવા પાનાને આ અંક આચાર્ય રજનીશજીનાં હિંદી પ્રવચને અને વાર્તાલાપને સંચય રજૂ કરે છે. આ ત્રિમાસિકમાં જીવનજાગૃતિ કેન્દ્રને તેમ જ આચાર્ય રજનીશજીને પરિચય અપ જોઈતો હતે. વળી આ ત્રિ-માસિકની નીતિ શું છે– એટલે કે આ ત્રિમાસિકમાં માત્ર રજનીશજીનાં જ પ્રવચન અને વાર્તાલાપે પ્રગટ કરવામાં આવશે કે તેમની સદશ ભૂમિકા ઉપર રહીને વિચાર કરતા ચિન્તકોના લખાણને પણ આ અંકમાં અવકાશ આપવામાં આવશે – આ મુદ્દાની તેમ જ આનુષંગિક બાબતેની સ્પષ્ટતા કરતું સંપાદકીય વકતવ્ય પણ એટલું જ અપેક્ષિત હતું. આ ઉપરાંત આચાર્ય રજનીશજીના વિચારોને સ્પર્શતી તંત્રીને પણ એટલી જ જરૂરી હતી. સંભવ છે કે આ પહેલો જ અંક બહુ ઉતાવળથી તૈયાર કરવામાં આવેલે હેઈને આવી જરૂરી બાબતે આ અંકમાં અન્તર્ગત કરવી રહી ગઈ હોય. આગામી અંકમાં, આશા રાખીએ કે, આ અંકમાં દેખાતી ગુટિઓ રહેવા નહિ પામે.
આચાર્ય રજનીશજીના વિચારે જાણવાની સમજવાની ઉત્સુકતા આજે ચેતરફ વધતી રહી છે. આશા રાખીએ કે તે ઉત્સુકતાને આ ત્રિમાસિક પુરતા પ્રમાણમાં સંતુષ્ટ કરતું રહેશે. આ જર્યોતિશિખાનું વાધિક વલાજમ રૂ. ૫-૦૦ છે અને તે મેળવવાનું ઠેકાણું: જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી, રોડ મુંબઈ ૨, છે.
“ તિબેટના ભીતરમાં”. “હેનરિક હેરર’ એ નામના, એક ઑસ્ટ્રિયન ડુંગરખેડુએ ૧૯૫૧ અને ૧૯૫૫ના ગાળા દરમિયાન આ પુસ્તક મૂળ જર્મન ભાષામાં લખેલું અને ત્યાર બાદ “Seven Years in Tibet'તિબેટમાં સાત વર્ષ એ નામે અંગ્રેજી ભાષામાં અનુવાદિત થયેલ.