________________
Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૪
અબુ જીવન
પ્રશુદ્ધ જૈનતુ નવસસ્કરણ વર્ષ ૨૮ : અંક ૭
મુંબઈ, એગસ્ટ ૧ ૧૯૬૬, સામવાર આફ્રિકા માટે શિલિંગ ૮
તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકી નોંધ
લેકશાહી—વિઘાતક રાજકારણી ઉપવાસો
“લોક
મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી પી. બી. ગજેન્દ્રગડકરે તાતા ઈન્સ્ટીટયુટના ૨૬ પદવીપ્રદાન સમારોહના પ્રસંગે પ્રવચન કરતાં આજે કોઈ પણ રાજકારણી હેતુ સિદ્ધ કરવા માટે અંગીકાર કરવામાં આવતા ઉપવાસા અંગે જણાવ્યું હતું કે શાહી રાજ્યરચનામાં ઉપવાસ ઉપર જવાની પદ્ધતિને કોઈ સ્થાન કે અવકાશ હોવાં ન ઘટે. જેમાંથી લોકલાગણી મેોટા પાયા ઉપર ઉશ્કેરાય અને અશાન્તિનું વાતાવરણ પેદા થાય એ પ્રકારના ઉપવાસા કાયદાંના શાસનને નિશ્ચયપૂર્વક બાધક અને ઘાતક બને છે અને સર્વ સામાન્યપણે સ્વીકૃત એવી લોકશાહી જીવનપદ્ધતિ સાથે બીલકુલ વિસંવાદી છે.
“આ ઉપરથી અત્યન્ત જરૂરી બને છે કે જ્યાં સુધી તોફાની દેખાવે કે ઉપવાસા દ્વારા સમર્થન ન મળે ત્યાં સુધી લોકોની કોઈ પણ તકલીફ કે હાડમારી તરફ સરકાર ગંભીરપણે ધ્યાન નહિ આપે– આવી લોકલાગણી પેદા થવા પામે એ સંબંધમાં જરૂરી સાવચેતીભર્યા બધાં પગલાં ભરવાની મધ્યસ્થ તેમ જ રાજ્ય-સરકારો પોતાની ફરજ સમજે. સાથે સાથે એ પણ એટલું જ જરૂરી છે કે રાજ્યના બુદ્ધિશાળી વર્ગ પણ આવા ઉપવાસા અને તોફાની દેખાવા સામે પોતાના અવાજ ઉઠાવે અને જાહેર જનતાને આ બાબતમાં સવિશેષ જાગ્રત કરે, ચેતવે અને તે પ્રકારની કેળવણી આપે.”
આમરણાન્ત ઉપવાસના દબાણ નીચે આંધ્ર રાજ્યનું નિર્માણ થયું અને ત્યાર બાદ આખા દેશને ભાષાકીય પ્રાન્તરચનાના ધોરણે વિભાજિત કરવામાં આવ્યો અને તેમાંથી પારિવનાના અનર્થીની પરંપરા જન્મી—આ આપણી નજર સામેના અનુભવ છે. આજે જ્યાં ત્યાં ઉપવાસ ઉપર જવાની ધમકીઓ આપવામાં આવે છે અને તેના દબાણ નીચે દેશ આખાના હિતમાં ન હોય એવા ફેરફારો સ્વીકારવામાં આવે છે. આજના ઉપવાસ પાછળ કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા હોતી જ નથી, પણ મોટા ભાગે તે ત્રાગાં જેવા હોય છે અને એમ છતાં લોકે તેને મહત્ત્વ આપે છે અને શાસક વર્ગ તેથી ભડકે છે. જો લાકો—સમાજનો સમજુ વર્ગ–તેને મહત્ત્વ ન આપે તો આવા ઉપવાસે ભાગ્યે જ ઊભા થવા પામે અને થાય તો પણ લાંબા વખત ચાલે નહિ. ગાંધીજીએ આપેલા આ ઉપવાસના વારસાના આજે ભારે દુરુપયોગ થઈ રહ્યો છે અને તેથી તેવા ઉપવાસા ઊભા થતા અટકાવવા અને થાય તો તેની ઉપેક્ષા કરવી, એટલું જ નહિ પણ, તેને જરા પણ નમતું નહિ આપવું એ આપણી સર્વની ફરજ છે. મહારાષ્ટ્રી-બિનમંહારાષ્ટ્રીનો ભેદ કરતી શ્રી બેલાસેની શરમજનક મનોદશા
શ્રી મુબઇ જૈન યુવક સઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા
આજથી દોઢ બે અઠવાડિયાં પહેલાં. જ્યારે આ ઘનિષ્ટ વર્ષઋતુના દિવસે વરસાદ વિના વ્યતીત થઈ રહ્યા હતા અને આમને આમ ચાલ્યા કરશે અને પંદર વીશ દિવસ સુધી વરસાદ જ નહિ આવે તે મુંબઈની આવડી મોટી વસ્તીને પાણી પુરું પાડવાનું
અશક્ય બની જશે અને મુંબઈને ક્રમશ : ખાલી કરાવવું પડે એવી શકયતા ઉભી થશે—આવી કટોકટી મુંબઈ સામે—મુંબઈના પ્રજાજન સામે—ઝઝુમી રહી હતી અને એ દિવસોમાં જ્યારે મુંબઈની કોર્પોરેશનમાં આ પ્રશ્ન ગંભીરપણે ચર્ચાઈ રહ્યો હતા ત્યારે કોરપોરેશનના એક કૉંગ્રેસી સભ્ય શ્રી બેલાસેએ એવા અભિપ્રાય વ્યકત કરેલા કે “આવી કટોકટી ઊભી થાય તો સર્વપ્રથમ નોનમહારાષ્ટ્રીઓને—મૂળ મહારાષ્ટ્રના ન હોય એવા લોકોને—મુંબઈ છેડી જવા કહેવું જોઈએ અને બહારથી પણ મહારાષ્ટ્રીએ ન હોય એવા લોકોને મુંબઈમાં દાખલ થતા અટકાવવા જોઈએ.” આ તેમના ઉદ્ગારો રાષ્ટ્રવિરોધી છે, એટલું જ નહિ પણ, મુંબઈ જેવા પચરંગી શહેરની નાગરિકતાના ભયંકર દ્રોહ કરનારા છે. મુંબઈ, દિલ્હી કે કલકત્તાની વસ્તી એટલા બધા વ્યાપક મીશ્રાણથી ભરેલી છે કે તેમાંના કોઈ એક નાગરિકને મહારાષ્ટ્રી, પંજાબી કે બંગાળી તરીકે તારવવા એ. વાસ્તવિકતાનું કવિસંવાદી છે. આ તેમના કમનસીબ ઉદ્ ગારોની એટલી સખત ટીકા થઈ છે. અને મુંબઈ કોંગ્રેસના પ્રમુખે તેમ જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને તેમને એટલા બધા કડક શબ્દોમાં વખોડી નાખેલ છે કે તેની વિશેષ ટીકા ટીપ્પણીની હવે જરૂર રહી નથી. માત્ર એટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે થાડા દિવસ પહેલાં ભારતના એટર્ની જનરલ શ્રી દફતરીએ આજની પરિસ્થિતિનું વિશ્લેષણ કરતાં પોતાના એક વ્યાખ્યાનમાં જણાવેલું કે “દેશભરમાં બાજુના માનવી મારો ભાઈ નથી—આ પ્રકારનું વલણ વ્યાપક બન્યું હાય એમ લાગે છે.” આ તેમનું વિશ્લેષણ ઉપરના ઉદ્ ગારોથી તદન સાચું પુરવાર થાય છે. આવી મનોદશા આજના ભારત માટે સૌથી મોટું ભયસ્થાન બની રહેલ છે. જો આપણા દેશને એકત્ર રાખવા હશે, જેના માટે દુનિયાભરમાં આપણે ગૌરવ લઈએ છીએ તેવી મુંબઈ, દિલ્હી કે કલકત્તા જેવી પચરંગી નગરીઓને જાળવી રાખવી હશે તા શ્રી બેલેાસેએ જાહેરમાં પ્રગટ કરેલી પણ અનેક લોકોના દિલમાં ઘર કરી બેઠેલી એકમેકને જૂદા પાડતી અને સ્વજનોને પરાયા માનવીઓ બનાવતી મનોદશાને પાયામાંથી આપણે નાબૂદ કરવી પડશે, નિર્મૂળ કરવી પડશે.
“સૌરાષ્ટ્રને ગુજરાતથી અલગ કરો!”
સૌરાષ્ટ્રના-રાજકોટના કોંગ્રેસી આગેવાન શ્રી રતિલાલ તન્નાએ સૌરાષ્ટ્રના રાજકારણમાં આ વિચાર વહેતો કરીને સૌરાષ્ટ્ર-ગુજરાતના સંદર્ભમાં એક નવી ક્ષાભક પરિસ્થિતિ ઉભી કરી છે. જો પંજાબમાંથી
હરિયાણાને અલગ કરી શકાય છે તો જેનાં હિતા ગુજરાત સાથે રહેવામાં સલામત નથી, જેના હિતો પ્રત્યે ગુજરાત રાજ્યના શાસકો તરફથી ઉપેક્ષા—ઉદાસીનતા સેવવામાં આવે છે એવું તથા " હરિયાણા પ્રાન્તથી વસ્તી અને ક્ષેત્રફળમાં ઘણું મોટું એવું