________________
૧૩
પ્રભુપ્ત જીવન
કરે છે કે જે સ્મિત અને નાજુક હાથના હલનચલન દ્વારા સહજ રીતે પ્રાપ્ત થાય. વળી બીજા એક હાઈકૂમાં એ કહે છે “અરે જીવ ! લોકોના સહવાસથી થાકી જઈને તું એકાંત શોધે છે. પણ તું એટલે થાકેલા છે કે તે ખાલી એકાંતને ભરવા માટે તારી પાસે શકિત જ રહી નથી.”
આવી એકલતા કઈ રીતે નિવારવી ? હૅમરશાલ્ડને લાગે છે કે એકલતા એ એક એવી માંદગી છે કે જે મોત સાથેજ જાય. તે શું તે હાથ જોડીને બેસી રહે ? આપણા યુગમાં હરિનો મારગ કર્મભૂમિમાંથી પસાર થાય છે એવું કહેનાર આ કર્મવીર જીવનના તરસ્યા છે.
"Openness to life grants a lightening-swift insight into the life situation of others."
“જીવનના બધા વય્સરાને તમે ખુલ્લાં હાથે આવકારો તો બીજાનું જીવન સમજવાની ત્વરિત સૂઝ આવે છે.”
"Life yields only to the conqueror. Never accept what can be gained by giving in. You will be living on stolen goods, and your muscles will atrophy.”
“જીંદગી તે વિજેતાને જ વરે છે. શરણે થવાથી મળી શકે તેને કદી હાથ ન લગાડશા, તો તે તમે ચોરીના માલ પર જીવશે અને તમારા સ્નાયુઓ સુકાઈ જશે.”
એમની પ્રાર્થના એટલી જ હતી કે એકલતાની વ્યથાને કારણે એમને કંઈક એવું મળી જાય કે જેથી જીવન અને મેાત બન્ને અર્થપૂર્ણ બને. આચાર્ય વિનોબા ભાવેએ એમના “ગીતાપ્રવચન”માં એવું વિધાન કર્યું છે કે ધર્મમય જીવન જીવવા માટે મરણનું સતત સ્મરણ રહેવું જોઈએ. મરણનું સ્મરણ રાખીને જીવીએ તે વધુ સજાગ રહેવાય છે એમ કહી એ પૂછે છે : “મરણના વાઘ હંમેશ સામે ઘૂરકતો ઊભા હોય ત્યારે પાપ કરવાનું સૂઝે કયાંથી ? પાપ કરવું હોય તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ. મરણનું હંમેશ સ્મરણ રાખવું એ પાપમાંથી મુકત રહેવાનો ઈલાજ છે. મરણ સામે દેખાતું હોય ત્યારે કઈ અને કોની હિંમતે માણસ પાપ કરશે?'' હૅમરશેાલ્ડની આ નોંધપાધીમાં મૃત્યુ ડગલે ને પગલે ડોકિયું કરે છે.
“Give me something to die for ! ''
“મૃત્યુ ધન્ય બને એવા કોઈ અવસર દે!”
“The hardest thing of all—to die rightlyAn exam nobody is spared and how many pass it? And you? You pray for strength to meet the test but also for leniency on the part of the examiner."
“કઠણમાં કઠણ કામ યોગ્ય રીતે મરવાનું છે. આ કસોટી કોઈને છોડતી નથી. એમાંથી કેટલા પાર ઊતરે છે ? અને તું ? કસોટી સામે ઊભા રહેવાના બળ માટે તું પ્રાર્થના કર અને સાથે સાથે પરીક્ષક ઉદાર થાય એવી પણ યાચના કર.'
હૅમરશાલ્ડને ખબર હતી કે એમની ગમે તેટલી ઈચ્છા હોય
તો પણ એમનું મૃત્યુ કોઈ એકાંત ખૂણાની મૌન અંજલિ નહીં જ બને. આમ છતાં એમણે એવી ઈચ્છા વ્યકત કરેલી કે હું દુનિયાની વિદાય લઉં ત્યારે ધીમે ધીમે ચારપગલે એવી રીતે સરકી જાઉં કે મહેફ્લિના રંગમાં ભંગ ન પડે. પણ વિધિએ સાવ જુદું જ ધાર્યું હતું. કોંગાની ઉગ્ર કટોકટી હળવી કરવા એ જાતે આફ્રિકા ભણી ઊપડયા અને નાન રહેાડેશિયાના એક ગામડામાં એમનું વિમાન તૂટી પડ્યું. એ જે રીતે ગયા તેથી માત્ર મહેફિલો થંભી ન ગઈ, દાગ ઉંમરશેાલ્ડની આવી વિદાયથી માનવજાતના તંદ્રામાં પડેલા અંતરઆત્મા પણ ચોંકયો અને સળવળ્યા. સમાપ્ત વાડીલાલ ડગલી
તા. ૧૬-૫- *
અવલાકના
“ વિદ્યાવિહાર ગીતમાલા
**
સંયોજક : શ્રી ભાઈલાલ શાહ (સંગીત અલંકાર), પ્રકાશક : હરિકૃષ્ણ આનંદજીવાલા, મંત્રી, શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, એલિસબ્રીજ, અમદાવાદ-૬. કિંમત રૂા. સાત ]
સંગીતને માનવહૃદય સાથે સીધો સંબંધ છે. માત્ર માનવી નહીં, પણ પશુપંખી તેમ જ કુદરતનાં તત્ત્વો પર પણ સંગીતની સીધી અસર છે. મેરલીથી ડોલતા નાગ અને સંગીતના સૂર સાથે દોહવાથી વધુ દૂધ આપતી ગાયા (શારદાગ્રામમાં) આપણને અપરિચિત નથી, તેમ જ મલ્હારના સૂરથી રીંઝાતા મેઘદેવ પણ માત્ર દંતકથાના પાત્ર જેવાં નથી. પરંતુ માનવીના હૈયાની તે અનેક મિ. સંગીતથી જાગે છે ને સંગીતમાં આવિષ્કાર પામે છે. ચાલુ જીવનનાં સુખદુ:ખમાં સમાધાનવૃત્તિ કેળવવામાં પણ સંગીત ત્મિક અસર ઉપજાવે છે. જીવનની અનેક પ્રવૃત્તિઓ સાથે સૂર અને લય વણી દેતાં એ કાર્ય ભારરૂપ થવાને બદલે આનંદદાયક બની શકે છે. મકાન ચણતાં કડીયા ગા ને મજૂર શ્રી ભર તડકે જે કામની ‘વેઠ’સહી લેતાં હોય છે એમાં તેમના પ્રાણનું મુખ્ય બળ એમનું સંગીત હોય છે. આવી પ્રવૃત્તિ નામાં તેમજ શુભ કાર્યોનાં પ્રારંભમાં પણ પ્રાર્થનાના ઉદગારો એક અનોખી મંગલના વર્ષાવી જાય છે અને રાચેતનાને જગાવવામાં તે આપણાં શૌર્યગીત ને કૂચગીતાએ પોતાનું સ્થાન જમાવી≈ દીધું છે.
ધ્યા
4
આમ જીવનમાં સંગીતની ઉપયાગતા ને અનિવાર્ણતાને સ્થાપિત કરતા એક સુંદર ગીતસંગ્રહ- “વિદ્યાવિહાર ગીતમાલા”- શ્રી ભાઈલાલભાઈ શાહને હાથે સંયોજીત થયા છે. અમદાવાદમાં અનેક વાર શ્રી ભાઈલાલભાઈના હલક સુમધુર કંઠ માણવા મળ્યા છે. એમના પ્રત્યક્ષ પરિચય વગર પણ એમના સ્વરના પરિચય હંમેશા આનંદદાયક રહ્યો છે. પરંતુ એમની શકિત માત્ર આટલામાં સીમિત ન હોય તેમ આ સંગ્રહ સાથે એમને ચીવટભર્યા સંગીતશિક્ષક અને સંયોજક તરીકે પણ પરિચય થાય છે.
અમદાવાદની જાણીતી શિક્ષણસંસ્થા “શેઠ ચી.ન. વિદ્યાવિહાર” સાથે તેઓ છેલ્લાં બત્રીસ વર્ષાથી વિદ્યાર્થી તેમ જ શિક્ષકને નાતે જોડાયેલા છે. અનેક કંઠોને એમણે આજ સુધી વિવિધ ગીતાથી ગુંજતા કર્યા છે. આમાંના ૧૦૮ ગીતાને એમણે સ્વરાંકન સાથે “વિદ્યાવિહાર ગીતમાલા”માં સંગ્રહિત કર્યા છે. આમાં ૭૨ ગીતે ગુજરાતી છે તથા ૩૬ ગીતા અન્ય ભાષાના—જેમ કે બંગાળી, મરાઠી, હિંદી-છે, આવા ભાષાવૈવિધ્ય સાથે આવતાં આ સંગ્રહમાં વિષયવૈવિધ્ય પણ મજાનું છે. આમાં સવારે જગાડવા માટે ગાવામાં આવતાં વૈતાલિક (પ્રભાતિયાં), પ્રાર્થનાગીતો, અર્વાચીન તથા પ્રાચીન ભજના, પ્રેરણાગીતે, પ્રવૃત્તિ, પ્રકૃતિ તથા રાષ્ટ્રચેતનાના ગીતો છે. તદુપરાંત પ્રકીર્ણ વિભાગમાં છૂટાછવાયાં વિષયના થેડાંક ગીતો પણ છે.
ગીતાની પસંદગી દરમ્યાન એના કાવ્યત્વ પ્રત્યે પણ સારૂં ધ્યાન અપાયું હોવાથી કાવ્ય-સંગીતનો સુમેળ સાધી શકાયો છે. ગુજરાતના પ્રસિદ્ધ કવિઓમાંથી લગભગ ૪૫ કવિઓના આમાં સમાવેશ થયો છે. છતાં એ પસંદગીમાં બધા પ્રતિનિધિ કવિઓના પૂરા ન્યાયપૂર્વક સમાવેશ થયા નથી લાગતા. સંસ્થાના આચાર્યની પંદરેક કૃતિઓ હાય, નાથાલાલ દવેની આંઠ કૃતિએ હોય અને રાજેન્દ્ર શાહ, બાલમુકુન્દ દવે કે નિરંજન ભગત જેવાની માત્ર એક એક કૃતિ જ હોય એમાં ઔચિત્ય લાગતું નથી. તેમજ પ્રિયકાન્ત મણિયાર કે વેણીભાઈ પુરોહિત જેવા કવિઓ વિસરાઈ ન ગયા હેત તા સંગ્રહમાં એર રંગત
જામત.
લલિત-મંજુલ ભાવવાહી પદાવલિની દષ્ટિએ આ કવિ સહેજ પણ ઓછા પડે એવું મને નથી લાગતું.
આ “ગીતમાલા”માં ગીતા અને એના સ્વરાંકન ઉપરાંત સ્વરલિપિનાં ચિન્હો તેમ જ તાલનો પરિચય પણ આપ્યો છે. આટલી