________________
પ્રમુદ્ધ જીવન
૨૪૨
કર્યો. પગનું દર્દ મટી ગયું. બદરી વિશાળલાલની જય! ૐ નમો નારાયણાય—આનંદથી બ્રહ્મચારી પાગલની જેમ ઘૂમવા લાગ્યો.
દૈવી અનિર્વચનીય આરામદાયક આજની રાત હતી. દૂધ, દહીં, જલેબી, ચા, સરસ ઘીમાં તળેલી પૂરી, બટાકાનું શાક ને અથાણું—બધાનુંનું એક સાથે ભાજન કર્યું. જ્યાં સુધીભાજનનો કાર્યક્રમ ચાલ્યા ત્યાં સુધી બ્રહ્મચારીએ આંખ ઊંચી કરી નહિ, એણે કહ્યું: “દાદા, પહેલાં જમી લેવા દો. જેટલું પેટમાં જાય એટલું ભરી લેવા દે.”
[[
કાલેરા થઈ જશે, બ્રહ્મચારી. ”
આ મામુલી મનુષ્ય આંખો બંધ કરીને મોટેથી હસી પડયો. એણે કહ્યું, “કેમ રથમાં બેસીને હવે બીક લાગે છે? વિશ્વરૂપ બતાવી દઉં? આજે આ પેટ બધું ય હજમ કરી જાય એમ છે. હું તે કાશ ભૂખ્યો ભૂંડ છું.”
જમીને બ્રહ્મચારી ગીત ગાતા ગાતા ઉપર ચાલી ગયો. અમે બન્ને જણે પાસે પાસે જ અમારા કામળા પાથરી દીધા. બ્રહ્મચારીએ તે નાકથી “ૐ નમ। શિવાય ” ના જપ શરૂ કરી દીધા, મને મનમાં થયું કે આજના આહારથી એના દાંત, હાઠ, જીભ, તાળવું અને બધાને તૃપ્તિ થઈ ગઈ છે. એ ઊંઘમાં બબડતા પણ હતા. પેલી તરફ ગાપાળદા અંદર આવીને ડોશીઓની કડાકૂટમાં હેરાન થઈ રહ્યો હતો. સાંજે થોડું અફીણ ને એક ચલમમાં ગાંજો ઝુકીને એનું જે સ્વરૂપ બન્યું હતું તે તો કોઈ અવનવું જ હતું. દેવલોકના પારિજાતના બાગમાં કોઈ જાણે દાર્શનિક ફરતા હોય એવી એની દશા હતી. એ વખતે કોઈએ પણ એને ગુસ્સે કર્યો હોય તો તો એ એનું ખુન જ કરી બેસે એવી એની દશા હતી. બિલાડીના જેવા સ્વભાવની પેલી ડોશીઓની આગમાં એને શાંતિ નહોતી. મારા માથા આગળ એક નાની ઓરડીમાં અધારબાબુ પરિવાર સહિત બેઠા હતા. હમણાં એ જમી રહ્યા હતા. તેઓ એટલે સાસુ અને વહુ એક વાર આવીને અમારા ભોજન અને સુવાની વ્યવસ્થા અંગે ખબર કાઢી ગયાં હતાં.
છ
તા. ૧-૪-૧૬
કે તમારી ઓળખાણ થઈ મા. મારા સૂકાં કપડાંને ન અડકતાં; એટલી પણ અક્કલ તારામાં નથી ? આજકાલ શુદ્ર લોકોનું બહુ ચઢી વાગ્યું છે. અધૅારબાબુએ ધીરજ ગૂમાવી હતી, એની પત્નીએ હસતી હસતી આવીને એને વારતાં કહ્યું : “છાને; ગમે તેવી પણ બ્રાહ્મણની દીકરી છે, એનું માન રાખવું જોઈએ આપણે.
બ્રહ્મચારી એકદમ ગુસ્સામાં આવીને બોલતા હતા, “ એ શાની બ્રાહ્મણની દીકરી? એ તો ચંડાલ છે.”
“ના ભાઈ. એવી વાત આપણાથી ન થાય, ને આંધળા હોય તેને આંધળા કહેવાથી ધણું પાપ લાગે.
ગેાપાલદા શાંત બેસી રહ્યા હતા. તેમને કોઈ શત્રુ નહોતું. તે બપોરે જ અમે એકબીજાથી છૂટા પડયા. છાંન્તિખાલની ઊંચી અને હાંડકાં ભાંગે એવી બે માઈલની ચઢાઈ ચઢીને ખાંકરા ચટ્ટીની તરફ અમે ઉતરાણને માર્ગે ચાલ્યા. હજી સાંજને થાડી વાર હતી. અમારી ઇચ્છા પ્રમાણેનું સમતલ સ્થાન હતું. પાસે જ અલકાનંદાની જ એક શાખા હતી. તેનું નામ પટુવતી હતું. થોડે દૂર પર્વતની એક ખીણ હતી. ત્રણે બાજુ આકાશચુંબી પર્વતશિખરો હતાં. ગમે એવા મધુર પવન હતા, ઝરણાના ઝંકાર હતા, વનફ લાની સુગંધ પ્રસરેલી હતી. અધાર બાબુની પત્નીએ કહ્યું, “ આજે હવે આગળ જવાની જરૂર નથી. અહીં જ થાભી જઈએ.”
રસ્તા તરફ એક વાર ફરીને મેં જોયું. લગભગ એકાદ માઈલ દૂર નદીના વળાંક તરફ લોકોના ટોળામાં ગોપાલદાના સુસ્પષ્ટ શરીરનાં દર્શન થયાં. કીડીની જેમ ધીમી ગતિથી તે ચાલતા હતા. એની જોડે બીજા સાથીઓ પણ હતા. મેં પૂછ્યું. “એમને તમે છોડી દેવાનું કહ્યું હતું ? ”
ત્યારે અધારબાબુ બાલ્યા : “બે એક માઈલ સુધી આપણે પાછળ રહીશું. પણ પછી તો એમને પકડી પાડીશું.” સાસુએ કહ્યું, “તા રહેવા દો ભાઈ! તમારું શરીર તે અમારા કરતાં પણ વધુ ખરાબ છે; આપણા મજૂરોની પાસે બિસ્તર છે. એ લોકો આવે એટલે તમારે માટે બિસ્તરો પાથરી દઉં. હવે તમારે માટે તમારે જુદું રાંધવાની જરૂર નથી. અમારી જોડે જ તમારી વ્યવસ્થા થશે. ” બ્રહ્મચારીએ કહ્યું: “આજના જેવી જ એમની માયા મમતા હંમેશને માટે રહે દાદા !”
પગનું દર્દ કોઈનું પણ ઓછું થયું નહિ, તળાંસવાથી, ઢીંકા મારવાથી, માલિશથી, હાસ્પિટલના ઈલાજથી કશાથી ય મટ્યું નહિ. આખરે એમ નક્કી કરવામાં આવ્યું કે ફકત પાંચ સાત માઈલથી વિશેષ રોજ ચાલવું નહિ. જ્યારે મુશ્કેલી હોય, ત્યારે આપણે સાધારણ રીતે જે કલ્પના કરીએ છીએ તે જ્યારે આપણે આચારમાં મૂકીએ છીએ, ત્યારે એમાં ફેરફાર કરવા જ પડે છે. રસ્તે નીકળા એટલે એમ થાય કે, રસ્તો પૂરો થાય તો સારૂં. શ્રીનગરથી સવારે નીકળ્યા. ને લગભગ અગિયારને સુમારે અમે ભટ્ટીસેરા આવી પહોંચ્યા. રસ્તામાં સુકૃતા નામની એક નાની નદી ને એક ચટ્ટી અમે પસાર કરી. ભટ્ટી
સેરાના રસ્તા થાડે અંશે સમતલ છે. તેથી જ એકી વખતે અમે એક સામટા આઠ માઈલ ચાલી શકયા. પાસે જ નદી હતી, એનું નામ હર્ષવતી હતું. એ અલકનંદાની જ એક શાખા હતી. ચટ્ટીની પાસે જ એક ઝરણું હતું, એનાં પ્રવાહના બુદ્ધિશાળી મનુષ્ય કેવી રીતે ઉપયોગ કરે છે એ દશ્ય મે અહીં જોયું. એનું નામ જળ ચક્કી અર્થાત્ પાણીની ઘંટી. લાકડાની એક ચક્કી હતી, એની પર પાણીનો પ્રવાહ આવીને એને ધક્કો મારતા હતા અને એ જ ફેરવવા હતા. એની ઉપર એક પત્થરની ઘંટી હતી ને એમાં હતા ઘઉં. આમ વગર મહેનતે લોટ દળાતા હતા. એની તારીફ કર્યા વિના રહેવાય જ નહિ. જ્યાં સુધી મને યાદ છે, આ ભટ્ટીસેરામાં ગેાપાલદાના દળમાંની બ્રાહ્મણી માની જોડે અઘારબાબુના ઝઘડો થયેલા. એ ઝઘડાનું કારણ હતું જાતિનું અભિમાન અને આભડછેટ. કોઈ નજીવી વાતમાં બ્રાહ્મણીમાના ક્રોધ જોઈને અઘારબાબુની પત્ની છાનું છાનું હસતી હતી, ને એના મોઢા સામું જોતી હતી. બ્રાહ્મણીમા સનાતન ધર્મની મૂર્તિમતી પ્રતિમા હતી. જાતિ વિચાર ને આભડછેટ સિવાય એ જીવી જ ન શકે? એ તૂટેલાં વાસણની જેમ ખણખણી ઊઠી. “કોણ જાણે મે કેવાં પાપ કર્યાં હશે, માલિક : શ્રી:મુબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ-૩,
મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ,: મુંબઈ
પતિ પત્ની બન્ને અમારી તરફ જોઈને પોતાના વિજય થયો હોય એમ હસ્યાં. જાણે એમના હાસ્યમાં વિજયનો આનંદ હતો, મે કહ્યું : “ આજે ભલે અહીં રહીએ, પણ આટલા થોડો રસ્તો કાપવાથી હવે પછી નહિ ચાલે. અમારે તે યાત્રા જલદી જલદી પૂરી કરવી છે.” “વારુ, આજે તો રહો, માની ઇચ્છા પણ પૂરી તો કરવી જ જોઈએને ?’
સાંજ પડી. પહાડના શિખર પરથી ક્ષીણ ચંદ્રનાં દર્શન થયાં, આકાશ તારાઓથી છવાઈ ગયું. – સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું. કદાચ આમ જ બદલાતું હશે. દિવસે પ્રખર તેજ હતું. સ્થૂલ વાતવિકતા હતી, માણસનાં દૈન્ય અને સ્વાર્થનાં સ્થૂલ આઘાત પ્રત્યાઘાત હતા. પરન્તુ એ નવાઈની વાત હતી કે રાત્રે બધું બદલાઈ જતું હતું, આ વિશ્વપ્રકૃતિને પ્રસાધન- પરિપાટી બનાવીને, એને અલંકૃત બના વીને કોણ જાણે કોણ મનોહર બનાવતું હતું! રાત્રીની સ્નિગ્ધ જ્યોત્સ્વામાં, દિવસની પ્રખરતા યાદ પણ રહેતી નહોતી. (ક્રમશ:)
મૂળ બંગાળી :
અનુવાદક : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા શ્રી પ્રબોધકુમાર સંન્યાલ આચાર્ય રજનીશજીના એપ્રિલ માસના કાર્યક્રમ જીવનજાગૃતિ કેન્દ્રના મંત્રી જણાવે છે કે, ચાલુ થયેલા એપ્રિલ માસ દરમિયાન આચાર્ય રજનીશજીનાં પ્રવચનો નીચે જણાવેલ સ્થળાઓ તથા તારીખોએ ગોઠવવામાં આવનાર છે.
તા. ૧-૨ નાસિક; તા. ૩-૪ જૂના
તા. ૧૪, ૧૫, ૧૬ તથા ૧૭ મુંબઈ.
મુંબઈના પ્રવચનસ્થળ તથા સમયની વિગતો તે તે દિવસેાના દૈનિક પત્રોમાં પ્રગટ કરવામાં આવશે.