________________
પ્રબુદ્ધ જીવન
૨૩૯
સવાદિત
જણાય છે. વ્યકિત નથી.
ની વહેંચણી અંગેના કાનૂની પ્રશ્ન નથી; એ પ્રશ્ન તે છે “કામ” ની વહેંચણીને, “અનુભવ”ની વહેંચણીને. સમાજને હાનિકારક હોય એવું ઉત્પાદન નફાના પ્રલોભનથી ન થતું રહે તે માટે જરૂરી હોય તેટલા ફેરફાર માલિકીમાં કરી લેવા જોઈએ. માણસની સમાજમાંના તેના સર્વોચ્ચ સ્થાને પુન:સ્થાપના કરવી જોઈએ.
કોઈ પણ પરિવર્તન જબરદસ્તીથી ન લાવવું જોઈએ, અને વળી તે આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં એકી સાથે આવવું જોઈએ. આદિ માનવ જેમ કુદરતનાં પરિબળો સામે લાચારી અનુભવતો હતે, તેમ આધુનિક માનવી આજે પોતે જ સર્જેલાં સામાજિક ને આર્થિક પરિબળો સામે નિ:સહાયતા અનુભવે છે. પોતે જ ઊભાં કરેલ તો આગળ તે મુજરો કરી રહ્યો છે. એક પ્રકારની નવી મૂર્તિપૂજા જ ચાલી રહી છે. માણસની જરૂરિયાતોને, માનવ-અસ્તિત્વ સાથે મૂળભૂત રીતે વણાયેલી જરૂરિયાતોને અનુરૂપ એ એક શાણા સમાજ રચીને જ માણસ તેના પિતાના આ ગાંડપણનાં પરિણામમાંથી પિતાની જાતને બચાવી શકશે.
આ સમાજ રચ એનો અર્થ એ કે માનવજાતે ઉત્ક્રાંતિના ક્રમમાં એક આગળનું પગલું ભરવું. પરંતુ એનો અર્થ એ નહીં કે માણસના જીવનમાં હવે સંપૂર્ણ સંવાદિતા સ્થપાશે અને તેની સામે કઈ સંઘ કે સમસ્યાઓ રહેશે નહીં. ઊલટાનું માણસનું ભાગ્યે જ એવું ઘડાયું છે કે તેનું અસ્તિત્વ હમેશાં સંઘર્ષો અને સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે. તેમને ઉકેલ કદી આવવાને નથી. તેમ છતાં માણસે આ સંઘર્ષો અને સમસ્યા કાયમ ઉકેલતા રહેવાનું છે. માણસ જયારે માનવઆહુતિ – પછી તે ધાર્મિક વિધિ રૂપે હોય કે યુદ્ધ રૂપે હોય - આપવાની અસંસ્કારી પછાત અવસ્થાને વટાવી ગયો હશે, જ્યારે તે પ્રકૃતિ સાથેને પોતાને સંબંધ અંધ પરિબળોને હવાલે રાખવાને બદલે વિવેકપૂર્વક ગોઠવી શકયો હશે, જ્યારે ચીજવસ્તુઓ તેને માથે ચઢી જવાને બદલે ખરેખર તેની ચાકર બની ગઈ હશે, ત્યારે તેને ખરેખર માનવીય સંઘર્ષો અને સમસ્યાઓનો સામનો કરવાને આવશે. પરંતુ તેની શકિતઓ ત્યારે મૃત્યુની નહીં, પણ જીવનની સેવામાં હશે. માનવ - ઈતિહાસને આ નવો તબક્કો જે સંભવિત બનશે, તો એ એક નૂતન આરંભ હશે, ને નહીં કે અંત.
માણસની સામે આજે સૌથી મૂળભૂત પસંદગી કરી લેવાને વારો આવ્યો છે. આ પસંદગી મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચેથી નહીં, પણ યંત્રમાનવવાદ (મૂડીવાદી તેમ જ સામ્યવાદી બેઉ પ્રકારને) અને 'માનવતાવાદી પારિવારિક સમાજવાદ વચ્ચેથી. મોટા ભાગની હકીકત જાણે એમ સૂચવે છે કે માણસ યંત્રમાનવવાદને, અર્થાત લાંબે ગાળે માનસિક અસ્થિરતા અને વિનાશને પસંદ કરે છે. પરંતુ આ બધી હકીકતે માણસની વિવેકબુદ્ધિ, સદ્ભાવના અને શાણપણમાંની આપણી શ્રદ્ધાને નાશ કરવા જેટલી સંગીન નથી. હજી જ્યાં સુધી આપણે બીજા વિકલ્પો અંગે વિચારી શકીએ છીએ, ત્યાં સુધી શ્રદ્ધાને સ્થાન રહેલું છે, જ્યાં સુધી આપણે ભેળા મળીને વિચાર વિનિમય કરી. શકીએ છીએ અને આયોજન કરી શકીએ છીએ, ત્યાં સુધી આપણે આશા રાખી શકીએ. પરંતુ ખરેખર, આળાઓ લંબાતા જાય છે, પાગલપણાના ઘાંટા મોટા ને મોટા થતા જાય છે. આપણા મહાન ગુરુઓના દર્શનને અનુરૂપ માનવજાતની અવસ્થા અત્યારે આપણી પહોંચમાં છે, અને તેમ છતાં આખીયે માનવ - સંસ્કૃતિના વિનાશને અથવા માનવ - યંત્રીકરણને ખતરો આજે આપણે માથે ઝળુંબી રહ્યો છે. હજારો વર્ષ પહેલાં એક નાની જમાતના સભ્યોને કહેવામાં આવેલું: ‘મેં તમારી સમક્ષ જીવન અને મૃત્યુ, આશીર્વાદ અને અભિશાપ મૂકયાં – અને તમે જીવન પસંદ કર્યું.’ આપણી પસંદગી પણ, . આ જ છે.
મૂળ અંગ્રેજી : એરિક ફ્રોમ
મરણ ની
તે કાને પડે છે. વિચ્છિન્ન સંવાદિતા અને અપમાનિત સુંદરતા એ અરાજકતાની પછીતે મોં વાળીને બેઠાં જણાય છે.
તું કહે છે: “હું વ્યકિત છું. પણ કહું છું કે તું વ્યકિત નથી. અરાજકતાની વચ્ચે વ્યકિતને જન્મ સંભવે નહિ.
મને ડર છે કે તારું સત્વ ખઈ નાંખ્યું છે. ઘણે ભાગે એ મોંઘેરું સત્વ અનેક ટુકડામાં છિન્ન ભિન્ન થઈ ગયું છે. તારી અંદર ઘમસાણ મચાવતાં નિષ્ફર વિરોધી તત્ત્વોને પહોંચી વળવા તે આંખ મીંચીને જે હડી કાઢી છે તેની હડફેટમાં આવીને જીવ જેવું દોહ્યલું કશુંક નંદવાઈ ગયું છે. એટલે તારી હાલત મુઠ્ઠી રાખ જેવી ઠાલી થઈ પડી છે.
સંવાદરહિતતાના કારણે, જિંદગી તારા માટે કઈ વાસ્તવિકતા રહી નથી. ખરેખર તું જીવંત જ નથી.
જિંદગીને કાંઠે કાંઠે નું અદ્ધર જીવે દેડે છે. સભાન મનconscious mind-એ જિદગીને કાંઠો છે, ઉપલક સપાટી છે. તેની આસપાસ નું કંઈ કાળ સુધી ફદરડી ફ્સ કરીશ તે પણ તને ક્યાંય નિરાંતે બેસીને વિસામો ખાવા જોગ જગ્યા જડવાની નથી.
નું જિદગીની ઉપલક સપાટી ઉપર કૃતકૃત્યતાને શોધવા વલખાં મારે છે. પણ 'Being'- ‘અતિ * કદિયે સપાટી ઉપર ઉઘાડી ભટકતી નથી. એટલે તું ‘Becoming’–‘ભવતિ **મારફત ધન્ય થઈ જવા ઝાંવાં નાખે છે. “ભવતિ'ની નથી હસ્તી કે નથી એમાં ઊંડાણ. જીવનનાં મોજાં ઉપર વળતા ફીણની જેમ એ તો ફીટી જનારી ભ્રાન્તિ છે. તારી સઘળી મથામણો મિશ્યા નિવડશે અને સરવાળે મરણ તેલ થાકને જ તું ભોગ બનવાને.
આમ હોવાથી તારી જિંદગી અર્થ વિનાના બેજારૂપ બની ગઈ છે. બીજો છૂટકો નથી તેથી જ તું એ બોજો વેંઢારીને ફરે છે.
કારણ વગર શંભી ગયેલા કર્મચક્ર જેમ તારૂં મરણ થશે. તું દેહાન્ત નહિ પામે. જે કામ કરતાં રહેવાની તને ટેવ પડી ગઈ છે તેને અચાનક જ નિર્દયતાપૂર્વક રોકી દેવામાં આવશે અને હું તેને લાચાર ભેગા થઈ પડીશ.
તેં તારી જાતને જ જાણી નથી એ જરા વિચિત્ર નથી? તને તારી જાતને જાણવાની જરૂર નથી જણાઈ એ પણ વિચિત્ર નથી લાગતું? જાત-ઓળખની દિશા વિશે સદંતર બેખબર રહીને જ તું જીવનમાં ભટકે છે તેય શું વિચિત્ર નથી?
ધાર કે સંયોગવશાત એકાદી દુર્લભ શાંત પળમાં અકસ્માત જ તને તારી જાત જ ભટકાઈ પડી તો? હું એને મળીને પણ ઓળખી નહિ શકે એવી ધાસ્તી નથી લાગતી શું? - તારી આસપાસની દુનિયા વિશે તો તું ઘણું જાણે છે. પૃથ્વીના ગોળા ઉપર તું જીવે છે તેને તું ઠીક ઠીક જાણે છે. સૂર્ય, ચંદ્ર તેમ જ મંગળ, શુક્ર વગેરે વિશે તને સારું એવું જ્ઞાન છે ! અવકાશ અને સમુદ્રનાં રહસ્યો તને અવગત છે! પરંતુ તારી જાતથી તું સાવ અજ્ઞાત છે. તારા પોતાના જીવન વિશેનું તારું અજ્ઞાન અગાધ છે.
અને આનું પરિણામ આવ્યું છે? તારા જીવનમાં શકિત છે; પણ તારા અન્તરમાં શાન્તિ નથી. તારી ચોમેર વિશાળ પથારો છે; પણ તારી અંદર ઊંડું ગાંભીર્ય નથી. એક સર્વવ્યાપી વિષમતા તને - વ્યાપી વળી છે. એક સર્વગ્રાહી પક્ષાઘાત તને ગ્રસી ગયો છે.
તું એક ધીમી ત્રાસદાયક આત્મહત્યામાં આળોટે છે તે જોઈને મને ખરેખર ખેદ ઉપજે છે. તરંગે અને લાગણીઓનાં વાવાઝોડાં સામે, આન્તરિક સંઘ અને ગુંચવાડાઆ સામે નું ઝુકી પડે છે તે જોઈને મને ઊંડો ખેદ ઉપજે છે.
હું તને તારી મોહનિદ્રામાંથી જગાડવા આવી છું; જાતને ભુલાવતી ભુલભુલામણીમાંથી બહાર ખેંચી કાઢવા આવી છું.
મારી વાત હૈયે ધર! જાગ, ઊઠ! જીવન જયોતિ ઝળહળી રહ્યો છે. તારૂં માં તેની તરફ ફેરવ અને અત્તરની આંખે ખેલી નાંખ! ટટ્ટાર થઈ જા! પૂર્ણ અર્થમાં માનવ બની જા !
વિમલા ઠકાર
“તું તારી જાતને પીછાણ!”
(આ મુદ્દાને પ્રાધાન્ય આપતા શ્રી વિમળાબહેન ઠકારના એક મિત્ર ઉપર લખાયલા મૂળ અંગ્રેજી પત્રને નીચે ગુજરાતી અનુવાદ આપવામાં આવેલ છે.
તંત્રી) હું તારી આંખમાં આંખ ઝબળું છું અને મને એમાં શેકની વાદળી વરતાય છે. એ આંખમાંથી જીવનનાં રમિ નથી ફટતાં; એના પર આત્મગ્લાનિનાં અંધારાં છવાઈ ગયાં છે.
હું તારા દિલમાં ડૂબકી મારીને કાન માંડું છું તે મને સંવાદી સંગીતના સૂરો નથી સંભળાતા. સ્વરોની અરાજકતાને ઘોંઘાટ ત્યાં
*Being અસ્તિ એટલે હોવું નિર્ભેળ, નિરપેક્ષ, નિરુપાધિક અહેતુક અસ્તિત્વ (અકર્મ યોગ?) * Becoming ભવતિ–થવું, બનવું, સહેતુક, સંપાધિક, કર્મબદ્ધ જીવનસંગ્રામ, કશુંક બનવાની ભ્રાંત મથામણ.