Page #1
--------------------------------------------------------------------------
________________
>>
>
>>
>>
>
>>
> > > ગ્રન્થાંક-૨)
શ્રી પંચ પ્રાતમારા
(શબ્દાર્થ : ગાથાર્થ : વિવેચન તથા
ઉપયોગી માહિતી સાથે)
લડવી ડીડીડીડીડીડીવીડીડીડવી
૯૯રરરરરરરરર
: પ્રકાશક : (સદ્ગત શેઠશ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત) શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
e અને
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ - મહેસાણા
| કિંમત રૂા. ૬૦=૦૦
છાપેલી કિંમતથી વધારે કિંમત લેવી નહિ. ફિટિિિિિિિિિરિરિરિરિ
Page #2
--------------------------------------------------------------------------
________________
ชัย กาย 2Wr-.-vin
3 ) ชน
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
સી-વન-જ્ઞાન-ચરિત્ર મોક્ષમા
ગ્રન્થાંક-૨૦
શ્રી પંચ પ્રતિક્રમણ
સાર્થ (શબ્દાર્થઃ ગાથાર્થ : વિવેચન તથા
ઉપયોગી માહિતી સાથે)
છે
N
: પ્રકાશક: (સદ્ગત શેઠશ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત) ની શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા |
અને | શ્રી જૈન શ્રેયસ્કર મંડળ - મહેસાણા એ વીર સં. ૨૫૩૩ ઈ.સ. ૨૦૦૬ વિ.સં. ૨૦૧૩ જી આવૃત્તિ: ૨૦મી
નકલ ૫,૦૦૦ કિંમત રૂા. ૬૦=૦૦ છાપેલી કિંમતથી વધારે કિંમત લેવી નહિ.
જ
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન પંચ પ્રતિક્રમણ સાથેની આ અગાઉ ઓગણીશ આવૃત્તિઓ આ સંસ્થા તરફથી બહાર પડી ચૂકી છે. ઓગણીશમી આવૃત્તિની ત્રણ હજાર નકલ ખલાસ થતાં આ વીસમી આવૃત્તિની પાંચ હજાર નકલ જૈન સમાજ સમક્ષ મૂકતાં અમને અત્યંત હર્ષ થાય છે.
પ્રેસ દોષાદિના કારણે જે કંઈ અલનાઓ જણાય એ તરફ અમારું ધ્યાન દોરવા વિનંતિ જેથી આગામી આવૃત્તિમાં સુધારી શકાય.
સારા કાગળ, સુંદર છપાઈ તથા પાકુંબાઈડિંગ હોવા છતાં સંસ્થાના ઉદ્દેશ મુજબ કિંમત ઓછી રાખવામાં આવેલ છે. મહેસાણા
લિ. સંવત : ૨૦૬૩
ડૉ. મફતલાલ જે. શાહ માગસર
ઓનરરી સેક્રેટરી
પ્રાપ્તિસ્થાનો શ્રી જૈન શ્રેયસ્કર મંડળ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ
ઠે. બાબુ બિલ્ડીંગ મહેસાણા (ઉ. ગુ.) | પાલીતાણા (સૌરાષ્ટ્ર) (ફોનઃ (૦ર૭૬૨) ૨૨૨૯૨૭ પીન - ૩૬૪૨૭૦
: મુદ્રક: ભરત પ્રિન્ટરી
કાન્તિલાલ ડી. શાહ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧.
ફોનઃ ૨૨૧૬૪૭૯૮
Page #6
--------------------------------------------------------------------------
________________
GO
૭૫
૮૩
અનુક્રમણિકા વિષય
પૃષ્ઠ વિષય નવકાર પંચમંગળરૂપ ... ૭)કલ્યાણકંદની સ્તુતિ પંચિંદિય સૂત્ર
૧૬ સંસારદાવાની સ્તુતિ ખમાસમણ વા
પુફખરવરદી સૂત્ર પ્રણિપાત સૂત્ર... ૧૯ સિદ્ધાણં બુદ્ધાણં
૭૯ સુગુરુને સુખસાતા
વેયાવચ્ચગરાણું
૮૨ | પૃચ્છા ... ૧૯ભગવાનાદિ વંદન ઇરિયાવહિયં સૂત્ર ૨૦/દેવસિઅ પડિક્કમeતસ ઉત્તરી સૂત્ર ૨૪|
ઠાઉં... અન્નત્ય ઊસિએણે
ઈચ્છામિ ઠામિ સૂત્ર સૂત્ર... ૨૫/અતિચારની આઠલોગસ્સ વા નામસ્તવ
ગાથા ... સૂત્ર ... ૨૮ સુગુરુ વાંદણા ... કરેમિભંતે વા સામા- દિવસિઅં આલોઉં સૂત્ર... યિકનું પચ્ચખાણ ... ૪૦|સાત લાખ
૧૦૧ સામાયિક પારવાનું
અઢાર પાપસ્થાનક ૧૦૨ સૂત્ર... ૪ર વંદિત્ત સૂત્ર
૧૦૫ જગચિંતામણિ
અભુક્રિઓ સૂત્ર ચૈત્યવંદન ... ૪૪ આયરિય ઉવજઝાએ કિંચિ સૂત્ર
સૂત્ર... ૧૪૦ નમુસ્કુર્ણ વા શકસ્તવ ... ૫૦|નમોડસ્તુ વર્તમાનાય ... ૧૪૧ જાવંતિ ચેઇઆઇ પ૭ વિશાલલોચન
૧૪૪ જાવંત કેવિ સાહૂ ૫૭ મૃતદેવતાની સ્તુતિ ૧૪૬ નમોડર્વત્
૫૮ ક્ષેત્રદેવતાની સ્તુતિ ૧૪૭ ઉવસગ્ગહરં સ્તવન પ૯](જીસે ખિતે સા જયવીયરાય સૂત્ર ૬૩|કમલદલની સ્તુતિ અરિહંત ચેઈઆણં .. ૬૬/અઢાઈસુ સૂત્ર ... ૧૪૮
૧૦૦
૧૩૮
૪૯
૧૪૮
Page #7
--------------------------------------------------------------------------
________________
વિધિ... ૧ીનમુક્કારસહિયનું
વિષય
પૃષ્ઠ વિષય વરકનક
૧૫૦|સંતિકર સ્તવનમ્ ૨૩૬ લઘુ શાન્તિ સ્તવ ૧૫૦|તિજયપહુર
૨૪૯ ચઉકસાય
૧૬૨નમિઊણ (ભયહરસ્તોત્ર) ... ૨૫૮ ભરોસરની સઝાય ... ૧૬૪,અજિતશાન્તિ સ્તવનમ્... ૨૭૪ સકલતીર્થ વંદના ... ૧૬૮ ભક્તામર સ્તોત્ર ... ૩૨૨ મન્ડજિણાણ સઝાય... ૧૭૨]લ્યાણમંદિર સ્તોત્ર ... ૩૬૨ પોસહનું પચ્ચક્ષ્મણ ... ૧૭૫ોટી શાન્તિ
૪૦૧ પોસહ પારવાનું સૂત્ર ... ૧૭૬ સંથારાપોરિસિ
૪૧૯ સામાયિક લેવાનો
રત્નાકરપંચવિશિકા ... ૪૨૮ વિધિ. ૧૭ પિચ્ચકખાણો) ૪૪ સામાયિક પારવાનોચૈત્યવંદન કરવાનો
પચ્ચકખાણ ... ૪૪૬
પોરિસિ સામ્રપોરિસિનુંવિધિ ... ૧૭૯ ગુરુવંદન કરવાનો –
પચ્ચકખાણ... ૪૮ દેવસિઅ પ્રતિક્રમણ વિધિ... ૧૮૦
પચ્ચકખાણ ... ૫૦ રાઈએ પ્રતિક્રમણ વિધિ... ૧૮૫
એકાસણા બિયાસણાનુંપચ્ચકખાણ પારવાનો
- પચ્ચક્ખાણ... ૪૫૦ વિધિ ... ૧૮૭
આયંબિલનું પચ્ચકખાણ... ૫૪ સ્નાતસ્યાની સ્તુતિ ૧૮૮ તિવિહાર ઉપવાસનું ... ૪૫૫ ભવનદેવતાની સ્તુતિ ... ૧૯૨
૧૨ાચઉવિહાર ઉપવાસનું... ૫૫ ક્ષેત્રદેવતાની સ્તુતિ ... ૧૯૩T સિાંજના પાણી) ૫૬
(યા ત્ર) પાણહારનું પચ્ચકખાણ... ૫૬ સલાહત
૧૯૪૨ઉવિહારનું પચ્ચખાણ... ૫૬ પાલિકાદિ અતિચાર ... ૨૧૨|તિવિહારનું પચ્ચકખાણ... ૫૬
વિ અરયાદિ). ૨૩૫દુવિહારનું પચ્ચખાણ... ૪૫૭ નવકાર પંચમંગલરૂપ... ૨૩૫દિશાવગાસિકનુંઉવસગ્ગહર સ્તવનમ્... ૨૩૫. પચ્ચકખાણ... ૫૭
વિધિ... ૧૮૦/પુરિમષ્ઠઅવઢનું
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષય પૃષ્ઠ|વિષય
પૃષ્ઠ પાક્ષિક ખામણાં ૪૫૭|સીમંધરજિન સ્તવનો ર... ૪૭૫ અષ્ટપ્રકારી પૂજાના
શ્રી યુગમંધરજિનદુહા ... ૪૬૧
સ્તવન ... ૪૭૭ ગૌતમાષ્ટક છંદ ૪૬૩|શ્રી સિદ્ધાચલનાં-૨ ... ૪૭૮
( ચેત્યવંળો છે. ૪૮૩ શ્રી રાયણ પગલાનું-૧ ... ૪૭૯ સકલ કુશલ વલ્લી
શ્રી આદિજિન સ્તવન... ૪૮૦ એકસો સિત્તેર જિન
શ્રી સુમતિજિન સ્તવન... ૪૮૧ ચૈત્યવંદન... ૪૬૪ શ્રી વાસુપૂજ્ય
સ્વામીનું સ્તવન ... ૪૮૨ સિદ્ધચક્ર નમસ્કારચૈત્યવંદન ૪૪ શ્રી શાન્તિજિન સ્તવન... ૪૮૩
શ્રી પાર્શ્વનાથ સ્તવન ... ૪૮૪ વીશસ્થાનકનું
ચૈત્યવંદન શ્રી મહાવીર સ્વામીનાપર્યુષણ ચૈત્યવંદન
પંચકલ્યાણકનું દશ
૪૬૫ ચોવીસજિનલંછન
ઢાળનું સ્તવન ... ૪૮૫
શ્રી મહાવીર સ્વામીનાચૈત્યવંદન ... ૪૬૬
સત્તાવીશ ભવનું પાંચસામાન્ય જિનચૈત્યવંદન ... ૪૬૬]ી વિરજિન સ્તવનો-૨.. ૫OO
ઢાળનું સ્તવન ... ૪૯૪ પાર્શ્વજિન ચૈત્યવંદન ... ૪૬ળીશ્રી વીરપ્રભુનુંસિદ્ધાચલનાં ચૈત્યવંદનો... ૪૬
દીવાળીનું ... ૫૦૨ શ્રી સીમંધરસ્વામીનાંચૈત્યવંદનો ... ૪૬૮
શ્રી પર્યુષણ પર્વનુંબીજનું ચૈત્યવંદન ... ૪૬૯પાંચ કારણનું સ્તવન
સ્તવન ... ૫૦ર જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન... ૪૬૯ઢાળ છ (વિનયવિજયજી કૃત) . ૫૦૩ અષ્ટમીનું ચૈત્યવંદન ... ૪૭૦]
સ ત્વરત્ન વિનાએકાદશીનું ચૈત્યવંદન ... ૪૭૧| સર્વ ક્રિયા નકામી ... ૫૦૯
સ્તવનો) |શ્રી પાર્શ્વનાથજિનનવપદજીનું સ્તવન ૪૭૨
સ્તવન ... ૫૧૦ વિશસ્થાનકનું સ્તવન ... ૪૭૩ ભાવમંદિર ... ૫૧૦
Page #9
--------------------------------------------------------------------------
________________
વિષય
થોયો
શ્રી સીમંધર સ્વામીનીથોયો-૨ ...
શ્રી શત્રુંજયતીર્થનીથોયો-૩ ...
શ્રી સિદ્ધચક્રની થોય(ચારનો જોટો) ...
શ્રી વીશસ્થાકની થોય
(ચારનો જોટો) ... શ્રી શાન્તિજિન થોય
(ચારનો જોટો)
એકાદશની થોય
પૃષ્ઠ વિષય અરણિક મુનિની –
(ચારનો જોટો) ... શંખેશ્વર પાર્શ્વજિન
થોય (ચારનો જોટો) ... ૫૧૫ સંવત્સરી પ્રતિક્રમણબીજની થોય
...
(ચારનો જોટો) ... શ્રી પર્યુષણની થોયો–૩ (ચારનો જોટો) ... સજ્ઝાયો
ક્રોધની સજ્ઝાય
માનની સજ્ઝાય
માયાની સજ્ઝાય
લોભની સજ્ઝાય
સજ્ઝાય
૫૨૩
૫૧૧ આઠ મદની સજ્ઝાય .. ૫૨૪ શિખામણની સજ્ઝાય ૫૧૨ આપ સ્વભાવની
પરપ
(ચારનો જોટો) ... ૫૧૫ પોસહ લેવાની વિધિ પંચમીની થોયપડિલેહણની વિધિ (ચારનો જોટો) ... ૫૧૬ દેવ વાંદવાની વિધિ પોરસી ભણાવવાનો
અષ્ટમીની થોય
સજ્ઝાય ... ૫૨૫
૫૧૨/પ્રદેશી રાજાની સજ્ઝાય... ૫૨૬
સ્થાપના કુલક સજ્ઝાય... ૫૨૯ (વિધિઓ)
૫૧૩
પક્ષ્મિપ્રતિક્રમણ વિધિ.. ૫૩૦ ૫૧૪ ચઉમાસી પ્રતિક્રમણ
વિધિ . ૫૩૨
૫૧૭
પૃષ્ઠ
૫૧૮
૫૧૮
વિધિ ... ૫૩૨
૫૩૩
૫૩૬
૫૩૬
વિધિ ... ૫૩૭
રાઈમુહપત્તિ
પડિલેહણ વિધિ ... ૫૩૭ સાંજના પડિલેહણની
વિધિ... ૫૩૮
૫૩૯
માંડલાંની વિધિ
૫૨૧ પ્રતિક્રમણના સામાન્ય
૫૨૧
હેતુઓ ... ૫૪૦
૫૨૨ શ્રી પદ્માવતી આરાધના... ૫૫૫
૫૨૨ ચાર શરણાં
૫૫૮
Page #10
--------------------------------------------------------------------------
________________
॥ ૐ અર્હ નમઃ । ।। શ્રી પાર્શ્વનાથાય નમઃ II
શ્રી
પંચ પ્રતિક્રમણ સાર્થ
[અર્થ સહિત]
૧ [પંચમંગલરૂપ] નવકાર સૂત્ર
શબ્દાર્થ
નમો - નમસ્કાર હો. અરિહંતાણં - અરિહંત
ભગવાનોને.
સિદ્ધાણં - સિદ્ધ ભગવાનોને. આયરિયાણં - આચાર્ય
મહારાજાઓને.
ઉવજ્ઝાયાણં - ઉપાધ્યાય
પંચનમુક્કારો - પાંચેને કરેલ
નમસ્કાર.
લોએ - લોકમાં
સવ્વસાહૂણં - સર્વ સાધુઓને. એસો - એ.
સવ્વપાવ - બધાં પાપનો. પ્પણાસણો - નાશ કરનાર.
મંગલાણં - મંગલોમાં.
ચ - અને
સન્વેસિ - સર્વને વિષે.
મહારાજાઓને. | પઢમં - પ્રથમ.
હવઇ - છે.
મંગલ - મંગળરૂપ.
Page #11
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણં ॥ ૧ ॥
*શ્રી અરિહંત (પરમાત્માઓ)ને નમસ્કાર થાઓ. ૧
* કેવળજ્ઞાન પામીને ભવ્યજીવોને બોધ દેતા અગર બોધ દેવાને વિચ૨તા તીર્થંકર મહારાજા તે શ્રી અરિહંત. તેમના બાર ગુણ આ પ્રમાણે છે –
૧. અશોક વૃક્ષ - જ્યાં ભગવંતનું સમવસરણ રચાય ત્યાં ભગવંતના દેહથી બાર ગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મોપદેશ આપે છે તે.
૨. સુરપુષ્પવૃષ્ટિ - એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં જળ-સ્થળમાં ઉત્પન્ન થયેલ સુગંધી પંચવર્ણ ચિત્ત ફુલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતા કરે છે તે.
૩. દિવ્ય-ધ્વનિ - ભગવંતની વાણીને માલકોશ રાગ, વીણા, વાંસળી, આદિકના સ્વરવડે દેવતા પૂરે છે તે.
૪. ચામર - રત્નજડિત સુવર્ણની દાંડીવાળાં ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે.
૫. આસન સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે.
૬. ભામંડળ - ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ (તેજનું માંડલું) દેવતા રચે છે તે. તે ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામું જોઈ શકાય નહિ.
-
ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય
૭. દુંદુભિ - ભગવંતના સમવસરણ વખતે દેવતાઓ દેવદુંદુભિ વગેરે વાજિંત્રો વગાડે છે. તે એમ સૂચવે છે કે – ‘હે ભવ્યો ! તમે શિવપુરના સથવા૨ા તુલ્ય આ ભગવંતને સેવો.’
Page #12
--------------------------------------------------------------------------
________________
નમો સિદ્ધાણં ૨ ..
શ્રી સિદ્ધ (પરમાત્માઓ)ને નમસ્કાર થાઓ. ૨
૮. છત્ર-સમવસરણમાં ભગવંતના મસ્તક ઉપર ઉપરાઉપર શરદૂઋતુના ચંદ્રતુલ્ય ઉજ્જવળ અને મોતીના હારોએ સુશોભિત ત્રણ ત્રણ છત્રો દેવતાઓ રચે છે તે. ભગવંત સમવસરણમાં પૂર્વાભિમુખે બેસે છે અને બીજી ત્રણ દિશાઓમાં ભગવંતના જેવાં પ્રતિબિંબો દેવતાઓ સ્થાપે છે. તેથી બાર છત્ર સમવસરણમાં હોય. એ એમ સૂચવે છે કે – “ત્રણ ભુવનના સ્વામી એવા આ ભગવંતને હે ભવ્યો ! તમે સેવો.' સમવસરણ ન હોય ત્યારે પણ આ આઠ પ્રાતિહાર્ય તો હોય જ છે.
અતિશય એટલે ઉત્કૃષ્ટતા. વિશિષ્ટ ચમત્કારવાળો ગુણ. આ મૂળ ચાર છે.
૧. અપાયાપગમાતિશય - (અપાય-ઉપદ્રવ, તેનો અપગમનાશ) આ બે પ્રકારના છે
સ્વાશ્રયી-એટલે પોતાના સંબંધમાં અપાય એટલે ઉપદ્રવનો દ્રવ્યથી અને ભાવથી નાશ કર્યો છે તે.
દ્રવ્ય ઉપદ્રવ- સર્વ રોગો. આ પોતાને ક્ષય થઈ ગયા હોય છે.
ભાવ ઉપદ્રવ - અંતરંગ અઢારે દૂષણો પ્રભુએ નાશ કરેલ છે. આ અઢાર નીચે પ્રમાણે -
(૧) દાનાંતરાય. (૨) લાભાંતરાય. (૩) વીર્યંતરાય. (૪) ભોગાંતરાય. (૫) ઉપભોગાંતરાય. (૬) હાસ્ય. (૭) રતિ.(2) અરતિ. (૯) ભય. (૧૦) શોક. (૧૧) જુગુપ્સા-નિંદા. (૧૨) કામ. (૧૩) મિથ્યાત્વ. (૧૪) અજ્ઞાન. (૧૫) નિદ્રા. (૧૬) અવિરતિ.(૧૭) રાગ. (૧૮) દ્વેષ.
આ રીતે સ્વાશ્રયી અપાયાપગમાતિશય.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦ નમો આયરિયાણં . ૩.
શ્રી આચાર્ય (મહારાજો)ને નમસ્કાર થાઓ. ૩
વપરાશ્રયી અપાયાપગમાતિશય - જેનાથી પારકાના ઉપદ્રવ નાશ પામે, એટલે જ્યાં ભગવાન વિચરે, ત્યાં દરેક દિશામાં મળીને સવાસો જોજન સુધી પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુષ્કાળ આદિ થાય નહિ.
૨. જ્ઞાનાતિશય - જેનાથી ભગવાન લોકાલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે તે, કારણ કે તેમને કેવળજ્ઞાન છે તેથી કાંઈપણ તેમને અજ્ઞાત રહી શકતું નથી.
૩. પૂજાતિશય - જેનાથી શ્રી તીર્થકર સર્વને પૂજાય છે, એટલે ભગવંતની પૂજા રાજા, બલદેવાદિ, દેવતા, ઈન્દ્ર આદિ કરે છે. અગર કરવાની અભિલાષા કરે છે તે.
૪. વચનાતિશય - જેનાથી શ્રી તીર્થકરની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે. કારણ કે તેમની વાણી સંસ્કારાદિક ગુણવાળી છે. આ વાણી ૩૫ ગુણ સહિત છે. તે ગુણો નીચે પ્રમાણે –
(૧) સર્વ ઠેકાણે સમજાય તેવી. (૨) યોજન પ્રમાણ સંભળાય તેવી. (૩) પ્રૌઢ. (૪) મેઘ જેવી ગંભીર. (૫) શબ્દ વડે સ્પષ્ટ. (૬) સંતોષકારક. (૭) દરેક મનુષ્ય એમ જાણે જે મને જ કહે છે એવી. (૮) પુષ્ટ અર્થવાળી. (૯) પૂર્વાપર વિરોધ રહિત. (૧૦) મહાપુરુષને છાજે એવી. (૧૧) સંદેહ વગરની. (૧૨) દુષણરહિત, અર્થવાળી. (૧૩) કઠણ વિષયને સહેલો કરે એવી. (૧૪) જયાં જેવું શોભે ત્યાં તેવું બોલાય એવી.(૧૫) પદ્રવ્ય અને નવ તત્ત્વને પુષ્ટ કરે એવી. (૧૬) પ્રયોજન સહિત. (૧૭) પદરચના સહિત. (૧૮) છ દ્રવ્યો, નવતત્ત્વ પટુતા સહિત. (૧૯) મધુર. (૨૦) પારકો મર્મ જણાઈન
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧ નમો ઉવજઝાયાણં . ૪.
શ્રી ઉપાધ્યાય (મહારાજો)ને નમસ્કાર થાઓ. ૪ આવે એવી ચતુરાઈવાળી, (૨૧) ધર્મ-અર્થ પ્રતિબદ્ધ. (૨૨) દીપ સમાન પ્રકાશક - (પ્રગટ) અર્થ સહિત. (૨૩) પરનિંદા અને પોતાના વખાણ વગરની. (૨૪) કત, કર્મ, ક્રિયા, કાળ, વિભક્તિ સહિત.(૨૫) આશ્ચર્યકારી. (૨૬) વક્તા સર્વગુણસંપન્ન છે એવું જેમાં લાગે એવી. (૨૭) વૈર્યવાળી. (૨૮) વિલંબ રહિત. (૨૯) ભ્રાંતિ રહિત. (૩૦) સર્વ પોતાની ભાષામાં સમજે એવી. (૩૧) શિષ્ટબુદ્ધિ ઉપજાવે એવી. (૩૨) પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે એવી. (૩૩) સાહસિકપણે બોલે એવી. (૩૪) પુનરુક્તિદોષ વગરની. (૩૫) સાંભળનારને ખેદ ન ઉપજે એવી.
આઠ પ્રાતિહાર્યના આઠ અને મૂળ અતિશયના ચાર મળી કુલ ૧૨ ગુણ અરિહંત ભગવાનના જાણવા.
આઠે કર્મનો ક્ષય કરીને સાધ્યું છે મોક્ષપદ જેણે તે સિદ્ધ. સિદ્ધ ભગવાનના આઠ ગુણ છે, તે આ પ્રમાણે -
૧. અનંતજ્ઞાન : જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે.
૨. અનંતદર્શનઃ દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે દેખે છે.
૩. અવ્યાબાધ સુખઃ વેદનીય કર્મનો ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડા રહિત-
નિપાધિકપણું પ્રાપ્ત થાય છે.
૪. અનંત ચારિત્ર: મોહનીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આમાં ક્ષાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વભાવમાં સદા અવસ્થિત રહે છે. તે જ ચારિત્ર છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨
નમો લોએ સવ્વસાહૂણં / પો.
(અઢીદીપ પ્રમાણ) લોકક્ષેત્ર મધ્યેના સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. ૫
૫. અક્ષયસ્થિતિઃ આયુ: કર્મનો ક્ષય થવાથી નાશ નહિ થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી તેથી સાદિ અનંત સ્થિતિ કહેવાય છે.
૬. અરૂપીપણું નામકર્મનો ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરહિત થાય છે. કેમકે શરીર હોય તો એ ગુણો છે, પણ સિદ્ધને શરીર નથી. તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે.
૭. અગુરુલઘુઃ ગોત્રકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે, તેથી ભારે-હળવો અથવા ઉંચ-નીચાણાનો વ્યવહાર રહેતો નથી.
૮. અનંતવીર્યઃ અંતરાય કર્મનો ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય-શક્તિ પ્રાપ્ત થાય છે. સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરી શકે તેવી શક્તિ સ્વાભાવિક સિદ્ધમાં રહેલી છે, છતાં તેનું વીર્ય કદી ફોરવતા નથી, અને ફોરવશે નહિ. કેમકે પુદ્ગલ સાથેની પ્રવૃત્તિ એ તેમનો ધર્મ નથી. એ ગુણથી આત્મિક ગુણોને જેવા છે તેવા ને તેવા રૂપે ધારી રાખે, ફેરફાર થવા દે નહિ.
પાંચ આચારને પાળે અને બીજાને પળાવે એવા અને વળી ધર્મના નાયક છે તે આચાર્ય મહારાજના છત્રીશ ગુણો છે, તે નીચે પ્રમાણે છે :
(૧) સ્પર્શનેન્દ્રિય (ત્વચા-શરીર), (૨) રસનેન્દ્રિય (જીભ), (૩) ધ્રાણેન્દ્રિય (નાક), (૪) નેગેન્દ્રિય (આંખ) અને (૫) શ્રોત્રેન્દ્રિય (કાન), એ પાંચ ઇન્દ્રિયના ત્રેવીસ વિષયોમાં મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ આચાર્ય મહારાજ કરે નહિ.
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૩
એસો પંચનમુક્કારો | ૬ |
એ પાંચને કરેલ નમસ્કાર. ૬
બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુણિ એટલે શીયળની નવ વાડોને જાળવી રાખે. ક્ષેત્રનું જેમ વાડથી રક્ષણ થાય છે તેમ આ નવ વાડોથી શિયળનું રક્ષણ થાય છે.
૧. સ્ત્રી, પશુ, નપુંસક જયાં ન હોય ત્યાં વસે. ૨. સ્ત્રીની સાથે રાગથી વાતો કરે નહિ. ૩. સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી સુધી બેસે નહિ અને
પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી ત્રણ પોર સુધી બેસે નહિ. ૪. રાગ વડે સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. ૫. સ્ત્રી-પુરુષ સુતાં હોય અગર કામભોગની વાત કરતાં હોય
ત્યાં ભીંતના આંતરે રહે નહિ. ૬. અગાઉ ભોગવેલા વિષયાદિને સંભારે નહિ. ૭. સ્નિગ્ધ આહાર કરે નહિ. ૮. નીરસ એવો પણ અધિક આહાર કરે નહિ. ૯. શરીરની શોભા-ટાપટીપ કરે નહિ.
સંસારની પરંપરા જેનાથી વધે તે કષાય. તેના ચાર પ્રકાર છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ - એ ચાર કષાય આચાર્ય મહારાજ કરે નહિ.
મહાવ્રત એટલે મોટાં વ્રત. પાળવામાં આકરાં હોય તે મહાવત પાંચ છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪ સવ્વપાવપ્પણાસણો / ૭
સર્વ પાપનો નાશ કરનાર છે. ૭ ૧. પ્રાણાતિપાત વિરમણ કોઈ જીવનો વધ કરવો નહિ.
૨. મૃષાવાદ વિરમણઃ ગમે તેવું કષ્ટ આવી પડે તેમ હોય તો પણ અસત્ય વચન બોલવું નહિ.
૩. અદત્તાદાન વિરમણઃ કોઈની ન આપેલી નજીવી ચીજ પણ લેવી નહિ.
૪. મૈથુન વિરમણ મન વચન કાયાએ કરીને બ્રહ્મચર્ય પાળવુંવિષયસુખ ભોગવવાં નહિ.
૫. પરિગ્રહ વિરમણ કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહિ તેમજ ધર્મોપકરણ, પુસ્તક આદિ વસ્તુ પોતાની પાસે હોય તેના ઉપર મૂચ્છ રાખવી નહિ. એ પાંચ મહાવ્રત સાધુ મુનિરાજ પાળે છે.
આચાર્ય મહારાજ જે પાંચ આચારને પાળે છે, તે આ પ્રમાણે
૧. જ્ઞાનાચારઃ જ્ઞાન ભણે-ભણાવે, લખેલખાવે, જ્ઞાનભંડાર કરાવે, ભણનારને સહાય આપે.
૨. દર્શનાચારઃ શુદ્ધ સમ્યકત્વને પોતે પાળે, બીજાને પળાવે અને સમ્યકત્વથી પડતાને સમજાવી સ્થિર કરે.
૩. ચારિત્રાચાર : પોતે શુદ્ધ ચારિત્ર પાળે, બીજાને પળાવે અને પાળનારને અનુમોદે.
૪. તપ આચાર : છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારનો તપ પોતે કરે, કરાવે અને કરતાને અનુમોદન આપે.
પ. વીર્યાચાર - ધર્માનુષ્ઠાન (ધર્મક્રિયા) કરવામાં છતી શક્તિ ગોપવે નહિ તથા તમામ આચાર પાળવામાં વિર્યશક્તિ સંપૂર્ણ રીતે ફોરવે તે.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
મંગલાણં ચ સવ્વસિં ॥ ૮ ॥
વળી સર્વ મંગલમાં. ૮
પઢમં હવઈ મંગલ || ૯ || પ્રથમ મંગલ (કલ્યાણરૂપ) છે.૯
પદ (૯), સંપદા (૮), ગુરુ (૭), લઘુ (૬૧), સર્વવર્ણ (૬૮). ઈતિ નવકાર સૂત્ર. ૧
ચારિત્રધર્મની રક્ષાને અર્થે મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી આઠ પ્રવચન માતાને પાળવાની જરૂર છે, તે આ પ્રમાણે. ૧. ઈર્યાસમિતિ - સાડા ત્રણ હાથ મુખ આગળ દૃષ્ટિ નીચી રાખીને ચાલવું.
૨. ભાષાસમિતિ - સાવધ વચન બોલવું નહિ.
૩. એષણાસમિતિ - અપ્રાસુક આહાર-પાણી આદિ વહોરવાં નહિ.
૪. આદાનનિક્ષેપણાસમિતિ - વસ્ર-પાત્ર અણપુંજી ભૂમિ ઉપર લેવું - મૂકવું નહિ.
૫. પારિષ્ઠાપનિકાસમિતિ - મળ-મૂત્ર અણપુંજી જીવાકુળ ભૂમિએ પરઠવવું નહિ.
૧. મનપ્તિ - મનમાં આર્ત-રૌદ્ર ધ્યાન ધ્યાવવાં નહિ.
૨. વચનગુપ્તિ - નિરવઘ વચન પણ કારણ વિના બોલવાં નહિ.
૩. કાયગુપ્તિ - શરીર અણપડિલેહ્યું હલાવવું નહિ.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૬
૨. પંચિંદિઅ સૂત્ર
આચારને.
શબ્દાર્થ પંચિંદિપ - પાંચ ઇન્દ્રિયોના- | પંચમહવય-પાંચ મહાવ્રતોએ
વિષયોને. | જુવો - યુક્ત. સંવરણો - રોકનાર. પંચવિહાયાર - પાંચ પ્રકારનાત - તથા. નવવિહ- નવ પ્રકારની. પાલણ-સમન્થો - પાળવામાંબભચેર - બ્રહ્મચર્યની. ગુત્તિધરો-વાડને ધારણ કરનારા. | પંચસમિઓ - પાંચ પ્રકારનીચઉવિહ - ચાર પ્રકારના.
સમિતિએ યુક્ત. કસાય - કષાયથી.
તિગુત્તો - ત્રણ ગુણિએ સહિત. મુક્કો - મુકાએલા.
છત્તીસગુણો - છત્રીશ ગુણોએઈઅ - એ.
યુક્ત. અટ્ટારસગPહિ-અઢાર ગુણો વડે. | ગુરૂ - ગુરુ. સંજુરો - યુક્ત.
મજઝ - મારા.
સમર્થ
પાંચ ઇન્દ્રિયના વિષયને સંવરનાર તેથી ૫ ગુણ, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગતિને ધારણ કરનાર તેથી નવ, ચાર પ્રકારના કષાય રહિત તેથી ચાર, પાંચ મહાવ્રતના પાંચ, પાંચ આચારના પાંચ, પાંચ સમિતિ અને ત્રણ ગુક્તિ મળી અષ્ટ પ્રવચન માતાના આઠ. એમ સર્વ મળીને છત્રીસ ગુણ આચાર્ય મહારાજના થયા.
સિદ્ધાંત ભણે તથા બીજાઓને ભણાવે તે ઉપાધ્યાય-પાઠકવાચક તેમના ગુણ ૨૫:
(૧) આચારાંગ, (૨) સૂયગડાંગ, (૩) ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી, (૬) જ્ઞાતા-ધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતગડ, (૯) અનુત્તરોવવાઈ, (૧૦) પ્રશ્ન વ્યાકરણ અને (૧૧) વિપાક. એ અગિયાર અંગ અને (૧) ઉવવાઈ, (૨). રાયપાસેણી, (૩) જીવાભિગમ, (૪) પન્નવણા, (૫) જેબૂદીપ પન્નતિ,
Page #20
--------------------------------------------------------------------------
________________
પંચિંદિઅ સંવરણો,
પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકનાર. (૬) ચંદપન્નત્તિ, (૭) સૂરપન્નત્તિ, (૮) કમ્પિયા, (૯) કપ્પવર્ડસિયા, (૧૦) પુફિયા, (૧૧) પુષ્કચૂલિયા અને (૧૨) વદ્વિ-દશાંગ એ બાર ઉપાંગને ભણે-ભણાવે તેથી ૨૩ ગુણ થયા, ૨૪ ચરણસિત્તરિ અને ૨૫ કરણસિત્તરિને પાળે, એમ ૨૫ ગુણો ઉપાધ્યાયના થયા.
મોક્ષમાર્ગ સાધવા માટે યત્ન કરે તે સાધુના ગુણ ૨૭ તે આ પ્રમાણે જાણવા :
(૧) પ્રાણાતિપાત વિરમણ, (૨) મૃષાવાદ વિરમણ, (૩) અદત્તાદાન વિરમણ, (૪) મૈથુન વિરમણ અને (પ) પરિગ્રહ વિરમણ. એ પાંચ મહાવ્રત અને (૬) રાત્રિભોજન વિરમણ એ છે વ્રતને પાળે તેથી છ ગુણ. (૭ થી ૧૨) પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છકાયની રક્ષા કરે તેથી છ ગુણ. (૧૩ થી ૧૭) પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે એટલે તેના વિષયવિકારોને રોકે, તેથી પાંચ ગુણ. (૧૮) લોભનો નિગ્રહ. (૧૯) ક્ષમાનું ધારણ કરવું. (૨૦) ચિત્તની નિર્મળતા રાખવી. (૨૧) વિશુદ્ધ રીતે વસ્ત્રની પડિલેહણા કરવી. (૨૨) સંયમયોગમાં પ્રવૃત્ત રહેવું. (૫ સમિતિ ૩ ગુપ્તિ આદરવા, નિદ્રા, વિકથા અને અવિવેક ત્યજવા) (૨૩) અકુશળ મનનો સંરોધ, એટલે માઠા માર્ગે જતા મનને રોકવું. (૨૪) અકુશળ વચનનો સંરોધ. (૨૫) અકુશળ કાયાનો સંરોધ. (૨૬) શીતાદિ પરિષહ સહન કરવા અને (૨૭) મરણાદિ ઉપસર્ગ સહેવા એમ સાધુના ૨૭ ગુણ થયા.
એ પ્રકારે અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭ મળીને કુલ્લે ૧૦૮ ગુણ પંચપરમેષ્ઠિના જાણવા.
Page #21
--------------------------------------------------------------------------
________________
તહ નવવિહ-બંભર્ચર-ગુત્તિધરો !
તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિના ધરનાર. ચઉવિહ-કસાય-મુક્કો,
ચાર પ્રકારના કષાયથી મુક્ત. ઈઅ અટ્ટારસ-ગુણહિં સંજુરો | ૧ ||
એ અઢાર ગુણોએ સહિત. ૧ પંચ-મહÖય-જુરો,
પાંચ મહાવ્રતે યુક્ત. પંચ-વિહાયાર-પાલણ-સમન્થો,
પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ. પંચ-સમિઓ તિ-ગુત્તો,
પાંચ સમિતિએ સમિત (અને) ત્રણ ગુણિએ ગુપ્ત. છત્તીસગુણો ગુરુ મઝ // ૨ //
(એ) છત્રીસ ગુણોએ સહિત (તે) મારા ગુરુ (છે) ૨. પદ (૮), ગાથા (૨), ગુરુ (૧૦), લઘુ (90), સર્વવર્ણ (૮૦).
ઈતિ પંચિંદિઆ સૂત્ર-૨
૧. છત્રીસ ગુણોનું વર્ણન નવકારની ફુટનોટમાં (પેજ નં.૧૬ માંથી) જોઈ લેવું.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૯
૩. ખમાસમણ વા પ્રણિપાત સૂત્ર
શબ્દાર્થ
ઈચ્છામિ - હું ઈચ્છું છું. ખમાસમણો - હે ક્ષમાશ્રમણ, સાધુજી !
નિસીહિઆએ - પાપ વ્યાપારત્યાગ કર્યો છે એવા શરીર વડે. | મત્યએણ - મસ્તકથી.
વંદામિ - હું વંદના કરું છું.
વંદિઉં - વાંદવાને. જાવણિજ્જાએ - શક્તિ સહિત એવા.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મત્થએણ વંદામિ ॥ ૩ ॥
અર્થ :- હે ક્ષમાશ્રમણ ! મારા શરીરની શક્તિ સહિત
-
તથા પાપવ્યાપાર તજીને (આપના ચરણ કમળને) વાંદવાને ઇચ્છું છું (અને) મસ્તકે કરી વાંદું છું. ૩
ગુરુ (૩), લઘુ (૨૫), સર્વ વર્ણ (૨૮).
ટ ટ ટ
૪. સુગુરુને સુખ-શાતા-પૃચ્છા
શબ્દાર્થ
ઇચ્છકાર - ઇચ્છા કરું છું. સુહરાઈ - સુખે રાત્રિ. સુહદેવસિ - સુખે દિવસ. સુખતપ - સુખે તપશ્ચર્યામાં.
૧. હે ક્ષમાસહિત તપસ્વી મુનિરાજ.
શરીર નિરાબાધ - રોગ રહિત
શરીરે.
સુખસંજમજાત્રા - સુખે સંયમ
યાત્રામાં. નિર્વહો છો જી - પ્રવર્તો છો જી.
Page #23
--------------------------------------------------------------------------
________________
ઇચ્છકાર, સુહરાઈ, સુહદેવસિ, સુખતપ, શરીર નિરાબાધ, સુખસંજમજાત્રા નિર્વહો છો જી,
સ્વામી શાતા છે ? ભાતપાણીનો લાભ દેજો જી ૪
અર્થ - (હે ગુરુજી !) આપ સુખે રાત્રિ, સુખે દિવસ, સુખે તપશ્ચર્યામાં, શરીર સંબંધી રોગ રહિતપણામાં, સુખે સંયમયાત્રામાં પ્રર્વર્તો છો ? એમ ઇચ્છું છું. સ્વામી! શાતા છે છે? ભાત-પાણીનો લાભ દેજો જી. ૪
પ ઈરિયાવહિયં સૂત્ર
શબ્દાર્થ ઇચ્છાકારેણ - ઇચ્છાપૂર્વક. | પડિક્કમહ- પ્રતિક્રમ. (નિવર્ત). સંદિસહ - આજ્ઞા આપો. | ઈચ્છે – પ્રમાણ છે. ભગવનું - હે ભગવંત! | ઈચ્છામિ પડિક્કમિઉં - હું પ્રતિઈરિયાવહિયં - ઈરિયાવહિ- | ક્રમવા (પાછો હઠવા) ઈચ્છું છું. ગમન કરતાં થયેલ જીવબાધાદિ | ઇરિયાવહિયાએ - માર્ગમાંપાપક્રિયા.
ચાલતાં પડિક્કમામિ - હું પ્રતિક્રમે- વિરાહણાએ - જીવની વિરાધના
(પાછો હઠું) છું. ૧. બપોર પહેલાંના વખતે કહેવું. ૨. બપોર પછીના વખતે કહેવું.
થઈ હોય.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૧
-
ગમણાગમણે - જતાં-આવતાં. પાણક્કમણે – પ્રાણી ચાંપ્યા હોય. | બીયક્કમણે – બીજ ચાંપ્યા હોય. હરિયક્રમણે - લીલી વનસ્પતિ- | સંઘાઈયા - ભેગા કર્યા.
અભિહયા - લાતે માર્યા. વત્તિયા - ધૂળવડે ઢાંક્યા. લેસિયા - ભોંય સાથે ઘસ્યા.
-
|
ચાંપી હોય.
સંઘટ્ટિયા - સ્પર્શ કર્યા. પરિયાવિયા - પરિતાપ
ઓસા - ઝાકળ.
ઉનિંગ - કીડીયારૂં, ઉનિંગા. પણગદગ-સેવાળ તથા કાચું પાણી. મટ્ટી - માટી.
મક્કડાસંતાણા – કરોળીયાની જાળ. સંક્રમણે - ચાંપી હોય. જે - જે.
મે - મેં. જીવા - જીવો.
વિરાહિયા - વિરાધ્યા હોય. એગિદિયા - એકેન્દ્રિય જીવો. બેઈદિયા - બેઇન્દ્રિય જીવો. તેઇંદિયા - ત્રણ ઇન્દ્રિયવાળા.
ચઉરિંદિયા - ચાર ઇન્દ્રિયવાળા. | દુક્કડં - પાપ. પંચિંદિયા - પાંચ ઇન્દ્રિયવાળા.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયા
વહિયં પડિક્કમામિ, ઈચ્છું I
ઉપજાવ્યા.
| કિલામિયા - ખેદ પમાડ્યા. ઉદ્દવિયા - બીવરાવ્યા
(ત્રાસ પમાડ્યા) ઠાણાઓ ઠાણું - એક ઠેકાણેથી
બીજે ઠેકાણે.
સંકામિયા - મૂક્યા હોય. જીવિઆઓ વવરોવિયા -
જીવિતથી ચૂકાવ્યા.
તસ્સ - તે.
મિચ્છા - મિથ્યા થાઓ.
મિ - મારું.
અર્થ ઃ- આપની ઈચ્છાપૂર્વક હૈ જ્ઞાનવંત ! (પૂજ્ય) આદેશ
--
આપો તો ચાલવાના માર્ગમાં જે પાપ લાગ્યું તે પાપથી નિવર્તુ
૧. ગુરુ પડિક્કમહ કહે.
૨. ગુરુમહારાજનો આદેશ સ્વીકારવા આ વચન છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૨ પ્રતિક્રમં? ત્યારે ગુરુ આદેશ આપે કે પ્રતિક્રમો, પછી શિષ્ય કહે કે આજ્ઞા પ્રમાણ છે. ઈચ્છામિ પડિકમિઉં૧ ઈરિયાવહિયાએ વિરાણાએ. / ૨ /
અર્થ - હું પાપ થકી નિવર્તવાને ઈચ્છું છું. ૧. જવા આવવાના માર્ગમાં તથા સાધુ-શ્રાવકના માર્ગમાં જે વિરાધના (પાપયુક્ત ક્રિયા) થઈ હોય. ૨. જેમ કેગમણાગમણે | ૩ . પાણક્કમણે, બીયક્રમણ, હરિયર્કમણ, ઓસાઉસિંગ-પણ -દગ-મટ્ટી-મકડાસંતાણા-સંકમણે..૪
અર્થ:- એક સ્થાનકથી બીજે સ્થાનકે જતાં-આવતાં. ૩ (બે-ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા) જીવોને પગે કરી ચાંપવાથી, ધાન્યના બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિ ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને, કીડીયોનાં નગરોને, પાંચવર્ણી નીલફુલને, સચિત્ત માટી યુક્ત પાણીને, કરોળીયાની જાળને પગે કરી ચાંપવાથી વા મસળવાથી. ૪ જે મે જીવા વિરાહિયા. | ૫
અર્થ :- જે જીવોની મેં વિરાધના કરી હોય અર્થાત્ જે જીવોને દુઃખી કર્યા હોય. ૫
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૩
તે કયા જીવો? એચિંદિયા, બેડદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા. તે ૬ .
અર્થ - એક ઇન્દ્રિયવાળા, બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, પાંચ ઇન્દ્રિયવાળા ૬.
તેઓને કેવી રીતે વિરાધ્યા? અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘઢિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા,
જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડ. || ૭ ||
અર્થ - સામા આવતાને હણ્યા (લાને માર્યા) હોય, ધૂળે કરી ઢાંક્યા હોય, ભૂમિ સાથે મસળ્યા હોય, માંહોમાંહે શરીર એઠાં કર્યા હોય, થોડા સ્પર્શથી દુહવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, મૃતપ્રાય કીધા હોય, ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનકથી બીજે સ્થાનકે મૂક્યા હોય, જીવિતવ્યથી જુદા કર્યા હોય; તે સંબંધી જે પાપ લાગ્યું હોય, તે મારું પાપ નિષ્ફળ થાઓ. (તે પાપનું મિચ્છા મિ દુક્કડં દઉં છું.) પદ (૨૬), સંપદા (૭), ગુરુ (૧૪), લઘુ (૧૩૬), સર્વવર્ણ (૧૫૦).
જે સૂત્રમાં ગાથા નથી છતાં અંક આપ્યા છે તે સંપદાના સમજવા.
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૪
પણે.
૬. તસ્સ ઉત્તરી સૂત્ર.
શબ્દાર્થ તસ્સ - તેની.
| વિસલ્લીકરણેણં - શલ્ય રહિતઉત્તરીકરણેણં - ફરીને શુદ્ધિને
અર્થે પાવાણંકમાણે - પાપ કર્મોને. પાયચ્છિત્તકરણેણં - પ્રાયશ્ચિત્ત- | નિષ્પાયરકાએ -નાશ કરવાનેકરવા વડે.
અર્થે. વિસોહીકરણેણં વિશેષ શુદ્ધિએ- 1 કામિ - કરું છું.
કરી. | કાઉસ્સગ્ગ - કાઉસ્સગ્ન. તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણંનિગ્ધાયણટ્ટાએ, ઠામિકાઉસ્સગ્ગ. | ૮ |
અર્થ - તેને વિશેષ શુદ્ધ કરવાને, તેની ગુરુ પાસે આલોયણ કરવાએ કરી, આત્માના અંતરમેલને ટાળવાએ કરી, આત્માને શલ્યથી રહિત કરવાને અને તેથી સર્વ પાપકર્મોનું ઉચ્છેદન કરવાને માટે હું કાય-વ્યાપારનો ત્યાગ કરવારૂપ કાઉસ્સગ્ન કરૂં છું. ૬. પદ (૬), સંપદા (૧), ગુરુ (૧૦), લઘુ (૩૯), સર્વવર્ણ (૪૯)
૧. પાપથી લેપાયેલ આત્મા ઈરિયાવહિથી શુદ્ધ થાય છે છતાં જેટલો અશુદ્ધિવાળો રહ્યો હોય તેને વિશેષ શુદ્ધ કરવાને.
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૫ ૭. અન્નત્ય ઊસસિએણે સૂત્ર.
શબ્દાર્થ અન્નત્થ - બીજે (નીચેની બાર- ] અભગો - અખંડિત.
બાબતો સિવાય). | અવિરાહિઓ - અવિરાજિત. ઊસસિએણે ઊંચો શ્વાસ લેવાથી. | હુક્સ - હો. નીસસિએણ-નીચે શ્વાસ મૂકવાથી. | મે - મારો. ખાસિએણે - ઉધરસ ખાવાથી. | કાઉસ્સગ્ગો - કાઉસ્સગ્ન. છીએણે - છીંક આવવાથી. | જાવ - જયાં સુધી. જંભાઈએણે બગાસું આવવાથી. અરિહંતાણં - અરિહંત. ઉડડએણે ઓડકાર આવવાથી. | ભગવંતાણું - ભગવંતોને. વાયનિસગૂણે - વાછૂટ થવાથી. | નમુક્કારેણું - નમસ્કાર કરીને. ભમલીએ - ચકરી આવવાથી. ન પારેમિ - ન પારું. પિત્તમુચ્છાએ - પિત્તવડે મૂચ્છ- | તાવ- ત્યાં સુધી.
આવવાથી. કાર્ય - કાયાને. સુહમેહિ - સૂક્ષ્મ.
ઠાણેણં - એક સ્થાન વડે. અંગસંચાલેહિ - અંગ ચાલવાથી. મોણેણે - મૌનપણે. ખેલસંચાલેહિ-બળખો આવવાથી. ઝાણેણં - ધ્યાન વડે. દિઠ્ઠિસંચાલેહિ- દષ્ટિ ચાલવાથી. અપ્પા - પોતાની કાયાને. એવભાઈ એહિ એ વગેરે. વોસિરામિ - વોસિરાવું છું. આગારેહિ-આગારો (ટાળીને). |
*અન્નત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણે, છીણ, જંભાઇએણં, ઉડુ
* આ સૂત્રવડે કરવાનો કાઉસ્સગ્ન ૧૯ દોષ વજીને કરવાનો છે, તે દોષ આ પ્રમાણે ૧. ઘોડાની પેઠે પગ ઉંચો રાખે, વાંકો પગ રાખે તે ઘોટકદોષ. ૨. જેમ વાયરાથી વેલડી હાલે તેમ શરીરને ધુણાવે તે લતાદોષ.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૬
એણં, વાયનિસગેણં, ભમલીએ,
પિત્તમુચ્છાએ. ।। ૧ ।।
--
અર્થ :- જે આગારોનું વર્ણન કરું છું, તે સિવાયના બીજે સ્થાનકે (કાયવ્યાપારનો ત્યાગ કરું છું.) તે બાર આગારોનાં નામઊંચો શ્વાસ લેવા વડે, નીચો શ્વાસ મૂકવા વડે, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા સંચરવાથી,ચકરી આવવાથી, પિત્ત વડે મૂર્છા આવવાથી ૧.
સુહુમેહિં અંગસંચાલેહિં, સુહુમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિસંચાલેહિં ॥૨॥
અર્થ :- સૂક્ષ્મ શરીરનો સંચાર થવાથી, સૂક્ષ્મ થુંક અથવા કફ ગળવાથી, સૂક્ષ્મ દૃષ્ટિના સંચારથી. ૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
થાંભલા પ્રમુખને ઓઠીંગણ દઈ રહે તે સ્તંભાદિદોષ.
ઉપર મેડી અથવા માળ હોય તેને મસ્તક ટેકાવી રહે તે માલદોષ. ગાડાની ઉધની પેઠે અંગૂઠા તથા પાની મેળવીને પગ રાખે તે ઉધિદોષ. નિગડ-(બેડી)માં પગ નાંખ્યાની પેઠે પગ પહોળા રાખે તે નિગડદોષ. ભિલડીના પેઠે ગુહ્ય સ્થાને હાથ રાખે તે શબરીદોષ.
ઘોડાના ચોક્ડાની પેઠે હાથ રજોહરણ યુક્ત આગળ રાખે તે ખલિણદોષ.
૯.
નવપરિણીત વધૂની પેઠે માથું નીચું રાખે તે વધૂદોષ.
૧૦. નાભિની ઉપર અને ઢીંચણથી નીચું લાંબું વસ્ત્ર રાખે તે લંબૂત્તરદોષ. ડાંસ-મચ્છરના ભયથી, અજ્ઞાનથી અથવા લજ્જાથી હૃદયને આચ્છાદન કરી સ્ત્રીની પેઠે ઢાંકી રાખે તે સ્તનદોષ.
૧૧.
૧૨. શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બંને સ્કંધ ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખે તે સંયતિદોષ.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૭
એવમાઈએહિં, આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ હુજ્જુ મે કાઉસ્સગ્ગો. IIII
અર્થ :- પૂર્વોક્ત આગારો વગેરે બીજા (પણ ચાર)* આગારોથી મારો કાયોત્સર્ગ અખંડિત, અવિરાધિત હોજો. ૩. (ક્યાં સુધી)
જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. II૪
-
અર્થ :- જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા વડે ન પારું. ૪.
૧૩. આલાવો ગણવાને અર્થે અથવા કાયોત્સર્ગની સંખ્યા ગણવાને અંગુલી તથા પાંપણના ચાળા કરે તે ભમુહંગુલિદોષ. કાગડાની પેઠે ડોળા ફેરવે તે વાયસદોષ.
૧૪.
૧૫. પહેરેલાં વસ્ર જૂ અથવા પરસેવાએ કરી મલિન થવાના ભયથી કોઠાની પેરે ગોપવી રાખે તે કપિત્થદોષ.
૧૬. યક્ષાવેશિતની પેરે માથું ધુણાવે તે શિરઃકંપદોષ.
૧૭. મુંગાની પેરે હું હું કરે તે મૂકદોષ.
૧૮. આલાવો ગણતાં મદિરાની પેરે બડબડાટ કરે તે મદિરાદોષ. ૧૯. વાનરની પેઠે આસપાસ જોયા કરે, ઓષ્ઠપુટ ચલાવે તે પ્રેક્ષ્યદોષ. * બીજા ચાર આગાર (૧) અગ્નિના ઉપદ્રવથી બીજે સ્થાનકે જવું પડે તથા વિજળીના પ્રકાશથી વસ્ત્રાદિ ઓઢવાં પડે. (૨) બિલાડી, ઉંદર વગેરે આડા ઉતરતા હોય તથા પંચેન્દ્રિય જીવનું છેદન-ભેદન થતું હોય તેથી બીજે સ્થાનકે જવું પડે. (૩) અકસ્માત્ ચોરની ધાડ આવી પડે તેથી અથવા રાજાદિના ભયથી બીજે સ્થાનકે જવું પડે. (૪) સિંહ વગેરે ઉપદ્રવ કરતા હોય. અથવા તો સર્પાદિક દંશ કરતા હોય. અથવા ભીંત પડે તેવી હોય તો બીજે સ્થાનકે જવું પડે.
Page #31
--------------------------------------------------------------------------
________________
તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ ને પI
અર્થ - ત્યાં સુધી પોતાની કાયાને, સ્થાનવડે, મૌન રહેવા વડે (અને) ધ્યાન વડે (પાપક્રિયાથી) વોસિરાવું છું.
પદ (૨૮), સંપદા (૫), ગુરુ (૧૩), લઘુ (૧૨૭), સર્વવર્ણ (૧૪૦).
૮. લોગસ્સ (નામસ્તવ) સૂત્ર
શબ્દાર્થ લોગસ્સ - લોકને.
ચંદપ્રહ - ચંદ્રપ્રભપ્રભુને. ઉજ્જો અગરે - ઉદ્યોત કરનારા. | સુવિહિં - સુવિધિનાથને. ધમ્મતિ©યરે - ધર્મરૂપ તીર્થના- | પુફદંત (બીજું નામ) પુષ્પદંતને.
કરનારા. | સીયલ સિક્વંસ - શીતળનાથજિણે - જિનોને.
તથા શ્રેયાંસનાથને. અરિહંતે - અરિહંત ભગવાનોને. | વાસુપુજ્જ - વાસુપૂજયસ્વામીને. કિન્નઈમ્સ - હું સ્તવીશ. વિમલમહંત - વિમલનાથ તથાચઉવી સંપિ - ચોવીશે.
અનંતનાથને. કેવલી- કેવળી ભગવાનોને. | જિર્ણ - જિનને. ઉસભામજિયં - શ્રી ઋષભદેવ- | ધર્મો - ધર્મનાથને.
અને અજિતનાથને. | સંતિ - શાન્તિનાથને. ચ - અને.
કુંથું - કુંથુનાથને. વંદે - હું વંદના કરું છું. અરે - અરનાથને. સંભવમભિગંદણંચ-સંભવનાથ- | મલ્લિ - મલ્લિનાથને.
તથા અભિનંદન સ્વામીને. | મુણિસુવયં-મુનિસુવ્રતસ્વામીને. સુમઈ- સુમતિનાથને. નમિજિર્ણ - નમિ જિનને. પઉમપ્પાં - પદ્મપ્રભપ્રભુને. | વંદામિ - હું વંદન કરું છું. સુપાસ - સુપાર્શ્વનાથને. | રિઠનેમિ - અરિષ્ટનેમિને.
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૯
પાસ - પાર્શ્વનાથને. | ઉત્તમા - ઉત્તમ. વદ્ધમાણે વર્તમાન સ્વામીને. સિદ્ધા - સિદ્ધ થયા છે. એવું - એવી રીતે.
આગ - આરોગ્ય. મએ - મેં.
બોરિલાભં- સમ્યગદર્શનનોલાભ. અભિથુઆ - સ્તવ્યા. સમાવિવર - પ્રધાન સમાધિ. વિહુય - વિશેષે ક્ષય કર્યા છે. | ઉત્તમ - ઉત્તમ. રયમલા-કર્મરૂપ રજ અને મેલને- | રિંતુ - આપો.
જેમણે. | ચંદસુ - ચંદ્રના સમૂહથી. પરીણ - વિશેષ ક્ષય કર્યા છે. | નિમ્મલયરા - અતિ નિર્મળ. જરમરણા-જરા અને મરણ જેમણે. આઇચ્ચેસુ - સૂર્યના સમૂહથી. શિવરા-સામાન્ય જ્વળીઓમાં શ્રેષ્ઠ. | અહિયં - અધિક. તિસ્થયરા - તીર્થકરો. પયાસયરા - પ્રકાશ કરનારા. મે - મને.
સાગરવરગંભીરા - પસીયંત - પ્રસન્ન થાઓ.
સ્વયંભૂરમણ- સમુદ્રની પેઠેકિત્તિય - સ્તવ્યા.
ગંભીર એવા. વંદિય - વાંદ્યા.
સિદ્ધા- સિદ્ધ ભગવાનો. મહિયા - પૂજ્યા.
સિદ્ધિ - સિદ્ધિને. જે એ - જે.
મમ - મને. લોગસ્સ - લોકમાં. દિસંત - આપો.
લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિસ્થય જિણે I અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસપિ કેવલી.. ૧..
અર્થ - લોકને (કેવળજ્ઞાન વડે) ઉદ્યોત કરનારા ધર્મ તીર્થના કરનારા, (રાગ-દ્વેષ) જિતનારા. કર્મશત્રુનો નાશ કરનાર (અને) કેવલજ્ઞાની એવા ચોવીસ તીર્થકરો અને બીજાઓનું પણ કીર્તન કરીશ. ૧.
Page #33
--------------------------------------------------------------------------
________________
30
*ઉસભ-મજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ । પઉમપ્પહં સુપાસ, જિણં ચ ચંદપ્પણં વંદે ॥ ૨ ॥
અર્થ :- (શ્રી) ઋષભદેવ તથા અજિતનાથને વાંદું છું, સંભવનાથ, અભિનંદનસ્વામી તથા સુમતિનાથને, પદ્મપ્રભ, રાગદ્વેષના જિતનારા સુપાર્શ્વનાથ તથા ચંદ્રપ્રભને વાંદું છું. ૨.
*શ્રી ઋષભદેવનો જન્મ વિનીતાનગરીમાં થયો. તેમના નાભિરાજા પિતા અને મરુદેવા માતા હતાં. બધા તીર્થંકરોની માતાઓ પહેલા સ્વપ્રે હાથી દેખે પણ મરુદેવા માતાએ પ્રથમ વૃષભ દીઠો. એવો ગર્ભનો મહિમા જાણીને તેમનું શ્રી ઋષભદેવ નામ રાખ્યું, તથા ધર્મની આદિના પ્રવર્તાવનાર તેથી બીજું આદિનાથ નામ પણ કહીએ. તેમનું પાંચશો ધનુષ્ય પ્રમાણ શરીર અને ચોરાશી લાખ પૂર્વેનું આયુષ્ય હતું. તેઓ સુવર્ણના જેવા વર્ણવાળા અને વૃષભ લાંછનવાળા હતા. તેમને સો પુત્ર હતા. મોટાનું નામ ભરત હતું, જેમને આરિસાભવનમાં કેવળજ્ઞાન થયું હતું અને ૯૯ પુત્રો દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા હતા.
શ્રી અજિતનાથ-અયોધ્યાનગરીમાં જન્મ્યા, તેમના પિતા જિતશત્રુરાજા અને તેમની માતાનું નામ વિજયારાણી હતું. તે રાજા રાણી પ્રથમ પાસાબાજી રમતાં ત્યારે રાણી હારી જતી અને રાજાની જીત થતી હતી અને ભગવંત ગર્ભે આવ્યા પછી રાણી જીતે અને રાજા હારે, એવો ગર્ભનો મહિમા જાણીને અજિતનાથ નામ દીધું. તેમનું સાડાચારસો ધનુષ્ય પ્રમાણ શરીર, બહોતેર લાખ પૂર્વનું આયુ, સુવર્ણ વર્ણ અને લાંછન હાથીનું હતું.
શ્રી સંભવનાથ-શ્રાવસ્તિનગરીમાં જન્મ્યા. તેમના પિતા જિતારિરાજા અને સેના રાણી માતા હતાં. દેશમાં દુકાળ હતો, છતાં ભગવંત
Page #34
--------------------------------------------------------------------------
________________
સુવિહિચ પુષ્કૃદંત, સીઅલસિક્રેસ વાસુપુજં ચ | વિમલમણતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ | ૩ | ગર્ભે આવ્યાથી અણચિંતવ્યો પૃથ્વીમાં ધાન્યનો સંભવ થયો, તેથી સંભવનાથ નામ દીધું. તેમનું ચારશે ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ પૂર્વનું આયુ હતું. તેઓ સુવર્ણ વર્ણવાળા તથા લાંછન ઘોડાનું હતું.
શ્રી અભિનંદન સ્વામી - અયોધ્યાનગરીમાં જન્મ હતો. અને તેમના પિતા સંવર રાજા અને સિદ્ધાર્થ રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઈન્દ્રમહારાજ આવીને ભગવંતની માતાને ઘણીવાર સ્તવી જતા હતા તે માટે રાજા પ્રમુખે જાણ્યું કે એ ગર્ભનો જ મહિમા છે, માટે અભિનંદન નામ દીધું. સાડા ત્રણશો ધનુષ્ય પ્રમાણ શરીર તથા પચાસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન વાનરનું અને સુવર્ણ વર્ણવાળા હતા.
- શ્રી સુમતિનાથ - અયોધ્યાનગરીમાં જન્મ હતો. તેમના પિતા મેઘરથ રાજા અને સુમંગલા માતા હતાં. પ્રભુ ગર્ભમાં રહ્યા પછી તે ગામમાં એક વણિકની બે સ્ત્રીઓ હતી, તેમાં ન્હાનીને પુત્ર હતો અને સ્કોટી વંધ્યા હતી, પણ તે છોકરાનું પ્રતિપાલન બંને માતાઓ કરતી હતી. એમ કરતાં તે વાણિયો જ્યારે મરણ પામ્યો ત્યારે મ્હોટી
સ્ત્રી ધનની લાલચે કહેવા લાગી કે “આ પુત્ર મારો, માટે જેનો પુત્ર હોય તેનું ધન થાય” તેમજ ન્હાનીનો તો દીકરો હતો તેથી તેણે કહ્યું કે “એ પુત્ર મહારો છે અને ધન પણ મહારું છે” એમ બન્ને શોક્યોનો ટંટો થયો. તે વઢતી વઢતી દરબારમાં આવી, તે વારે ગર્ભના મહિમાથી રાણીને ચુકાદો કરવાની ભલી બુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી એ બંનેને રાણીએ કહ્યું કે “બન્ને મળીને ધન અર્પો અર્ધ વહેંચી લો અને છોકરાના પણ બે ભાગ કરી અર્થે અર્ધ વહેંચી લો.” તે સાંભળી નાની
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૨
અર્થ :- (શ્રી) સુવિધિનાથ (બીજું નામ) પુષ્પદંતને, શીતલનાથ, શ્રેયાંસનાથને અને વાસુપૂજ્યસ્વામીને, વિમલનાથને, અનંતનાથને અને રાગ-દ્વેષના જિતનાર ધર્મનાથને તથા શાન્તિનાથને હું વંદના કરું છું. ૩
સ્ત્રી બોલી કે ‘“મારું દ્રવ્ય જોઈતું નથી, છોકરાના કાંઈ બે વિભાગ થાય નહિ, એ છોકરો એનો છે તે મહારો જ છે.'' તે સાંભળી રાણી બોલી કે “પુત્ર નાની સ્ત્રીનો છે. કેમકે પુત્રનું મૃત્યુ થાય ત્યાં સુધી મોટી સ્ત્રીથી ના કહેવાણી નહીં અને ન્હાની સ્ત્રીએ મારવાની મનાઈ કરી, માટે પુત્ર અને ધન એને હવાલે કરો અને ોહી સ્ત્રીને ઘરથી બહાર કાઢો.” ગર્ભના મહિમાથી ભગવંતની માતાને એવી બુદ્ધિ ઉપજી તે માટે સુમતિ નામ દીધું. તેમનું ત્રણશો ધનુષ્ય પ્રમાણ શરીર, ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણવર્ણ તથા લાંછન કૌંચપક્ષીનું હતું.
શ્રી પદ્મપ્રભસ્વામી - કૌશાંબીનગરીમાં જન્મ હતો. તેમના પિતા શ્રીધરરાજા અને સુસીમારાણી માતા હતાં. ગર્ભે આવ્યા પછી માતાને કમળની શય્યામાં સુવાનો દોહલો ઉપજ્યો. (જે દેવતાએ પૂર્ણ કર્યો) તેથી ભગવંતનું શરીર પદ્મ (કમળ) સરખું રક્તવર્ષે હ.. તેથી પદ્મપ્રભ નામ દીધું. તેમનું અઢીશે ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રા લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન પદ્મનું હતું તથા વર્ષે રક્ત હતા. શ્રી સુપાર્શ્વનાથ - વાણારસીનગરીમાં જન્મ હતો. તેમના પિતા સુપ્રતિષ્ઠ રાજા અને પૃથ્વીરાણી માતા હતાં. માતાનાં બંને પાસાં રોગે કરી વ્યાપ્ત હતાં, ભગવંત ગર્ભે આવ્યા પછી બંને પાસાં સુવર્ણવર્ણી અને ઘણાં સુકોમળ થયાં માટે સુપાર્શ્વ નામ દીધું. (એક પ્રતમાં ભગવંતના પિતાનાં બે પાસાં કોઢ રોગવાળાં હતાં તેને ભગવંતની માતાએ હાથ ફેરવ્યાથી સુકુમાળ નિરોગી થયાં એવો પાઠ લખ્યો છે.) તેમનું બસો ધનુષ્ય પ્રમાણ શરીર, વીશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણવર્ણ અને લાંછન સાથીયાનું હતું.
Page #36
--------------------------------------------------------------------------
________________
કુંથું અર ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિનિણં ચા વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચારા.
શ્રીચંદ્રપ્રભસ્વામી - ચંદ્રપુરીનગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા મહેસન રાજા અને લમણા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાને ચંદ્રમાનું પાન કરવાનો દોહલો ઉપન્યો (જે પ્રધાને બુદ્ધિએ કરી પૂર્ણ કરાવ્યો) એ ગર્ભનો પ્રભાવ જાણી ચંદ્રપ્રભ નામ દીધું. તેમનું એકસો પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ દૂર્વનું આયુષ્ય હતું. વર્ણ શ્વેત અને લાંછન ચંદ્રનું હતું.
શ્રી સુવિધિનાથ - (એમનું બીજું નામ પુષ્પદંત છે.) તેમનો કાકંદીનગરીમાં જન્મ હતો. તેમના પિતા સુગ્રીવરાજા અને શ્યામા રાણી માતા હતાં, ભગવંત ગર્ભે આવ્યા પછી માતા તથા પિતા ભલી વિધિએ કરી ધર્મ કરવા લાગ્યાં. એવો ધર્મનો પ્રભાવ જાણી મવિધિનાથ નામ દીધું. અને મચકુંદના ફુલની કળી સરખા પ્રભુના
વળ દાંત હતા માટે બીજું પુષ્પદંત નામ દીધું તેમનું એકસો વષ્ય પ્રમાણ શરીર, બે લાખ પૂર્વનું આયુષ્ય. શ્વેત વર્ણ અને મગરમચ્છનું લાંછન હતું.
શ્રી શીતલનાથ - ભદિલપુરનગરીમાં જન્મ હતો. તેમના પિતા દઢરથ રાજા અને નંદા રાણી માતા હતાં પિતાના શરીરે દાહજ્જવર થયો હતો. ભગવંત ગર્ભે આવ્યા પછી રાજાના શરીરની ઉપર રાણીએ હાથ ફેરવાથી શીતલતા થઈ, એવો ગર્ભનો મહિમા જાણી શીતલનાથ નામ દીધું. તેમનું નેવું ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને શ્રીવચ્છનું લાંછન હતું.
- શ્રી શ્રેયાંસનાથ - સિંહપુરનગરમાં જન્મ હતો. તેમના પિતા વિષ્ણુરાજા અને વિષ્ણુરાણી માતા હતાં. કોઈ દેરાસરમાં પરંપરાગત
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૪
અર્થ :- (શ્રી) કુંથુનાથને તથા શ્રીઅરનાથને, મલ્લિનાથને, મુનિસુવ્રતસ્વામિને તથા રાગદ્વેષને જિતનારા નમિનાથને વાંદુ છું. (શ્રી) અરિષ્ટનેમિ તથા પાર્શ્વનાથને અને વર્ધમાન સ્વામિને હું વંદના કરું છું. ૪
દેવતાધિષ્ઠિત શય્યાની પૂજા થતી હતી. તે શય્યાએ જે બેસે અથવા સૂવે તેને ઉપદ્રવ ઊપજે. જે ભગવંત ગર્ભે આવ્યા પછી માતાના મનમાં આવ્યું કે જે દેવ-ગુરુની પ્રતિમાની પૂજા થાય તે તો ખરૂં છે; પણ શય્યાની પૂજા તો ક્યાંયે સાંભળી નથી; એમ ચિંતવી શય્યાની રક્ષા કરનાર પુરુષે મનાઈ કર્યા છતાં પણ પ્રભુની માતા તે શય્યા ઉ૫૨ બેઠાં તથા સૂતાં, તે છતાં ગર્ભના પ્રભાવથી અધિષ્ઠાયક દેવતા ઉપદ્રવ ન કરી શક્યો અને શય્યા મૂકી જતો રહ્યો. ત્યારપછી રાજા પ્રમુખે તે શય્યા વપરાશમાં લીધી, એવો ગર્ભનો મહિમા જાણી શ્રેયાંસ નામ દીધું. તેમનું એંશી ધનુષ્યનું પ્રમાણ શરીર અને ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ હતો અને લાંછન ગેંડાનું હતું.
શ્રી વાસુપૂજ્ય સ્વામી - ચંપાપુરીમાં જન્મ થયો હતો. તેમના પિતા વસુપૂજ્ય રાજા અને જયારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઈન્દ્રમહારાજ વારંવાર આવી વસુ એટલે રત્નની વૃષ્ટિ કરીને માતા-પિતાની પૂજા કરતા, તેથી વાસુપૂજ્ય નામ દીધું. તેમનું સિત્તેર ધનુષ્ય પ્રમાણ શરીર, અને બહોંતર લાખ વર્ષનું આયુષ્ય હતું. રક્તવર્ણ અને લાંછન પાડાનું હતું.
શ્રી વિમળનાથ - કંપિલપુરનગરમાં જન્મ હતો. તેમના પિતા કૃતવર્મ રાજા અને શ્યામારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી તેમના નગરમાં કોઈ સ્ત્રી-ભર્તાર દેહરે આવી ઊતર્યાં. ત્યાં કોઈ વ્યંતરી દેવી રહેતી હતી, તેણે તે પુરુષનું રૂપ દીઠું. તેથી તેણીને કામક્રીડા કરવાની અભિલાષા થઈ પછી તેની સ્ત્રીના જેવું પોતાનું રૂપ વિકુર્તી વ્યંતરી તે પુરુષની પાસે સૂતી. પ્રભાતે બંને સ્ત્રી સમાન દેખી પુરુષે કહ્યું “આમાં મ્હારી સ્ત્રી કોણ છે ?” ત્યારે પહેલી બોલી
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૫
એવું મએ અભિશુઆ, વિહુયરયમલા, પહીણજરમરણા II ચઉવીસંપિ જિણવરા, તિત્શયરામે પસીમંતુ પી
કે એ મહારો ભર્તાર છે. અને બીજી બોલી કે એ મહારો ભર્તાર છે. એમ વઢતાં વઢતાં સર્વ રાજા પાસે આવ્યાં. રાજા તથા પ્રધાન બેઉ સ્ત્રીને સમાન દેખી કોઈ રીતે નિવડો કરી શક્યા નહિ, પણ રાણીએ પુરુષને દૂર ઊભો રાખ્યો અને બંને સ્ત્રીઓને પણ દૂરી ઊભી રાખીને કહ્યું કે “જે પોતાના સત્યના પ્રભાવથી ભર્તારને સ્પર્શ કરે તેનો એ ભર્તા જાણવો” તે સાંભળી વ્યંતરીએ દેવશક્તિના પ્રભાવે પોતાનો હાથ લાંબો કરી ભર્તારને સ્પર્શ કર્યો, તેવો જ રાણીએ તેનો હાથ પકડી લઈને કહ્યું કે “તું તો વ્યંતરી છે. માટે તારે સ્થાનકે જતી રહે એવી રીતે ચુકાદો થવાથી વિમળમતિવાળી રાણી કહેવાણી. તે ગર્ભનો જ પ્રભાવ જાણી વિમળનાથ નામ દીધું. તેમનું સાઠ ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને શુકર (ભૂંડ)નું લાંછન જાણવું.
શ્રી અનંતનાથ - અયોધ્યાનગરીમાં જન્મ થયો હતો. તેમના પિતાસિંહસેન રાજા અને સુયશા રાણી માતા હતાં. વળી સ્વપ્રમાં જેનો અંત ન આવે એવું, એક મોટું ચક્ર ભમતું રાણીએ આકાશને વિષે દીઠું અને અનંત રત્નની માળા દીઠી તથા અનંત ગાંઠના દોરા કરી બાંધ્યા, તેથી લોકોના તાવ ગયા એવો ગર્ભનો પ્રભાવ જાણી અનંતનાથ નામ દીધું. તેમનું પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન સિંચાણાનું જાણવું.
શ્રી ધર્મનાથસ્વામી - રત્નપુરનગરમાં જન્મ્યા હતા. તેમના પિતા ભાનુરાજા અને સુવ્રતા રાણી માતા હતાં. રાજા-રાણીને પૂર્વે ધર્મ ઉપર અલ્પ રાગ હતો, તે ભગવંત ગર્ભે આવ્યા પછી બંનેને ધર્મ
Page #39
--------------------------------------------------------------------------
________________
અર્થ - એ પ્રકારે મેં (નામપૂર્વક) આવ્યા. તે ચોવીશે તીર્થકરો તથા બીજા પણ તીર્થકરો, જેઓએ (કર્મરૂપ) રજ તથા મેલને ટાળ્યા છે (તથા જેમણે) જરા અને મરણ અતિશયે કરીને ક્ષય કર્યા છે તથા જે) સામાન્ય કેવળીઓથી શ્રેષ્ઠ છે એવા તે તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ! ૫ ઉપર અત્યંત રાગ થયો. એવો ગર્ભનો મહિમા ઘણી ધર્મના નામ દીધું. તેમનું પીસ્તાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન વજનું જાણવું.
- શ્રી શાન્તિનાથ - ગજપુરનગરમાં જન્મ હતો. તેમના પિતા વિશ્વસેન રાજા અને અચિરારાણી માતા હતાં. વળી તે દેશમાં મરકીનો ઉપદ્રવ ઘણો હતો. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અમૃત છાંટ્યું તેથી મરકીની શાન્તિ થઈ, એવા ગર્ભના પ્રભાવથી શાન્તિનાથ નામ દિીધું તેમનું ચાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન મૃગનું જાણવું.
શ્રી કુંથુનાથ - હસ્તિનાપુરનગરમાં જન્મ હતો. અને તેમના પિતા સુરરાજા અને શ્રીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાજીએ સ્વપ્રમાં રત્નનો શૂભ પૃથ્વીને વિષે દીઠો તથા શત્રુ હતા તે કુંથુઆની જેવા વાના થયા અથવા કુંથુઆ પ્રમુખ નાના-મોટા જીવોની જયણા દેશમાં પ્રવર્તી તેથી કુંથુનાથ નામ દીધું. તેમનું પાંત્રીશ ધનુષ્યનું શરીર અને પંચાણું હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન છાગ (બોકડા)નું જણવું.
શ્રી અરનાથ - ગજપુરનગરમાં જન્મ હતો, તેમના પિતા સુદર્શન રાજ અને દેવીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી રાણીએ રૂમમાં રત્નમય આરો તથા થુભ દીઠાં. એવો ગર્ભનો મહિમા જણી અરનાથ નામ દીધું. તેમનું ત્રીશ ધનુષ્ય શરીરમાન અને ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન નંદાવર્તનું જાણવું.
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૭ કિતિય-વંદિય-મહિયા, જે એલોગસ્સ ઉત્તમ સિદ્ધા / આસગ્ન-બોરિલાભ, સમાવિવરમુત્તમં દિંતુ દll
શ્રી મલ્લિનાથ - મિથિલાનગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા કુંભરાજા અને પ્રભાવતીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાને એક રાત્રીએ છએ ઋતુનાં ફૂલની શય્યાએ સુવાનો દોહલો ઉપન્યો, તે દેવતાએ પૂર્યો, એવો ગર્ભનો પ્રભાવ જાણી શ્રી મલ્લિનાથ નામ દીધું, તેમનું પચીશ ધનુષ્ય શરીરનું માન અને પંચાવન હજાર વર્ષનું આયુષ્ય જાણવું, નીલ વર્ણ તથા લાંછન કુંભનું જાણવું.
શ્રી મુનિસુવ્રતસ્વામી - રાજગૃહનગરમાં જન્મ હતો. તેમના પિતા સુમિત્રરાજા અને પદ્મારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતા-પિતા મુનિરાજની પેરે શ્રાવકના ભલાં બાર વ્રત સાચવવા લાગ્યાં; એવો ગર્ભનો પ્રભાવ જાણી મુનિસુવ્રત નામ દીધું. તેમનું વિશ ધનુષ્ય શરીરમાન અને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. કૃષ્ણ વર્ણ તથા લાંછન કાચબાનું જાણવું.
શ્રી નમિજિન - મિથિલાનગરીમાં જન્મ્યા હતા, તેમના પિતા વિજય રાજા અને વપ્રા રાણી માતા હતાં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી સીમાડાના શત્રુ રાજા હતા તે ચઢી આવ્યા. ગામના કિલ્લાને ચારે બાજુ લશ્કરનો પડાવ નાખી વિંટી લીધો. રાજાને ઘણી બીક લાગી પણ રાણીએ કિલ્લા ઉપર ચઢીને શત્રુઓને વાંકી નજરે જોયા. રાણીનું તેજ વૈરી રાજાઓથી ખમાયું નહિ, તેથી સર્વ આવીને ભગવંતની માતાને નમસ્કાર કરી કહેવા લાગ્યા, કે અમારા ઉપર સૌમ્ય દષ્ટિએ જુઓ, રાણીએ તેમની ઉપર સૌમ્ય નજરે જોઈ માથે હાથ મૂક્યો. સર્વ રાજાઓ રાણીને પગે લાગી આજ્ઞા માગી પોતપોતાને નગરે ગયા. એવો ગર્ભનો પ્રભાવ જાણી નમિનાથ નામ
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૮ અર્થ - (જેમને ઇન્દ્રાદિકે) સ્તવ્યા છે, વાંધા છે, પૂજ્યા છે અને જેઓ લોકને વિષે ઉત્તમ સિદ્ધ (ભગવાન) થયા છે, તેઓ (મને) આરોગ્ય, સમ્યગુદર્શનનો લાભ અને પ્રધાન ઉત્તમ સમાધિ આપો ! ૬ દીધું. તેમનું પન્નર ધનુષ્ય શરીરમાન અને દશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને લાંછન નીલકમળનું જાણવું.
શ્રી અરિષ્ટનેમિ-પ્રભુનો શૌરીપુરનગરમાં જન્મ હતો. તેમના પિતા સમુદ્રવિજય રાજા અને શિવાદેવી રાણી માતા હતાં. પ્રભુ ગર્ભે આવ્યા પછી માતાએ સ્વપ્રમાં અરિષ્ટ એટલે કાળા રત્નની રેલી દીઠી તથા આકાશમાં ચક્ર ઉછળતું દીઠું, એવો ગર્ભનો પ્રભાવ જાણી અરિષ્ટનેમિ નામ દીધું. બીજું નામ શ્રી નેમિનાથ. તેમનું દશ ધનુષ્ય શરીરમાન અને એક હજાર વર્ષનું આયુષ્ય. શ્યામ વર્ણ અને લાંછન શંખનું જાણવું.
શ્રી પાર્શ્વનાથસ્વામી - વારાણસીનગરીમાં જન્મ હતો. તેમના પિતા અશ્વસેન રાજા અને વામા રાણી માતા હતાં. વળી ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પોતાની પાસે સર્પ જતો દીઠો. તે સર્પના જવાના માર્ગની વચમાં રાજાનો હાથ દેખી રાણીએ ઉંચો કીધો. તેથી રાજા ઉડ્યા અને બોલ્યા કે શા માટે હાથ ઉંચો કીધો? રાણીએ સર્પ દીઠાનું કહ્યું, રાજા કહે કે તમે જુઠું બોલો છો? પછી દીપક મંગાવી જોયું તો સર્પ દીઠો. તે વારે વિસ્મય પામી રાજાએ વિચાર્યું, જે મેં ન દીઠો તે રાણીએ દીઠો એ ગર્ભનો પ્રભાવ છે, એમ જાણી શ્રી પાર્શ્વનાથ નામ દીધું. તેમનું નવ હસ્ત પ્રમાણ શરીર અને એકસો વર્ષનું આયુષ્ય જાણવું. નીલ વર્ણ તથા લાંછન સર્પનું જાણવું.
શ્રી વર્ધમાન સ્વામિ - ક્ષત્રિયકુંડનગરીમાં જન્મ હતો. તેમના પિતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી માતા હતાં, ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતા-પિતા સમસ્ત ઋદ્ધિમાં વૃદ્ધિ પામ્યા. ધન-ધાન્યાદિકના
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૯
ચંદેસુ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા ॥ સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ II
અર્થ :- ચંદ્રસમુદાયથી વિશેષ નિર્મળ, સૂર્યસમુદાયથી વિશેષ પ્રકાશ કરનાર (અને) સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર એવા સિદ્ધ (પરમાત્મા) મને મોક્ષ આપો ! ૭
પદ (૨૮), સંપદા (૨૮), ગુરુ (૨૭), લઘુ (૨૨૯), સર્વ વર્ણ (૨૫૬)
ઈતિ નામસ્તવ` સૂત્ર ૮. ઘઉં ઘઉં વર્ણ
ભંડાર તથા દેશ-નગરાદિની વૃદ્ધિ થઈ, સર્વ રાજા આજ્ઞામાં વર્તવા લાગ્યા; એવો ગર્ભનો પ્રભાવ જાણી વર્ધમાન નામ દીધું, વળી બાલ્યાવસ્થામાં મેરુપર્વત અંગુઠે ચાંપ્યો તથા આમલકી ક્રીડા કરતાં દેવતા હાર્યો, તેથી ઈન્દ્ર મહારાજે શ્રી મહાવીર એવું બીજું નામ દીધું. તેમનું સાત હાથનું શરીર અને બહોતેર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને લાંછન સિંહનું જાણવું. શ્રીમહાવીરસ્વામી ૨૪મા તીર્થંકર થયા, ત્યારપછી કોઈપણ તીર્થંકર ભગવાન આ ભરતક્ષેત્રમાં થયા નથી, તેમજ આ અવસર્પિણી કાળમાં થવાના નથી. હાલમાં જે જૈનધર્મ પ્રવર્તે છે તે શ્રીવીરપ્રભુનું જ શાસન સમજવું. તેમની પાટે શ્રી સુધર્માસ્વામી ગણધર થયા, હાલમાં જે સાધુઓ જૈનધર્મને માનનારા છે તે સઘળા તેઓની પરંપરાના સમજવાના.
૧. આ સૂત્રમાં નામપૂર્વક તીર્થંકરોની સ્તવના કરેલ છે તેથી આ સૂત્રનું બીજું નામ નામસ્તવ છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૦
૯. કરેમિ ભંતે સૂત્ર (સામાયિકનું પચ્ચક્ખાણ)
શબ્દાર્થ
કરેમિ - કરું છું. ભંતે - હે ભગવાન્ ! સામાઇયું - સામાયિક. સાવજ્યું - પાપકારી. જોગં - યોગનું
|
પચ્ચક્ખામિ - પચ્ચક્ખાણ કરું છું. નિયમેં - નિયમને. પન્નુવાસામિ - પર્યુપાસું – સેવુંછું. દુવિહં - બે પ્રકારે. તિવિહેણું - - ત્રણ પ્રકારે. મણેણં - મને કરી.
|
કરી નિંદું છું.
અપ્પાણું - મારા આત્માને. વોસિરામિ - હું પાપ થકી વોસિરાવું છું.
કરેમિ ભંતે ! સામાઈયં, સાવજ્યું જોગં પચ્ચક્ખામિ, જાવ નિયમં પજ્જુવાસામિ, દુવિહં, તિવિહેણું.
અર્થ:- હે ભગવંત ! હું (રાગદ્વેષના અભાવરૂપ) (જ્ઞાનાદિ ગુણના) લાભરૂપ 'સામાયિક કરું છું (અર્થાત) પાપયુક્ત વ્યાપારનું પચ્ચક્ખાણ કરું છું (નિષેધ કરું છું) જ્યાં સુધી તે નિયમનું સેવન કરું ત્યાં સુધી, બે કરણ અને ત્રણ યોગથી.
વાયાએ - વચને કરી.
કાએણું - કાયાએ કરી. ન કરેમિ - ન કરું.
ન કારવેમિ - ન કરાવું. તસ્સ - (પૂર્વે કરેલ અપરાધ) થકી. પડિક્કમામિ - પાછો હઠું છું. નિંદામિ - આત્મસાક્ષીએ નિંદું છું. ગરિહામિ - ગુરુસાક્ષીએ વિશેષ
૧ સમ એટલે સરખું છે મોક્ષ સાધન પ્રત્યે સામર્થ્ય જેનું એવાં જ્ઞાન-દર્શન તેનો આય એટલે લાભ છે જેમાં તે, અથવા સમ એટલે મધ્યસ્થભાવ, તેનો લાભ જેમાં થાય છે તે, અથવા સમ એટલે સમાનભાવસર્વ જીવને મિત્ર તરીકે લેખવારૂપ લાભ જેમાં થાય છે તે સામાયિક. તેના ભાંગા ૪૯ છે, તે આ પ્રમાણે પેજ નં. ૪૧ માં જુઓ.
Page #44
--------------------------------------------------------------------------
________________
૪૧
મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ.
અર્થ :- મન, વચન અને કાયા (એ ત્રણ યોગ) વડે ન કરું (તથા) ન કરાવું, હે ભગવંત ! તે સંબંધી (પૂર્વે કરેલા) અપરાધને હું પ્રતિક્રમું છું. (આત્મસાક્ષીએ) નિંદુ છું. (ગુરુસાક્ષીએ) વિશેષ નિંદુ છું (અને) આત્માને (પાપથી) વોસિરાવું છું. ગુરુ (૭), લઘુ (૬૯), સર્વવર્ણ (૭૬) ૪૯ ભાંગા
૧. મને કરવું. ૨. મને કરાવવું. ૩. મને અનુમોદવું. ૪. વચને કરવું. ૫. વચને કરાવવું. ૬. વચને અનુમોદવું. ૭. કાયાએ કરવું. ૮. કાયાએ કરાવવું. ૯. કાયાએ અનુમોદવું. ૧૦. મન વચને કરવું. ૧૧. મન વચને કરાવવું. ૧૨. મન વચને અનુમોદવું. ૧૩. મન કાયાએ કરવું. ૧૪. મન કાયાએ કરાવવું. ૧૫. મન કાયાએ અનુમોદવું. ૧૬. વચન કાયાએ કરવું. ૧૭. વચન કાયાએ કરાવવું. ૧૮. વચન કાયાએ અનુમોદવું.
૧૯. મન વચન કાયાએ કરવું. ૨૦. મન વચન કાયાએ કરાવવું. ૨૧. મન વચન કાયાએ અનુમોદવું. ૨૨. મને કરવું, કરાવવું. ૨૩. વચને કરવું, કરાવવું. ૨૪. કાયાએ કરવું, કરાવવું. ૨૫. મને કરવું, અનુમોદવું. ૨૬. વચને કરવું, અનુમોદવું. ૨૭. કાયાએ કરવું, અનુમોદવું. ૨૮. મને કરાવવું, અનુમોદવું. ૨૯. વચને કરાવવું, અનુમોદવું. ૩૦. કાયાએ કરાવવું, અનુમોદવું. ૩૧. મને કરવું, કરાવવું, અનુમોદવું. ૩૨. વચને કરવું, કરાવવું,
અનુમોદવું.
૩૩. કાયાએ કરવું, કરાવવું,
અનુમોદવું. ૩૪. મન વચને કરવું, કરાવવું.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૫, મન કાયાએ કરવું, કરાવવું. ૩૬. વચન કાયાએ કરવું, કરાવવું. ૩૭. મન વચને કરવું, અનુમોદવું. ૩૮. મન કાયાએ કરવું, અનુમોદવું. ૩૯. વચન કાયાએ કરવું,
અનુમોદવું.
૪૦. મન વચને કરાવવું,
૪૧. મન કાયાએ કરાવવું,
અનુમોદવું.
અનુમોદવું.
૪૨. વચન કાયાએ કરાવવું,
૪૨
અનુમોદવું.
૪૩. મન વચને કરવું, કરાવવું,
અનુમોદવું.
૪૪. મન કાયાએ કરવું, કરાવવું, અનુમોદવું.
૪૫. વચન કાયાએ કરવું, કરાવવું, અનુમોદવું. ૪૬. મન વચન કાયાએ કરવું,
અસુરું - અશુભ. કમ્મ - કર્મ.
સામાઈઅ - સામાયિક.
જત્તિઆ વારા - જેટલી વાર.
૪૭. મન વચન કાયાએ કરવું,
અનુમોદવું.
૪૮. મન વચન કાયાએ કરાવવું,
પર હોટ વોટ
૧૦. સામાયિક પારવાનું સૂત્ર
કરાવવું.
અનુમોદવું.
૪૯. મન વચન કાયાએ કરવું, કરાવવું, અનુમોદવું.
શબ્દાર્થ
ઉ - વળી.
સામાઈયવય - સામાયિક્નાવ્રતથી. | સામાઈઅંમિ - સામાયિક. જુત્તો - સહિત. જાવ - જ્યાં સુધી. મણે - મનમાં. હોઈ – હોય.
કએ - કર્યો છતે.
સમણો ઈવ - સાધુની પેઠે. સાવઓ - શ્રાવક.
નિયમસંજુત્તો - નિયમથી યુક્ત. | હવઇ - હોય છે.
છિન્નઈ - છેદાય છે.
જમ્હા - જે માટે.
એએણ - એ.
કારણેણં - કારણથી.
બહુસો - બહુવાર.
કુંજ્જા - કરવું.
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૩
સામાઈય-વયજુરો, જાવ મણે હોઈ નિયમસંજુરો | છિન્નઈ અસુહ કર્મો સામાઈઅ જત્તિઆ વારા./૧al
અર્થ :- સામાયિક વ્રતથી યુક્ત, જ્યાં સુધી મન તે નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી, જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મનો નાશ કરે છે. ૧
સામાઈઅંમિ ઉકએ, સમણો ઈવ સાવઓ હવાઈ જહા | એએણ કારણેણં બહુસો સામાઅં કુક્કા .રા.
અર્થ:- જે માટે સામાયિક કરતી વખતે શ્રાવક, સાધુ સમાન હોય, તે કારણથી (તત્વના જાણનાર) બહુવાર સામાયિક કરે. ૨
૧. સામાયિક બત્રીશ દોષ વજીને કરવાનું છે. તે દોષ આ પ્રમાણે
મનના દશ - (૧) વૈરી દેખી દ્વેષ કરે. (૨) અવિવેક ચિંતવે. (૩) અર્થ ન ચિંતવે. (૪) મનમાં ઉદ્વેગ કરે. (૫) યશની વાંચ્છા કરે. (૬) વિનય ન કરે. (૭) ભય ચિંતવે. (૮) વ્યાપાર ચિંતવે. (૯) ફળનો સંદેહ રાખે. (૧૦) નિયાણું કરે.
વચનના દશ - (૧) કુવચન બોલે. (૨) હુંકારા કરે. (૩) પાપ આદેશ આપે. (૪) લવારો કરે. (૫) કલહ કરે. (૬) આવો-જાવ કહે. (૭) ગાળ બોલે. (૮) બાળક રમાડે. (૯) વિકથા કરે. (૧૦) હાંસી કરે.
કાયાના બાર - (૧) આસન ચપળ. (૨) ચારે દિશાએ જુએ. (૩) સાવઘ કામ કરે. (૪) આળસ મરડે. (૫) અવિનયે બોલે (વર્તે). (૬) ઓઠું લઈ બેસે. (૭) મેલ ઉતારે. (૮) ખરજ ખણે. (૯) પગ ઉપર પગ ચઢાવે. (૧૦) અંગ ઉઘાડું મૂકે. (૧૧) અંગ ઢાંકે. (૧૨) ઉધે.
એ સર્વમળી બત્રીશ દોષ સામાયિકમાં અયતનાથી લાગે છે, તે તજવા.
Page #47
--------------------------------------------------------------------------
________________
४४
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ જુઓ હોય, તે સવિહુ, મન, વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
અર્થ - દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીશ દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય; તે સવિ હુ, મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
ગાથા (૨), ગુરુ (૭), લઘુ (૬૭), સર્વ વર્ણ (૭૪)
૧૧ જગચિંતામણિ ચૈત્યવંદન
જગચિંતામણિ - ભવ્ય જીવોને | જગભાવ - પદ્ધવ્ય તથા નવ
ચિંતામણિ રત્ન સમાન. | તત્ત્વના સ્વરૂપને કહેવામાં. જગ-નાહ - ભવ્ય જીવોના નાથ. | વિઅખણ - વિચક્ષણ. જગગુરુ - સર્વ લોકના હિતનો અટ્ટાવય - અષ્ટાપદ પર્વત ઉપર.
ઉપદેશ કરનાર. | સંઠવિયરૂવ - જેમનાં બિંબ જગરખણ - છ જીવ નિકાયના
સ્થાપન કરેલાં છે. રક્ષક. | કમ્મટ્ટ - આઠ કર્મને. જગબંધવ - સમાન બોધવાળાના | વિણાસણ - નાશ કરનારા.
તથા સકળ જંતુના બંધુ. | જિણવર - તીર્થકરો. જગસત્યવાહ-મોક્ષાભિલાષીના | જયંત - જય પામો !
સાર્થવાહ. I અપ્પડિહય- કોઈથી હણાયું નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
|
સાસણ - શાસન જેમનું. કમ્મભૂમિહિં - જ્યાં કર્મ વર્તેછે. એવાં. કમ્મભૂમિહિં - કર્મભૂમિનાક્ષેત્રોને વિષે.
પઢમસંઘયણી - પહેલા સંઘયણવાળા ઉક્કોસય - ઉત્કૃષ્ટપણે. સત્તરિસય - એકસો સિત્તેર.
જિણવરાણ - તીર્થંકરો.
વિહરત - વિચરતા. લબ્મઈ - પામીએ. નવકોડિસિં - નવ ક્રોડ. કેવલીણ - કેવળી.
કોડિસહસ્સ - હજારક્રોડ.
નવ - નવ.
સાહુ - સાધુઓ. ગમ્મઈ - જાણીએ.
૪૫
સંપઈ - વર્તમાનકાળે . જિણવર - તીર્થંકર.
વીસ - વીશ.
મુણિ - મુનિઓ. બિહું - બે.
1
વરનાણ - ઉત્તમ (વળ) જ્ઞાનવાળા. સમણહ - સાધુઓ. કોડિ - ક્રોડ.
સહસ્સેદુઅ - બે હજાર. થુણિજ્જઈ - સ્તવના કરીએ. નિચ્ચવિહાણિ - નિત્ય પ્રભાતે. જયઉ સામિય - સ્વામી જય પામો. રિસહ - ઋષભદેવ ભગવાન.
સત્તેજિ - શત્રુંજયને વિષે. ઉજ્જિત - શ્રી ગિરનાર પર્વત ઉપર.
પહ - પ્રભુ.
નૈમિજિણ - નેમિનાથ ભગવાન.
|
|
વીર - શ્રી વીર ભગવાન. સચ્ચઉરિ - સત્યપુરી (સાચો૨)
નગરનાં.
મંડણ - આભૂષણરૂપ. ભરૂઅચ્છહિં - ભરૂચને વિષે. મુણિસુવ્વય - મુનિસુવ્રતસ્વામી. મુરિ - મુહરિ ગામમાં. પાસ - શ્રી પાર્શ્વનાથ ભગવાન.
દુહ - દુઃખ.
દુરિય - પાપના.
ખંડણ - ખંડન કરનાર.
અવર - બીજા.
વિદેહિં - પાંચ મહાવિદેહ ક્ષેત્રને
વિષે.
તિત્યયરા - તીર્થંકરો. ચિહું - ચાર. દિસિ - દિશાઓમાં. વિિિસ - વિદિશાઓમાં, ખૂણામાં જિંકેવિ - જે કોઈપણ. તીઅ - અતીત (ભૂત)કાળ સંબંધી . અણાગય - અનાગત
ભવિષ્યકાળ સંબંધી. સંપઈઅ - વર્તમાનકાળ સંબંધી.
|
વંદું - હું વંદના કરું છું. જિણ - જિનેશ્વરોને.
Page #49
--------------------------------------------------------------------------
________________
४६
સલૅવિ - સર્વે પણ.
પનરસ - પંદર. સત્તાણવઈ - સત્તાણું. કોડિસયાઈ - સો કોડ. સહસ્સા - હજાર.
કોડિ - ક્રોડ. લખા - લાખ.
બાયાલ - બેંતાળીશ. છપ્પન - છપ્પન્ન.
લખ - લાખ. અટ્ટ - આઠ.
અડવત્રા - અઢાવન. કોડિઓ - ક્રોડ.
છત્તીસ - છત્રીશ. બત્તીસસય - બત્રીશસો. સહસ - હજાર. બાસિઆઈ - વ્યાસી.
અસિઈ - એશી. તિઅલોએ - ત્રણ લોકને વિષે. | સાસય - શાશ્વતા. ચેઈએ -ચૈત્યોને.
બિંબાઈ - બિબોને. વંદે - હું વંદના કરું છું. | પણમામિ - હું પ્રણામ કરું છું.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઇચ્છે.
અર્થ - સુગમ છે.
જગચિંતામણિ જગ-નાહ, જગગુરુ જગરખણ / જગબંધવ જ સત્યવાહ, જગભાવ-વિઅકખણા/ અટ્ટાવય-સંઠવિયરૂવ, કમ્મટ્ટ-વિરાસણ || ચઉવી સંદિપ જિણવર, જયંત અપ્પડિહયસાસણ ના
૧. ગૌતમસ્વામી અષ્ટાપદજીની યાત્રા માટે ગયા ત્યારે ત્યાં તેમણે આ ચૈત્યવંદન બનાવ્યું છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૭
અર્થ :- ભવ્ય જીવોને ચિંતામણિરત્ન સમાન, (નિકટ) ભવ્ય જીવોના નાથ, સમસ્ત લોકના હિતોપદેશક, છ જીવનિકાયના રક્ષક, સમાન બોધવંતના ભાઈ, મોક્ષાભિલાષિના સાર્થવાહ, ષદ્ભવ્ય તથા નવતત્ત્વનું સ્વરૂપ કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કર્યાં છે બિંબ જેમનાં, અષ્ટકર્મનો નાશ કરનારા એવા ચોવીશે તીર્થંકરો જયવંતા વર્તો ! જેમનું શાસન કોઈથી હણાય નહીં તેવું છે. ૧
કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિસય, જિણવરાણ વિહરત લખ્મઈ || નવકોડિપિં કેવલીણ, કોડિસહસ્સ નવ સાહુગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ || સમણહ કોડિ સહસ્સેદુઅ, થુણિજ્જઈ નિચ્ચવિહાણિ ॥૨॥
અર્થ :- અસિ, મષી અને કૃષિકર્મ જ્યાં વર્તે છે એવા કર્મ ભૂમિના ક્ષેત્રોને વિષે; પ્રથમ સંઘયણવાળા ઉત્કૃષ્ટપણે એકસો
૧. અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રીએ ચોવીશે તીર્થંકરની મણિમય પ્રતિમા સ્થાપન કરેલ છે. તે દરેક તીર્થંકરોની પોતપોતાની કાયાના માપે પ્રતિમા છે, સૌની નાસિકા સરખી લાઈનમાં છે. બેઠકની પાટલી ઉંચી-નીચી છે.
૨. ૫ ભરત, ૫ ઐરવત અને ૫ મહાવિદેહની પૂર્વ-પશ્ચિમની મળી ૧૬૦ વિજય એમ ૧૭૦ ઠેકાણે એકેક તીર્થંકર ઉત્કૃષ્ટ કાળે હોય. આ અવસર્પિણીમાં શ્રી અજિતનાથ સ્વામીના વારે તે પ્રમાણે હતા.
Page #51
--------------------------------------------------------------------------
________________
४८ સિત્તેર તીર્થકરો વિચરતા પામીએ, કેવલજ્ઞાની નવકોડ (અને) નવ હજાર ક્રોડ સાધુઓ (હોય એમ સિદ્ધાંતથી) જાણીએ. વર્તમાનમાં (શ્રીસીમંધરસ્વામી પ્રમુખ) વીશ તીર્થકર (અને) પ્રધાન કેવળજ્ઞાન ધરનારા બે ક્રોડ મુનિ (તથા) બે હજાર કોડ સાધુઓ (હોય) તેઓની નિરંતર પ્રભાતે સ્તવના કરીએ. ૨
જયઉ સામિય જયઉ સામિય, રિસહ સત્તેજિ . ઉર્જિતિ પહુ નેમિનિણ જયઉ વીર સચ્ચઉરીમંડણ || ભરુઅચ્છહિ મુણિસુવ્ય, મુહરિ પાસ દુહદુરિઅખંડણ | અવરવિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ | તીઆણાગયસંપઈએ, વંદું જિણ સલૅવિ ૩
અર્થ - જયવંતા વર્તા! શ્રી શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવ જયવંતા વાર્તા ! શ્રી ગિરનારજી ઉપર પ્રભુ નેમિનાથ તીર્થકર (અ) સાચોર (સત્યપુરી) નગરના આભૂષણ રૂપ શ્રી વિરસ્વામી જયવંતા વર્તા! ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી (અને) મુહરી ગામમાં શ્રી પાર્શ્વનાથ (એ પાંચે જિનવરો) દુઃખ અને પાપનો નાશ કરનાર છે. બીજા (પાંચ) મહાવિદેહને વિષે જે
૧. જઘન્યકાળે વીશ તીર્થકરો હોય, તે દરેક મહાવિદેહની ૮-૯૨૪-૨૫મી વિજયમાં એકેક હોય એટલે જંબૂદ્વીપમાં ચાર, ધાતકીખંડમાં (બે મહાવિદેહ માટે) ૮ અને પુષ્કરવરાદ્ધમાં ૮ મળી ૨૦ હોય. હાલ તે પ્રમાણે છે. વિજયના આંક દરેક વખતે આ પ્રમાણે જ હોય એ નક્કી નથી.
૨. ટીંટોઈનામના ગામમાં મુહરી પાર્શ્વનાથ બીરાજે છે. તે સંભવે છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૯ તીર્થકરો, છે તથા), ચાર દિશાઓ અને ચાર વિદિશાઓમાં જે કોઈપણ, અતીતકાળ, અનાગતકાળ, અને વર્તમાનકાળ સંબંધી તીર્થકરો છે, તે સર્વને પણ હું વંદના કરું છું. ૩
સત્તાણવઈ-સહસ્સા, લખા છપ્પન્ન અટ્ટ કોડિઓ બત્તીસસય બાસિઆઈ તિઅલોએ ચેઈએ વંદે જા
અર્થ - આઠ કોડ, છપ્પન લાખ, સત્તાણું હજાર, બત્રીશ સો અને (૮૫૭૦૦૨૮૨) બાસી, ત્રણલોકને વિષે જિનપ્રાસાદ છે તેને હું વાદું છું. ૪.
પનરસ કોડિસયાઈ, કોડિ બાયાલ લખ અડવન્ના ને છત્તીસસહસઅસિઈ, સાસયબિંબાઈ પણમામિ પી.
અર્થ - પંદરસેં કોડ (પંદર અબજ), બેંતાલીશ કોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર, એસી (પૂર્વોક્ત જિનપ્રાસાદોને વિષે) શાશ્વત જિનબિંબો છે, તેઓને હું વંદના કરું છું.
૧૨ અંકિંચિ સૂત્ર
શબ્દાર્થ અંકિંચિ - જે કોઈ. | જાઈ - જેટલાં. નામતિë - નામરૂપ તીર્થો છે. | જિણબિંબાઈ - જિનબિંબો. સગે - સ્વર્ગલોકમાં.
| તાઈ - તે. પાયાલિ - પાતાલલોકમાં. | સવાઈ - સર્વને. માણસે લોએ - મનુષ્યલોકમાં. | વંદામિ - વંદુ છું.
Page #53
--------------------------------------------------------------------------
________________
૫૦ જંકિંચિ નામતિë સગે પાયાલિ માણસે લોએ આ જાઈ જિણબિંબાઈ તાઈ સવાઈ વંદામિ ના
અર્થ - સ્વર્ગને વિષે, પાતાળને વિષે, (અને) મનુષ્યલોકને વિષે જે તીર્થંકરનાં બિંબો છે તે સર્વને (તેમજ) જે કોઈ નામરૂપે તીર્થો છે (તેને) હું વંદના કરું છું. ૧
ગાથા (૧), પદ (૪), સંપદા (૪), ગુરુ (૩), લઘુ (૨૯), સર્વ વર્ણ (૩૨).
૧૩ નમુત્થણ (શક્રસ્તવ) સૂત્ર
શબ્દાર્થ નમુત્થણે - નમસ્કાર હો. તિસ્થયરાણું - ધર્મતીર્થના અરિહંતાણં - અરિહંતોને.
પ્રવર્તાવનારને. ભગવંતાણું - ભગવાનોને. | સયંસંબુદ્ધાણં - પોતાની મેળે આઈગરાણ - દ્વાદશાંગીની | તત્ત્વના જાણનારને.
આદિના કરનારને. | પુરિસરમાણે પુરુષોમાં ઉત્તમને. ૧. વર્તમાન તીર્થોનાં નામ - શ્રી શત્રુંજય, ગિરનાર, અબુદાચળ (આબુ, દેલવાડા ને અચળગઢ), સમેતશિખર, શંખેશ્વરજી, કુંભારીયાજી, અંતરિક્ષ પાર્શ્વનાથ, મક્ષીજી, તારંગાતીર્થ, અજારા પાર્શ્વનાથ, વરાણા, રાણકપુર, બામણાવાડા, જીરાઉલા પાર્શ્વનાથ, પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી, માંડવગઢ,કાકંદી, ક્ષત્રિયકુંડ, બનારસ, અયોધ્યા, અલ્હાબાદ, હસ્તિનાપુર, ધુલેવા (કેશરીયાજી) ભોયણી, પાનસર વગેરે.
૨. શક્ર એટલે ઈન્દ્ર, તેની કરેલી સ્તુતિ તે શકસ્તવ.
Page #54
--------------------------------------------------------------------------
________________
પ૧ પુરિસસીહાણ - પુરૂષોને વિષે સિંહ | ચાઉત -ચાર ગતિનો અંત કરનાર.
સમાનને. | ચક્રવટ્ટીર્ણ - ધર્મના ચક્રવર્તીને. પુરિસ - પુરૂષોને વિષે. અપડિહય-કોઈથી હણાયનહીંતેવા. વર - પ્રધાન.
| વરનાણ - કેવળજ્ઞાન. પુંડરીઆણું - કમળ સમાનને. | દંસણ - કેવળદર્શનને. ગંધહસ્થીર્ણ-ગંધહસ્તી સમાનને. | ધરાણ - ધારણ કરનારને. લોગરમાણે - લોકમાં ઉત્તમને. | વિઅટ્ટ - જે નિવર્યા છે. લોગનાહાણ - લોકોના નાથને. | છઉમાશં-છદ્મસ્થાવસ્થામાંથી તેને. લોગહિઆણું -લોકના હિતકારીને. | જિણાણું - જીતનારને. લોગપઈવાણું લોકોને વિષે- | જાવયાણું - જિતાડનારને.
દીપક સમાનને. | તિજ્ઞાણે - તરનારને. લોગપજ્જો અગરાણું - લોકને- | તારયાણું - તારનારને.
વિષે ઉદ્યોત કરનારને. | બુદ્ધાણે - તત્ત્વ જાણનારને. અભયદયાણ-અભયદાન આપનાર. બોહવાણું - બોધ આપનારને. ચખુદયાણું - આંતરચક્ષુના આપનારને. મુત્તાણું - પોતે કર્મથી મુકાયેલાને. મગ્નદયાણું - મોક્ષમાર્ગને- મોઅગાણું-બીજાને કર્મથી મુકાવનારને.
આપનારાને. સવ્વસૂર્ણ - સર્વજ્ઞોને. સરણદયાણ-શરણ આપનારને. | સવદરિસીણું - સર્વદર્શીને. બોહિદયાણું - બોધિબીજને- સિવ - ઉપદ્રવ રહિત.
આપનારાને. અયલ - અચળ. ધમ્મદયાણું - ધર્મના આપનારને. અરુઅ - રોગ રહિત. ધમ્મદેસયાણું - ધર્મનો ઉપદેશ- અસંત - અનંત.
કરનારને. અખય - અક્ષય. ધનાયગાણું - ધર્મના નાયકને. અવ્યાબાહ – બાધા રહિત. ધમ્મસારહીણું - ધર્મના સારથીને. | અપુણરાવિત્તિ - જ્યાંથી ફરીધમ્મવર - ધર્મ રૂપી.
અવતાર લેવો નથી એવું.
Page #55
--------------------------------------------------------------------------
________________
પર
સિદ્ધિગઈનામધેયં - સિદ્ધિગતિ- | અઈઆ - અતીતકાળે. નામનું. | સિદ્ધા - સિદ્ધ થયા. ભવિસ્યંતિ - સિદ્ધ થશે. અણાગએકાલે-અનાગતકાળનેવિષે. સંપઈ અ - જે વર્તમાનકાળે. વટ્ટમાણા - વિદ્યમાન છે. સબ્વે - તે (દ્રવ્યજિન) ને. તિવિહેણ - મન, વચન, કાયાએ વંદામિ - હું વંદના કરું છું.
જિણાણું - જિનેશ્વરોને. જિઅભયાર્ણ - જીત્યા છે ઈહલોકાદિ- | સાત ભય જેણે એવાને.
|
જે અ - જેઓ.
ઠાણું - સ્થાનને.
સંપત્તાણું - પામેલાને.
નમો - નમસ્કાર હો.
નમુન્થુણં *અરિહંતાણં ભગવંતાણં ॥૧॥
અર્થ :- નમસ્કાર હો, (શ્રી) અરિહંતને, ભગવંતને. ૧
આઈગરાણું, તિત્યયરાણં, સયંસંબુદ્ધાણં॥૨॥
અર્થ :- (ધર્મની) આદિના કરનારને, તીર્થના સ્થાપનારને, પોતાની મેળે બોધ પામનારને. ૨
પુરિસુત્તમાણં, પુરિસસીહાણં, પુરિસવર પુંડરીઆણં, પુરિસવર ગંધ-હસ્થીણું ।।૩।।
* અરિહંત ભગવાનને ચોત્રીશ અતિશય હોય તે આ પ્રમાણે - ૧. તેમનું શરીર અનંતરૂપમય, સુગંધમય,રોગરહિત, પરસેવારહિત, અને મલરહિત હોય.
૨. રુધિર તથા માંસ, ગાયના દૂધ સમાન ધોળાં અને દુર્ગંધ વગરનાં હોય.
૩. આહાર તથા નિહાર, ચર્મચક્ષુથી અદૃશ્ય હોય. ૪. શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ હોય.
Page #56
--------------------------------------------------------------------------
________________
પ૩ અર્થ -પુરૂષને વિષે ઉત્તમને, પુરૂષને વિષે સિંહ સમાનને, પુરૂષને વિષે ઉત્તમ પુંડરીક (કમળ) સમાનને, પુરૂષને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાનને. ૩ લોગુત્તરમાણે, લોગનાહાણે, લોગડિઆણં, લોગપઈવાણું, લોગપજ્જો અગરાણે જા
અર્થ - લોકને વિષે ઉત્તમને, લોકોના નાથને, લોકના હિત કરનારને, લોકને વિષે દીવા સમાનને, લોકમાં પ્રકાશ કરનારને. ૪
૪
આ (૧ થી ૪) ચાર અતિશય જન્મથી જ હોય, માટે સ્વાભાવિક સહજાતિશય અથવા મૂલાતિશય કહેવાય છે. યોજન પ્રમાણ સમવસરણમાં મનુષ્ય, દેવ, અને તિર્યંચની કોડાકોડી સમાય અને તેમને બાધા થાય નહિ. ચારે બાજુ પચીસ-પચીસ યોજન સુધી પૂર્વોત્પન્ન રોગ ઉપશમે અને નવા રોગ થાય નહિ. વૈરભાવ જાય. મરકી થાય નહિ. અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહિ. અનાવૃષ્ટિ એટલે વરસાદનો અભાવ થાય નહિ. દુર્ભિક્ષ એટલે દુકાળ ન પડે. સ્વચક્ર અને પરચક્રનો ભય ન હોય. ભગવંતની ભાષા મનુષ્ય, તિર્યંચ અને દેવતા પોતપોતાની ભાષામાં સમજે.(વાણી પાંત્રીશ ગુણવાળી હોય છે, તે ગુણો નવકારની ફુટનોટમાં છે. પેજ નં. ૧૦ ઉપર). એક યોજન સુધી સરખી રીતે ભગવંતની વાણી સંભળાય. સૂર્યથી બારગણા તેજવાળું ભામંડળ હોય.
? ?
?
૧૫.
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૪
અભયદયાણ, ચકખુદયાણું, મગ્નદયાણ, સરણદયાણું, બોડિદયાણં પા
અર્થ - અભયદાનના આપનારને, (શ્રુતજ્ઞાનરૂપ) ચક્ષુના આપનારને, (મોક્ષ) માર્ચના આપનારને, શરણ આપનારને, સમકિત આપનારને. ૫ ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મુ
આ અગિયાર (૫ થી ૧૫) અતિશયો કેવળજ્ઞાન થાય ત્યારે થાય તેથી તે કર્મક્ષયજાતિશય કહેવાય. ૬ થી ૧રમાં જણાવેલ રોગાદિક સાત ઉપદ્રવો ભગવંત વિહાર કરે ત્યારે પણ ચારે દિશાએ ફરતા પચીસ પચીસ યોજન સુધી ન હોય. ૧૬. આકાશમાં ધર્મચક્ર હોય. ૧૭. બાર જોડી (ચોવીશ) ચામર અણવીંઝુયા વીંઝાય.
પાદપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજ્જવળ સિંહાસન હોય. ત્રણ છત્ર દરેક દિશાએ હોય. રત્નમય ધર્મધ્વજ હોય. (તેને ઈન્દ્રધ્વજ પણ કહે છે.) નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. (બે પગ ઉપર મૂકે અને સાત પાછળ રહે. તેમાંથી વારાફરતી બે બે આગળ આવે.) મણિ, સુવર્ણ અને રૂપાના એ રીતે ત્રણ ગઢ હોય. ચાર મુખે કરી ધમદશના દે છે તેમ દેખાય. (પૂર્વ દિશાએ ભગવંત બેસે, બાકીની ત્રણ દિશાએ ત્રણે પ્રતિબિંબ વ્યંતરદેવ કરે.) સ્વશરીરથી બાર ગણું અશોકવૃક્ષ, છત્ર, ઘંટ, પતાકા આદિથી યુક્ત હોય. કાંટા અધોમુખ એટલે અવળા થઈ જાય. ચાલતી વખતે સર્વ વૃક્ષ નમી પ્રણામ કરે. ચાલતી વખતે આકાશમાં દુંદુભિ વાગે.
Page #58
--------------------------------------------------------------------------
________________
પપ
નાયગાણે, ધમ્મસારહાણે, ધમ્મવરચારિત ચક્કવટ્ટીર્ણ |
અર્થ - ધર્મના દાતારને, ધર્મનો ઉપદેશ કરનારને, ધર્મના નાયકને, ધર્મના સારથીને, ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મચક્રવર્તીને. ૬
અપ્પડિહયવરનાણ દંસણધરાણ, વિઅટ્ટછઉમાણે છા
અર્થ - કોઈથી હણાય નહીં એવા ઉત્તમજ્ઞાન (કેવળજ્ઞાન) અને દર્શન (કેવળદર્શન)ના ધારણ કરનારને નિવત્યું છે છાવસ્થપણું જેઓનું તેમને. ૭
જિગાણું જાવયાણ, તિજ્ઞાણે તારયા, ૨૮. યોજન પ્રમાણ અનુકૂળ વાયુ હોય.
મોર વગેરે શુભ પક્ષીઓ પ્રદક્ષિણા કરતા ફરે. સુગંધી જળની વૃષ્ટિ થાય. જળ-સ્થળમાં ઉપજેલાં પાંચ વર્ણવાળાં કુલની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય. કેશ, રોમ, દાઢી-મૂછના વાળ અને નખ, (સંયમ લીધા પછી)
વધે નહિ. ૩૩. જઘન્યપણે ચારે નિકાયના ક્રોડ દેવતા પાસે રહે. ૩૪. સર્વ ઋતુઓ અનુકૂળ રહે.
આ છેલ્લા ૧૬ થી ૩૪ એટલે ઓગણીશ અતિશયો દેવતા કરે, તેથી તે દેવકતાતિશય કહેવાય છે. આ ચોત્રીશ અતિશયનો જે ચાર અતિશયમાં સમાવેશ થાય છે તે અરિહંતના ગુણનું વર્ણન કરતાં અગાઉ જણાવી ગયા છીએ તે સમજવા.
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૬
બુદ્ધાણં બોહયાણું, મુત્તાણું મોઅગાણું ॥૮॥
અર્થ :- રાગ-દ્વેષના જિતનારને (તથા) જિતાડનારને, (સંસારથી) ત૨ના૨ને (તથા) તારનારને, તત્ત્વના જાણનારને (તથા) જણાવનારને, (કર્મથી) મુક્તને (તથા) મુકાવનારને. ૮
સવ્વભ્રૂણં, સવ્વદરિસીણં, સિવમયલમરુઅ-મહંત-મક્ષય-મવ્વાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ નામધેયં ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણું III
અર્થ :- સર્વજ્ઞને, સર્વદર્શીને, કલ્યાણરૂપ, અચળ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાગમન એવી સિદ્ધિગતિ છે નામ જેનું, એવા સ્થાનને પામેલાને રાગ-દ્વેષનો ક્ષય કરનાર તથા સર્વ ભયના જિતનારને નમસ્કાર હો. ૯
જે આ અઈઆ સિદ્ધા, જે અ ભવિસંતિણાગએ કાલે II સંપઈ અ વટ્ટમાણા, સવ્વુ તિવિહેણ વંદામિ ॥૧૦॥
અર્થ :- જેઓ અતીતકાળે સિદ્ધ થયા, જેઓ અનાગતકાળે સિદ્ધ થશે (અને) વર્તમાનકાળે વિધમાન એવા સર્વ (દ્રવ્યજિનો)ને હું ત્રિવિધે વંદના કરું છું. ૧૦
પદ (૩૩), સંપદા (૯), ગાથા (૧૦), ગુરુ (૩૩), લઘુ (૨૬૪), સર્વ વર્ણ (૨૯૭)
ඕ
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૭
૧૪ જાવંતિ ચેઈઆઈ સૂત્ર
શબ્દાર્થ જાવંતિ - જેટલાં.
તાઈ - તેને. ચેઈઆઈ-ચૈત્યો છે. વંદે - હું વંદના કરું છું. ઉડૂઢ - ઉર્ધ્વલોકને વિષે. ઈહ - અહીં. અહે - અધોલોકને વિષે. સંતો - છતો. તિરિઅલોએ-
તિલોકને વિષે. | તત્થ - ત્યાં. સવાઈ - સર્વને. | સંતાઈ - રહેલાને.
જાવંતિ ચેઈઆઈ, ઉડૂઢે આ અહે આ તિરિઅલોએ અ; સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ ના.
અર્થ - ઊર્ધ્વલોકને વિષે તથા અપોલોકને વિષે અને તિચ્છલોકને વિષે જેટલી જિનપ્રતિમાઓ છે. તે સર્વને હું અહીં છતો; ત્યાં છે તેમને વંદન કરું છું. ૧
ગાથા (૧), સંપદા (૪), પદ (૪), ગુરુ (૩), લઘુ (૩૨), સર્વવર્ણ (૩૫)
૧૫ જાવંત કેવિ સાહૂ સૂત્ર
શબ્દાર્થ જાવંત - જેટલા.
એરવય - ઐરાવત ક્ષેત્રને વિષે. કેવિ - કોઈપણ.
મહાવિદેહે - મહાવિદેહ ક્ષેત્રને સાહૂ - સાધુઓ. ભરત - ભરતક્ષેત્રને વિષે. | સલૅસિં-સર્વને.
વિષે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૮ તેસિં - તેઓને.
તિદંડ - ત્રણ દંડથી. પણ - નમ્યો.
વિરયાણું - નિવર્સેલાને. તિવિહેણ મન, વચન, કાયાએ કરીને. |
જાવંત કેવિ સાહુ, ભરફેરવય-મહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહણ તિરંડવિયાણ ૧
અર્થ :- (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત, અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જેટલા કોઈ સાધુઓ, મન વચન કાયાએ કરીને ત્રણ દંડથી નિવર્સેલા છે, તેઓ સર્વને હું નમ્યો. ૧
પદ (૪), સંપદા (૪), ગાથા (૧), લઘુ (૩૭), ગુરુ (૯), સર્વ વર્ણ (૩૮).
૧૬. નમોડર્વત્ (પરમેષ્ઠિ નમસ્કાર)
| શબ્દાર્થ નમો - નમસ્કાર હો. | આચાર્ય - આચાર્ય. અહમ્ - અરિહંત.
| ઉપાધ્યાય - ઉપાધ્યાય. સિદ્ધ - સિદ્ધ.
સર્વસાધુભ્યઃ સર્વ સાધુઓને. નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય://nl/
અર્થ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય (અને) સર્વ સાધુઓને (મારો) નમસ્કાર હો.
X કરણકારણાનુમતિરૂપેણ (કરવા, કરાવવા અને અનુમોદવા રૂપે).
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૯ ૧૭. ઉવસગ્ગહરં સ્તવન
શબ્દાર્થ ઉવસગ્ન - ઉપસર્ગ (વિબ)ને. | સયા - હંમેશાં. હર - હરનાર.
મણુઓ - મનુષ્ય. પાસ - પા નામનો યક્ષ જેને- | તસ્સ - તેના.
છે એવા. ગહ - ગ્રહ. પાસ - પાર્શ્વનાથને. રોગ - રોગ. વંદામિ - હું વાંદું છું. મારી - મરકી. કમ્મઘણ - કર્મના સમૂહથી. દુઢ - અશુભ, ખરાબ. મુ% - મુકાયેલા.
જરા- તાવ. વિસહર - વિષધર - સર્પના. જંતિ - પામે છે. વિસ - વિષને.
વિસામં - શાન્તિને. નિન્નાસં - નાશ કરનારા. ચિઢઉ - રહો. મંગલ - મંગલ.
દૂર -દૂર. કલ્યાણ - કલ્યાણના.
મંતો - મંત્ર. આવાસં - ઘરરૂપ છે.
તુજઝ - તમારો. વિસહરકુલિંગમંત - વિષધર | પણામોવિ- નમસ્કાર પણ.
સ્ફલિંગ નામના મંત્રને. | બહુફલો - ઘણા ફળવાળો. કંઠે - કંઠમાં.
હોઈ - થાય છે. ધારઈ – ધારણ કરે.
નર - મનુષ્ય. જો - જે.
તિરિએ સુવિ-તિર્યંચને વિષે પણ. ૧. વરાહમિહિરનો જીવ મરીને વ્યંતર થવાથી તેણે સંઘમાં મરકીનો ઉપદ્રવ કર્યો, તેની શાન્તિને અર્થે શ્રી સંઘની વિનંતિથી શ્રી ભદ્રબાહુસ્વામીએ સાત ગાથાનું આ સ્તોત્ર રચ્યું. તે ભણવા ગણવા તથા સાંભળવાથી મરકી શાન્ત થઈ. આથી લોકો નિરંતર આ સ્તોત્ર ભણવા લાગ્યા, તેથી ધરણેન્દ્રને પ્રત્યક્ષ આવવું પડતું. માટે ધરણેન્દ્રની વિનંતિથી
Page #63
--------------------------------------------------------------------------
________________
જીવા -
· જીવો.
પાર્વતિ - પામે. ન - નહીં.
દુર્ખ - દુઃખ. દોગચ્ચું - દુર્ભાગ્ય. તુહ - તમારું.
સમ્મત્તે - સમકિત દર્શન.
૬૦
કપ્પપાયવમહિએ – કલ્પવૃક્ષથી અધિક.
પાર્વતિ - પામે છે.
અવિચ્છેણું - નિર્વિઘ્નપણે.
જીવા - જીવો. અયરામર - અજરામર.
ઠાણું - સ્થાનને.
ઈઅ - એ પ્રકારે.
લન્ને - પામ્યે છતે.
સંઘુઓ - સ્તવેલા.
ચિંતામણિ - ચિંતામણિ રત્ન. મહાયસ - હે મોટા યશવાળા ! ભત્તિધ્મર - ભક્તિના સમૂહે કરી.
ગુરુમહારાજે છેલ્લી બે ગાથા ભંડારી મુકી અને હાલ છે તે પાંચ ગાથા કાયમ રાખી. આ સ્તોત્રમાં શ્રી પાર્શ્વનાથજી તથા તેમના યક્ષ પાર્શ્વ અને પદ્માવતી તથા ધરણેન્દ્રની દ્વિઅર્થી સ્તુતિ છે. તે જાણવાની ઈચ્છાવાળાએ ટીકા જેવી. દરેક ગાથાના પહેલા પદનો અર્થ એકત્ર કરતાં પંચપરમેષ્ઠિને નમસ્કાર થાય છે. તે આ પ્રમાણે ૧. ઉવ - ઉપાધ્યાય. ૨. વિસ - એ બે અક્ષર વડે સાધુઓ લેવા. સર્વ રસમય વિષને દેખાડનાર તે સાધુઓ. ૩. ચિઠ્ઠ - પદવડે આચાર્ય લેવા. શ્રી તીર્થંકર મોક્ષે ગયે છતે જ્યાં સુધી શાસન રહે ત્યાં સુધી રહે તે અથવા તત્ત્વથી એકત્ર કરેલ દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપમાં રહેવાવાળા. ૪. તુષ - પદવડે અરિહંત લેવા. તોહિંતિ - અર્દયન્તિ અર્થાત્ ઘાતીકર્મોને અને સકળ સંશયને નાશ કરે તે અરિહંત. ૫. ઈઅ પદ વડે સિદ્ધ-ભગવંત લેવા. ‘ઇણક્ ગતૌ’ અર્થાત્ અપુનરાવૃત્તિમાં મોક્ષમાં ગયા તે સિદ્ધો. અહીં પરમેષ્ઠીનો ક્રમ આ પ્રમાણે કર્યો તેનો હેતુ આ પ્રમાણે જાણવો. સૂત્ર ઉપાધ્યાયની પાસે ભણાય, તેથી પ્રથમ ઉપાધ્યાયને નમસ્કાર કર્યો, ઉપાધ્યાય સમીપે અભ્યાસ કરતા સાધુઓને સાધુ સહાય કરે, માટે બીજો સાધુને નમસ્કાર કર્યો. ભણેલ સૂત્રનો અર્થ આચાર્યો કહે, તેથી ત્રીજો આચાર્યને નમસ્કાર કર્યો. આચાર્યના ઉપદેશથી અરિહંતપણાનું જ્ઞાન થાય, માટે ચોથો અરિહંતને નમસ્કાર કર્યો અને પાંચમો સર્વસિદ્ધોને નમસ્કાર કર્યો.
Page #64
--------------------------------------------------------------------------
________________
૬૧ નિર્ભરેણ - પરિપૂર્ણ એવા. | દિw - આપો. હિયણ - હૃદયે કરી. | બો િ- સખ્યત્વ. તા - તે કારણ માટે. | ભવે ભવે - ભવોભવને વિષે. દેવ - હે દેવ! પાસ જિણચંદ-હેશ્રી પાર્શ્વ જિનચંદ્ર !
ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્પઘણમુક્કા વિસહર-વિસનિન્નાસ, મંગલકલ્યાણ-આવાસં ૧ાા
અર્થ - ઉપસર્ગનો હરનાર પાર્શ્વનામનો યક્ષ સેવક છે જેનો એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન, જેઓ કર્મના સમૂહથી મુક્ત છે. (તથા) જે સર્પના ઝેરને અતિશયે કરીને નાશ કરનાર છે (વળી) મંગલ અને કલ્યાણના ઘર છે, તેમને હું નમસ્કાર કરું છું. ૧
+વિસહરફલિંગમંત, કંઠે ધારે જો સયામણુઓ // તસ્સ ગહ-રોગમારી, દુટ્ટજરા જંતિ ઉવસામ રા
અર્થ - જે મનુષ્ય નિરંતર (શ્રી પાર્શ્વનાથના નામ ગર્ભિત)
+ વિષ એટલે મિથ્યાત્વ-કષાયાદિ, તેને ધારણ કરનાર જીવોના વિષ એટલે મિથ્યાભાવને નાશ કરનાર, અથવા વિષગૃહ-વિષ એટલે પાણી ઉપલક્ષણથી મણિકર્ણિકા નદીનું પાણી, ત્યાં ગૃહ એટલે નિવાસ છે જેનો એવા કમઠમુનિ, તેના વિષ એટલે પંચાગ્નિ પ્રમુખ કર્મને નાશ કરનાર,
૧. મનુગો - મંત્રને જાણનાર-માંત્રિક.
Page #65
--------------------------------------------------------------------------
________________
૬ર
વિષધરસ્ફલિંગ નામના મંત્રને કંઠને વિષે ધારણ કરે છે, તેના (દુષ્ટ) ગ્રહ, રોગ, મરકી (અ) દુષ્ટ જ્વર-તાવ શાન્તિ પામે છે. ૨
ચિટ્ટી દૂરે મંતો, તુક્ઝ પણામો વિ બહુફલો હોઈ . નરતિરિએ સુ વિજીવા, પાવંતિ ન દુખ-દોગચ્ચાર
અર્થ - (એ) મંત્ર દૂર રહો, તમને નમસ્કાર કરવો તે પણ ઘણું ફળ આપનાર થાય છે. (તે) જીવો મનુષ્ય અને તિર્યંચને વિષે પણ દુઃખ અને દારિત્ર્ય પામતા નથી. ૩
તુહ સમ્મત્તલદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવળ્યહિએ પાવંતિ અવિઘેણું, જીવા અયરામર ઠાણે જા
અર્થ - ચિંતામણિરત્ન (અને) કલ્પવૃક્ષથી અધિક મહિમાવાળું એવું તમારું સમ્યગુદર્શન (સમકિત) પાયે છતે (ભવ્યો જીવો અજર અમર (મોક્ષ) સ્થાનને નિર્વેિદનપણે પામે છે. ૪
ઇઅ સંયુઓ મહાયસ! ભત્તિબ્બરનિઝ્મરણ હિયણ / તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ!પો.
૧ દોહઞ ઇતિ પાઠાન્તરે.
Page #66
--------------------------------------------------------------------------
________________
૬૩
અર્થ - હે મહાશય ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા અંતઃકરણથી આ સ્તવના કરી, તે કારણથી હે દેવ શ્રી પાર્થજિનચંદ્ર ! (મને) જન્મોજન્મને વિષે બોધિબીજ (સમ્યગ્દર્શન) આપો. ૫
ગુરુ (૨૧), લધુ (૧૬૪), સર્વ (૧૮૫), ગાથા (૫).
૧૮ જયવીયરાય (પ્રાર્થના) સૂત્ર
શબ્દાર્થ જય - જય પામો.
સેવણા - અંગીકાર. વિયરાય - હે વીતરાગ. આભવ - જયાં સુધી ભવ કરવાજગગુરુ - હે જગતના ગુરુ.
પડે ત્યાં સુધી. હોઉ - થાઓ.
અખંડા - અખંડ. મમ - મને.
વારિજઈ - નિષેધ્યું છે. તુહ - તમારા.
જઈ વિ - જો કે પભાવઓ - પ્રભાવથી. નિઆણબંધણું નિયાણાનું બાંધવું. ભયનં - હે ભગવંત .
તુહ - તમારા. ભવનિવ્વઓ - ભવનું ઉદાસપણું. સમએ - સિદ્ધાંતમાં. મગ્ગાણસારિઆ-માર્ગાનુસારીપણું. તહવિ - તો પણ. ઇટ્ટકલ - ઈષ્ટ ફળની. મમ - મારે. સિદ્ધી- સિદ્ધિ.
હુજ - હોજો . લોગવિદ્ધચ્ચાઓ-લોક-વિરુદ્ધનો-| સેવા - સેવા.
ત્યાગ. | ભવભવે - ભવોભવને વિષે. ગુરુજણપૂS - વડિલજનની પૂજા. | તુમ્હ - તમારા. પરFકરણ-પરોપકાર કરવાપણું. ચલણાણું - ચરણની. સુહગુરુજોગો - શુદ્ધ ગુનો યોગ. | દુખખિઓ - દુઃખનો ક્ષય. તવ્યયણ - તેમનાં વચનનો. | કમ્મફખઓ - કર્મનો ક્ષય.
Page #67
--------------------------------------------------------------------------
________________
૬૪ સમાહિમરણં - સમાધિમરણ. | માંગલ્ય - મંગળરૂપ. બોહિલાભો-બોધિબીજનો લાભ. | સર્વકલ્યાણ - સર્વ કલ્યાણનું. સંપર્જાઉ - પ્રાપ્ત થાઓ. કારણે - કારણરૂપ. મહ એએ - મને, એ. પ્રધાન - પ્રધાન એવું. તુહ - તમને.
સર્વધર્માણાં - સર્વ ધર્મોમાં. નાહ - હે નાથ !
જૈન - જૈન, પણામકરણેણં - પ્રણામ કરવાથી. | જ્યતિ - જય પામે છે. સર્વમંગલ - સર્વ માંગલિકમાં. | શાસન - શાસન.
જય વિયરાય ! જગગુરુ ! હોઉ મર્મ તુહ પભાવઓ ભયવં! I ભવનિÒઓ મગ્ગાણુસારિઆ ઇટ્ટાફલસિદ્ધી લો.
અર્થ:- વીતરાગાહે જગતના ગુરુ! (તમે) જયવંતવ. હે ભગવંત! મને તમારા પ્રભાવથી ભવનું ઉદાસપણું, માર્ગાનુસારીપણું (અને) ઈષ્ટફળ (શુદ્ધ આત્મધર્મ)ની સિદ્ધિ હોજો. ૧
લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણં ચ | સુહગુરુજોગો તથ્વયણસેવણા આભવમખંડા આરા
અર્થ - લોકવિરુદ્ધનો ત્યાગ, (માતા-પિતાદિ) ગુરુજનની પૂજા તથા પરોપકાર કરવાપણું, શુદ્ધ ગુનો મેલાપ; તેમના વચનનો અંગીકાર (તે સવ) જ્યાં સુધી મારે ભવ કરવા પડે ત્યાં સુધી (મોક્ષપ્રાપ્તિ સુધી) અખંડ હોજો. ૨
૧ આ સૂત્ર પ્રાર્થના સ્વરૂપ છે, પાછળની બે ગાથા ક્ષેપક છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૫ વારિજ્જઈ જઇવિ નિઆણ-બંધણુંવિય-રાય!તુહસમએા તહવિમમહુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું Ilal
અર્થ:- હે વીતરાગ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણાનું બાંધવું નિષેધ્યું છે. તો પણ મને ભવોભવને વિષે તમારા ચરણોની સેવા હોજો. ૩
દુખદ્ધઓ કમ્મMઓ, સમાહિમરણં ચ બોહિલાભો આ સંપન્જઉ મહ એએ, તુહ નાહ! પણામકરણેણં ૪ો
અર્થ:- હે નાથ! તમને પ્રણામ કરવાથી, મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ તથા બોધિબીજનો લાભ એ (ચાર) સંપ્રાપ્ત થાઓ. ૪
સર્વ-મંગલ-માંગલ્ય, સર્વકલ્યાણકારણમાં પ્રધાન સર્વ-ધર્માણાં, જૈન જયતિ શાસનમ!પો
અર્થ :- સર્વ મંગળોમાં માંગલિક, સર્વ કલ્યાણનું કારણ (અને) સર્વ ધર્મોમાં પ્રધાન (એવું) જૈનશાસન જયવંતુ વર્તે છે. ૫
સંપદા (૨૦), ગાથા (૫), પદ (૨૦), ગુરુ (૧૯), લઘુ (૧૭૨), સર્વ વર્ણ (૧૯૧).
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૯. અરિહંત ચેઇઆણે (ચૈત્યસ્તવ)
શબ્દાર્થ અરિહંત - અરિહંતની. નિવસગ્ગવતિઆએ - ઉપસર્ગચેઈઆણું - પ્રતિમાને. રહિત સ્થાનક (મોક્ષ) પામવાવંદણવરિઆએ- વાંદવાને નિમિત્તે
નિમિત્તે. પૂઅણવરિઆએ - પૂજા કરવાને- | સદ્ધાએ - શ્રદ્ધાથી.
નિમિત્તે. | મેહાએ - નિર્મળ બુદ્ધિથી. સક્કારવરિઆએ - સત્કાર- | વિઈએ - ચિત્તની સ્થિરતાથી.
કરવાને નિમિત્તે. | ધારણાએ - ધારણાપૂર્વક. સમ્માણવરિઆએ - સન્માનને- | અણુપેહાએ- વારંવાર વિચારીને.
નિમિત્તે. | વઢમાણીએ - વધતાં પરિણામે. બોહિલાભવરિઆએ -બોધિલાભને- | કામિ - રહું છું (કરું છું).
નિમિત્તે. | કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગ. અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગ ૧
અર્થ :- અરિહંતની પ્રતિમાને (વંદનાદિ અર્થે) હું કાયોત્સર્ગ કરું છું. ૧
વંદણવત્તિએ, પૂઅણવરિઆએ, સક્કારવત્તિઓએ, સમ્માણવત્તિઓએ, બોકિલાભવત્તિઓએ, નિવસગ્નવત્તિઓએ રા.
૧ આ સૂત્ર વડે સ્થાપનાદિનની સ્તુતિ થાય છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
અર્થ - વાંદવાને નિમિત્તે, પૂજા કરવાને નિમિત્તે, સત્કારને નિમિત્તે, સન્માનને નિમિત્તે, બોધિ (સમ્યગ્દર્શન અથવા રત્નત્રયીના) લાભને નિમિત્તે, (અને) ઉપસર્ગરહિત (મોક્ષ) સ્થાન પામવા નિમિત્તે. ૨
સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપેહાએ, વઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ IIall
અર્થ - વૃદ્ધિ પામતી શ્રદ્ધાથી, નિર્મળ બુદ્ધિપૂર્વક; ચિત્તની સ્થિરતાએ, ધારણાપૂર્વક (અને) વારંવાર વિચારણાપૂર્વક, હું કાયોત્સર્ગ કરું છું. ૩. (વૃદ્ધિ પામતી એ પદ શ્રદ્ધાદિ પાંચે સાથે જોડવું)
સંપદા (૩), પદ (૧૫), ગુરુ (૧૬), લઘુ (૭૩), સર્વ વર્ણ (૮૯).
૨૦. કલ્યાણકંદં સ્તુતિ
કલ્યાણકંદ - કલ્યાણના મૂળ. | નેમિજિર્ણ - શ્રી નેમિનિને. પઢમં - પહેલા.
મુર્ણિદં - મુનિઓના ઈન્દ્રને. જિસિંદ- શ્રી જિનેન્દ્રને. પાસ - શ્રી પાર્શ્વનાથને. સંતિ - શ્રી શાન્તિનાથને. પયાસં - ત્રણ ભુવનને પ્રકાશ તઓ - તે પછી.
કરનારા. ૧. દરેક થોય જોડામાં પહેલી સ્તુતિ અમુક તીર્થકર અગર તીર્થકરોની હોય, બીજી સર્વ જિનોની, ત્રીજી જ્ઞાન અગર સિદ્ધાંતની, અને ચોથી શાસનના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણીની હોય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૮
સુગુણિક્કઠાણું - સારા ગુણના એક | દર્પ - ગર્વને,
સ્થાનરૂપ. | મયં - મતને. ભાઈ - ભક્તિથી. જિહાણ - જિનેશ્વરોના. વંદે - હું વંદન કરું છું. સરણ - આધારરૂપ. સિરિવદ્ધમાણે - શ્રી વર્ધ્વમાન
બુહાણું - તત્ત્વવેત્તાઓને.
સ્વામીને. નમામિ - હું નમું છું. અપાર - જેનો પાર નથી એવા.
નિર્ચા - હંમેશાં. સંસારસમુદ્ર - સંસાર રૂપ સમુદ્રના.
તિજગપ્પહાણે - ત્રણ જગતને પાર - પારને.
વિષે પ્રધાન.
કુંદ - ડોલરનાં ફૂલ. પત્તા - પામેલાને. સિવ - મોક્ષને.
ઈદુ - ચંદ્ર, દિકુ - આપો.
ગોખીર - ગાયનું દૂધ.
તુસાર - હિમના જેવા. સુઈક્કસાર - સર્વ પવિત્ર
વન્ના - વર્ણવાળી. વસ્તુઓને વિષે સારરૂપ.
સરોજ - સરોજ-કમળ. સબ્બે - બધા.
હત્યા - જેના હાથમાં. જિર્ષિદા - જિનેન્દ્રો.
કમલે - કમળને વિષે. સુરવિંદ - દેવતાના સમૂહથી.
નિસન્ના - બેઠેલી. વંદા - વંદાએલા.
વાએસિરી - શ્રુતદેવી. કલ્યાણવલ્લીણ - કલ્યાણરૂપ
પુત્યય - પુસ્તકનો.
વેલના. વગ્ન - સમૂહ. વિસાલમંદા-વિશાળ મૂળીયાંરૂપ. હત્યા - જેના હાથમાં છે. નિવાણમગે - મોક્ષમાર્ગને વિષે.
સુહાય - સુખને અર્થે. વરાણકપ્પ - શ્રેષ્ઠ રથ સમાન. | સા - તે. પણાસિય - નાશ કર્યો છે. અન્ડ - અમને. અસેસ - બધા.
સયા - હંમેશાં. કુવાઈ - કુવાદિઓના. પસંસ્થા - ઉત્તમ.
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૯
કલ્યાણ-કંદં પઢમં જિશિંદે, સંતિ તઓ નેમિલિ મુર્ણિદં; પાસે પયાસં સુગુણિ%ઠાણ, ભત્તીઈ વંદે સિરિવદ્ધમાણ III
અર્થ:- કલ્યાણના મૂળ શ્રી પ્રથમ જિનેન્દ્રને, શ્રી શાંતિનાથને તથા મુનિઓના ઈન્દ્ર શ્રી નેમિનિને, (ત્રણ ભુવનને) પ્રકાશ કરનારા (અને) સારા ગુણોના એક સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથને (તથા) શ્રી વર્ધમાનસ્વામીને હું ભક્તિપૂર્વક વાંદું છું. ૧
અપાર-સંસાર-સમુદ્રપાર, પત્તા સિવંદિતુ સુઈક્કસાર સલ્વે જિર્ષિદા સર-વિંદવંદા. કિલ્લાણ-વલ્લીણ વિસાલકંદારા
અર્થ નથી છેડો જેનો એવા સંસારરૂપ સમુદ્રના પારને પામેલા, (તથા) દેવતાઓના સમૂહથી વંદાયેલા, (અને) કલ્યાણરૂપ વેલના મૂળ જેવા એવા સર્વ જિનેન્દ્રો, સર્વ પવિત્ર વસ્તુઓને વિષે સારરૂપ એવું મોક્ષ (મને) આપો. ૨
નિવ્વાણમગે વરજાણકખું, પાસિયાસેસ-કુવાઈદUTU. મયં જિણાણે સરણે બુહાણે, નમામિનિ તિજગ-પ્પહાણે ફll
Page #73
--------------------------------------------------------------------------
________________
૭૦
અર્થ - મોક્ષમાર્ગને વિષે પ્રધાન રથ સમાન, (અને) સમસ્ત કુવાદિઓના અહંકારને નાશ કરનાર, તત્વ વેત્તાઓને આધારભૂત (અને) ત્રણ જગતને વિષે પ્રધાન, એવા જિનેશ્વરોના મતને હું નિરંતર નમસ્કાર કરું છું. ૩
કુંબિંદુ ગોશ્મીરકુમારવન્ના, સરોજહત્થા કમલે નિસન્ના / વાએસિરી પુત્વય-વષ્ણ-હત્યા, સુહાય સા અખ્ત સયા પત્થા //૪
અર્થ - મચકુંદનાં ફૂલ, ચંદ્રમા, ગાયનું દૂધ (અને) હિમ એ (ચાર)ના વર્ણ જેવો રંગ છે જેનો, હાથમાં કમળવાળી, કમળને વિષે બેઠેલી, પુસ્તકનો સમૂહ જેના હાથમાં છે એવી, અથવા પુસ્તકવડે ભરેલ છે હાથ જેનો એવી તથા ઉત્તમ, એવી તે શ્રુતદેવી, અમને નિરંતર સુખને અર્થે થાઓ. ૪
૨૧. સંસારદાવા સ્તુતિ
શબ્દાર્થ સંસાર - સંસારરૂપી. સંમોહ - મોહરૂપી. દાવાનલ - દાવાનળના. ધૂલી - ધૂળને. દાહ - તાપને (ઓલવવામાં). | હરણે - દૂર કરવામાં. નીર - પાણી સમાનને. | સમીર - પવન સમાનને ૧. આ સ્તુતિ શ્રી હરિભદ્રસૂરિજીએ રચી છે. તે સમસંસ્કૃત ભાષામાં છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
માયા - માયા-કપટરૂપી. પદાનિ - ચરણોને. રસા - પૃથ્વીને.
તાનિ - તે. દારણ - ખોદવામાં.
બોધાગાધ જ્ઞાનથી ગંભીર. સાર - તીક્ષ્ય.
સુપદ - સારા પદોની. સીરમ્ - હળ સમાનને. પદવી - રચનારૂપ. નમામિ - હું નમું છું. નીરપૂર - જળના પૂરવડે. વીર - શ્રી વીર ભગવાનને. અભિરામ - મનોહર. ગિરિસાર - મેરૂપર્વત જેવા. જીવાહિંસા - જીવોની અહિંસારૂપ. ધીરમ્ - ધીરને.
અવિરલ - આંતરા રહિત. ભાવ - ભાવપૂર્વક.
લહરી - તરંગોના. અવનામ- નમસ્કાર કરનારા. સંગમ - મળવાથી. સુર - દેવ.
અગાહ – અગાધ. દાનવ - દાનવ.
દેહમ્-દેહ સ્વરૂપવાળા. માનવ - મનુષ્યના.
ચૂલા - સિદ્ધાંતોની ચૂલિકારૂપ. ઈન - સ્વામીઓના.
વેલ વેલવાળા. ચૂલા - મુગટને વિષે રહેલા. ગુરુ - મોટા. વિલોલ - ચપળ એવા. ગમ - સરખા પાઠરૂપ. કમલ - કમળોની.
મણિ - રત્નોથી. આવલિ - શ્રેણીથી.
સંકુલ - ભરપૂર. માલિતાનિ -પૂજાએલા. દૂરપાર - દૂર છે કાંઠો જેનો. સંપૂરિત - સારી રીતે પૂરેલા છે. સાર - પ્રધાન. અભિનત - નમેલા, ભક્ત. વિરાગમ - વીર ભગવાનના લોક - લોકોના.
આગમરૂપ. સમીહિતાનિ - વાંછિતો જેણે જલનિધિ - સમુદ્રને. કામ - અત્યંત.
સાદર - આદર સહિત. નમામિ - હું નમસ્કાર કરું છું. | સાધુ - સારી રીતે. જિનરાજ - જિનેશ્વર ભગવંતનાં. | સેવે - હું એવું છું.
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૨
(ઈન્દ્રવજા છંદ) સંસારદાવાનલ-દાહનીર, સંમોહ-ધૂલીહરણે સમીર / માયા-રસા-દારણ-સાર-સીરં, નમામિ વિરે ગિરિસાર-ધીરમ્ II૧il.
અર્થ - સંસારરૂપી દાવાનળના તાપને ઓલવવાને પાણી સમાન, અજ્ઞાનરૂપી ધૂળને હરણ કરવાને પવન સમાન, કપટરૂપી પૃથ્વીને ખોદવાને તીક્ષ્ણ હળ સમાન અને મેરૂપર્વતની જેવા પૈર્યવાળા એવા વિરપ્રભુને હું નમસ્કાર કરું છું. ૧
(વસંતતિલકાવૃત્તમ). ભાવાવનામ-સુરદાનવમાનવેન, ચૂલાવિલોલકમલાવલિમાલિતાનિ . સંપૂરિતાભિનતલોકસમીહિતાનિ, કામનમામિ જિનરાજપદાનિ તાનિ ારા
અર્થ - ભાવપૂર્વક નમસ્કાર કર્યો છે જેણે એવા દેવ, દાનવ અને મનુષ્યના સ્વામી, તેમના મસ્તકને વિષે રહેલા મુગટ ઉપરના દેદીપ્યમાન (ચપળ) કમળોની શ્રેણીઓ વડે જે પૂજાયેલા છે. તથા સમ્યફ રીતે પૂર્ણ કર્યા છે નમસ્કાર કરનારા લોકોનાં મનોવાંછિત જેમણે એવા જિનેશ્વર ભગવાનનાં તે ચરણો પ્રત્યે હું સ્વેચ્છાએ નમસ્કાર કરું છું. ૨
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૩
(મંદાક્રાંતાવૃત્તમ) બોધાગાધ સુપદપદવીનીરપૂરાભિરામ,
જીવાહિંસાવિરલલહરીસંગમાગાહદેહમુ; ચૂલાવેલ ગુગમમણિસંકુલંદૂરપારં, સારંવિરાગમજલનિધિસાદરંસાધુસેવે.૩/
અર્થ - ગંભીર છે જ્ઞાન જેને વિષે તથા સુંદર પદોની રચનારૂપ પાણીના સમૂહે કરી મનોહર, તથા જીવોની રક્ષારૂપ આંતરારહિત તરંગોના પરસ્પર મળવા થકી અગાધ છે દેહ સ્વરૂપ જેનું, વળી સિદ્ધાંતોની ચૂલિકારૂપી વેલો છે જેને વિષે તથા મોટા એવા સરખા પાઠરૂપ રત્નોથી ભરેલો અને અત્યંત દૂર છે કાંઠો જેનો તથા પ્રધાન, એવા શ્રી વિર પરમાત્માના આગમરૂપ સમુદ્રને આદર સહિત સમ્યક પ્રકારે હું એવું છું. ૩
શબ્દાર્થ આમૂલ - મૂળ સુધી.
અમલ - નિર્મળ. આલોલ - ડોલતું.
દલ - પત્રવાળાં. ધૂલી - પરાગના-રજના. | કમલ - કમળરૂપ. બહુલ - ઘણી.
અગાર - ઘરની. પરિમલ - સુગંધને વિષે. ભૂમિ - ભૂમિમાં. આલીઢ - આસક્ત. | નિવાસે - જેનો નિવાસ છે એવી. લોલ - ચપળ.
છાયા - કાંતિના. અલિ - ભમરાઓની.
સંભાર - સમૂહથી. માલા - પંક્તિઓના.
સારે - સુશોભિત ઝંકાર - ઝંકારના.
વ૨ - પ્રધાન. આરાવસાર - શબ્દોથી શ્રેષ્ઠ. | કમલકરે - કમળ જેના હાથમાં છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૪ તાર - દેદીપ્યમાન.
| ભવવિરહવર - મોક્ષરૂપ વરદાન. હાર - હારવડે.
દેહિ- આપો. અભિરામે - મનોહર.
મે - મને. વાણી - દ્વાદશાંગીરૂપ વાણીના. | દેવિ - હે દેવિ! સંદોહદ-સમૂહરૂપ છે દેહજેનો. | સાર - પ્રધાન.
(સ્ત્રગ્ધરાવૃત્તમ) આમૂલાલોલ-ધૂલબહુલ-પરિમલાલીઢલોલાલિમાલા-ઝંકારારાવસારામલદલકમલાગારભૂમિ-નિવાસે !! છાયાસંભારસારે! વરકમલકરે ! તાર-હારાભિરામે! વાણીસંદોહદેહે! ભવવિરહ-વરે દેહિ મે દેવિ! સાર I૪ો
અર્થ:- મૂળ સુધી ડોલતું તથા પરાગની (સુગંધી કણીઆઓની) અત્યંત સુગંધને વિષે આસક્ત એવા ચપળ ભમરાઓની શ્રેણીના ગુંજારવના શબ્દોએ કરીને શોભતું, નિર્મળ પાંદડાંવાળું એવું જે કમળ તેની ઉપર ભવનના મધ્યભાગની ભૂમિને વિષે નિવાસ છે જેનો એવી; તથા કાન્તિના સમુહવડે સુશોભિત એવી, તથા સુંદર કમળ છે જેના હાથને વિષે એવી, તથા દેદીપ્યમાન હારે કરી મનોહર એવી, દ્વાદશાંગીરૂપ વાણીના સમૂહરૂપી શરીર છે જેનું એવી; હે મૃતદેવી! મને પ્રધાન મોક્ષરૂપી વરદાન આપો. ૪. ગાથા (૪), પદ (૧૬), સંપદા (૧૬), સર્વ વર્ણ (૨પ૨).
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૫
૨૨. પુખરવરદી (શ્રુતસ્તવ) સૂત્ર
શબ્દાર્થ
પુખરવર - પુષ્કરવર નામના. | વંદે - હું વંદના કરું છું. દિવઢે - અર્ધ દ્વીપમાં. પફોડિય - તોડી નાખી છે. ધાયઈસંડે - ધાતકીખંડને વિષે. | મોહજાળસ્સ - મોહજાળ જેણે. જંબૂદીવે - જંબૂદીપની અંદર. | | જાઈ - જન્મ. ભરત - ભરતક્ષેત્રને વિષે. | જરા - વૃદ્ધાવસ્થા. એરવય-ઐરાવતક્ષેત્રને વિષે. | મરણ - મૃત્યુ. વિદેહે - મહાવિદેહક્ષેત્રને વિષે. | સોગ - શોકને. ધમ્માઈગરે - ધર્મની આદિ | પણાસણમ્સ - નાશ કરનારને.
કરનારાને. | કલ્યાણ - કલ્યાણ. નમંસામિ- હું નમસ્કાર કરું છું. | પુફખલ - સંપૂર્ણ. તમ - અજ્ઞાનરૂપી.
વિસાલ - વિશાળ. તિમિર - અંધકારના. સુહાવહસ્સ - મોક્ષ સુખના પડલ - સમૂહનો.
આપનારા. વિદ્ધસણ - નાશ કરનારને. | કો - કોણ. સુરગણ - દેવતાના સમૂહ. દેવ - દેવતા. નર - મનુષ્યોના.
| દાણવ - દાનવ. ઈદ - ઇન્દ્રોએ.
નર - મનુષ્યો. મહિસ્સ - પૂજેલાને. ઈદ - ઇન્દ્રોના. સીમાધરસ્સ - મર્યાદામાં ગણ - સમૂહે.
રાખનારને. | અશ્ચિઅસ્સ - પૂજેલા.
૧. આ સૂત્ર વડે સિદ્ધાંતની સ્તુતિ કરી છે તેથી શ્રુતસ્તવ નામ રાખવામાં આવેલું છે. આ સૂત્રની પહેલી ગાથા વડે ભાવ અરિહંતની સ્તુતિ કરી છે અને પાછળની ત્રણ ગાથા વડે શ્રતની સ્તુતિ કરી છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
ધમ્મસ - શ્રુતધર્મના. સારું - સારને.
ઉવલબ્મ - પ્રાપ્ત કરીને. કરે - કરે.
પમાય - પ્રમાદ.
સિદ્ધે - સિદ્ધ એવા.
ભો - હે જ્ઞાનવંત લોકો !
પયઓ - આદર સહિત.
ણમો - હું નમસ્કાર કરું છું. જિણમએ
-
નંદી - વૃદ્ધિ થાઓ, સયા - હંમેશાં.
સંજમે - ચારિત્રધર્મને વિષે. દેવ - વૈમાનિક દેવ.
૭૬
નાગ - ભવનપતિ દેવ.
સુવન્ન - જ્યોતિષી દેવ.
કિન્નર - વ્યંતર દેવતાના.
ગણ - સમૂહથી.
સબૂઅભાવ - સત્યભાવે
અચ્ચિએ - પૂજાએલો. લોગો - સર્વ લોકનું જ્ઞાન.
જત્થ - જેમાં.
મચ્છુ - મનુષ્ય.
શ્રી જિનમત | અસુર - ભવનપતિ. (સિદ્ધાંત)ને. | ધમ્મો - શ્રુતધર્મ. મંગલકારી. | વઢઉ - વૃદ્ધિ પામો.
પઈદ્ઘિઓ - રહેલ છે. જગમિણું - આ જગત. તેલુક્સ - ત્રણ લોક.
કરીને.
સાસઓ - શાશ્વતો. વિજયઓ - વિશેષ જયપૂર્વક. ધમ્મુત્તર - દેશવિરતિ,
સર્વવિરતિ આદિ બીજા ધર્મ.
વઢઉ - વૃદ્ધિ પામો.
સુઅસ - સિદ્ધાંતને આરાધવા. ભગવઓ - પવિત્ર.
પુક્ષ્મરવરદીવડ્યે, ધાયઈસંડે અ જંબૂદીવે અ ॥ ભરહે૨વયવિદેહે, ધમ્માઈગરે નમંસામિ ॥૧॥
અર્થ :- પુષ્કરવર નામના દ્વીપના અર્ધ ભાગમાં, ધાતકી ખંડમાં તથા જંબુદ્વીપમાં આવેલા પાંચ ભરત, પાંચ ઐરવત અને
Page #80
--------------------------------------------------------------------------
________________
પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે ધર્મની આદિના કરનારને હું નમસ્કાર કરું છું. ૧ તમતિમિરપડલવિદ્ધ-સણમ્સ, સુરગણનરિંદમહિઅસ્સ; સીમાધરસ્સવંદે, પફોડિઅ-મોહજાળસ્સારા
અર્થ - અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર તથા દેવતાના સમૂહ અને મનુષ્યના ઇન્દ્રોથી પૂજિત, વળી (આત્મા)ને મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (સિદ્ધાંતને) હું વાંદું છું. ૨
(વસંતતિલકા) જાઈજરામરણસોગપણાસણમ્સ, કલ્યાણપુખલવિસાલસુહાવહસ્સ // કો દેવદાણવનજિંદગણચ્ચિઅસ્સ, ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાય? Ill
અર્થ - જન્મ, જરા, મૃત્યુ અને શોકનો અતિશયે કરીને નાશ કરનાર, કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ એવા મોક્ષના સુખને આપનાર, દેવ, દાનવ અને મનુષ્યના ઇન્દ્રોના સમૂહથી પૂજિત, એવા કૃતધર્મનો સાર પામીને કોણ પ્રમાદ કરે? ૩
(શાર્દૂલવિક્રીડિતમ વૃત્ત) સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ,
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૮ નંદી સયા સંજમે, દેવનાગસુવન્નકિન્નરગણ, સબ્યુઅ-ભાવચ્ચિએ, લોગોજલ્થ પઈઠ્ઠિઓ જગમિણે, તેલુક્કમચ્ચાસુર, ધમો વઢઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઢઉ. ૪
સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઆએ.//
અર્થ - હે જ્ઞાનવંત લોકો! (સર્વનય પ્રમાણથી) સિદ્ધ એવા જિનમત (સિદ્ધાંત)ને આદર સહિત નમસ્કાર કરો. તે (જિનમત) ચારિત્રધર્મને વિષે નિરંતર મંગલકારી છે, વૈમાનિક દેવો. ભવનપતિ દેવો. જ્યોતિષી દેવો અને વ્યંતર દેવોના સમૂહથી સત્ય ભાવે કરીને પૂજાએલો છે. વળી જે જિનમતને વિષે લોકનું તથા ત્રણ લોક સંબંધી મનુષ્ય, ભવનપતિ પ્રમુખ સર્વ દેવતા અને ઉપલક્ષણથી તિર્યંચ અને નારકી એ સર્વ લોકનું જ્ઞાન જેમાં પ્રતિષ્ઠિત છે, એવો શાશ્વત સિદ્ધાંતરૂપ શ્રુતધર્મ વિજયપૂર્વક વૃદ્ધિ પામો!તે શ્રતધર્મદેશવિરતિ-સર્વવિરતિ આદિ ધર્મની વૃદ્ધિ કરો! ૪. હે ભગવંત! પવિત્ર શ્રુતધર્મને આરાધવા હું કાઉસ્સગ્ન કરું છું.
પદ (૧૬), સંપદા (૧૬), ગાથા (૪), ગુરુ (૩૪), લઘુ (૧૮૨), સર્વ વર્ણ (૨૧૬).
Page #82
--------------------------------------------------------------------------
________________
એવા.
૭૯ ૨૩. સિદ્ધાણંબુદ્ધાણં (સિદ્ધસ્તવ) સૂત્ર
શબ્દાર્થ સિદ્ધાણં - સિદ્ધોને.
મહિએ - પૂજેલા. બુદ્ધાણં - બુદ્ધોને.
સિરસા - મસ્તકવડે. પારગયાણ સંસારસમુદ્રનો પાર | વંદે - હું વંદના કરું છું.
પામેલાને. મહાવીર - મહાવીર સ્વામીને. પરંપરગથાણું - ગુણસ્થાનકના ઈકોવિ - એક પણ. ક્રમે ચડી મોશે પહોંચેલાને. ] નમુક્કારો - નમસ્કાર. લોઅષ્ણ - લોકના અગ્રભાગને. જિણવર - જિનવરમાં. ઉવયાણ પામેલાને. વસહસ્સ - વૃષભ સમાન શ્રેષ્ઠ નમો નમસ્કાર કરું છું. સયા - હંમેશાં.
વદ્ધમાણસ - વર્તમાન સ્વામીને. સવસિદ્ધાણં - સર્વ સિદ્ધો. સંસાર - સંસારરૂપ. જો - જે.
સાગરાઓ - સમુદ્રથી. દેવાણ વિ - દેવોના પણ. તારઈ - તારે છે. દેવો - દેવ છે.
નર - પુરુષને. જે - જેને.
નારિ વા- અથવા સ્ત્રીને. દેવા - દેવતાઓ.
ઉજિંજ્જતસેલ - ગિરનાર પર્વતના. પંજલી - બે હાથ જોડીને. સિહરે - શિખર ઉપર. નમસંતિ - નમસ્કાર કરે છે. દિકખા - દીક્ષા કલ્યાણક. ત - તે.
નાણું - કેવલજ્ઞાન કલ્યાણક. દેવદેવ - દેવના દેવ-ઇન્દ્રોએ. | નિસીરિઆ - મોક્ષ કલ્યાણક.
૧. આ સૂત્રવડે સિદ્ધ ભગવંતોની સ્તુતિ કરેલ છે. તેથી સિદ્ધસ્તવ. પહેલી ગાથા વડે સકલ સિદ્ધોને. બીજી અને ત્રીજી ગાથા વડે તીર્થાધિપતિ શાસનનાયક વીરજિનને. ચોથી ગાથા વડે ગિરનાર પર્વત ઉપર રહેલા નેમિનાથને અને પાંચમી ગાથા વડે અષ્ટાપદ પર્વત ઉપર રહેલ ચોવીશ તીર્થકરોને સ્તવ્યા છે. તથા એ ગાથા વડે જુદી જુદી રીતે વંદના કરેલ છે, તે જાણવાની ઈચ્છાવાળાએ ચૈત્યવંદન ભાષ્યનો અર્થ જોવો.
Page #83
--------------------------------------------------------------------------
________________
૮૦
જન્સ - જેનાં થયાં છે. | વંદિયા - વંદાએલા છે. ત - તે.
જિણવરા - જિનવરો. ધમ્મચક્રવટ્ટિ - ધર્મના ચક્રવર્તી | ચઉવ્વીસ - ચોવીશ.
એવા. | પરમઠ-પરમાર્થથી. અરિટ્ટનેમિં - અરિષ્ટનેમિને. | નિષ્ઠિઅટ્ટા - કૃતાર્થ થયેલા. નમંસામિ - હું નમસ્કાર કરું છું. | સિદ્ધા - સિદ્ધ થયા છે. ચત્તારિ - ચાર.
| સિદ્ધિ - સિદ્ધિને. અઠ - આઠ.
મમ - મને. દસ - દશ.
દિસંતુ- આપો. દો - બે.
સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણ પરંપરગયાણી લોઅગ્નમુવગયાણ, નમો સયા સવ્યસિદ્ધાણં ૧.
અર્થ - સિદ્ધને, બુદ્ધને, સંસારસમુદ્રનો પાર પામેલાને, ગુણસ્થાનકના ક્રમે ચડી મોક્ષે પહોંચેલાને, લોકના અગ્રભાગને પામેલાને, એવા સર્વ સિદ્ધોને હું હંમેશાં નમસ્કાર કરું છું. ૧
જો દેવાવિ દેવો, જં દેવા પંજલી નમસંતિ // તં દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીરં રા
અર્થ - જે દેવોના પણ દેવ છે, જેને દેવતાઓ હાથ જોડીને નમસ્કાર કરે છે, વળી દેવોના દેવ (ઇન્દ્ર)થી જે પૂજાયેલા છે, તે મહાવીર સ્વામીને મસ્તકે કરીને વાંદું છું. ૨ ૧. ચતુર્થીસ્થાને ષષ્ઠી પ્રાકૃતતા -
Page #84
--------------------------------------------------------------------------
________________
૮૧
ઈક્કોવિનમુક્કારો, જિણવરવસહસ્સ વજ્રમાણમ્સ ॥ સંસારસાગરાઓ, તારેઈ નર વ નારિ વા ગા
અર્થ :- જિનવરમાં વૃષભ સમાન (શ્રેષ્ઠ) એવા વર્ધમાન સ્વામીને (કરેલો) એક પણ નમસ્કાર પુરુષ, કે સ્ત્રી (કે કૃત્રિમ નપુંસક)ને સંસારસમુદ્રથી તારે છે. ૩ ઉજ્જિતસેલસિહરે, દિક્ષા નાણું નિસીહિઆ જસ્સ ! તેં ધમ્મચક્કવષ્ટિ અરિટનેમિ નમંસામિ ॥૪॥
અર્થ :- ગિરનાર પર્વતના શિખર ઉપર જેમનાં દીક્ષા, જ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયાં છે, તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. ૪ ચત્તારિઅટ્ઠદસ દોય, વંદિયા જિણવરા ચલ્વિસં॥ પરમટ્ટનિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ॥૫॥
અર્થ :- ચાર, આઠ, દસ અને બે એવા જે (ઇન્દ્રાદિથી) વંદાયેલા વળી પરમાર્થથી કૃતકૃત્ય થયેલા અને સિદ્ધ થયેલા ચોવીશ જિનવરો મને મોક્ષ આપો. ૫
પદ (૨૦), સંપદા (૨૦), ગાથા (૫), ગુરુ (૨૫), લઘુ (૧૫૧), સર્વવર્ણ (૧૭૬).
હોટ વટ વ
૬
Page #85
--------------------------------------------------------------------------
________________
૨૪. વેયાવચ્ચગરાણે સૂત્ર
શબ્દાર્થ વેયાવચ્ચ - વૈયાવચ્ચના. | સમ્મદિઢિ- સમષ્ટિ જીવોને ગરાણું - કરનાર.
(દેવોને આશ્રયીને). સંતિગરાણું - શાન્તિના કરનાર. | સમાહિગરાણ- સમાધિના કરનાર.
વેયાવચ્ચગરાણ, સંતિગરાણે, સમ્મદિક્રિસમાહિગરાણ | કરેમિ કાઉસ્સગ્ગ | અન્નત્થ0ો.
અર્થ:- શ્રી જિનશાસનની વૈયાવચ્ચના કરનાર, શાન્તિના કરનાર અને સમ્યગુદૃષ્ટિ જીવોને સમાધિના કરનાર દેવોને આશ્રયીને; હું કાઉસ્સગ્ન કરું છું.
૨૫. ભગવાનાદિ વંદન. "ભગવાહ, આચાર્યઉં, ઉપાધ્યાયાં, સર્વસાધુહં.
અર્થ - ભગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને, (અને) સર્વ સાધુઓને નમું છું.
૧. અહીં સર્વત્ર હં મુકેલ છે તે ષષ્ઠી વિભક્તિનો નિપાત છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૮૩ ૨૬. દેવસિઅ પડિક્કમણે ઠાઉં સૂત્ર
શબ્દાર્થ સવસ્સવ - સર્વ પણ. | દુર્ભાસિય - દુષ્ટ ભાષણ દેવસિસ દિવસ સંબંધી.
કરવાથી. દુઐિતિએ - દુષ્ટ ચિતવન દુચ્ચિક્રિ - દુષ્ટચેષ્ટારૂપ કરવાથી.
પ્રવૃત્તિ કરવાથી. સવ્યસ્તવિ, દેવસિઅ, દુઐિતિએ, દુષ્માસિઅ, દુચ્ચિટ્રિઅ, મિચ્છા મિ દુક્કડ,
અર્થ - સર્વે પણ દિવસ સંબંધિ અતિચાર, દુષ્ટ ચિંતવન કરવા થકી, દુષ્ટ ભાષણ કરવા થકી, દુષ્ટ ચેષ્ટારૂપ પ્રવૃત્તિ કરવા થકી લાગ્યા હોય, તે મારું પાપ મિથ્યા થાઓ.
ર૭. ઈચ્છામિ ઠામિ સૂત્ર
શબ્દાર્થ ઈચ્છામિ - ઈચ્છું છું. ઉમ્મો - ઉન્માર્ગને સેવવાથી. ઠામિ - કરું છું.
અકપ્પો - અકલપ્યપણાથી ઉત્પન્ન જો - જે.
થયેલ. દેવસિઓ - દિવસ સંબંધી.
અકરણિો - નહિ કરવા યોગ્ય આઈઆરો - અતિચાર.
કરવાથી. કઓ - કર્યો હોય. કાઈઓ - કાયા સંબંધી.
દુક્ઝાઓ - દુર્ગાન ધ્યાવવાથી. વાઈઓ - વચન સંબંધી.
દુવિચિંતિઓ - દુષ્ટ ચિંતન માણસિઓ - મન સંબંધી.
કરવાથી. ઉસો-જિનાગમવિદ્ધબોલવાથી. | અણાયારો - અનાચારથી.
Page #87
--------------------------------------------------------------------------
________________
વ્રતરૂપ.
८४ અણિચ્છિઅલ્વો - જે ઈચ્છવા | અણુવ્રયાણ - અણુવ્રત મધ્યેથી.
યોગ્ય નથી તેથી. | તિહં - ત્રણ. અસાવગપાઉગો - શ્રાવકને જે | ગુણવયાણું - ગુણવ્રત મધ્યેથી.
ઉચિત નથી તે કરવાથી. | ચણિયું - ચાર. નાણે - જ્ઞાનને વિષે.
સિફખાવયાણું - શિક્ષાવ્રત દંસણે - દર્શનને વિષે.
મધ્યેથી. ચરિત્તાચરિત્ત - દેશવિરતિરૂપ | બારસવિહસ્સ - બાર પ્રકારના
શ્રાવક ધર્મને વિષે. સુએ - શ્રત સિદ્ધાંતને વિષે. સાવગધમ્મસ્સ - શ્રાવકધર્મ સામાઈએ - સામાયિકને વિષે.
માંહેથી. તિહં - ત્રણ. ગુત્તીર્ણ - ગુણિને વિષે. ખંડિઅં- દેશથકી ભાંગ્યું હોય. ચકહે - ચાર.
| જે. જે. કસાયાણું - કષાયે કરી. વિરાહિએ - સર્વ થકી વિરાધ્યું પંચણહે - પાંચ.
હોય. ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. અર્થ - હું ઈચ્છું છું, કાઉસ્સગ્ન કરું છું.
જો મે દેવસિઓ, અઈઆરો કઓ કાઈઓ, વાઈઓ, માણસિઓ.
અર્થ:- જે મેં દિવસ સંબંધી અતિચાર કર્યો હોય, જેમ કે કાયા સંબંધી, વચન સંબંધી, મન સંબંધી. ઉસુત્તો,ઉમ્મગ્ગો,અકથ્થો,અકરણિજ્જો, દુઝાઓ, દુવિચિંતિઓ, અણીયારો,
Page #88
--------------------------------------------------------------------------
________________
૮૫
અર્થ - જિનાગમથી વિરુદ્ધ બોલવાથી, ઉન્માર્ગને સેવવાથી, અકથ્યપણાથી ઉત્પન્ન થયેલ, જે અકરણીય-નહિ કરવા યોગ્ય તે કરવે કરીને.
(ઉપરના અતિચાર કાયા અને વચન સંબંધીના કહ્યા હવે મન સંબંધી અતિચારનું સ્વરૂપ કહે છે.)
દુર્ગાને ધ્યાવવાથી (અને તેથી જ) દુષ્ટચિંતવન કરવા વડે કરીને, અનાચાર (જેથી વ્રતાદિકનો સર્વથા ભંગ થાય) તેથી, જે ઈચ્છવા યોગ્ય નથી અને શ્રાવકને ઉચિત નથી; તેવું અનુચિત કરવાથી થયેલા અતિચાર.
શાને વિષે લગાડ્યા હોય તે કહે છે. નાણે, દંસણ, ચરિત્તાચરિતે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ.
અર્થ - જ્ઞાનને વિષે, દર્શનને વિષે, દેશવિરતિરૂપ શ્રાવકધર્મને વિષે, શ્રુત-સિદ્ધાંતને વિષે, સામયિકને વિષે, ત્રણ ગુમિને વિષે. ચઉહ કસાયાણ, પંચતં-મણુવ્રયાણું, તિણાં ગુણવયાણ, ચઉહ સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જંખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ
૧. આ સૂત્રવડે દિવસ સંબંધી મન-વચન-કાયા વડે શ્રાવક ધર્મને વિષે કરેલા પાપની આલોચના થાય છે, માટે બોલતી વખતે ઉપયોગ રાખીને પોતે આખા દિવસમાં જે જે પાપાચરણ સેવ્યાં હોય તે તે યાદ લાવીને શુદ્ધ અંત:કરણથી પશ્ચાત્તાપ કરવો.
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૬
અર્થ - ચાર કષાયે કરી, પાંચ અણુવ્રત મધ્યેથી, ત્રણ ગુણવ્રત મધ્યેથી અને ચાર શિક્ષાવ્રત મધ્યેથી (અર્થાત) બાર પ્રકારના વ્રત રૂપ જે શ્રાવકધર્મ તે માંહેથી જે દેશ થકી ખંડ્યું હોય તથા જે સર્વ થકી વિરાધ્યું હોય, તે મારું પાપ નિષ્ફળ થાઓ.
ગુરુ (૨૯), લઘુ (૧૩૮), સર્વવર્ણ (૧૯૭).
૨૮. અતિચારની (પંચાચારની) આઠગાથા
શબ્દાર્થ નારંમિ - જ્ઞાનને વિષે. | બહુમાણે - જ્ઞાની ઉપર અંતરંગ દંસણમિ - દર્શનને વિષે. પ્રેમ કરવો તે બહુમાન આચાર. ચરસંમિ - ચારિત્રને વિષે. ઉવહાણે - સૂત્રો ભણવાને તપ તવંમિ - તપને વિષે. વિશેષ કરવો તે ઉપધાન આચાર. તહ ય - તેમજ.
તહ - તથા. વરિયંમિ - વીર્યને વિષે | અનિણહવણે - ભણાવનાર ગુરુનેઆયરણે - જે આચરણ.
ન ઓળવવા તે અનિવણ આયારો - તે આચાર કહેવાય છે.
આચાર. ઈઅ - એવી રીતે.
| વંજણ - સૂત્રના અક્ષરનો શુદ્ધએસો - એ આચાર.
ઉચ્ચાર કરવો તે વ્યંજનાચાર. પંચહા - પાંચ પ્રકારનો. અર્થી - સૂત્રનો અર્થ બરાબરભણિઓ - કહેલો છે.
કરવો તે અર્થ આચાર. કાલે-જેકાળે ભણવાની આજ્ઞા હોય- તદુભએ - સૂત્ર, અર્થ બંને શુદ્ધ
તે કાળે ભણવું, તે કાળ આચાર. | ભણવાં તે તદુભય આચાર. વિણએ જ્ઞાનીનો વિનય કરવો- ] અટ્ટવિહો - આઠ પ્રકારનો.
તે વિનય આચાર. | નાણમાયારો- જ્ઞાનાચાર કહેલ છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૭.
નિસ્સકિઅ - વીતરાગના | અષ્ટવિહો - આઠ પ્રકારનો.
વચનમાં શંકા ન કરવી. | હોઈ છે. નિક્કખિઅ - જિનમત વિના | નાયબ્યો - જાણવા યોગ્ય.
અન્ય મતની ઈચ્છા ન કરવી. | બારસવિલંમિ - બાર પ્રકારના. નિત્રિતિગિચ્છા-દુર્ગછા ન કરવી. | તવે-તપને વિષે. અમૂઢદિટ્ટી - મિથ્યાત્વીના | સર્ભિતર - છ પ્રકારે અત્યંતર.
ચમત્કાર દેખી તેનાથી | બાહિરે - છ પ્રકારે બાહ્ય. વ્યામોહિત ન થવું. |
કુસલદિકે - કુશળ પુરુષ ઉવવૂહ - સમકિતધારીના અલ્પ
તીર્થકરોએ ઉપદેશેલા. ગુણની પણ પ્રશંસા કરવી.
અગિલાઈ - દુર્ગછા ભાવ રહિત. થિરીકરણે - જિનધર્મ પામેલાને
અણાજીવી - આજીવિકા તેમાં સ્થિર કરવા.
દોષરહિત. વચ્છલ - સાધર્મિકનું વાત્સલ્ય
નાયબ્યો - જાણવો. કરવું.
સો - તે. પભાવણે - જૈનશાસનની
તવાયારો - તપ આચાર પ્રભાવના કરવી.
અણસણ - ચાર પ્રકારના અટ્ટ - આ આઠ લક્ષણો દર્શનાચારનાં છે.
આહારનો ત્યાગ તે અણસણ. પણિહાણ જોગ - સાવધાનપણે
ઊણો અરિયા - પાંચ સાત મન-વચન-કાયાના યોગથી.
કોળીયા ઓછા ખાવા અથવા જુરો - યુક્ત એવો.
ઓછાં વસ્ત્ર-પાકા રાખવાં તે પંચહિં - પાંચ.
ઊણોદરી. સમિઈહિ- સમિતિવડે.
વિત્તીસંખેવણું - દ્રવ્ય વગેરેનો તીહિં - ત્રણ.
સંક્ષેપ કરવો તે વૃત્તિસંક્ષેપ. ગુત્તીહિ. ગુપ્તિવડે.
રસચ્ચાઓ - વિગઈ પ્રમુખ એસ - એ.
રસનો થોડો વા અધિક ત્યાગ તે ચરિત્તાયારો - ચારિત્રાચાર.
૨સત્યાગ.
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૮
કાયકિયે સો - કાયાને કષ્ટ | સઝાઓ - વાચના, પૃચ્છના આપવા લોચ કરાવવો તે | પ્રમુખ પાંચ પ્રકારથી અભ્યાસ
કાયફલેશ. | કરવો તે સ્વાધ્યાય તપ. સંલણયા - વિષયાદિકની | ઝાણું - આર્ત તથા રૌદ્ર ધ્યાન ઉદીકરણા કરવી નહિ. તેમજ | નિવારી ધર્મ તથા શુકુલ ધ્યાનમાં આગોપાંગ સંકોચી રાખવાં તે
પ્રવર્તવું તે ધ્યાન. સંલીનતા. | ઉસ્સગ્ગો - કર્મ ક્ષય અર્થે કાયાને બજઝો - બાહ્ય.
વોસિરાવવી તે કાયોત્સર્ગ તપ. તવો - તા.
| વિઅ - નિશે. હોઈ છે.
અભિતર - અભ્યતર. પાયચ્છિત્ત - લાગેલા દોષોનો | તવો - તપ. ગુરુ પાસે પ્રકાશ કરી તેના | અણિમૂહિબ - પ્રગટ છે. નિવારણને અર્થે ગુરુ જે
છુપાવ્યું નથી). આલોયણ આપે તે કરવું તે | બલવરિઓ - બળ-વીર્ય જેનું.
પ્રાયશ્ચિત્ત તપ. | પરક્કમઈ – પરાક્રમ કરે છે. વિણઓ - જ્ઞાન તથા જ્ઞાનીનો | જો - જે.
વિનય કરવો તે વિનય તપ. | જહુતમ્ - તીર્થકર દેવે જેમ કહ્યું વેયાવચ્ચ - ગુરુ પ્રમુખની
છે તેમ. આહાર વિગેરેથી ભક્તિ કરવી | આઉત્તો - સાવધાન થઈને.
તે વૈયાવચ્ચ તપ. | જંજઈ - પ્રવર્તે. તહેવ - તેમજ.
જહાથામ - પોતાની શક્તિને અનુસારે.
| વરિઆયારો - વિર્યાચાર. નાણૂમિ દંસણૂમિ અ ચરસંમિ તવંમિ તહ ય વીરિયંમિ આયરણે આયારો, ઈઅએસોપંચહાભણિઓ ૧
Page #92
--------------------------------------------------------------------------
________________
[૮૯
અર્થ - જ્ઞાનને વિષે, દર્શનને વિષે, ચારિત્રને વિષે, તપને વિષે તેમજ વીર્યને વિષે જે આચરણ તે આચાર કહેવાય; એ પાંચ પ્રકારે આચાર આ પ્રમાણે કહ્યો છે. ૧
કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્યવણે તે વંજણ-અત્ય-તદુભએ, અટ્ટવિહો નાણમાયારો રાગ
અર્થ:- જે કાળે જે ભણવાની આજ્ઞા હોય તે કાળે તે ભણવું તે કાળ આચાર, જ્ઞાનીનો વિનય, વંદન પ્રમુખ સાચવવાં તે વિનય આચાર; જ્ઞાની ઉપર અંતરંગ પ્રેમ તે બહુમાન; સૂત્રો ભણવા તપ વિશેષ કરવો તે ઉપધાન; તેમજ ભણાવનાર ગુરૂને ન ઓળવવા તે અનિહવણ; સૂત્ર-અક્ષરનો શુદ્ધ ઉચ્ચાર કરવો તે વ્યંજન, સાચો અર્થ કરવો તે અર્થ, તથા બંને શુદ્ધ ભણવાં તે તદુભય, એ આઠ પ્રકારે જ્ઞાનાચાર કહ્યો છે. ૨
નિસૅકિઅ નિક્કખિચ, નિવિતિગિચ્છા અમૂઢદિટ્ટી આ ઉવવૂહથિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટ્ટ II
અર્થ - વીતરાગના વચનમાં શંકા ન કરવી તે નિઃશંકિત, જિનમત વિના અન્યમતની ઈચ્છા ન કરવી તે નિઃકાંક્ષિત, સાધુસાધ્વીના મલિન વસ્ત્ર, ગાત્ર દેખી દુર્ગછા ન કરવી તે નિર્વિતિગિચ્છા; મિથ્યાત્વના કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી તેનાથી ૧. સપ્તમસ્થાન દ્વિતીયા.
Page #93
--------------------------------------------------------------------------
________________
02
વ્યામોહિત ન થવું તે અમૂઢદૃષ્ટિ, સમકિતધારીના અલ્પગુણની પણ શુદ્ધ મનથી પ્રશંસા કરવી તે ઉપભ્રંહણ, યોગ્ય જીવોને જિનધર્મમાં જોડવા તથા તે પામેલાને સ્થિર કરવા તે સ્થિરીકરણ; સાધર્મીકબંધનું અનેક પ્રકારે હિત ચિંતવન તે વાત્સલ્ય, અને અન્યદર્શનીઓ પણ જૈનશાસનની અનુમોદના કરે તેવાં કાર્ય કરવાં તે પ્રભાવના; આ આઠ લક્ષણો દર્શનાચારનાં જાણવાં. ૩
પણિહાણજોગજુત્તો, પંચહિં સમિઇહિં, તીહિં ગુત્તીહિં | એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઈ નાયવ્યો॥૪॥
અર્થ :- પ્રણિધાન યોગ અર્થાત્ એકાગ્ર-સાવધાનપણે કરી મન, વચન, કાયાના સર્વ યોગ ચારિત્ર પાળવાને વિષે યુક્ત એવો ચારિત્રાચાર તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ કરી આઠ પ્રકારનો છે એમ જાણવો. ૪
બારસવિહંમિવિતવે, સબ્મિતર-બાહિરે કુસલદિઢે । અગિલાઈ અણાજીવી, નાયવ્યો સો તવાયારો ॥૫॥
અર્થ :- બાર પ્રકારના તપને વિષે પણ તે તપ આચાર (નિશ્ર્ચયથી) જાણવો. તે તપ આચાર દુર્ગંછાભાવ રહિતપણે તથા હું તપ કરું તો મારી આજીવિકા ચાલે એવા દોષ રહિત (તે બાર પ્રકારનો તપ,) છ અત્યંતર અને છ બાહ્ય એમ બાર પ્રકારથી તીર્થંકરોએ ઉપદેશ્યો છે. ૫
Page #94
--------------------------------------------------------------------------
________________
અણસણમૂણોઅરિઆ, વિત્તીસંખેવર્ણ રસચ્ચાઓ | કાયકિયેસો સંલણયા ય બન્ઝો તવો હોઈ દો.
અર્થ - ચાર પ્રકારના આહારનો અલ્પ વા બહુ કાળ સુધી ત્યાગ તે અનશન. વસ્ત્ર-પાત્ર ઓછાં રાખવાં વા પાંચ સાત કોળીયા ઓછા જમવાતે ઊણોદરી. દ્રવ્યાદિનો સંક્ષેપતે વૃત્તિસંક્ષેપ.વિગઈ પ્રમુખ રસનો (રસલોલુપતાનો) થોડો વા અધિક ત્યાગ તે રસત્યાગ. કાયાને કષ્ટ પ્રમુખ આપવા-લોચ કરાવવા ઈત્યાદિ તે કાયફલેશ, વિષયાદિ ઉદીરવા નહિં તેમ જ અંગોપાંગ સંકોચી રાખવાં તે સંલીનતા. એ છ પ્રકારે બાહ્ય તપ છે. ૬
પાયચ્છિત્ત વિણઓ, વેયાવચ્ચે તહેવ સઝાઓ / ઝાણું ઉસ્સગ્ગો વિ અ, અભિતર તવો હોઈ છા
અર્થ - લાગેલા દોષનો ગુરુ પાસે પ્રકાશ કરી તેના નિવારણાર્થે ગુરુ જે આલોયણ આપે તે કરવી તે પ્રાયશ્ચિત્ત, જ્ઞાન તથા જ્ઞાનીનો વિનય કરવો તે વિનય તપ; ગુરુ પ્રમુખની આહારાદિકથી ભક્તિ કરવી તે વૈયાવચ્ચ; તેમજ વાચના, પૃચ્છના પ્રમુખ પાંચ પ્રકારથી અભ્યાસ કરવો, તે સ્વાધ્યાય; આર્ત તથા રૌદ્ર ધ્યાન નિવારી, ધર્મ અને શુકુલધ્યાનમાં પ્રવર્તવું તે ધ્યાન, કર્મક્ષય અર્થે કાયાને વોસિરાવવી તે કાયોત્સર્ગ, નિશ્ચયથી એ છ પ્રકારે અત્યંતર તપ છે. ૭
Page #95
--------------------------------------------------------------------------
________________
૯૨ અણિમૂહિઅબલવીચિઓ, પરક્કમઈ જો જદુત્તમાઉત્તો જુંજઈ અ જહાથામ, નાયબ્યો વરિઆયારો પાટા
અર્થ - પ્રકટ છે (નથી છુપાવેલું) બળ-વીર્ય જેનું, વળી જે શ્રી તીર્થકર દેવે જેમ કહ્યું છે તેમ પરાક્રમ કરે છે, અર્થાત્ સર્વ પ્રકારથી ધર્મને વિશે ઉદ્યમ કરે, વળી સાવધાનપણે પોતાની શક્તિને અનુસાર ધર્મકાર્યને વિષે પ્રવર્તે, તે વીર્યાચાર જાણવો.'
૨૯. સુગુરુવાંદણા*
શબ્દાર્થ અણુજાણહ - મને આજ્ઞા આપો. | અહોકાયં- અધઃકાયરૂપ આપના મિઉગ્રહ-મિત અવગ્રહ (સાડા
પગોને. ત્રણ હાથ પ્રમાણવાળા ક્ષેત્રોમાં | કાયસંફાસ - શરીરે કરીને સ્પર્શ
પ્રવેશ કરવાને. | કરવાને આજ્ઞા આપો. નિસીહિ - ગુરુવંદન સિવાય | ખમણિજ્જો - ખમજો. બીજો વ્યાપાર જેણે નિષેધ્યો છે. | ભે - હે ભગવંત! (તમોને).
એવો શિષ્ય. | ૧. આ સૂત્રમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારની આચરણાના ભેદ જણાવ્યા છે. તે આચરણામાં જે ખુલના-પ્રમાદ તે અતિચાર જાણવા. જેટલી આચરણા તેટલા જ તેના અતિચાર હોય તેથી આચારની ગાથાને અતિચાર ગાથા પણ કહી છે.
* આ સૂત્ર વડે આચાર્ય, ઉપાધ્યાય,પ્રવર્તક, વીર અને રત્નાધિક
Page #96
--------------------------------------------------------------------------
________________
૯૩ કિલામ - કાંઈ ખેદ ઉપજાવ્યો | આવસિઆએ - આવશ્યક
હોય. | ક્રિયા સેવતાં લાગેલા અતિચારથી. અપ્પકિલતાણું - અલ્પ | પડિક્કમામિ - હું નિવત્ છું.
ગ્લાનિવાળા. | ખમાસમણાણે - ક્ષમાશ્રમણ બહુસુભેણ - ઘણા સમાધિભાવે કરી.
સંબંધી. દિવસો - દિવસ.
| દેવસિઆએ આસાયણાએ દિવસે વઈર્ષાતો - વીત્યો છે?
થયેલી આશાતનાએ કરી. જરા તપ, નિયમ, સંયમ, | તિત્તીસગ્નયરાએ - તેત્રીશ સ્વાધ્યાયરૂપ યાત્રા.
આશાતના માંહેલી. ભે - આપની.
અંકિંચિ - જે કાંઈ જવણિજં ચ - ઇન્દ્રિય અને | મિચ્છાએ - મિથ્યાભાવરૂપ નોઇન્દ્રિયથી પીડા નહિ પામતું આશાતનાએ કરીને,
શરીર છે? | મણદુક્કડાએ - મન સંબંધી પાપ ખામેમિ - હું ખાણું છું.
તે રૂપ આશાતનાએ કરીને. દેવસિ - દિવસ સંબંધી. વયદુક્કડાએ વચન સંબંધી પાપ વઈક્રમ - અપરાધને.
તે રૂપ આશાતનાએ કરીને. એ પાંચ પદસ્થ ગુરુમહારાજને વંદના કરાય છે, તેથી સૂત્રનું નામ સુગુરુવાંદણા. જ્યારે ગુરુમહારાજ શાન્ત ચિત્તે, સન્મુખ આસને બેઠા હોય અને વંદન દેવરાવવામાં ઉજમાળ હોય ત્યારે તેઓની આજ્ઞા માંગીને વંદન કરવું. પણ વ્યાક્ષિત ચિત્ત હોય, અવળા મુખે બેઠા હોય, આહારનિહાર કરતા હોય અગર કરવાને ઈચ્છતા હોય, ત્યારે વંદન કરવું નહિ, કેમકે તેથી તેમનો અનાદર અને આશાતના થાય છે. એ વાત લક્ષમાં રાખવી. પ્રતિક્રમણ કરતાં, વાચના લેતાં, કાઉસ્સગ્ન કરતાં, અપરાધ ખમાવતાં, રાહુણા સાધુજી આવે ત્યારે, આલોચના લેતાં, પચ્ચકખાણ કરતાં, અને અંતસમય અનશન આદરતાં વંદન અવશ્ય કરવું જોઈએ. મસ્તક નમાવવા વડે વંદન થાય તે ફીટ્ટાવંદન. બે ખમાસમણ દેવા વડે વંદન થાય તે થોભવંદન અને બે વાંદણા દેવાવડે દ્વાદશાવર્તવંદન થાય
Page #97
--------------------------------------------------------------------------
________________
८४ કાયદુક્કડાએ - શરીર સંબંધી | સત્વમિચ્છવયારાએ - સર્વ પાપ તે રૂ૫ આશાતનાએ કરીને. | મિથ્યાઉપચાર (કુડ-કપટ) રૂપ કોહાએ - ક્રોધરૂ૫ આશાતનાએ | આશાતનાએ કરીને.
કરીને. | સબૂધમ્માઈક્કમણાએ સર્વધર્મ માણાએ -માનરૂપ આશાતનાએ કરણીને અતિક્રમવારૂપ કરીને.
આશાતનાએ કરીને. માયાએ-માયારૂપ આશાતનાએ | આસાયણાએ - આશાતનાએ કરીને.
કરીને. લોભાએ - લોભરૂપ જો - જે.
આશાતનાએ કરીને. | અઈયારો - અતિચાર. સલ્વકાલિઆએ - સર્વ કાળ | કઓ - કર્યો હોય.
સંબંધી. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાણિજ્જાએ નિસીરિઆએ ૧૫ છે. એ ત્રણ વંદનના અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ થાય છે.
આ વાંદણાં દેતાં પચ્ચીશ આવશ્યક સાચવવા જોઈએ. તે ન સાચવે તો વંદન કરનાર પણ નિર્જરાનું ફળ પામે નહિ. તે આવશ્યક આ પ્રમાણે
ઈચ્છામિ ખમાસમણો' થી “અણજાણહ' પર્યત બોલતાં પોતાનું અર્ધ શરીર નમાડી દેવામાં આવે તે પ્રથમ અવનત અને ફરી બીજીવાર તેમજ કરતાં બીજું અવનત જાણવું. જન્મ થતી વખતે અથવા દીક્ષાયોગ આદરતી વખતે જેવી મુદ્રા હોય તેવી નમ્ર મુદ્રા (બે હાથ જોડી લલાટે લગાડવા રૂ૫) વંદન કરતી વખતે ધારણ કરવી તે યથાજાત જાણવું. “અહો કાય, કાય' રૂપ ત્રણ “જતા ભે” “જવણિજર્જ ચ ભે' રૂપ બીજા ત્રણ, એમ છ એક વખતના વંદનમાં અને તે છે બીજી વખતના વંદનમાં મળી ૧૨ આવર્ત (ગુરુ ચરણે હાથનાં તળી લગાડી પછી તે પોતાના લલાટે
Page #98
--------------------------------------------------------------------------
________________
૯૫
અર્થ :- હે ક્ષમાશ્રમણ ! શક્તિએ સહિત (જીવ હિંસાદિક નિવૃત્તિરૂપ પ્રયોજનવાળા) મારા શરીરવડે (આપને) વાંદવાને ઈચ્છું છું. (ગુરુ વંદાવવાને સાવધાન હોય તો છંદેણ કહે.) અણુજાણહ, મે મિઉગ્ગહં ||૨||
ઃ
અર્થ :- મિતઅવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની)ની મને રજા આપો (ગુરુ કહે- અણુજાણામિ-હું આજ્ઞા આપું છું.)
નિસીહિ, અ-હો-કા-યં, કા-યસંફાસ ખમણિજ્જો મે કિલામો, અપ્પકિલંતાણં બહુસુભેણ ભે, દિવસો વઈક્યુંતો IIII
અર્થ :- પછી શિષ્ય, માત્ર ગુરુવંદન સિવાય અન્ય ક્રિયારૂપ વ્યાપાર નિષેધ્યો છે જેણે એવો શિષ્ય (અવગ્રહમાં પેસીને વિધિપૂર્વક બેસી, સાધુ ડાબા ઢીંચણ ઉપર અને શ્રાવક ચરવાળા ઉપર મુહપત્તિ મુકી બે હાથ લલાટે લગાડી, ગુરુના ચરણોને સ્પર્શવાને) આ પ્રમાણે કહે -
લગાડવા રૂપ) થાય છે. ‘કાય સંફાસ’ કહેતાં ફરી સ્વમસ્તક નમાડવું. એવી રીતે બીજીવાર વંદન કરતાં બે વખત મસ્તક નમાડવું. એમ સર્વ મળી ચાર વખત શિરનમન થાય છે. મન, વચન અને કાયાને અન્ય વ્યાપારથી નિવર્તાવી વંદન કરતી વખતે સારી રીતે ગોપવી રાખવા રૂપ ત્રણ ગુપ્તિ જાણવી. ‘અણુજાણહ મે મિઉગ્ગહં' કહી બંને વખત વંદના કરતાં ગુરુ-આજ્ઞા પામીને અવગ્રહમાં પ્રવેશ કરવો તે બે પ્રવેશ જાણવા અને પ્રથમ વંદન કરતી વખતે આવસ્તિઆએ કહીને અવગ્રહમાંથી બહાર નીકળવું તે એક નિષ્ક્રમણ સમજવું. એવી રીતે દ્વાદશાવર્ત વંદન કરતી વખતે પચીશ આવશ્યક સાચવવાં જ જોઈએ.
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૬ “અહોકાય, કાયસંફાસં.” અર્થ - અધઃકાય અર્થાત આપના પગોને મારા હાથ અને લલાટે કરી રૂડી રીતે સ્પર્શ કરવાને મને આજ્ઞા આપો. (ગુરુની આજ્ઞા પામીને, ગુરુના ચરણ પ્રત્યે પોતાના હાથ તથા મસ્તકે કરી સ્પર્શે, પછી ઉભો થઈ મસ્તકે બેહાથ લગાડી ગુરુની સન્મુખ દૃષ્ટિ રાખી.)
“ખમણિજ્જો ભે” ઈત્યાદિ પદો કહે.
અર્થ:- હે ભગવંત! કાંઈ ખેદ ઉપજાવ્યો હોય તે ખમજો. અલ્પ ગ્લાનિવાળા એવા આપને ઘણા સમાધિભાવે કરીને (આપનો) દિવસ વિત્યો છે?
ગુરુ તહત્તિ કહે તેમજ વ્યતીત થયો છે. પછી શિષ્ય કહે. જ-ત્તા બે ઝા.
અર્થ - હે કરુણાસમુદ્ર ! આપને તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ યાત્રા અવ્યાબાધપણે વર્તે છે?
ગુરુ કહે - તુક્મપિ વટ્ટએ? તમને પણ વર્તે છે? પછી શિષ્ય કહે. જ-વ-
ણિર્જ ચ બે પા! અર્થ :- ઇન્દ્રિય અને નોઈદ્રિયથી પીડા નહીં પામતું એવું આપનું શરીર છે?
ગુરુ કહે - (એવું) એમજ છે.
ખામેમિ, ખમાસમણો ! દેવસિએ વાંક્કમંદા
Page #100
--------------------------------------------------------------------------
________________
૯૭
અર્થ :- હે ક્ષમાશ્રમણ ! દિવસ સંબંધી મારા અપરાધ પ્રત્યે હું ખાખું છું. ગુરુ કહે (અહમવિ ખામેમિ તુમ) હું પણ તને ખાસું છું.
આવસ્ટિઆએ પડિક્કમામિ ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ,
અર્થ :- આવશ્યક કર્તવ્ય જે ચરણસિત્તરી અને કરણસિત્તરી આદિ સેવતાં-પાળતાં જે અતિચાર લાગ્યો હોય તે થકી હું નિવત્તું છું. (વળી) ક્ષમાશ્રમણ સંબંધી દિવસને વિષે થઈ હોય એવી આશાતનાએ કરીને.
*તિત્તીસન્નયરાએ, જંકિંચિ મિચ્છાએ મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ.
* ગુરુ મહારાજ સંબંધી તેત્રીશ આશાતના અવશ્ય વર્જવી જોઈએ. તે આ પ્રમાણે
૧-૯ ગુરુ મહારાજની ૧ આગળ, ૨ પડખે (બંને પાસે) તેમજ ૩ અત્યંત નજદીક અડકીને. ૧ ચાલતાં - હીંડતાં. ૨ ઉભા રહેતાં અને ૩ બેસતાં આશાતના લાગે છે.પરંતુ જો ખાસ અગત્યના કારણસર તેમ કરવું પડે, તો આશય શુદ્ધિથી અને અધિક લાભના કારણથી આશાતના દોષ ગણાતો નથી. એમ દરેકના ત્રણ ત્રણ ભેદ કરતાં તેના ૯ ભેદ થઈ શકે છે. ૧૦ ગુરુ મહારાજ પહેલાં ભોજન વખતે ચળું કરી લેવાથી કે આચમન લેવાથી દોષ લાગે. ૧૧ બહારથી ગુરુ સાથે આવ્યા છતાં જો ગુરુમહારાજ થકી પહેલાં ગમણાગમણે આલોવે એટલે ‘ઇરિયાવહી' પડિક્કમે તો ગુરુનો અનાદર-વિનયભંગ કરવાથી દોષ લાગે. ૧૨ રાત્રિસંથારો કર્યા બાદ ગુરુ મહારાજ કંઈ પૂછે કે બોલાવે ત્યારે સાંભળ્યું, નહિ સાંભળ્યું કરી કશો ઉત્તર નહિ આપતાં કેવળ મૌન જ ધારી રહે તો આશાતના લાગે . ૧૩
૭
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૮ અર્થ - તેત્રીશ આશાતના મધ્યથી જે કાંઈ મિથ્યાત્વભાવ રૂપ આશાતના થઈ હોય, તેણે કરીને, મન સંબંધી પાપ તે રૂપ આશાતનાએ કરીને, વચન સંબંધી પાપ તે રૂ૫ આશાતનાએ કરીને, શરીર સંબંધી પાપ તે રૂપ આશાતનાએ કરીને. ગુરુ પાસે આવેલા કોઈ ગૃહસ્થાદિને વશ કરી લેવા ગુરુ મહારાજ તેમને બોલાવે તે પહેલાં પોતે બોલાવી લે, તો ગુરૂઆશાતના લાગે. ૧૪ ભિક્ષાવૃત્તિથી આણેલા આહાર-પાણી પ્રમુખ ગુરુ મહારાજ પાસે જ પ્રથમ હાજર કરી દેવાં જોઈએ અને ગોચરી પણ ત્યાં જ આલોચવી જોઈએ, તેને બદલે તેમ નહિ કરતાં તે સંબંધી ઇચ્છા મુજબ વર્તતા એટલે ગુરુ પહેલાં ઉતાવળ કરી આવેલી ગોચરી કોઈ સાધુ જોઈ લે તેમજ તે બીજા સાધુ પાસે આલોવી લે, તો ગુરુ આશાતના લાગે. ૧૫ આવેલી ગોચરી ગુરુ પહેલાં બીજાને બતાવી દે તો દોષ લાગે. ૧૬ આવેલા આહાર-પાણી વાપરવા બીજાને નિમંત્રણ કરીને પછી ગુરુ મહારાજને નિમંત્રણ કરે તો તેથી અનાદર દોષ લાગે. ૧૭ ખાદ્ય-મધુર પદાર્થ ભિક્ષામાં આવેલો જાણી આપ ઈચ્છાએ ગુરુને પૂછ્યા વગર પોતાને ગમે તેને આપી દેવાથી આશાતના લાગે. ૧૮ સરસ નિગ્ધ પદાર્થ આવેલો હોય તો તે ગુર્નાદિકને નહિ આપતાં પોતે જ આરોગી જાય, તો ગુરુ આશાતના લાગે. ૧૯ ગુરુ મહારાજ સાદ કરી બોલાવે ત્યારે બહેરાની માફક કશો પણ ઉત્તર પાછો ન આપે, શૂન્યવત્ બેસી રહે તો દોષ લાગે. ૨૦ જયારે કોઈ વડીલ સાધુ સાદ કરે ત્યારે સામો થઈ જેમ આવે તેમ બોલે - “આ મારી કેડે લાગ્યા છે, મને જ દેખ્યો છે, આમની સાથે ક્યાંથી પનારે પડ્યા.' ઇત્યાદિક કટુ ભાષણ કરતાં દોષ લાગે. ૨૧ ગુરુ પાસે જઈ નમ્રપણે જવાબ દેવાને બદલે પોતાને આસને બેઠા બેઠા ઉત્તર આપવાથી ગુરુ આશાતના લાગે. ૨૨ શું કહો છો? શું છે? કહો ને? ઈત્યાદિક વિનયરહિત ભાષણ ગુરુ સાથે કરતાં આશાતના લાગે. ૨૩ કંઈ કામ કરવા ગુરુ મહારાજ શિષ્યને બોલાવે ત્યારે તોછડાઈ ભરેલી રીતે બોલે કે તમે જ કરોને, મને શા માટે કહો છો? અથવા તુંકારાદિ દેતાં ગુરૂઆશાતના લાગે. ૨૪ વાહ! અમને
Page #102
--------------------------------------------------------------------------
________________
૯૯
કોહાએ, માણાએ, માયાએ, લોભાએ,
અર્થ - ક્રોધરૂપ, માનરૂપ, માયારૂપ અને લોભરૂપ આશાતનાએ કરીને.
સલ્વકાલિઆએ, સવમિચ્છોયારાએ, સવધમ્માઇક્રમણાએ, આસાયણાએ,
જ દીઠા છે ને! તમે જાતે કેમ કરતા નથી? અથવા બીજા શિષ્યને કરવા કેમ કહેતા નથી? એમ ગુરુ મહારાજની તર્જના કરતાં ગુરુ આશાતના લાગે. ૨૫ ગુર્નાદિક વડીલ સાધુઓને વ્યાખ્યાન પ્રમુખ કરતા દેખી શિષ્ય દુમણો થાય પણ પ્રમુદિત ન થાય તો ગુરૂઆશાતના લાગે અથવા ગુર્નાદિક વડીલનો કોઈ રાગી હોય તેને દેખી દુમણો થાય તો તેથી પણ ગુરૂઆશાતના લાગે. ૨૬ ગુરુમહારાજ વ્યાખ્યાનાદિક કરતા હોય ત્યારે “એ તમે ભૂલી ગયા છો આ વાત તમને યાદ નથી, એનો અર્થ એ ન હોય' ઇત્યાદિક અનુચિત વચન બોલતાં ગુરૂઆશાતના લાગે. ૨૭ અથવા એ બાબત હું તમને પછી સારી રીતે સમજાવીશ એમ આપ ડહાપણ બતાવવા સભા સમક્ષ બોલી, ચાલતી કથાનો ભંગ કરે, તો તેથી ગુરુ આશાતના લાગે. ૨૮ અથવા એવે અવસરે આવીને શિષ્ય કહે મહારાજ! પોરસીવેળા કે આહારવેળા થઈ ગઈ છે, એમ કહીને પર્ષદાનો ભંગ કરે તો ગુરૂઆશાતના લાગે. ૨૯ અથવા પર્ષદા ઉઠી ગઈ ન હોય એટલામાં પોતે ડહાપણ બતાવવા માટે ગુરુમહારાજે વ્યાખ્યાનમાં કહેલી જ વાત વધારે વિસ્તારી બતાવે તો ગુરૂઆશાતના લાગે. ૩૦ ગુરુસંબંધી શયા-સંથારા પ્રમુખને પોતાના પગ વગેરેથી સંઘટ્ટો કરી પછી ખમાવે નહિ તો આશાતના લાગે. ૩૧ ગુરુની શયા કે સંથારાદિ ઉપર પોતે બેસે કે આળોટે કે અસભ્ય રીતે તેનો સ્પર્શ કરે તો ગુરૂઆશાતના લાગે. ૩ર ગુરુથકી ઉંચા આસને બેસે, અથવા ગાદી કરી બેસે, અથવા ગુરુ જેવાં કે તેથી અધિક મૂલ્યવાળાં વસ્ત્ર વાપરે તો દોષ લાગે. ૩૩ ગુરુ જેવા સમાન આસન ઉપર બેસે અથવા ગુરુ જેવા સમાન વસ્ત્ર લઈ વાપરે તો ગુરુ આશાતના લાગે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦૦
અર્થ :- સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર અર્થાત્ કુડ કપટરૂપ આશાતનાએ કરીને તેમજ અષ્ટ પ્રવચન માતારૂપ સર્વ ધર્મકરણીને અતિક્રમવારૂપ આશાતનાએ કરીને. જો મે અઇઆરો કઓ, તસ્ય ખમાસમણો ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ ॥
અર્થ :- જે મારા જીવે અતિચાર કર્યો હોય તે સંબંધી હે ક્ષમાશ્રમણ ! આપની સમીપે હું પડિક્કમું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરુની સાક્ષીએ વિશેષ નિંદું છું, અને પાપિઠ આત્માને વોસિરાવું છું, અર્થાત્ છોડું છું.
(બીજીવારના વાંદણામાં “આવસ્તિઆએ” પદ ન કહેવું. રાઈપડિક્કમણામાં ‘રાઇ વઇક્કતા,’’ પક્ષીમાં પક્ષો વઇક્કતો’ ચોમાસીએ ‘ચઉમાસી વઇછંતા' અને સંવચ્છરીએ ‘સંવચ્છરો વઇક્કતો’ એવી રીતે પાઠ કહેવો.)
પદ (૫૮), ગુરુ (૨૫), લઘુ (૨૦૧), સર્વ વર્ણ (૨૨૬). પણ લવ હોટ
૩૦. દેવસિઅં આલોઉં સૂત્ર.
શબ્દાર્થ
દેવસિö - દિવસ સંબંધી અતિચાર.
આલોએમિ - અને પ્રકાશું છું.
જો - જે.
આલોઉં - પ્રકાશું. ઇચ્છે - આપનું વચન અંગીકાર | મે - મેં.
કરું છું.
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૦૧ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોઉં? ઇચ્છ, આલોએમિ. જો મેo.
અર્થ - હે ભગવંત! આપ ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો (તો) દિવસ સંબંધી (જે અતિચાર લાગ્યા હોય તે) પ્રકાશું. (ગુરુ કહે “આલોએહ” પ્રકાશો.) શિષ્ય કહે- આપનું વચન અંગીકાર કરું. છું અને પ્રકાશે છું. (જો મે ઈત્યાદિ બાકીનો પાઠ “ઈચ્છામિ ઠામિ” પેઠે સમજવો.).
૩૧. સાત લાખ સૂત્ર. સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપૂકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય,
૧. યોનિ એટલે જીવને ઉપજવાનાં સ્થાનક, તે બધા જીવોનાં મળીને ૮૪ લાખ ઉત્પત્તિસ્થાન છે. સ્થાનક તો તે કરતાં પણ વધારે છે, પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન વડે કરી જેટલાં સ્થાનક સરખાં હોય તે એક સ્થાનક ગણાય. તેની ગણતરી આ પ્રમાણે છે – પૃથ્વીકાયના મૂળભેદ ૩૫૦, તેને પાંચ વર્ષે ગુણતાં ૧૭૫૦) થયા, તેને બે ગંધે ગુણતાં ૩૫૦૦) થયા, તેને પાંચ રને ગુણતાં ૧૭૫૦૦) થયા, તેને આઠ સ્પર્શે ગુણતાં ૧૪૦૦૦) થયાં, તેને પાંચ સંસ્થાને ગુણતાં સાત લાખ ભેદ પૃથ્વીકાયના થયા. એમ બધાની ગણતરી કરવી. ઉપરોક્ત ૮૪ લાખ જીવયોનિ માંટે ઉત્પન્ન થયેલ હરકોઈ જીવને હણ્યો હોય, હણાવ્યો હોય, અગર હણતાને અનુમતિ આપી હોય, તે સંબંધી મિથ્યાદુકૃત આ સૂત્રવડે દેવાનું છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઇન્દ્રિય, બે લાખ તે ઇન્દ્રિય, બે લાખ ચૌરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવયોનિમાંહિ, મહારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ હુ, મન, વચને, કાયાએ કરી, મિચ્છામિ દુક્કડં.
અર્થ - સુગમ છે.
૩૨. અઢાર પાપસ્થાનક સૂત્ર
શબ્દાર્થ પ્રાણાતિપાત - બીજાના પ્રાણનો | મૈથુન - વિષયભોગની વાંચ્છારૂપ નાશ ચિંતવવો.
પરિણામ. મૃષાવાદ - અસત્ય બોલવાના | પરિગ્રહ - નવપ્રકારે બાહ્ય અને ચૌદ
પરિણામ. | પ્રકારે અત્યંતર વસ્તુ વગેરેની વાંછા. અદત્તાદાન - પારકી વસ્તુ ધણીની | ક્રોધ-બીજાની ઉપર તીવ્ર પરિણામે સંમતિ વિના લઈ લેવાની વૃત્તિ. | મુખ વગેરે અવયવો તપાવવાં.
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૩
માન - પ્રાપ્ત અથવા અપ્રાપ્ત
પૈશુન્ય - પરજીવના દોષની ચાડી
ખાવી.
રતિઅતિ -:
। - સુખ દુઃખ આવ્યે હર્ષ શોક કરવો. પરપરિવાદ - ગુણી વા નિર્ગુણી જીવની નિંદા કરવી. માયામૃષાવાદ - કપટવૃત્તિથી અસત્ય બોલી છળ કરીને લોકોને ઠગવાના પરિણામ. ઉપર અરુચિ. | મિથ્યાત્વશલ્ય - વ્યવહારથી કુદેવ કલહ - બીજાની સાથે વિખવાદ | કુગુરુ અને કુધર્મ સેવવાની કરવાની વૃત્તિ. | અભિલાષા અને નિશ્ચયથી આત્મ અભ્યાખ્યાન - નહીં દીઠેલુંઅનેનહીં | સ્વરૂપના અનુભવને વિઘ્ન કર્તારૂપ સાંભળેલું પરજીવને આળ દેવું. | આત્માનો પરિણામ.
વસ્તુનો અહંકાર.
માયા - ગુપ્તપણે સ્વાર્થવૃત્તિ સિદ્ધ કરવાની ઈચ્છા.
લોભ - ધનાદિ સંપત્તિને એક્કી કરી સંગ્રહ કરી રાખવાની મનોવૃત્તિ. રાગ - પૌદ્ગલિક વસ્તુ ઉપર પ્રીતિ. દ્વેષ - અણગમતા જીવાદિ પદાર્થો
પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ,અગિયારમે દ્વેષ, બારમે કલહ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ-અતિ, સૌલમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર
&
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પાપસ્થાનકમાંહે મહારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોઘું હોય, તે સવિ હું, મને, વચને, કાયાએ, કરી મિચ્છા મિ દુક્કડં.
અર્થ :- પરજીવના પ્રાણનો નાશ ચિંતવવો તે પ્રાણાતિપાત; અસત્ય બોલવાના પરિણામ તે મૃષાવાદ; પારકી વસ્તુ ધણીની સંમતિ વિના લઈ લેવાની વૃત્તિ તે અદત્તાદાન; વિષયભોગની વાંચ્છારૂપ પરિણામ તે મૈથુન; નવ પ્રકારે બાહ્ય અને ચૌદ પ્રકારે +અત્યંતર વસ્તુ આદિની વાંચ્છા અથવા મૂર્છા તે પરિગ્રહ; પરની ઉપર તીવ્ર પરિણામે મુખાદિ અવયવ તપાવવા તે ક્રોધ; પ્રાપ્ત વા અપ્રાપ્ત વસ્તુનો અહંકાર તે માન; ગુપ્તપણે સ્વાર્થવૃત્તિ સિદ્ધ કરવાની વાંચ્છા તે માયા; ધનાદિ સંપત્તિને એક્જી કરી સંગ્રહ કરી રાખવાની મનોવૃત્તિ તે લોભ; પૌદ્ગલિક વસ્તુ ઉપર પ્રીતિ તે રાગ; અણગમતા જીવાદિ પદાર્થો ઉપર અરુચિ તે દ્વેષ; પરની સાથે વિખવાદ કરવાની વૃત્તિ તે કલહ; પરજીવને નહીં દીઠેલું, નહી સાંભળેલું આળ દેવું તે અભ્યાખ્યાન; પરજીવના દોષની ચાડી ખાવી તે પૈશુન્ય; સુખ-દુઃખ આવ્યે હર્ષ શોક કરવો તે રતિ-અતિ; ગુણી વા નિર્ગુણી જીવની નિંદા કરવી તે પરપરિવાદ; કપટવૃત્તિથી અસત્ય બોલી છળ કરીને લોકોને ઠગવાના પરિણામ તે માયામૃષાવાદ; વ્યવહારથી કુદેવ, કુગુરુ
+ મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્યાદિ ષટ્ક અને ચાર કષાય. આ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૫ અને કુધર્મ સેવવાની અભિલાષા અને નિશ્ચયથી આત્મસ્વરૂપના અનુભવને વિનકર્તારૂપ આત્માના પરિણામ તે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પ્રકારે જીવને ચિત્તમાં જે પાપરૂપ ભાવ ઉત્પન્ન થાય તે ભાવપાપ અને ભાવની ચિકાશથી જીવને સત્તામાં કર્મના દળિયા લાગે તે દ્રવ્યપાપ કહેવાય છે.
૩૩. *વંદિત્તા સૂત્ર
શબ્દાર્થ વંદિg - વાંદીને.
| તહ- તથા. સત્રસિદ્ધ સર્વ એવા તીર્થકર તથા / દંસણ - દર્શનને વિષે.
સિદ્ધ ભગવાનને. | ચરિત્ત - ચારિત્રને વિષે. ધમ્માયરિએ - ધર્માચાર્યને. સુહુમો - સૂક્ષ્મ. સવ્વસાહૂએ-આચાર્ય, ઉપાધ્યાય | બાયરો વા - અથવા બાદર.
વગેરે સર્વ સાધુઓને. દુવિહે - બે પ્રકારના. ઈચ્છામિ - હું ઇચ્છું છું. પરિગ્નેહમિ-પરિગ્રહને વિષે. પડિકમિઉં - પ્રતિક્રમવાને. સાવજે - સાવદ્ય પાપવાળા. સાવગધમ્માઈઆરસ્સ - શ્રાવક બહુવિહે - બહુપ્રકારના. ધર્મને વિષે લાગેલા અતિચારથી. આરંભે - આરંભ. જો મે - જે મારે.
કરાવણે બીજાની પાસે કરાવવાથી. વયાઈઆરો - વ્રતોને વિષે કરણે પોતાની જાતે કરવાથી.
અતિચાર લાગ્યો હોય. | અ - અનુમોદવાથી. નાણે - જ્ઞાનને વિષે.
પડિક્કમે - પડિક્કામું છું. * શ્રાવકને દિવસ સંબંધી લાગેલા અતિચારને આલોચવાને અર્થે આ સૂત્ર સાંજે સૂર્ય અર્ધ અસ્ત પામેલો હોય તે વખતે કહેવાનું છે. શ્રાવકના બાર વ્રત વગેરેમાં લાગેલા ૧૨૪ અતિચાર આ સૂત્રવડે આલોવવામાં આવે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
જે - જે.
૧૦૬ દેસિઅં- દિવસ સંબંધી. સમ્માસ્સ- સમકિતના. સવં - સર્વ અતિચાર પ્રત્યે. છક્કાય - છ કાયના. બદ્ધ બાંધ્યું હોય.
સમારંભે -સમારંભને વિષે. ઈદિએહિં - ઇન્દ્રિયો વડે કરી. પણે - પોતે રાંધતાં. ચઊહિં - ચાર.
પયાવણે બીજાની પાસે રંધાવતાં. કિસાએહિં - કષાયે કરી. અપ્રસચૅહિં-અપ્રશસ્ત ભાવે કરી. | દોસા - દોષ લાગ્યા હોય. રાગેણ - રાગે કરી.
અત્તા - પોતાને અર્થે. વ - અથવા.
પરણ્યા - પરને અર્થે. દોસણ - કરી.
ઉભયટ્ટા- પોતાને તથા પરને આગમણે - જતાં.
બંનેને અર્થે. નિષ્ણમણે - આવતાં.
ચેવ - નિશે. ઠાણે - મિથ્યાત્વીઓના સ્થાને | પંચઈ- પાંચ.
ઊભા રહેતાં. | અણુવ્રયાણું - અણુવ્રતને વિષે. ચંકમણે - આમતેમ ફરતાં. ગુણવયાણું - ગુણવ્રતને વિષે. અણાભોગે - ઉપયોગ વિના. | તિણાં- ત્રણ. અભિઓગે - રાજા અથવા ઘણા | સિફખાણું - શિક્ષાવ્રતને વિષે.
લોકોના આગ્રહથી. | ચઉણાં-ચાર. નિઓર્ગ-પરાધીનતાના કારણથી. | | પડિક્કમે- પડિક્કામું . સંકા- જિનવચનમાં શંકા. | પઢમે - પહેલા. કંખ-અન્ય મતની ઇચ્છા. અણુવ્રયંમિ - અણુવ્રતને વિષે. વિગિચ્છા-સાધુ-સાધ્વીની મલિનતા | શ્લગ - સ્થૂળ. દેખી દુર્ગછા કરવી અથવા ધર્મના | પાણાઇવાય -પ્રાણાતિપાતની.
ફળનો સંદેહ. | વિરઇઓ-વિરતિનું ઉલ્લંઘન કરીને. પસંસ - મિથ્યાત્વીની પ્રશંસા. આયરિઅં-જેઆચરણ સેવ્યાં હોય. તહ- તેમજ.
| અપ્પસત્યે અપ્રશસ્તભાવે વર્તતા. સંથવો - પરિચય.
ઈન્થ - અહીંયા. કુલિંગીસુ - મિથ્યાત્વીનો. | પમાયપ્રસંગેણ-પ્રમાદના પ્રસંગથી.
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૭ વહ - જીવને મારવો.
ભરપાણ - ભાત પાણી-ચારાનો. બંધ - દોરડા વડે બાંધવો. વુચ્છેએ - અંતરાય કરવો. છવિચ્છેએ-તેના અવયવને છેદવા. | પઢમવયસ્સ- આ પહેલા વ્રતના. અભારે - તેના ઉપર ઘણો ભાર | અઈયારે - અતિચારમાં
ભરવો. વંદિત્ત સવસિદ્ધ, ધમાયરિએ આ સવ્વસાહૂ અ ને ઈચ્છામિ પડિક્કમિઉં સાવગધમ્માઈઆરસ્સ લો
અર્થ:- સર્વજ્ઞ એવા તીર્થકર તથા સિદ્ધ ભગવંતને, વળી ધર્માચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુને વાંદીને, શ્રાવક ધર્મને વિષે લાગેલા અતિચાર થકી પ્રતિક્રમવાને હું ઈચ્છું છું. ૧
સામાન્યથી સર્વવ્રતના અતિચાર જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિત્તે આ સુહુમો અબાયરો વા, સંનિંદ તં ચ ગરિયામિ ારા
અર્થ - જ્ઞાનને વિષે તથા દર્શનને વિષે તથા ચારિત્રને વિષે અને ચ શબ્દથકી તપને વિષે તથા વીર્યને વિષે અને સંખનાને વિષે વળી (જે અતિચાર) મને વ્રતોને વિષે સૂક્ષ્મ વા બાદર લાગ્યો હોય, તેને નિંદુ છું અને ગુરુની સમક્ષ ગણું છું. ૨ ૧. સ્વસ્થાનાત્ યત્પરસ્થાન, પ્રમાદસ્ય વશાત્ ગતઃ.
તન્નેવ ક્રમણે ભૂયક, પ્રતિક્રમણમુચ્યતે || ૨. પંચમીસ્થાને ષષ્ઠી અથવા કર્મણિ ષષ્ઠી.
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પરિગ્રહના અતિચાર
દુવિષે પરિગ્ગહંમિ; સાવર્જો બહુવિહે અ આરંભે; કારાવણે અ કરણે, પડિક્કમે દેસિઐ સવ્વ જ્ઞા
અર્થ :- બે પ્રકારનો પરિગ્રહ-સચિત્ત અને અચિત્ત તેમજ સાવધ-પાપવાળો અને બહુ પ્રકારનો આરંભ તે બંનેને કરાવવાથી, પોતે કરવા થકી અને બીજા કરનારાઓને અનુમોદવા થકી, જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વ અતિચાર પ્રત્યે પ્રતિક્રમું છું. ૩
જ્ઞાનના અતિચાર
જં બદ્ધમિંદિઐહિં; ચઉહિં કસાએહિં અપ્પસથેહિં | રાગેણ વ દોસેણ વ, તં નિંદે તેં ચ ગરિહામિ ॥૪॥
--
અર્થ :- ઇન્દ્રિયો વડે કરી તથા ચાર કષાયે કરી, અપ્રશસ્ત ભાવે કરી, રાગે કરી વા દ્વેષ વડે કરી જે અતિચાર રૂપ અશુભકર્મ બાંધ્યું હોય, તેને આત્માની સાખે નિંદું છું અને ગુરુની સાખે ગહું છું. ૪
સમ્યગ્દર્શનના અતિચાર આગમણે નિર્ગમણે, ઠાણે ચેંકમણે
૧. રાઇયં, પિÐઅં, ચોમાસિઅં, સંવચ્છરિઅં વા યથાયોગ્યું. આર્ષત્વાદ્ વકારલોપ.
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૯ અણાભોગે I અભિઓગે અનિઓને; પડિક્કમે દેસિઅં સવૅ પા.
અર્થ - ઉપયોગરહિતપણે રાજાના વા ઘણા લોકના આગ્રહ થકી તથા પરાધીનતાના કારણથી (મિથ્યાત્વીના મંદિરાદિકને વિષે) જતાં આવતાં, તેમના સ્થાનકે ઉભા રહેતાં, ત્યાં જ આમ તેમ ફરતાં જે અતિચારરૂપ પાપકર્મ બાંધ્યું હોય તે દિવસ સંબંધી સર્વને પ્રતિકકું . ૫
સમ્યકત્વના અતિચાર સંકા કંખવિગિચ્છા, પસંસતહ સંથવો કુલિંગીસુ ને સમ્માસ્સઇઆરે, પડિક્કમે દેસિમં સવંદો.
અર્થ - જિનવચનમાં શંકા, અન્યમતની વાંચ્છા, ધર્મના ફળનો સંદેહ વા સાધુ-સાધ્વીનાં મલિન ગાત્ર તથા વસ્ત્ર દેખી દુર્ગછા કરવી; મિત્યાત્વીની પ્રશંસા તથા તેમનો પરિચય. એ સમ્યકત્વના અતિચાર મધ્યે દિવસ સંબંધી જે પાપ બાંધ્યું હોય તે સર્વને પડિક્કામું છું. ૬
છક્કાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દોસા ને અત્તટ્ટા ય પરટ્ટા, ઉભયટ્ટા ચેવ તે નિંદે આશા
અર્થ - પોતાને અર્થે તથા પરને અર્થે વળી પોતાને તથા પરને એ બન્નેને અર્થે (અશનાદિ આહારને) પોતે રાંધતાં, બીજા
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પાસે ગંધાવતાં અને બીજા રાંધતા હોય તેને અનુમોદન દેતાં છકાયના સમારંભને વિષે પ્રવર્તવા થકી જે (કર્મ બંધરૂપ) દોષ લાગ્યા હોય તેને હું નિંદું છું. ૭
સામાન્યથી બાર વ્રતના અતિચાર
પંચણ્ડ-મણુવ્વયાણું, ગુણત્વયાણં ચ તિહમઇયારે ॥ સિક્ખાણં ચ ચઉ ં; પડિક્કમે દેસિઅં સવ્વ ॥૮॥
અર્થ :- પાંચ અણુવ્રતને વિષે, ત્રણ ગુણવ્રતને વિષે, ચાર શિક્ષાવ્રતને વિષે અને તપ સંલેષણાદિને વિષે જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કમું છું. ૮
પઢમે અણુવ્વયંમિ, થૂલગ-પાણાઇવાયવિરઇઓ ।। આયરિય-મપ્પસત્યે, ઇત્ય પમાયપ્પસંગેણં લા
અર્થ :- અહીંયાં પહેલા અણુવ્રતને વિષે; પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતાં થકાં સ્થૂલ પ્રાણાતિપાતની નિવૃત્તિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યાં હોય તે જેમ કે-૯.
૧. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી પ્રાપ્ત થાય માટે અણુવ્રત અને મહાવ્રતની અપેક્ષાએ ન્હાનાં માટે અણુવ્રત, તે પાંચ છે. તે પાંચ મૂળ ગુણ છે. ૨. મૂળ ગુણોને વિશેષ કરવાવાળાં તેથી ગુણવ્રત, તે ત્રણ છે.
૩.
શિષ્યને વિદ્યાગ્રહણની પેઠે વારંવાર સેવન કરવા યોગ્ય હોવાથી શિક્ષાવ્રત તે ચાર છે બાર વ્રત માંહેલા પહેલા આઠ વ્રતો યાવત્કથિત (કાયમના) અને ચાર વ્રત ઇત્વકાલિક (થોડાકાળ માટે) સમજવા.
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૧૧ "વહ-બંધ-વિચ્છેએ, અઈભારે ભત્ત-પાણવુચ્છેએા પઢમવયસ્સ-ઈઆરે, પડિક્કમે દેસિઅં સવૅ ૧all
અર્થ :- (દ્વિપદાદિ જીવને) મારવો, દોરડાવડે બાંધવો; તેના અવયવને છેદવા; તેના ઉપર ઘણો ભાર ભરવો; તેને ભાતપાણી-ચારાનો અંતરાય કરવો, આ પહેલા વ્રતના અતિચાર મળે જે અતિચાર દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વને હું પડિક્કમ્ છું. ૧૦.
શબ્દાર્થ બીએ - બીજા
કૂડલેહે - જુઠા દસ્તાવેજ કરવા. અણુવર્યામિ - અણુવ્રતને વિષે. | બીએ-બીજા. પરિશૂલગ - અતિ મોટા.
વયસઇયારે વ્રતના અતિચારને. અલિઅવયણ - જૂઠા વચનની.
તઈએ - ત્રીજા. વિરઈઓ-વિરતિનુંઉલ્લંઘન કરીને.
અણુવયંમિ - અણુવ્રતને વિષે. સહસા - અણવિચારે.
શ્લગ -મોટા (બાદરપણે).
પરદલ્ડ - પારકા દ્રવ્યના. રહસ્સ-એકાંતે (છાની વાત કરનાર
હરણ - હરણની. ઉપર રાજ્ય વિરુદ્ધ ગુન્હો મુક્તાં)
વિરઇઓ - વિરતિથી દારે સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતાં | તેનાહડપ્પાઓગે - ચોરીનો માલ મોસવએસે-ખોટો ઉપદેશ આપતાં. | લેવો. ચોરને સહાય આપવી.
૧. અહિં કોઈ શંકા કરે કે પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળાને વધાદિ અતિચાર લાગે નહિ, કારણ કે પ્રાણાતિપાત શબ્દ વધાદિનું ગ્રહણ થઈ શકે નહિ, તેથી અતિચાર ન લાગે. તેને માટે ઉત્તર આપે છે કે મુખ્યતાએ પ્રાણાતિપાતનું જ પચ્ચખાણ થાય છે તો પણ વધાદિક પ્રાણાતિપાતના હેતુ હોવાથી તેનું પણ પચ્ચકખાણ આવી ગયું, માટે વધાદિક કરવાથી અતિચાર લાગે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૨
તપ્પડિરૂવે - ખોટી વસ્તુને ખરી
જેવી કરી વેચવી.
વિરુદ્ધગમણે - દાણચોરી વગેરે
રાજ્યવિરુદ્ધ આચરવું.
કૂંડતુલ - ખોટા તોલ રાખવા.
કૂંડમાણે - ખોટાં માપ રાખવાં. ચઉત્શે - ચોથા. અણુવ્વયં - અણુવ્રતને વિષે. નિચ્ચું - નિત્યે.
|
|
ધણ - ધન.
પન્ન - ધાન્ય.
ખિત્ત - ક્ષેત્ર.
વત્યુ - ઘર-હાટ. રુપ્પ - રૂપું.
સુવન્ને - સોનું.
કુવિઅ - સોના-રૂપા સિવાય બીજી ધાતુઓની વસ્તુને.
પરિમાણે - પરિમાણ ઉપરાંત
રાખવાથી.
| દુપએ - દાસદાસીઓ વગેરે બે
પરદારગમણ - પરસ્ત્રી સાથે
ગમન ક૨વાની. અપરિગ્ગહિઆ - કુંવારી કન્યા અથવા વિધવાની સાથે વિષય સેવવો. ઇત્તર - બીજાએ થોડા વખત માટે રાખેલી વેશ્યાની સાથે વિષય સેવવો. અણંગ - ભિન્ન અંગોથી ક્રીડા કરવી. વિવાહ - પોતાના પુત્ર-પુત્રી સિવાય બીજાના વિવાહ કરવા.
તિજ્ઞઅણુરાગે - કામભોગને વિષે તીવ્ર અનુરાગ કરવો.
ચઉત્થ - ચોથા.
ઇત્તો - એ પછી.
અણુવ્વએ - અણુવ્રતને વિષે. પંચમંમિ - પાંચમા.
પરિમાણ પરિચ્છેએ - પરિગ્રહના | મજ્જીમિ - મદિરા. પરિમાણનું ઉલ્લંઘન કરવાથી. | મંસંમિ - માંસ.
પગવાળાં.
ચઉપ્પયંમિ - ઘોડા વગેરે ચાર પગવાળાં પ્રાણીઓને.
ગમણસ - જવાના. પરિમાણે - પરિમાણથી અધિક જતાં. દિસાસુ - દિશિમાં. ઉદ્ભ - ઊર્ધ્વદિશિ. અહે - અધોદિશિ.
તિરિઅં - તિર્કી દિશિ. વુદ્ઘિ - પરિમાણ વધારતાં. સઇઅંતરદ્ધા - માર્ગમાં અમુક હદની
સ્મૃતિનો ભ્રંશ થવાથી વધારે જતાં. પઢમંમિ - પહેલા.
ગુણત્વએ - ગુણવ્રતને વિષે.
Page #116
--------------------------------------------------------------------------
________________
પુષ્લે - પુષ્પ. ફલે - ફળ.
ગંધ - બરાસ પ્રમુખ ગંધ. મલ્લુ - પુષ્પની માળા.
૧૧૩
ઉવભોગ-પરિભોગે - ઉપભોગ પરિભોગ નામના.
બીઅંમિ - બીજા .
ગુણત્વએ - ગુણવ્રતને વિષે.
બીજા વ્રતના અતિચાર
બીએ અણુવ્વયંમિ, પરિશૂલગ-અલિઅવયણવિરઇઓ ।। આયરિઅ-મપ્પસત્યે, ઇત્ય પમાયપ્પસંગેણું ॥૧૧॥
અર્થ :- અહીંયા, બીજા અણુવ્રતને વિષે, પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતાં થકાં અતિશયે કરીને મોટા જૂઠાંની વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ કરેલું હોય તે જેમકે-૧૧.
૧. મોટા જૂઠાણાં પાંચ છે, તે આ પ્રમાણે - (૧) દ્વેષાદિવડે અવિષકન્યાને વિષકન્યા કહેવી વગેરે કન્યા સંબંધી ફેરફાર બોલવું તે કન્યાલીક. (૨) થોડા દૂધવાળી ગાય (ઉપલક્ષણથી દુઝણા જાનવર) ને ઘણા દૂધવાળી અને ઘણા દૂધવાળીને થોડા દૂધવાળી કહેવી ઇત્યાદિ કહેવું તે ગવાલીક. (૩) પારકી ભૂમિને પોતાની ભૂમિ કહેવી વગેરે ભૂભ્યલીક. (૪) ધન-ધાન્યાદિ પારકી થાપણ રાખી હોય છતાં નથી રાખી એમ જૂઠું બોલી ઓળવવી તે ન્યાસાપહાર. (અદત્ત વસ્તુને રાખવાથી અદત્તાદાન લાગે છે છતાં વચનની મુખ્યતા હોવાથી અહીં મૃષાવાદપણું ગણ્યું છે.) અને (૫) લાંચ લઈને અગર મત્સર વડે ખોટી સાક્ષી પૂરવી તે કૂટસાક્ષિત્વ. આ પાંચ પૈકી પહેલામાં દ્વિપદ સર્વ સંબંધી અને બીજામાં ચતુષ્પદ સર્વ સંબંધી અલીકનો સમાવેશ છે. ન્યાસાપહાર તથા ફૂટસાક્ષિત્વ એ બેનો દ્વિપદાદિના જૂઠાણામાં અંતર્ભાવ થાય છે, છતાં પણ લોકમાં અત્યંત નિંદિત હોવાથી જુદા ગણ્યા છે.
८
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૪ સહસા રહસ્સ દારે, મોસુવએસે આ કૂડલેહે અને બીઅવયસ્સ-ઈઆરે, પડિક્કમે દેસિએ સવ્વલ રા
અર્થ - અણવિચારે કોઈના ઉપર આળ મુકતાં, એકાંતે છાની વાત કરનાર ઉપર રાજ્યવિરુદ્ધ ગૂન્હો મુકતાં, સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતાં, ખોટો ઉપદેશ આપતાં અને જૂઠા દસ્તાવેજ કરતાં, બીજા વ્રતને વિષે જે કોઈ અતિચાર લાગ્યો હોય તે દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કામું છું. ૧૨
ત્રીજા વ્રતના અતિચાર તઈએ અણુવ્રયંમિ, થુલગપરદવ્યહરણવિરઇઓ આયરિઅ-મપ્રસન્થ, ઇત્ય પમાયપ્રસંગેણં ૧૩
અર્થ - અહીંયાં ત્રીજા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતાં થકાં બાદરપણે પરદ્રવ્યના હરણની વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યું હોય તે જેમકે-૧૩.
તેનાહડપ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે અ ને કૂડતુલકૂડમાણે, પડિક્કમે દેસિઅં સવૅ ૧૪ll
અર્થ:-ચોરની આણેલી વસ્તુ અર્થાત ચોરીનો માલ લેવો, ચોરને સહાય આપવી, ખોટી વસ્તુ ખરી જેવી કરી વેચવી, દાણચોરી પ્રમુખ રાજયવિરુદ્ધ કાર્યો આચરવાં અગર શત્રુ
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૫ રાજાના દેશમાં રાજ્ય તરફથી જવાનો નિષેધ કર્યો હોય છતાં વ્યાપારાદિ પ્રસંગે જવું, ખોટાં તોલ રાખવાં, ખોટાં માપ રાખવાં; તેથી જે પાપ લાગ્યું હોય તે સંબંધી સર્વને હું પડિક્કમું છું. ૧૪.
ચોથા વ્રતના અતિચાર ચઉલ્થ અણુયંમિ, નિર્ચા પરદારગમણ-વિરઇઓ | આયરિઅમuસત્યે, ઇત્ય પમાયપ્રસંગેણં ૧પો.
અર્થ - અહીંયાં ચોથા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતા થકા, નિરંતર પરદારા સાથે ગમન કરવાની વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યું હોય તે જેમકે-૧૫.
અપરિગ્દહિઆ ઇત્તર, અસંગવિવાહ તિવ-અણુરાગે છે "ચઉત્થવયસ્સઈઆરે, પડિક્કમે દેસિઅં સવૅ ૧દો.
અર્થ - અપરિગ્રહીતા અર્થાત કુંવારી કન્યા અથવા વિધવાની સાથે મૈથુન કરવું, બીજાએ થોડા વખત માટે રાખેલી વેશ્યાની સાથે મૈથુન કરવું, અનંગક્રીડા કરવી (સૃષ્ટિ નિયમ
૧. આ ચોથું વ્રત બે પ્રકારે ગ્રહણ થઈ શકે છે, તેથી સ્વદારાસંતોષીને છેલ્લા ત્રણ અતિચાર અને પહેલા બે સેવાય તો વ્રતભંગ જ થાય અને પરસ્ત્રીગમનવિરમણવાળાને પાંચ અતિચાર સમજવા. અહીં પુરુષને સ્ત્રી આશ્રયી કહ્યું છે તે પ્રમાણે સ્ત્રીને પુરુષ આશ્રયી અતિચાર, અનાચાર વગેરે સમજી લેવું.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૬ વિરુદ્ધ અંગથી વિષયક્રીડા કરવી.) પોતાના પુત્ર-પુત્રી સિવાય બીજાના વિવાહ કરવા, કામભોગને વિષે તીવ્ર અનુરાગ કરવો, (આ પાંચ) ચોથા વ્રતના અતિચાર મધ્યેથી જે કોઈ અતિચાર દિવસ સંબંધી મને લાગ્યો હોય તે સર્વને હું પડિક્કામું છું. ૧૬
પાંચમા વ્રતના અતિચાર ઇત્તો અણુવ્રએ પંચમંમિ, આયરિઅમધ્ધસલ્યુમિ // પરિમાણપરિચ્છેએ, ઇત્ય પમાયપ્રસંગેણ //1શા
અર્થ એ પછી, અહીંયાં પાંચમા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગ થકી, અપ્રશસ્ત ભાવે વર્તતાં થકાં પરિગ્રહના પ્રમાણનો પરિચ્છેદ કરવા થકી જે આચરણ સેવ્યું હોય તે જેમકે-૧૭.
ધણધન્ન-ખિત્તવત્થ, રુuસુવન્ને આ કુવિઅ-પરિમાણે II દુપએ ચણ્વિયંમિ ય, પડિક્કમે દેસિએ સવ્વ ૧૮
અર્થ - ધન-ધાન્ય, ખેતર-ઘરહાટ, રૂપું-સોનું અને રૂપાસોના સિવાય બીજી ધાતુની વસ્તુઓને પરિમાણ ઉપરાંત રાખવાથી તથા દાસ-દાસી વગેરે બે પગવાળાં અને ઘોડા વગેરે ચાર પગવાળાં પ્રાણીઓને પરિમાણ ઉપરાંત રાખવાથી લાગેલા દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કામું . ૧૮
૧. ધન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે-(૧) ગણી શકાય તે ગણિમ સોપારી, નાળીયેર વગેરે. (૨) તોળી શકાય તે ધરિમ ગોળ, ઘી વગેરે. (૩) માપી શકાય તે મેય કાપડ, જમીન, તેલ, દૂધ વગેરે અને (૪) પરીક્ષા કરવા યોગ્ય પારિ છે માણેક, મોતી, રૂપાનાણું વગેરે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૭
છઠ્ઠા વ્રતના અતિચાર ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉડૂઢ અહે અતિરિએ ચા વડ્રિઢ સઇઅંતરદ્ધા, પઢમંમિ ગુણવએ નિંદે ૧૯ાા
અર્થ :- ઊર્ધ્વદિશિ, અધોદિશિ અને તિર્છાદિશિમાં જવાના પરિમાણથી અધિક જતાં, એક દિશિમાં જવાનું ઘટાડી બીજી દિશિમાં તે પરિમાણ વધારતાં અને કરેલા પ્રમાણની વિસ્મૃતિ થવાથી વધારે જતાં પહેલાં ગુણવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને આત્માની સાખે નિંદું છું. ૧૯
સાતમા વ્રતના અતિચાર મર્જામિ અ સંસંમિ અ, પુણે અ ફલે અ ગંધ મલે અને વિભોગપરિભોગે, બીયંમિ ગુણવએ નિંદે ૨oll
અર્થ -મદિરા તથા માંસ અને બીજા પણ નહીં ખાવા યોગ્ય પદાર્થ તથા પુષ્પ, ફળ, બરાસ પ્રમુખ ગંધ અને પુષ્પની માળાને ભોગવવાથી, ઉપભોગ-પરિભોગ નામના બીજા ગુણવ્રતને વિષે લાગેલા અતિચારને હું નિંદું . ૨૦
શબ્દાર્થ સચ્ચિત્તે - સચિત્ત વસ્તુ વાપરવી. | અપોલ - નહિ પકાવેલા પદાર્થ પડિબદ્ધ - સચિત્ત સાથે જોડાયેલી
વાપરવા. વસ્તુ વાપરવી. | દુપોલિઅં- અરધા કાચા પદાર્થ.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૮
આહારે - ખાવાથી. તુચ્છોસહિ - તુચ્છ પદાર્થ. ભખણયા - ભક્ષણ કરવાથી. ઇંગાલી - અંગાર કર્મ-એટલે કુંભાર અને ભાડભુંજા વગેરેનાં અગ્નિ સંબંધી કર્મ.
વણ - વનકર્મ, એટલે ફળ, ફુલ,
વનસ્પતિ, અનાજ વગેરે, ઉગાડવાં તથા છેદવાનું કર્મ. સાડી - શકટકર્મ-એટલે ગાડાં, બેલ | વગેરે વેચવા, વેચાવવાનું કર્મ. ભાડી - ભાટિકકર્મ-એટલે ઘોડા, ઉંટ, બળદ વગેરે ભાડે આપવા અપાવવાનું કર્મ.
ફોડી - સફોટિકકર્મ-કુવા, વાવ વગેરે ખોદવા-ખોદાવવાનું કર્મ. સુવજ્જએ - અત્યંતપણે વર્જવા. કમ્મ - કર્મ.
વાણિજ્યું - વેપાર.
ચેવ - વળી નિક્ષે.
દંત - હાથીદાંત, મુક્તાફળ
વગેરેનો વેપાર.
લક્ષ્ય - લાખનો વેપાર.
રસ - રસનો વ્યાપાર, ઘી, તેલ,
ગોળ વગેરેનો વ્યાપાર.
કેસ - કેશનો વ્યાપાર, મોર, પોપટ, મનુષ્ય અને પશુનો વ્યાપાર.
|
|
વિસવિસયં - ઝેરનો વ્યાપાર. અફીણ, સોમલ વગેરેનો તથા શસ્ત્રાદિનો વ્યાપાર.
એવું – એ પ્રમાણે.
ખુ - નિશ્ચયથી.
જંતપિલ્લણ - ઘંટી, ચરખા પ્રમુખ, યંત્રમાં શેરડી, તલ વગેરે પીલાવવા.
કર્માં - કર્મ.
નિલંછણું - નાક, કાન વીંધવા,
વીંધાવવા.
ચ - અને.
દવદાણું - અગ્નિદાહ દેવો.
સર - સરોવર.
દુહ - દ્રષ્ટ.
તલાય - તળાવને. સોસં - સુકાવી નાખવાં. અસઇપોસં - હિંસક જીવો તથા નઠારી સ્ત્રી વગેરેનું પોષણ કરવું. વજ્જિા - વર્લ્ડવાં.
સત્ય - શસ્ર. અગ્નિ - અગ્નિ.
મુસલ - સાંબેલું.
જંતગ - યંત્ર.
તણ - તૃણ.
કટ્ટે - કાષ્ઠ.
મંત - સર્પ વગેરેને ઉતારવાના મંત્ર.
Page #122
--------------------------------------------------------------------------
________________
મૂલ – નાગદમણીપ્રમુખ જડીબુટ્ટી. ભેસજ્જ - ગોળી. ચૂરણ વગેરે
વસ્તુઓ.
દિત્રે - આપવાથી.
દવાવિએ - બીજાની પાસે
૧૧૯
અપાવવાથી.
વા - અથવા.
ન્હાણ - અણગળ પાણીથી ન્હાવું. ઉટ્ટણ - પીઠી વગેરે ચોળી
શરીરનો મેલ ઉતારવો.
વન્નગ - અળતો, ગુલાલ વગેરેથી
સદ્ - શબ્દ.
રૂવ - રૂપ.
રસ - રસ.
ગંધે - ગંધ.
રંગ કરવો.
વિલેવણે - કેસર ચંદન વગેરેનું
વિલેપન કરવું.
વર્તી - વસ.
આસણ - આસન.
આભરણે - આભૂષણ. પડિક્કમે - હું પડિક્કમું છું. દેસિö - દિવસ સંબંધી. કંદપ્પે - કામભોગની કથા કરવી. કુક્કુઈએ - લોકોને હાંસી આવે એવી કાયચેષ્ટા કરવી.
|
મોહિર - વાચાળપણે અઘટિત વચન બોલવાં. અહિગરણ - શસ્ર વગેરે સજ્જ
કરવા. ભોગઅઇરિત્તે - ઉપભોગ-પરિ
ભોગની વસ્તુ ખપ કરતાં વિશેષ રાખવી.
ઠંડંમિ અણ્ણાએ - અનર્થદંડ
વિરમણ નામના.
તઇઅંમિ - ત્રીજા.
ગુણત્વએ - ગુણવ્રતને વિષે.
તિવિષે - ત્રણ પ્રકારના.
દુપ્પણિહાણે - દુઃપ્રણિધાન દુષ્ટ
યોગ વ્યાપારમાં. અણવટ્ટાણે - અવિનયપણે, બે ઘડી કરતાં ઓછા વખતે સામાયિક પારવું. સઇવિણે - પ્રમાદથી સામાયિક લીધું છે કે નહિ તે યાદ ન રહેવું. વિતહકએ - વિતર્થપણે અર્થાત્ ખોટી રીતે કરતાં.
પઢમે - પ્રથમ. સિક્ખાવએ - શિક્ષાવ્રતને વિષે. આણવણે - નિયમિત ભૂમિમાં
બહારથી કાંઈ ચીજ મંગાવવી. પેસવણે - પરિમાણ ઉપરાંત ભૂમિને વિષે પોતાના કાર્ય માટે બીજાને મોકલવા.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સદ્દે - પરિમાણ ઉપરાંત ભૂમિએ | પોસહવિહિ - પોસહનો વિધિ. રહેલાને ખોંખારાદિકથી જણાવવું. વિવરીએ - વિપરીત કરવાથી. રૂવે - રૂપ દેખાડીને પોતાની જાણ તઈએ - ત્રીજા.
|
સિાવએ - શિક્ષાવ્રતને વિષે.
નામના.
કરવી. | પુગ્ગલક્ષ્મવે - પદાર્થ નાખી સચ્ચિત્તે - સચિત્ત વસ્તુ. પોતાપણું જણાવવું. | નિખિવણે - નાંખવી. દેસાવગાસિઅંમિ - દેશાવકાશિક | પિહિણે - દેવા યોગ્ય વસ્તુને સચિત્ત પદાર્થ વડે ઢાંકવી. વવએસ - નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુને પારકી કહેવી અને પરની વસ્તુને પોતાની કહેવી. મચ્છરે - ક્રોધ, અભિમાન, ઇર્ષ્યા કરતાં દાન દેવું.
બીએ – બીજા . સિાવએ - શિક્ષાવ્રતને વિષે. સંથારા - સંથારા સંબંધી. ઉચ્ચારવિહિ - લઘુનીતિ તથા
|
વડીનીતિ સંબંધી.
પમાય – પ્રમાદ.
ચેવ - નિશ્ચે.
તહ ચેવ - તેમ વળી.
કાલાઇક્કમદાણે - ગોચરીનો કાળ
ભોયણાભોએ - ભોજન સંબંધી | વીતી જતાં મુનિને આમંત્રણ કરવું. ચિંતા કરવી. | ચઉત્શે - ચોથા.
સચ્ચિત્તે પડિબઢે, અપોલ દુપ્પોલિઅં ચ આહા૨ે ॥ તુચ્છોસિંહભક્ષણયા, પડિક્કમે દેસિઅં સવ્વ ॥૨૧॥
અર્થ :- સચિત્તનો ત્યાગ વા પરિમાણ છતાં પ્રમાદના વશથી અધિક સચિત્ત વાપરવાં, ચિત્ત સાથે જોડાયેલી વસ્તુ વાપરવી, નહી પકાવેલા પદાર્થ વાપરવા, અર્ધપ તથા અર્ધ ૧. દુપ્પલિએ અ (પ્રત્યન્તરે)
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૨૧ કાચા પદાર્થ વાપરવા અને તુચ્છ પદાર્થ ભક્ષણ કરવા, એ સચિત્તના ત્યાગના પાંચ અતિચાર મળેથી જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વને હું પડિક્કામું છું. ૨૧
ઈગાલી-વણ-સાડી, ભાડી-ફોડીસુવએ કર્મો . વાણિજ્જ ચેવ દંત, લખરસ-કેસ-વિસવિસયં રરા
અર્થ - કુંભાર અને ભાડભુંજા વગેરેના અગ્નિ સંબંધી કર્મ તે અંગાર કર્મ, પુષ્પ, ફળ, વનસ્પતિ, અનાજ વગેરે ઉગાડવા તથા છેદવાં તે વનકર્મ, ગાડાં, બેલ વગેરે વેચવા, વેચાવવા તે શકટકર્મ, ઘોડા, ઉંટ, બળદ વગેરે ભાડે આપવા તે ભાટિક કર્મ, કુવા, વાવ વગેરે ખોદવા, ખોદાવવા તે સ્કોટિક કર્મ, આ પાંચ કર્મ શ્રાવકે અત્યંતપણે વર્જવાં વળી નિશ્ચયે પાંચ વાણિજ્ય તેમાં હાથીદાંત, મુક્તાફળ વગેરે જ્યાં નિપજતાં હોય તે સ્થાનકે જઈ ખરીદ કરવાં તે દંતકુવાણિજ્ય; લાખ, કસુંબો, હરતાલ વગેરેનો વ્યાપાર તે લાખકુવાણિજ્ય, ઘી, તેલ, ગોળ વગેરેનો વ્યાપારતે રસકુવાણિજ્ય; મોર, પોપટ, મનુષ્ય અને પશુનો વ્યાપાર તે કેશકુવાણિજ્ય. અફીણ, સોમલ વગેરે તથા શસ્ત્રાદિનો વ્યાપાર તે વિષવિષયકુવાણિજ્ય; એ પાંચ કુવાણિજ્યને શ્રાવકે વર્જવાં. ૨૨
એવંખ જંતપિલ્લણ-કમ્મ, નિલૂંછણે ચ દવદાણું | સર-દહ-તલાય-સોસ, અસઈ-પોસ ચ વજિજ્જા ર૩
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૨
અર્થ :- એ પ્રમાણે નિશ્ચયથી ઘંટી, ચરખા પ્રમુખ યંત્રમાં શેરડી, તલ વગેરે પીલાવવા, નાક, કાન વીંધવા-વીંધાવવા, અગ્નિદાહ દેવો; સરોવર, દ્રહ અને તળાવ વગેરેને સુકાવી નાખવાં, હિંસક જીવો તથા વ્યભિચારી સ્ત્રી વિગેરેનું પોષણ કરવું. આ પાંચ સામાન્ય કર્મને શ્રાવકે વવાં. ૨૩ આઠમા વ્રતના અતિચાર
સત્યગ્નિ-મુસલ-જંતગ,-તણ-કટ્ટેમંતભૂલ-ભેસજ્જ ॥ દિન્ને દવાવિએ વા, પડિક્કમે દેસિઅં સર્વાં॥૨૪॥
અર્થ :- શસ્ર, અગ્નિ, સાંબેલું, યંત્ર, તૃણ, કાષ્ઠ, સર્પ વગેરેને ખીલવવાના (સ્થિર કરવાના) મંત્ર, નાગદમણી પ્રમુખ જડીબુટ્ટી અને ગોળી, ચૂરણ વગેરે ઉપદ્રવકારી વસ્તુઓ બીજાને આપવા થકી, બીજાની પાસે અપાવવા થકી તથા આપનારને અનુમોદવા થકી જે અતિચાર લાગ્યા હોય, તે દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કમું છું. ૨૪. હાણુ-વટ્ટણ-વશગ, વિલેવણે સદ્દરૂવ-રસ-ગંધે ॥ વત્થાસણ-આભરણે, પડિક્કમે દેસિઅં સર્વાં॥૨૫॥
અર્થ :- અણગળ પાણી વગેરેથી ન્હાવું, પીઠી ચોળી શરીરનો મેલ ઉતારવો, અબીલ, ગુલાલ, અલતાદિક તથા કેશર ચંદનાદિનું વિલેપન કરવું; શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન,
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૩ આભરણ ઈત્યાદિ અનેક ઉપભોગ સંબંધી જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કરું છું. ૨૫
કંદખે કુકકુઈએ, મોહરિ અહિગરણ ભોગઆઇરિત્તે / દંડુંમિ 'અણટ્ટાએ, તઈઅંમિ ગુણવએ નિંદે ર૬ll.
અર્થ - કામભોગની કથા કરવી, લોકોને હાંસી આવે એવી કાયચેષ્ટા કરવી, વાચાળપણે અઘટિત વચન બોલવાં, શસ્ત્ર વગેરે સજ્જ કરવાં, ઉપભોગ-પરિભોગની વસ્તુ ખપ કરતાં વિશેષ રાખવી; અનર્થદંડ વિરમણ નામના ત્રીજા ગુણવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. ૨૬
તિવિહેદુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સદવિહૂણે. સામાઇઅવિતહકએ, પઢમે સિફખાવએ નિંદે સારા
અર્થ - મન, વચન, કાયા એમ ત્રણ પ્રકારના દુપ્રણિધાન અર્થાત દુષ્ટ યોગ-વ્યાપારના ત્રણ અતિચાર, અવિનયપણે બે ઘડી કરતાં ઓછા વખતે સામાયિક પારવું. પ્રમાદથી સામાયિક લીધું છે કે નહિ તે યાદ ન રહેવું, એવી રીતે સામાયિકવિતથપણે અર્થાત્ ખોટી રીતે કરતાં પ્રથમ શિક્ષાવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. ૨૭
૧. જેથી આત્મા નિરર્થક દંડાય તે અનર્થદંડ, તેના પાંચ અતિચાર આ ગાથામાં જણાવ્યા છે અને કેવા કેવા કારણે અનર્થદંડ થાય છે તે ૨૪, ૨૫મી ગાથામાં વર્ણવેલ છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૪ દશમા વ્રતના અતિચાર આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલખેવે આ દેસાવગાસિઅંમિ, બીએ સિફખાવએ નિંદે ૨૮
અર્થ - નિયમિત ભૂમિમાં બહારથી કોઈ ચીજ મંગાવવી, પરિમાણ ઉપરાંત ભૂમિને વિષે પોતાના કાર્ય માટે બીજાને મોકલવા, પરિમાણ ઉપરાંત ભૂમિએ રહેલાને ખોંખારાદિથી જણાવવું, તેને રૂપ દેખાડવું, તેવે સ્થળે કાંઈક પદાર્થ નાંખી પોતાપણું જણાવવું. આ પાંચ અતિચાર માંહેથી દેશાવગાસિક નામના બીજા શિક્ષાવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. ૨૮
અગિયારમા વ્રતના અતિચાર સંથાચ્ચારવિહિ, પમાય તહ-ચેવ ભોયણાભોએ આ પોસહવિહિ-વિવરીએ, તઈએ સિખાવએ નિંદે રહેલા
અર્થ:- સંથારા સંબંધી બે પ્રકારના અર્થાત સંથારાને ન પડિલેહે, ન પ્રમાર્જ તથા પડિલેહ, પ્રમાર્જે તો કંઈક કરે અને કંઈક ન કરે અને લઘુનીતિ તથા વડીનીતિ સંબંધી બે પ્રકારના અર્થાત લઘુનીતિ અને વડીનીતિને પરઠવવાની ભૂમિને ન પડિલેહવી, ન પ્રમાર્જવી અને પડિલેહે, પ્રમાર્જે તો કાંઈક કરે અને કાંઈક ન કરે, એમ ચાર તથા ભોજન સંબંધી ચિંતા કરવી; અથવા પોસહ લીધો છે કે નહિ તે યાદ ન રહેવું. એ રીતે
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૫
પોસહનો વિધિ વિપરીત કરવાથી ત્રીજા શિક્ષાવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું. ૨૯
સચિત્તે નિખિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ | કાલાઇક્કમદાસે, ચઉત્થ સિફખાવએ નિદે. ૩૦
અર્થ :- સાધુને દેવાયોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવી દેવાયોગ્ય વસ્તુને સચિત્ત પદાર્થ વડે ઢાંકવી; નહીં દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુને પારકી કહેવી. અને દેવાની બુદ્ધિએ પરની વસ્તુને પોતાની કહેવી, ક્રોધ, અભિમાન, ઈર્ષા કરતાં દાન દેવું. ગોચરીનો કાળ વીતી જતાં મુનિને આમંત્રણ કરવું. ચોથા શિક્ષાવ્રતને વિષે પૂર્વોક્ત અતિચાર મધ્યેથી જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું . ૩૦
શબ્દાર્થ સુહિએસ-જ્ઞાનાદિકને વિષે જેનું | અસ્પંજએસ-અ નથી. હિત છે એવા સુવિહિતને વિષે | સ્વ - સ્વછંદ
અથવા સુખીને વિષે. | યત - યત્ન એટલે પોતાની દુહિએસુ - વ્યાધિથી પીડાએલા | સ્વેચ્છાએ વિચરવાવાળા નહીં પણ તપે કરી દુર્બળ એવાદુઃખીને વિષે. | ગુરુની આજ્ઞાએ વિચરવાવાળા જા - જે.
એવા સુસાધુને વિષે. અથવા મે - મને.
| પાસત્યાદિને વિષે. + ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ.
૧. તિથિ, પદિ લૌકિક વ્યવહારનો ત્યાગ કરે તે અતિથિ, તેમને આત્માર્થે નિર્દોષ અન્નાદિનું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે ચોથું શિક્ષાવ્રત કહેવાય છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧ ૨૬ અણુકંપા - અનુકંપા-દયા. | માણસિઅસ્સ-મનના અતિચારને. સાહૂસુ- સાધુને વિષે.
વંદણ - બે પ્રકારનાં વંદન. સંવિભાગો - સંવિભાગ. વય - બાર પ્રકારના વ્રત. ચરણ - ચરણસિત્તરી.
સિકખા - બે પ્રકારની શિક્ષા. કરણ - કરણસિત્તરી.
ગારવેસુ - ત્રણ ગારવને વિષે. જુસુ - સહિત એવા.
સન્ના - ચાર સંજ્ઞા. સંતે - હોવા છતાં.
કસાય - ચાર કષાય. ફાસુઅદાણે - નિર્દોષ અશનાદિક.
દિડેસુ - ત્રણ દંડને વિષે. ઈહલોએ - આલોકને વિષે.
ગુસુ- ત્રણ ગુપ્તિને વિષે. પરલોએ - પરલોકને વિષે.
સમિઈસુ પાંચ સમિતિને વિષે. જીવિઓ - જીવવાની.
સમ્મદિટ્ટી - સમ્યગ્દષ્ટિ.
જીવો - જીવ. મરણે - મરવાની.
જઇવિહુ - જો કે નિશ્ચયે. આસંસપઓગે-વાંચ્છાનો-મનનો
પાવ - પાપ. વ્યાપાર.
સમાયારે - કરે. પંચવિહો - પાંચ પ્રકારના.
કિંચિ - થોડું. મા - ન.
અપ્પો - અલ્પ. મજ્જ -મને.
સિ-તેનો (શ્રાવકનો)
બંધો - બંધ. મરણતે - મરણાંત સુધી. જેણ - કારણ કે. કાએણ-કાયાત્સર્ગ વગેરે કાયાના | નિદ્ધધર્સ - નિદયપણે હિંસાનો - વ્યાપારથી.
વ્યાપાર. કાઈઅસ્સ - કાયાથી વધ વગેરે | કુણઈ - કરે.
કરાયેલા અતિચારને. | તંપિહુ- તેને પણ નિશ્ચયે. વાઇઅસ્સ-વચનના અતિચારને. | સપડિક્કમણે પ્રતિક્રમણ કરવાથી વાયાએ-જિનસ્તવ વગેરે વચનના
વ્યાપારથી. | સપ્તરિઆd -પશ્ચાત્તાપ કરવાથી મણસા - મન વડે.
યુક્ત.
હુજ - હોજો.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૭ સઉત્તરગુણ - ગુરુએ આપેલાં | રાગદોસ- રાગદ્વેષથી.
પ્રાયશ્ચિત્ત કરવાથી યુક્ત. | સમસ્જિ - બાંધેલાં. ખિપ્પ - શીધ્રપણે.
આલોખંતો - ગુરુની સમીપે, વિસામેઈ - શમાવે છે.
પોતાનાં પાપ પ્રકાશતો. વાહિત્ર - વ્યાધિની જેમ. નિદંતો - આત્માની સાખે નિંદતો. સુસિખિઓ - સારી રીતે શીખેલો. | ખિપ્પ - શીધ્ર. વિજ્જો -વૈદ્ય.
હણઈ - હણે છે. જહા - જેમ.
સુસાવઓ - ભલો શ્રાવક વિસં-ઝેરને.
કયપાવો - કર્યું છે પાપ જેણે એવો. કુરંગયું - શરીરમાં વ્યાપેલા. અવિ - પણ. મંતમૂલ - મંત્ર મૂળના. મણુસ્સો - મનુષ્ય. વિસારયા - જાણનારા.
આલોઈય - પાપને પ્રકાશ કરતો. વિજ્જા - વૈદ્યો.
નિંદિય-આત્માની સામે નિંદતો. હણંતિ - હણે છે.
ગુરુસગાસે - ગુરુની સમીપે. મંતેહિ - મંત્રો વડે.
અઇરેગ - અતિશય. તો - તેથી.
લહુઓ - હલકો. નિવિસં - વિષ રહિત.
ઓહરિઅભવ્વ - જેમ ભારને અટ્ટવિહં -આઠ પ્રકારના.
ઉતારીને. કર્મ-કર્મને.
| ભારવહો - ભારને વહન કરનાર સુહિએસ અ દુહિએસુ અ; જા મે અસ્સજએસુ અણુકંપા રાગણ વદોસણ વ, તં નિંદે તં ચ ગરિયામિ ૩૧
અર્થ - જ્ઞાનાદિને વિષે હિત છે જેનું એવા સુવિહિતને વિષે તથા વ્યાધિથી પીડાયેલા, તપે કરીને દુર્બળ અને તુચ્છ
૧. અહીં અનુકંપાને નિંદી નથી પણ રાગ-દ્વેષની નિંદા કરી છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઉપધિવાળા એવા દુઃખીને વિષે. તથા ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે, રાગથી (આ મારો પુત્ર છે. આ મારો સગો છે ઇત્યાદિ બુદ્ધિએ)વા દ્વેષથી (આ સાધુઓને કોઈ દેતું નથી, મલિન શરીરવાળા છે, આશ્રય વિનાના છે ઇત્યાદિ બુદ્ધિએ) મને જે અન્નાદિ દેવારૂપ અનુકંપા થઈ હોય તેને હું નિંદું છું અને ગુરુની સાખે ગહું છું, અથવા વસ્ત્રાદિકે સુખી, રોગવડે દુઃખી એવા અસંયતી પાસસ્થાદિકને રાગથી (આશીર્ભાવથી અથવા પરિચયાદિ કારણે) અથવા દ્વેષથી જે મને દયા થઈ હોય તેને નિંદું છું અને ગુરુની સાખે ગહું છું અથવા અસંયત એટલે છકાયનો વધ કરનારા બ્રાહ્મણ, ભીખારી આદિ સુખી અગર દુઃખીને રાગ દ્વેષ કરીને દાન આપતાં જે અતિચાર લાગ્યો હોય તેને નિંદું છું અને ગુરુની સાખે ગહું છું. ૩૧
સાહૂસુ સંવિભાગો, ન કઓ તવચરણકરણ-જુન્નેસુ ॥ સંતે ફાસુઅદાણે, તં નિંદે તેં ચ ગરિહામિ ॥૩૨॥
અર્થ :- તપ તથા ચરણસિત્તરી અને કરણસિત્તરીએ સહિત એવા સાધુઓને વિષે; નિર્દોષ અશનાદિક હોવા છતાં મારે સંવિભાગ (આતિથ્ય)ન કીધો હોય, તેથી જે અતિચાર લાગ્યા હોય તેને હું નિંદું છું અને ગુરુની સાખે ગહું છું. ૩૨
+ આથી લાંબું અશુભ આયુષ્ય બંધાય છે. જે માટે આગમમાં કહ્યું છે કે તેવા રૂપના સાધુ, બ્રાહ્મણ, સંયત, પાપકર્મને હણનાર અને તેનું પ્રત્યાખ્યાન કરનાર એ બધાની હિલના, નિંદા, ખ્રિસા, ગહ અગર અન્ય કોઈ અપ્રીતિના પ્રકા૨પૂર્વક અશનાદિકે કરી દાન આપે તો પ્રાણી અશુભ લાંબું આયુષ્ય બાંધે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૯
સંલેષણાના અતિચાર ઈહલોએપરલોએ, જીવિઅ-મરણે આ આસંસપઓગેપંચવિહો અઈયારો, મા મઝ હુજ્જ મરણે તે ૩૩
અર્થ:- ધર્મના પ્રભાવથી આ લોકને વિષે સુખની વાંચ્છા તથા પરલોકમાં દેવેન્દ્રાદિના સુખની વાંચ્છા; અનશનને લીધે સન્માન દેખી જીવવાની વાંચ્છા; તથા દુઃખ આવે મરવાની વાંચ્છા; અને એ શબ્દ થકી, કામભોગને વિષે તીવ્ર ઈચ્છા; સંલેષણા સંબંધી આ પાંચ પ્રકારના અતિચાર મને મરણાંત સુધી ન હોજો. ૩૩
ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર કાએણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએા મણસા માણસિઅસ્સ, સવ્યસ્ત વયાઇઆરસ્સl૩૪ો
અર્થ:- કાયાથી વધાદિકે કરાયેલા અતિચારને કાયોત્સર્ગાદિ જે કાયાના શુભ વ્યાપારને તેણે કરી; આળ પ્રમુખ દેવાના વચનના અતિચારને જિનસ્તવનાદિ શુભવચનના વ્યાપાર કરીને અને દેવતત્ત્વાદિને વિષે શંકા પ્રમુખ મનના અતિચારને અનિત્યાદિ ભાવનાના શુભ ચિંતવને કરીને; એમ સર્વ વ્રતના અતિચારને હું પડિક્કામું છું. ૩૪
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૩૦
વંદણ વય સિફખાગા-રવેસુ સન્નાકસાય-દંડેસુPII ગુત્તીસુ અસમિઈસુ અ, જો અઈઆરો ‘અ તં નિંદે રૂપા.
અર્થ:- બે પ્રકારનાં વંદન, બાર પ્રકારનાં વ્રત, બે પ્રકારની શિક્ષા (ગ્રહણ અને આસેવન રૂ૫), ત્રણ ગારવ, ચાર સંજ્ઞા, ચાર કષાય, ત્રણ દંડ, ત્રણ ગુણિ, પાંચ સમિતિ અને ચ શબ્દથી શ્રાવકની અગિયાર પડિમા તેને વિષે જે અતિચાર લાગ્યો હોય તેને હું નિંદું છું. ૩૫
સમ્મક્રિટ્ટિજીવો, જછવિ હુ પાવ સમાયરે-કિંચિ અપ્પો સિ હોઇ બંધો, જેણ ન
૧. ચૈત્યવંદન અને ગુરુવંદન. ૨. સ્કૂલપ્રાણાતિપાત વિરમણ આદિ શ્રાવકનાં બાર વ્રત. ૩. ગ્રહણ અને આસેવનરૂપ બે પ્રકારની શિક્ષા. તેમાં શ્રાવક સામાયિક આદિ સૂત્રાર્થ શીખે તે (૧) ગ્રહણશિક્ષા અર્થાત્ જઘન્યથી અષ્ટ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટથી દશવૈકાલિકના છજીવણીયા અધ્યયન સુધી અર્થ સાથે શીખે. (૨) આસેવન શિક્ષા તે નવકારથી માંડી શ્રાવકના દિવસ સંબંધી સર્વ ધર્માનુષ્ઠાન સેવે-પાળે છે. અર્થાત્ ઉઠતી વખતે નવકાર ગણીને જાગે. પછી પોતાનું સ્વરૂપ વિચારે. ઈત્યાદિ શ્રાદ્ધદિનકૃત્ય આદિ ગ્રંથોમાં કહેલાં શ્રાવકનાં અનુષ્ઠાનો પાળે.
૪. રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ. ૫. ચાર દશ, અથવા સોળ સંજ્ઞા.
૬. કષ એટલે સંસાર, તેનો આય એટલે લાભ જેનાથી થાય તે કષાય ચાર છે, ક્રોધ, માન, માયા અને લોભ. ૭. જેના વડે ધર્મ-ધનથી આત્મા દંડાય તે દંડ ત્રણ છે, મન, વચન અને કાયા અથવા મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિયાણશલ્યરૂપ છે.
૮. તય ઇતિ પાઠાન્તરે. ૯. સમાયરઇ ઇતિ પાઠાન્તરમ્.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૩૧ નિદ્ધધર્સ કુણઈ ૩૬ll
અર્થ:- સમ્યગુદૃષ્ટિ જીવ જો કે થોડું પણ પાપ કરે, તો પણ તેને અલ્પ બંધ હોય, કારણ કે તે નિર્દયપણે હિંસાદિ વ્યાપાર કરતો નથી. ૩૬ - તંપિ હુ સપડિક્કમણ, સપરિઆવે સઉત્તરગુણં ચ | ખિપ્પ વિસામેઈ, વાહિબ સુસિખિઓ વિ ૩૭
અર્થ - પ્રતિક્રમણ કરવે કરી, વળી પશ્ચાત્તાપ કરવે કરી. તેમજ ગુરુએ દીધેલા પ્રાયશ્ચિત્તાદિ કરવે કરી યુક્ત શ્રાવક, જેમ રૂડી રીતે શિખેલો વૈધ વ્યાધિને ઉપશમાવે છે તેમ, નિશ્ચયથી તે અલ્પકર્મના બંધને શીધ્રપણે ઉપશમાવે છે. ૩૭
જહાવિસ કુટુંગયું, મંતમૂલવિસારયા || વિજા હણંતિ મંતહિં, તો તે હવાઈ નિવિસ૩૮
અર્થ - જેમ શરીરમાં વ્યાપેલા સર્પાદિકના વિષને મંત્રમૂળના જાણનારા વૈદ્ય, મંત્રોએ કરીને નાશ કરે છે, તે વારે તે શરીર વિષ રહિત થાય છે. ૩૮
એવં અટ્ટવિહં કમ્મ, રાગદોસસમસ્જિ II આલોખંતો અ નિંદતો, ખિપ્પ હણઈ સુસાવ ૩૯
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૩૨
અર્થ :- એ જ પ્રમાણે ગુરુની સમીપે પોતાનાં પાપ પ્રકાશતો, વળી આત્મસાખે નિંદતો એવો ભલો શ્રાવક રાગદ્વેષથી બાંધેલાં એવાં આઠ પ્રકારનાં કર્મને શીઘ હણે છે. ૩૯ કયપાવો વિ ઉમણુસ્સો, આલોઇય-નિદિય ગુરુસગાસે હોઈ અઈરેગ લહુઓ, ઓહરિઅભસવ્વ ભારવહો ૪૦ના
અર્થ:-જેમ ભારને વહન કરનાર ભારને ઉતારીને હળવો થાય છે તેમ કરેલાં છે પાપ જેણે એવો મનુષ્ય ગુરુની સમીપમાં જ પાપને પ્રકાશ કરતો થકો તથા આત્મસાખે નિંદા કરતો થકો પાપથી અત્યંત હળવો થાય છે. ૪૦
શબ્દાર્થ આવસ્સએણ - આવશ્યક કરવાથી. | મૂલગુણ - મૂળગુણને વિષે. બહુરઓ- આરંભ તથા પરિગ્રહથી | ઉત્તરગુણે - ઉત્તરગુણને વિષે.
ઘણાં પાપવાળો. | નિંદે - હું નિંદુ છું. દુફખાણું - પાપરૂપ દુઃખનો. ગરિહામિ-ગુરુની સાખે ગણું છું. અંતકિરિએ નાશ.
ધમ્મસ્સ - શ્રાવક ધર્મને. કાહી - કરશે.
કેવલિપન્નત્તસ્સ - કેવળીભાષિત. અચિરેણ - થોડા.
અભુઠ્ઠિઓમિ- હું ઉક્યો છું. કાલેણ - કાળમાં.
આરાણાએ આરાધનાને માટે. આલોયણા - આલોવવાની રીતિ. | વિરઓમિ - હું નિવ છું. બહુવિહા - બહુ પ્રકારની છે. વિરાહણાએ ધર્મની વિરાધનાથી. સંભરિઆ - સંભારી હોય. | પડિઝંતો - પાપથી નિવર્યો થકો. પડિક્કમણકાલે - પ્રતિક્રમણ | ચિર-સંચિઅ - લાંબા કાળથી કરવાને અવસરે.
એક્કાં કરેલાં. ૧. મણસો ઇતિ પાઠાન્તરમ્.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૩ પણાસણીઇ - નાશ કરનારી. | વિવરીય- વિપરીત. ભવ - ભવને.
પરૂવણાએ - પ્રરૂપણા કરવાથી. સયસહસ્સ - શતસહસ્ર લાખ. ખામેમિ-ખમાવું છું. મહણીએ - હણનારી.
સવજીવે - સર્વ જીવોને. વિણિગ્ગય - મુખથી નીકળેલી.
સવે-સર્વ. કહાઈ - કથાએ કરવે કરીને.
જીવા - જીવો. વોલંતુ - વ્યતીત થાઓ.
ખમંતુ - ખમજો. દિઅહા- દિવસો.
મે - મારે. મમ- મારે.
મિરી -મૈત્રી છે. મંગલ - મંગળરૂપ હો.
સવભૂસુ- સર્વ જીવોની સાથે. અરિહંતા - અરિહંત ભગવાન.
વેર - વૈરભાવ. સિદ્ધા - સિદ્ધ ભગવાન.
મન્ઝ - મારે. સાહુ - સાધુ મહારાજા.
કેણઈ- કોઈ જીવ સાથે. સુઅ - શ્રુતધર્મ.
અહં .. ધમો - ચારિત્ર ધર્મ. સમ્મદિકી - સમ્યગુદષ્ટિ.
આલોઈઅ - પાપ આલોચ્યું. દેવા-દેવતાઓ.
(પ્રકાશ્ય). રિંતુ આપો.
નિદિ-આત્માની સાખેનિંદા કરી. સમાહિ- ચિત્તની સ્થિરતા.
ગરહિઅ-ગુરુસાખે ગણા કરી. બોહિં - સમ્યકત્વ.
દુગંછિએ-દુર્ગછા કરીને. પડિસિદ્ધાણં - નિષેધવા યોગ્ય | સમ્મ - સમ્યફ પ્રકારે.
અશુભ કાર્ય. | તિવિહેણ - ત્રિવિધ-મન, વચન, કરણે - કરવાથી.
કાયાએ કરી. કિચ્ચાણ - કરવા યોગ્ય શુભ કાર્ય. પડિઝંતો - પડિક્કમતો થકો. અકરણે -ન કરવાથી.
(પાછા હઠતો થકો). પડિક્કમણું - પ્રતિક્રમણ છે. | વંદામિ- હું વંદના કરું છું. અસદુહણે - સૂક્ષ્મ વિચાર ઉપર | જિણે - જિનને.
શ્રદ્ધા ન કરવાથી. | ચઉવ્વીસ - ચોવીશ.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આવસ્સએણ એએણ, સાવઓ જઇવિ બહુરઓ હોઇ ।। દુક્ષાણમંતકકરઅં, કાહી અચિરેણ કાલેણ II૪૧||
અર્થ :- જો કે આરંભ તથા પરિગ્રહે કરી ઘણાં પાપ વાળો શ્રાવક હોય તો પણ આ પડિક્કમણાદિ આવશ્યક કરવાથી થોડા કાળમાં જ તે પાપરૂપ દુઃખોનો વિનાશ કરશે. ૪૧ વિસ્તૃત થયેલ અતિચાર
આલોઅણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણકાલે । મૂલગુણ-ઉત્તરગુણે, તં નિંદે તં ચ ગરિહામિ ॥૪૨॥
અર્થ :- ગુરુ પાસે પાપ આલોવવાની રીતિ ઘણા પ્રકારની છે, તે પ્રતિક્રમણ કરવાના અવસરે જે ન સાંભરી હોય; તે ન સંભારવા થકી મૂળગુણને વિષે તથા ઉત્તરગુણને વિષે જે અતિચાર લાગ્યો હોય; તેને આત્મસાખે નિંદું છું અને ગુરુની સાખે ગહું છું. ૪૨
તસ્સ ધમ્મસ કેવલિપશત્તસ્સ II અબ્દુઢિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ ॥ તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસ ॥૪॥
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૫
અર્થ :- તે કેવળીભાષિત શ્રાવકધર્મની આરાધનાને માટે હું ઉઠ્યો છું, વળી તે ધર્મની વિરાધના થકી હું નિવર્યો છું, ત્રિવિધે કરી નિવર્ષો થકો, ચોવીશ જિનને હું વાંદું છું. ૪૩
સર્વ ચૈત્યવંદન
જાવંતિ ચેઇઆઇ, ઉદ્ધે અ અહે અ તિરિઅલોએ અ II સવ્વાઈ તાઇ વંદે, ઇહ સંતો તત્વ સંતાઇ ૪૪ના
અર્થ :- પૂર્વે લખેલ છે. ૪૪. (પેજ નં. ૫૭માં જુઓ) સર્વ સાધુવંદન
જાવંત કેવિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ ॥ સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિરયાણું ॥૪૫મા
અર્થ :- પૂર્વે લખેલ છે. ૪૫. (પેજ નં. ૫૮માં જુઓ) શુભ ભાવની પ્રાર્થના
ચિરસંચિય પાવપણાસણીઇ, ભવસયસહસ્ય મહણીએ II ચઉવીસ-જિણ-વિણિગય-કહાઇ, વોલંતુ મે દિઅહા ।।૪૬॥
અર્થ :- ચિરકાળથી એક્ઠાં કરેલાં પાપનો નાશ કરનારી, શતસહસ્ર અર્થાત્ લક્ષ ભવને હણનારી, એવી ચોવીશ તીર્થંકરોના મુખથી નીકળેલી કથા કરવે કરીને મારા દિવસો વ્યતીત થાઓ. ૪૬
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુચધમો અ // “સમ્મદિઠ્ઠી દેવા, રિંતુ સમાહિં ચ બોહિં ચ ૪.
અર્થ - શ્રીઅરિહંત, સિદ્ધ ભગવાન, વળી સાધુ મહારાજો, મૃતધર્મ તથા ચારિત્ર ધર્મ એ મારે મંગલરૂપ છે. વળી સમ્યગૃષ્ટિ દેવતાઓ મને ધર્મને વિષે ચિત્તની સ્થિરતા તથા પરભવે સમ્યકત્વ (જિનધર્મની પ્રાપ્તિ) આપો. ૪૭
કયા કારણે પ્રતિક્રમણ કરવું? પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું | અસહણે આ તહા, વિવરીયપર્વણાએ આ૪૮.
૧. અહીં કોઈ શંકા કરે કે દેવો સમાધિ-બોધિ આપવાને સમર્થ છે કે નહિ? સમર્થ હોય તો સર્વને શા માટે નથી આપતા? અને અસમર્થ હોય તો પ્રાર્થના કરવી ફોગટ છે. કદાચ યોગ્યતાવાળાને જ આપે એમ કહેશો તો પછી બકરીના ગળાના આંચળની માફક તેમની પ્રાર્થના કરવે કરીને શું ? તેનું શાસ્ત્રકાર સમાધાન કરે છે કે - સર્વત્ર યોગ્યતા એજ પ્રમાણ છે. પરંતુ જેમ ઘડો બનાવવાને માટીની યોગ્યતા છે ખરી, તો પણ કુંભાર, ચક્ર, ચીવર, દંડાદિક સર્વ તેનાં સહકારી કારણ છે. તેમ અહીં પણ ભવ્ય જીવની યોગ્યતા છતાં કુંભાર, ચક્રાદિ કારણની પેઠે બીજાની સહાયની જરૂર પડે છે. એટલે નડતાં વિપ્નોનું નિવારણ કરી દેવતાઓ સમાધિ-બોધિ આપી શકે છે માટે પ્રાર્થના કરવી યોગ્ય છે.
૨. આ ગાથાથી વ્રતધારી અને અવ્રતી સર્વ જીવોએ અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ એમ સિદ્ધ થાય છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૭
અર્થ:- નિષેધવા યોગ્ય (શંકા, વધાદિ અશુભ કાર્યને) કરવે કરી તથા કરવા યોગ્ય (દેવપૂજા, સામાયિકાદિ શુભ કાર્યને) ન કરવે કરી, વળી (નિગોદાદિ સૂમ વિચારને) અણસહવે કરી અને જિનાગમથી વિરૂદ્ધ પ્રરૂપણા કરવે કરી જે પાપ લાગ્યું હોય તે દૂર કરવાને પ્રતિક્રમણ કરવાનું) છે. ૪૮
સર્વજીવ પ્રત્યે ક્ષામણા ખામેમિ સવજીવે, સવ્વ જીવા ખમંતુ મે | મિત્તી એ સવ્વભૂએસ, વેરં મજ્જન કેણઈ ૪૯તા.
અર્થ:- સર્વ જીવોને હું નમાવું છું. સર્વ જીવો મારા અપરાધને ખમજો-માફ કરજો. મારે સર્વ જીવોની સાથે મૈત્રીભાવ છે. કોઈ જીવની સાથે મારે વૈરભાવ નથી. ૪૯
એવ-મહં આલોઇએ, નિદિઆ ગરહિએ દુગંછિએ સમ્મ | તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસ આપવા
અર્થ:- આ પ્રમાણે સમ્યફપ્રકારે પાપ આલોચું, આત્માની સાખે નિંદા કરી, ગુરુ સાખે ગર્વણા કરી અને દુર્ગછા કરી અને ત્રિવિધ પડિક્કમતો થકો ચોવીશ જિનને હું વાંદું છું.૫૦
ઈતિ વંદિતા સૂત્ર. ૩૩
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૮
૩૪. અભુઢિઓ (ગુરુખામણા) સૂત્ર
શબ્દાર્થ અભિતર - અંદર.
સમાસણે - ગુરુની બરાબર દેવસિઅં- દિવસના અપરાધને.
આસને બેસવાને વિષે. ખામેઉં - ખામવાને.
અંતરભાસાએ- ગુરુ બોલતા હોય ખામેમિ - ખામું છું.
તેની વચ્ચે બોલવામાં. જે કિંચિ - જે કોઈ.
ઉવરિભાસાએ- ગુરુએ કહેલી વાત અપત્તિએ અપ્રીતિભાવ. તેને વધારીને વિશેષપણે કહેવામાં. પરપત્તિ વિશેષ અપ્રીતિભાવ. જંકિંચિ - જે કાંઈ. ભ - ભોજનને વિષે. મઝ . પાણે પાણીને વિષે. વિણયપરિહાણે - વિનય રહિતપણું વિણએ - વિનયને વિષે.
કર્યું હોય. આવચ્ચે - વૈયાવચ્ચને વિષે. | સુહુર્મ - સૂક્ષ્મ. આલાવે - એકવાર બોલવાને વિષે. | બાયરે - બાદર-સ્થૂળ. સંલાવે - વારંવાર બોલવાને વિષે. | તુલ્મ - તમે. ઉચ્ચાસણે - ગુથી ઉંચે આસને | જાણહ - જાણો છો.
બેસવાને વિષે. | ન જાણામિ - જાણતો નથી. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અભૂઢિઓમિ અભિતર દેવસિએ ખામેઉં? ઇચ્છ, ખામેમિ દેવસિ.
અર્થ - હે ભગવન્! ઇચ્છાપૂર્વક આપ મને આદેશ આપો, હું દિવસમાં કરેલા અપરાધને ખમાવવાને ઉક્યો છું. ગુરુ કહે (ખામેહ) ખમાવો, શિષ્ય કહે (ઇચ્છ) હું એ જ ઇચ્છું છું. (અને) દિવસ સંબંધી અપરાધ પ્રત્યે ખાખું છું.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૯ જંકિંચિ અપત્તિએ, પરંપત્તિએ, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતર-ભાસાએ, ઉવરિભાસાએ.
અર્થ :- જે કાંઈ અપ્રીતિભાવ કે વિશેષ અપ્રીતિભાવ ઉપાય ઉપજાવ્યો હોય (શેને વિષે?) ભોજનને વિષે, પાણીને વિષે, વિનયને વિષે, વૈયાવચ્ચને વિષે, એક વાર બોલવાને વિષે, વારંવાર બોલવાને વિષે, ગુરુથી ઉંચા આસને બેસવાને વિષે, ગુરુની બરાબર આસને બેસવાને વિષે, ગુરુ બોલતા હોય તેની વચ્ચે બોલવામાં, ગુરુએ કહેલી વાત વિશેષપણે કહેવામાં.
જંકિંચિ મઝ વિણય-પરિહાણે, સુહુમ વા બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડ
અર્થ - જે કાંઈ મારે (જીવે) સૂક્ષ્મ વાસ્થૂલવિનય રહિતપણું કર્યું હોય તે તમે જાણો છો; હું જાણતો નથી તે મારું પાપ મિથ્યા થાઓ.
ગુરુ (૧૫), લઘુ (૧૧૧), સર્વવર્ણ (૧૨૬).
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ૩૫. આયરિય ઉવજઝાએ સૂત્ર
શબ્દાર્થ આયરિય - આચાર્ય.
અંજલિ- બે હાથ. ઉવઝાએ - ઉપાધ્યાય. કરિય - જોડીને. સીસે - શિષ્ય.
સીસે - મસ્તક ઉપર. સાહમિએ - સાધર્મી. ખમાવઈરા - ખમાવીને. કુલ - એક આચાર્યનો પરિવાર. નમામિ - ખમું છું. ગણે - એક વાચનાવાળો ઘણા સવસ-સર્વના કરેલા અપરાધને. આચાર્યનો પરિવાર.
અહયંપિ - હું પણ. કેઈ - કોઈ પણ પ્રકારનો.
જીવરાસિમ્સ-જીવોના સમૂહના કસાયા - કષાય કર્યો હોય.
સંબંધમાં કરેલા અપરાધ પ્રત્યે. સબે - તે સર્વને.
ભાવઓ - ભાવથી. તિવિહેણ - ત્રિવિધ કરીને.
ધમ ધર્મને વિષે. ખામેમિ - હું જાણું છું.
નિતિય - સ્થાપ્યું છે. સવમ્સ - સર્વ.
નિયચિત્તો - પોતાનું ચિત્ત જેણે. સમણસંઘમ્સ - શ્રમણસંઘરૂ૫.
ખમાવઈરા - ખમાવીને. ભગવઓ - ભગવંતના સંબંધમાં
કરેલા અપરાધ પ્રત્યે !
આયરિય ઉવજઝાએ, સીસે, સાહગ્નેિએ કુલગણે અને જે મે કઈ કસાયા, સવે તિવિહેણ ખામેમિ
અર્થ:- આચાર્ય, ઉપાધ્યાય તેમના શિષ્ય, સાધર્મી, એક આચાર્યનો પરિવાર, તથા ઘણા આચાર્યનો પરિવાર, તે સર્વેના
૧. આ સૂત્રવડે આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધુ સમુદાય, સંઘ અને સર્વ જીવોની સાથે સામણા થાય છે, માટે સૂત્ર બોલતી વખતે બરાબર ઉપયોગ રાખવામાં આવે તો કર્મનિર્જરા થાય.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૪૧
ઉપર જે કોઈપણ પ્રકારનો કષાય મારે જીવે કર્યો હોય તે સર્વેને ત્રિવિધે કરી ખામું છું. ૧
સવ્વસ્સ સમણ-સંઘમ્સ, ભગવઓ અંજલિ કરિયસીસે ॥ સર્વાં ખમાવઇત્તા, ખમામિ સવ્વસ્સે અહયંપિ ॥૨॥
અર્થ :- સર્વ શ્રમણ સંઘરૂપ ભગવંતના સંબંધમાં કરેલ જે અપરાધ તે સર્વ અપરાધને મસ્તકની ઉપર બે હાથ જોડીને ખમાવીને તે સર્વના કરેલા અપરાધને હું પણ ખમું છું. ૨
સવ્વસ્ટ જીવરાસિસ્ટ, ભાવઓ ધમ્મ નિહિય-નિયચિત્તો ॥ સર્વાં ખમાવઇત્તા, ખમામિ સવ્વસ્સે અહયંપિ ॥૩॥
અર્થ :- ભાવથી ધર્મને વિષે સ્થાપ્યું છે પોતાનું ચિત્ત જેણે એવો હું સર્વ જીવોના સમૂહના સંબંધમાં કરેલા અપરાધ પ્રત્યે, સર્વને ખમાવીને, હું પણ સર્વ પ્રત્યે ખમું છું. ૩.
ગાથા (૩),પદ (૧૨), ગુરુ (૧૯), લઘુ (૯૧), સર્વવર્ણ (૧૧૦) ઇતિ ખામણા સૂત્ર ૩૫. ક
૩૬. નમોડસ્તુ વર્ધમાનાય
શબ્દાર્થ
ઇચ્છામો - અમે ઇચ્છીએ છીએ. અણુદ્યુિં - ગુરુ આજ્ઞાને.
ખમાસમણાણું - ક્ષમાશ્રમણને.
અસ્તુ - થાઓ.
૧. સંધ્યા પ્રતિક્રમણ કરતી વખતે છ આવશ્યક પૂરાં થયા પછી તેના હર્ષ નિમિત્તે શ્રી વીર પરમાત્માની સ્તુતિ બોલાય છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
વર્ધમાનાય - વર્તમાનસ્વામીને. સ્પર્ધમાનાય - સ્પર્ધા કરનાર. કર્મણા - કર્મની સાથે. તજ્જય - તે કર્મના જયથી.
અવામમોક્ષાય - મોક્ષને પ્રાપ્ત
થયેલા.
પરોક્ષાય - આંખથી પર. કુતીર્થિનામ્ - મિથ્યાત્વીઓને.
યેષાં - જેઓના.
વિકચ - ખીલેલા.
અરવિંદ - કમળોની.
રાજ્યા - પંક્તિ વડે.
જ્યાયઃ - પ્રશંસા કરવા યોગ્ય.
૧૪૨
ક્રમ - ચરણરૂપ. કમલાવલિ – કમળની શ્રેણીને. દધત્યા - પોતાની ઉપર ધારણ
કરતી.
સદñ - સરખાની સાથે.
ઇતિ - એ પ્રકારે.
સંગતં - મળવું. પ્રશસ્ય - પ્રશંસનીય. કથિત - કહેલું છે. સંતુ - થાઓ.
શિવાય - મોક્ષને અર્થે.
તે - તે.
જિવેંદ્રાઃ - જિનેન્દ્રો.
કષાયતાપ - કષાયરૂપ તાપથી.
| અર્દિત - પીડિત એવા.
| જંતુ - પ્રાણીઓને. નિવૃતિ - શાન્તિ. કરોતિ - કરે છે.
યો - જે.
જૈન - ગણધરના.
મુખ - મુખરૂપી.
અંબુદ - મેઘથી. ઉગતઃ - નીકળેલો. સ - તે.
શુક્રમાસ - જેઠ માસમાં, | ઉદ્ભવ - ઉત્પન્ન થયેલા. | વૃષ્ટિ - વર્ષાદના. સંનિભો - જેવો.
દધાતુ - કરો.
તુષ્ટિ - સંતોષ.
મયિ - મારે વિષે.
વિસ્તરો - વિસ્તાર. ગિરાં - વાણીનો.
ઇચ્છામો અણુસž, નમો ખમાસમણાણું ।।
નમાડહત્ ॥
Page #146
--------------------------------------------------------------------------
________________
નમસ્કા
૧૪૩ અર્થ - અમે ગુરુ આજ્ઞાને ઇચ્છીએ છીએ; ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ.
નમોડસ્તુ વર્તમાનાય, સ્પર્ધ્વમાનાય કર્મણા ને તજ્જયાવાતમોક્ષાય, પરોક્ષાય કુતીર્થિનામુ ૧૫.
અર્થ - કર્મની સાથે સ્પર્ધાના કરનાર, તે કર્મનો જય કરીને મોક્ષ પ્રાપ્ત કરનાર અને કુતીર્થિઓથી પરોક્ષ એવા વર્તમાન સ્વામિને નમસ્કાર થાઓ. ૧
યેષાં વિચારવિન્દરાજ્યા, જ્યાય - ક્રમ-કમલાવલિં દધત્યા સૌરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રાઃ રા.
અર્થ:- જે જિનેન્દ્રોની પ્રશંસનીય ચરણકમળની શ્રેણીને (પોતાની ઉપર) ધારણ કરતી એવી વિકસ્વર કમળોની શ્રેણી તેનું સરખાની સાથે મળવું તે અતિ પ્રશંસનીય છે એમ કહેલું છે, તે જિનેન્દ્રો મોક્ષને અર્થે થાઓ. ૨
કષાયતાપાર્દિત-જન્તુનિવૃતિ, કરોતિયો જૈનમુખાસ્તુદોડ્યતઃ | સ શુક્રયાસોદ્ ભવવૃષ્ટિસત્રિભો, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરા ૩
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અર્થ - જે ગણધર મહારાજના મુખરૂપી મેઘથકી નિકળેલ વાણીનો વિસ્તાર, કષાયરૂપતાપથી પીડિત એવા પ્રાણીઓને શાન્તિ કરે છે, વળી જે જ્યેષ્ઠ માસમાં ઉત્પન્ન થયેલા વરસાદ સરખો છે, તે (સિદ્ધારૂપ વાણીનો વિસ્તાર) મારે વિષે સંતોષ કરો. ૩.
૩૭. વિશાલલોચન
શબ્દાર્થ વિશાલ - વિશાળ છે. | તૃણમપિ - તૃણ તુલ્ય પણ. લોચનદલ નેત્રરૂપી પત્ર જેમાં. | ગણયત્તિ - ગણતા. પ્રોદ્યમ્ - પ્રકાશમાન.
નૈવ- નથી જ. દંતાંશુ - દાંતના કિરણરૂપ. નાકમ્-સ્વર્ગને. કેસર-કેસરવાળું.
પ્રાતઃ- પ્રાત:કાળે. પ્રાતઃ-પ્રાત:કાળે.
સંત - થાઓ. વીરજિનેન્દ્રશ્ય-શ્રી વીર ભગવાનનું.
| શિવાય મોક્ષને અર્થે. મુખપદાં - મુખરૂપી કમળ.
તે - તે.
જિનંદ્રા - જિનેન્દ્રો. પુનાતુ - પવિત્ર કરો.
કલંક - કલંકથી. વ: - તમને. યેષાં- જે જિનેન્દ્રોનું.
નિર્મુક્તમ્ - રહિત.
અમુક્ત -નથી મુકાણી. અભિષેકકર્મ-સ્નાન કર્મ
પૂર્ણત - પૂર્ણતા જેની. કૃત્વા - કરીને.
કુતર્ક-ક્તર્કકરનારા અન્ય મતિરૂપ. મત્તા - ઉન્મત્ત થયેલા.
રાહુ - રાહુને. હર્ષભરાત્ - હર્ષના સમૂહથી.
ગ્રસન - ભક્ષણ કરનાર. સુખ-સુખરૂપ.
| સદોદય - હંમેશાં ઉદય પામેલા. સુરેન્દ્રાઃ- દેવતાના ઇન્દ્રો.
| અપૂર્વચંદ્ર - અપૂર્વ ચંદ્રરૂપ. ૧. પ્રભાત સમયે રાઈ પ્રતિક્રમણના છ આવશ્યક પછી આ સ્તુતિ બોલાય છે માટે પ્રભાતિક-વીર-સ્તુતિઃ એ નામ પણ આપવામાં આવેલ છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૫
જિનચંદ્ર - જિનચંદ્રના. | નૌમિ - હું નમસ્કાર કરું છું. ભાષિત - આગમને.
બુધ - પંડિતોએ. દિનાગમે - પ્રભાત સમયે. | નમસ્કૃત-નમસ્કાર કરેલા.
વિશાલ-લોચન-દલ, પ્રોદ્યદતાંશુકેસરમ્ | પ્રાર્ધીરજિનેન્દ્રસ્ય, મુખપદ્મ પુનાતુ વ://૧
અર્થ - જે મુખકમળને વિષે વિશાળ નેત્રોરૂપ પત્ર છે તથા અત્યંત ઝળહળતા એવા દાંતના કિરણરૂપ કેસર (સુગંધના કણીયા) છે, તે વીર જિનેન્દ્રનું મુખકમળ પ્રભાત સમયે તમને પવિત્ર કરો. ૧
યેષામભિષેકકર્મ કૃત્વા, મત્તા હર્ષ-ભરાત્ સુખ સુરેન્દ્રાઃ તૃણમપિ, ગણયત્તિ નૈવ નાકે, પ્રાતઃ સન્ત શિવાય તે જિનેન્દ્રા તેરા
અર્થ :- જે જિનેન્દ્રોના અભિષેક કાર્યને કરીને, હર્ષના સમૂહમાં મગ્ન થયેલા એવા દેવેન્દ્રો, દેવલોક સંબંધી સુખને તૃણ તુલ્ય પણ ગણતા નથી જ, તે જિનેન્દ્રો પ્રભાત સમયે મોક્ષને અર્થે થાઓ. ૨
કલંકનિર્મુક્તમમુક્તપૂર્ણત, કુતર્ક-રાહુગ્રસનું સદોદયમ્ | અપૂર્વચંદ્ર જિનચન્દ્રભાષિત, દિનાગમે નૌમિ, બુધેર્નમસ્કૃતમ્ IIકા.
૧૦
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૬ અર્થ :- જે જિનચક્રનું આગમ કલંક રહિત છે, નથી મુકાણી પૂર્ણતા જેની એવું છે, કુતર્ક કરનારા પરદર્શની રૂ૫ રાહુને ભક્ષણ કરનાર છે, નિરંતર ઉદય પામેલા અપૂર્વ ચંદ્ર સમાન છે અને જેને પંડિતોએ નમસ્કાર કરેલો છે, તે જિનચન્દ્રના આગમને હું પ્રભાત સમયે નમસ્કાર કરું છું. ૩
૩૮. મૃતદેવતાની સ્તુતિ
| શબ્દાર્થ સુઅદેવયાએ-શ્રુતદેવતાને અર્થે. | ખવેલ - લય કરો. સુઅદેવયા - શ્રુતદેવતા. | સયયં - નિરંતર. ભગવઈ - ભગવતી.
જેસિં - જેઓની. નાણાવરણીય - જ્ઞાનાવરણીય. | સુઅસાયરે - શ્રતરૂપસાગરને વિષે. કમ્મસંઘાય - કર્મના સમૂહને. | ભત્તી - ભક્તિ છે. તેસિં- તેઓનાં.
સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગં૦ || સુઅદેવયા ભગવઈ, નાણાવરણીયકમ્મસંઘાય છે તેસિં ખવેઉ સયય, જેસિં સુઅસાયરે ભરી લો.
અર્થ :- શ્રુતદેવતાને (સ્મરણ કરવા) અર્થે કાઉસ્સગ્ગ કરું છું. ભગવતી શ્રુતદેવતા (સરસ્વતી) જેઓની શ્રુતસાગરને
૧. અહીં વંદણવરિઆએ ન કહેતાં અન્નત્ય ઊસસિએણે કહેવું. તેનું કારણ એ છે કે દેવતાઓ અવિરતિ હોવાથી તેમને વંદન પૂજન થાય નહિ, સ્મરણ પ્રાર્થના તો થાય, તે વાત વંદિત્તાની ફુટનોટમાં જણાવેલ છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૭ વિષે નિરંતર ભક્તિ છે તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહને ક્ષય કરો!
ગાથા (૧), પદ (૪), સંપદા (૪), ગુરુ (૨), લઘુ (૩૫), સર્વવર્ણ (૩૭).
૩૯. ક્ષેત્રદેવતાની સ્તુતિ
શબ્દાર્થ
જીસે - જેના.
| સાણંતિ - સાધે છે. ખિતે ક્ષેત્રને વિષે.
મુખમગ્ન - મોક્ષમાર્ગને. સાહૂ - સાધુઓ.
સા - તે. દંસણ - દર્શન.
દેવી -દેવી. નાણેહિ - જ્ઞાન વડે.
હરઉ - હરણ કરો. ચરણ - ચારિત્ર.
દુરિયાઈ - પાપોને. સહિએહિં - સહિત.
ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ0
જીસે ખિન્ને સાહુ, દંસણ-નાણહિ ચરણ-સહિએહિ | સાણંતિ મુખમમ્મ, સા દેવી હરઉ દુરિયાઈ ના.
અર્થ - જેના ક્ષેત્રને વિષે સાધુ મુનિરાજ ચારિત્ર સહિત દર્શન-જ્ઞાનવડે મોક્ષમાર્ગને સાધે છે, તે દેવી દુરિતો (પાપો)ને
હરણ કરો.
, ગાથા (૧), પદ (૪), સંપદા (૪), લઘુ (૩૩), ગુરુ (૩), સર્વવર્ણ (૩૬).
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ૪૦. કમલદલ સ્તુતિ
શબ્દાર્થ કમલદલ - કમળનાં પત્ર જેવાં. | ગૌરી - ગૌરવર્ણવાળી. વિપુલ - વિશાળ.
કમલે - કમળમાં. નયના - નેત્રવાળી .
સ્થિતા- રહેલી. કમલમુખી - કમલના જેવા | ભગવતી - ભગવતી.
| મુખવાળી. | દદાતુ - આપો. કમલગભે - કમળના ગર્ભની. | શ્રુતદેવતા - શ્રુતદેવતા-સરસ્વતી. સમ - સમાન.
1 સિદ્ધિ - સિદ્ધિને. કમલ-દલ-વિપુલ-નયના, કમલમુખી કમલગર્ભ-સમગૌરી | કમલે સ્થિતા ભગવતી, દદાતુ શ્રુતદેવતા સિદ્ધિમ્ |૧
અર્થ - કમળના પત્ર સરખા વિસ્તીર્ણ નેત્રોવાળી,કમળના જેવા મુખવાળી, કમળના ગર્ભની જેવા ગૌરવર્ણવાળી અને કમળને વિષે રહેલી એવી ભગવતી શ્રુતદેવતા સિદ્ધિ આપો. ૧ ગાથા (૧), પદ (૪), લઘુ (૪૦), ગુરુ (૪), સર્વ વર્ણ (૪૪).
૪૧. અઢાઇજેસુ (મુનિવંદન૨) સૂત્ર
શબ્દાર્થ અઢાઇજેસુ - અઢી. | પનરસસુ- પંદર. દીવસમુદેસ દ્વીપ અને બે સમુદ્ર સંબંધી. | કમ્મભૂમીસુ - કર્મભૂમિને વિષે.
૧. આ થાય સ્ત્રીઓએ સુઅદેવયાની સ્તુતિના બદલે કહેવાની છે. અને સમસંસ્કૃત ભાષામાં છે.
૨. આ સૂત્રવડે અઢી કીપ અને બે સમુદ્રમાં રહેલા સર્વમુનિ મહારાજાને વિંદન થાય છે. માટે મુનિવંદન સૂત્ર.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૯ રયહરણ - રજોહરણ-ઓધો. | સહસ્સ - હજાર ગુચ્છ - ગુચ્છક.
સીલિંગધારા-શીલના અંગને ધરનાર. પડિગહ - પાત્રોને.
અખય - સંપૂર્ણ. ધારા - ધરનારા.
આયાર - આચારરૂપ. પંચ - પાંચ.
ચરિત્તા - ચારિત્રના પાળનારા. મહવય - મહાવ્રતને.
સિરસા - મસ્તકે. ધારા - ધારણ કરનારા.
માણસા -મને કરી. અટ્ટારસ - અઢાર.
મયૂએણ વંદામિ- હું વંદના કરું છું. અઢાઇક્વેસુ દીવસમુદ્દે સુ, પનરસસુ કમ્મભૂમીસુ | જાવંત કેવિ સાહૂ, રયહરણગુચ્છ-પડિગ્નેહધારા
અર્થ - અઢી દ્વીપ તથા બે સમુદ્ર સંબંધી પંદર કર્મભૂમિને વિષે જેટલા કોઈ સાધુ, રજોહરણ (ઓશો) પાત્રાની ઝોળી અને પાત્રો વગેરે ધર્મોપકરણના ધારણ કરનારા વળી. પંચમહવયધારા, અટ્ટાર સહસ્સસલંગધારા અખયાયાર ચરિત્તા, તે સત્વે સિરસા મણસા મત્યેણ વંદામિ ના
અર્થ - પાંચ મહાવ્રતને ધારણ કરનારા, અઢાર હજાર શીલ-ચારિત્રના અંગના ધરનારા, સંપૂર્ણ આચારરૂપ ચારિત્રના પાળનારા, તે સર્વને, મસ્તકે કરીને, મને કરીને હું વાંદું છું. ૧
લઘુ (૭૨), ગુરૂ (૧૩), સર્વ વર્ણ (૮૫)
* અફખયાયાર ઈતિ પાઠાન્તરે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૫૦
૪૨. વરકનકસૂત્ર (એકસો સિત્તેર જિન સ્તુતિ)
શબ્દાર્થ વર - ઉત્તમ.
સંનિર્ભ - જેવા વર્ણવાળા. કનક - સુવર્ણ.
વિગતમોહમ્-મોહ રહિત. શંખ - શંખ.
સપ્તતિશતમ્ - એકસો સિત્તેર. વિદ્યુમ - પરવાળાં.
જિનાનાં - તીર્થકરોને. મરકત - નીલમ.
સર્વામર - સર્વ દેવતાઓએ. ઘન - મેઘના.
પૂજિત - પૂજેલાને. વરકનક-શંખ-વિદ્રમ,-મરકત-ઘનસત્રિભં વિગત મોહમ્ | સપ્તતિશત જિનાનાં, સર્વોમર-પૂજિતં વન્દ ના
અર્થ:- ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળાં, નિલમ અને સજળ મેઘના જેવા વર્ણવાળા અને મોહવિનાના, તેમજ સર્વ દેવતાઓથી પૂજિત એવા એકસો સિત્તેર તીર્થકરોને હું વંદના કરું છું.
૪૩. લઘુશાન્તિ સ્તવ સૂત્ર
શબ્દાર્થ શાન્તિઃ શાન્તિનાથ ભગવાનને. | શાન્તમ્ - રાગ-દ્વેષ રહિત. શાન્તિનિશાન્ત શાન્તિના સ્થાનરૂપ. | શાન્ત - શાન્ત થયા છે.
૧. આ સૂત્રવડે જગચિંતામણિની ફુટનોટમાં વર્ણવ્યા મુજબ ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦ જિનોને તેમના વર્ણવડે સ્તવેલા છે.
૨. બૃહદ્રગથ્વીય પ્રસિદ્ધપ્રભાવી શ્રીમાનદેવસૂરિશ્રીનાડુલનગર મળે ચોમાસું હતા. તે વખતે શ્રીશાકંભરી નગર મધ્યે શાકિનીએ કરેલ મરકીના
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૫૧ અશિd - ઉપદ્રવ જેનાથી. ભગવતે - સમગ્ર ઐશ્વર્યવાળા. નમસ્કૃત્ય - નમસ્કાર કરીને. | અહિત - યોગ્ય. સ્તોતુઃ - સ્તુતિ કરનારની. પૂજા-પૂજાને શાન્તિનિમિત્ત-શાન્તિના કારણરૂપ. | શાંતિજિના-શાંતિનાથ ભગવાનને. મંત્રપદે:- મંત્રોના પદવડે. જયવતે - રાગાદિકને જિતનારા. શાન્તયે - શાન્તિને અર્થે. | યશસ્વિને - યશવાળાને. સ્તૌમિ- હું સ્તુતિ કરુ છું. સ્વામિને-સ્વામિને. ઓમ્ ઇતિ - ૐ એવું. દમિનામુ ઇન્દ્રિયોને દમન નિશ્ચિતવચસે - નિશ્ચયવાચક પદ
કરનારા મુનિઓના. છે જેમનું. | સકલ - સર્વ. નમોનમો- વારંવારનમસ્કાર થાઓ. | અતિશેષક-ચોત્રીશ અતિશય રૂપ.
ઉપદ્રવે શ્રીસંઘ પીડાવાથી, તે શ્રીસંઘે માણસો મોકલી શ્રીમાનદેવસૂરિને હકીકત જાહેર કરી તે ઉપદ્રવ નિવારવા માટે વિનંતી કરી. તેથી પધા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓનું સાન્નિધ્ય છે જેમને એવા અને અત્યંત કરુણાભાવે કરીને સહિત એવા તે સૂરિએ ઉપદ્રવ નિવારવા અર્થે આ લઘુ શાન્તિસ્તવની રચના કરીને શાકંભરીના સંઘને મોકલ્યું. તેથી આ સ્તવન પોતે ભણવાથી અગર અન્ય પાસે સાંભળવા થકી અને સ્તવવડે મંત્રિત જળ છાંટવાથી ઉપદ્રવ નાશ પામ્યો અને સાત્તિ થઈ. આ પ્રમાણે આ સ્તોત્રની રચના શ્રી નાડુલ મધ્યે શ્રીમાનદેવસૂરિએ કરી. શાકંભરી સંઘનો ઉપદ્રવ શાન્ત થયો તેથી સર્વત્ર શાત્તિને અર્થે આ સ્તોત્ર ગણાય છે. હાલમાં દેવસિક પ્રતિક્રમણના અંતે પણ બોલાય છે. આ શાન્તિ પ્રતિક્રમણમાં ક્યારે દાખલ થઈ તે વિષે વૃદ્ધવાદ એવો છે કે શ્રી માનદેવસૂરિએ બનાવ્યા પછી માંગલિક અર્થે તે સર્વત્ર ગણાતી, (પાછળથી એટલે આજથી લગભગ ૫૦૦) વર્ષ અગાઉ એક યતિજીશ્રી ઉદેપુરમાં હતા. તેમની પાસે શ્રાવકો હરવખત માંગલિક અર્થે શાન્તિ સાંભળવા આવતા. લોકો વારંવાર આવી કંટાળો આપવા લાગ્યા, તેથી પ્રતિક્રમણમાં દુખફખય કમ્મફખયના કાઉસ્સગ્નને અંતે શાન્તિ કહેવી, જેથી સૌના સાંભળવામાં આવે એવો ઠરાવ કર્યો. ત્યારથી તે રીવાજ પ્રચલિત થયો.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૨
મહાસંપત્તિ - મોટી સંપત્તિએ. સમન્વિતાય - સહિતને. શસ્યાય - પ્રશંસા કરવા યોગ્ય. ત્રૈલોક્ય - ત્રણ લોકના જીવને. પૂજિતાય - પૂજેલાને. નમોનમઃ - વારંવાર નમસ્કાર થાઓ. શાન્તિદેવાય - શ્રી શાન્તિનાથને
સર્વામર - સર્વ દેવતાઓના.
સુસમૂહ - સુંદર સમૂહ. સ્વામિક - તેમના સ્વામી ચોસઠ
ઇન્દ્રોથી.
જન - લોકોનું.
પાલન - પાલન કરવામાં. ઉઘતતમાય - અતિશય સાવધાન એવા તે.
સતતં – હંમેશાં.
| તસ્મૈ - તેને.
દુરિતૌઘ - પાપના સમૂહના. નાશન-કરાય - નાશ કરનારને.
સર્વાશિવ - સર્વ ઉપદ્રવોને.
પ્રશમનાય - શાન્ત કરનારને. | દુષ્ટગ્રહ - દુષ્ટ ગ્રહ.
સંપૂજિતાય - પૂજાએલાને. ભૂત - ભૂત. નજિતાય -દેવતાઓથી પણ નહિ | પિશાચ - પિશાચ.
જીતાએલાને. | શાકિનીનાં - શાકિનીઓને. પ્રમથનાય - નાશ કરનારને.
ભુવન - ત્રણ ભુવનના.
શાન્તિ શાન્તિનિશાન્ત, શાન્તમ્ શાન્તાડશિવં નમસ્કૃત્ય ॥ સ્તોતુઃ શાન્તિનિમિત્તે, મંત્રપદૈઃ શાન્તયે સ્તૌમિ ॥૧॥
અર્થ :- શાન્તિના સ્થાનરૂપ, રાગ-દ્વેષ વિનાના અને શાન્ત થયા છે અકલ્યાણકારી ઉપદ્રવો જેનાથી એવા શ્રીશાન્તિનાથને નમસ્કાર કરીને, સ્તુતિ કરનારની શાન્તિના હેતુરૂપ છે તેથી શાન્તિના અર્થે, મંત્રોનાં પદો વડે હું સ્તુતિ કરું છું. ૧.
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫૩ ઓમિતિ નિશ્ચિતવચસે, નમો નમો ભગવતેડહેતે પૂજામ્ II શાન્તિજિનાયજયવતે, યશસ્વિને સ્વામિને દમિનામારા
અર્થ:- ૐ એવું નિશ્ચયાત્મક વાચક પદ છે જેમનું એવા, સમગ્ર ઐશ્વર્યવાળા, પૂજાને યોગ્ય, રાગાદિને જિતનાર, યશવાળા અને ઇન્દ્રિયોને દમન કરનારા (મુનિરાજ)ના સ્વામી એવા શાન્તિનાથને વારંવાર નમસ્કાર થાઓ. ૨
સકલાતિશેષ,મહા, સંપત્તિસમવિતાય શસ્યાયી રૈલોક્યપૂજિતાય ચ, નમો નમઃ શાન્તિદેવાય ૩.
અર્થ - સમસ્ત ચોત્રીસ અતિશયરૂપ મહાન સંપત્તિવાળા પ્રશંસા કરવા યોગ્ય અને ત્રણ લોકના જીવોથી પૂજિત એવા શ્રી શાન્તિનાથને વારંવાર નમસ્કાર થાઓ. ૩.
સર્વામરસુસમૂહ-સ્વામિકસંપૂજિતાય નજિતાય, ભુવનજનપાલનોદ્યત-તમાય સતતં નમસ્તસ્મ જો
અર્થ - સમસ્ત દેવતાઓના સુંદર સમૂહ, તેમના સ્વામી જે ચોસઠ ઇન્દ્રો તેમનાથી પૂજાએલા; દેવતાઓથી પણ નહીં
*અહીંનમો પદ બે વખત મૂક્યું છે તે અતિ આદર સૂચવવાને માટે છે. ૧. નિજિતાય ઇતિ પાઠાન્તરે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જીતાએલા; ત્રણ ભુવનના લોકનું પાલન કરવામાં સાવધાન એવા તે (શાન્તિનાથ)ને નિરંતર નમસ્કાર થાઓ. ૪
સર્વ દુરિતૌઘનાશન-કરાય સર્વાડશિવપ્રશમનાય ॥ દુષ્ટગ્રહભૂતપિશાચશાકિનીનાં પ્રમથનાય ।।
અર્થ :- સર્વ પાપના સમૂહનો નાશ કરનારા, સર્વ ઉપદ્રવને પ્રકર્ષે કરી શાન્ત કરનારા, દુષ્ટ ગ્રહ, ભૂત પિશાચ અને શાકિનીના ઉપદ્રવને નાશ કરનારા એવા શાન્તિનાથને નમસ્કાર થાઓ. ૫
શબ્દાર્થ
યસ્ય - જે શાન્તિનાથનો. ઇતિ - એ પ્રમાણે પૂર્વે કહેલ. નામમંત્ર - નામ રૂપ મંત્ર. પ્રધાન - તે વડે સર્વોત્તમ એવું. વાક્ય - જે વચન. ઉપયોગ - તેના ઉપયોગથી. કૃતતોષા – જેણે સંતોષ કર્યોછે એવી. વિજયા - વિજયાદેવી. કુરુતે - કરે છે.
જનહિત - લોકોનું હિત. ઇતિ ચ - અને એ પ્રમાણે.
નુતા - સ્તવેલી છે.
નમત - નમસ્કાર કરો. ભવતુ - થાઓ. તે - તમોને.
ભગવતિ - હે ભગવંત.
વિજયે – વિજયાદેવી. સુજયે - સારા જયવાળી. પરાપરૈઃ - બીજા દેવોથી. અજિતે - નહિ જીતાએલી. અપરાજિતે - કોઈ ઠેકાણે પરાભવ નહિ પામેલી.
| જગત્યાં - પૃથ્વીને વિષે. જયતિ - જય પામે છે. જયાવહે - સ્તુતિ કરનારને જય આપનારી.
ભવતિ - તમે.
સર્વસ્ય - બધા. અપિ - પણ.
સંઘસ્ય - સંઘને.
ભદ્ર - સુખ.
કલ્યાણ - ઉપદ્રવ રહિતપણું.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૫ મંગલ-મંગળને.
| અસ્તુ - હો. પ્રદદે - પ્રકર્ષે કરી આપનારી. સ્વસ્તિપ્રદે-કલ્યાણને આપનારી. સાધૂનાં - સાધુઓને.
તુભ્યમ્ - તને. સદા - નિરંતર.
ભક્તાનાં - ભક્ત. શિવ - નિરુપદ્રવપણું. જંતુનાં - જીવોને. સુતુષ્ટિ - ચિત્તની શાન્તિ. શુભાવો - કલ્યાણ કરનારી. પુષ્ટિ - ધર્મની વૃદ્ધિને. નિત્યં - નિરંતર. પ્રદે - આપનારી.
ઉદ્યતે - તત્પર. જીયા - જય પામો.
દેવિ - દેવી. ભવ્યાનાં - ભવ્ય પ્રાણીઓને. સમ્યગુદૃષ્ટિનાં - સમ્યગુદષ્ટિ કૃતસિદ્ધ - સિદ્ધિ કરનારી.
જીવોને. નિવૃત્તિ ચિત્તની સમાધિ. ધૃતિ - ધીરજ. નિર્વાણ - મોક્ષ.
રતિ - પ્રીતિ. જનનિ - ઉત્પન્ન કરનારી. મતિ - મતિ, દીર્ધદષ્ટિ. સત્તાનાં - ભવ્ય જીવોને. | બુદ્ધિ - બુદ્ધિ (ચાલુ વિષયને અભયપ્રદાન - અભય આપવામાં.
જાણનારી.) નિરતે - તત્પર.
| પ્રદાનાય - આપવાને. યસ્યતિ નામમંત્ર, -પ્રધાનવાક્યોપયોગકૃતતોષા || વિજયા કુરુતેજનહિત, મિતિ ચ નુતા નમત તં શાન્તિમ્ દા.
અર્થ:- જે શાન્તિજિનનો પૂર્વોક્ત નામરૂપ મંત્ર તેણે કરી સર્વોત્તમ પવિત્ર એવું જે વચન તેના ઉપયોગ કરી કર્યો છે ચિત્તને વિષે સંતોષ જેણે એવી જે વિજયાદેવી, જે મનુષ્યનું હિત કરે છે તથા આગળ કહેશે એ પ્રકારે સ્તુતિ કરાયેલી છે તે શાન્તિનાથને હે ભવ્યજનો ! તમે નમસ્કાર કરો. ૬
Page #159
--------------------------------------------------------------------------
________________
૧પ૬ ભવતુ નમસ્તે ભગવતિ ! વિજયે સુજયે પરાપરેરજિતે! | અપરાજિત ! જગત્યાં, જયતીતિ જયાવહ ભવતિ ! III
અર્થ - હે ભગવતિ વિજયા, સુજયા બીજા દેવોથી નહિ જિતાએલી એવી હે અજિતા, કોઈ ઠેકાણે પરાભવ ન પામેલી એવી હે અપરાજિતા, તમો પૃથ્વીને વિષે જયવંતા વર્તા; એમ સ્તુતિ કરતે છતે સ્તુતિ કરનાર ભક્તજનને જયની આપનારી થાય છે, એવી હે દરેક દેવીઓ! તમોને નમસ્કાર થાઓ. ૭
સર્વસ્યાપિચ સંઘસ્ય, ભદ્રકલ્યાણમંગલપ્રદદે સાધૂનાં ચ સદા શિવ, સુતુષ્ટિપુષ્ટિપ્રદે જીયાઃ II૮.
અર્થ - ચતુર્વિધ સર્વ સંઘને સૌખ્ય, નિરુપદ્રવપણું અને મંગલને પ્રકર્ષે કરી આપનારી હે દેવી! વળી મોક્ષને સાધનાર મુનિઓને નિરંતર નિરુપદ્રવપણું, ચિત્તની શાનિત અને ધર્મની વૃદ્ધિ આપનારી હે દેવી! તમે જયવંતી હો. ૮
ભવ્યાનાં કૃતસિહે ! નિવૃતિનિર્વાણજનનિ! સત્તાનામ્અભયપ્રદાનનિરતે! નમોડસ્તુ સ્વસ્તિપ્રદે ! તુભ્યમ્ IIલા
અર્થ - ભવ્ય જીવોને કરી છે સિદ્ધિ જેણે એવી તથા પ્રાણીઓને ચિત્તની સમાધિ તથા મોક્ષ ઉત્પન્ન કરનારી એવી
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૭ તથા ઉત્કૃષ્ટ રીતે નિર્ભયપણું દેવાને તત્પર એવી તથા પ્રકર્ષે કરી કલ્યાણને આપનારી એવી હે દેવી! તને નમસ્કાર હો. ૯
ભક્તાનાં જંતૂનાં, શુભાવહે! નિત્ય મુદ્યતે!દેવિ!! સમ્યગ્દષ્ટિનાં ધૃતિરતિમતિબુદ્ધિપ્રદાનાય/૧૦માં
અર્થ:- ભક્ત જીવોને કલ્યાણ પમાડનારી તથા સમ્યગૃષ્ટિ જીવોને ધેર્ય, પ્રીતિ, મતિ, તથા બુદ્ધિ પ્રકર્ષે કરી આપવાને માટે છે દેવી! તમે નિરંતર સાવધાન છો. ૧૦
શબ્દાર્થ
જિનશાસન - જિનશાસનમાં. | સલિલ - જળ. નિરતાનાં - તત્પરને.
અનલ - અગ્નિ . નતાનાં નમસ્કાર કરનારા. વિષ- ઝેર. જગતિ - જગતમાં.
વિષધર - સર્પ. જનતાનાં - જન સમુદાયને. રાજરોગ - રાજા, રોગ. શ્રી - લક્ષ્મી.
રણ - લડાઈના. સંપન્ - સંપત્તિ.
ભયતઃ - ભયથી. કીર્તિ-કીર્તિ-એકદિગુવ્યાપી યશ. | રાક્ષસ - રાક્ષસના. યશ -યશને-સર્વદિવ્યાપી યશ. ] રિપુગણ - શત્રુઓનો સમૂહ. વર્ધ્વનિ - વધારનારી.
મારી - મરકી. જયદેવિ - હે જયદેવી. ચૌર -ચોર. વિજયસ્વ- તમે વિજય પામો. | ઇતિ - સાત ઇતિ (ભય).
૧. ધૃતિ એટલે સંતોષ, મતિ એટલે દીર્ધદષ્ટિ.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્વાપદાદિભ્યઃ - ફાડી ખાનાર | ભગવતિ - હે ભગવતિ. પ્રાણી વગેરેથી. | ગુણવતિ - હે ગુણવાળી.
શિવશાન્તિ - કલ્યાણ શાન્તિ.
અથ - હવે.
રક્ષ રક્ષ - રક્ષણ કરો રક્ષણ કરો. સુશિવં - અતિશય નિરુપદ્રવપણું. | કુરુ કુરુ - કરો કરો.
સ્વસ્તિ - કલ્યાણને.
ત્વ - તમે.
ઇહ - આ લોકમાં. એવં - એવી રીતે.
યન્નામાક્ષર - જેના નામના અક્ષરોના. પુરસ્કર - મંત્રપૂર્વક. સંસ્ક્રુતા - સ્તુતિ કરેલી.
જિનશાસન-નિરતાનાં, શાન્તિનતાનાં ચજગતિ જનતાનામ્ ।। શ્રી-સંપત્-કીર્તિયશોવર્ધ્વનિ ! જયદેવિ ! વિજયસ્વ ॥૧૧॥
અર્થ :- જિનશાસનને વિષે તત્પર અને શ્રી શાન્તિનાથને નમસ્કાર કરનારા જગત મધ્યેના જનસમુદાયને લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ અને યશને વધારનારી એવી કે જયાદેવી ! તમે જય પામો ! ૧૧.
સલિલાનલવિશ્વવિષધર, દુષ્ટગ્રહરાજરોગરણભયતઃ ।। રાક્ષસરિપુગણમારી, ચૌરેતિશ્વાપદાદિભ્ય:।।૧૨।
૧. એક દેશવ્યાપી ખ્યાતિ તે કીર્તિ અને સર્વ દિવ્યાપી ખ્યાતિ તે યશ. અથવા દાન-પુણ્ય કરવાથી પ્રાપ્ત થાય તે કીર્ત્તિ અને પરાક્રમ વડે પ્રાપ્ત થાય તે યશ.
૨. આદિ શબ્દથી ડાકિની, શાકિની, ભૂત વગેરે લેવાં.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૯ અર્થ:-પાણી, અગ્નિ, ઝેર, સર્પ, માઠા ગ્રહ, રાજા, રોગ, લડાઈના ભયથકી (અને) રાક્ષસ, શત્રુઓના સમૂહ, મરકી, ચોર, સાત ઇતિ (ભય) અને મદોન્મત્ત ફાડી ખાનારા પ્રાણીઓ વગેરેના ભયથી. ૧૨
અથ રક્ષરક્ષ સુશિવ, કુરુકુરુ શાન્તિ ચ કુરુ કુરુ સદેતિ | તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરુ વમ્ ૧૩
અર્થ - હવે રક્ષણ કર, રક્ષણ કર, અતિશય નિરુપદ્રવપણું કર કર. વળી શાન્તિ કર કર, અને નિરંતર એજ પ્રમાણે કર કર; તુષ્ટિ, પુષ્ટિ, અને કલ્યાણ કર કર; એટલા વાનાં તું કર. ૧૩
ભગવતિ ! ગુણવતિ ! શિવશાન્તિતુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ કુરુ કુરુ જનાનામ્ |
ઓમિતિ નમો નમો હોં, હીં, હૃદયઃ ક્ષઃ હી ફૂટુ ફૂટ્ સ્વાહા ૧૪
અર્થ :- હે ભગવતિ ! હે ગુણવતિ ! પૃથ્વીને વિષે તું મનુષ્યોને કલ્યાણ, શાનિત, તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષેમ (કલ્યાણ) કર કર. જ્યોતિસ્વરૂપિણી એવી હે દેવી! તને નમસ્કાર થાઓ. હૉ
૧. અતિવૃષ્ટિ (ઘણો વરસાદ), અનાવૃષ્ટિ (વરસાદ ન થાય તે). ઉંદર, તીડ, પોપટ, સ્વચક્ર, (પોતાના રાજાના સૈન્યનો) ભય તથા પરચક્ર ભય એ સાત પ્રકારે ઇતિ જાણવી.
+ ફૂટું ફઃ, ફર્ ફટ્ સ્વાહા ઇતિ પાઠાન્તર
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૬૦ હીં-હૂ-હુ-ય-ક્ષઃ-હીં-ફૂટ-ફૂટુ-સ્વાહા. આ સર્વે મંત્રાલર છે. તેમાં પ્રથમના સાત શાન્તિમંત્રના બીજ છે. અને બાકીના ત્રણ વિદનના વિનાશ કરનારા મંત્રબીજ છે. ૧૪
એવં યજ્ઞામાક્ષર, પુરસ્સર સંસ્તુતા જયાદેવી | કુરુતે શાન્તિ નમતાં (પાઠાંતરેકુરુતે શાન્તિનિમિત્ત) નમો નમઃ શાન્તયે તસ્મ ૧પો.
અર્થ એ પ્રમાણે જે (શાન્તિનાથ)ના નામાક્ષર મંત્રપૂર્વક સ્તુતિ કરાયેલી એવી જયાનામની દેવી શ્રી શાન્તિનાથપ્રભુને નમસ્કાર કરનારાઓને શાન્તિ કરે છે. (પાઠાંતરે શાન્તિના હેતુને કરે છે) તે શાન્તિનાથને વારંવાર નમસ્કાર થાઓ. ૧૫
ઇતિ - એ પ્રમાણે.
| યઃ- જે પૂર્વસૂરિ - પૂર્વાચાર્યોએ.
એનં- આ સ્તવને. દર્શિત - બતાવેલા.
પઠતિ - ભણે છે. મંત્રપદ - મંત્રના પદોથી.
સદા - હંમેશાં. વિદર્ભિત - ગર્ભિત એવું.
કૃણોતિ - સાંભળે છે. સ્તવઃ - સ્તવન.
ભાવયતિ - મનમાં મરે છે. શાને - શાન્તિનાથનું. સલિલાદિ - જળ વગેરેના.
યથાયોગ-સાવધાન યોગ રાખીને. ભયવિનાશી-ભયને નાશ કરનાર.
હિ- અવશ્ય. શાંત્યાદિકરઃ શાન્તિ વગેરેને કરનાર.
શાન્તિપદં - શાન્તિના સ્થાનને. ભક્તિમતામ્ - ભક્તિ કરનારા | માયાત્ - પામે.
મનુષ્યોને. | સૂરિશ્રીમાનદેવઃ- શ્રીમાનદેવસૂરિ.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૬૧
ઉપસર્ગો:- ઉપસર્ગો. | મનઃ - મન. ક્ષય - ક્ષયને.
પ્રસન્નતાં પ્રસન્નપણાને. યાંતિ - પામે છે.
| એતિ - પામે છે. છિદ્યન્ત - છેદાય છે.
પૂજ્યમાને - પૂજન કરતાં. વિન - વિજ્ઞરૂપ.
જિનેશ્વરે - જિનેશ્વરનું. વલ્લયર - વેલાઓ.
માંગલ્ય - મંગલરૂપ. ઇતિ પૂર્વસૂરિદર્શિત, મંત્રપદ-વિદર્ભિતઃ સ્તવઃ શાન્તઃ II સલિલાદિ-ભયવિનાશી, શાંત્યાદિકરશ્ચ ભક્તિ-મતામ્ ૧૬ો
અર્થ - એ પ્રમાણે પૂર્વાચાર્યે બતાવેલા એવા મંત્રના પદથી ગર્ભિત એવું શાન્તિનાથનું સ્તવન જે જલ પ્રમુખના ભયનો નાશ કરનાર છે અને ભક્તિ કરનારા મનુષ્યોને શાન્તિ આદિ સુખનું કરનાર છે. ૧૬
યશ્ચન પઠતિ સદા, કૃણોતિ ભાવયતિ વા યથાયોગ | સહિશાન્તિપદં યાયાત, (પાઠાંતરે-શિવશાન્તિપદે યાયાત) સૂરિ શ્રીમાનદેવશ્ચ II૧૭
અર્થ - જે માણસ આ સ્તવનને નિરંતર ભણે છે, સાવધાન યોગ રાખી જે સાંભળે છે, વા મનમાં સ્મરણ કરે છે. તે માણસ અવશ્ય શાન્તિપદ પામે (પાઠાંતરે-કલ્યાણ અને શાન્તિનું સ્થાન પામે) શ્રી માનદેવસૂરિ પણ તે પદ પામે. ૧૭
૧. મન, વચન અને કાયા. ૧૧
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬૨ ઉપસર્ગો ક્ષય યાંતિ, છિદ્યત્તે વિદનવલ્લય // મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે ૧૮.
અર્થ :- શ્રી જિનેશ્વર ભગવાનને પૂજતાં થકાં, ઉપસર્ગો નાશ પામે છે, વિદનરૂપી વેલો છેદાય છે, મન પ્રસન્નતાને પામે છે. ૧૮
સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ-કલ્યાણકારણમ્. પ્રધાન સર્વધર્માણાં, જેન જયતિ શાસનમ્ ૧લા
અર્થ:- સર્વ મંગલોમાં માંગલિક, સર્વ કલ્યાણનું કારણ, સર્વ ધર્મમાં મુખ્ય એવું જૈનશાસન જયવંતું વર્તે છે. ૧૯
ઇતિ શ્રી લઘુશાન્તિ સ્તવ. ૪૩
૪૪. ચઉક્કસાય
શબ્દાર્થ ચીક્કસાય - ચાર કષાય રૂપ. | ઉલ્લરમ્ - ઉચ્છેદનાર. પડિમલ્લ - વૈરીને.
દુર્જય- દુર્જય. ૧. રાત્રીએ સંથારાપોરિસીમાં આ સૂત્ર ચૈત્યવંદન તરીકે બોલવામાં આવે છે. દરેક શ્રાવક સંથારાપોરિસી ભણાવી શકતા નથી તેથી દેવસિઅ પ્રતિક્રમણના અંતે સામાયિક પારતી વખતે લોગસ્સ કહ્યા પછી કહેવાનો વિધિ શ્રાવકોને માટે છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૬૩ માયણ - કામદેવના.
સિદ્ધિ - સ્નિગ્ધ. બાણ - બાણને.
સોહઈ - શોભે છે. મુસુમૂરણ - ભાંગનાર. ફણિ - ફેણનું. સરસ - રસવાલી-નીલી. મણિ - મણિ (રત્ન) પિઅંગુ - રાયણ જેવા.
આલિદ્ધઉ - વ્યાપ્ત. વત્રુ - વર્ણવાળા.
નં- નિશે. ગય - હાથી જેવી.
નવ-નવો. ગામિઉ - ગતિવાળા.
જલહર -મેઘ. જય - જયવંતા વર્તો.
તડિત - વિજળી. પાસુ - પાર્શ્વનાથ
લય - લતા. ભુવણાય - ત્રણ ભુવનના. લંછિ સહિત. સામિ - સ્વામી.
સો - તે. જસુ - જેના.
| જિપ્સ - જિન. તણુ- શરીરની.
પાસુ - પાર્શ્વનાથ કંતિ - કાંતિ.
| પયચ્છઉ - આપો. કડL - સમૂહ.
વિંછિઉ - વાંચ્છિત. ચઉક્કસાયપડિમલ્લૂરણ, દુર્જયમયણબાણમુસુમૂરણ // સરસપિઅંગુવન્નુ ગયગામિલે, જયઉપાસુ ભુવણgયસામિક
// અર્થ - ચાર કષાયરૂપ વૈરીના ઉચ્છેદનાર; દુઃખે જિતાય એવા કામદેવના બાણને તોડનાર; સ્નિગ્ધ નીલી એવી રાયણના (જેવા શરીરના) વર્ણવાળા; અને હસ્તિની જેવી ગતિવાળા ત્રણ ભુવનના સ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુ જયવંતા વર્તો. ૧
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬૪ જસુ તણુકંતિકડમ્પસિણિદ્ધઉ, સોહઈ ફણિમણિકિરણાલિદ્ધઉII નવજલહરતડિલય-લંછિઉં, સો જિણ પાસુ પયચ્છ વંછિઉ રા
અર્થ - જેના શરીરની કાન્તિનો સમૂહ સ્નિગ્ધ છે, વળી જે નાગેન્દ્રની ફણાની ઉપર રહેલા મણિના કિરણોથી વ્યાપ્ત છે, વળી જે વિજળીની લતાએ કરી સહિત એવા નવા મેઘની જેમ શોભે છે; તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ મારા વાંચ્છિત પૂર્ણ કરો. ૨
૪૫. *ભરફેસરની સઝાય
ભરફેસર બાહુબલી, અભયકુમારો અ ઢંઢણકુમારો . સિરિઓ અણિયાઉત્તો, અઈમુત્તો નાગદત્તો અના
અર્થ - શ્રી ભરતેશ્વર, બાહુબલિજી, અભયકુમાર, તથા ઢંઢણકુમાર, શ્રી સ્થૂલભદ્રજીના નાનાભાઈ શ્રીયક, અર્ણિકાપુત્ર આચાર્ય, અતિમુક્તકુમાર તથા નાગદત્ત. ૧
મેઅજ યૂલિભદો, વયરરિસી નિંદિસેણ સીહગિરી કયવો અસુકોસલ,
૧. લુદ્ધઉ ઇતિ પાઠાન્તર.
* આ સઝાયમાં શીલવતને દ્રઢતાથી પાળનાર ઉત્તમ સત્ત્વશાળી પુરુષો અને સતીઓનું નામોચ્ચારપૂર્વક સ્મરણ થાય છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૬૫ પુંડરિઓ કેસી કરકંડૂપારા
અર્થ :- મેતાર્યમુનિ, સ્થૂલભદ્રજી, વજઋષિ, નંદિપેણજી, સિંહગિરી મહારાજ (શ્રી વજસ્વામીના ગુરુ), કૃતપુણ્યકુમાર સુકોશલમુનિ, પુંડરિક સ્વામી, કેશીકુમાર, કરકંડુ પ્રત્યેકબુદ્ધ. ૨
હલ્લ વિહલ્લ સુદંસણ, સાલ મહાસાલ સાલિભદો આ છે ભદો દસન્નભદો, પસત્રચંદો અ જસભદ્દો I
અર્થ - હલ્લ અને વિહલ બંને શ્રેણિકના પુત્ર; સુદર્શન શેઠ, સાલમુનિ, મહાસાલમુનિ, શાલિભદ્ર (પ્રસિદ્ધ ભોગી,) ભદ્રબાહુ સ્વામી, દશાર્ણભદ્ર, પ્રસન્નચંદ્ર રાજર્ષિ તથા શ્રી યશોભદ્રસૂરિ. ૩
જંબૂપડુ વંકચૂલો, ગયસુકુમાલો અવંતિ-સુકુમાલો ! ધન્નો ઇલાઈપુત્તો, ચિલાઈપુત્તો અ બાહુમુણી જા.
અર્થ :- જંબૂસ્વામી, વંકચૂલ રાજકુમાર, ગજસુકુમાલ, અવનિતસુકુમાલ, ધન્નાશેઠ, ઈલાચીપુત્ર, ચિલાતીપુત્ર અને યુગબાહુ મુનિ. ૪
અજ્જગિરી અર્જરફિખા, અજ્જસુહસ્થી ઉદાયગો મણગો . કાલયસૂરી સંબો, મજુત્રો મૂલદેવો આ પાપા
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૬
અર્થ :- આર્યમહાગિરીજી, આર્યરક્ષિતસૂરિ, આર્યસુહસ્તિસૂરિ, ઉદાયી રાજા, મનકપુત્ર, કાલિકાચાર્ય, શાંબકુમાર, પ્રધુમ્નકુમાર અને મૂળદેવરાજા. ૫
પભવો વિન્ટુકુમારો, અદ્દકુમારો દઢપ્પ-હારી અ | સિજ્જીસ કૂરગડૂ અ, સિજ્જ-ભવ મેહકુમારો અ॥૬॥
અર્થ :- પ્રભવસ્વામી, વિષ્ણુકુમાર, આર્દ્રકુમાર તથા દેઢપ્રહારી ચોર, શ્રેયાંસકુમાર, કુરગડુ સાધુ, શય્યભવસ્વામી અને મેઘકુમાર. ૬
એમાઇ મહાસત્તા, કિંતુ સુહં ગુણગણેિ સંજુત્તા ॥ જેસિં નામગ્ગહણે, પાવપબંધા વિલિન્જંતિ જ્ઞા
અર્થ :- ઇત્યાદિ બીજા પણ મહાપરાક્રમી પુરુષો, જ્ઞાનાદિ ગુણોના સમૂહે કરી સહિત એવા, અમને સુખ આપો; જેમના નામસ્મરણથી પાપનાં બંધન વિનાશ પામે છે. ૭
સુલસા ચંદનબાલા, મણોરમા મયણરેહા દમયંતી ॥ નમયાસુંદરી સીયા, નંદા
ભદ્દા સુભદ્દા ય Ill
અર્થ :- સુલસા, ચંદનબાળા, મનોરમા, મદનરેખા, દમયન્તી, નર્મદાસુંદરી, સીતા, નંદા, ભદ્રાશેઠાણી, અને સુભદ્રા. ૮
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૭ રાઈમાં રિસિદત્તા, પઉમાવઈ અંજણા સિરીદેવી જિઃ સુનિટ મિગાવઈ, પભાવઈ ચિલ્લણાદેવી લો.
અર્થ - રાજીમતી, ઋષિદત્તા, પદ્માવતી, અંજનાસુંદરી, શ્રીદેવી, જ્યેષ્ઠા, સુયેષ્ઠા, મૃગાવતી, પ્રભાવતી, ચેલ્લણા-રાણી.
બંભી સુંદરી રુપ્પિણી, રેવઈ કુંતી સિવા જ્યતિ ય . દેવઈ દોવઈ ધારણી, કલાવ પુષ્કચૂલા ય ૧oll
અર્થ - બ્રાહ્મી, સુંદરી, રુકિમણી, રેવતી, કુન્તી, શિવા અને જયન્તી, દેવકી, દ્રૌપદી, ધારીણી, કલાવતી તથા પુષ્પચૂલા. ૧૦
પઉમાવઈ ય ગોરી, ગંધારી લખમણા સુસીમાયા જંબૂવઇ સચ્ચભામા, રુપ્પિણી કહટ્ટ મહિસીઓ /૧૧
અર્થ :- પદ્માવતી, તથા ગૌરી, ગાંધારી, લમણા તથા સુસીમા, જંબૂવતી, સત્યભામા, રુકિમણી આ આઠ શ્રી કૃષ્ણની પટ્ટરાણીઓ છે. ૧૧
જખા ય જખદિન્ના, મૂઆ તહચેવ ભૂઅદિશા ય || રોણા વેણા રેણા, ભયણીઓ સ્થૂલભદસ્ય રા/
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૮ અર્થ:- યક્ષા, યક્ષદરા, ભૂતા તથા વળી નિશ્ચયથી ભૂતદત્તા, સેણા, વેણા, રેણા આ સાત સ્થૂલભદ્રની બહેનો છે. ૧૨
ઇચ્ચાઈ મહાસઇઓ, યંતિ અકલંકસીલકલિઆઓ | અક્કવિ વજઈ જાસિં, જસ-પડતો તિહુઅણે સયલ/૧૩
અર્થ - ઇત્યાદિ મોટી સતીઓ નિર્મળ શિયળગુણે કરી સહિત જયવંતી વર્તે છે વળી આજ પણ સકલ ત્રિભુવનને વિષે જેઓના યશનો ડંકો વાગે છે. ૧૩
ઇતિ ભરતેસર સજઝાય. ૪૫
૪૬. સકલતીર્થ
(તીર્થવંદના) સકલતીર્થ વંદું કરજોડ, જિનવર નામે મંગલ કોડ, પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ ૧૫
બીજે લાખ અઢાવીશ કહ્યાં, ત્રીજે બાર લાખ સદહ્યાં . ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર રા.
* આ સકલતીર્થ ગુજરાતી ભાષામાં હોવાથી સુગમ છે માટે અર્થ લખ્યો નથી. આ સૂત્રવડે ત્રણે લોકમાં રહેલ શાશ્વત અને અશાશ્વત જિનચૈત્યો તથા જિનબિંબોને વંદના કરાય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૯ છટ્ટે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીશ સહસ પ્રાસાદ / આઠમે સ્વર્ગે છ હજાર, નવ દશમે વંદુ શત ચાર ફl
અગ્યાર બારમે ત્રણશે સાર, નવ રૈવેયકે ત્રણશે અઢારા પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી ૪ો.
સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવરભવનતણો અધિકાર છે લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઉંચાં બહોતેર ધાર પણ એકસો એંશી બિંબ પ્રમાણ, સભાસહિત
૧. બાર દેવલોક સુધીના ઇન્દ્રોને, દરેક વિમાને (૧) મજ્જન સભા. (૨) અલંકાર સભા. (૩) જ્ઞાન સભા. (૪) સિદ્ધાયતન સભા અને (૫) વ્યવસાય સભા એમ પાંચ પાંચ સભા હોય છે. દરેક સભા ત્રણ ત્રણ ધારવાળી હોય છે અને દરેક દ્વારે એકેક ચૌમુખજી એટલે ચાર ચાર પ્રતિમાજી હોય એટલે એક સભાનાં ૧૨, માટે ૫ સભાનાં ૬૦ પ્રતિમાજી મહારાજ થયાં. મૂળ ચૈત્ય ત્રણ ધારવાળાં હોય છે. તેના ગભારામાં ૧૦૮ પ્રતિમાજી અને ત્રણ વારના ત્રણ ચોમુખજીનાં ૧૨ મળી ૧૨૦ પ્રતિમાજી તેમાં હોય. તેમાં પાંચ સભાનાં ૬૦ મેળવતાં ૧૮૦ પ્રતિમાજી સભા સહિત એક ચૈત્યમાં સમજવાં. નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં ઇન્દ્રો નથી તેથી સભાઓ નથી, માટે ત્યાંનાં ૩૨૩ ચૈત્યોમાં ૧૨૦ પ્રતિમાજી દરેકના ગણવાં અને ૮૪૯૬૭૦૦ ચૈત્યમાં ૧૮૦ પ્રતિમાજી દરેકમાં ગણવાં. જેથી અહીં બતાવેલ સંખ્યા મળી રહેશે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૭૦
એક ચૈત્યે જાણ || સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌંઆલ।।૬।
સાતશે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ II સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલભાખ IIII
એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્યે સંખ્યા જાણ | તેરશે ક્રોડ, નેવ્યાસી ક્રોડ, સાઠ લાખ વંદું કર જોડ ૮
બત્રીશે ને ઓગણસાઠ, તીર્કાલોકમાં ચૈત્યનો પાઠ ।। ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીશ તે બિંબ જુહાર III
વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તેહ ॥ ઋષભ-ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણસેણ ।।૧૦।
૧. તી[લોકમાં નંદીશ્વરદ્વીપનાં ૫૨ (બાવન) ચૈત્ય, રુચકદ્વીપનાં ૪ ચૈત્ય અને કુંડલ દ્વીપનાં ૪ ચૈત્ય મળી ૬૦ ચૈત્ય ચાર દ્વારવાળાં છે અને બાકીનાં ૩૧૯૯ ચૈત્ય ત્રણ દ્વારવાળાં છે. તેથી ચાર દ્વારવાળામાં ૧૨૪ અને ત્રણ દ્વારવાળામાં ૧૨૦ પ્રતિમાજી છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૭૧
સમેતશિખર વંદુંજિનવીશ, અષ્ટાપદ વંદું ચોવીશી વિમલાચલને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર I/૧૧
શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર | અંતરિક્ષવરકાણો પાસ, જીરાવલો ને થંભણપાસ/૧ રા
ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણ ગેહા વિહરમાન વંદું જિન વિશ, સિદ્ધ અનંત નમું નિશદિશ ૧૩ી.
અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર / પંચ મહાવ્રત સમિતિ સાર, પાલેપલાવે પંચાચાર ૧૪ો
બાહ્ય અભ્યતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલ | નિત નિત ઉઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર તરૂં ૧પો.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૭૨ ૪૭. મન્ડ જિણાણે સજઝાય
શબ્દાર્થ મન્ડ - માનવી.
| જયણા - યતના, રક્ષા. જિણાણ - જિનેશ્વરની. જિણપૂઆ - જિનપૂજા. આણું - આજ્ઞા.
જિણથુણર્ણ - જિનેશ્વરની સ્તુતિ. મિચ્છુ - મિથ્યાત્વનો. ગુરુથુઆ - ગુરુસ્તુતિ. પરિહરહ - ત્યાગ કરવો. સાહમ્પિઆણ - સાધર્મિકોનું. ધરહ - ધારવું.
વચ્છજું - વાત્સલ્ય. સમ્મત્ત - સમ્યકત્વને. વવહારસ્સ - વ્યવહારની. છવિહ - છ વિધ, છ પ્રકારના. સુદ્ધી - શુદ્ધિ. આવસયંમિ - આવશ્યકને વિષે. રહજતા - રથયાત્રા. ઉજુતો - ઉદ્યમવંત. તિત્યજત્તા - તીર્થયાત્રા. હોઇ - હોય.
વિસમ - ઉપશમ. પUદિવસે-પ્રતિદિવસ. હંમેશાં. વિવેગ - વિવેક. પન્વેસુ- પર્વ દિવસે.
સંવર - સંવર. પોસહવયં - પૌષધવ્રત. ભાસાસમિઈ - ભાષાસમિતિ. દાણ - સુપાત્રે દાન કરવું. છજીવ - છકાય જીવની. સીલ - શિયળ પાળવું.
કરુણા - દયા. તવો - તપ કરવો.
ધમિઅજણ - ધાર્મિકજનનો. ભાવો - ભાવના.
સંસગો - સંસર્ગ, સહવાસ. સઝાય - સ્વાધ્યાય.
કરણ - ઇન્દ્રિયોનું. નમુક્કારો - નમસ્કાર. દમો - દમન. પરોવયારો - પરોપકાર. ચરણ - ચારિત્રનો. અ - વળી.
પરિણામો - પરિણામ. ૧. આ સઝાયમાં શ્રાવકને યોગ્ય સદાચારના છત્રીસ પ્રકારનાં કૃત્યોનું વર્ણન છે. દરેક શ્રાવકે તે કરવામાં યથાશક્તિ ઉદ્યમવંત થવાની જરૂર છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૭૩ સંઘોવરિ - સંઘની ઉપર. સઢાણ - શ્રાવકના. બહુમાણો - બહુમાન. કિસ્સે - કૃત્ય. પુત્થય - પુસ્તક.
એયં - એ. લિહણ - લખાવવું.
નિચ્યું - નિત્ય. પભાવણા - પ્રભાવના. સુગુરુ - સદ્ગુરુના. તિર્થે - તીર્થમાં.
| ઉચએસણું - ઉપદેશ વડે. "મહજિણાણે આણં, મિચ્છુ પરિહરહ ધરહ સમ્મત્ત | છવિહ-આવત્સયંમિ ૨ઉજ્જત્તો હોઈ પઇદિવસ ૧૫
અર્થ - જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી, મિથ્યાત્વનો ત્યાગ કરવો, સમ્યકત્વ ધારણ કરવું, છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિવસ ઉદ્યમવંત થવું. ૧
પલ્વેસુ પોસહવયં, દાણં સીલ તવો આ ભાવો અને સઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા અનેરા
અર્થ -પર્વ દિવસને વિષે પોસહ વ્રત કરવું, દાન, શિયળ, તપ અને ભાવના, સ્વાધ્યાય, નમસ્કાર અને પરોપકાર તથા જયણા રાખવી. ૨
જિણપૂઆ જિણથુણણ, ગુરુથુઆ
૧. મન્નત જિણાણમાણે ઇતિ પાઠાન્તરે. ૨. “ઉજ્જુત્તા હોય' ઇતિ પાઠાન્તર.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭૪ સાહમિઆણ વચ્છલ્લે II વવહારસ્સ ય સુદ્ધી, રહજતા તિત્વજત્તા યારો
અર્થ - જિનેશ્વર ભગવાનની પૂજા, જિનેશ્વર ભગવાનની સ્તુતિ, ગુરુની સ્તુતિ, અને સાધર્મીને વિષે વાત્સલ્ય, વ્યવહારની શુદ્ધિ, રથયાત્રા અને તીર્થયાત્રા. ૩ આ ઉવસમ 'વિવેગ સંવર, ભાસાસમિઈ
છ જીવકરુણા યો| ધમ્પિઅજણસંસગો, કરણદમો ચરણપરિણામો ૪ો.
અર્થ :- ઉપશમ, વિવેક, સંવર, ભાષાસમિતિ અને શકાય જીવની દયા, ધાર્મિક માણસનો સંસર્ગ, ઇન્દ્રિયોનું દમન અને ચારિત્રનો પરિણામ. ૪
સંઘોવરિ બહુમાણો, પુન્જયલિહણ પભાવણા તિર્થે / સઢાણકિચ્ચ-મે નિચ્ચે સુગુરૂવએસેણે પો.
અર્થ - શ્રીસંઘ ઉપર બહુમાન રાખવું, પુસ્તક લખાવવાં અને તીર્થની પ્રભાવના કરવી, શ્રાવકનાં આ કૃત્ય છે, તે નિરંતર સદગુરુના ઉપદેશથી જાણવાં. ૫
ઇતિ શ્રાવક દિનકૃત્ય સઝાય
(૧) વિવેક (૨) યજીવ ઈતિ પાઠાન્તરઃ આ સજઝાયમાં શ્રાવકને યોગ્ય હંમેશની તથા પર્વ દિવસની ૩૬ પ્રકારની કરણીનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશેષાર્થીએ આની મોટી ટીકા જોવી.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૭૫
૪૮. પોસહનું પચ્ચક્ખાણ' કરેમિ ભંતે ! પોસહં, આહારપોસહં દેસઓ સવ્વઓ, સરીરસક્કાર-પોસહં સવ્વઓ, બંભર્ચ૨-પોસહં સવ્વઓ, અવાવારપોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં ઠામિ, જાવ દિવસ અહોરાં પજ્જુવાસામિ ॥
૧. આ સૂત્ર વડે પોસહનું પચ્ચક્ખાણ લેવાય છે. પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ ત્યાગ કરવું અને પાલવું-સેવન કરવું, એમ બંને પ્રકારે થાય છે. તેથી આહારપોસહં એટલે આહારનો ત્યાગ કરવા રૂપ પોસહ કરું છું એમ અર્થ થાય છે. તેવી જ રીતે સરીરસક્કાર પોસહં એટલે શરીરની શોભા ન કરવા રૂપ પોસહ કરું છું. એ બંને બાબત ત્યાગ કરવાની છે. બંભચેરપોસહં અને અવ્વાવારપોસહં એટલે બ્રહ્મચર્યને પાળવારૂપ અને અવ્યાપાર (મન, વચન અને કાયાના સાવદ્ય યોગ અકરણરૂપ)ને પાળવારૂપ પોસહ કરું છું. એમ બંને પદનો અર્થ પાલન કરવાનો થાય છે. સામાયિક અને પોસહમાં ત્રણ કાળ સંબંધી પચ્ચક્ખાણ થાય છે તે આ પ્રમાણે કરેમિ પદ વડે વર્તમાન કાળે સાવદ્ય યોગનો ત્યાગ કરવા રૂપ પચ્ચક્ખાણ થાય છે. તસ્ય પદ વડે અતીતકાળે (ભૂતકાળે) કરેલાં સાવધ યોગનું પ્રતિક્રમણ થાય છે. અને પોસહમાં ઠામિ પદ વડે અનાગત કાળે બે બાબતનો ત્યાગ અને બે બાબતનું પાલન કરીશ એ પ્રકારનો (ધર્મની પુષ્ટિ આપે તે) પોસહ કરીશ એમ પચ્ચક્ખાણ કરાય છે.
૨. ભંતે એ પદના ભદંત (કલ્યાણકારી). ભયાન્ન (ભયનો અંત કરનાર) અને ભવાન્ત (ભવનો અંત ક૨ના૨) એવા ત્રણ અર્થ થાય છે, ભંતે એ પ્રકારે ભગવંતને આમંત્રણ ક૨વા વડે કરીને ગુરુકુલવાસનું સૂચન થાય છે. અર્થાત્ સાધુઓએ ગુરુનિશ્રામાં રહેવું અને ગૃહસ્થે ગુરુ મહારાજ પાસે સામાયિક ઉચ્ચરવું.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૬ અર્થ - હે ભગવંત ! હું પોસહ કરું છું. આહારત્યાગ કરવાનો પોસહ દેશથી વા સર્વથી, શરીરસત્કાર ન કરવાનો પોસહ સર્વથી, બ્રહ્મચર્યનો પોસહ સર્વથી, અવ્યાપારનો પોસહ સર્વથી, આ ચાર પ્રકારના પોસહને હું કરું છું, તે આખો દિવસ અથવા રાત અને દિવસ પાળું ત્યાં સુધી.
દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ કાએણે, ન કરેમિ નકારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ, નિંદામિ ગરિયામિ, અપ્રાણ વોસિરામિ ના
અર્થ - બે પ્રકારે અને ત્રણ પ્રકારે, મન-વચન અને કાયા વડે એમ ત્રણ પ્રકારે, નકરું તથા ન કરાવું એમ બે પ્રકારે, હે ભગવંત! તે (અતીતકાળના પાપ)ને હું પ્રતિક્રમું છું, આત્માની સાખે નિંદું છું, ગુરુની સાખે ગણું છું અને આત્માને વોસિરાવું છું. ૧
૪૯. પોસહ પારવાનું સૂત્ર સાગરચંદો કામો, ચંદનડિસો સુદંસણો ધન્નો જેસિં પોસહપડિમા, અખંડિયા જીવિયંતે વિ./૧
અર્થ - સાગરચંદ્રકુમાર, કામદેવજી, ચંદ્રાવતંસ રાજા, સુદર્શન શેઠ, તેઓને ધન્ય છે કે જેઓની પૌષધ પ્રતિમા જીવિતના અંત સુધી (મરણાંત કષ્ટ પ્રાપ્ત થતાં) પણ અખંડિત રહી. ૧
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૭
ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવા ય ।। જાસ પસંસઇ ભયવં, દૃઢવયત્ત મહાવીરો. ॥૨॥
અર્થ :- ધન્ય છે તે મનુષ્યોને અને તેઓ જ પ્રશંસાપાત્ર છે. સુલસા શ્રાવિકા આણંદ અને કામદેવ શ્રાવક જેમના દૃઢ વ્રતપણાને ભગવંત શ્રીમહાવીરસ્વામી વખાણે છે. ર
પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ હુઓ હોય તે સવિ હુ, મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં IIII
અર્થ :- પોષહના અઢાર દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હુ - મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૩ ” લઉં ટ
૫૦. સામાયિક લેવાનો વિધિ
પ્રથમ સ્થાપનાચાર્યજી ન હોય તો ઉંચે આસને પુસ્તક આદિ જ્ઞાનાદિનું ઉપકરણ મુકીને શ્રાવક તથા શ્રાવિકાએ કટાસણું, મુહપત્તિ અને ચરવળો લઈ, શુદ્ધ વસ્ત્ર સહિત થઈ, જગ્યા પુંજી કટાસણું પાથરી તે ઉપર બેસી. મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી, તે વડે મુખ ઢાંકી જમણો હાથ ઉંધો,
૧૨
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૮ સ્થાપનાજી સન્મુખ રાખીને એક નવકાર તથા પંચિંદિય' કહેવા પછી ખમાસમણ દઈ ઈરિયાવહિ, તસ્ય ઉત્તરી, અસત્ય ઊસસિએણે કહી એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધી (લોગસ્સન આવડે તો ચાર નવકારનો) કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં પદ બોલી કાઉસ્સગ્ન પારી લોગસ્સ કહેવો. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક મુહપત્તિ પડિલેહું?” કહી કાંઈક વિરામ લઈ ઈચ્છે' કહી પચાસ બોલ ચિતવવા સાથે મુહપત્તિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક સંદિસાહુ' ? “ઈચ્છે” કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક ઠાઉં'? “ઈચ્છે” કહી બે હાથ જોડી એક નવકાર ગણી “ઈચ્છકારી ભગવનું પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી” કહી ગુરુ અથવા વિડિલ હોય તો તેઓની પાસે કરેમિ ભંતે ઉચ્ચરવું, નહિતર પોતાની મેળે કરેમિ ભંતેનો પાઠ બોલવો. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાહુ”? “ઈચ્છે” કહી. પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણે ઠાઉં”? “ઈચ્છે” કહેવું પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સક્ઝાય સંદિસાહુ?” “ઈચ્છે'. કહીખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું સઝાય કરું”? “ઈ'. કહી ત્રણ નવકાર ગણવા.પછી બે ઘડી વાંચવા આદિએ કરી ધર્મધ્યાન કરવું અથવા નવકારવાળી ગણવી. વિકથાદિ પ્રમાદમાં પડવું નહિ.
૧. સેન પ્રશ્નના પાઠ પ્રમાણે સ્થાપનાના ત્રણ નવકાર અને ઉત્થાપના એક નવકાર વડે થાય છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૯
૫૧. સામાયિક પારવાનો વિધિ
પ્રથમ ચરવળો લઈ ઊભા થઈ ખમાસમણ દઈ ઈરિયાવહિ પડિકમી યાવત કાઉસ્સગ્ન કરી, નમો અરિહંતાણે પદ બોલી, કાઉસ્સગ્ગ પારી, લોગસ્સ કહેવો પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેહું? “ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું સામાયિક પારુ'?' યથાશક્તિ કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક પાર્ક. કાંઈક વિસામા પછી “તહત્તિ’ કહી પછી જમણો હાથ ચરવળા ઉપર અથવા કટાસણા ઉપર થાપી એક નવકાર ગણી “સામાઇય વયજુરો' કહેવો. પછી જમણો હાથ સ્થાપના સામે સવળો રાખીને એક નવકાર ગણવો. અહીં ઉપરા ઉપર ત્રણ સામાયિક કે બે સામાયિક કરવાં હોય તો દરેક સામાયિક લેતાં લેવાની વિધિ કરવી પણ વખતો વખત પારવું નહિ. બે સામાયિક કરવાં હોય તો બે પુરાં થયે અને ત્રણ સામાયિક કરવાં હોય તો ત્રણ પુરાં થયે એકવાર પારવું. એવી પ્રવૃત્તિ છે. એક સામટાં આઠ-દશ સામાયિક કરવાં હોય તો ત્રણ ત્રણ સામાયિક સુધી આ વિધિ જાણવો.
પર. ચૈત્યવંદન કરવાનો વિધિ પ્રથમ ત્રણ ખમાસમણ દઈને, પછી “ઈચ્છાકારણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું”? કહી; “ઈચ્છે' કહી, ચૈત્યવંદન, અંકિંચિ કહી, પછી બે કુણી પેટ ઉપર રાખી, બે હાથ ૧. અહીં ગુરુ પુણોવિ કાવ્યો' કહે. ૨. અહીં ગુરુ “આયારોના મોત્તવો' કહે. ૩. લગોલગ સામાયિક લેવું હોય ત્યારે બીજું-ત્રીજું સામાયિક લેતાં સજઝાય કરું' ના બદલે “સજઝાયમાં છું' એમ કહી ત્રણ નવકારને બદલે એક નવકાર ગણવો.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૮૦ જોડી અંજલી કરી “નમુત્થણ' કહેવું. પછી મુક્તાશુક્તિ મુદ્રાએ (બે હાથ પોલા જોડી, માથા સુધી ઉંચા રાખી) “જાવંતિ ચેઇઆઈ' કહી, ખમાસમણ દઈ તે જ મદ્રાએ “જાવંત કેવિ સાહુ કહી, પછી અંજલી કરી “નમોડહંત-સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધભ્ય?” તેમજ ઉવસગ્ગહરં અથવા ગમે તે સુવિહિતનું કરેલું સ્તવન કહેવું પછી મુક્તાશક્તિ મુદ્રાએ જયવીયરાય આભવમખેડા સુધી કહી હાથ જરા નીચા ઉતારી જયવીયરાય પુરા કહેવા; પછી ઉભા થઈ બે પગ વચ્ચે ચાર આંગળ અંતર રાખી, બે હાથે અંજલી કરી અરિહંત ચેઈઆ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ ઊસિએણં, કહી નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી નમો અરિહંતાણં કહી “નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુઓઃ' કહી થોય જોડા માંહેની પહેલી થોય કહેવી.
૫૩. ગુરુવંદન કરવાનો વિધિ
પ્રથમ બે ખમાસમણ દઈ નીચે મુજબ સુખ-શાતા પૂછવી. ઈચ્છકાર 'સુહરાઈ, સુહદેવસિ સુખતપ, શરીર નિરાબાધ, સુખસંજમ જાત્રા નિર્વહો છો જી ! સ્વામી શાતા છે ? ભાત પાણીનો લોભ દેજોજી.
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ અદ્ભુકિમિ અભિતર રાઈયં ખામેઉં ? કહી, અદ્ભુટિઓ
કહેવો.
૫૪. દેવસિઅ પ્રતિક્રમણનો વિધિ
પ્રથમ પૂર્વની રીતીએ સામાયિક લેવું, પછી પાણી વાપર્યું હોય તો ખમાસમણ દઈ “ઈચ્છા સંદિસહ ભગ0 મુહપત્તિ
૧. બપોર પહેલાના વખતમાં કહેવું. ૨ બપોર પછીના વખતમાં કહેવું. ૩ બપોર પછીના વખતમાં દેવસિયં કહેવું.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૮૧
પડિલેહું”? “ઇચ્છે એમ કહી બેસીને મુહપત્તિ પડિલેહવી અને જો આહાર વાપર્યો હોય તો બે વાંદણા દેવાં; ત્યાં બીજાં વાંદણામાં આવસ્લેિઆએ” એ પદ ન કહેવું. અવગ્રહમાં જ ઉભા રહીને ઈચ્છકારી ભગવ પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી' એમ કહેવું. પછી વડીલ પચ્ચકખાણ કરાવે યા પોતે યથાશક્તિ પચ્ચકખાણ કરે. પછી ખમાસમણ દઈ ઉભા થઈ “ઇચ્છાઓ સંદિo ભગવચૈત્યવંદન કરું?” એમ કહેવું; પછી બેસીને વડીલ ચૈત્યવંદન કહે. વડીલ નહોય તો પંચાંગ પ્રણિપાતથી (બંને ઢીંચણ જમીન ઉપર સ્થાપી) પોતે કહે. પછી “જંકિંચિ' કહેવું. પછી નમુત્થણે કહી, ઉભા થઈ અરિહંત ચેઇઆણું કહી અન્નત્થી કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી નમોડર્વતકહી પહેલી થોય કહેવી, પછી લોગ, સવ્વલોએ અરિહંત ચેઈઆણં, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી,પારી, બીજી થાય કહેવી. પુખરવરદી, સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગે વંદણવઆિએ કહી, અન્નત્થ૦ કહી, એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી ત્રીજી થોય કહેવી, પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી. વૈયાવચ્ચગરાણું૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નમોડહંતકહી ચોથી થોય કહેવી, પછી બેસીને નમુત્થણે કહેવું. પછી ઉભા થઈ ચાર ખમાસમણ દેવાપૂર્વક “ભગવાહ, આચાર્યહં, ઉપાધ્યાયાં, સર્વ સાધુઈ, એમ કહેવું, પછી ઈચ્છકારિ સમસ્ત શ્રાવકને વાંદું, એમ કહેવું. પછી ઇચ્છા સંદિo ભગદેવસિઅપડિક્કમણે ઠાઉં? “ઇચ્છે'. એ આદેશ માગીને બેસી જમણો હાથ ચરવળા ઉપર યા ભૂમિ ઉપર સ્થાપી, “સદ્ગુસ્સવિ દેવસિઅ દુશ્ચિતિએ દુષ્માસિઅ, દુચ્ચિશ્ચિઅમિચ્છામિ દુક્કડ' એ પાઠ કહેવો. (પ્રતિક્રમણમાં દરેક
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આદેશ વડીલ જ માગે, તે ન હોય તો શ્રાવક પોતે માગે. આ વાત પીઠિકારૂપે સર્વત્ર યોજવી.) પછી ઉભા થઈ કરેમિ ભંતે૦ ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે દેવસિઓ અઇઆરોકહી તસ્યઉત્તરી૦ અન્નત્થ૦ કહી અતિચારની આઠ ગાથાનો અને તે ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી. પ્રગટ લોગસ્સ કહેવો. પછી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી પછી ઉભા થઈને બે વાંદણા દેવાં, તેમાં બીજા વાંદણા વખતે અવગ્રહ બહાર નીકળવું નહિ. બીજું વાંદણુ પુરું થયે ઇચ્છા સં૦ ભ૦ દેવસિય આલોઉં? “ઈચ્છે આલોએમિ “જો મે દેવસિઓ અઇઆરોનો પાઠ કહેવો. પછી “સાત લાખ' અને “અઢાર પાપસ્થાનક' કહેવા. પછી “સત્વસ્સવિ, દેવસિએ, દુચ્ચિતિય દુમ્ભાસિય દુચ્ચિઠ્ઠિઅ ઇચ્છા સંદિ૦ ભગ0 ઇચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડ' એમ કહી વીરાસને અથવા ન આવડે તો જમણો ઢીંચણ ઉંચો રાખી એક નવકાર, કરેમિ ભંતે૦ કહી, ઈચ્છામિ પડિક્કમિઉં, જો મે દેવસિઓ અઇઆરો કહી સંપૂર્ણ વંદિત્તું કહેવું; પણ તેમાં તસ્ય ધમ્મસ્સ કેવલિપન્નાસ્ટ અભુઢિઓમિ' એ પદ બોલતાં ઉભા થવું અને અવગ્રહની બહાર જઈને વંદિતુ પૂરું કરવું. પછી બે વાંદણા દેવાં. બીજા વાંદણામાં અવગ્રહમાં ઉભા હોઈએ ત્યાં “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ અલ્પટ્ટિઑમિ અલ્પિતર દેવસિતં ખામેઉં? “ઈચ્છે ખામેમિ દેવસિ' કહીને જમણો હાથ ચરવળા ઉપર સ્થાપી જંકિંચિ અપત્તિએ ઇત્યાદિ પાઠ બોલતાં અમ્મુઢિઓ ખામવો. પછી અવગ્રહ બહાર નીકળીને બે વાંદણા દેવાં. બીજું વાંદણુ પુરું થાય ત્યારે અવગ્રહની બહાર નીકળી “આયરિય ઉવજઝાએ” કહેવું. પછી કરેમિ ભંતેo ઇચ્છામિ ઠામિ0 તસ્સ ઉત્તરી અન્નત્થ૦ કહી
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૮૩ બે લોગસ્સ અથવા ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો. (લઘુ કે મોટી શાન્તિ કે ખરાબ સ્વપના કાઉસ્સગ્ગ સિવાય બીજી બધી જગ્યાએ લોગસ્સના જ્યાં જ્યાં કાઉસ્સગ્ન આવે ત્યાં ત્યાં ચંદેસુ નિમ્મલયરા સુધી જ ગણવાનું ધ્યાનમાં રાખવું.) પછી પારીને લોગસ્સ, સવ્વલોએ અરિહંત ચેઇ૦ અન્નત્થ૦ કહી; એક લોગસ્સ યા ચાર નવકારનો કાઉસ્સગ કરી પારી, પુફખરવરદીવ સુઅસ્ત ભગવઓ કરેમિ કાઉ૦ વંદણ) કહી, અન્નત્ય કહી એકલોગસ્સનો યા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી સિદ્ધાણં બુદ્ધાણં કહેવું. પછી “સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦” કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, નમોડહંત) કહી પુરુષે સુઅદેવયાની થોય (અહીં સ્ત્રી હોય તો તે કમલ-દલની સ્તુતિ કહે.) કહેવી. પછી ખિદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ કરી, પારી, નમોડહંત) કહી જીસે ખિત્તે સાહ૦ની થોય કહેવી. (અહીં પણ સ્ત્રી હોય તો તે યસ્યાઃ ક્ષેત્રે થોય કહે.) પછી એક નવકાર ગણી બેસીને મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણા દેવાં પછી ઊભા ઊભા “સામાયિક, ચઉવિસત્થો, વાંદણાં, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જી. ઇચ્છામો અણુસર્ટિ, એમ કહી, બેસીને નમોખમાસમણાણે, નમોડહંતઇત્યાદિ પાઠ કહી નમોડસ્તુ વદ્ધમાનાય૦ કહેવું (અહીં સ્ત્રી હોય તો તે સંસારદાવા ની ત્રણ થોય કહે.) પછી નમુત્થણ કહી “ઇચ્છાકારેણ સંદિ૦ ભગવત્ સ્તવન ભણું”? “ઈચ્છે' કહી સ્તવન કહેવું, (સ્તવન પૂર્વાચાર્યનું બનાવેલું ઓછામાં ઓછું પાંચ ગાથાનું હોવું જોઈએ) પછી “વરકનક' કહી પૂર્વની પેઠે ભગવાનાદિ ચારને, ભગવાનë વગેરે કહી ચાર ખમાસમણવડે
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૪
થોભવંદન કરવું. પછી જમણો હાથ ચરવળા યા ભૂમિપર સ્થાપી અઠ્ઠાઇજ્જસુ કહેવું પછી ઊભા થઈ “ઇચ્છાળ સંદિ૦ દેવસિઅ પાયચ્છિા-વિસોહણë કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છે દેવસિઅ પાયચ્છિત્ત-વિસોહણથં કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી ચાર લોગસ્સ યા સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, પ્રગટ લોગસ્સ કહેવો. પછી બે ખમાસમણ દેવા પૂર્વક ‘સજ્ઝાય સંદિસાહું ઇચ્છું” તથા ‘“સજ્ઝાય કરું ? ઇચ્છું'' એવી રીતે બે આદેશ માગી, બેસી. એક નવકાર ગણીને વિંડલ અગર તેમનો આદેશ માગી, પોતે સજ્ઝાય કહે. પછી એક નવકાર ગણી ઊભા થઈ ખમાસમણ દઇ “ઇચ્છા૦ સંદિ૰ ભગત દુŃક્ષ્ય કમ્મક્ષય નિમિત્તે કાઉસ્સગ્ગ કરૂં ? ઇચ્છે, દુક્ષ્મક્ષય કમક્ષ્ય નિમિત્તે કરેમિ કાઉસ્સગ્ગ'' અન્નત્થ૦ કહી સંપૂર્ણ ચાર લોગસ્સ અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, નમોડર્હત્ કહી, એક જણ ‘લઘુશાન્તિ’ કહે અને બીજા કાઉસ્સગ્ગમાં સાંભળે. પછી કાઉસ્સગ્ગ પારી, લોગસ્સ કહી, ખમાસમણ દઈ ઇરિયાવહી, તસ્સ ઉતરી, અન્નત્થ૦ કહી, એક લોગસ્સ યા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી, લોગસ્સ કહેવો પછી બેસી ચઉક્કસાય, જંકિંચિ, નમ્રુત્યુણં, જાવંતિ ચેઇઆઇ કહી, ખમાસમણ દઇ જાવંત કેવિ સાહૂ, નમોડર્હત્ ઉવસગ્ગહરં કહી બે હાથ લલાટે લગાડી જયવીયરાય કહી ખમાસમણ દઇ “ઇચ્છા સંદિ∞ ભગ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું” કહી મુહપત્તિપડિલેહવી. પછી ઊભા થઈ બે ખમાસમણ દેવા પૂર્વક ‘ઇચ્છાળ સંદિત ભગ૦ સામાયિક પારું ?'' “યથાશક્તિ’’ તથા ઇચ્છા૦ સંદિ૦ ભગ૦ સામાયિક પાર્યું “તત્ત્તિ” કહી, સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાઇઅ વયજુત્તો કહેવા પર્યંત સર્વ કહેવું, પછી સ્થાપના સ્થાપી હોય તો જમણો હાથ અવળો સ્થાપનાજી સન્મુખ રાખી એક નવકાર ગણવો.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૫
૫૫. રાઇઅ પ્રતિક્રમણ વિધિ પ્રથમ પૂર્વ રીતિએ સામાયિક લેવું. પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંહિસહ ભગવત્ કુસુમિણ દુસુમિણ ઉડાવણી રાઈઅ પાયચ્છિત્તવિસોહણë કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છે કુસુમિણદુસુમિણ. કહી, અન્નત્થ૦ કહી, કામભોગાદિનાં તે રાત્રિએ દુઃસ્વપ્ન આવ્યાં હોય તો સાગરવરગંભીરા સુધી અને બીજા દુઃસ્વપ્ન આવ્યાં હોય તો ચંદેસુ નિમ્મલયરા સુધી ચાર લોગસ્સ યા સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિo ભગ0 ચૈત્યવંદન કરું ? ઇચ્છે” એમ કહી બેસીને પંચાંગપ્રણિપાતે જગચિંતામણિનું ચૈત્યવંદન જયવીયરાય પર્યત કહેવું. પછી ભગવાનાદિ ચારને થોભવંદન કરવું પછી ઉભા થઈ બે ખમાસમણ દેવાપૂર્વક સજઝાયનો આદેશ માગી બેસીને એક નવકાર ગણી, ભરફેસરની સજઝાય કહેવી. પછી ઈચ્છકાર સુહરાઇવનો પાઠ કહેવો. પછી “ઈચ્છાકારેણ સંદિ૦ ભગવે રાઇઅ પડિક્કમણે ઠા? ઇચ્છે” એમ કહી જમણો હાથ ઉપધિ ઉપર સ્થાપી, સવ્વસ્ટવિ રાઇઅ દુઐિતિઅ૦ નો પાઠ કહેવો, પછી નમુત્થણે કહી ઉભા થઈ કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ૦ તસ્સ ઉત્તરી, અન્નત્થ૦ કહી એક લોગસ્સ યા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી પછી લોગસ્સ સવ્વલોએ અરિ૦ અન્નત્થ૦ કહી. એક લોગસ્સ યા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી પારી પછી પુફખરવરદીવ સુઅસ્સે ભગવઓ) વંદણ) અન્નત્થ૦ કહી અતિચારની આઠ ગાથા અથવા આઠ નવકારનો કાઉસ્સગ્ન કરી પારી પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી, પછી ઉભા થઈ વાંદણા બે દેવાં, પછી
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૬ ઇચ્છાકારેણ સંદિ૦ ભગ૦ રાઇઅં આલોઉં? ઈચ્છ, આલોએમિ જો મે રાઈનો પાઠ કહેવો. પછી સાત લાખ, અઢાર પાપસ્થાનક, સદ્ગુસ્સવિ રાઈઅ૦ દેવસિઅ પ્રતિક્રમણની પેઠે કહેવું. પછી બેસીને વીરાસને, ન આવડે તો જમણો ઢીચણ ઉભો રાખી નવકાર, કરેમિ ભંતે, ઈચ્છામિ પડિકમિઉં જો મે રાઈઓ૦ કહી વંદિતુ કહેવું, ૪૪મી ગાથામાં “અભુષ્ટિઓમિ” પદ કહેતાં ઉભા થઈ વંદિત પૂરું કરી વાંદણા બે દેવાં. પછી અવગ્રહમાં જ રહી, આદેશ માગી, અદ્ભુઢિઓ૦ ખામીને અવગ્રહ બહાર નીકળી, વાંદણાં બે દેવાં, પછી આયરિઅ વિઝાએ કહેવું, પછી કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ૦ તસ્સ0 અન્નત્થ૦ કહી સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી - (અત્ર તપચિંતવણીનો કાઉસ્સગ્ન કરવાનો છે.) પારી, પ્રગટ લોગસ્સ કહી, બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી ઊભા થઈને વાંદણા બે દેવાં. પછી અવગ્રહની અંદર રહીને “સકલતીર્થ” કહેવું. પછી આદેશ માગી યથાશક્તિ પચ્ચકખાણ કરવું. પછી છ આવશ્યક દેવસિસની પેઠે સંભારવાં. પછી “ઇચ્છામો અણસર્કિં” કહી બેસીને નમો ખમાસમણાણે નમોડર્તત કહી વિશાલ લોચનદi૦ કહેવું. (અહીં સ્ત્રીએ સંસારદાવાની ત્રણ થાય કહેવી.) પછી નમુત્થણ, અરિહંત ચેઇઆણં, કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને (પુરુષોએ નમોડર્ કહી કલ્યાણકંદની પ્રથમ થોય કહેવી પછી લોગસ્સ, પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાણં, કહી અનુક્રમે બાકીની ત્રણેય થોયો કહેવી પછી બેસીને નમુસ્કુર્ણ કહી ભગવાનાદિ ચારને થોભવંદન કરવું. પછી જમણો હાથ ઉપધિ ઉપર સ્થાપી અઢાઇક્વેસુ કહેવું. પછી બંને ઢીંચણ ભૂમિ પર સ્થાપી ઇશાનકોણ સન્મુખ બેસી યા તે દિશા મનમાં ચિંતવીને ખમાસમણ દઈ શ્રી સીમંધર સ્વામીનું
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૭ ચૈત્યવંદન, સ્તવન જયવીયરાય, કાઉસ્સગ્ન થાય પર્યત વિધિપૂર્વક કરવું. તેમાં અરિહંત ચેઈયાણંથી ઉભા થઈને વિધિ કરવી. તેજ પ્રમાણે ખમાસમણ દઈ શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન, સ્તવન, જયવીયરાય, કાઉસ્સગ્ગ, થોય પર્યત વિધિપૂર્વક કરવું. પછી સામાયિક પારવાની વિધિની રીતિએ સામાયિક પારવું. - તા.ક. ગુરુમહારાજ હોય ત્યારે તેઓ જેમ આદેશ માગે છે-તેઓ કાઉસ્સગ્ન પારે ત્યારે આપણે પારીએ છીએ, કંઈ સૂત્ર કહેવું હોય ત્યારે તેઓની પાસે કહેવાનો આદેશ માગીએ છીએ; તેજ પ્રકારે તેમને વિરહ કરેમિ ભંતે ઉચ્ચરાવનાર જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ, વ્રતવૃદ્ધ, પ્રત્યે પણ પ્રતિક્રમણ કરતી વખતે વિનયથી વર્તવું યોગ્ય છે.
પ૬. પચ્ચકખાણ પારવાનો વિધિ
૧ પ્રથમ “ઇરિયાવહિ” પડિક્કમી, યાવત “જગચિંતામણી' ચૈત્યવંદન “જયવીરાય” સુધી કરવું. પછી “મન્ડ જિણાણ”ની સઝાય કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચકખાણ પારું? યથાશક્તિ, ઈચ્છામિ ઈચ્છા સંદિસહ ભગવન્! પચ્ચખાણ પાયું; “તહત્તિ” એમ કહી જમણો હાથ કટાસણા અથવા ચરવળા ઉપર સ્થાપી, એક “નવકાર” ગણી, પચ્ચકખાણ કર્યું હોય, તેનું નામ કહી તે પારવું. તે આ પ્રમાણે “ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ પોરિસિં, સાઢપોરિસિં, ગંઠિસહિઅં, મુક્રિસહિઅં પચ્ચખાણ કર્યું. ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણું, બેસણું, પચ્ચકખાણ કર્યું. તિવિહાર, પચ્ચકખાણ ફાસિકં પાલિએ, સોહિએ તીરિએ, કિટ્ટિએ, આરાહિઅં, જે ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. એમ કહી એક નવકાર ગણવો.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૮ પ૭. સ્નાતસ્યાની સ્તુતિ
શબ્દાર્થ સ્નાતસ્ય - જવરાવેલા. | હંસ - હંસપક્ષીની. અપ્રતિમસ્ય - નિરુપમ-ઉપમા | અંસ - પાંખવડે.
આપી શકાય નહિ એવા. | આહત - ઉડાડેલી. મેરુશિખરે - મેરુપર્વતની ટોચે.. | પઘરેણુ - કમળની રજવડે. શચ્યા - ઈન્દ્રાણીએ.
કપિશ - પીળું થયેલું. વિભોઃ - પ્રભુના.
ક્ષીરાર્ણવ -ક્ષીરસમુદ્રના. શૈશવે - બાળપણમાં. અંભોભૂતિઃ - પાણીથી ભરેલા. રૂપાલોકન - રૂપ જોવાથી થયેલ. | કુંભૈઃ - કળશો વડે. વિસ્મય - આશ્ચર્ય વડે. અપ્સરસાં - અપ્સરાઓના. આહતરસ - ભોગવેલ રસની. | પયોધરભર - સ્તનના સમૂહની. ભ્રાંત્યા - ભ્રાંતિવડે.
પ્રસ્પદ્ધિભિ-અતિ સ્પર્ધા કરનારા. ભ્રમચ્ચક્ષુષા -ભમતી ચક્ષુ છે જેની. | કાંચનૈઃ - સોનાના. ઉભૃષ્ટ - લૂછેલું.
મેષ - જેઓનો. નયનપ્રભા - નેત્રની કાન્તિવડે. | મંદરરત્નશૈલ- મેરુ પર્વતના. ધવલિત - ઉજ્જવલ થયેલું. | શિખરે - શિખર ઉપર. ક્ષીરોદક - ક્ષીરસમુદ્રના પાણીની. જન્માભિષેક - જન્મ અભિષેક. આશંક્યા - આશંકા વડે. કૃતઃ - કરેલો છે. વર્ક્સ - મુખ.
સર્વે- સર્વ પ્રકારના. યસ્ય - જેનું.
સર્વસુરાસુર - સમગ્ર સુર પુનઃ પુનઃ - વારંવાર.
(વૈમાનિક દેવ) અને અસુર સ જ્યતિ - તે જયવંત વર્તે છે. (ભવનવાસી દેવ)ના. શ્રીવર્ધમાનઃ - શ્રી મહાવીર. ઈશ્વરગણે - ઈન્દ્રના સમુદાયે. જિનઃ - તીર્થકર.
| તેષાં - તેઓના.
Page #192
--------------------------------------------------------------------------
________________
નતઃ - નમ્યો. અહં - હું. *માન્ - ચરણોને.
૧૮૯
અર્હત્ર - અદ્વૈતના મુખ થકી. પ્રસૂત - પ્રગટ થયેલા. ગણધરરચિતં - ગણધરોએ રચેલા. દ્વાદશાંગ - બાર અંગરૂપ.
વિશાલં - વિશાળ.
ચિત્ર - આશ્ચર્યકારી. બર્થયુક્ત - ઘણા અર્થયુક્ત. મુનિગણ - સાધુ સમુદાયના. વૃષભૈઃ - નાયકોએ – આચાર્યોએ. ધારિત - ધારણ કરેલું. બુદ્ધિમભિઃ - બુદ્ધિમાન. મોક્ષ - મોક્ષના.
અગ્રદ્વારભૂત - અગ્રદ્વાર સમાન. વ્રતચરણફલં - વ્રત અને ચારિત્રનું
ફળ છે જેમાં એવું.
શેયભાવપ્રદીપં - જાણવા યોગ્ય
ભાવોને દીપક સમાન. ભક્ત્યા - ભક્તિ વડે. નિત્યં - નિરંતર.
|
નિષ્પકવ્યોમ
વાદળ રહિત આકાશ જેવા. નીલઘુતિ - નીલવર્ણવાળા. અલસદેશં - મદપૂર્ણિત નેત્રવાળા. બાલચંદ્ર - બીજના ચંદ્રની.
-
આભદ્રંષ્ટ્ર - કાન્તિ જેવી દાઢવાળા. મત્તે - મદોન્મત્ત.
ઘંટારવેણ - ઘંટના શબ્દ.
પ્રસૃત - પ્રસરતા.
મદજલં - મદરૂપ પાણીને. પૂરયંતં - પૂરતા. સમંતાત્ - સર્વ બાજુએ. આરૂઢ - બેઠેલ.
દિવ્યનાગું - દિવ્ય હસ્તિ ઉ૫૨. વિચરતિ - વિચરે છે.
ગગને - આકાશમાં.
કામદઃ - મન વાંછિત આપનાર. કામરૂપી - સ્વેચ્છાચારી.
યક્ષઃ - યક્ષ.
સર્વાનુભૂતિઃ - સર્વાનુભૂતિ. દિશતુ - આપો.
મમ - મને.
પ્રપદ્યે - અંગીકાર કરું છું. શ્રુતં - સિદ્ધાંતને.
અખિલ - સમસ્ત.
સદા - - હંમેશ.
લોકૈકસાર - લોકમાં અદ્વિતીય | સર્વકાર્યેષુ - સર્વ કાર્યમાં.
સિદ્ધિ - સિદ્ધિને.
સારભૂત.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૯૦ શ્રી વીરજિન સ્તુતિ
(શાર્દૂલવિક્રીડિતમ્) સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરૂશિખરે શય્યા વિભોઃ શૈશવે, રૂપાલોકનવિસ્મયાહતરસબ્રાંત્યા ભ્રમચ્ચક્ષુષાને ઉત્કૃષ્ટ નયનપ્રભાધવલિત ક્ષીરોદકાશંકયા, વત્ર યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રી વર્તમાનો જિનઃ || ૧ |
અર્થ -બાળપણમાં મેરૂ પર્વતના શિખર ઉપર હવરાવેલા અને નિરૂપમ પ્રભુના રૂપને જોવાથી થયેલા વિસ્મય વડે ભોગવેલ રસની ભ્રાંતિવડે ભમતી (અરહી પરહ થતી) છે ચક્ષુ જેની એવી ઈન્દ્રાણીએ, નેત્રની કાન્તિવડે ઉજ્વલ કરેલું અને ક્ષીરસમુદ્રના જળની આશંકા વડે લૂછેલું જે ભગવંતનું મુખ છે, તે શ્રી વર્તમાનજિન વારંવર જયવંત વર્તે છે. ૧.
સર્વ જિન સ્તુતિ હિંસાંસાહત-પઘરેણુકપિશ-ક્ષીરાર્ણવાંભોભૂતૈિઃ, કુંભૈરપ્સરસાં પયોધરભરપ્રસ્પદ્ધિભિઃ કાંચન // યેષાં મંદરરત્નશૈલશિખરે જન્માભિષેક કૃતઃ, સર્વેઃ સર્વસુરાસુરેશ્વરગણેતેષાં નતોડહં ક્રમાન્ | ૨ //
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૧
અર્થ:- સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઇન્દ્ર સમુદાયે મેરુ પર્વતના શિખર ઉપર રાજહંસોની પાંખો વડે ઉડેલી કમળની રજ વડે પીળું થયેલ જે ક્ષીરસમુદ્રનું પાણી તેના વડે ભરેલા, અપ્સરાના સ્તનના સમૂહની સાથે અતિસ્પર્ધા કરનારા એવા સુવર્ણના કળશો વડે જે તીર્થકરોનો જન્માભિષેક કરેલ છે. તેઓના ચરણકમળોને હું નમ્યો છું. ૨.
શ્રુત-સિદ્ધાંત સ્તુતિ
(સ્ત્રગ્ધરાવૃત્તમ્) અહંન્નપ્રસૂત, ગણધરરચિતંદ્વાદશાંગવિશાલ, ચિત્ર બડ્વર્ણયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમભિઃ || મોક્ષાગ્રદ્વારભૂતં વ્રતચરણફલ શયભાવપ્રદીપ, ભકત્યા નિત્યં પ્રપદ્ય કૃતમહ-મખિલ સર્વલોકૈકસારમ્ II ૩.
અર્થ:- અહંતના મુખથકી પ્રગટ થયેલ, ગણધરોએ રચેલ દ્વાદશ અંગરૂ૫ વિશાલ, આશ્ચર્યકારી, ઘણા અર્થયુક્ત બુદ્ધિમંત સાધુ સમુદાયના નાયકો (આચાર્યો)એ ધારણ કરેલ, મોક્ષના અગ્રદ્વાર તુલ્ય, વ્રત અને ચારિત્રનું ફળ છે જેમાં એવા, જાણવા યોગ્ય ભાવોને (જણાવવામાં) દીપક સમાન અને સર્વ લોકને વિષે અદ્વિતીય સારભૂત સમસ્ત સિદ્ધાંતને હું નિરંતર ભક્તિ વડે અંગીકાર કરું છું. ૩.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૯૨ નિષ્પ - કવ્યોમનીલ ઘુતિમલસદૃશં બાલ-ચંદ્રાભદંષ્ટ્ર, મત્ત ઘંટારવેણ પ્રસૂતમદજલ પૂરયન્ત સમત્તાત્ આરૂઢો દિવ્યનાગ વિચરતિ ગગને કામદ: કામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા સર્વકાર્યેષુ સિદ્ધિ ૪
અર્થ - વાદળ રહિત આકાશ જેવા નીલવર્ણવાળામદપૂર્ણિત નેત્રવાળા, બીજના ચંદ્રની કાન્તિ જેવી ઉજ્વલ દાઢા (દંકૂશળ) વાળા, ઘંટના શબ્દવડે મદોન્મત્ત, પ્રસરતા મદરૂપ પાણીને સર્વે બાજુએ પૂરતા એવા દિવ્ય હસ્તિ ઉપર બેઠેલ, મનોવાંછિત આપનાર, સ્વેચ્છાચારી સર્વાનુભૂતિ નામનો યક્ષ આકાશમાં વિચરે છે, તે મને હંમેશ સર્વ કાર્યમાં સિદ્ધિ આપો. ૪.
૫૮. ભવનદેવતા-સ્તુતિઃ
શબ્દાર્થ જ્ઞાનાદિ - જ્ઞાનાદિક. વિદધાતુ - કરો. ગુણયુતાનાં - ગુણયુક્તનું. | ભવનદેવી - ભવનદેવી. સ્વાધ્યાય - સ્વાધ્યાય (અને) | શિવ - કલ્યાણ. સંયમરતાનાં - ચારિત્રમાં રક્તનું. 1 સર્વસાધૂનાં - સર્વ સાધુઓનું.
૧. આ અતિ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના કતદાન શિષ્ય બાલચન્દ્રાચાર્યે બનાવી છે. પ્રથમ સંઘે માન્ય કરી નહોતી, પણ બાલચંદ્ર કાળ કરીને વ્યંતર થવાથી તેણે સંધને ઉપદ્રવ કર્યો તેથી, તથા અવિરૂદ્ધ વચન હોવાથી સંઘે માન્ય કરીને ચતુર્દશીના પ્રતિક્રમણમાં દાખલ કરી એવો વૃદ્ધવાદ છે. બાલચંદ્ર શબ્દ કર્તાનું નામ પણ સૂચવ્યું છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૯૩ ભવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગવ
જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્યસ્વાધ્યાયસંયમરતાનામ્ II વિદધાતુ ભવનદેવી, શિવ સદા સર્વસાધૂનામ્ / ૧ /
અર્થ :- ભવનદેવતાને આશ્રયીને કાઉસ્સગ્ન કરું છું. જ્ઞાનાદિ, ગુણયુક્ત હંમેશાં સ્વાધ્યાય અને સંયમમાં રક્ત સર્વ સાધુઓનું હે ભવનદેવી! નિરંતર કલ્યાણ કરો. ૧.
૫૯. ક્ષેત્રદેવતા સ્તુતિ
શબ્દાર્થ યસ્યાઃ - જે દેવીના.
સા - તે. ક્ષેત્ર-ક્ષેત્રને.
ક્ષેત્ર દેવતા -ક્ષેત્રદેવી. સમાશ્રિત્ય - આશ્રય કરીને. ભૂયાત - થાઓ. સાધુભિઃ - સાધુઓ વડે. નઃ - અમને. સાધ્યતે - સધાય છે. સુખદાયિની સુખ આપનારી. ક્રિયા - ધર્મક્રિયા
યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા | સા ક્ષેત્રદેવતા નિયં, ભૂયાન્નઃ સુખદાયિની || ૧
અર્થ - જે દેવીના ક્ષેત્રનો આશ્રય કરીને સાધુઓ વડે ધર્મક્રિયા સધાય છે, તે ક્ષેત્રદેવી અમોને નિરંતર સુખ આપનારી થાઓ ! ૧.
૧૩
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૪
૬૦. સકલાહ
શબ્દાર્થ
સકલ - સર્વને. અર્હત્ - પૂજવાને યોગ્ય. પ્રતિષ્ઠાનં - સ્થાનરૂપ. અધિષ્ઠાનં - સ્થાનક. શિવશ્રિયઃ - મોક્ષલક્ષ્મીનું ભૂર્ભુવઃ સ્વસ્રયી - પાતાળ, મૃત્યુ અને સ્વર્ગરૂપ ત્રણ લોકના.
|
ઇશાનં - ઈશ્વર-સ્વામી. આર્હત્ત્વ - અર્હતના સમૂહનું. પ્રણિદધ્મહે - અમે ધ્યાન કરીએછીએ.
નામ - નામનિક્ષેપ. આકૃતિ - સ્થાપનાનિક્ષેપ. દ્રવ્ય - દ્રવ્યનિક્ષેપ (અને). ભાવૈઃ - ભાવનિક્ષેપ વડે. પુનતઃ - પવિત્ર કરનારા. ત્રિજગજ્જનં – ત્રણ જગતના લોકોને. ક્ષેત્રે - ક્ષેત્રમાં.
કાલે - કાળમાં. સર્વસ્મિન્ - સર્વને વિષે.
અર્હતઃ - અર્હન્તોને. સમુપાસ્મહે - રૂડા પ્રકારે સેવીએ
છીએ.
આદિમં - પહેલા.
પૃથિવીનાથં - પૃથ્વીના પતિ, રાજા. નિષ્પરિગ્રહઁ - નિષ્પરિગ્રહી-સાધુ. તીર્થનાથં - તીર્થપતિ, તીર્થંકર.
ઋષભસ્વામિન- ઋષભદેવસ્વામિને.
|
સ્નુમઃ - અમે સ્તવીએ છીએ.
અર્હન્ત - પૂજ્ય.
અજિત - અજિતનાથને. વિશ્વ - જગતરૂપી.
કમલાકર - કમળવાળા સરોવરને. ભાસ્કર - સૂર્યસમાન. અમ્લાન - નિર્મળ.
કેવલાદર્શ - કેવળજ્ઞાનરૂપ દર્પણમાં. સંક્રાંતજગત - પ્રતિબિંબિત કર્યું છે ત્રણ જગત જેણે એવા.
* આ ચૈત્યવંદન પક્ષી, ચોમાસી અને સંવચ્છ૨ી પ્રતિક્રમણના આરંભમાં કહેવામાં આવે છે. કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પોતે કરેલા ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર નામના ગ્રંથમાં ૨૬ મા શ્લોક સિવાય નૃતાપÛ૦ પર્યંત ૨૫ શ્લોક મંગલાચરણ તરીકે રચેલા છે. તેથી આ ચૈત્યવંદનના કર્તા ઉક્ત આચાર્ય છે, એમ નિર્ણય થાય છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૯૫
તુવે - સ્તવું છું.
તા:- તે. વિશ્વ - સમસ્ત.
દેશનાસમયે - ધર્મોપદેશ વખતે. ભવ્યજન - ભવ્યજનો રૂપી. | વાચઃ - વાણીઓ. આરામ - બગીચાને. | શ્રીસંભવઃ - શ્રીસંભવનાથ. કુલ્યાતુલ્યા - પાણીની નીક તુલ્ય. | જગત્પતેઃ જગતના પતિ-પ્રભુની. યંતિ - જયવંતી વર્તે છે. |
સકલાર્તપ્રતિષ્ઠાન-મધિષ્ઠાન શિવશ્રિય: / ભૂર્ભુવઃસ્વસ્ત્રયીશાન-માઈન્ચ પ્રણિદLહે. ૧.
અર્થ:- સર્વને પૂજાના સ્થાનરૂપ, મોક્ષલક્ષ્મીના નિવાસ રૂપ અને પાતાળ ભૂમિ (મલૈં) અને સ્વર્ગરૂપ ત્રણ લોકના ઈશ્વર એવા અહંના સમૂહનું અમે ધ્યાન કરીએ છીએ. ૧.
નામાકૃતિદ્રવ્યભાવૈ , પુનતસ્ત્રિજગ જ્જનમ્ | ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિતઃ સમુપાસમe //
અર્થ - સર્વ ક્ષેત્રને વિષે અને સર્વ (ભૂત, ભવિષ્ય તથા વર્તમાન) કાળને વિષે નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપવડે કરીને ત્રણ જગતના લોકોને પવિત્ર કરનાર અહંતુ પ્રભુઓને રૂડે પ્રકારે (વંદન, સત્કાર અને સન્માનાદિકથી) અમે સેવીએ છીએ. ર.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૬ આદિમ પૃથિવીનાથ-માદિસંનિષ્પરિગ્રહમ્ | આદિમ તીર્થનાથં ચ, ઋષભસ્વામિનું સ્તુમ૩
અર્થ - પ્રથમ પૃથ્વીના પતિ (રાજા) પ્રથમ પરિગ્રહના ત્યાગી (સાધુ) અને પહેલા તીર્થકર ઋષભદેવસ્વામિની અમે સ્તુતિ કરીએ છીએ. ૩. અહત્તમજિતંવિશ્વ-કમલાકરભાસ્કરમુ; અપ્લાનકેવલાદર્શ-સંક્રાંતજગત તુવે..૪
અર્થ:- આ વિશ્વરૂપી કમળવાળા સરોવરને સૂર્યના જેવા અને જેણે પોતાના નિર્મળજ્ઞાનરૂપી દર્પણમાં ત્રણ જગતું પ્રતિબિંબિત કરેલું છે એવા પૂજન કરવા યોગ્ય અજિતનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું. ૪.
વિશ્વભવ્યજનારામ-કુલ્ચાતુલ્યા જયંતિ તાઃ II દેશનાસમયે વાચ:, શ્રી સંભવ-જગત્પતેઃ . પ .
અર્થ:- સર્વ જગતના પતિ એવા શ્રી સંભવનાથ પ્રભુની ધર્મોપદેશ વખતે સર્વ જગતના ભવ્યજનો રૂપી ઉદ્યાનને સિંચન કરવામાં પાણીની નીક જેવી તે વાણીઓ જયવંતી વર્તે છે. ૫.
અનેકાંતમત - સ્યાદ્વાદ મતરૂપ. | સમુલાસન - ઉલ્લાસ કરવામાં. અંભોધિ - માહાસાગરને. ચંદ્રમા - ચંદ્ર તુલ્ય.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૭
દધાતુ - આપો.
આટોપાત્ - પ્રબળપણાથકી. અમંદ - ઘણો.
ઈવ - પેઠે. આનંદ – હર્ષ.
અરુણાઃ - લાલ ભગવાન - ઐશ્વર્યવાળા. શ્રી સુપાર્શ્વજિનંદ્રાય - શ્રી અભિનંદન અભિનંદન સ્વામી.
સુપાર્શ્વજિનેંદ્રને. ઘુસત્ - દેવતાઓના. મહેદ્ર - ઇન્દ્રોએ કિરીટશાણાગ્ર- મુકુટરૂપ શરાણના મહિતાંઘયે - પૂજયા છે ચરણ અગ્ર ભાગ વડે.
જેમના એવા. ઉત્તેજિત -અત્યંત તેજવંત થઈ છે. | નમઃ - નમસ્કાર હો. અંધિનખ - ચરણના નખની. ચતુર્વર્ણસંઘ - ચતુર્વિધ-સંઘરૂપ. આવલિઃ- શ્રેણી-પંક્તિ (જેની એવા) | ગગનાભોગ-આકાશ મંડળમાં. સુમતિ સ્વામી - સુમતિનાથ. ભાસ્વતે - સૂર્ય સમાન. તનોતુ - વિસ્તારો.
ચંદ્રપ્રભપ્રભોઃ- ચંદ્રપ્રભપ્રભુની. અભિમતાનિ - વાંછિતોને. ચંદ્ર - ચંદ્રમાના. વ: - તમારા.
મરીચિચિય-કિરણનાસમૂહ જેવી. પદ્મપ્રભપ્રભો - પદ્મપ્રભપ્રભુની. | ઉજ્વલા - શ્વેત-ધોળી. દેહભાસ - દેહની કાત્તિઓ. મૂર્તસિતધ્યાન - સાક્ષાત્ પુષ્ણસ્તુ - પોષણ કરો.
શુક્લધ્યાન વડે. વ: - તમારી.
નિર્મિતાઈવ - નિર્માણ કરાયેલ શ્રિયં - મોક્ષલક્ષ્મીને.
હોય તેવી. અંતરંગ - અત્યંતર.
શ્રિયે - જ્ઞાનલક્ષ્મીને માટે. અરિમથને- શત્રુને નાશ કરવામાં. | અસ્તુ - હો. કોપ - ક્રોધના.
અનેકાન્તમતાંબોધિ - સમુલ્લાસનચંદ્રમાઃ ! દદ્યાદમંદમાનન્દ, ભગવાનભિનંદનઃ || ૬ ||
વઃ- તમને.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૮ અર્થ - સ્વાદાદ મતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર તુલ્ય શ્રી અભિનંદન ભગવાન્ ઘણો આનંદ આપો. ૬.
ઘુસજ્જિરીટશાણાગ્રો-ત્તેજિતાંઘિનખાવલિઃ | ભગવાન્ સુમતિસ્વામી, તનોત્વભિમતાનિવ: ૭.
અર્થ:- દેવતાઓના મુગટરૂપી શરાણના અગ્રભાગવડે જેમના ચરણની નખપંક્તિ તેજવંત થયેલી છે. એવા શ્રી સુમતિ સ્વામી ભગવાન તમારા વાંછિતોનો વિસ્તાર કરો. ૭.
પદ્મપ્રભમભોÊહ-ભાસઃ પુષ્ણસ્તુ વઃ શ્રિયમ્I અંતરંગારિમથને, કોપાટોપાદિવારુણા: ૮
અર્થ - અંતરંગ શત્રુઓ (કામ-ક્રોધાદિ)ને મથન (દૂર) કરવાને કરેલા કોપના પ્રબળપણાથી જાણે લાલ થઈ હોય તેવી શ્રી પદ્મપ્રભપ્રભુના દેહની કાન્તિઓ. તમારી મોક્ષલક્ષ્મીનું પોષણ
કરો. ૮.
શ્રીસુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્રમહિતાંઘયે! નશ્ચિતુર્વર્ણસંઘ-ગગનાભોગ ભાસ્વાલા
અર્થ:- સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપી આકાશના વિસ્તારમાં સૂર્ય જેવા અને જેનાં ચરણોને મોટા ઇન્દ્રોએ પૂજ્યાં છે. એવા શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રને નમસ્કાર હો. ૯.
Page #202
--------------------------------------------------------------------------
________________
( પીડાયેલા.
૧૯૯ ચંદ્રપ્રભપ્રમોશ્ચન્દ્ર - મરીચિનિચયોજ્વલા મૂર્તિમૂર્તસિતધ્યાન-નિર્મિતેવ શ્રિયેડસ્તુ વઃ || ૧૦ ||
અર્થ - ચંદ્રના કિરણોના સમૂહ થકી ઉજ્જવળ, જાણે મૂર્તિમંત (સાક્ષાત) શુક્લધ્યાનવડે કરીને બનાવી હોય તેવી શ્રી ચંદ્રપ્રભ પ્રભુની મૂર્તિ તમારી જ્ઞાનલક્ષ્મીને માટે થાઓ. ૧૦.
શબ્દાર્થ કર - હાથમાં રહેલા. ભવરોગાર્તિ-સંસારરૂપ રોગથી અમલદ્ગદ્ નિર્મળ જળની માફક. કલયનું - જાણનારા.
જંતુનાં પ્રાણીઓને. કેવલશ્રિયા - કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી અગદંકાર - વૈદ્ય સમાન.
વડે. | દર્શનઃ- દર્શન છે જેમનું એવા. અચિંત્ય - અચિંત્ય-વિચારી | નિઃશ્રેયસશ્રી -મોક્ષલક્ષ્મીના.
શકાય નહિ તેવા. રમણઃ - ધણી. માહાભ્યાનિધિઃ-માહભ્યના ભંડાર. | શ્રેયાંસ - શ્રેયાંસનાથ. સુવિધિઃ - સુવિધિનાથ. શ્રેયસે - કલ્યાણના અર્થે. બોધયે - સમકિતને માટે. વિશ્વ - જગતને. સન્તાનાં પ્રાણીઓના. ઉપકારકીભૂત- ઉપકાર કરનારા. પરમાનંદકંદ - ઉત્કૃષ્ટ આનંદના | તીર્થકત્કર્મ-તીર્થકર નામકર્મની.
અંકુરને. | | નિર્મિતિઃ - ઉત્પત્તિ કરી છે જેમણે ઉભેદ – પ્રગટ કરવામાં.
એવા. નવાબુદઃ - નવીન મેઘતુલ્ય. સુર - વૈમાનિક દેવ.
સ્યાદામૃત-અનેકાંતરૂપ અમૃતને. અસુર - ભવુનવાસી દેવ. (અ) નિયંદી - ઝરનારા.
નરેઃ- મનુષ્યો વડે. શીતલઃ- શીતળનાથ. પૂજ્યઃ- પૂજવા લાયક. પાતુ - રક્ષણ કરો.
| વાસુપૂજ્ય: - વાસુપૂજયસ્વામી
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૦૦ પુનાતુ - પવિત્ર કરો. | ત્રિજગતું - ત્રણ જગતના. વિમલસ્વામિનઃ - વિમલનાથની. | ચેતોજલ - ચિત્તરૂપી પાણીને. કતકલોદ - કતકફળના ચૂર્ણ. | નૈર્મલ્યહેતવઃ - નિર્મળપણાના સોદરા - સરખી.
કારણભૂત. આ કરામલકવદૂવિશ્વ, કલય કેવલશ્રિયાને
અચિંત્યમાહાસ્યનિધિ, સુવિધિધયેડસ્તવઃ || ૧૧ .
અર્થ :- પોતાની કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવડે સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણનાર અને અચિંત્ય માહામ્યનાનિધાનરૂપ શ્રી સુવિધિનાથ ભગવાન તમારા બોધિ (સમ્યકત્વ)ને માટે થાઓ. ૧૧.
સત્તાનાં પરમાનંદ-કંદોભેદનવાંબુદ:// સ્યાદ્વાદામૃતનિશ્ચંદી, શીતલ પાતુ વો જિનઃ || ૧૨ ||.
અર્થ :- પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘ જેવા, સ્યાદ્વાદમતરૂપી અમૃતને ઝરનારા શ્રી શીતળનાથ તીર્થકર તમારી રક્ષા કરો. ૧૨.
ભવરોગાર્વજંતુના-મગદંકારદર્શન:// નિઃશ્રેયસશ્રીરમણ, શ્રેયાંસદ શ્રેયસેડતુ વઃ || ૧૩ .
Page #204
--------------------------------------------------------------------------
________________
૨૦૧
અર્થ :- જેમનું દર્શન (સમ્યક્ત્વ) સંસારરૂપી રોગથી પીડાએલા જીવોને વૈદ્ય સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષ્મીના સ્વામી છે. એવા શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમારા કલ્યાણના અર્થે થાઓ. ૧૩.
વિશ્વોપકારકીભૂત તીર્થંકૃત્કર્મનિર્મિતિઃ ॥ સુરાસુરનરેઃ પૂજ્યો, વાસુ
પૂજ્યઃ પુનાતુ વઃ ॥ ૧૪ ||
અર્થ :- જેમણે સર્વ વિશ્વને ઉપકાર કરનારા એવા તીર્થંકર નામકર્મને નિષ્પન્ન કરેલું છે અને જે દેવ, અસુર અને મનુષ્યો વડે પૂજવા લાયક છે, એવા શ્રી વાસુપૂજ્યસ્વામી તમોને પવિત્ર કરો. ૧૪.
-
વિમલસ્વામિનો વાચઃ, કતકક્ષોદસોદરાઃ ।। જયંતિ ત્રિજગચ્ચેતો-જલનૈર્મલ્યહેતવઃ ॥ ૧૫ ॥
અર્થ :- `કતક ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણરૂપ શ્રીવિમલસ્વામીની વાણીઓ જયવંતી વર્તે છે. ૧૫.
શબ્દાર્થ
સ્વયંભૂરમણ-સ્વયંભૂરમણ સમુદ્રની. | વારિણા - પાણી વડે.
સ્પદ્ધિ - સ્પર્ધા કરે એવા.
કરુણારસ - કરુણારસરૂપ.
અનંતિજમ્ - અનંતનાથજિન.
અનંતાં - જેનો અંત નથી એવી.
૧. ગમે તેવા મલિન જળમાં કતકચૂર્ણ નાખ્યું હોય તો જળને સ્વચ્છ કરે છે, તેમ પ્રભુની વાણી જગત્ના ચિત્તને નિર્મળ કરે છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૨ પ્રયચ્છતુ - આપો.
તમ શાન્ચે-અજ્ઞાનની શાન્તિને માટે. સુખશ્રિયમ્ - મોક્ષના સુખરૂપ લક્ષ્મીને. | શાન્તિનાથઃ - શ્રી શાન્તિનાથ. કલ્પદ્રુમ - કલ્પવૃક્ષની જેવા. શ્રીકુંથુનાથ - શ્રી કુંથુનાથ. સધર્માણ - ધર્મવાળા.
સનાથઃ - સહિત. ઈષ્ટપ્રાણી - વાંછિત ફળની પ્રાપ્તિમાં. | અતિશયદ્ધિભિઃ - અતિશયોરૂપ શરીરિણાં - શરીરધારી પ્રાણીઓને.
લક્ષ્મીવડે. ચતુર્તા- ચાર પ્રકારના. સુરાસુરનૃનાથાના - સુર, અસુર ધર્મદેાર - ધર્મને બતાવનારા. | અને મનુષ્યના સ્વામીઓના. ધર્મનાથં - ધર્મનાથને. | એકનાથઃ - અદ્વિતીયસ્વામી. ઉપાસ્મહ-અમે ઉપાસના કરીએ છીએ. | અરનાથઃ - અરનાથ પ્રભુ. સુધાસોદર - અમૃત સરખી. તુ - વળી. વાજ્યોન્ઝા - વાણીરૂપ ચાંદની | ચતુર્થાર - ચોથા આરારૂપ.
| (ચંદ્રના અજવાળા) વડે. | નભોરવિ-આકાશમાં સૂર્યસમાન. નિર્મલીકૃત - નિર્મલ કર્યા છે. | ચતુર્થપુરુષાર્થશ્રી - ચોથા દિભુખ - દિશાઓના મુખ ભાગ પુરુષાર્થરૂપ લક્ષ્મીના.
જેમણે એવા. | વિલાસં - વિલાસને. મૃગલક્ષ્મા - હરણના ચિહ્નવાળા. | વિતનોતુ - વિસ્તારો. સ્વયંભૂરમણસ્પદ્ધિ-કરુણારસવારિણા // અનંતજિદગંતાંવ, પ્રયચ્છતુ સુખશ્રિયમ્ ૧૬ll
અર્થ - સ્વયંભૂરમણ (છેલ્લા) સમુદ્રની હરીફાઈ કરનારા કરુણારસરૂપી જળવડે શ્રી અનંતનાથ ભગવાન્ તમને અનંત (જેનો અંત નથી એવી) મોક્ષના સુખરૂપ લક્ષ્મીને આપો. ૧૬. કલ્પદ્રુમસધર્માણ-મિષ્ટપ્રાણી શરીરિણામ્ | ચતુદ્ધધર્મદેષ્ટાર, ધર્મનાથમુશાસ્મહ૧૭
Page #206
--------------------------------------------------------------------------
________________
૨૦૩ અર્થ - પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષની જેવા ધર્મવાળા અને દાન, શીલ, તપ, તથા ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને બતાવનાર, શ્રી ધર્મનાથની અમે ઉપાસના કરીએ છીએ. ૧૭.
સુધાસોદરવાજ્યોન્ઝા - નિર્મલીકૃતદિમુખઃ | મૃગલમ્મા તમઃ શાન્ચે શાન્તિનાથજિનોડસ્તુ વદ / ૧૮ ને
અર્થ -પોતાની અમૃતના જેવી વાણીરૂપ ચંદ્રિકા વડે જેમણે દિશાઓના મુખભાગોને નિર્મલ કર્યા છે અને જેમનું મૃગનું ચિહ્ન છે એવા શ્રી શાન્તિનાથ જિન તમારા અજ્ઞાનની શાન્તિને માટે થાઓ. ૧૮.
શ્રી કુંથુનાથો ભગવાનું, સનાથોડતિશયદ્ધિભિઃ | સુરાસુરનૃનાથાના, મેકનાથોડતુ વઃ શ્રિયે ! ૧૯.
અર્થ - અતિશયોની સમૃદ્ધિઓવડે કરી યુક્ત અને દેવ, અસુર તથા મનુષ્યોના સ્વામીઓ (ઇન્દ્ર, ચક્રવર્તી વગેરે)ના અદ્વિતીય પતિ શ્રી કુંથુનાથ ભગવાન તમારી કલ્યાણરૂપી લક્ષ્મીને અર્થે હો. ૧૯. અરનાથસ્તુભગવા-શ્ચતુર્થારનભોરવિઃ | ચતુર્થપુરુષાર્થથ્રી-વિલાસંવિતનોતુવઃ ર૦
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૪ અર્થ - ચોથા આરારૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રી અરનાથ ભગવાન્ વળી તમોને ચોથા પુરુષાર્થ (મોક્ષ)ની લક્ષમીના વિલાસને વિસ્તારો. ૨૦. ,
શબ્દાર્થ અધીશમયુર -સ્વામીરૂપ મોરને. | વારિપ્લવા - પાણીના પ્રવાહ. નવવારિ૮ - નવીન મેઘ તુલ્ય. | ઇવ - પેઠે. કર્મઠુ - કર્મરૂપી વૃક્ષને. | નમ:- શ્રીનમિનાથના. ઉન્મેલને - ઉખેડી નાખવામાં.
પાંતુ - રક્ષણ કરો. હતિમલંઐરાવત હાથી તુલ્ય.
પાદનખાંશવઃ-ચરણના નખનાકિરણો. મલ્લિ - મલ્લિનાથને.
યદુવંશ -યાદવકુળરૂપ. અભિષ્ટ્રમઃ - સ્તુતિ કરીએ છીએ.
સમુદ્રઃ - સમુદ્રને ચંદ્ર તુલ્ય. જગતું - જગતની. મહામોહનિદ્રા-ગાઢ મોહ (મોહ
કર્મકક્ષ - કર્મરૂપ વનખંડને. નીયમ) રૂપ નિદ્રાને.
હુતાશનઃ - અગ્નિસમાન.
અરિષ્ટનેમિઃ - અરિષ્ટનેમિનાથ. પ્રત્યુષસમય - પ્રભાતકાળની. ઉપમ - ઉપમાવાળા.
ભૂયાત્ - થાઓ. મુનિસુવ્રતનાથસ્ય - મુનિસુવ્રત
અરિષ્ટનાશનઃ - ઉપદ્રવને નાશ સ્વામિની.
કરનારા. દેશનાવચન ઉપદેશની વાણીને. કમઠે - કમઠ ઉપર. સુમઃ - અમે સ્તવીએ છીએ. ધરણેન્દ્ર - ધરણેન્દ્ર ઉપર. ઉઠતો - લોટતાં, પડતાં. | સ્વોચિત - પોતાને યોગ્ય. નમતાં-નમસ્કાર કરનારાઓના. | કર્મ કુર્વતિ - કર્મને કરનારા. મૃદ્ધિ - મસ્તક ઉપર. તુલ્યમનોવૃત્તિઃ - સરખી નિર્મલીકારકારણે - નિર્મલ
મનોવૃત્તિવાળા. કરવાના કારણભૂત. | પાર્શ્વનાથઃ- શ્રી પાર્શ્વનાથસ્વામી. સુરાસુરનરાધીશ-મયૂરનવવારિદમ્ |
Page #208
--------------------------------------------------------------------------
________________
૨૦૫
કર્મવ્રૂત્સૂલને હસ્તિ-મલ્લૂ મલ્લિમભિ
હુમઃ ॥ ૨૧ ॥
અર્થ :- સુર, અસુર અને મનુષ્યોના પતિ (ઇન્દ્ર ચક્રવર્ત્યાદિ) રૂપી મયૂરોને (ઉલ્લાસ કરવાને) નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં ઐરાવત હસ્તિરૂપ શ્રી મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૧.
જગન્મહામોહનિદ્રા - પ્રત્યૂષસમયોપમમ્ ॥ મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચનં સ્તુમઃ।૨૨।
--
અર્થ :- સર્વ જગના લોકોની મોહનીય કર્મરૂપી નિદ્રાને દૂર કરવાને પ્રભાતકાળની ઉપમાવાળા શ્રી મુનિસુવ્રતનાથના દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૨.
લુહંતો નમતાં મૂધ્નિ, નિર્મલીકારકારણમ્ II વારિપ્લવા ઇવ નમેઃ, પાંતુ પાદનખાંશવઃ ॥ ૨૩॥
અર્થ :- નમસ્કાર કરતા એવા પ્રાણીઓના મસ્તક ઉપર પડતાં અને જળના પ્રવાહની માફક નિર્મળ કરવાના કારણરૂપ શ્રી નમિનાથ ભગવાનના ચરણના નખનાં કિરણો તમારી રક્ષા કરો. ૨૩.
યદુવંશસમુદ્દેન્દુઃ, કર્મકક્ષહુતાશનઃ ॥ અરિષ્ટનેમિર્ભગવાન્, ભૂયાદ્રોડરિષ્ટ
નાશનઃ ॥ ૨૪ |
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૬ અર્થ :- યદુવંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્મરૂપી (શુષ્ક) વનમાં અગ્નિ સમાન શ્રી અરિષ્ટનેમિ ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. ૨૪.
કમઠેધરણેન્દ્ર ચ, સ્વોચિતંકર્મ કુર્વતિ | પ્રભુતુલ્યમનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેડસ્તુ વઃ | ૨૫ છે.
અર્થ - પોતપોતાને યોગ્ય કર્મ કરતા કમઠ અને ધરણેન્દ્ર ઉપર જેમની મનોવૃત્તિ સરખી છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ તમારી જ્ઞાનલક્ષ્મીને માટે થાઓ. ૨૫.
શબ્દાર્થ શ્રીમતે - શ્રીમાનું. | ઈષદ્ જરા. વિરનાથાય -મહાવીર સ્વામીને. | બાષ્પાર્કયોઃ- અશ્રુથી ભીંજાયેલા. સનાથાય - સહિત.
ભદ્ર - કલ્યાણ હો. અદભાતશ્રિયા-આશ્ચર્યકારી લક્ષ્મી | શ્રીવીરજિન- શ્રીમહાવીરપ્રભુના.
(ચોત્રીશ અતિશયરૂપ) વડે. | નેત્રયોઃ- નેત્રોનું. મહાનંદસર - મહા આનંદરૂપ | વિજિતા તેજાર - વિશેષ પ્રકારે
સરોવરને. | અન્યના તેજને જીતનારા. રાજમરાલા - રાજહંસ સમાન. સેવિતઃ - સેવાયેલા. અહn - પૂજયને.
શ્રીમાનુ - કેવલ્ય લક્ષ્મીવાળા. કૃતાપરાધે - અપરાધી. વિમલ - નિર્મળ અપિ - પણ.
ત્રાસવિરહિત ત્રાસ-ભયથી રહિત. જને - મનુષ્ય ઉપર.
ત્રિભુવન - ત્રણ ભુવનમાં. કપામંથર - દયાવડે નમેલી છે. | ચૂડામણિ - મુકુટ સમાન. તારયો - કીકીઓ જેમની એવા. | મહિતઃ- પૂજિત. - ૧. કમઠાસુરે જળ વગેરેનો ઉપદ્રવ કર્યો, અને ધરણેન્દ્ર તે ઉપસર્ગ નિવારી પ્રભુની સેવા કરી છતાં પ્રભુનો બન્ને ઉપર સમાન ભાવ હતો.
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૭ વિર - મહાવીર પરમાત્માને. | અતુલ તુલના ન થઈ શકે એવું. બુધાઃ - પંડિતો.
વીરસ્ય - વીરનું. સંશ્રિતા -આશ્રય કરીને રહેલા છે. | ઘોરં- આકરું, કઠણ. વીરેણ - વીરસ્વામી વડે.
તપો - તા. અભિહત - હણાયો છે. વીરે - મહાવીરમાં. સ્વકર્મનિચય - પોતાનો કર્મસમૂહ.
શ્રીકૃતિકીર્તિ-લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ. વીરાય - વીરપ્રભુને. વીરાત - મહાવીરદેવથકી.
કાન્તિનિચય - કાન્તિનો સમૂહ.
શ્રીવીર ! - હે મહાવીરદેવ ! તીર્થમ્ - તીર્થ.
ભદ્ર - કલ્યાણને. ઈદ- આ વર્તમાન. પ્રવૃત્ત - પ્રવર્તે છે.
દિશ - આપો. શ્રીમતે વરનાથાય, સનાથાયાભુતશ્રિયા || મહાનંદસરોરાજ-મરાલાયાહત નમઃ | ૨૬ .
અર્થ - (ચોત્રીશ અતિશયરૂપ) અદ્ભુત લક્ષ્મીએ કરી સહિત, મહા આનંદરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન અને પૂજ્ય (અરિહંત) એવા શ્રીમાન વીરસ્વામીને નમસ્કાર થાઓ. ૨૬.
કૃતાપરાધેડપિ જને, કૃપામંથરતારયો:// ઈષબાષ્પાર્કયોર્ભદ્ર, શ્રીવીરજિનનેત્રયોઃ ||ર૭ ||
૧. સંગમ નામના દેવે પ્રભુ ઉપર ઘણા ઉપસર્ગો કર્યા તો પણ પ્રભુ ચલાયમાન ન થયા ત્યારે થાકીને તે સ્વસ્થાનકે જતો હતો તે વખતે પ્રભુ અત્યંત કરૂણાવાળા હોવાથી નેત્રમાં સહેજ અશ્રુ આવ્યાં તે એટલા માટે કે
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અર્થ :- અપરાધ કરનારા માણસ ઉપર પણ દયાવડે નમેલી કીકીઓવાળાં અને (તેથી દયાવડે જ) જરા અશ્રુથી ભીંજાયેલાં શ્રી વીરજિનનાં નેત્રોનું કલ્યાણ થાઓ. ૨૭. જ્યતિ વિજિતાન્યતેજાઃ, સુરાસુરાધીશસેવિતઃ શ્રીમાન્ । વિમલસ્ત્રાસવિરહિતત્રિભુવનચૂડામણિર્ભગવાન્ ॥ ૨૮ ॥
અર્થ :- વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા, દેવ અને દાનવોના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીવાળા, નિર્મળ, વિશેષ પ્રકારે ભયથી રહિત અને ત્રણ ભુવનમાં મુકુટ સમાન ભગવંત (વીરસ્વામી) જયવંતા વર્તે છે. ૨૮.
*વીરઃ સર્વસુરાસુરેન્દ્રમહિતો, વીર બુધાઃ સંશ્રિતાઃ, વીરેણાભિહતઃ સ્વકર્મનિચયો વીરાય નિત્યે નમઃ ।। વીરાત્તીર્થમિર્દ પ્રવૃત્તમતુલં, વીરસ્ય ઘોર તપો, વીરે શ્રીકૃતિ કીર્તિ કાન્તિનિચયઃ શ્રીવીર ! ભદ્રં દિશ॥ ૨૯ ॥
મારાથી આ જીવને કાંઈ પણ ઉપકાર થયો નહિ, પ્રભુને વાંદનાર અને ઉપસર્ગ ક૨ના૨ દ૨ેકને પ્રભુના દર્શનથી સમ્યક્ત્વ પ્રાપ્ત થતું હતું પણ સંગમ અભવ્ય હતો તેથી તેને પ્રાપ્ત થયું નહિ એવા અપરાધી ઉ૫૨ પણ જેમણે કરૂણાભાવ દર્શાવ્યો તે પ્રભુની અત્યંત કરૂણા સમજવી.
* આ શ્લોકમાં વીર શબ્દને જુદી જુદી આઠ વિભક્તિઓ લગાડીને શ્રી મહાવીર દેવની સ્તુતિ કરેલ છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૯ અર્થ:- વીરભગવંત સર્વદેવ-દાનવના ઇન્દ્રોવડે પૂજાએલા છે. વીરસ્વામીને પંડિતો આશ્રય કરી રહેલા છે, વિરપ્રભુવડે પોતાનો કર્મસમૂહ હણાયો છે. વીરસ્વામીને હંમેશાં નમસ્કાર થાઓ. વીરસ્વામી થકી આ (વર્તમાન) તીર્થ પ્રવર્યું છે, વીરસ્વામીનું તુલના ન થઈ શકે તેવું આકરું તપ છે. વીરસ્વામીને વિષે લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાન્તિનો સમૂહ છે. હે શ્રી વીર ! અમને કલ્યાણ આપો. ૨૯.
શબ્દાર્થ અવનિતલગતાનાં - પૃથ્વીતળને | પરમેષ્ઠિના - પરમેષ્ઠીઓના.
વિષે રહેલાં. દેવાધિદેવ દેવના દેવ. કૃત્રિમાકૃત્રિમાનાં - અશાશ્વતાં અને | સર્વજ્ઞ - સર્વને જાણનારને.
શાશ્વતાં. | શ્રીવીર - મહાવીરસ્વામીને. વરભવનગતાના - શ્રેષ્ઠ (ભવન- ] પ્રણિદLહે - અમે ધ્યાન કરીએ છીએ. પત્યાદિ દેવનાં) ભવનને
અનેકભવાર્જિત - અનેક ભવોમાં વિષે રહેલાં.
ઉપાર્જન કરેલાં. દિવ્યવૈમાનિકાનાં - દિવ્ય
| ઊર્જિતમહાપાપ - ઘણા મોટા પાપને. વૈમાનિકોનાં.
પ્રદીપાનલો - પ્રકર્ષે બાળવાને. ઈહ - આ લોકમાં.
અગ્નિ સમાન. મનુજકતાનાં મનુષ્યોએ કરેલાં. દેવરાજર્ચિતાનાં- દેવના રાજાઓ
સિદ્ધિવધૂ મોક્ષલક્ષ્મીના.
વિશાલહૃદય-વિશાળ અંતઃકરણમાં. (ઇન્દ્રો)એ પૂજેલાં. જિનવરભવનાનાં - જિનેશ્વરનાં.
અલંકારહારોપમઃ - અલંકાર રૂપ ચૈત્યો - પ્રતિમાઓને.
હારની ઉપમાવાળા.
અષ્ટાદશદોષ - અઢાર દોષરૂપ. ભાવતઃ - ભાવથકી. નમામિ - હું નમું છું.
સિંધુરઘટા- હાથીના સમુદાયને. સર્વેષાં - સર્વ.
| નિર્ભેદ-ભેદવાને, નાશ કરવાને. વેધસાં - જ્ઞાતાઓમાં. પંચાનનઃ - કેસરીસિંહ. આદ્ય - પહેલા.
ભવ્યાનાં - ભવ્યજનોને. ૧૪
Page #213
--------------------------------------------------------------------------
________________
વિદધાતુ - આપો. વાંછિતફલ - ઇચ્છિત ફલને.
વીતરાગઃ - રાગદ્વેષરહિત.
૨૧૦
મંડપઃ - માંડવગઢ. વૈભારઃ - વૈભારગિરિ. કનકાચલઃ - કનકાચલ પર્વત. અર્બુદગિરિઃ - આબુપર્વત.
ખ્યાતઃ - પ્રસિદ્ધ.
અષ્ટાપદપર્વતઃ - અષ્ટાપદપર્વત. | ચિત્રકૂટાદય - ચિત્રકૂટ ચિત્તોડ
ગજપદઃ - ગજપદ પર્વત.
વગેરે.
સંમેતશૈલાભિધઃ - સંમેતશિખર
નામનો પર્વત.
રૈવતકઃ - ગિરનાર.
પ્રસિદ્ધમહિમા - પ્રગટ મહિમાવાળો. શત્રુંજયઃ - શત્રુંજય પર્વત.
તંત્ર - ત્યાં.
ઋષભાદયઃ - ઋષભદેવ વગેરે. કુર્વન્તુ - કરો.
વઃ - તમોને.
મંગલ - કલ્યાણને.
અવનિતલગતાનાં, કૃત્રિમાકૃત્રિમાનાં; વરભવનગતાનાં, દિવ્યવૈમાનિકાનામ્ ॥ ઇહ મનુજકૃતાનાં, દેવરાજાર્ચિતાનાં; જિનવરભવનાનાં, ભાવતોડહં નમામિ ॥ ૩૦ ॥
અર્થ :- પૃથ્વીતલને વિષે રહેલાં, અશાશ્વતાં અને શાશ્વતાં શ્રેષ્ઠ (ભવનપત્યાદિના) ભવનને વિષે રહેલાં, દિવ્ય વૈમાનિકોનાં, આ લોકમાં મનુષ્યોએ કરેલાં, અને ઇન્દ્રોએ પૂજિત એવાં શ્રી જિનેશ્વરદેવનાં ચૈત્યો (પ્રતિમાઓ)ને ભાવ થકી હું નમું છું. ૩૦. સર્વેષાંવેધસામાદ્ય-માદિમંપરમેષ્ઠિનામ્ ॥ દેવાધિદેવં સર્વજ્ઞ, શ્રીવીર પ્રણિદધ્મહે।૩૧।
૧. આ શ્લોકમાં શાશ્વતી અને અશાશ્વતી પ્રતિમાઓને નમસ્કાર કરવા વડે સ્થાપનાજિનને નમસ્કાર કરેલ છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૧૧ અર્થ - જ્ઞાતાઓમાં પ્રથમ, (પાંચ) પરમેષ્ઠિઓમાં પ્રથમ, દેવોના દેવ અને સર્વજ્ઞ એવા શ્રી મહાવીર સ્વામીનું અમે ધ્યાન ધરીએ છીએ. ૩૧.
દેવોડનેકભવાર્જિતોર્જિત-મહાપાપપ્રદીપાનલો. દેવઃ સિદ્ધિવધૂવિશાલહૃદયાલંકારહારોપમ: દેવોડષ્ટાદશદોષસિંધુરઘટા નિર્ભેદપંચાનનો, ભવ્યાનાં વિદધાતુ વાંછિત ફલ, શ્રીવીતરાગો જિનઃ | ૩૦ ||
અર્થ - (જે) દેવ અનેક ભવમાં ઉપાર્જન કરેલાં ઘણા મોટા પાપને પ્રકર્ષે બાળવાને અગ્નિ સમાન છે, (જે) દેવ મોક્ષ લક્ષમીના વિશાલ હૃદય ઉપર અલંકારરૂપ હારની ઉપમાવાળા છે. (જે) દેવ અઢાર દોષરૂપ હાથીના સમુદાયને ભેદવાને કેશરીસિંહ તુલ્ય છે એવા શ્રી વીતરાગજિન ભવ્યજનોને વાંચ્છિત ફળ આપે! ૩૨.
ખ્યાતોષ્ટાપદપર્વતો ગજપદક સંમેતશૈલાભિધઃ શ્રીમાનું રેવતક પ્રસિદ્ધમહિમા શત્રુંજયો મંડપ. વૈભાર: કનકાચલોડ
૧. આ શ્લોક વડે ભાવજિનની સ્તુતિ કરવામાં આવી છે. અને ૩ થી ૨૭ શ્લોક વડે નામજિનની સ્તુતિ કરવામાં આવી છે.
૨. આ શ્લોક વડે ભરતક્ષેત્રમાં આવેલા અશાશ્વત તીર્થ ઉપર બિરાજમાન જિનપ્રતિમાઓની સ્તુતિ થાય છે. એમાં કનકાચળ કહેલ છે. તે કોઈ અશાશ્વત તીર્થ હોવું જોઈએ. મેરુપર્વત હોવાનો સંભવ નથી.
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૧૨
બુંદગિરિઃ શ્રીચિત્રકુટાદય-સ્તત્ર શ્રીઋષભાદયો જિનવરા કુર્વન્તુ વો મંગલમ્ ॥૩૩॥
અર્થ :-પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદપર્વત, સંમેતશિખર નામે પર્વત, શ્રીમાન્ ગિરનાર પર્વત, પ્રસિદ્ધ માહાત્મ્યવાળો શત્રુંજયગિરિ, માંડવગઢ, વૈભારગિરિ, મેરુ પર્વત, અર્બુદાચળ અને ચિત્રકૂટ (ચિતોડ) વગેરે; ત્યાં (બિરાજમાન) શ્રી ઋષભાદિક જિનેશ્વરો તમારું કલ્યાણ કરો. ૩૩.
૬૧. શ્રી પાક્ષિકાદિ અતિચાર*
નાણુંમિ હઁસણંમિ અ, ચરણમિ તવંમિ તહ ય વિરિયંમિ, આયરણું આયારો, ઇય એસો પંચહા ભણિઓ. ૧. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ છુ, મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧.
શ્રાવકના સમ્યક્ત્વ સહિત બાર વ્રતના ૧૨૪ અતિચારો વંદિત્તા સૂત્રમાં જે સામાન્યથી વર્ણવ્યા છે તે જ અતિચારોનું વિશેષ સ્વરૂપ અહીં આપવામાં આવેલ છે. પક્ષી, ચોમાસી અને સંવચ્છી પ્રતિક્રમણમાં આ અતિચારો બોલવાનો વિધિ છે, માટે તેનું નામ પાક્ષિકાદિ અતિચાર રાખેલું છે. અતિચાર ગુજરાતી ભાષામાં હોવાથી તેનો અક્ષરશઃ અર્થ લખેલ નથી પણ કઠણ શબ્દોનો અર્થ ફૂટનોટમાં લખેલ છે.
*
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૧૩
તત્ર 'જ્ઞાનાચારે આઠ અતિચાર. કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિષ્હવણે; વંજણ અત્થ તદુભએ, અટ્ટવિહો નાણમાયારો. ૧.
જ્ઞાન કાળવેળાએ ભણ્યો ગણ્યો નહીં, અકાળે ભણ્યો. વિનયહીન, બહુમાનહીન, યોગ-ઉપધાનહીન; અનેરા કન્હેં ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ ગુરુ વાંદણે, પડિક્કમણે, સજ્ઝાય કરતાં, ભણતાં, ગણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો, સૂત્ર કૂંડું કહ્યું. અર્થ ફૂડો કહ્યો. તદુભય કૂડાં કહ્યાં, ભણીને વિસાર્યાં સાધુ તણે ધર્મે કાજો અણઉદ્ધર્યું, ડાંડો અણપડિલેહો, વસતિ અણશોધે, અણપવેસે, અસજ્ઝાય, અણોઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો, ગણ્યો. શ્રાવકતણે ધર્મે થવિરાવલિ, પડિક્કમણાં. ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો. કાળવેળાએ કાજો પઅણઉદ્ધર્યો પડ્યો. જ્ઞાનોપગરણ, પાટી, પોથી ઠવણી, કવલી, નોકારવાળી, સાપડા, સાપડી. દસ્તરી, વહી, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો
૧. આ ગાથા વડે જ્ઞાનાચારના આઠ આચારોનાં નામ કહેલ છે. તેમાં જે પ્રમાદ તે અતિચાર એ પ્રમાણે દર્શનાચાર અને ચારિત્રચારની ગાથાઓ માટે પણ સમજવું. તેવી જ રીતે બીજા અતિચારોનું વર્ણન જે જે ગાથાઓમાં આવેલું છે. તે ગાથાનું પ્રથમ પદ માત્ર મૂકીને તે પછીનું તેનું વિશેષ વર્ણન સૂત્રકારે આપ્યું છે.
૨. સૂત્ર અને અર્થ. ૩. ઉપાશ્રય. ૪. યોગોદ્દહનાદિ ક્રિયાવડે સિદ્ધાંત ભણવામાં પ્રવેશ કર્યા વિના. ૫. કાઢ્યા વિના. ૬. દફતર. ૭. ચોપડો. ૮. લખેલા કાગળના વીંટા.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૧૪
થુંક લાગ્યું, થૂંકે કરી અક્ષર માંજ્યો. 'ઓશીસે ધર્યો. કને છતાં આહાર રનિહાર કીધો. જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે 'વિણાશ્યો, વિણસતો પઉવેખ્યો. છતી શક્તિએ સાર સંભાર ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ. મત્સર ચિંતવ્યો. અવજ્ઞા આશાતના કીધી, કોઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણાતણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, એ પંચવિધ જ્ઞાનતણી અસહણા કીધી. કોઈ તોતડો બોબડો હસ્યો વિતર્યો. અન્યથા પ્રરૂપણા કીધી, જ્ઞાનાચાર વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ૦ ૧.
દર્શનાચારે આઠ અતિચાર, નિસ્યંકિય, નિશ્ચંખિય, નિવ્વિતિગિચ્છા અમૂઢદિટ્ટી અ; ઉવવૂહ થિરીકરણે, વચ્છલ પભાવણે અટ્ઠ. ૧. દેવ-ગુરુ- ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધો, ધર્મ સંબંધીયા ફલતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલ મલિન ગાત્ર દેખી દુગંછા નિપજાવી. કુચારિત્રીયા દેખી
ન
૧. ઓશિકે. ૨. ઝાડો. ૩. ઓછી સમજણને લીધે. ૪. નાશ કર્યો. ૫. ઉપેક્ષા કરી. ૬. મશ્કરીમાં હસ્યા. ૭. સૂત્ર વિરૂદ્ધ.
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૫ ચારિત્રીયા ઉપર અભાવ હુઓ મિથ્યાત્વતણી પૂજાપ્રભાવના દેખી મૂઢદૃષ્ટિ પણે કીધું તથા સંઘમાંહે ગુણવંત તણી અનુપબૃહણા કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ અભક્તિ નિપજાવી, અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાશ્યા. વિણસતાં ઉવેખ્યાં. છતી શક્તિએ સારસંભાળ ન કીધી, તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો. અધોતી અષ્ટપડ મુખકોશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસકુંપી ધુપધાણું કળશતણો ઠબકો લાગ્યો. બિંબ હાથ થકી પાડયું. ઉસાસ-નિઃસાસ લાગ્યો. દેહરે, ઉપાશ્રયે, મલશ્કેષ્માદિક લોઢું, દેહરામાંહે હાસ્ય, ખેલ. કેલિ, કુતૂહલ, આહાર-નિહાર કીધાં; પાન, સોપારી, "નિવેદી ખાધાં, “ઠવણાયરિય હાથ થકી પાડ્યા. પડિલેહવા વિચાર્યા. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ-ગુરુણી પ્રત્યે તેત્રીશ આશાતના, કીધી હોય. ગુરુવચન તહત્તિ કરી પડિવર્યું નહીં, દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ) ૨.
૧. ગુણની પ્રશંસા ન કરવી તે. ૨. સમ્યત્વથી પડતાને સ્થિર નહિ કરવો તે. ૩. જિનપ્રતિમાને. ૪. રમત. ૫. નૈવેદ્ય. ૬. સ્થાપનાચાર્ય. ૭. અંગીકાર કર્યું.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ચારિત્રાચારે આઠ અતિચાર, પણિહાણ-જોગજુત્તો પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીસિં; એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઇ નાયવ્યો. ૧. *ઇર્યા- સમિતિ તે અણજોયે હિંડયા. ભાષાસહિત તે સાવદ્યવચન બોલ્યા. એષણા સમિતિ તે તૃણ, ડગલ અન્ન પાણી અસૂઝતું લીધું. આદાનભંડમત્તનિખૈવણા સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરૂં પ્રમુખ અણપુંજી જીવાકુલ ભૂમિકાએ મુક્યું લીધું. પારિષ્ઠાપનિકા સમિતિ તે મલ મૂત્ર શ્લેષ્માદિક અણપુંજી 'જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુપ્તિ મનમાં આર્ત-રૌદ્રધ્યાન ધ્યાયાં. વચનપ્તિ પસાવધ વચન બોલ્યા. કાયગુપ્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂજે બેઠા. એ અષ્ટપ્રવચન માતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવક તણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળ્યાં
* અહીં ઇર્યાસમિતિ એટલે ઇર્યાસમિતિ સંબંધી અતિચાર એમ સમજવાનું છે.કેમકે ગાથામાં આચારનાં નામ આપ્યાં છે. તે પ્રમાણે અહીં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનાં નામ અનુક્રમે આપીને તેના અતિચારની સમજ આપી છે. અહિં અતિચારનો વિષય ચાલે છે માટે ભાષાસમિતિ આદિ દરેક ઠેકાણે આ પ્રમાણે સમજવું.
૧. ધાસ. ૨. અચિત્ત માટીનાં ઢેફાં. ૩. બળખો, લીંટ. ૪. ઘણા જીવજંતુવાળી. ૫. પાપવાળાં.
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૭ નહીં, ખંડણા વિરાધના હુઇ. ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહી સૂક્ષ્મબાદર જાણતાં-અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૩.
*વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વમૂલ બાર વ્રત, સમ્યકત્વતણા પાંચ અતિચાર, સંકા-કંખવિગિચ્છા, શંકા-શ્રી અરિહંતતણા બળ, અતિશય જ્ઞાનલક્ષમી, ગાંભીર્યાદિક ગુણ શાશ્વતી પ્રતિમા ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રીજિનવચનતણો સંદેહ કીધો, આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો; આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, અવિનાયક, હનુમંત, સુગ્રીવ. વાલીનાહ ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી. જુજુઆ દેવ-દેહરાના પ્રભાવ દેખી રોગ આતંક કષ્ટ આવ્ય ઈહલોક પરલોકાર્પે પૂજ્યા માન્યા. સિદ્ધ
* પાંચ આચારો પૈકી જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર એ ત્રણના અતિચારની વાત સાધુ અને શ્રાવક બન્નેને એક સરખી રીતે સામાન્ય લાગુ પડતી હોવાથી ઉક્ત ત્રણ આચારના અતિચારોનું વર્ણન પ્રથમ સામાન્ય આપ્યું હવે અહીંથી શ્રાવક યોગ્ય અતિચારનું વર્ણન કરે છે તેથી વિશેષતઃ કહ્યું.
૧. જીવાદિ નવતત્ત્વના યથાર્થ રહસ્યનું શ્રદ્ધાન-પ્રતીતિ. ૨. નાગદેવસર્પ. ૩. ગામની દેવી. ૪. ગણેશ. ૫. જુદાં જુદાં.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૮ વિનાયક 'જીરાઊલાને માન્યું, ઈયું. બૌદ્ધ સાંખ્યાદિક સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીઆ, જોગી, દરવેશ. અનેરા દર્શનીયા તણો કષ્ટ; મંત્ર, ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભૂલ્યા "વ્યામોહ્યા, કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવચ્છરી, હોલિ, બળેવ, માહી પૂનમ, અજાપડવો, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક ચોથ, નાગપંચમી, ઝીલણા છઠ્ઠી, શીલસાતમી, ધ્રુવઆઠમી, નૌલી નવમી, અહવા દશમી, વ્રત અગિયારશી, વચ્છબારશી, ધનતેરશી, અનંત ચઉદશી અમાવાસ્યા. આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નવોદક, યાગ, ભોગ, ઉતારણાં કીધાં. કરાવ્યાં, અનુમોદ્યાં. પિંપલે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં, ઘર બાહિર, ક્ષેત્રે, ખલે, કુવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ, સમુદ્ર, કુંડે, પુણ્યહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં અનુમોદ્યાં, દાન દીધાં. ગ્રહણ, શનૈશ્ચર, માહમાસે, નવરાત્રિએ ન્યાયા. અજાણના થાપ્યાં, અને રાઈ વ્રત-વ્રતોલાં કીધાં, કરાવ્યાં, વિતિગિચ્છા-ધર્મ સંબંધીઆ ફલાણે વિષે સંદેહ
૧. અન્યમતે દેવવિશેષ. ૨. બ્રાહ્મણ. ૩. વેષધારી. ૪. ફકીર. ૫ ભોળવાણ. ૬. મરી ગયેલા પાછળ તેની મરણતિથિ સંબંધી ભોજન અગર જ્ઞાતિભોજન કરાવે છે તે. ૭. અજાણ માણસોએ સ્થાપેલા એવા.
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૯
કીધો, જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર, ઇસ્યા ગુણ ભણી ન માન્યા ન પૂજ્યા. 'મહાસતી મહાત્માની ઇહલોક પરલોક સંબંધીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ આતંક, કષ્ટ આવ્યે ખીણ વચન ભોગ માન્યા. મહાત્માનાં ભાત-પાણી મલ શોભા તણી નિંદા કીધી, કુચારિત્રીયા દેખી ચારિત્રિયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજાપ્રભાવના દેખી પ્રશંસા કીધી. પ્રીતિ માંડી દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો કીધો. શ્રી સમ્યક્ત્વ વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ
પહેલે સ્થૂલપ્રાણાતિપાતવિરમણવ્રતે પાંચ અતિચાર. વહબંધછવિચ્છેએ૦ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસવશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢે બંધને બાંધ્યો, અધિક ભાર ઘાલ્યો. નિર્વાંછન કર્મ કીધાં. ચારા-પાણી તણી વેલાએ સારસંભાળ ન કીધી. લેહણે દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેણે ભૂખે આપણે જમ્યા, કન્હે રહી મરાવ્યો. બંદીખાને ઘલાવ્યો, સળ્યાં ધાન, તાવડે નાંખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં,
૧. સાધ્વી. ૨. સાધુ મુનિરાજ. ૩. ભોગપ્રાપ્ત્યર્થે. ૪. દીન. ૫. ગાઢો-આકરો, ઘાવ-પ્રહાર, ઘાલ્યો-કર્યો સજ્જ માર માર્યો. ૬. નાક, કાન વિંધવા, ઘોડા-બળદ ખશી કરવા. ૭. તડકે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શોધી ન વાવર્યાં, ઇંધણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં તે માંહિ સાપ, વિંછી, ખજુરા, સરવલા, માંકડ, જુઆ શિંગોડા `સાહતાં મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યાં. કીડી-મંકોડીનાં ઇંડાં વિછોહ્યાં. લીખ ફોડી ઉદેહી, કીડી, મંકોડી, ધીમેલ, કાતરા, ચુડેલ, પતંગિયા, દેડકાં, અલસીયાં, ઇઅલ, કુંતાં, ડાંસ, મસા, બગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણટ્ટા, માળા હલાવતાં ચલાવતાં પંખી, ચકલાં, કાગ તણાં ઇંડાં ફોડ્યાં. અનેરા એકેન્દ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા, કાંઈ હલાવતાં ચલાવતાં પાણી છાંટતાં, અનેરાં કાંઈ કામકાજ કરતાં નિર્ધ્વસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો. રૂડું ગલણું ન કીધું. અણગળ પાણી વાવયું. રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા. લુગડાં ધોયાં. ખાટલા તાવડેપ નાંખ્યા, ઝાટક્યા, જીવાકુલ ભૂમિ લીંપી. વાશી ગાર રાખી. દલણે, ખાંડણે લીંપણે, રૂડી જયણા ન કીધી. આઠમ-ચઉદસના નિયમ ભાંગ્યા. ધૂણી કરાવી, પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતવિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૧.
૧. ઝાલતાં-પકડતાં. ૨. લીખના બે ટુકડા કર્યા. ૩. નિર્દયતા. ૪. ન્હાયા. ૫. તડકે.
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૨૧
બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતે પાંચ અતિચાર, સહસા રહસ્સદારે૦ સહસાત્કારે કુણહિ પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા મંત્રભેદ કીધો. અને૨ા કુણહિનો મંત્ર, આલોચ, મર્મ પ્રકાશ્યો. કુહિને 'અનર્થ પાડવા મૂડી બુદ્ધિ દીધી. ફૂડો લેખ લખ્યો. કૂડી સાખ ભરી. થાપણમોસો કીધો. કન્યા ગૌ ઢોર, ભૂમિસંબંધી લેહણે-દેહણે વ્યવસાયે વાદવઢવાડ કરતાં મોટકું જૂઠું બોલ્યા. હાથ પગ તણી ગાળ દીધી. કડકડા મોડ્યા. મર્મવચન બોલ્યા, બીજે સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦ ૨.
ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રતે પાંચ અતિચાર, તેનાહડપ્પઓગે૦, ઘર, બાહિર, ક્ષેત્રે ખલે પરાઇ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઇ વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો. તેહને સંબલ દીધું. તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળ સંભેળ કીધાં. કૂડે કાટલે, તોલે માને, માપે વહોર્યાં. દાણચોરી કીધી, કુણહને લેખે વરાંસ્યો. સાટે લાંચ લીધી. કૂડો કરહો કાઢ્યો.
૧. કષ્ટમાં-નુકશાનીમાં. ૨. પોતાને ત્યાં મૂકેલ થાપણોનો ઈન્કાર કરવો. ૩. ખરીદ કરી. ૪. ભાતું. ૫. છેતર્યો.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૨૨
વિશ્વાસઘાત કીધો. પરપંચના કીધી. પાસંગ કુડાં કીધાં. દાંડી ચઢાવી. લહકે ગહકે કૂંડાં કાટલાં, માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર 'કલત્ર વંચી કુણહિને દીધું. જુદી ગાંઠ કીધી, થાપણ ઓળવી. કુણહીને લેખે પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ૦ ૩.
ચોથે સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર, અપરિગ઼હિયાઇત્તર૦ અપરિગૃહીતાગમન, ઈત્વરપરિગૃહીતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારાશોકતણે વિષે દૃષ્ટિ વિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યા; આઠમ ચઉદસ અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા. ઘર ઘરણાં કીધાં કરાવ્યાં. વર-વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો, અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નિરખ્યાં, પરાયા વિવાહ જોડચા. ઢિંગલા ઢિંગલી પરણાવ્યાં. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ,
૧. સ્ત્રી ૨. ઠગી ૩. વેશ્યા ગમન ૪. થોડા કાળ માટે રાખેલી સ્ત્રી સાથે ગમન. ૫. નાતરૂં - પુનર્લગ્ન ૬. વ્યવહાર વિરુદ્ધ અંગો વડે કામ ક્રીડા કરવી. ૭. અતિક્રમ, વ્યક્તિક્રમ, અતિચાર અને અનાચાર, આ ચારે દોષ એક-એકથી ચઢીયાતા છે, તેનું દ્રષ્ટાંત આ પ્રમાણે - (પેજ નં. ૨૨૭નીનીચે)
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૨૩ વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ. કુસ્વપ્ન લાધ્યાં. નટ વિટ સ્ત્રી શું હાંસું કીધું, ચોથે સ્વદારાસંતોષ પરસ્ત્રી ગમન વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦. ૪.
પાંચમે પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર, ધણધન્ન ખિત્તવત્થ૦ ધન-ધાન્ય, ક્ષેત્ર વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ઠ, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહ તણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂછ લગે સંક્ષેપ ન કીધો, માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે, લેખે કિધો. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઇને પઢિઉં નહીં. પઢવું વિસાર્યું. અલીધું મેલ્યું. નિયમ વિસાર્યા. પાંચમે પરિગ્રહપરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૫.
છ દિગુ પરિમાણવ્રતે પાંચ અતિચાર, ગમણસ્સ ઉ પરિમાણેo ઊર્ધ્વદિશિ, અધોદિશિ, તિર્યગૂદિશિ જાવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા.
જેમ કોઈને રાત્રિભોજનનું પચ્ચકખાણ છે, તે માણસને રાત્રિએ ખાવાની ઈચ્છા થાય તે અતિક્રમ, ખાવાનું લેવા જવાનો પ્રયત્ન તે વ્યતિક્રમ, ખાવાનું હાથમાં લીધું ત્યાં અતિચાર અને ખાધું એટલે અનાચાર.
૧. ઘર વગેરે ઇમારત, ઘરવખરી. ૨. ત્રાંબુ, પિતળ વગેરે ધાતુ. ૩. દાસ, દાસી વગેરે બે પગવાળાં. ૪. ચાર પગવાળાં પશુ. ૫. સંભાર્યું.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૨૪
"અનાભોગે વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષાકાલે ગામતરુ કીધું, ભૂમિકા એક ગમા સંપી. બીજી ગમા વધારી. છ દિગુપરિણામવત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૬.
સાતમે ભોગપભોગ વિરમણવ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મ હુંતી પંદર અતિચાર એવં વિશ અતિચાર, સચિત્તે પડિબદ્ધo સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપફવાહાર દુપફવાહાર, તુચ્છૌષધિતણું ભક્ષણ કીધું. ઓળાઉંબી, પોંક, પાપડી ખાધાં.
સચિત્ત-દવ્ય-વિગઈ, વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ; વાહણ-સાયણ-વિલવણ, બંભ-દિસિ-હાણ ભજોસુ. ૧
એ ચઉદ નિયમ દિનગત, રાત્રિગત લીધા નહિ. લઈને ભાંગ્યા. બાવીસ અભક્ષ્ય બત્રીશ અનંતકાયમાંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ , પિંડાલ, કચરો, સૂરણ ૧. અજાણતાં ૨. મોકલવાની ચીજ ૩. બીજે ગામ જવું તે
૪. આ ગાથા વડે ચૌદ નિયમો વર્ણવ્યા છે. તે આ પ્રમાણે ૧. સચિત્ત, ૨. દ્રવ્ય (ખાવાના પદાર્થ), ૩. વિગઈ (ઘી, તેલ, ગોળ, દહી, દુધ અને કડા વિગઈ), ૪. વાણહ (જોડા), ૫. તંબોલ, (મુખવાસ તરીકે વપરાતા પદાર્થ) ૬. વસ્ત્ર, ૭. કુસુમ (સુંઘવાના પદાર્થ), ૮. વાહન
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૨૫ કુણી આંબલી, ગલો વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પોલી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું. મધુ, મહુડાં, માખણ માટી, વેંગણ, પીલું, પીચ, પંપોટા, વિષ, હિમ કરતા, ઘોલવડાં અજાણ્યાં ફલ, ટિંબરું, ગુંદા, મહોર, બોળ અથાણું, આમ્બલબોર, કાચું મીઠું, તિલ ખસખસ, કોઠિંબડાં ખાધાં, રાત્રિભોજન કીધાં, લગભગ વેળાએ વાળુ કીધું. દિવસ વિણ ઉગે શીરાવ્યા તથા કર્મતઃ પન્નર કર્માદાન ઈગાલકમ્મ, વણકમે, સાડિકમે, ભાડિકમે ફોડીકમે એ પાંચ કર્મ દંતવાણિજે
(ઘોડા, ગાડી, રેલ્વે, વાહન, ઉંટ વગેરે) ૯. શયન (પાટ, પાટલા, પથારી વગેરે), ૧૦. વિલેપન (શરીરે ચોપડવાના સુગંધી પદાર્થ) ૧૧. બ્રહ્મચર્ય, ૧૨. દિશા (ચાર દિશા ચાર વિદિશા, ઊર્ધ્વ અને અધો દિશા મળી ૧૦) ૧૩. સ્નાન (ન્હાવું) અને ૧૪. ભાત-પાણી (ખાવા-પીવાની વસ્તુ) એ ચૌદ પ્રકારે ભોગોપભોગ યોગ્ય વસ્તુની મર્યાદા રાખવી. આ પ્રમાણે મર્યાદા રાખવાથી તે ઉપરાંતની જે આશ્રવની શ્રેણી અપ્રત્યાખ્યાનિકિ ક્રિયાને યોગે આવે છે તે બંધ થાય છે, જે વસ્તુનો કદિ ઉપયોગ કર્યો નથી અને કરવામાં આવતો નથી તેમ કરવાની ઈચ્છા પણ નથી તેનું પણ જયાં સુધી પ્રત્યાખ્યાન લેવામાં ન આવે ત્યાં સુધી તેના આશ્રવની શ્રેણી આવ્યું જાય છે માટે દરેક ભવ્યોએ આ ચૌદ નિયમની હકીકત ગુરુગમથી સમજીને હરહંમેશાં નિયમ ધરવાની ટેવ પાડવી. જેથી પરિણામે બહુ હિતકર્તા થશે.
૧. કુણી-કુમળી-કાચી ૨. દહીં નાંખેલ ભાત ૩. ખાટાં ૪. આ પંદર કર્માદાનનો અર્થ વંદિત્તા માંહેની ઇંગલિવણ) ઇત્યાદિ બે ગાથા નંબર ૨૩-૨૪ (પેજ નં. ૧૨૧-૧૨૨)ના અર્થથી સમજી લેવો. ૧૫
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૬ લખવાણિજે, રસવાણિજે, કેસવાણિજે, વિસવાણિ, એ પાંચ વાણિજ્ય; જંતપિલ્લણકમે, નિલૂંછણ કમ્મ, દવચ્ચિદાવણયા, સરદહ તલાયસોસણયા, અસઈ પોસણયા, એ પાંચ સામાન્ય, એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવં પન્નર કર્માદાન બહુસાવદ્ય મહારંભ, 'રાંગણ લીહાલા કરાવ્યા, ઈટ નિભાડા પકાવ્યા, ધાણી, ચણા, પકવાન્ન કરી વેચ્યાં, વાશી માખણ તવાવ્યાં તિલ વોહોર્યા. ફાગણ માસ ઉપરાંત રાખ્યા. દલિદો કીધો, અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા સૂડા, સાલહિ પોષ્યા. અનેરા જે કાંઈ બહુ સાવદ્ય ખરકર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી, લીપણે ગુંપણે, મહારંભ કીધો અણશોધ્યા ચુલા
સંધુયા. ઘી, તેલ, ગોળ, છાસતણાં ભાજન ઉઘાડાં મુક્યાં. તેમાંહિ માખી, કુંતી, ઉંદર, ગરોલી પડી, કીડી ચડી, તેની જયણા ન કીધી. સાતમે ભોગપભોગ વિરમણવ્રત વિષઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦. ૭.
આઠમે અનર્થદંડ વિરમણવ્રતે પાંચ અતિચાર કંદખે કુઇએ૦ કંદર્પ લગે વિટચેષ્ટા. હાસ્ય ૧. રંગવાનું કામ ૨. કોયલા ૩. સળગાવ્યા
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૨૭ ખેલ; કુતુહલ કીધાં. પુરુષ-સ્ત્રીના હાવ-ભાવ રૂપશૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, 'ભકતકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ જતાંત કીધી તથા પૈશુન્યપણું કીધું. આરૌદ્રધ્યાન ધ્યાયાં, ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, અમુશલ, અગ્નિ, ઘરંટી, "નિસાહે. દાતરડાં પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્યાં. આપ્યાં. પાપોપદેશ કીધો, અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવા તણા નિયમ ભાંગ્યા. મુખરપણાલગે અસંબદ્ધ વાક્ય બોલ્યા, પ્રમાદાચરણ સેવ્યાં, અંઘોલે, નાહણે, દાતણે, પગ ધોઅણે, ખેલ પાણી તેલ છાંટ્યાં, ઝીણે ઝીલ્યા, જુગટે રમ્યા, હિંચોલે હિંચ્યા, નાટક પ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યા. આક્રોશ કીધા. અબોલા લીધા. કાકડા મોડ્યા. મત્સર ધર્યો. સંભેડા લગાડ્યા, શ્રાપ દીધા. ભેંસા, સાંઢ, હુડુ, કુકડા, શ્વાનાદિક ઝુઝાર્યા ઝુઝતા જોયા, ખાદિ લગે અદેખાઈ ચિંતવી; માટી, મીઠું, કણ, કપાસીયા, કાજવિણ ચાંપ્યા, તે ઉપર
૧. ભોજન આશ્રયી કથા ૨. વાત ૩. ખાણીયો ૪. સાંબેલું. ૫ દાળ વાટવાની છીપર ૬. એઠાં કરી ૭. વાચાલપણાને લીધે ૮. શ્લેષ્મ ૯. ગમ્મત ૧૦. હલકી વસ્તુ ૧૧. આકરાં ૧૨. એકબીજાને સાચું-જુઠું સમજાવીને વઢવાડ કરાવી ૧૩. બોકડા ૧૪. ખ્યાતિ
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૮ બેઠા. આલી વનસ્પતિ ખુંદી. સૂઈ, શસ્ત્રાદિક નિપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ-દ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી. એકને મૃત્યુહાનિ વાંચ્છી આઠમે અનર્થદંડ વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦. ૮.
નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર, તિવિહે દુપ્પણિહાણેo | સામાયિક લીધે મન આહટ્ટ, દોહટ્ટ ‘ચિંતવ્યું. સાવદ્ય વચન બોલ્યાં. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ઉંઘ આવી. વાત વિકથા ઘરતણી ચિંતા કીધી. વિજ, દીવતણી ઉર્જેહિ હુઈ, કણ કપાસીયા, માટી, મીઠું, ખડી, ધાવડી. અરણેટો પાષાણ પ્રમુખ ચાંપ્યાં. પાણી નીલ, ફુલ. સેવાલ, હરિય%ાય, બીયક્કાય ઇત્યાદિક આભડ્યાં. સ્ત્રીતિર્યચતણા નિરંતર" પરસ્પર સંઘટ્ટ હુઆ, મુહપત્તિઓ સંઘટ્ટી, સામાયિક અણપૂછ્યું પાર્યું, પારવું વિસાર્યું. નવમે સામાયિક વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ0. ૯.
૧. લીલી. ૨. આર્ત-રૌદ્રધ્યાનમાં પ્રવર્યો. ૩. અજવાળું શરીર ઉપર પડ્યું. ૪. સ્પર્યા. ૫. અનંતર ૬. સામાચારી વિરુદ્ધ મુહપરિવડે સ્પર્શ કર્યો.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૨૯ દશમે દેશાવગાશિક વ્રતે પાંચ અતિચાર, આણવણે પેસવણે) આણવણપ્પઓગે. પેસવણપ્પઓગે. સદાણ વાઇ. રૂવાણુ વાઇ. બહિયાપુગલપકુખેવે. નિયમિત ભૂમિકામાંહિ બારથી કાંઈ અણાવ્યું. આપણ કહે થકી બાહર કાંઈ મોકલ્યું. અથવા રૂપ દેખાડી કાંકરો નાંખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું. દશમે દેશાવગાશિક વ્રત વિષઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦. ૧૦.
અગ્યારમે પૌષધોપવાસવતે પાંચ અતિચાર, સંથાચ્ચારવિહિ૦ અપ્પડિલેહિય દુપ્પડિલહિય સિજ્જાસંથારએ, અપ્પડિલેહિય દુપ્પડિલેહિય ઉચ્ચારપાસવણ ભૂમિ, પોસહ લીધે સંથારાતણી ભૂમિ ન પુંજી. બાહિરલાં લહુડાં વડાં અંડિલ દિવસે શોધ્યાં નહિ. પડિલેહ્યાં નહિ. માતરૂં અણjર્યું હલાવ્યું, અણપુંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં
અણજાણહ જસુગ્રહો” ન કહ્યો. પરઠવ્યા પેઠે વાર ત્રણ “વોસિરે વોસિરે” ન કહ્યો. પોસહશાલામાંહિ
૧. લઘુનીતિ-પેશાબ અને વડીનીતિ-ઝાડો તે બંનેની શુદ્ધ જગ્યા દિવસે શોધી રાખી નહિ.
૨. જે અધિષ્ઠાયક દેવની આ જગ્યા હોય તે દેવ મને આ જગ્યા વાપરવાની આજ્ઞા આપો. ૩. પરઠવવા યોગ્ય પદાર્થનો ત્યાગ કરું છું.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પેસતાં, “નિસીહિ” નીસરતાં ‘આવસહિ' વાર ત્રણ ભણી નહી, પુઢવી, અર્, તેઉ, વાઉ, વનસ્પતિ, ત્રસકાયતણા સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હુઆ. સંથારાપોરિસી તણો વિધિ ભણવા વિસાર્યો, પોરિસીમાંહે ઊંઘ્યા, અવિષે સંથારો પાથર્યો. પારણાદિક તણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંઘા. પડિક્કમણું ન કીધું. પોસહ અસૂરો લીધો, સવેરો પાર્યો. પર્વતિથિએ પોસહ લીધો નહિ. અગ્યારમે પૌષધોપવાસ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦. ૧૧.
૩
બારમે અતિથિ સંવિભાગવતે પાંચ અતિચાર સચ્ચિત્તે નિક્ષિવણે૦ સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સુઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું. અણદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું, વહોરવા વેળા ટળી' રહ્યાા, અસુર કરી મહાત્મા તેડડ્યા. મચ્છર ધરી દાન દીધું. ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સાહમ્મિવચ્છલ્લ ન કીધું.
૧. અન્ય વ્યાપારનો ત્યાગ કરું છું. ૨ બીજી અવશ્ય કરવાની ક્રિયાઓ બાકી છે માટે બહાર નિકળું છું. ૩ રાત્રિને પહેલે પાહોરે ૪. અનેષણીય સાધુને લઈ ન શકાય તેવું અશુદ્ધ. ૫ બીજે કામે ગયા ૬. ગોચરી કાળ વીત્યા પછી ૭. સાધર્મિક વાત્સલ્ય
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૩૧
અનેરા ધર્મક્ષેત્ર 'સીદાતાં છતી શક્તિએ ઉદ્ધર્યાં નહીં. દીન ક્ષીણ પ્રત્યે અનુ-કંપાદાન ન દીધું. બારમે અતિથિ-સંવિભાગવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦, ૧૨.
સંલેખનાતણા પાંચ અતિચાર, ઇહલોએ પરલોએ૦ ઇહલોગાસંસપ્પઓગે, પરલોગાસંસપ્પઓગે, જીવિઆસંસપ્પઓગે, મરણાસંસપ્પઓગે, કામભોગાસંસપ્પઓગે, ઇહલોકે ધર્મના પ્રભાવ લગે રાજઋદ્ધિ; સુખ, સૌભાગ્ય; પરિવાર વાંછ્યાં. પરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તીતણી પદવી વાંછી, સુખ આવ્યે જીવિતવ્ય વાંછ્યું. દુઃખ આવ્યે મરણ વાંછ્યું; કામભોગતણી વાંછા કીધી. સંલેષણા વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦. ૧૩.
તપાચાર બાર ભેદ-છ બાહ્ય, છ અત્યંતર, અણસણમૂણોઅરિઆ૦ અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઊણોદરીવ્રત-તે કોળિયા પાંચ સાત ઉણા રહ્યા નહીં. વૃત્તિસંક્ષેપ-તે દ્રવ્ય ભણી સર્વ વસ્તુનો સંક્ષેપ કીધો નહી. રસત્યાગ તે વિગઇત્યાગ ન કીધો.કાયક્લેશ
૧. દુ:ખી થતા ૨. નિર્ધન ૩. દુ:ખી. ૪. અનશન ૫. સ્નિગ્ધ રસ (વિગઇ)નો ત્યાગ-લોલુપતાનો ત્યાગ.
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૩૨
લોચાદિક કષ્ટ સહન કર્યાં નહીં. સંલીનતા-અંગોપાંગ સંકોચી રાખ્યાં નહીં. પચ્ચક્ખાણ ભાંગ્યાં. પાટલો ડગડગતો ફેક્યો નહીં. ગંઠસી, પોરિસી, સાઢપોરિસી, પુરિમă, એકાસણું, બિઆસણું, નીવિ, આયંબિલ પ્રમુખ પચ્ચક્ખાણ પારવું વિસા, બેસતાં નવકાર ન ભણ્યો, ઉઠતાં પચ્ચક્ખાણ કરવું વિસાર્યું. ગંઠસીઉં ભાંગ્યું. નીવિ, આંબિલ, ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું. વમન હુઓ. બાહ્યતપ વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦. ૧૪.
અત્યંતરતપ, પાયચ્છિાં વિણઓ૦ મનશુદ્ધે ગુરુ કન્હે આલોઅણ લીધી નહીં; ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત તપ લેખાશુદ્ધે પહુંચાડચો નહિં; દેવ, ગુરુ, સંઘ, સાહશ્મી પ્રત્યે વિનય સાચવ્યો નહીં. બાલ-વૃદ્ધ, ગ્લાન; તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું. વાચના પૃચ્છના, પરાવર્દના અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો. ધર્મધ્યાન, શુલધ્યાન ન ધ્યાયાં. આર્ત્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દસ-વીસનો કાઉસ્સગ્ગ ન કીધો. અત્યંતર તપ વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦. ૧૫.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૩૩ વિર્યાચારના ત્રણ અતિચાર. અણિમૂહિઅબલવરિઓ૦ પઢવે. ગુણવે વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન કાયાતણું છતું બિલ, છતું વીર્ય ગોપવ્યું. રૂડા પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાતણા આવર્તવિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા ઉતાવળું દેવવંદન પડિક્કમણું કીધું. વીર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦. ૧૬. નાણાઇઅટ્ટ પઇવય, સમ્મસંલેહણ પણ પન્નર કમ્મસુ બારસ તપ વિરિઅતિગં, ચઉવ્વીસ સયં અઇયારા.૧
પડિસિદ્ધાણં કરણે૦ પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજ ભક્ષણ, મહારંભ પરિગ્રહાદિ કીધાં, જીવાજીવાદિક સૂક્ષ્મવિચાર સદહ્યા નહીં. આપણી કુમતિ લગે ઉસૂત્ર પ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પેશુન્ય, રતિ-અરતિ,
૧. ઈન્દ્રિજન્ય શક્તિ ૨. આત્મિક શક્તિ ૩ શૂન્ય ચિત્તે ૪. જ્ઞાનાદિ આચાર (જ્ઞાનાચાર દર્શનાચાર અને ચારિત્રાચાર)ના આઠ-આઠ (એટલે ૨૪) પ્રત્યેક વ્રત, (શ્રાવકનાં બાર વ્રત) સમ્યકત્વ અને સંલેષણાનાં પાંચપાંચ (એટલે ૭૦) કર્માદાનના પંદર, તપના બાર અને વીર્યના ત્રણ એમ સર્વ મળી એકસો ચોવીશ અતિચાર શ્રાવકધર્મના સમજવા.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૩૪ પરપરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમોઘાં હોય; દિનકૃત્ય, પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં; અને જે કાંઈ વિતરાગની આજ્ઞા-વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોધું હોય,
એ *ચિહું પ્રકાર માંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ, બાદર, જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. ૧૭.
એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમકિતમૂલ બાર વ્રત, એકસો ચોવીશ અતિચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર, જાણતાંઅજાણતાં હુઓ હોય તે સવિ હુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ઇતિ શ્રી શ્રાવક પખી, ચોમાસી, સંવચ્છરી
અતિચાર સમાપ્ત
* (૧) પ્રતિષિદ્ધ વસ્તુનું કરવું. (૨) કરવા યોગ્ય અનુષ્ઠાન નહિ કરવું. (૩) વીતરાગના વચનની અશ્રદ્ધા કરવી. (૪) વિપરીત પ્રરૂપણા કરવી એ ચાર.
૧. એ પૂર્વોક્ત પ્રકારે
૨. આ અતિચાર ચોમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં પણ કહેવાય છે. તેથી જ્યાં જ્યાં પક્ષ દિવસ છે ત્યાં ત્યાં ચોમાસામાં ચોમાસી દિવસ અને સંવછરીમાં સંવચ્છરી દિવસ એમ કહેવું.
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૩૫
નવ સ્મરણો ૧. શ્રી નવકાર - પંચમંગલસૂત્રમ્)
'નમો અરિહંતાણં. ૧. નમો સિદ્ધાણં. ૨. નમો આયરિયાણં. ૩. નમો ઉવક્ઝાયાણં. ૪. નમો લોએ સવ્વસાહૂણં. ૫. એસો પંચ નમુક્કારો. ૬. સવ્વપાવપ્પણાસણો. ૭. મંગલાણં ચ સવ્વસિં. ૮. પઢમં હવઈ મંગલ. ૯.
ઇતિ નમસ્કાર સૂત્રમ્
૨. ઉવસગ્ગહરં સ્તવનમ્ ‘ઉવસગ્ગહર, પાસ પાસે વંદામિ કમ્મુ-ઘણમુક્ક વિસર-વિસ નિજ્ઞાસ, મંગલ-કલ્યાણ-આવાસં. ૧.
* પર્વ દિવસે સકલ શ્રેયને માટે અને શુદ્રોપદ્રવાદિ દોષ નિવારવા અને સુખશાન્તિને માટે ગણાય છે-સ્મરણ કરાય છે માટે સ્મરણ કહેવાય છે, પ્રતિષ્ઠા મહોત્સવાદિ ક્રિયાવિધાનમાં નમિઊણ અને કલ્યાણ મંદિર વિના સાત સ્મરણ ગણવામાં આવે છે. સપ્ત સ્મરણ ટીકાની લખેલ પ્રતોમાં લઘુશાન્તિનો પણ સમાવેશ કર્યો છે. તેથી લઘુશાન્તિ સ્મરણ તરીકે ગણીએ ત્યારે નવકારને માંગલિક તરીકે ગણવો.
૧. અહીં અરિહંતાણં (રાગ-દ્વેષ વગેરે શત્રુને હણનારા) અરહંતાણં (ઇન્દ્રાદિથી પૂજાને યોગ્ય) અને અરુહંતાણં (ફરી સંસાર મધ્યે જેને ઉત્પન્ન થવું નથી એવા) એમ ત્રણે પાઠ છે.
૨. આ પહેલું તથા બીજું સ્મરણ આગળ અર્થ સાથે આવી ગયેલ હોવાથી અહીં અર્થ લખ્યો નથી માટે ત્યાંથી જોઈ લેવા. (પેજ નં. ૮ થી ૧૫ પહેલું સ્મરણ તથા પેજ નં. ૫૯ થી ૬૩ બીજું સ્મરણ)
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૬
વિસહર-ફુલિંગ-મંત, કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગ-મારી-દુટ્ઠજરા જંતિ ઉવસામં, ૨. ચિટ્ઠઉ ક્રૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નરતિરિએસુ વિ જીવા, પાર્વતિ ન દુક્ષ્મદોગચ્યું. ૩. તુહ સમ્મત્તે લદ્વે, ચિંતામણિ-કપ્પપાયવધ્મહિએ; પાર્વતિ અવિoણું, જીવા અયરામાં ઠાણું. ૪. ઇઅ સંઘુઓ મહાયસ ! ભત્તિધ્મર-નિબ્બરેણ હિયએણ; તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ ! જિણચંદ! ૫. ૩. સંતિકરું સ્તવનમ્ શબ્દાર્થ
સંતિકર - શાન્તિના કરનારને. સંતિજિણું - શાન્તિનાથ જિનને. | જગસરણું - જગતને શરણભૂત. જયસિરીઈ - જયલક્ષ્મીના અથવા જય અને લક્ષ્મીના.
દાયા૨ે - દાતાર આપનારે. સમરામિ - - સ્મરણ કરૂં છું.
ભત્તપાલગ - ભક્તનું પાલન કરનારાં. નિવ્વાણીગરૂડ - નિર્વાણીદેવી અને ગરૂડયક્ષે.
કયસેવં - ક૨ી છે સેવા જેની એવા. સનમો - ૐકાર સહિત નમસ્કાર. વિપ્પોસહિ - વિષુડૌષધિ લબ્ધિને. પત્તાણું - પામેલાને.
૧. શ્રી તપગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિના પટ્ટપ્રભાવક સહસ્રાવધાની શ્રી મુનિસુંદરસૂરિએ શ્રી મેદપાટ (મેવાડ) દેશ મધ્યે આવેલા દેવકુલપાટક નગરને વિષે સંઘમાં અકસ્માત મરકીના ઉપદ્રવથી પીડિત લોકોને જોઈને અત્યંત કરુણાવાળા અને ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરી છે સદ્વિધા જેમણે એવા તે મહાત્માએ મરકીની ઉપશાન્તિને માટે સૂરિમંત્રના આમ્નાયવાળું આ શ્રી શાન્તિનાથ જિનનું સ્તોત્ર રચ્યું છે. એ સ્તોત્રના પઠન
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૩૭
સંતિસામિપાયાણં - શાન્તિસ્વામી | વાણી - મૃતદેવી.
પૂજ્યને. | તિહુઅણસામિણી -ત્રણ ભુવનની સ્વાહામંતેણે-ઝૌસ્વાહામંત્ર વડે.
સ્વામિની. સવ - સર્વ બધા.
સિરિદેવી - લક્ષ્મીદેવી. અસિવદુરિઅહરણાર્ણ - ઉપદ્રવ | જખરાયગણિપિડગા - યક્ષરાજ
અને પાપને હરનારને. ગણિપિટક-દ્વાદશાંગીનો ૐ - શોભાયમાન.
અધિષ્ઠાયક દેવ. સંતિનમુક્કારો - શાન્તિનાથને | ગહ - ગ્રહ (નવ).
કરેલ નમસ્કાર. | દિસિપાલ - દિક્પાલ (દશ). ખેલોસહિમાઈ - શ્લેખૌષધિ આદિ. | સુરિંદા - દેવેંદ્રો. લદ્ધિપત્તાણું - લબ્ધિ પામેલાને.
| સયાવિ - સદાય. સૌ છું- ૐ હ્રીં સહિત. | રખંતુ - રક્ષણ કરો. સવોસહિપત્તા- સર્વોષધિ લબ્ધિ | જિણભત્તે - જિનેશ્વરના ભક્તોને.
પામેલાને. | મમ - મુજને. દેઈ - આપે છે.
રોહિણી - રોહિણીદેવી. સિરિ - દ્રવ્ય અને ભાવલક્ષ્મી. | પન્નત્તિ - પ્રજ્ઞપ્તિ દેવી. પાઠનથી અને સ્તોત્રમંત્રિત જળ છાંટવાથી ઉપદ્રવ શાન્ત થયા, ત્યારથી આ સ્તોત્ર શાન્તિ નિમિત્તે ગણાય છે. આ સ્તોત્રની ૧૩ ગાથા ત્રણ કાળ અગર ઉભયકાળ સ્મરણ કરવાથી દુષ્ટ ભૂત-પ્રેત, શાકિની વગેરેના ઉપદ્રવ અને રોગાદિ ભય ન થાય, મોટું પુન્ય થાય અને સુલભબોધિપણું થાય. વિશેષમરકી અગર માંદગી વગેરે પ્રસંગે આ સ્તોત્રની ૧૩ ગાથા નવકાર અને ઉવસગ્ગહરની પેઠે રૂડે પ્રકારે, સુવર્ણ જળ વડે પવિત્ર થઈને દરેક ઘરે સાત વાર અથવા ત્રણ વાર ગણવી, અને ન આવડે તો સાંભળવી તેથી મરકી પ્રમુખ શાન્ત થાય. નિરંતર ઉભયકાળ પ્રતિક્રમણ પછી પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણ પછી કેટલાક સાત અગર ત્રણ વાર ગણે છે, બીજા સાવધાનપણે સાંભળે છે તે સર્વને તે દિવસ તે રાત્રિ, તે પક્ષ, તે ચાતુર્માસ અને તે વર્ષને વિષે ઉપદ્રવ થાય નહિ, આ સંબંધી વિશેષ હકીકત જાણવાની ઈચ્છાવાળાએ ટીકા જોવી.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૮ વસ્જસિંખલા - વજશૃંખલા. | મહામાણસિયા - મહામાનસિકા. વર્જકસિ - વજાંકુશી. દેવીઓ - દેવીઓ. ચકકેસરી - ચક્રેશ્વરી. જફખા - યક્ષો. નરદત્તા - નરદત્તા-પુરુષદત્તા.
ગોમુહ - ગોમુખ. કાલી - કાળી.
તિમુહ - ત્રિમુખ. મહાકાળી મહાકાળી.
જખેસ - યક્ષેશ. ગોરી - ગૌરી.
તુંબરૂ - તુંબરૂ. તહ – તેમજ. ગંધારી - ગાંધારી.
કુસુમો કુસુમ.
માયંગવિજયઅજિયા - માતંગ મહજાલા - મહાજવાલા. માણવી - માનવી.
વિજય અને અજિત વઈરુટ્ટા - વૈરોચ્યા.
ખંભો - બ્રહ્મ. અચ્છત્તા - અચ્છતા.
મણુઓ - મનુજ. માણસિયા - માનસિકો. સુરકુમારો - સુરકુમાર.
સંતિક સંતિજિર્ણ, જગસરણે, જયસિરીઇ દાયા ! સમરામિ ભત્તપાલગનિવાણી-ગરુડજ્યસેવા ૧
અર્થ - શાન્તિના કરનાર, જગતને શરણભૂત, જયલક્ષ્મી (જય અને લક્ષ્મીના)ના આપનાર અને ભક્તજનોનું પાલન કરનાર, નિર્વાણદેવી અને ગરૂધ્યક્ષે કરી છે સેવા જેમની એવા શ્રી શાન્તિનાથ જિનનું હું સ્મરણ કરું છું. ૧.
ૐ સનમો વિપ્રોસહિ-પત્તાણસંતિ૧. જેની વિષ્ટા અને મૂત્ર ઔષધિરૂપ છે અથવા જેની વિષ્ટા અને મૂત્ર સર્વ રોગનું હરણ કરે છે એવી લબ્ધિવાળા.
નાસકી.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૯ સામિપાયાણં // ઝોં સ્વાહામંતેણં, સવાસિવદુરિઅ-હરણાણું / ૨ //
અર્થ - વિપુડોષધિ લબ્ધિને પામેલા ઝો સ્વાહા મંત્ર વડે સર્વ ઉપદ્રવ અને પાપને હરનાર (અથવા ઝીં સ્વાહા મંત્રવડે યુક્ત અને સર્વ ઉપદ્રવ અને પાપને હરનાર), પૂજ્ય શાન્તિનાથને
કાર પૂર્વક નમસ્કાર હો! ૨. _35સંતિનમુક્કારો, ખેલોસહિમાલદ્ધિપત્તાણી સૌ સ્ટ્રીં નમો સવ્યો, સહિ-પત્તાણું ચ દેઇ સિરિ. ૩.
અર્થ - શ્લેષ્મૌષધિ આદિ લબ્ધિને પામેલા શોભાયમાન શ્રી શાન્તિનાથને નમસ્કાર હો. વળી સર્વોષધિપલબ્ધિને પામેલા શાન્તિનાથને ૐ સહિત નમસ્કાર હો, જે નમસ્કાર ભવ્યોને, લક્ષ્મી આપે છે. અથવા ૐકાર સહિત શાન્તિજિનને કરેલ નમસ્કાર શ્લેખૌષધિ આદિ લબ્ધિ અને સર્વોષધિલબ્ધિ પામેલા સાધુઓને જ્ઞાનદર્શનાદિ (દ્રવ્ય અને ભાવ) લક્ષ્મી આપે છે. ૧. સૂરિમંત્રમાં કહેલ મંત્રબીજ ૨. “ૐ નમો વિષ્ફોસહિપત્તાણં ઝો સ્વાહા” એ પદ વડે જાપ કરવો. ૩. જેમાં શ્લેષ્મ અને નાકનો મેલ ઔષધરૂપ છે એ વગેરે લબ્ધિવાળા. ૪. “ૐ હ્રીં નમો ખેલોસહિમાઈલદ્ધિપત્તાણું” અને “ૐ હ્રીં નમો સવો સહિપત્તાણું” એ બે સૂરિમંત્ર છે. તેનો જાપ કરવાનો
આમ્નાય ગુરુગમથી સમજવો. ૫. જેના દાંત, નખ, કેશ અને રોમ વગેરે સર્વ અવયવો ઔષધરૂપ
છે એવી લબ્ધિવાળા.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૪૦ વાણી-તિહાણ-સામિણી,-સિરિદેવીજખરાયગણિપિડગા | ગહદિસિપાલસુરિંદા, સયાવિ રખંતુ જિણભજે || ૪ |
અર્થ:- શ્રુતદેવી ત્રિભુવન સ્વામિની, લક્ષ્મીદેવી અને યક્ષરાજ ગણિપિટક, ગ્રહ, દિપાળ અને દેવેંદ્રો જિનના ભક્તોનું સદાય રક્ષણ કરો ! ૪.
સોળ વિદ્યાદેવીઓ રખંતુ મમ રોહિણી, પન્નરી વજ્જસિંખલા ય સયા // વર્જકસિ ચકકેસરી નરદત્તા કાલિ મહાકાલી . પ ..
અર્થ -રોહિણી પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજાંકુશી, ચકેશ્વરી, નરદત્તા, કાળી અને મહાકાળી, મારું (અને ઉપલક્ષણથી બીજાઓનું પણ નિરંતર સર્વ પ્રકારના ઉપદ્રવથી) રક્ષણ કરો. ૧.
૧. સૂરિમંત્ર પીઠપંચકની અધિષ્ઠાયિકાદેવી, તેનું ધ્યાન કરનારને સહાય કરનારી.
૨. દ્વાદશાંગીનો અધિષ્ઠાય દેવ, યક્ષો મધ્યે કાન્તિ વડે વિશેષ શોભે છે માટે તેને યક્ષરાજ કહેવાય છે.
૩. પુણ્ય બીજને ઉત્પન્ન કરે તે રોહિણી. પ્રકૃષ્ટ જ્ઞાન છે જેને વિષે તે પ્રજ્ઞપ્તિ, દુષ્ટને દમન કરવા માટે વજની પેઠે દુર્ભેદ્ય શૃંખલા છે જેના હાથમાં તે વજશૃંખલા, વજ અને અંકુશ એ અસ્ત્ર જેના હાથમાં છે તે વાંકુશી. હાથમાં નિરંતર ચક્રને ધારણ કરનારી તે ચક્રેશ્વરી, મનુષ્યને વરદાન વગેરે દેવાવાળી તે નરદત્તા, શ્યામ વર્ણવાળી અથવા શત્રુઓને વિષે કાળની ઉપમા છે જેને તે કાળી, ઘણા શ્યામવર્ણવાળી અને શત્રુઓને મહાકાળ સદિશ તે
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૪૧
ગોરી તહ ગંધારી, મહાલા માણવી અ વઈરુટ્ટા // અદ્ભુત્તા માણસિયા, મહામાણસિયાઉ દેવીઓ I ૬ /
અર્થ - ગૌરી, ગાંધારી, મહાજ્વાલા, માનવી, અને વૈરોટ્યા, અચ્છતા, માનસિક અને મહામાનસિકા એ (સોળ) દેવીઓ (રક્ષણ કરો !) ૬.
જખા ગોમુહ મહજષ્ણ, તિમુહ જખેસ તુંબરૂકુસુમો | માયંગવિજયઅજિયા, બંભો મણુઓ સુરકુમારો !
અર્થ - યક્ષોનાં નામ કહે છે - ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબરૂ, કુસુમ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મ, મનુજ, સુરકુમાર. ૭. મહાકાળી. ગૌર (ઉજ્જવળ) વર્ણવાળી તે ગૌરી, ગાયના વાહનને ધારણ કરનારી તે ગાંધારી, સર્વ અસ્ત્રો (ફેંકવાના હથીયાર)ની મ્હોટી જવાળા છે જેને તે મહાજ્વાળા. મનુષ્યની જનની (માતા) તુલ્ય તે માનવી, અન્યોન્ય વૈરની ઉપશાન્તિ માટે આગમન છે જેનું તે વૈરોચ્યા, પાપનો સ્પર્શ નથી જેને તે અચ્છુપ્તા, ધ્યાન કરનારના મનને સાન્નિધ્ય કરવાવાળી તે માનસિકા, અને ધ્યાન કરનારના મનને મહાસાન્નિધ્ય કરવાવાળી તે મહામાનસિકા. એ સોળ દેવીઓનું વિદ્યાપ્રધાનત્વ હોવાથી તે વિદ્યાદેવીઓ કહેવાય છે એ દેવીઓને મંત્રપટ્ટમાં પોતપોતાને સ્થાનકે સ્થાપન કરીને તેનું ધ્યાન કરે તો તે ધ્યાન સુખને દેનાર થાય છે
* આ સાતથી દશ ગાથામાં વર્ણવેલા ચોવીશીના ચોવીશ તીર્થકરોના યક્ષ અને યક્ષિણીઓના વર્ણ, વાહન અને આકાર વગેરે અનુક્રમે આ પ્રમાણે જાણવા. (પેજ નં. ૨૪૨માં)
૧૬
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શબ્દાર્થ
છમુહ - ષમુખ.
જખિંદો - યક્ષેન્દ્ર. પવાલ - પાતાળ.
કૂબેર - કૂબેર. કિન્નર - કિન્નર.
વરૂણો - વરૂણ. ગલો - ગરૂડ.
ભિઉડી - ભૃકુટી. ગંધવ્ય - ગંધર્વ.
ગોમેહો - ગોમેધ. - ૧ ગૌમુખ- સોના જેવા વર્ણવાળો, ગજવાહન અને ચાર ભુજાવાળો છે. જમણી બે ભુજામાં વરદ તથા અક્ષમાળા અને ડાબી બે ભુજામાં માતુલિંગ (બીજોરૂ) અને પાશ હોય છે. ર મહાયક્ષ- શ્યામ વર્ણ, ચાર મુખ, ગજવાહન અને આઠ હાથવાળો છે. જમણા ચાર હાથમાં વરદ, મુગર, અક્ષસૂત્ર (નાની માળા) અને પાશ હોય છે. ડાબા ચાર હાથમાં બીજો રૂં, અભય, અંકુશ અને શક્તિ છે. ૩ ત્રિમુખ- ત્રણ નેત્ર, ત્રણ મુખ, શ્યામવર્ણ, મયૂરવાહન અને છ ભુજાવાળો છે. જમણી ત્રણ ભુજા, નકુલ, ગદા અને અભય યુક્ત હોય અને ડાબી ત્રણ ભુજા બીજોરું, નાગ અને અક્ષસૂત્ર યુક્ત હોય છે. ૪ ઈશ્વર- શ્યામ કાન્તિ, ગજવાહન અને ચાર ભુજાવાળો છે. જમણી ભુજાઓમાં બીજો ૩ અને અક્ષસૂત્ર હોય. ડાબી ભુજાઓમાં નકુલ ને અંકુશ હોય. ૫ તુંબરૂ- શ્વેતવર્ણ, ગરૂડવાહન અને ચાર ભુજાવાળો છે. જમણા બે હાથ વરદ અને શક્તિ યુક્ત હોય અને ડાબા બે હાથ ગદા અને નાગપાશ યુક્ત હોય. ૬ કુસુમ- નીલવર્ણ, કુરંગ (હરણ) વાહન અને ચાર ભુજાવાળો છે. જમણા બે હાથમાં ફળ અને અભય હોય છે અને ડાબા બે હાથમાં નકુલ અને અક્ષસૂત્ર હોય છે. ૭ માતંગ- નીલવર્ણ, ગજવાહન અને ચાર ભુજાવાળો છે. જમણી બે ભુજાઓમાં બીલ્વ અને પાશ હોય ત્યારે ડાબી બે ભુજાઓમાં નકુલ અને અંકુશ હોય. ૮ વિજય- હરિતવર્ણ, ત્રણ લોચન, હંસવાહન અને ભુજાવાળો છે. જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં મુદ્ભર હોય. ૯ અજિત- શ્વેતવર્ણ, કૂર્મ વાહન અને ચાર ભુજાવાળો છે. જમણા બે હાથમાં માતુલિંગ. અક્ષસૂત્ર યુક્ત હોય છે અને ડાબા બે હાથ નકુલ, કુંતકાલ યુક્ત છે. ૧૦બ્રહ્મ-ચાર મુખ, ત્રણ નેત્ર, શ્વેતવર્ણ, પદ્માસન અને આઠ ભુજાવાળો છે. જમણા ચાર હાથમાં માતુલિંગ, મુદ્ગર, પાશ અને અભય હોય છે અને ડાબા ચાર હાથમાં નકલ, ગદા, અંકુશ અને
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૪૩ પાસમાયંગા - પાર્થ અને માતંગ. | સુતારયાસોય- સુતારકા, અશોકા. અજિયા - અજિતા.
સિરિવચ્છા - શ્રીવત્સા. દુરિઆરિ - દુરિતારિ. ચંડા - ચંડા. અચ્યુંઅ - અય્યતા.
વિજયંકસિ - વિજયા, અંકુશા. સંતા - શાન્તા.
પતિ - પન્નગા એમ. જાલા - જવાલા.
| નિવાણિ - નિર્વાણી. અલસૂત્ર હોય છે. ૧૧ મનુજ- અથવા ઈશ્વર- શ્વેતવર્ણ, ત્રણ નેત્ર, વૃષભવાહન અને ચાર ભુજાવાળો છે. જમણા બે હાથમાં માતુલિંગ ને ગદા હોય છે અને ડાબા બે હાથ નકુલ અને અલસૂત્ર યુક્ત હોય છે. ૧૨ સુરકુમાર- શ્વેતવર્ણ, હંસવાહન અને ચાર ભુજાવાળો છે. જમણા બે હાથ માતલિંગ અને બાણયુક્ત અને ડાબા બે હાથ નકુલ અને ધનુષ્ય યુક્ત હોય છે. ૧૩ષણમુખ- શ્વેતવર્ણ, શિખિ (મોર) વાહન અને બાર ભુજાવાળો છે. જમણા છ હાથ ફલ, ચક્ર, બાણ, ખગ, પાશ અને અણસૂત્ર યુક્ત હોય અને ડાબા છ હાથ નકલ, ચક્ર, ધન, ફલક, અંકુશ અને અભય યુક્ત હોય છે. ૧૪પાતાલ-ત્રણ મુખ, રક્તવર્ણ, મકર વાહન અને છ ભુજાવાળો છે. જમણા ત્રણ હાથ પધ, ખડ્રગ અને પાશયુક્ત હોય છે અને ડાબા ત્રણ હાથ નકુલ, ફલક અને અપસૂત્ર યુક્ત હોય છે. ૧પકિન્નર-ત્રણ મુખ, રક્તવર્ણ, કૂર્મ (કાચબો) વાહન અને છ ભુજાવાળો છે. જમણા ત્રણ હાથ બીજ પુરક ગદા અને અભય યુક્ત અને ડાબા ત્રણ હાથ નકુલ, પદ્મ અને અક્ષમાલા યુક્ત હોય છે. ૧૬ ગરૂડ- વરાહવાહન, ક્રોડવદન, શ્યામ વર્ણ અને ચાર ભુજાવાળો છે. જમણા બે હાથમાં બીજપૂરક ને પદ્મ અને ડાબા બે હાથ નકુલ ને અલસૂત્ર યુક્ત હોય છે. ૧૭ ગંધર્વ - શ્યામવર્ણ, હંસવાહન અને ચાર ભુજાવાળો છે. જમણા બે હાથ વરદ ને પાશયુક્ત હોય છે. અને ડાબા બે હાથમાં માતુલિંગ અને અંકુશ હોય છે. ૧૮ યક્ષેન્દ્ર- છમુખ, ત્રણ નેત્ર, શ્યામ વર્ણ, શંખ (અથવા મોર) વાહન અને બાર ભુજાવાળો છે. તેના જમણા છ હાથ બીજપૂરક, બાણ, ખગ, મુદ્ગર, પાશ અને અભયયુક્ત છે અને ડાબા છ હાથ નકુલ, ધનુ, ફલક, શૂલ, અંકુશ અને અક્ષસૂત્ર યુક્ત હોય છે. ૧૯ કૂબેર-ચાર મુખ, ઈન્દ્રાયુધ (નીલ) વર્ણ, ગજવાહન અને આઠ ભુજાવાળો છે. તેના જમણા ચાર હાથમાં, વરદ, પરશુ, શૂલ, અને
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪૪
અમ્યુઆ - અય્યતા.
અંબ - અંબા. ધરણી - ધારણી.
પઉમાવઈ - પદ્માવતી. વરૂટ્ટ છત્ત -વૈરોચ્યા અચ્છતા. [ સિદ્ધા - સિદ્ધાયિકા. ગંધારિ - ગાંધારી. || ઇઅ - એ પ્રકારે. અભય હોય છે અને ડાબા ચાર હાથમાં બીજપૂરક, શક્તિ, મુગર અને અક્ષસૂત્ર હોય છે. ૨૦વરુણ-ચાર મુખ્ય ત્રણ નેત્ર, શ્વેતવર્ણ, વૃષભવાહન, જટામુકુટ ભૂષિત અને આઠ ભુજાવાળો છે. તેના જમણા ચાર હાથમાં બીજપૂરક, ગદા, બાણ અને શક્તિ હોય છે અને ડાબા ચાર હાથમાં નકુલ, પધ, ધનુ, અને પરશુ હોય છે. ૨૧ ભૃકુટી- ચાર મુખ, ત્રણ નેત્ર, સોના જેવો વર્ણ, વૃષભવાહન અને આઠ ભુજાવાળો છે. તેના જમણા ચાર હાથમાં બીજપૂરક, શક્તિ, મુગર અને અભય હોય છે, અને ડાબા ચાર હાથમાં નકુલ, પરશુ, વજ અને અક્ષસૂત્ર છે. ૨૨ ગોમેધ- ત્રણ મુખ, શ્યામકાન્તિ, પુરુષવાહન અને છ ભુજાવાળો છે. તેના જમણા ત્રણ હાથમાં માતલિંગ, પરશુ અને ચક્ર છે અને ડાબા ત્રણ હાથમાં નકુલ, શૂલ અને શક્તિ છે. ૨૩ પાર્શ્વ- અથવા વામન- ગજમુખ, સર્પફણા-મંડિત મસ્તક, શ્યામવર્ણ, કૂર્મવાહન અને ચાર ભુજાવાળો છે. જમણા બે હાથમાં બીજપુરક અને સર્પ (અથવા માતુલિંગ અને ગદા) છે ડાબા બે હાથમાં નકુલ અને સર્પ છે. ૨૪માતંગ- શ્યામવર્ણ, ગજવાહન અને બે ભુજાવાળો છે જમણા હાથમાં નકુલ અને ડાબા હાથમાં બીજપૂરક છે.
૧ ચક્રેશ્વરી અથવા અપ્રતિચક્રા- સુવર્ણવર્ણા, ગરૂડવાહન અને આઠ ભુજાવાની છે. જમણી ચાર ભુજામાં વરદ, બાણ, ચક્ર અને પાશ છે અને ડાબા ચાર હાથમાં ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશ છે. ૨ અજિતા-ગૌરવર્ણ લોહાસનાધિ (ગી) રૂઢ અને ચાર હાથવાળી છે. જમણા બે હાથમાં વરદ અને પાશ છે અને ડાબા બે હાથમાં બીજપૂરક અને અંકુશ છે. ૩. દુરિતારિગૌરવર્ણ, મેષવાહન અને ચાર હાથવાળી છે. જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર છે અને ડાબા બે હાથમાં ફલ અને અભય છે. ૪ કાલી- શ્યામવર્ણ, પદ્માસન, ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં વરદ અને પાશ છે અને ડાબા બે હાથમાં નાગ અને અંકુશ છે. ૫ મહાકાલી- સોના જેવો વર્ણ, પદ્માસન, ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં વરદ અને પાશ છે અને
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૪૫ તિત્થરફખણરયા - તીર્થરક્ષણમાં | કુણંતુ - કરો.
તત્પર. | રમુખ - રક્ષણ. અન્નેવિ - બીજા પણ.
અડું - અમારૂં. સુરાસુરી - દેવદેવીઓ. | એવું - એ પ્રકારે. ચઉહાવિ - ચારે પ્રકારના. સુદિક્ટિ - સમ્યગ્દષ્ટિ. વિતર - વ્યંતર દેવ.
સુરગણસહિઓ - દેવ સમુદાયે જોઈણિપમુહા - યોગિની પ્રમુખ. | સહિત (શાન્તિજિન). ડાબા બે હાથમાં માતુલિંગ અને અંકુશ છે. ૬ અય્યતા- શ્યામવર્ણ, નરવાહન અને ચાર ભુજાવાળી છે. દક્ષિણ બે હાથમાં વરદ અને બાણ છે અને ડાબા બે હાથમાં ધનુષ્ય અને અભય (અથવા બીજોરું અને અંકુશ) છે. ૭શાન્તાસુવર્ણ વર્ણ, ગજવાહન અને ચાર હાથવાળી છે. જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર છે અને ડાબા બે હાથમાં ફૂલ અને અભય છે. ૮ જ્વાલા કે ભ્રકુટી-પીળો વર્ણ, વરાહવાહન, ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં ખગ અને મુદ્ભર છે. ડાબા બે હાથમાં ફલક અને પરશુ છે. ૯ સુતારિકાગૌરવર્ણ, વૃષભવાહન અને ચાર ભુજાવાળી છે. તેના જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર છે ડાબા બે હાથમાં કલશ અને અંકુશ છે. ૧૦અશોકાનીલવર્ણ, પદ્માસન અને ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં વરદ અને પાશ (અથવા મુક્ઝર) છે અને ડાબા બે હાથમાં ફલક અને અંકુશ છે. ૧૧ શ્રીવત્સા-માનવી-ગૌરવર્ણ, સિંહવાહન અને ચાર ભુજાવાની છે. જમણા બે હાથમાં વરદ અને મુદ્રગર છે અને ડાબા બે હાથમાં કલશ અને અંકુશ (અથવા પુષ્પ ને ગદા) છે. ૧૨ પ્રવરા-ચંડા- શ્યામવર્ણ, અશ્વ વાહન અને ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં વરદ અને શક્તિ છે અને ડાબા બે હાથમાં પુષ્પ અને ગદા છે. ૧૩ વિજયા-વિદિતા- હરિતવર્ણ, પદ્માસન અને ચાર ભુજાવાળી છે, જમણા બે હાથમાં બાણ અને પાશ છે, ડાબા બે હાથમાં ધનુષ્ય અને નાગ છે. ૧૪. અંકુશા- ગૌરવર્ણ, પદ્માસન અને ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં ખડ્ઝ અને પાશ છે અને ડાબા બે હાથમાં ફલક અને અંકુશ છે. ૧૫ પન્નગા-કંદર્પો- ગૌરવર્ણ, મત્સ્યવાહન અને ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં ઉત્પલ (કમળ) અને અંકુશ છે અને
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૬ સંઘમ્સ - સંઘની.
સંતિનાહ - શાન્તિનાથની. સંતિજિણચંદો - શાન્તિજિનચંદ્ર. | સમ્મદિટ્ટી - સમ્યગૃષ્ટિ. મઝવિ - મારી પણ.
સરઈ - ચિંતવે. કરઉ - કરો.
તિકાલ - ત્રણ કાળ. રમુખ - રક્ષા.
જો - જે પુરુષ. મુણિસુંદરસૂરિ - મુનિસુંદરસૂરિએ. | વિદ્વરહિઓ - ઉપદ્રવ રહિત. થઅમહિમા - સ્તવ્યો છે મહિમા | સ લહઈ - તે પામે છે.
જેનો એવા. | સુહસંપર્ય - સુખસંપદાને. ડાબા બે હાથમાં પદ્મ અને અભય છે. ૧૬ નિર્વાણી- સુવર્ણ કાન્તિ, પદ્માસન અને ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં પુસ્તક અને ઉત્પલ છે. અને ડાબા બે હાથમાં કમંડલુ અને કમલ છે. ૧૭ અય્યતા-બલા-સુવર્ણવર્ણ, મયૂરવાહન, ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં બીજપૂરક અને ફૂલ અને ડાબા બે હાથમાં મુઝંડી (એક જાતનું શસ્ત્ર) અને પદ્મ છે. ૧૮ ધારણી-નીલવર્ણ, પદ્માસન, ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં માતુલિંગ અને ઉત્પલ છે અને ડાબા બે હાથમાં પમ અને અક્ષસૂત્ર છે. ૧૯ વૈરોટ્યા-કૃષ્ણવર્ણ, પદ્માસન અને ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર અને ડાબા બે હાથમાં બીજપૂરક અને શક્તિ છે. ૨૦ અઠ્ઠમા-દત્તાકનકવર્ણ, ભદ્રાસન અને ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર અને ડાબા બે હાથમાં બીજપૂરક અને શૂલ છે. ૨૧ ગાંધારીશ્વેતવર્ણ, હંસવાહિન અને ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં વરદ અને ખગ અને ડાબા બે હાથમાં બીજપૂરક અને કુંત (ભાલો) છે. ૨૨ અંબા- કનકકાન્તિ, સિંહવાહન અને ચાર ભુજાવાળી છે, જમણા બે હાથમાં આમ્રાંબી અને પાશ અને ડાબા બે હાથમાં ચક્ર અને અંકુશ છે. ૨૩ પદ્માવતી- કનકવર્ણ, કુકુટસર્પ વાહન અને ચતુર્ભુજાવાળી છે જમણા બે હાથમાં પદ્મ અને પાશ અને ડાબા બે હાથમાં ફલ અને અંકુશ છે. ૨૪ સિદ્ધાયિકા- હરિતવર્ણ સિંહવાહન અને ચાર ભુજાવાળી છે. જમણા બે હાથમાં પુસ્તક (પા) ને અભય (પાશ) અને ડાબા બે હાથમાં બીજપૂરક અને વીણા છે. આ ચોવીશ યક્ષ અને શાસનદેવીઓ શાસનના અધિષ્ઠાયક હોવાથી હંમેશા સ્મરણ કરવા યોગ્ય છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૪૭ પરમં - ઉત્કૃષ્ટ,
સુપસાયલદ્ધ - રૂડા પ્રસાદ વડે તવગચ્છ – તપોગચ્છરૂપ.
પ્રાપ્ત કરી છે. ગયણદિણયર - આકાશમાં સૂર્ય સમાન. | ગણહરવિક્લાસિદ્ધિ - ગણધરજુગવર - યુગપ્રધાન.
વિદ્યાની સિદ્ધિ જેણે એવો. સિરિસોમસુંદરગુરણ - શ્રી | ભણઈ - કહે છે.
સોમસુંદર ગુરૂના. | સીસો -શિષ્ય (મુનિસુંદરસૂરિ). છમ્મુહપયાલકિન્નર, ગરુલો ગંધવ્ય તહય જખિંદો કૂબરવરુણો ભિઉડી ગોમેટો પાસ માયંગારે ૮.
અર્થ - પમુખ, પાતાળ, કિન્નર, ગરૂડ, ગંધર્વ તેમજ યક્ષેન્દ્ર, કુબેર, વરુણ, ભૃકુટી, ગોમેધ, પાર્થ અને માતંગા. ૮.
ચોવીશ તીર્થકરની શાસનદેવીઓ
દેવીઓ ચક્કસરી, અજિયા, દુરિઆરિ કાલી મહાકાલી II અચુઅ સંતા જાલા, સુતારયા-સોય-સિરિવચ્છા / ૯ /
અર્થ :- દેવીઓનાં નામ કહે છે. ચક્રેશ્વરી, અજિતા, દુરિતારિ, કાળી, મહાકાળી, અય્યતા, શાન્તા, જ્વાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા. ૯.
ચંડા વિજયસિ, પન્નઈત્તિ નિવાણિ અચુઆ ધરણી છે વઇટ્ટ છત્ત (દત્ત) ગંધારિ, અંબ પઉમાવઈ સિદ્ધા ૧૦ /
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૮
અર્થ - ચંડા, વિજયા, અંકુશા, પન્નગા, નિર્વાણી, અય્યતા, ધારણી, વૈરોચ્યા, અચ્છતા, (દત્તા), ગાંધારી, અંબા, પદ્માવતી અને સિદ્ધાયિકા. ૧૦.
ઈઅતિત્થરખણરયા, અન્નેવિ સુરાસુરી ય ચઉહાવિા વંતર જોઇણિ પમુહા, કુરંતુ રમુખ સયા અખ્ત / ૧૧ /
અર્થ :- એ પ્રકારે તીર્થ (ચતુર્વિધ સંઘ)ની રક્ષામાં તત્પર પૂર્વોક્ત યક્ષ, યક્ષિણીઓ અને બીજા પણ ચારે પ્રકારના દેવદેવીઓ 'વ્યંતર અને યોગિની પ્રમુખ (આ સ્તોત્રનું સ્મરણ કરનારા અથવા શ્રી શાન્તિનાથના ભક્ત એવા) અમારું નિરંતર રક્ષણ કરો. ૧૧.
એવં સુદિક્ટ્રિ સુરગણ-સહિઓ સંઘસ્સ સંતિજિણચંદો | મઝવિ કરેઉ રફખં, મુણિ-સુંદરસૂરિ-યુઅ-મહિમા / ૧૨ II
અર્થ - એ પ્રકારે સમષ્ટિ દેવ સમુદાયે સહિત અને મુનિમાં પ્રધાન શ્રુતકેવળી વગેરે અને પંડિતોએ (મુનિસુંદરસૂરિએ) સ્તવ્યો છે મહિમા જેનો એવા શ્રી શાન્તિજિનચંદ્ર સંઘની અને મારી પણ રક્ષા કરો. ૧૨. ઇઅસંતિનાહ સમ્મ-દિઢિરખંસરઈ ૧. માલિભદ્રાદિ બાવન વીર અથવા ક્ષેત્રપાળ વગેરે. ૨. ભદ્રકાળી પ્રમુખ ચોસઠ યોગિની.
* અહીં સંતિનાહ અને રકખંની વચ્ચે સમ્મદિદ્ધિ એ પદનું વ્યવધાન પ્રાકૃત વ્યાકરણના નિયમથી છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૪૯ તિકાલજો એ સવ્વોવદ્વરહિઓ, સ લહઈ સુહસંપર્યં પરમં | ૧૩ /
અર્થ - એ પ્રકારે જે સમ્યગુદૃષ્ટિ મનુષ્ય શ્રી શાન્તિનાથની રક્ષાને ત્રણે કાળ સ્મરણ કરે છે તે સર્વ ઉપદ્રવથી રહિત થયો છતો ઉત્કૃષ્ટ સુખસંપદાને પામે છે. ૧૩.
તવગચ્છગયણ-દિણયર-જુગવરસિરિ-સોમસુંદરગુરૂણ I સુપસાય-લદ્ધગણહર, વિજાસિદ્ધી ભણઈ સીસી ૧૪
અર્થ:- તપગચ્છરૂપ ગગનમાં સૂર્યસમાન યુગપ્રધાન શ્રી સોમસુંદરસૂરિ ગુરુના રૂડાપ્રસાદવડે પ્રાપ્ત કરી છે ગણધર વિદ્યાસિદ્ધિ જેણે એવો શિષ્ય (મુનિસુંદરસૂરિ) ભણે છે કહે છે. ૧૪.
ઇતિ શ્રી સંતિક સ્તવનમ્ ૪. તિજયપહત્ત
શબ્દાર્થ તિજયપહુર - ત્રણ જગત્ના | મહાપાડિહેરજુતાણં મહાપ્રાતિહાર્યે
સ્વામીપણાને. પયાસય - પ્રકટ કરનાર. સમયકિપત્ત - કાળક્ષેત્રને વિષે. અટ્ટ - આઠ.
ઠિઆણું - રહેલાને. ૧. ગુરૂનું નામ લેવાની ઈચ્છાએ કેટલાએક આ ચૌદમી ગાથા ગણે છે, તેમાં કાંઈ વિરોધ નથી.
* આ સ્તોત્રમાં એકસો સિત્તેર જિનની સ્તુતિ હોવાથી “સત્તરિયંગુત્ત” એ નામ પણ આ સ્તોત્રનું છે. શ્રી માનદેવસૂરિએ કોઈ વખતે શ્રીસંઘમાં વ્યંતરે કરેલ ઉપસર્ગ નિવારવા અર્થે આ સ્તોત્ર રચ્યું છે એવો સંપ્રદાય છે.
સહિતના.
Page #253
--------------------------------------------------------------------------
________________
સરેમિ - સ્મરણ કરૂં છું. ચક્ક - સમૂહ અથવા યંત્રને. પણવીસા - પચ્ચીશ. અસીઆ - એંશી.
પનરસ - પંદર.
પન્નાસ - પચાસ.
જિણવ૨સમૂહો - જિનેશ્વરનો સમુદાય. નાસેઉ - નાશ કરો.
સયલરિઅં - બધાં પાપને. ભવિઆણં - ભવ્યજનોનાં. ભત્તિજુત્તાણું - ભક્તિવાનોનાં. વીસા - વીશ.
૨૫૦
પણયાલા - પીસ્તાનીશ. વિય - નિશ્ચયે, વળી.
તીસા - ત્રીશ.
પન્નત્તરી - પંચોતેર. જિણવરિંદા - જિનેશ્વરો.
ગહભૂઅરક્ષ - ગ્રહ, ભૂત, રાક્ષસ
અને.
સાઇણિ - શાકિનીના. ઘોરુવસગ્ગ - ઘોર ઉપસર્ગને. પણાસંતુ - પ્રકર્ષે નાશ કરો.
સત્તરિ - સિત્તેર.
પણતીસા - પાંત્રીશ.
સટ્ટી - સાઠ.
પંચેવ - પાંચ નિશ્ચયે.
જિણગણો - જિનનો સમુદાય. એસો - એ.
વાહિજલજલણ - વ્યાધિ, પાણી, અગ્નિ.
હરિકરિચોર - વાઘ,હાથી,ચોર અને. અરિમહાભયં - શત્રુના મોટા ભયને. હરઉ - હરણ કરો.
પણપક્ષા - પંચાવન. | દસેવ - દશ નિશ્ચયે. પન્નટ્ટી - પાંસઠ.
તહય - તેમજ.
ચેવ - નિશ્ચયે. ચાલીસા - ચાલીસ. રખંતુ - રક્ષણ કરો. મે - મારા.
સરીર - શરીરને.
દેવાસુર૫ણમિઆ - દેવ અને
દાનવે નમસ્કાર કરાયેલા.
સિદ્ધા - સિદ્ધ થયેલા.
|
હરહુંહઃ - મંત્રબીજાક્ષરો છે. | સરસુંસઃ - મંત્રબીજાક્ષરો છે. આલિહિય - લખ્યું છે.
નામગર્બ્સ - સાધકનું નામ જેના મધ્યમાં એવા.
ચક્ક - યંત્ર.
કિર - નિશ્ચયે.
સવ્વઓભદ્ - સર્વતોભદ્ર. રોહિણિ - રોહિણી. પન્નત્તિ - પ્રજ્ઞપ્તિ.
વસિંખલા - વજ્રશૃંખલા.
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૫૧
વજ્રઅંકુસિઆ - વજાંકુશા. | કાલિ - કાલી. ચકેસરિ - ચક્રેશ્વરી.
મહાકાલિ - મહાકાલી. નરદત્તા - નરદત્તા.
ગોરી - ગૌરી. તિજય-પદુત્ત-પયામય, અ-મહા પાડિહેરજુત્તાણ II સમયેખિત્ત-ઠિઆણં, સરેમિ ચÉ જિણિદાણું ૧
અર્થ :- ત્રણ ભુવનની ઠકુરાઈ પ્રગટ કરનારા, આઠ મહાપ્રાતિહાર્ય યુક્ત અને કાળક્ષેત્ર' (અઢીદ્વીપ)માં વર્તતા જિનેન્દ્રોના વૃંદ (યંત્ર)ને સ્મરણ કરૂ છું. ૧.
૧. જયાં રાત્રિ-દિવસરૂપ કાળની પ્રધાનતા છે. એવા કાળક્ષેત્ર એટલે અઢીદ્વીપને વિષે ઉત્પન્ન થયેલા ૧૭૦ જિનની સ્તવના યંત્ર વડે થાય છે, તે યંત્ર* મોટો અને ઘણા માહાત્મવાળો છે.
- ૨. યંત્ર કરવાની રીતિ આ ૨૫ | ૮૦] !િ | |પ્રમાણે જાણવી.
આ બાજુમાં જણાવ્યા ૨૦
મુજબ તે યંત્રનાં પાંચ ઉભાં અને પાંચ આડાં ખાનાં કરવાં એટલે ૨૫ ખાનાં થયાં, તેમાં મધ્યના આડા પાંચ ખાનામાં | क्षिप ॐ स्वाहा से पांय
અક્ષરની પાંચ મહાભૂતાત્મક ૬૫ | ૪૦ મિહાવિદ્યા લખવી, તેમજ
સુ | : મધ્યના પાંચ ઉભા ખાનામાં * યંત્ર નાનું હોવાથી સોળ, વિદ્યાદેવીઓનાં નામ લખી શકાયાં નથી પણ લખવાં જોઈએ.
૫૫
Page #255
--------------------------------------------------------------------------
________________
૨પર પણવીસા ય અસીઆ, પનરસપન્નાસ જિણવર સમૂહો / નાસે સયલ-દુરિઅ, ભવિઆણે ભત્તિ-જુત્તાણું . ૨ //
અર્થ - પચ્ચીશ, અંશી, પંદર અને પચાસ એ પ્રકારે (યંત્રમાં લખેલ) તીર્થકરોનો સમુદાય ભક્તિવાન ભવ્યજનોનાં બધાં પાપનો નાશ કરો. ૨.
વિસા પણયાલા વિય, તીસા પન્નત્તરી જિણવજિંદા / ગહ-ભૂઅ-રખ-સાઈણિઘોરાવસગ્ગ પણાસંતુ / ૩ // પણ એજ પાંચ અક્ષરની મહાવિદ્યા લખવી (તેમાં fક્ષ પૃથ્વીબીજ, ૫ અપૂબીજ, ૐ અગ્નિબીજ વા પવનબીજ અને હા આકાશબીજ છે) પહેલી આડી પંક્તિના બાકીના ચાર ખાનામાં બીજી ગાથામાં બતાવેલા ૨૫-૮૦-૧૫-૫૦ એ ચાર અંકો અનુક્રમે લખવા, બીજી આડી પંક્તિના બાકીના ચાર ખાનામાં ત્રીજી ગાથામાં બતાવેલા ૨૦-૪૫-૩૦-૭૫ એ ચાર અંકો અનુક્રમે લખવા. ચોથી આડી પંક્તિના બાકીના ચાર ખાનામાં ચોથી ગાથામાં બતાવેલા ૭૦-૩૫-૬૦-૫ એ ચાર અંકો અનુક્રમે લખવા, અને પાંચમી આડી પંક્તિના બાકીના ચાર ખાનામાં પાંચમી ગાથામાં બતાવેલા પપ-૧૦-૬૫-૪૦ એ ચાર અંકો અનુક્રમે લખવા. તે પછી છઠ્ઠી ગાથામાં બતાવેલ ઢ (દુરિતનાશક સૂર્યબીજ) (પાપદહનકારક અગ્નિબીજ) હું (ભૂતાદિત્રાસક ક્રોધબીજ અને આત્મરક્ષક ધૂચ) અને ૨ (સૂર્યબીજે સંપૂટિત) એ ચાર બીજાક્ષરો પહેલી આડી લીટીના અંકોવાળા ચાર ખાનામાં અંકો નીચે અનુક્રમે મૂકવા. અને ૩ (સૌમ્ય કારક ચંદ્રબીજ) ૨ (તેજો દીપન અગ્નિબીજ) હું (સર્વ દુરિતોને શાન્ત કરનાર શામક) અને સ: (ચંદ્રબીજે સંપૂટિત) એ ચાર અક્ષરો બીજી આડી લીટીના અંકોવાળા
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૫૩ અર્થ - વીશ, પીસ્તાલીશ વળી ત્રીશ અને પંચોતેર એ પ્રકારે જિનેશ્વરો ગ્રહ, ભૂત, રાક્ષસ અને શાકિનીથી ઉત્પન્ન થયેલ ઘોર ઉપસર્ગનો પ્રકર્ષે નાશ કરો. ૩.
સત્તરિ પણતીસા વિય, સટ્ટી પંચેવ જિણ-ગણો એસો | વાહિ-જલ-જલણહરિ-કરિ-ચોરારિ-મહાભયં હરઉ | ૪ ||
અર્થ - સિત્તેર, પાંત્રીશ વળી સાઠ અને પાંચ નિશ્ચયે એ જિન સમુદાય વ્યાધિ, પાણી અથવા તાવ), અગ્નિ, વાઘ, હાથી, ચોર અને શત્રુના મોટા ભયને હરણ કરો. ૪.
પણપન્ના દસેવ ય, પન્નટ્ટી તહય ચેવ ચાલીસા || રખંતુ મે સરીરે, દેવાસુરપણમિઆ સિદ્ધા . પ . ચાર ખાનામાં અનુક્રમે મૂકવા. ચોથી આડી લીટીના અંકોવાળા ચાર ખાનામાં પણ રહું. એ ચાર બીજાક્ષરો મૂકવા અને પાંચમી આડી લીટીના અંકોવાળા ચાર ખાનામાં સરસ્સ: એ ચાર બીજાક્ષરો લખવા. આ છઠ્ઠી ગાથાના આરંભમાં ૐ છે તે પંચપરમેષ્ઠિવાચક છે અને દર્દ એ ચાર બીજાક્ષરો વડે અનુક્રમે પધા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓનાં નામ જાણવાં.
આ યંત્રની ચાર ઉભી, ચાર આડી અને બે તીર્થો એમ દશ લાઈનના અંકોનો સરવાળો કરતાં દરેકનો સરવાળો ૧૭૦ થાય છે, સર્વ બાજુથી સરખી ગણતરી મળે છે. તેથી સર્વતો ભદ્ર એવું આ યંત્રનું નામ છે આ યંત્રના ચારે બાજુના પડખાના અંકોવાળા ૧૬ ખાનામાં અનુક્રમે સાતમી અને આઠમી ગાથામાં બતાવેલી ૧૬ વિદ્યાદેવીઓનાં નામ » શ્રીં એ ત્રણ બીજાક્ષરો સહિત અને અંતમાં નમ: પદ સહિત લખવાં.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અર્થ :- પંચાવન અને વળી દશ, પાંસઠ તેમ જ નિશ્ચે ચાલીશ. એ દેવ-દાનવે નમસ્કાર કરાયેલા અને સિદ્ધ થયેલા એવા જિનો મારા શરીરનું રક્ષણ કરો. ૫.
ૐ હરહુંહઃ સરસુંસઃ, હરહુંહઃ તહ ય ચેવ સરસુંસઃ । આલિહિય-નામ-ગભં, ચક્ક કિર સવ્વઓભદ્રં ।। ૬ ।।
અર્થ :- ૐૐ હરહુંહઃ સરસુંસઃ હરહુંહઃ તેમજ સરસુંસઃ મંત્ર બીજાક્ષરો સહિત લખ્યું છે સાધક પુરુષનું નામ જેના મધ્યમાં એવો યંત્ર તે સર્વતોભદ્ર જાણવો. ૬.
ૐ રોહિણિ પન્નત્તિ, વજ્જસિંખલા તહય વજ્રઅંકુસિઆ । ચક્કેસરિ નરદત્તા, કાલિ મહાકાલિ તહ ગોરી ॥ ૭ |
અર્થ :- તે યંત્રમાં ૐ (પ્રણવબીજ), હીં (માયાબીજ) અને શ્રીં (લક્ષ્મીબીજ) એ ત્રણ મંત્રબીજપૂર્વક સોળ દેવીઓનાં નામ લખવાં તે કહે છે - રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા તેમજ વજ્રાંકુશા, ચક્રેશ્વરી, નરદત્તા, કાળી, મહાકાળી તેમજ ગૌરી. ૭. શબ્દાર્થ
ગંધારી - ગાંધારી.
મહાલા - મહાજ્વાલા.
માવિ - માનવી.
વઇરુટ્ટ - વૈરોટ્યા.
અચ્યુત્તા - અચ્છુપ્તા.
માણસિ - માનસી.
મહમાણસિઆ - મહામાનસિકા, વિજ્જાદેવીઓ - વિદ્યાદેવીઓ.
પંચદસ - પંદર.
કમ્મભૂમિસુ - કર્મભૂમિમાં.
Page #258
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન - ઉત્પન્ન થયેલા. સત્તરિસયં - એકસો સિત્તેરને. જિણાણું - જિનોનું. વિવિહ - જાતજાતના વિવિધ. રયણાઈવન્ન - રત્નાદિના વર્ણ વડે. ઉવસોહિએં - શોભિત.
દુરિઆઇ - પાપોને.
ચઉતીસ - ચોત્રીસ.
૨૫૫
અઇસયજુઆ - અતિશય યુક્ત. અટ્ટમહાપાડિહેર - આઠ
વાણવંતર - વાણવ્યંતર. જોઈસવાસી - જયોતિષ્મવાસી. વિમાણવાસી - વૈમાનિક, જે કેવિ - જે કોઈ.
| દુષ્ટદેવા - દુષ્ટ (શાસનદ્વેષી) દેવો. ઉવસમંતુ - ઉપશાન્ત હો. મમ - • મને.
મહાપ્રાતિહાર્યો. | ખાલિરું - ધોયેલ.
|
પીઅં - પીધો છતો.
એગંતરાઇ - એકાંતરીયો વગેરે જ્વર.
સત્તરિસયં - એકસો સિત્તરને. જિણાણું - જિનેશ્વરોનું. સવ્વામરપૂઇયં - સર્વ દેવો વડે
પૂજિતને.
વંદે - વાંદું છું. ભવણવઇ - ભવનપતિ.
ચંદણકપૂરેણું - સુખડ અને કપૂરવડે. | ફલએ - પાટીઆમાં. લિહિઊણ - લખીને.
ક્યસોહા - કરી છે શોભા જેની એવા.
તિત્શયરા - તીર્થંકરો. ગયમોહા - મોહ રહિત.
ઝાએઅવ્વા - ધ્યાન કરવા યોગ્ય છે. પયત્તેણં - આદર વડે.
|
|
વરકણયસંખ - શ્રેષ્ઠ સુવર્ણ, શંખ. વિદુમમરગય - પરવાળા, નીલમણિ (અને). ઘણસન્નિ ં - મેઘસરખાવર્ણવાળા. વિગયમો ં - મોહ રહિત.
ગહભૂઅ - ગ્રહ, ભૂત. સાઇણિમુગં- શાકિની અને મોગો. પણાસેઈ - પ્રકર્ષે નાશ કરે છે.
ઇઅ - એ પ્રકારે.
સત્તરિસયંજંત - એકસો સિત્તેર યંત્રને.
|
સમ્બં - । - સમ્યક્ | મંતં - મંત્રને.
દુવારિ - બારણામાં - દ્વારમાં. પડિલિહિઅં - લખેલ.
દુરિઆરિ - કષ્ટ અને શત્રુનો.
| વિજયવંતં - વિજય મેળવનાર.
|
નિશ્ચંત - નિઃસંદેહ. નિચ્ચું - નિરંતર. અચ્ચેહ - પૂજો.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૬ ગંધારિ મહજ્જાલા, માણવિ વરુટ્ટ તહય અછૂત્તા // માણસિ મહમાણસિઆ, વિજ્જાદેવીઓ રખતુ II & II
અર્થ - ગાંધારી, મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા તેમજ અચ્છમા, માનસી, મહામાનસિકા (એ સોળ) વિદ્યાદેવીઓ મારું રક્ષણ કરો. ૭.
પંચદસકમ્મભૂમિસુ, ઉપ્પન્ન સત્તરિ જિહાણ સયં | વિવિહરયણાઇ-વન્નોવસોહિ હરઉ દુરિઆઈ / ૯.
અર્થ :- પંદર કર્મભૂમિને વિષે ઉત્પન્ન થયેલ, વિવિધ રત્નાદિના વર્ણવડે શોભિત એકસો સિત્તેર જિનનો સમુદાય અમારાં દુરિતો-પાપોનું હરણ કરો. ૯.
ચઉતીસ અઇસય જુઆ, અમહાપાડિ-હેર કયસોહાના તિસ્થયરા ગયોહા, ઝાએ-અવ્યા પયત્તેણં | ૧૦ ||
અર્થ -ચોત્રીશ અતિશયયુક્ત, આઠ મહાપ્રાતિહાર્યો કરી છે શોભા જેની એવા અને ગયો છે મોહ જેનો એવા તીર્થકરો આદરવડે ધ્યાન કરવા યોગ્ય છે. ૧૦.
૧. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર મળી પંદર કર્મભૂમિમાં શ્રી અજિતનાથજીને વારે ઉત્કૃષ્ટ કાળ હોવાથી ૧૭૦ જિનેશ્વરો થયા હતા. ૧૬૦ પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં અને ૧૦ ભરત-ઐરાવતમાં કુલ ૧૭૦ તેનું આ સ્તોત્ર છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૫૭
(૩) વરકણય સંખવિદુમ-મરગય ઘણસન્નિ ં વિગયમોહં । સત્તરિસયં જિણાણું, સવ્વામર પૂઇઅં વંદે (સ્વાહા) ॥ ૧૧ ॥
અર્થ :- પ્રધાન સુવર્ણ, શંખ, પરવાળા, નીલમણિ અને મેઘ સરખા વર્ણવાળા એટલે પાંચે વર્ણવાળા, ગયો છે મોહ જેનો એવા અને સર્વ દેવો વડે પૂજિત એકસો સિત્તેર જિનના સમુદાયને હું વાંદું છું. (અહિં ‘ૐ પરમેષ્ઠીવાચક છે અને ‘સ્વાહા’ દેવોને બળીદાન આપતાં બોલાય છે.’) ૧૧.
(૩) ભવણવઇ વાણવંત, જોઇસવાસીવિમાણવાસી આ ।। જે કેવિ દુટ્ટદેવા, તે સવ્વ ઉવસમંતુ મમ સ્વાહા | ૧૨ ||
અર્થ :- ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક જે કોઈ પણ દુષ્ટ દેવતા (શાસનદ્વેષી) છે, તે સર્વે મને ઉપશાન્ત હો-મને વિઘ્ન ન કરો. ૧૨.
ચંદણકપૂરેણં, ફલએ લિહિઊણ ખાલિએં પીએં ॥ એગંતરાઇ-ગહ-ભૂઅ, સાઇણિ-મુગં-પણાસેઇ ।। ૧૩ ।।
૧. કેટલાએક અત્રે એમ કહે છે કે - કાંસ્યસ્થાલાદિમાં કપૂર, ગોરુચંદન, કેસર, ચંદન અને કસ્તૂરી વગેરેનો કર્દમ ક૨ીને સાત વખત લેપ કરવો, છાયામાં સૂકવી તેના ઉપર યંત્ર લખીને પુષ્પ, ધૂપાદિ વડે પૂજન કરી તેના ન્હવણનું પાણી પીવાથી રોગ જાય.
૧૭
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૮
અર્થ:-ચંદન અને કપૂરવડે પાટિયામાં (ઉપર જણાવેલો યંત્ર) લખીને પછી ધોઈને આ યંત્ર પીધો છતો એકાંતરીયા વગેરે તાવ, ગ્રહ, ભૂત, શાકિની અને મોગક (ઉપલક્ષણથી બીજા પણ દુષ્ટ રોગ, ભૂતાદિના આવેશ વગેરે)નો પ્રકર્ષે નાશ કરે છે. ૧૩.
ઇઅ સત્તરિસર્યા જંત, સમ્મ મંતં દુવારિ પડિલિહિએ છે દુરિઆરિ વિજયવંત, નિદ્ભુતં નિચ્ચ-મધ્યેહ // ૧૪
અર્થ - એ પ્રકારે દ્વારમાં લખેલ એકસો સિત્તેર જિનનો યંત્ર જે સમ્યગુ મંત્ર છે, તે કષ્ટ અને શત્રુનો વિજય મેળવનાર છે, તેને નિઃસંદેહ નિરંતર પૂજો. ૧૪.
ઇતિ સત્તરિય થd. *નમિઊણ સ્તોત્રમ્
શબ્દાર્થ નમિઊણ - નમસ્કાર કરી. | ચૂડામણિ - મુકુટને વિષે રહેલા પણસુરગણ - નમસ્કાર
મણિઓના. કરનારા દેવસમુદાયના. | કિરણજિ-કિરણો વડે શોભાયમાન. ૧. અહીં કેટલાએક કહે છે કે રૂપા અગર ત્રાંબાના પતરામાં યંત્ર લખીને ગૃહમધ્યે નિરંતર પૂજન કરવું અને કાર્ય વખતે શુદ્ધ જળ પ્રક્ષાલન કરીને જળ પીવું.
૨. અહીં “દુરિઆરિવિજયતંત” એવો પાઠ પણ છે ત્યાં “કષ્ટ અને શત્રુનો વિજય કરનાર એવું તંત્ર એટલે (એકસો-સિત્તેર જિનના યંત્રરૂપ) શાસ” એ પ્રકારે અર્થ લેવો.
* આ સ્તોત્ર શ્રી વીર પ્રભુની ૧૦મી પાટે થયેલા બૃહદ્ગચ્છીય શ્રી માનતંગસૂરિએ રચ્યું છે. તેમણે આ સ્તોત્રની આઠમી ગાથા રચતાં નાગરાજને વશ કર્યો હતો.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૫૯
મુણિણો - પાર્શ્વનાથ મુનિના. ચલણજુઅલ - ચરણયુગલ-બેપગને. | મહાભય - મોટા ભયને.
|
પણાસણું - વિશેષે નાશ કરનાર. સંથવું - સ્તોત્રને. વુક્ચ્છ - કહીશ.
સડિય - સડી ગયેલા છે.
કરચરણ - હાથ, પગ.
નહ મુહ - નખ અને મુખ જેનાં એવા. નિબુડ્ડનાસા - બેસી ગયેલા
નાકવાળા અથવા જીવવાની
આશા વિનાના. વિવજ્ઞલાયન્ના - લાવણ્ય રહિત. કુટ્ટમહારોગાનલ - કોઢરૂપ
મહારોગ તે રૂપ અગ્નિના. ફુલિંગ - તણખા જેવી પીડા વડે. નિદ્દઢ્ઢસળંગા - દાઝ્યાં છે સર્વ
અંગો જેમનાં એવાં.
તે - તે પુરુષો. તુહ - તમારા.
ચલણારાહણ - ચરણોની સેવારૂપ. સલિલંજલિ - પાણીની અંજલિ
(ખોબા)ના.
પત્તા - પામેલા, પામે છે. પુણો - ફરીથી. લચ્છિ - આરોગ્ય લક્ષ્મીને.
દુવ્વાયષુભિય - દુષ્ટ વાયુ વડે ક્ષોભ પામેલા.
જલનિહિ - સમુદ્રમાં.
ઉબ્નડકલ્લોલ - ઉદાર કલ્લોલ (મોજાં)ના.
ભીસણારાવે - ભયંકર શબ્દો થઈ
રહ્યા છે જેને વિષે એવા. સંભંત - સંભ્રાંત થયેલા (અને). ભયવિસંહુલ - ભયવડે વિહ્વળ થયેલા. નિજ્જામય - ખલાસીઓએ. મુક્કવાવારે - છોડી દીધો છે વહાણ હાંકવારૂપ વ્યાપાર જેને વિષે એવા. અવિદલિઅજાણવત્તા - નથી
ભાંગ્યું વહાણ જેનું એવા છતા.
ખણેણ - ક્ષણવારમાં.
પાર્વતિ - પામે છે.
ઇચ્છિö - ઇચ્છિત. ફૂલ - સમુદ્રના કિનારાને. પાજિણ - પાર્શ્વનાથના.
|
ચલણજુઅલ - પગના યુગલને. નિસ્યં - નિરંતર.
સેય - સિંચનવડે.
|
|
વઢિયચ્છાયા – વૃદ્ધિ પામી છે શોભા (કાન્તિ) જેમની એવા છતાં. વણદવદઢા - વનના અગ્નિ વડે દાઝેલા. ગિરિપાયવ— - પર્વતના વૃક્ષોની પેઠે.
ચિઞ - નિશ્ચયે. જે - જેઓ. નમંતિ - નમે છે. નરા - મનુષ્યો.
|
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૬૦ નમિઊણ પણય સુરગણ-ચૂડામણિકિરણરંજિઅમુણિણ || ચલણજુઅલ મહા-ભય,પણાસણ સંથd વચ્છ |૧ |
અર્થ -નમસ્કાર કરતા એવા દેવસમુદાયના મુકુટને વિષે રહેલ મણિઓના કિરણો વડે શોભાયમાન પાર્શ્વનાથ મુનિના ચરણયુગલને નમસ્કાર કરીને મોટા ભયોને વિશેષે નાશ કરનાર સંસ્તવને હું કરીશ. ૧.
રોગભયહરમાહાભ્ય સડિય-કર-ચરણ-નહ-મુહ, નિબુટ્ટનાસા વિવન્ન-લાયન્ના | કુટ્ટ-મહારોગાનલ-ફુલિંગ-નિદઢ-સળંગા ર //
૧. મહ-ઉત્સવ અને અભય-નિર્ભયતા બન્ને વિષે પણ અવશ્ય અસણકરવા યોગ્ય અર્થાતુ ઉત્સવ અને નિર્ભયપણાને વિષે અવશ્ય સ્મરણ કરવા યોગ્ય સંસ્વ આવો અર્થ પણ થાય છે; મોટા ભય ૧૪ વર્ણવ્યા છે. પણ કેટલેક ઠેકાણે રોગજલજલણ૦ ઈત્યાદિ આઠ ભય પણ વર્ણવ્યા છે. માટે આ સ્તોત્રમાં સ્તોત્ર કર્તા આઠ ભય નિવારણ લક્ષણ પ્રભુના અતિશયનું વર્ણન બે-બે ગાથા વડે કરે છે, પ્રથમ ઉદ્દેશ અને પછી નિર્દેશ હોય છે પણ એવી શૈલી આ સ્તોત્રકાર આચાર્યે રાખી નથી. કર્તાએ પ્રથમ આઠ ભયનિવારક અતિશય વર્ણવીને પાછળથી રોગજલ૦ ઈત્યાદિ ગાથા વડે પોતાનો ઉદ્દેશ જણાવ્યો છે. ભક્તામરસ્તોત્રમાં પણ આચાર્ય મહારાજાએ આવી શૈલી રાખી છે.
૨. વિવર્ણલાવણ્યા એટલે વિરૂપ લાવણ્યવાળા અર્થાત્ કદરૂપ એવો અર્થ પણ થાય છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૬૧ તે તુહ ચલણારાહણ-સલિલંજલિ-સેયવઢિયચ્છાયા // વણદવ-દાગિરિ-પાયવલ્વ પત્તા પુણો લચ્છિ | ૩ ||
અર્થ:- સડી ગયા છે હાથ, પગ, નખ અને મુખ જેના, બેસી ગયેલી છે નાસિકા જેની (અથવા નાશ થઈ છે આશા જેની એટલે જીવવાની આશા વિનાના) નાશ પામ્યું છે લાવણ્ય (સૌંદર્ય) જેનું અને કોઢરૂપ મહારોગ તે રૂપ અગ્નિના તણખા જેવી પીડાવડે દાઝયાં છે, સર્વ અંગો જેમનાં એવા મનુષ્યો, વનના અગ્નિવડે દાઝેલા પર્વતનાં વૃક્ષોની પેઠે તમારા ચરણોની સેવારૂપ પાણીની અંજલિના સિંચનવડે વૃદ્ધિ પામી છે શોભાકાનિત જેમની એવા છતાં ફરીથી આરોગ્ય લક્ષમીને પામે છે. વડ્રિડછારા એવો પાઠ પણ છે, ત્યાં “વૃદ્ધિ પામ્યો છે ઉત્સાહ જેમનો' એવો અર્થ લેવો. ૨-૩.
જલ-ભયહર-માહાભ્ય. દુગ્લાય ખુભિય-જલનિહિ, ઉબ્લડકલ્લોલ ભીસણારાવે તે સંબંત-ભયવિસંતુલ-
નિજ્જામય-મુક્ક-વાવારે ૪/
અવિદલિએ-જાણવત્તા, ખણણપાવંતિ ઇચ્છિએ કૂલ પાસણિ-ચલણજુઅલ, નિર્ચાચિઅ જે નમંતિ નરા પા ૧. વઢિીંચ્છાણા (વર્તિતોત્સાહા.) ૨. પ્રાકૃતતાત્ સપ્તમીલોપઃ
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૬૨ અર્થ - દુષ્ટ વાયુ વડે ક્ષોભ પામેલા, ઉદાર કલ્લોલના ભયંકર શબ્દો થઈ રહ્યા છે જેને વિષે અને સંભ્રાંત થયેલા તેમજ ભય વડે વિહલ થયેલા ખલાસીઓએ છોડી દીધો છે (વહાણ હાંકવારૂ૫) વ્યાપાર જેને વિષે એવા સમુદ્રને વિષે; જે મનુષ્યો શ્રી પાર્શ્વનાથના ચરણયુગલને નિશ્ચ નિરંતર નમે છે તેઓ, નથી ભાંગ્યું વહાણ જેમનું એવા છતાં ક્ષણવારમાં ઇચ્છિત એવા સમુદ્રના કિનારાને પામે છે. ૪-૫.
શબ્દાર્થ ખરાવણ - પ્રચંડ પવન વડે. | સંભતિ- રૂડે પ્રકારે સ્મરણ કરે છે. ઉદ્ભય - વિસ્તાર પામેલા. | મછુઆ - મનુષ્યો. વણદવ - વનના અગ્નિની. | ન કુણઈ - નથી કરતો. જાલાવલિ-જવાળાની શ્રેણિ વડે. | જલણો - અગ્નિ. મિલિય - એકત્ર થયેલા. ભય - ભય. સયેલદુમગહણે - સઘળા વૃક્ષના | તેસિં - તેઓને. ગહનો (વનખંડો) છે જેને વિષે એવા. | વિલસંત - સુશોભિત. ડિઝત - દાઝતી.
ભોગભીસણ - ફણાવો, ભયંકર. મુદ્ધમયવહુ-મુગ્ધ હરણીઓના. કુરિઆરુણ - ચંચળ લાલ. ભીસણરવ - ભયંકર શબ્દ વડે. | નયણ - નેત્રવાળા. (અને) ભીસણૂમિ - ભયંકર.
તરલજીહાલ - ચપળ (લપલપ વણે - વનને વિષે.
થતી) જીભવાળા. જગગુણો - જગદ્ગુરુના. | ઉચ્ચભુજંગ - ઉગ્રસર્પને. કમજુઅલ - ચરણ યુગલને. નવજલયસત્ય નવીન મેઘ સમાન. નિવાવિએ-આપત્તિના તાપની. | ભીસણાયા - ભયંકર આકારવાળા.
ઉપશાન્તિવડે સુખી કર્યો છે. | મન્નતિ - માને છે. સયલતિહુઅણાભો - સમગ્ર | કીડસરિસં- કીડા સમાન. ત્રણ ભુવનનો પ્રપંચ જેણે એવા. | દૂરપરિષ્કૃઢ - અત્યંત સમસ્ત જે - જેઓ.
પ્રકારે ટાળ્યો છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૬૩
વિસમવિસવેગ - આકરા વિષેનો | ઉલ્લૂરિય - લુંટ્યા છે. વેગ જેમણે એવા.
તુહ - તમારા.
નામમ્બર - નામાક્ષર રૂપ.
ફુડ સિદ્ધ - પ્રકટ પ્રભાવવડે પ્રસિદ્ધ
|
થયેલ.
પહિયસત્યાસુ - મુસાફરોના
સાર્થો જેને વિષે એવી.
વાઘના.
સદ્દભીમાસુ - શબ્દોવડે ભયંકર. ભયવિહર - ભયવડે વિલ. વુન્ન - દુઃખીજનોવાળા. કાયર - ભિલ્લ લોકોએ.
અવિલુત્ત - નથી ચોરાયું. વિહવસારા - ઉત્કૃષ્ટ ધન જેમનું
એવા છતાં.
તુહ - તમારા.
નાહ - હે નાથ !
મંતગુરુઆ - મંત્ર વડે ગરિષ્ઠ. નરા - મનુષ્યો. લોએ - લોકને વિષે. અડવીસુ - અટવીઓને વિષે. ભિલ્લતક્કર - ભિલ્લ, ચોર.
પણામમત્તવાવારા - પ્રણામમાત્ર
વ્યાપારવાળા.
પુલિંદસદુલ - વનચર જીવો અને વવગયવિગ્યા - વિશેષે ગયાં છે
વિઘ્નો જેનાં એવા છતાં.
સિગ્યું - તત્કાળ. પત્તા - પામે છે. હિયઇચ્છિયું - હૃદયમાં ઇિ ઠાણું - સ્થાનને. અગ્નિ-ભયહર-માહાત્મ્ય
ખરપવણુૌંય વણદવ-જાલાવલિ મિલિય-સયલદુમ-ગહણે । ડઝંત-મુદ્ધમયવહુ-ભીસણરવ-ભીસણંમિ વણે ॥ ૬ ॥ જગગુરુણોકમજુઅલ, નિાવિઅસયલતિહુઅણા-ભોઅં ॥ જે સંભરંતિ `મણુઆ, ન કુણઇ જલણો ભયં તેસિં ॥ 9 ॥
૧. ગરુઆ ઇતિ પાઠાન્તરમ્.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૬૪ અર્થ - પ્રચંડ પવનવડે આમતેમ વિસ્તાર પામેલ એવા વનના અગ્નિની જ્વાળાની શ્રેણિવડે પરસ્પર એકત્ર થયેલા વૃક્ષનાં ગહનો (વનખંડો) છે જેને વિષે એવા અને દાઝતી મુગ્ધ હરણીઓના ભયંકર શબ્દો વડે (અથવા બળેલ વનને વિષે
જ્વાળાથી વ્યાકુળ મૃગલીઓના ઘણા આક્રંદવડે) ભયાનક એવા વનને વિષે જગદ્ગુરુ (પાર્શ્વનાથ પ્રભુ)ના, આપત્તિના તાપની ઉપશાન્તિ વડે સુખી કર્યો છે. સકલ ત્રણ ભુવનનો પ્રપંચ (અથવા વિસ્તાર) જેણે એવા ચરણયુગલનું જે મનુષ્યો રૂડે પ્રકારે સ્મરણ કરે છે તેઓને તે અગ્નિ ભય કરતો નથી. ૬-૭.
સર્પ-ભયહર-માહાભ્ય વિલસંત-ભોગભીસણ-ફરિઆરુણનયણ-તરલજીહાલ ઉચ્ચ-ભુજંગ નવજલય-સત્થહં ભીસણાયા | ૮.
મન્નતિ કીડ-સરિસ, દૂર-પરિષ્કૃઢ વિસમ-વિસ-વેગા // તુહ નામફખરફુડસિદ્ધ-મંતગુરુઆ નરા લોએ ૯
અર્થ - સુશોભિત ફણા (અથવા દેહ) વડે ભયંકર ચંચળ રક્ત નેત્રવાળા અને ચપળ (લપલપ થતી) જીભવાળા, નવીન મેઘ જેવા શ્યામ અને ભયંકર આકૃતિવાળા, ઉગ્ર સર્પને આ લોકમાં તમારા નામાક્ષર રૂપ પ્રકટ પ્રભાવવડે સિદ્ધ થયેલ (ગારૂડી આદિક) મંત્રવડે ગરિષ્ઠ મનુષ્યો, અત્યંત સમસ્ત પ્રકારે ટાળ્યો છે આકરા વિષનો વેગ જેમણે એવા છતાં કીડા સમાન માને છે. ૮-૯.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૬૫
ચોર-ભયહર-માહાભ્ય અડવી સુભિલ્લા-તક્કર, પુલિંદ-સદુલસદ-ભીમાસુ // ભયવિહુર-વુકાયરઉલૂરિય-પહિય-સત્યાસુ ૧૦ ||
અવિલુત્ત-વિહવ-સારા, તુહ નાહ ! પણામ- મત્ત-વાવારા | વવગવિગ્ધાસિગ્ધ, પત્તા હિય-ઇચ્છિયં ઠાણ / ૧૧ |
અર્થ :- ભિલ્લ (પલ્લિવાસી), ચોર, વનચર જીવો અને વાઘના શબ્દો વડે ભયંકર અને ભય વડે વિહલ એવા દુઃખી જનોવાળા મુસાફરોના સાર્થોને ભિલ્લોએ લુંટ્યા છે જેને વિષે એવી સર્વ અટવીઓને વિષે; હે નાથ ! તમને પ્રણામ માત્રનો વ્યાપાર છે જેમને એવા મનુષ્યો (માત્ર તમને પ્રણામ જ કરનાર માણસો), નથી લુંટાયું ઉત્કૃષ્ટ ધન જેનું એવા છતાં અને વિશેષ ગયાં છે વિદનો જેમનાં એવા છતાં હૃદયમાં ઇચ્છલ સ્થાનકને તત્કાળ પામે છે. ૧૦-૧૧.
શબ્દાર્થ પન્જલિઅ - પ્રજવલિત | મહાકાય - પ્રચંડ કાયાવાળા.
જાજવલ્યમાન. | નહકલિસઘાય - નખરૂપ વજના અનલનાયણ - અગ્નિ સરખાં
પ્રહાર વડે. લાલ નેત્રોવાળા. | Aતિતિ5 6 દૂર - અત્યંત. વિયારિયમુહં - ફાડ્યું છે મખ | ગઈદકુંભન્થલ - હસ્તિના જેમણે એવા. |
કુંભસ્થળનો.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૬
આભોઅં - વિસ્તાર જેણે એવા | ભીમ - ભયંકર.
(સિંહ)ને. | મહાગઈ૮ - મોટા ગજેન્દ્રને. પણયસસંભમ-નમસ્કાર કરનારા | અભ્યાસન્નપિ - અત્યંત નજીક અને આદરવાળા.
રહેલા પણ. પસ્થિવ - રાજાઓના. તે - તેઓ. નહમણિમાણિક્ક - જેના નખરૂપ | નવિ ગણંતિ - નથી ગણતાં.
મણિ-માણિજ્યને વિષે. | તુમ્હ - તમારા. પડિઅપડિમસ - પડ્યાં છે પ્રતિબિંબ | મુણિવઈ - હે મુનિપતિ!
જેમનાં એવા (પાર્શ્વ પ્રભુ)ના. | તુંગ - ઉન્નત. તુહ - તમારા.
સમલ્લીણા - રૂડે પ્રકારે આશ્રય વયણપહરણધરા - વચનરૂપ
કરી રહેલા છે. હથિયારને ધારણ કરનારા | સમમિ - સંગ્રામ વિષે.
(મનુષ્યો). | | તિકખખગ્ન - તીક્ષ્ણ ખગ. સીહં- સિંહને.
અભિથ્થાય - પ્રહાર વડે. કુદ્ધપિ - ક્રોધાયમાન પણ. અપવિદ્ધ - ઉશ્રુંખલ. ન ગણંતિ - નથી ગણતા. ઉદ્ધયકબંધે નાચતાં ધડો છે જેને સસિધવલ - ચંદ્ર સરખા ઉજ્વલ.
વિષે એવા. દંતમુસલ - દંકૂશળવાળાને. | કુતવિણિભિન્ન - ભાલાવડે. દીપકલાલ - મોટી સુંઢના | વિશેષે ભેદાયેલા.
ઉછાળા વડે. | કરિકલહ- હસ્તિનાબચ્ચાંઓએ. વઉિચ્છાહ - વધ્યો છે ઉત્સાહ | મુક્કા - મૂકેલા.
જેનો એવા.| સિક્કારપઉરંમિ - સિત્કાર શબ્દો મહુપિંગ - મધસરખા પીળા. |
વડે પ્રચૂર. નયણજુઅલ-નેત્રયુગલવાળાને. | નિજિજઅદu - જીત્યા છે સસલિલનવ-જળથી ભરેલ નવીન.
અહંકારવડે. જલહરારાd -મેઘ સરખી | ઉદ્ધરરિઉનરિંદ- ગર્વિષ્ઠ થયેલા ગર્જનાવાળા. |
શત્રુ રાજાઓના.
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૬૭ નિવહા-સમૂહને જેણે એવા. | પાવપસમિણ ! - પાપને પ્રકર્ષે ભડા - સુભટો.
શાન્ત કરનાર. જસં - યશને.
પાસજિણ - હે પાર્શ્વજિન. ધવલ - ઉજ્જવળ.
તુહ - તમારા. પાવંતિ - પામે છે.
| Uભાવેણ - પ્રભાવવડે. સિંહ-ભયહર-માહાભ્ય પન્જલિઆનલ-નયણું, દૂર-વિયારિયમુહ મહાકાય || નહકુલિસ-ઘાય-વિઅલિઅગઈદ-કુંભન્થલા-ભો ૧૨ //
પણય-સરંભમ-પત્નિવ-નવમણિમાણિક-પડિઅપડિમસ્સ તુહ વયણપહરણ ધરા, સીહં કુદ્ધપિન ગણંતિ ૧૩.
અર્થ -પ્રજ્વલિત અગ્નિ સરખાં લાલ નેત્રવાળા, અત્યંત ફાડ્યું છે મુખ જેણે એવા, પ્રચંડ કાયાવાળા અને નખરૂપ વજના પ્રહાર વડે વિશેષે ભેદી નાંખ્યો છે હસ્તિના કુંભસ્થળનો વિસ્તાર જેણે એવા ક્રોધાયમાન સિંહને પણ, નમસ્કાર કરનારા અને આદરવાળા રાજાઓના, જેના નખરૂપ મણિ-માણિક્યને વિષે પડ્યાં છે પ્રતિબિંબ એવા જે આપના વચનરૂપ હથીયારને ધારણ કરનાર મનુષ્યો ગણતા નથી. અર્થાત તમારા વચનરૂપ
૧. પ્રભુના નખ અત્યંત કાન્તિવાળા હોવાથી તેને મણિ-માણિક્યની ઉપમા આપવામાં આવી છે. નમસ્કાર કરતી વખતે નમસ્કાર કરનારનું પ્રતિબિંબ નખમાં પડે છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શસ્ત્રને ધારણ કરનારા મનુષ્યો ભયકારી મોટા સિંહને પણ ગણતા નથી. ૧૨-૧૩.
ગજ-ભયહર-માહાત્મ્ય
સિ-ધવલ-દંતમુસલ, દીહકરુલ્લાલવુદ્ઘિ-ઉચ્છાહં | મહુપિંગ-નયણજુઅલ, સસલિલ-નવ-જલહરારાવ | ૧૪ ||
ભીમં મહાગ ́દ, અચ્ચાસત્રંપિ તે ન વિ ગણંતિ | જે તુમ્હે ચલણ-જુઅલ, મુણિવઇ ! તુંગં સમલ્લીણા ॥ ૧૫ ||
અર્થ :- ચંદ્ર સરખા ઉજ્વલ છે બે દંતશુળો જેને, મોટી સૂંઢના ઉછાળાવડે વધ્યો છે ઉત્સાહ જેનો, મધ સરખું પિંગલ (રક્તપીત) વર્ણવાળું નેત્રયુગલ છે જેનું અને જળથી ભરેલા નવીન મેઘ સરખી ગર્જના છે જેની એવા અત્યંત નજીક આવેલા મોટા ગજેન્દ્રને પણ, હે મુનિપતિ ! તમારા ગુણવડે ઉન્નત ચરણયુગલને જેઓ રૂડે પ્રકારે આશ્રય કરીને રહેલા છે, તે મનુષ્યો ગણતા નથી, અર્થાત્ તે મનુષ્યો હાથીના ભયની સંભાવના પણ કરતા નથી. ૧૪-૧૫.
રણ-ભયહર-માહાત્મ્ય
સમરમ્મિ તિક્ષ્ખગ્ગા-ભિગ્યાયપવિદ્ધ-ઉદ્ધૃયક-બંધે ॥ કુંત-વિણિભિન્નકરિકલહ, મુક્ક-સિક્કાર-પઉરંમિ ।।૧૬।।
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૬૯
નિજ્જિઅ-દપુષ્કર-રિઉ, નરિંદનિવહા ભડા જસં ધવલ ॥ પાર્વતિ પાવ-પસમિણ, પાસજિણ ! તુહપ્પભાવેણ ॥ ૧૭ I
અર્થ :- તીક્ષ્ણ ખડ્ગના પ્રહારવડે ઉચ્છંખલની પેઠે આમતેમ નાચતાં ધડો છે જેને વિષે એવા અને ભાલાવડે વિશેષે ભેદાયેલા હસ્તિનાં બચ્ચાંઓએ મૂકેલા સીત્કાર શબ્દોવડે પ્રચૂર સંગ્રામને વિષે, હે પાપને પ્રકર્ષે શાન્ત કરનાર પાર્શ્વજિન ! તમારા પ્રભાવ વડે જીત્યા છે. અહંકારવડે ગર્વિષ્ઠ થયેલા શત્રુ રાજાઓના સમૂહને જેમણે એવા સુભટો ઉજ્જ્વલ યશને પામે છે. ૧૬-૧૭. શબ્દાર્થ
રોગજલજલણ - રોગ, પાણી, અગ્નિ. વિસહર - સર્પ. ચોરારિમઇંદ - ચોરરૂપ શત્રુ, સિંહ. ગયરણભયાઇ - હાથી અને સંગ્રામથી ઉત્પન્ન થયેલા ભયો. પાસજિણ - પાર્શ્વજિનના. નામસંકિત્તણેણ - નામનું રૂડા પ્રકારે ઉચ્ચારણ કરવા વડે. પસમંતિ - અત્યંત શાન્ત થાય છે. સવ્વાઈ - સર્વ. એવં - એ પ્રકારે.
|
|
મહાભયહર - મહાભયને હરનાર. પાસજિણિંદમ્સ - પાર્શ્વજિનેન્દ્રના. સંથવું - સ્તવનને.
ઉઆર - ઉદાર.
| ભવિયજણ - ભવ્યજનોને. આણંદયર - આનંદ કરનાર. | કલ્લાણપરંપર - કલ્યાણની
પરંપરાના.
| નિહાણું - સ્થાનને. રાયભય - રાજ્યનો ભય.
જÐરક્ષસ - યક્ષ, રાક્ષસ. કુસુમિણદુસ્સઉણ - કુસ્વપ્ન. દુષ્ટ શુકન (અને). રિપીડાસુ - નક્ષત્ર રાશિની
|
પીડાઓને વિષે. સંઝારુ દોસુ - બે સંધ્યાઓએ (સવાર અને સાંજ).
પંથે - અરણ્યાદિ માર્ગમાં. ઉવસગ્ગ - ઉપસર્ગમાં.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૭૦ તહય - તેમજ.
સંયુઓ - સ્તુતિ કરાયેલા. રયણીસુ - ભયંકર રાત્રિ વિષે. | પાસજિણો - પાર્શ્વજિન. જો - જે.
એઅસ્સ - એ સ્તવનના. પઢો – ભણે છે.
મઝયારે - મધ્યે. નિસુણઈ - સાંભળે છે. અઢારસાખરેહિ - અઢાર તાણું - તેના.
અક્ષરો વડે. કણો - કવિ.
મંતો - મંત્ર. માણતુંગસ્સ - માનતુંગસૂરિના. | જાણઈ - જાણે. પાસો - પાર્શ્વનાથ.
| સો - તે. પાવ - પાપને.
ઝાયઈ - ધ્યાન કરે. પસમેઉ - પ્રશાન્ત કરો! પરમપય€ - પરમપદમાં રહેલા. સયલભુવણ - સમસ્ત જગત્ વડે. | ફુડ - પ્રકટપણે. અશ્ચિઅચલણો - પૂજાયા છે. | સમરણ-સ્મરણ.
ચરણ જેમનાં એવા. કુણઈ - કરે. ઉવસગ્મતે - ઉપસર્ગ કરતે છતે. | સંતુહિયેણે સંતુષ્ટ હૃદયવડે. કમઠાસુરંમિ - કમઠ અસુર. | અદ્યુત્તરસય - એકસો આઠ. ઝાણાઓ - ધ્યાન થકી. વાહિભય-વ્યાધિથી ઉત્પન્ન થયેલ સંચલિઓ - ચલાયમાન થયા. સુરનરકિન્નર - દેવ, મનુષ્ય અને | નાસઈ - નાશ પામે છે.
કિન્નરની. | તસ્સ - તેના. જુવઇહિ - સ્ત્રીઓ વડે. | દૂરણ - દૂરથી જ-અત્યંત.
રોગાદિ-અષ્ટ-ભયહર માહાભ્ય
ભયો.
રોગ-જલજલણ-વિસહર,-ચોરારિમઈદ-ગ-રણભયાઈ. પાણિ -નામસંકિ-ત્તeણ, પસમંતિ સવાઈ / ૧૮ છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૭૧ અર્થ -પાર્ષજિનના નામનું રૂડા પ્રકારે (વિશુદ્ધ શ્રદ્ધા વડે) ઉચ્ચારણ કરવા વડે રોગ, જળ, અગ્નિ, સર્પ, ચોર, શત્રુ, સિંહ, હાથી, અને સંગ્રામથી ઉત્પન્ન થયેલા સર્વ ભયો અત્યંત શાન્ત થાય છે. અર્થાત્ ફરી ક્યારે પણ ઉત્પન્ન થતા નથી. (ૐ હ્રીંનમિઉણ પાસ વિસહર વસહ કુલિંગ હીં રોગજલજલણ વિસહરચોરારિમઈદગયરણભયાઈ... પસંમંતિ મમ* સ્વાહા. આ મહામંત્ર આ સ્તવનની અંદર વેરાયેલા અક્ષરોથી બનેલો છે.) ૧૮.
ઉપસંહાર-સ્તોત્ર-માહાભ્ય એવું મહા-ભયહર, પાસ-જિણિંદસ્ય સંથવ-મુઆર "ભવિય-જણાણંદયર, કલ્યાણ-પરંપર-નિહાણ II ૧૯ો
રાયભય-જખ-રખસ,-કુસુમિણદુસ-ઉણ-
રિખ-પીડાસુ ને સંઝાસુ દોસુ પંથે, ઉવસગ્ગ ત ય રયણાસુ ૨૦ ||
* મમ વાયુ શબ્દ પવનબીજ છૂટક છે. સ્વ: આકાશ શબ્દ આકાશબીજ અને હા એ છૂટક છે. વસહ પણ બીજી ગાથામાં વેરાયેલ છે. બીજા અક્ષરો પહેલી અને આ ગાળામાં સ્પષ્ટ છે.
૧. અહીં ભવ્યની પાસે જનશબ્દ ન મૂક્યો હોત તો પણ એજ અર્થ કરી શકાત પરંતુ અવ્યવહાર રાશિરૂપ નિગોદને વિષે રહેલા ભવ્યજીવોને આનંદકારી થવાનો સંભવ નથી માટે તે બાબત સ્ફટ કરવાને માટે જન શબ્દ લીધો છે. તેથી વ્યવહાર રાશિવાળા જીવો, એમ અર્થ કરવો. અહીં પણ વિભાજન કરીને બીજો પણ અર્થ થાય છે તે આ પ્રમાણે ભવિયજણાણ ભવ્યજનોને કલ્યાણપરં-કલ્યાણકારક અને પરનિહાણે શત્રુના કપટને - અંદર બાંધનારું અથવા શુદ્ર કર્મને અટકાવનારું આ સંસ્તવ (સ્તોત્ર) છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૭૨ જો પઢાં જો અનિસુણઈ, તાણે કાંણો ય માણતુંગસ્સ / પાસો પાવં પસમેલ, સયલ-ભુવણ-ચ્ચિય-ચલણો | ૨૧ //
અર્થ:- એ પ્રકારે મહાભયને હરનાર, ઉદાર, ભવ્યજનોને આનંદ કરનાર અને કલ્યાણની પરંપરાનું સ્થાન એવા પાર્શ્વજિનેન્દ્રના સંસ્તવને, રાજ્યભય, યક્ષ, રાક્ષસ, કુસ્વપ્ન, દુષ્ટ શકુન અને નક્ષત્ર-રાશિની પીડાઓને વિષે, બંને સંધ્યાએ, અરણ્યાદિ માર્ગમાં, ઉપસર્ગમાં તેમજ (ભયંકર) રાત્રિઓને વિષે; જે ભણે છે અને સાવધાનપણે સાંભળે છે તે બન્નેના અને કવિ માનતુંગસૂરિના પણ પાપને-સમસ્ત જગત વડે પૂજાયાં છે ચરણ જેનાં એવા પાર્શ્વનાથ ભગવાનું શાત કરો. નિવારણ કરો. ૧૯-૨૦-૨૧.
ઉવસગ્ગતે કમઠા, - સુરંમિ, ઝાણાઓ જો ન સંચલિઓ // સુર-નર-કિન્નર-જુવઇહિં, સંયુઓ જયઉ પાસજિણો રર ||
અર્થ - કમઠાસુરે ઉપસર્ગ કર્યો છતે જે (ષજીવનિકાયના ૧. શ્રી પાર્શ્વપ્રભુ સાથે પૂર્વના દશભવથી કમઠને વૈર હતું. દશમે ભવે કમઠ તાપસ થઈ પંચાગ્નિ તપ કરતો હતો. તે વખતે તે અગ્નિ માંહેલું એક કાઇ ચીરાવી તેમાંથી બળતો સર્પ બતાવી પ્રભુએ તેની અજ્ઞાનતા જણાવી છતાં તે પોતાનું અપમાન થયું ગણી વિશેષ વેર મનમાં ચિંતવી ઘણો અજ્ઞાન તપ કરી મેઘમાલી દેવતા થયો. તેણે પૂર્વના વૈર યોગે પ્રભુ
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૭૩ હિતચિતનરૂ૫) ધ્યાનથી ચલાયમાન થયા નથી તે, દેવ, મનુષ્ય અને કિન્નરની સ્ત્રીઓ વડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલ પાર્શ્વજિન જયવંતા વર્તા. ૨૨.
એ અસ્સમજઝયારે, અઢારસઅફખરેહિ જો મંતો જો જાણઈ સો ઝાયાં, પરમ-પયā ફુડ પાસે. ૨૩
અર્થ:- આ સ્તવનના મધ્યે નમિજણ પાસવિહરવસહ જિણકુલિંગ એ અઢાર અક્ષરોવડે બનેલ (ચિંતામણિ નામા ગુપ્ત) મંત્ર છે તેને જે જાણે છે તે પરમપદ પ્રાપ્ત (મંત્રમય) પાર્શ્વનાથનું પ્રગટપણે (તે મંત્રવડે) ધ્યાન કરે છે. ૨૩.
પાસહ સમરણ જો કુણઈ, સંતુઢહિયએણ અદ્યુત્તરસય-વાહિ-ભય, નાસઈ તસ્સ દૂરણ / ૨૪ /
અર્થ - જે મનુષ્ય સંતુષ્ટ હૃદયવડે શ્રી પાર્શ્વનાથનું ધ્યાન કરે છે તેના એકસો આઠ વ્યાધિથી ઉત્પન્ન થયેલા ભયો દૂરથી જ નાશ પામે છે. ૨૪.
ઇતિ ભયહરસ્તોત્ર સંપૂર્ણ
કાઉસ્સગ્ગ ધ્યાને હતા ત્યારે પ્રથમ ધૂળની વૃષ્ટિ કરી, પછી મુશળધાર મેઘ વરસાવ્યો, વગેરે ઉપસર્ગ કર્યા છતાં પ્રભુ ધ્યાનમાં સ્થિર રહ્યા.
૧૮
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ૬. શ્રી અજિતશાન્તિ* સ્તવનમ્
શબ્દાર્થ અજિસં - અજિતનાથને. | નિમ્પલસતાવે - નિર્મળ છે જિઅસલ્વભયં - જીત્યા છે સર્વ સ્વભાવ જેમનો એવા.
ભયો જેમણે એવા. | નિરુવમ - ઉપમા રહિત (અને) સંતિ - શાન્તિનાથને.
મહપ્પભાવે - મહાન છે પ્રભાવ પસંત - વિશેષે શાન્ત કર્યા છે.
જેમનો એવા. સવગપાવ - સર્વ રોગ અને થોસામિ - સ્તુતિ કરીશ.
પાપ જેમણે એવા. | સુદિ - રૂડે પ્રકારે દેખ્યા છે. જયગુરૂ - જગતના ગુર.
સન્માવે - વિદ્યમાન ભાવો. સંતિગુણકરે - શાન્તિરૂપ ગુણના
સવદુ;ખ - સર્વ દુઃખો.
પ્રસંતીણ - વિશેષે શાન્ત થયાં
કરનારા. દોવિ - બંને
છે જેમના એવા. જિણવરે - જિનેશ્વરોને.
| સવ્વપાવ - સર્વપાપો.
પ્રાસંતિણું - વિશેષ શાન્ત થયાં પણિવયામિ - પ્રણામ કરું છું.
છે જેમના એવા. ગાહા - ગાથાના નામનો છંદ.
સયા - નિરંતર. વવગય - નાશ થયો છે.
અજિયસ તીર્ણ - પરાભવ નહિ મંગલભાવે - અશોભન (માઠો) પામેલા અને ઉપશાન્ત થયેલા. ભાવ જેમનો એવા.
| નમો - નમસ્કાર થાઓ. તે - તે બંને.
અજિયસંતીર્ણ - અજિતનાથ અહં - હું.
અને શાન્તિનાથને. વિલિતવ - વિસ્તીર્ણ તપવડે. | સિલોગો - શ્લોક નામનો છંદ.
*પૂર્વે શ્રીવર્તમાનજિનશિષ્ય શ્રીનંદિષેણજી શ્રી શત્રુંજય તીર્થે યાત્રાર્થે ગયેલા. ત્યાં મૂળ પ્રાસાદમાં પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ જિનને નમસ્કાર કરીને બે પ્રાસાદમાં રહેલા અજિતનાથ અને શાન્તિનાથને નમસ્કાર કરીને તે બંને પ્રાસાદના વચ્ચે કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. યથાશક્તિ કાઉસ્સગ્ન પૂર્ણ કરીને શ્રી અજિતનાથ અને શાન્તિનાથ જિનની એક સાથે સ્તુતિ કરી, એ
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૭૫ અજિઅજિણ - હે અજિતજિન. | કર્મોકિલેસ- કર્મ અને કષાયથકી. તવ - તમારું.
વિમુખિયર - વિશેષે મુકાવનાર. પુરિસુત્તમ - પુરુષમાંટે ઉત્તમ. | અજિસં - નહિ જીતાયેલા. નામકિત્તર્ણ - નામનું કીર્તન. | નિશિઅંગુBહિ- ગુણો વડે વ્યાપ્ત. તહાય - તેમજ.
મહામુણિ - મહામુનિ સંબંધી. ધિઈમાં - ધીરજ અને બુદ્ધિને. | સિદ્ધિગયં- અણિમાદિ સિદ્ધિઓને પ્રવરણું - પ્રવર્તાવનારું.
પ્રાપ્ત. ય - પણ પૂર્વોક્ત ગુણવાળું છે. | અજિઅસ્મય - અજિતનાથને. જિષ્ણુત્તમ - સામાન્ય કેવળીને | અંતિમહામુણિણો - શાન્તિનાથ વિષે ઉત્તમ.
મહામુનિને. સંતિ! - હે શાન્તિનાથ ! ] સંતિકર - શાન્તિ કરનાર. કિરણે - કીર્તન, સ્મરણ. સયયં મમ - નિરંતર મને. માગણિયા-માગધિકા નામનો છંદ.! નિબૂઇકારણય-મોક્ષનું કારણ. કિરિયાવિધિ-ક્રિયાના વિધાન વડે. | નમસણય - નમસ્કાર. સંચિઅ - એક્કાં કરેલ. | આલિંગણાં -આલિંગનક નામનો છંદ.
અજિઅંજિઅસવભય, સંતિ ચ પસંતપ્રમાણે શ્રી મહાવીરજિન શિષ્ય નંદિપેણ મહર્ષિએ આ અજિતશાન્તિ સ્તવ રચ્યું. કોઈ આચાર્ય વળી એમ કહે છે કે શ્રી નેમિનાથના શિષ્ય શ્રીનંદિષેણગણિ શ્રી શત્રુંજય તીર્થે યાત્રાર્થે આવેલા, ત્યારે ઉત્તર-દક્ષિણ દિશામાં રહેલા શ્રી અજિતનાથ અને શાન્તિનાથના બે પ્રાસાદના અંતરાલે રહીને શ્રી અજિતનાથ અને શાન્તિનાથ જિનની સ્તુતિ એક સાથે કરી.
શ્રી શત્રુંજય મહાકલ્પને વિષે કહ્યું છે કે જે વયોગ પત્તા IUM ÍË -વિલેપાળવા વોિ મનિયતિથ, નય૩ ત પુંડરિયે તિર્યં | આ પ્રકારે અજિતશાન્તિ સ્તવનના કર્તા શ્રીનંદિષણને કોઈ શ્રીમહાવીરજિન શિષ્ય અને કોઈ શ્રીનેમિજિન શિષ્ય કહે છે. અહીં બહુશ્રુત કહે તે પ્રમાણ.
૧. ભય સાત પ્રકારે છે તે આ પ્રમાણે - ૧ ઈહલોક ભય, ર પરલોક ભિય, ૩ આદન ભય, ૪ અકસ્માત્ ભય, ૫ આજીવિકા ભય, ૬ મરણ ભય અને ૭ અપકીર્તિ ભય
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૬
સવૅગયપાવં; જયગુરૂ સંતિગુણકરે, દોવિ જિણવરે પરિવયામિ./ ૧ / ગાહા.
અર્થ - જિત્યા છે સર્વભય જેમણે એવા અજિતનાથ અને વિશેષ શાન્ત કર્યા છે સર્વ રોગ અને પાપ જેમણે (અથવા વિશેષ શાન થયે છતે ક્ષય થયાં છે અશુભ કર્મ જેમનાં) એવા શાન્તિનાથ વળી જગતના ગુરુ (અથવા જગતને વિષે મોટા) અને શાનરૂપ ગુણને કરનારા (અથવા શાન્તિ એટલે કષાયનો અભાવ અને ગુણ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તેને કરનારા) તે બંને જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. ૧.
વવગયમંગલભાવે, તે હં વિલિતવનિમલસતાવે; નિરુવમમહમ્પ્રભાવે, થોસામિ સુદિટ્ટસન્માવે / ૨ / ગાહા.
અર્થ -નાશ થયો છે અશોભન (માઠો) ભાવ (પરિણામ) જેમનો એવા, વિસ્તીર્ણ (દ્વાદશવિધ) તપવડે નિર્મલ (નિષ્કર્મા) છે સ્વભાવ જેમનો એવા, નિરુપમ અને મહાન છે પ્રભાવ જેમનો એવા અને રૂડે પ્રકારે કેવળજ્ઞાન-દર્શનવડે યથાર્થપણે જાણ્યા છે વિદ્યમાન ભાવો (જીવાજીવાદિ સત્ પદાર્થો) જેમણે એવા તે બે (જિનો) ને હું (નંદિષેણ ગણિ) સ્તવીશ. ૨. સવદુખuસંતીખું, સવ્વપાવપ્પસંતિણું;
૧. પૃતિ તત્ત્વમ્ તિ ગુજઃ તત્ત્વોનો ઉપદેશ કરે તે ગુરૂ, અહીં પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે. પ્રાકૃત વ્યાકરણમાં દ્વિવચન નહીં હોવાથી છંદોમાં બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
૨. ચતુર્થીસ્થાને ષષ્ઠી, આર્ષ–ાદુ દીર્ધાભાવથ્ય.
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૭૭ સયા અજિયસંતીખું, નમો અજિઅસંતિણું // ૩ / સિલોગો
અર્થ - સર્વ દુઃખો વિશેષે શાન્ત થયાં છે જેમના (અથવા યોગ્ય જીવોનાં સર્વ દુઃખો વિશેષે શાન્ત થયાં છે જેનાથી) એવા, સર્વ પાપ વિશેષે શાન્ત થયાં છે જેમનાં એવા અને નિરંતર પરાભવ નહિ પામેલા અને ઉપશાન્ત થયેલા એવા અજિતનાથ અને શાન્તિનાથને નમસ્કાર હો. ૩.
અજિયજિણ ! સુહપ્પવરણ, તવપુરિસુત્તમ નામકિત્તણું, તયધિઇમઈLવત્તણે, તવ ય જિગુત્તમ ! સંતિ ! કિન્નર્ણ || ૪ | માગહિ ||
અર્થ - હે અજિતનાથ ! હે પુરુષોત્તમ! તમારા નામનું કીર્તન, સુખ (સ્વર્ગાપવર્ગરૂપ)ને પ્રવર્તાવનારું છે, તેમ જ ધીરજ (ચિત્તની સ્વસ્થતા) અને (પ્રજ્ઞા)ને પ્રવર્તાવનારું છે, તે જિનોત્તમ! હે શાન્તિનાથ! તમારું કીર્તન પણ પૂર્વોક્ત ગુણવાળું છે. ૪.
કિરિઆ-વિહિ-સંચિઅ-કમ્પ-કિલેસવિમુખયર, અજિએ નિચિચ ગુણેહિ મહામુણિ! સિદ્ધિગય; અજિઅસ્સ ય ૧. ધિઇમઈપવત્તર્ણ ઇતિ પાઠાન્તરમ્.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૮ સંતિમહા-મુણિણો વિ અ સંતિકર, સયય મમ નિવુઈકારણથં ચ નમસણય / ૫ | આલિંગણયા
અર્થ:- ક્રિયાના ભેદવડે એકત્ર કરેલા કર્મ અને કષાય થકી વિશેષે મુકાવનાર, અન્ય દર્શનીય દેવોના વંદન-પુણ્યવડે નહિ જિતાયેલ (તે કરતાં અનંત ગુણ ઉત્તમ), ગુણવડે વ્યાપ્ત અને મહામુનિ સંબંધી અણિમાદિ સિદ્ધિઓને પ્રાપ્ત એવા અજિતનાથ અને શાન્તિનાથ મહામુનિને (કરેલો) નમસ્કાર, મને નિરંતર શાન્તિને કરનાર અને મોક્ષનું કારણ હો. ૫.
| શબ્દાર્થ પુરિસા - હે પુરુષો! દુખવારણ - દુઃખનું નિવારણ. જઈ - જો
| વિમગહ - શોધતા હો. ૧. કાયિકી વગેરે પાંચ અથવા પચીશ ક્રિયા, તેનું સ્વરૂપ નવતત્ત્વથી સમજવું.
૨. અહીં કષાયનું કર્મમાંહે અંતર્ગતપણું છે તો પણ સંસારના કારણને વિષે કષાયની મુખ્યતા છે એ જણાવવાને અર્થે કષાયનું જુદું ગ્રહણ કર્યું છે.
૩. અણિમાદિ આઠ સિદ્ધિ આ પ્રમાણે જાણવી ૧ કમળના જેવા ઝીણા છિદ્રમાં પણ પ્રવેશ કરવાની શક્તિ તે અણિમા. ૨ મેરુ પર્વત કરતાં પણ મોટું શરીર વિતુર્વી શકાય તે મહિમા. ૩ અત્યંત ભારે થવાની શક્તિ તે ગરિમા. ૪ વાયુ કરતાં પણ હલકા થવાની શક્તિ તે લધિમા. ૫ પૃથ્વી ઉપર રહ્યા છતાં અંગુલિના અગ્રભાગ વડે મેરુ પર્વતની ટોચ અને સૂર્યાદિને સ્પર્શ કરવાની શક્તિ તે પ્રાપ્તિ. ૬ પાણીમાં પૃથ્વીની જેમ પગે ચાલે અને પૃથ્વી ઉપર પાણીમાં જેમ ડુબી જઈ બહાર નીકળે એવી શક્તિ તે પ્રાકામ્ય. ૭ સ્થાવર પણ આજ્ઞા માને એવી શક્તિ-તીર્થકર ચક્રવર્તિની ઋદ્ધિને વિસ્તારી શકે એવી પ્રભુતા તે ઈશિત્વ. ૮ જીવ અને અજીવ સર્વ પદાર્થ વશ થાય એવી શક્તિ તે વશિત્વ.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૭૯ સુખકારણે - સુખનું કારણ. | જિગુત્તમ - સામાન્ય કેવળીને વિષે ભાવઓ - ભાવ થકી.
ઉત્તમને. અભયકરે-નિર્ભિક્તાને કરનારાને. સરણું - શરણે.
નિત્તમસત્તધર - અજ્ઞાન રહિત પવહા - પ્રાપ્ત થાઓ. ભાવયજ્ઞને ધારણ કરનારને. અરઇરઈ- સંયમને વિષે શોક અને અજવ મદવ - સરળતા, નમ્રતા.
અસંયમને વિષે હર્ષ (અને). ખંતિવિમુત્તિ-ક્ષમા, નિર્લોભતા તિમિરવિરહિઅં-અજ્ઞાન રહિતને.
(અને). ઉવરય - નિવૃત્ત થયાં છે.
સમાણિનિહિ- સમાધિના ભંડારને. જરમરર્ણ-જરા અને મરણ જેમનાં
સંતિકર - શાન્તિના કરનારને. એવાને.
પણમામિ - નમસ્કાર કરૂં છું. સુરઅસુર - વૈમાનિક, ભવનપતિ.
| દમુત્તમ- ઇન્દ્રિયોના જયવડે ઉત્તમ.
| તિવૈયરે - તીર્થના કરનારાને. ગરૂલ-ભગવઈ - જયોતિષ્ક અને વ્યંતર ઇન્દ્રો વડે.
સંતિમુણિ - શાન્તિનાથ મુનિ.
સંતિસમાવિવર - શાન્તિ વડે સમાધિ પર્યાય - આદર વડે. પણિવર્યનમસ્કાર કરાયેલાને. | દિસઉ - આપો.
| (ચિત્તની સ્વસ્થતા) રૂપી વર. અહમવિ - હું પણ.
સોવાણયં - સોપાનક નામે છંદ. સુનયન નિઉણું - રૂડા નયની
| સાવત્યિ-શ્રાવતિ-અયોધ્યા વિષે નીતિને વિષે ડાહ્યાને.
પુવ્યપસ્થિવ - પૂર્વે રાજા હતા. અભયકર -અભયને કરનારાને.
વરહસ્થિમત્યય - પ્રધાન હસ્તિના સરણું - શરણ.
મસ્તક જેવું. વિસરિઅ - પામીને.
પસFવિત્યિક્ષસંથિયં પ્રશસ્ત અને ભવિદિવિજ - મનુષ્ય અને દેવોવડે. | વિસ્તીર્ણ છે સંસ્થાન જેમનું એવા. મહિએ - પૂજાયેલાને.
ચિરસચ્છિવચ્છ - સ્થિર શ્રીવત્સઉવણમે - સમીપ રહ્યો છતો નમું છું. | વાળું હૃદય છે જેમનું એવા. સંગમયં-સંગતક નામે છંદ. | મયગલલીલાયમાણ - મદ વડે ત - તે (શાન્તિનાથ)ને.
ઉન્મત્ત અને લીલાયુક્ત.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૮૦
વરગંધહત્યિ - પ્રધાન ગંધહસ્તિના. | નિનામહુરયર - શબ્દ કરતા પત્થાણપOિઅં - ગમન જેવી
મધુર (અને). ચાલ (ગતિ) છે જેમની એવા. | સુહગિર - કલ્યાણકારી છે વાણી સંથારિયું- સ્તુતિ કરવાને યોગ્ય.
જેમની એવા. હહિત્યબાહું - હસ્તિની સૂંઢ | વેઠઓ - વેષ્ટકનામે છંદ.
જેવા બાહુ છે જેમના એવા. | અજિયં- અજિતનાથને. ધંતકણગરુઅગ-ધમેલ સુવર્ણના
| જિઆરિગણું - જિત્યા છે શત્રુ આભરણ જેવો.
સમુદાય જેમણે એવા. નિવયપિંજરું-સ્વચ્છ પીતવર્ણ | છે જેમનો એવા. | | જિઅસāભય - જિત્યા છે સર્વ
ભય જેમણે એવા. પવરલકુખણોવચિય- શ્રેષ્ઠ લક્ષણો
ભવોહરિઉં-ભવપરંપરાના શત્રુ.
વડે વ્યાપ્ત. . સોમચારુરુવં - સૌમ્ય અને સુંદર |
પણમામિ - નમસ્કાર કરું છું. છે રૂપ જેમનું એવા. |
પયઓ -આદર વડે. સુઈસુહ - કાનને સખકારી. | પાવ - પાપને. મણાભિરામ-મનને આનંદદાયક. | પસમેઉ - પ્રકર્ષે શાન્ત કરો. પરમરમણિજ્જ - અત્યંત રમણીય. | ભય - ભગવાન. વરદેવદુંદુહિ -પ્રધાનદેવદુંદુભિના. | રાસાલુદ્ધઓ - રાસાલુબ્ધકછંદ
પુરિસા ! જઈ દુખવારણ, જાય વિમગ્ગહ સુખકારણે, અજિએ સંતિ ચ
ભાવઓ, અભયકરે સરણે પવન્જહા. | ૬ || માગરિઆ .
અર્થ - હે મનુષ્યો! જો તમે દુઃખનું નિવારણ અને સુખનું કારણ શોધો છો, તો અભય (નિર્ભયતા)ને કરનારા એવા અજિતનાથ અને શાન્તિનાથને શરણે ભાવપૂર્વક પ્રાપ્ત થાઓ. ૬.
116
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૮૧
અજિતજિન સ્તુતિ અરઈ રઈતિમિરવિરહિઅ-મુવરય-જરમરણ, સુર-અસુર-ગરુલ-ભગવઇપયય-પણિવયં; અજિઅ-મહમવિ અ સુનય-નય-નિઉણ-મભયકરે, સરણમુવસરિઅ ભવ-દિવિજ-મહિએ સમયમુવણમે / ૭. સંગર્યા
અર્થ - સંયમને વિષે અરતિ અને અસંયમને વિષે રતિ તથા અજ્ઞાનવડે રહિત (અથવા અરતિ મોહનીયના ઉદયથી થયેલ ચિત્તનો ઉગ અને રતિ મોહનીયના ઉદયથી થયેલ ચિત્તનો આનંદ તે બંને સમ્યગુજ્ઞાનને આચ્છાદન કરનાર હોવાથી તે રૂ૫ અજ્ઞાનવડે રહિત), નિવૃત્ત થયાં છે જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ જેમનાં એવા (અથવા ઉપરતજરમ્ = નિવૃત્ત થયેલ છે જરા જેમની એવા અને અરણ-યુદ્ધાદિ લેશરહિત) સુર (વૈમાનિકદેવ), અસુર (ભવનપતિદેવ), ગરૂડ (જ્યોતિષ્કદેવ), અને ભુજગ (વ્યંતર-ખેચર) (અથવા સુર, અસુર, સુવર્ણકુમાર અને નાગકુમાર દેવોના ઈન્દ્રોવડે આદરથી નમસ્કાર કરાયેલા,) સુંદર જાય છે જેમને એવા નૈગમાદિ સાત નયને વિષે નિપુણ (અથવા સુંદર નયન ઉપદેશને વિષે નિપુણ) અભયને કરનારા અને મનુષ્ય તથા દેવોવડે પૂજિત એવા અજિતનાથને શરણે જઈને હું પણ નિરંતર સમીપ રહ્યો છતો નમું છું. ૭.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રી શાન્તિજિન સ્તુતિ તે ચણિત્તમ-મુત્તમ-નિત્તમ-સત્તધરે; અજ્જવ-મદવ-ખંતિ-વિમુત્તિ-સમાહિનિહિં; સંતિકર પણમામિ દમુત્તમતિસ્થય, સંતિ-મુણી મમ સંતિસમાહિવર દિસઉ . ૮. સોવાણયં //
અર્થ - સામાન્ય કેવળીને વિષે ઉત્તમ, શ્રેષ્ઠ અજ્ઞાન (અથવા આકાંક્ષા) રહિત, ભાવયજ્ઞને ધારણ કરનાર (અથવા અજ્ઞાન રહિત વ્યવસાય છે જેમનો એવા), સરળતા, નમ્રતા, ક્ષમા, નિર્લોભતા અને સમાધિના ભંડાર, શાન્તિના કરનારા, ઇન્દ્રિયના જયવડે ઉત્તમ તીર્થ (સંઘ)ને કરનારા તે શાન્તિનાથ મુનિને પણ હું પ્રણામ કરું છું. તે શાન્તિનાથ મુનિ મને શાન્તિ વડે સમાધિ (ચિત્તની સ્વસ્થતા) રૂ૫ વરદાન આપો. ૮.
શ્રી અજિતજિન સ્તુતિ સાવત્નિ-પુણ્વપત્નિવં ચ વરહત્યિમયૂય-પસન્દ વિસ્થિસંથિયું, થિરસરિચ્છ-વચ્છ, મયગલ-લીલાયમાણ
૧. સંતિમુણી એ પદનો બે વખત સંબંધ લેવાનો છે પહેલાં ત્રણ પાદ સાથે સંબંધ લેતાં બીજી વિભક્તિનો અર્થ લેવો અને ચોથા પાદ સાથે સંબંધ લેતાં પહેલી વિભક્તિનો અર્થ લેવો. ૨. જગતની ત્રિકાળ અવસ્થાને જાણે તે મુનિ-સર્વજ્ઞ.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૮૩ વરગંધહત્યિ-પત્થાણ-પસ્થિય સંથવારિહં, હત્યિ-હOબાહં ધંતકણગ-અગ-નિરુ વહય-પિંજરું, પવર-લખણોવચિયસોમ-ચારુ-રૂવં સુઈસુહમણા-ભિરામપરમ-રમણિજ્જ-વરદેવદુંદહિ-નિનાયમહુરયર-સુહગિર / ૯ વેઠ્ઠઓ /
અજિઅંજિઆરિગણું, જિઅ-સવભર્યા ભવોહરિઉં; પણમામિ અહં પયઓ, પાવે પસમેઉ મે ભયવં ૧૦ રાસાલુદ્ધઓ
અર્થ - અયોધ્યા નગરીને વિષે પૂર્વે (દીક્ષા લીધા અગાઉ) રાજા હતા એવા, પ્રધાન હસ્તિના મસ્તક જેવું પ્રશસ્ત (વખાણવા લાયક) અને વિસ્તર્ણ છે સંસ્થાન (શરીરનો આકાર) જેમનું એવા, નિશ્ચલ શ્રીવત્સવાળું છે હૃદય જેમનું એવા (અથવા સ્થિર અને સરખું છે હૃદય જેમનું એવા) મદ વડે ઉન્મત્ત અને લીલાયુક્ત પ્રધાન, ગંધહસ્તિના ગમન જેવી ચાલ છે જેમની એવા, સ્તુતિ કરવાને યોગ્ય, હસ્તિની સૂંઢ જેવા છે બાહુ (હાથ) જેમના એવા, ધમેલ સુવર્ણના આભરણ જેવો સ્વચ્છ પીતવર્ણ છે જેમનો એવા, શ્રેષ્ઠ લક્ષણોવડે વ્યાપ્ત, સૌમ્ય અને સુંદર છે રૂપ જેમનું એવા કાનને સુખકારી અને મનને આનંદદાયક તથા અત્યંત રમણીય પ્રધાન દેવદુંદુભિના શબ્દ કરતાં વધારે મધુર અને કલ્યાણકારી છે વાણી જેમની એવા; વળી જીત્યા છે શત્રુ સમુદાય જેમણે, જીત્યા છે સર્વ ભય જેમણે (અથવા જીવશ્રવ્યભર્ગ એટલે
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૮૪ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને સાંભળવા યોગ્ય છે માહાભ્ય જેમનું એવા). ભવપરંપરાના શત્રુ (ભવનો નાશ કરનારા) અજિત નાથને હું આદરવડે નમસ્કાર કરું છું. તે ભગવાન મારા પાપ (અશુભ કર્મ)ને શાન્ત કરો. ૯-૧૦.
શબ્દાર્થ કુરુજણવય - કુરૂદેશના. | ચુલસીહય-ગ-રહ-સયસહસ્સહત્થિણાઉરનરીસરો-હસ્તિનાપુર | ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ
નગરના રાજા હતા. હાથી અને ચોરાશી લાખ રથના. પઢમં - પ્રથમ.
સામી - સ્વામી. તઓ - તે પછી.
છન્નવઈગામકોડી-છવું કોડગામના. મહાચક્કટ્ટિોએ મોટા ચક્ર
આસી - હોતાં હવા. વર્તિના રાજ્યને ભોગવતા હતા.
જો - જે. મહપ્રભાવો - મોટાપ્રભાવવાળા.
ભારતંમિ - ભરત ક્ષેત્રમાં. બાવરિપુરવરસહસ્સ - બહોતેર
ભયનં - ભગવાન. હજાર પુરવર.
તં સંતિ - તે ઉપશમ રૂપને.
સંતિકર - શાન્તિના કરનારા વર નગર - શ્રેષ્ઠ નગરો.
અથવા મોક્ષને આપનારાને. નિગમજણવયવઈ - નિગમ અને
સંતિષ્ણ - રૂડે પ્રકારે તર્યા છે. દેશના સ્વામી.
સવભયા - સર્વ ભય થકી. બત્તીસારાયવરસહસ્સ - બત્રીશ
સંતિજિર્ણ - શાન્તિનાથ જિન. હજાર શ્રેષ્ઠ રાજાઓ. કૃણામિ - સ્તવું છું. અણુયાયમગ્નો - અનુયાયી છે | સંતિ - શાન્તિને.
જેમના એવા. | વિહેલું - કરવાને. ચઉદસવરરયણ - ચૌદ શ્રેષ્ઠ રત્નો. | એ - સંબોધન અર્થે વપરાયેલ છે. નવમહાનિહિ - નવ મહાનિધાન. | રાસાનંદિઅયં - રાસાનંદિતક ચઉસક્રિસહસ્સ - ચોસઠ હજાર.
નામે છંદ. પવરજુવઈણ - શ્રેષ્ઠ સ્ત્રીઓના. | ઇફખાગ! - ઇક્વાકુ વંશમાં ઉત્પન્ન સુંદરવઈ - સુંદર ભર્તાર, ધણી. |
થયેલા.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૮૫
રૂપવાળા.
વિદેહનરીસર-વિદેહ દેશના રાજા. | ચંદસુરવંદ! - ચંદ્ર અને સૂર્યને નરવસહા - મનુષ્યમાં શ્રેષ્ઠ.
વંદન કરવા યોગ્ય. મુસિવસહા -મુનિઓમાં શ્રેષ્ઠ. | હટ્ટ - આરોગ્યવંત.ના સ્વરૂપ નવસાર-નવીન શરદઋતુના.
તુટ્ટ - પ્રીતિવંત. સસિસકલાણણ ! - ચંદ્ર જેવા
જિટ્ટ - પ્રશસ્ય (અને). શોભાયમાન મુખવાળા.
પરમલરૂવ-અત્યંત કાન્તિયુક્ત વિગતમા ! – ગયું છે અજ્ઞાન
ધંતરુપ્પ - ધમેલ રૂપાના.થ્થો જેમનું એવા.
| પટ્ટસેય - પાટ જેવી ચેત. વિહુઅરયા - ટાળ્યાં છે કર્મરૂપ રજ જેણે એવા.
સુદ્ધ-નિદ્ધ - નિર્મળ, સ્નિગ્ધ 2-f
ધવલદંતપંતિ - ઉજજ્વળ છે અજિય - હે અજિતનાથ !
દાંતની પંક્તિ જેમની એવા. ઉત્તમતેઅ - ઉત્તમ તેજવાળા.
સંતિ! - હે શાન્તિનાથ. ગુણેહિ - ગુણો વડે.
સનિકિતિ-મુત્તિ-શક્તિ, કીર્તિ, મહામુણિ - મોટા મુનિ વડે.
નિર્લોભતા. અમિયબલા - માપી શકાય નહિ | જુત્તિ-ગુપિવર! - યુક્તિ અને એવા બળવાળા.
ગુપ્તિ વડે શ્રેષ્ઠ. વિઉલકુલા!-વિસ્તીર્ણ કુળવાળા. | દિરતેઅવંદ - દેદીપ્યમાન તેજના પણમામિ - નમસ્કાર કરું છું.
સમૂહવાળા. તે - તમોને.
ધેય - ધ્યાન કરવા યોગ્ય. ભવભયમૂરણ! - ભવભયને સવ્વલોઅ-સર્વ લોકોએ.
તોડનારા.
ભાવિ અધ્ધભાવ - જામ્યો છે જગસરણા!-જગતને શરણભૂત.
પ્રભાવ જેમનો એવા. મમ - મને.
ણેઅ - જાણવા યોગ્ય.
પઈસ - આપો. સરણ - શરણભૂત છો.
મે - મને. ચિત્તલેહા - ચિત્રલેખા નામે છંદ. દેવદાણવિંદ - સુરઅસુરના ઈન્દ્ર. | નારાયઓ-નારાચક નામે છંદ.
| સમાહિ-ચિત્તની સ્વસ્થતા-સમાધિ.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૬
વિમલસસિકલા - નિર્મળ ચંદ્રની | અઈરેઅ-સાર-અધિકસ્થિરતાવાળા.
પ્રભા કરતાં. | કસુમલયા - કુસુમલતા નામે છંદ. અરેઅસોમં-અધિક સૌમ્યતાવાળા. |
સત્તે - સત્વ (વ્યવસાય)માં. વિતિમિરસૂરકર - વાદળાં રહિત |
અજિસં - નહિ જીતાય એવા. સૂર્યના કિરણો કરતાં.
સારીરેબલે-શરીરસંબંધી બળમાં. અરેઅત - અધિક તેજવાળા.
તવસંજમે-તપ અને ચારિત્રવિષે. તિઅસવાંગણ - દેવતાઓના
| એસ- એ પ્રકારે સ્વામીઓના સમુદાય કરતાં. અરેઅરૂવં - અધિક રૂપવાળા. |
| જિર્ણઅજિસં - અજિતનાથ જિન ધરણીધરપ્પવર - પર્વતમાંહે શ્રેષ્ઠ | ભુ અગપરિરિંગિ - ભજગ
(મેરૂ પર્વત) કરતાં. | પરિરિગિત નામે છંદ.
- શ્રી શાન્તિજિન સ્તુતિ કુરુજણવય-હત્થિણાઉર-નરીસરો પઢમં, તઓ મહાચક્કટ્ટિમોએ મહિપ્પભાવો; જો બાવત્તરિપુરવર-સહસ્સવરનગર-નિગમ-જણવયવઈ બત્તીસા-રાયવરસહસ્સાણુયાયમન્ગો; ચઉદસવરરયણ -
૧. જેમાં કર ન હોય તે. ખોટા વ્યાપારીઓની દુકાનવાળાં સ્થાનોવ્યાપારનાં સ્થાનો. ૨. ચૌદ રત્નો દરેક ચક્રવર્તિને હોય, તે આ પ્રમાણે જાણવા. (૧) ચક્રરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, વૈરીનું મસ્તક છે. (૨) છત્રરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, ચક્રવર્તિના હસ્ત સ્પર્શે બાર યોજન વિસ્તારવાળું થાય. જે ઉત્તરના મ્લેચ્છ રાજાના દેવતાઓએ વરસાવેલા વર્ષાદને રોકવા સમર્થ થાય. (૩) દંડરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, વાંકી ભૂમિને સરખી
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૮૭
નવ-મહાનિહિ-ચઉસક્રિસહસ્સ પવરજુવઇણ સુંદરવઇ, ચુલસી-હય-ગય-રહ
કરે, જરૂર પડ્યે હજાર યોજન જમીન ખોદે. (૪) ચર્મરત્ન બે હાથનું હોય, જરૂર પડ્યે ચક્રવર્તિના સ્પર્શે બાર યોજન લાંબું થાય, તેમાં સવારે શાલિપ્રમુખ ધાન્ય વાવ્યાં હોય, તે સાંજે ઉપભોગ યોગ્ય તૈયાર થાય. (૫) ખડ્ગરત્ન બન્નીશ આંગળનું હોય છે. સંગ્રામમાં અત્યન્ત શક્તિવંત હોય. (૬) કાગિણીરત્ન ચાર અંગુલ પ્રમાણ હોય, તેના વડે વૈતાઢ્ય પર્વતની ગુફામાં બંને બાજુ ઓગણપચાસ પ્રકાશ આપનારાં મંડળ કરે છે.(૭) મણિરત્ન ચાર અંગુલ લાંબું અને બે આંગળ પહોળું હોય, તે છત્રરત્નના તુંબા ઉપર બાંધ્યું છતું બાર યોજન પ્રકાશ કરે અને હાથે કે માથે બાંધ્યું છતું સમસ્ત રોગને હરે, એ સાત રત્ન એકેન્દ્રિય જાતિનાં છે. અને બીજાં સત પંચેન્દ્રિય જાતિનાં છે. (૮) પુરોહિત રત્ન તે શાન્તિકર્મ કરે. (૯) અશ્વરત્ન. (૧૦) ગજરત્ન એ બંને મહા-પરાક્રમવાળાં હોય. (૧૧) સેનાપતિરત્ન તે ચક્રવર્તિની સહાય વિના ગંગા-સિંધુની બાહેરની પાસેના ચાર ખંડને જીતે. (૧૨) ગૃહપતિરત્ન તે ગૃહની ચિંતા રાખે. (૧૩) વાર્ષકીરત્ન તે મકાનો બાંધે, લશ્કર પડાવ કરાવે વૈતાઢ્યની ગુફામાં આવેલી ઉન્મન્ના અને નિમગ્ના નદીના પૂલ બાંધે, ઇત્યાદિ બાંધકામ કરે. (૧૪) સ્ત્રીરત્ન અત્યંત અદ્ભુત રૂપવંત ચક્રવર્તિને ભોગયોગ્ય હોય, એ પ્રત્યેક રત્ન એક હજાર યક્ષોએ અધિષ્ઠિત હોય અને બે હજાર યક્ષ ચક્રીની બે બાહુના અધિષ્ઠાયક હોય એમ ૧૬ હજા૨ યક્ષ ચક્રવર્તિના સેવક હોય. ચક્ર, દંડ, છત્ર અને ચર્મ એ ચાર આયુધશાળામાં ઉત્પન્ન થાય. ખડ્ગ, કાગિણી અને મણિ એ ત્રણ ભંડારમાં ઉત્પન્ન થાય. ગજ અને અશ્વ વૈતાઢ્ય પર્વતમાં ઉપજે. સ્ત્રી રત્ન ક્ષત્રિયરાજાને ઘેર થાય અને બાકીનાં ચાર ચક્રીના નગરને વિષે ઉત્પન્નથાય.
૧. નવ નિધાનનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. (૧) ગામ (ફરતી વાડ હોય તે), આકર (મીઠું પાકે તે), નગર (રાજધાની થાય તે) પાટણ (જળ અને સ્થળના માર્ગ હોયતે.) દ્રોણમુખ (જ્યાં જળ માર્ગ જ હોય) મડબ (અઢી ગાઉ ફરતાં ગામ ન હોય તે.) સૈન્ય અને ગ્રહની માંડણી એ સર્વ નૈસર્પી નામે નિધાનને વિષે હોય. (૨) ગણિત, ગીત, ચૌવીશ જાતના
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૮
સય-સહસ્સસામી, છન્નવઇગામકોડિ સામી આસી જો ભારહંમિ ભવયં।।૧૧। વેઢઓ ।।
તેં સંતિ સંતિકરું, સંતિણું સવ્વભયા ।। સંતિ થુણામિ જિણં, સંતિ વિષેઉ મે || ૧૨ || રાસાનંદિઅયં ॥
૧
ધાન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર એ સર્વ પાંડુક નિધાનમાં હોય. (૩) સર્વ જાતનાં આભરણ, અશ્વ અને હાથીનાં આભરણ, તેની વિધિપિંગલક નિધાનને વિષે હોય. (૪) ચક્રવર્તીનાં ચૌદ રત્ન વગેરે સર્વરત્ન નામે ચોથા નિધાનના યોગે થાય. કેટલાએક કહે છે કે - આ નિધાનથી તે રત્નો મહાદીપ્તિવંત થાય. (૫) વસ્ત્રની ઉત્પત્તિના પ્રકાર, રંગની ઉત્પત્તિ સાત ધાતુ, વસ ધોવાની રીત વગેરે મહાપદમ નિધાનમાં હોય. (૬) સમસ્ત કાળજ્ઞાન (જયોતિષ્મ), તીર્થંકરાદિના વંશાદિકનું કથન શિલ્પવિદ્યા, કર્ષણ (ખેતી) વાણિજય (વેપા૨) વગેરે કાળ નિધાનમાં હોય. (૭) લોઢું, સોનું, મણિ, મોતિ, સ્ફટિક અને પ્રવાળાના સમૂહ મહાકાળ નિધાનમાં હોય. (૮) શુરવીર યોદ્ધાની ઉત્પત્તિ, હથિયાર વગેરે યુદ્ધ સામગ્રી, યુદ્ધનીતિ દંડનીતિ એ માણવક નિધાનમાં હોય. (૯) નાટ્યવિધિ, ગદ્ય-પદ્યની વિધિએ મહાશંખનિધાનમાં હોય. આ નવે નિધાન ઉત્સેધાંગુલે આઠ યોજન ઉંચા, નવ યોજન પહોળા અને બાર યોજન લાંબા પેટીના આકારે ગંગા નદીના મુખ આગળ સદા રહે છે. ચક્રવર્તિ ઉત્પન્ન થઈ છ ખંડ સાધીને જ્યારે પાછા વળે ત્યારે તેની સાથે આવી ક્રિની નગરીમાં પાતાળમાં રહે. આ નિધાનો વિવિધ રત્નમય છે અને ઘણા ધન અને રત્નાદિ સમૃદ્ધિએ કરી સહિત છે, આનું વિશેષ વર્ણન જોવાની ઇચ્છાવાળાએ પ્રવચનસારોદ્વારાદિ ગ્રંથ જોવા.
૧. એ અતિશાયી લોકોના સંબોધન અર્થે વપરાય છે તેથી હે ઉત્તમ પુરુષો ! તમારી સમક્ષ હું સ્તુતિ કરૂં છું એમ સૂચવાય છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૯ અર્થ - કુરુ દેશને વિષે હસ્તિનાપુર નગરના પ્રથમ રાજા હતા. તે વાર પછી મોટા ચક્રવર્તીના (છ ખંડના) રાજ્ય (ને વિષે વર્તતા હતા)ને ભોગવતા હતા. મોટો છે પ્રભાવ જેનો એવા (અથવા મહાત્મભાવ : ઉત્સવો વડે આત્માને પ્રીતિ કરનારા) જે ઘર વડે શ્રેષ્ઠ એવા બહોંતેર હજાર પ્રધાન નગરો, નિગમ અને દેશના સ્વામી (અથવા બહોંતેર હજાર નગર અને પ્રધાન વ્યાપારના સ્થાનોવાળાં ગામો છે જેને વિષે એવા દેશના સ્વામી અથવા બહોંતેર હજાર પ્રધાન નગર અને શહેરની પેઠે જન સમુદાયે સંકીર્ણ છે રસ્તાઓ જેને વિષે એવા દેશોના સ્વામી) બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓએ અનુસરણ કર્યો છે માર્ગ જેનો એવા. ચૌદ શ્રેષ્ઠ રત્ન; નવ મહાનિધાન અને ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના સુંદર ભતર, ચોરાશી લાખ ઘોડા (અઢાર ક્રોડ ઘોડા પણ કહેલા છે), ચોરાશી લાખ હાથી અને ચોરાશી લાખ રથના સ્વામી, છન્ન ક્રોડ ગામના સ્વામી એવા જે ભગવાન ભરતક્ષેત્રને વિષે હતા, તે ઉપશમરૂપશાન્તિને કરનારા (મોક્ષને આપનારા), રૂડે પ્રકારે તર્યા છે સર્વ ભય (મૃત્યુ) થકી એવા (અથવા રૂડે પ્રકારે તર્યા છે; સર્વ ભય જેના થકી એવા) શાન્તિનાથ જિનને શાન્તિ કરવાને માટે હું સ્તવું છું અથવા પૂર્વોક્ત શાન્તિનાથ જિનને સ્તવું છું. તે ભગવાન મુજને શાન્તિ કરો. ૧૧-૧૨.
શ્રી અજિતજિન સ્તુતિ ઇફખાગ! વિદેહ નરીસર, નરવસહા મુણિવસતા; નવસારય-સસિસકલાણ
૧. મુસિવસહાનવ એ પ્રકારે પદ લઈએ ત્યારે મુનિપસભાનવ-ઈન્દ્રોની સભાને વિષે સ્તુતિ થાય છે જેની એવા - આવો અર્થ થાય છે.
૨. સકલ શબ્દનો અર્થ પૂર્ણ લઈએ ત્યારે ચંદ્રનું વિશેષણ લેવું પડે તે વિશેષણની પહેલાં આવવું જોઈએ, પણ પ્રાકૃતને લીધે પર નિપાત થાય છે.
૧૯
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૯૦ વિગતમા વિહુઅરયા || અજિઉત્તમતે અગુણેહિ મહામુણિ-અમિઅબલા વિફલકુલા, પણમામિ તે ભવ-ભય-મૂરણ જગસરણા મમસરણII૧૩ ચિત્તલેહા!
અર્થ:- હે ઈક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા, હે વિદેહ દેશના રાજા (અથવા ગૃહસ્થાવાસને વિષે રાજા). હે મનુષ્યમાં શ્રેષ્ઠ, હે મુનિઓને વિષે શ્રેષ્ઠ, હે ઉદય પામેલા શરદ ઋતુના ચંદ્ર જેવા શોભાયમાન મુખવાળા (અથવા ઉદય પામેલ શરદ ઋતુના પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળા), હે ગયું છે અજ્ઞાન જેના થકી એવા, હે ટાળ્યા છે (નવા બંધાતા અને બાંધેલા) કર્મરૂપ રજ જેણે એવા, હે ગુણોવડે ઉત્તમ તેજવાળા, (અથવા હે તેજગુણોવડે ઉત્તમ!) હે મોટા મુનિઓ વડે પામી (જાણી) શકાય નહિ એવું છે સામર્થ્ય જેમનું એવા, હે વિસતીર્ણ કુળ (વંશ)વાળા, હે ભવભયને તોડનારા, હે અજિતનાથ ! તમોને નમસ્કાર કરું છું. હે જગતને શરણભૂત! મને શરણભૂત છો અથવા તે અજિતનાથ! તમારા શરણ-સ્મરણને કરનારાને હું નમસ્કાર કરું છું. ૧૩.
શ્રી શાન્તિજિન સ્તુતિ દેવ-દાણ-વિંદ-ચંદ-સૂર-વંદ-હટ્ટ-તુટ્ટજિટ્ટ-પરમ-લટ્ટ-રૂવ-ધંત-રુધ્ધ-પટ્ટ-સેયસુદ્ધ-નિદ્ધ-ધવલ-દંત-પંતિ ! સંતિ! સત્તિ૧. ગુણ બે પ્રકારના છે - રૂ૫ વગેરે બાહ્ય અને જ્ઞાનાદિ તે અત્યંતર. ૨. જગસરણ અને અમમ (નિર્ગમત્વ) એવા બે પદ પણ નીકળે છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૯૧ કિત્તિ-મુત્તિ-જુત્તિ-ગુત્તિ-૫વર II દિત્તતા વંદ ઘેએ સવ્વલોઅ-ભાવિ અધ્ધભાવણે અ, પઈસમે સમાહિ૧૪ નારાયઓ
અર્થ :- હે સુર-અસુરના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદન કરવા યોગ્ય, હે આરોગ્યવંત, પ્રીતિવંત, પ્રશસ્ય અને અત્યંત કાન્તિ યુક્ત રૂપવાળા હે ધમેલ! રૂપાના પાટ જેવી શ્વેત (અથવા શ્રેયસ એટલે ઘન-પ્રશસ્ય), નિર્મળ, સ્નિગ્ધ અને ઉજ્વળ છે દાંતની પંકિત (બે હાર) જેમની એવા ! હે શકિત, કીર્તિ, નિર્લોભતા, યુક્તિ (ન્યાયયુક્ત વચન) અને ગુપ્તિ (મન, વચન અને કાયાને નિયમમાં રાખવા) વડે શ્રેષ્ઠ! હે દેદીપ્યમાન તેજના સમૂહવાળા ! હે ધ્યાન કરવા યોગ્ય ! (અથવા જાજ્વલ્યમાન તેજવાળા, વંદન કરવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય !) હે સર્વ લોકોએ જાણ્યો છે પ્રભાવ જેમનો એવા ! હે જાણવા યોગ્ય ! હે શાન્તિનાથ! મને સમાધિ (ચિત્તની સ્વસ્થતા) આપો. ૧૪.
શ્રી અજિતનાથની સ્તુતિ વિમલસસિ-કલાઈરેઅ-સોમં, વિતિમિર-સુર-કરાઇરેઅ-તે તિઅસવ
૧. ધેયસવ્વલોય પોષણ કરવા યોગ્ય છે સર્વલોક જેના વડે એવા, ભાવિઅધ્વભાવ (ભાવિત આત્મભવ.) જામ્યો છે આત્મારૂપ પદાર્થ જેણે એવા (આત્મગુણમાં રક્ત) અને ણેય (નેતા) સ્વામી એમ પદ નીકળે છે.
૨. સર્વ દેવતા મળી પોતાનું રૂપ એકત્ર કરી ભગવંતની ટચલી આંગળી પાસે મૂકે તો સુવર્ણ અને તાંબાના રૂપમાં જેટલું અંતર લાગે તેટલું ભગવંતના અને દેવતાના એકત્ર કરેલ રૂપમાં લાગે.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૯૨ ગણાઈરે-રવ, ધરણિધરપ્પ-વરાછરેઅસારં . ૧૫// કુસુમલયા ll
સત્તે અસયા અજિએ, સારીરે અબેલે અજિસં . તવ સંજમે આ અજિએ, એસ થુણામિ જિર્ણ અજિસં. ૧૬ ભુઅગપરિરિગિઅં.
અર્થ - નિર્મળ ચંદ્રની પ્રભા કરતાં અધિક સૌમ્યતાવાળા, વાદળ રહિત સૂર્યના કિરણો કરતાં અધિક તેજવાળા, ઈન્દ્રના સમુદાય કરતાં અધિક રૂપવાળા, મેરુપર્વત કરતાં અધિક સ્થિરતાવાળા, વળી સત્ત્વ (વ્યવસાય)માં નિરંતર અજિત નહિ જીતાય એવા), શરીર સંબંધી બળમાં પણ અજિત તપ અને સંયમને વિષે અજિત એવા પ્રકારે હું અજિતનાથ જિનને સ્તવું છું. ૧૫-૧૬.
૧. સંયમ સત્તર પ્રકારે છે તે આ પ્રમાણે-પાંચ ઇન્દ્રિય અને ચાર કષાયનો જય, પાંચ અવ્રતનો ત્યાગ અને ત્રણ યોગ (મન, વચન, કાયા)નું નિવર્તન, સંયમના ૧૭ પ્રકાર બીજી રીતે પણ છે, તે આ પ્રમાણે ૧ પૃથ્વીકાય સંયમ, ૨ અપૂકાય સંયમ, ૩ તેઉકાય સંયમ, ૪ વાઉકાય સંયમ, ૫ વનસ્પતિકાય સંયમ, ૬ બેઇન્દ્રિય સંયમ, ૭ તે ઈન્દ્રિય સંયમ, ૮ ચૌરિન્દ્રિય સંયમ, ૯ પંચેન્દ્રિય સંયમ, ૧૦ પ્રેક્ષ્ય (જોવું) સંયમ, ૧૧ ઉપેક્ષ્ય (ઉપેક્ષા કરવી) સંયમ, ૧૨ પ્રમાર્જન સંયમ, ૧૩ અપહત્ય (પરઠવું) સંયમ, ૧૪ મન સંયમ, ૧૫ વચન સંયમ, ૧૬ કાય સંયમ અને ૧૭ અજીવ (ઉપકરણ) સંયમ.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૯૩
શબ્દાર્થ
સોમગુણેહિ - સૌમ્ય ગુણવડે. | સંતિ - શાન્તિનાથને. પાવઈ - પામે – પહોંચે. | મહામુહિં - મહાજ્ઞાનીને. ત - તે (અજિતનાથ અથવા | સરણું - શરણે.
શાન્તિનાથ)ને. ઉવણમે - જાઉં છું. નવસરયસસી-નવીનશરદઋતુનો
વિણઓણય - વિનયવડે નમેલા.
ચંદ્ર. | સિરરઅંજલિ - મસ્તકવિષે તેઅગુણેહિ - તેજ ગુણવડે. | જોડી છે અંજલી જેણે એવા. નવસરયરવી - નવીન શરદઋતુનો રિસિંગણથએ - ઋષિઓના
- સૂર્ય. સમુદાય વડે રૂડે પ્રકારે સ્તુતિ રૂવગુણહિ - રૂપ ગુણવડે.
કરાયેલા. તિઅસગણવઈ - દેવસમુદાયના |
થિમિઅં - નિશ્ચળ. સ્વામી (ઇન્દ્ર). |
વિબુહાવિ - દેવોના અધિપતિ સારગુણેહિ - ધૈર્ય ગુણ વડે.
(ઇન્દ્ર). ધરણિધરવઈ - મેરુ પર્વત.
ધણવઈ - કુબેર (અને). તિર્થીવર - શ્રેષ્ઠ તીર્થના.
નરવઈ - ચક્રવર્તી વડે. પવત્તયં - પ્રવર્તક.
થઅમહિઅશ્ચિએ - સ્તવાયેલા તમરયરહિયં -અજ્ઞાન અને કર્મ
નમન કરાયેલા અને પૂજાયેલા.
રજથી રહિત. | બહુસો - ઘણીવાર.
અઈરૂગય - તત્કાળ ઉગેલ. ધીરજણ - બુદ્ધિવાન પુરૂષો વડે.
સરયદિવાયર- શરદઋતુના સૂર્ય થઅચ્ચિ - સ્તુતિ કરાયેલ અને
કરતાં. પૂજાએલ.
સમહિ - અત્યંત અધિક ચુઅકલિકલુસં - ગયાં છે વૈર અને
સપ્ટભં - શોભનિક કાન્તિવાળા. | મલિનતા જેના એવા.
તવસા - તપવડે. સંતિસુહ - મોક્ષ સુખના. | ગયગંગણ - આકાશને વિષે. તિગરણપયઓ - મન, વચન, | વિયરણસમુઈઅને વિચારવા વડે અને કાયાએ સાવધાન છતો.
એક્કા થયેલ.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૯૪
|
ચારણવંદિઅં - ચારણમુનિઓ | પરિવંદિઅં-સમસ્ત પ્રકારે વંદાયેલ. વડે વંદાયેલા. | અભયં - ભયરહિત. અણું - પાપરહિત. અરયં - અનાસક્ત. અરુયં - રોગરહિત. અજિ - નહિ જીતાયેલા. અજિઅં - અજિતનાથને. પયઓ - આદરવડે. પણમે - હુ નમું છું. ખિજ્જિઅયં - ખિઘતક છંદ.
|
કિસલયમાલા - કિસલયમાલાછંદ.
દેવકોડિસય - સેંકડો કોટિ વૈમાનિક | લલિઅયં - લલિતક છંદ.
દેવવડે. | સુમુ ં - સુમુખ છંદ.
સિરસા - મસ્તકવડે.
અસુરગરુલ - અસુરકુમાર અને સુવર્ણકુમા૨ વગેરે ભવનવાસી
દેવોવડે.
પરિવંદિö - સમસ્ત પ્રકારે વંદાયેલા. કિન્નરોરગ - કિન્નર અને મહોરગ
વગેરે વ્યંતર દેવોવડે.
નમંસિઅં - નમસ્કાર કરાયેલા.
સંથુઅ - સ્તુતિ કરાયેલા. સમણસંઘ - શ્રમણસંઘ વડે.
વિજ્જુવિલસિયં-વિદ્યુત વિલસિત
છંદ.
શ્રી શાન્તિજિન સ્તુતિ
સોમગુણેહિં પાવઇ ન તં નવ-સરયસસી, તેઅ-ગુણેહિં પાવઇ-ન તં નવ સરય
૧. ચંદ્ર, સૂર્ય, ઇંદ્ર અને મેરૂપર્વત પોતાના સૌમ્યતા, તેજ, રૂપ અને થૈર્ય ગુણ વડે કરીને ભગવંતના સૌમ્યતા આદિ ગુણની સમાનતા પ્રાપ્ત કરી શકતા નથી એટલે કે ભગવંતના ગુણો અધિકતર છે.
૨. પામઇ એવો પાઠ હોય ત્યાં પણ પ્રામતિ ગત્યર્થક હોવાથી એવો જ અર્થ થાય છે.
૩. અહિ તત્ શબ્દ પૂર્વોક્ત અજિતનાથ લીધા છે. પરંતુ હવે પછી કહેવાના શાન્તિનાથ લેવા એમ વૃદ્ધો કહે છે. કેમ કે અજિતનાથની સ્તુતિ આવા જ ગુણો વડે પ્રથમ કરાઈ છે. તેમજ તત્ શબ્દનો અર્થ વક્ષ્યમાણ પણ કરી શકાય છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૯૫
રવી, રૂવગુણેહિં પાવઇ ન તં તિઅસગણવઇ, સારગુણેહિં પાવઇ, ન તં ધરણિધરવઇ ॥ ૧૭ ॥ ખિજ્જિઅયં
અર્થ :- સૌમ્યગુણ વડે નવીન શરદઋતુનો ચંદ્ર તે (અજિતનાથ)ને પામી ન શકે, તેજ ગુણવડે નવીન શરદઋતુનો સૂર્ય તેને પહોંચે નહિ, રૂપ ગુણવડે ઇંદ્ર તેને પહોંચે નહિં અને સ્વૈર્ય ગુણવડે મેરૂપર્વત તેને પહોંચે નહિં અર્થાત્ તેની સમાન થઈ શકે નહિ. ૧૭.
તિસ્થવર-પવત્તયં તમરય-રહિયં, ધીરજણથુઅચ્ચિઅં ચુઅ-કલિકલુસં ॥ સંતિસુહપ્પવત્તયં, તિગરણ-પયઓ, સંતિમહં મહા-મુર્ણિ સરણમુવણમે ।।૧૮। લલિઅયં
અર્થ :- શ્રેષ્ઠ તીર્થ (ચતુર્વિધ સંઘ)ના પ્રવર્તક, અજ્ઞાન અને કર્મ (બાંધેલા અને નવા બંધાતા) રજથી રહિત (અથવા તમો અને રજોગુણથી રહિત), પંડિત પુરુષોવડે વાણીથી સ્તુતિ કરાયેલ અને પુષ્પાદિવડે પુજાયેલ, ગયા છે વૈર (કલહ) અને મલીનતા
૧. તિત્યયર એવો પાઠ પણ છે ત્યાં તીર્થતર એટલે પ્રકૃષ્ટ તીર્થ એવો થાય છે. અથવા શાન્તિસુખપ્રવૃત્તદં શાન્તિ સુખને માટે પ્રવર્તનાર (સંયમો)ને પાલન કરનારા એવો પણ અર્થ થાય છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૬ જેનાં એવા, મોક્ષસુખના પ્રવર્તક અને મહાજ્ઞાની (સર્વશ) શાન્તિનાથને, મન, વચન, કાયાએ કરી સાવધાન થયો છતો હું શરણે જાઉં છું. ૧૮.
શ્રી અજિતજિન સ્તુતિ વિણઓણય-સિરરઇ-અંજલિ-રિસિગણ-સંધુએ 'થિમિએ, વિબુહાહિવધણવઈ-નરવઈ-યુઅ-મહિ-અશ્ચિ બહસો | અઈ-સગય-સરયદિવાયરસમહિઅ-સપ્ટભં તવસા, ગયણ-ગણવિયરણ-સમુઈઅ-ચારણ-વંદિઅં સિરસા // ૧૯. કિસલયમાલા //
અસુર-ગલ-પરિવંદિઅં, કિન્નરોગનમંસિઅા દેવકોડિસય-સંધુએ, સમણસંઘ-પરિવંદિi | ૨૦ || સુમુહં. અભયં અણહં, પઅરયંઅરુયં અજિએ, ૧. મનના શુભ-અશુભ વિકલ્પરહિત હોવાથી તરંગ વિનાના સમુદ્ર
જેવા નિશ્ચલ. ૨. વિબુધ એટલે પંડિત-સારા કવિ તેના અધિપ એવો અર્થ પણ થાય છે. ૩. જઘન્ય પણ એક ક્રોડ દેવતા ભગવંતની સેવામાં હોય છે. ૪. પાશયતિ મલિનયતિ તત્ પાપમુ આત્માને મલિન કરે તે પાપ. ૫. અરજે કર્મરજરહિત એવો અર્થ પણ થાય છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૯૭ અજિએ, પયઓ પણમે ૨૧ // વિજુવિલસિએ (ત્રિભિર્વિશેષકમ)
અર્થ - વિનયવડે નમેલા મસ્તકને વિષે જોડી છે અંજલી જેમણે એવા, ઋષિ સમુદાય વડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલા નિશ્ચળ ઈન્દ્ર, કુબેર (ઉપલક્ષથી ચારે લોકપાલ) અને ચક્રવર્તિ આદિ વડે ઘણીવાર વચનવડે સ્તુતિ કરાયેલા, પ્રામાદિવડે નમન કરાયેલા અને પુષ્પાદિવડે પૂજાયેલા, તપવડે તત્કાળ ઉદય પામેલા શરદઋતુના સૂર્ય કરતાં અત્યંત અધિક શોભનિક કાન્તિવાળા આકાશને વિષે વિચારવા વડે એકઠા થયેલા ચારણ મુનિઓ (જંઘાચારણ અને વિદ્યાચારણ') વડે. મસ્તકે કરીને વંદાયેલા, અસુરકુમાર, સુવર્ણકુમાર વગેરે ભવનવાસી દેવોવડે સમસ્ત પ્રકારે વંદાયેલા, કિન્નર અને મહોરગ વ્યંતર દેવોવડે નમસ્કાર કરાયેલા, સેંકડો કોટી વૈમાનિક દેવોવડે સ્તુતિ કરાયેલા શ્રમણ સંઘ (અથવા સાધુ સમુદાય) વડે સમસ્ત પ્રકારે વંદાયેલા, ભયરહિત, પાપરહિત, આસક્તિ (વિષયવાસના) રહિત, રોગરહિત અને અજિત (બાહ્ય અને અત્યંતર શત્રુવડે નહીં જીતાયેલા) એવા શ્રી અજિતનાથને આદરવડે પ્રણામ કરું છું. ૧૯-૨૦-૨૧.
શબ્દાર્થ આગયા - આવેલા. | રહતુરય - રથ અને અશ્વના. વરવિભાણ - શ્રેષ્ઠ વિમાન. | પહકરસએહિ સમૂહના સેંકડો દિવ્યકણગ - મનોહર સુવર્ણમય. |
વડે કરી. ૧. ચારણમુનિ મુખ્ય બે પ્રકારના છે-જંઘાચારણ અને વિદ્યાચારણ. એ સિવાય બીજા અનેક પ્રકારના ચારણમુનિઓ જ્યોતિરમી ચારણ વગેરે શ્રી પ્રવચનસારોદ્ધારાદિમાં બતાવેલા છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૮ હુલિએ - શીઘ.
ભત્તિવસાગય - ભક્તિને લીધે સસંભમોઅરણ - ઉતાવળે
આવેલા (અને) આકાશથી ઉતરવા વડે. | ગાયસમોણય- શરીરવડે નમેલા. ખુશિઅલુલિઅ - યુભિતચિત્તવાળા પંજલિપેસિય- અંજલી વડે કર્યો છે.
છતે ડોલતા. | સીસપણામા - મસ્તકવડે પ્રણામ. ચલકુંડલ - ચંચળ કુંડલ. | | વંદિઊણ - વાંદીને. અંગયતિરીડ-બાજુબંધ અને મુકુટ. | થોઊણ-સ્તુતિ કરીને. સોહંતમઉલિમાલા - શોભતી છે ! તો - પછી. મસ્તકની માળા જેમની એવા. | તિગુણમેવ - ત્રણ વખતજ. જે - જે ભગવંતને.
પુણો - ફરીથી. સુરસંઘા - દેવસમુદાયો. | પાહિણે - પ્રદક્ષિણા કરીને. સાસુરસંઘા-અસુરના સમુદાય સહિત. | પણમિmણ - પ્રણામ કરીને. વેરવિઉત્તા - વૈર રહિત. સુરાસુરા - સુરો અને અસુરો. ભત્તિસુજુત્તા - ભક્તિવડે સહિત. પમાંઆ - આનંદિત થયેલા. આયરભૂસિય - આદરવડે શોભિત. | સભવપાઈ-પોતાના ભવનો પ્રત્યે. સંભમપિંડિઅ - ઉતાવળે એકત્ર ગયા - જતા હવા.
થયેલા. તે - તે. સુધુસુવિન્ડિય - અતિશય | મહામુણિ - મહામુનિઓને.
વિસ્મિત થયેલ છે. | અહંપિ - હું પણ. સવબલોધા - સર્વ જાતના સૈન્યના | પંજલી -અંજલી કરી છે જેણે એવો.
સમૂહ જેમના એવા. રાગદોષ - રાગ-દ્વેષ. ઉત્તમકંચણરયણ - શ્રેષ્ઠ સુવર્ણ | ભયમોઢવર્જિઅ - ભય અને અને રત્નવડે.
મોહથી રહિત. ભાસુરભૂસણ - દેદીપ્યમાન | દેવદાણવ - દેવ દાનવ (અને).
આભૂષણ વડે. | નરિંદવંદિએ રાજાઓ વડે વંદાયેલા. ભાસુરિઅંગા - શોભાયમાન છે | સંતિ - શાન્તિનાથને.
અંગો જેમનાં એવા. | ઉત્તમ - ઉત્તમ.
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૯૯ મહાતવં - વિશાળ તપવાળા. | રયણમાલા - રત્નમાલા છંદ. નમે - નમસ્કાર કરું છું. ખિત્તયં - ક્ષિપ્તક છંદ.
આગયાવરવિભાણ-દિવ્યંકણગ-રહતુરયપહકર એહિં હુલિએ સસંભમોઅરણશિઅ-લુલિય-ચલ-કુંડલંગય-તિરીડસોહં તમઉલિમાલા | ૨૨ / વેતૃઓ..
જં સુરસંઘા સાસુરસંઘા વેરવિઉત્તા ભત્તિસુજુત્તા, આયર-ભૂસિય સંભમપિંડિઅસુદ્યુસુવિપ્ટિય-સવબલોઘા // ઉત્તમ કિંચણ-રણ-પરુવિયભાસુર-ભૂસણભાસુરિ-અંગા, ગાય-સમોણય-ભક્તિવસાગય-પંજલિ-પેસિય-સીપણામાં || ૨૩ | | રયણમાલા છે.
વંદિઊણ થોઊણ તો જિર્ણ, તિગુણમેવ ય પુણો પાહિણે II પણમિઊણ ય જિર્ણ સુરાસુરા, પપુઆ સવિણાઈ તો ગયા // ૨૪. ખિત્તયં .
૧. પ્રદક્ષિણા કરાયેલ છે જેને – પ્રદક્ષિણા કરાયેલ એવા ભગવંત એ પ્રકારે ભગવંતનું વિશેષણ લેવાથી અર્થ થાય છે. અહિં કૃત્વા અધ્યાહાર છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
૩૦૦
તં મહામુણિમહંપિ પંજલી, રાગદોસભય-મોહવજ્જિયં | દેવદાણવ-નરિંદવંદિઅં, સંતિ-મુત્તમં મહાતવું નમે ॥ ૨૫ ॥ ખિત્તયં
:
અર્થ :- શ્રેષ્ઠ, વિમાન, મનોહર સુવર્ણમય રથ અને અશ્વના સેંકડો સમૂહવડે કરી શીઘ્ર આવેલા, ઉતાવળે આકાશ થકી ઉતરવાવડે ક્ષુભિત ચિત્તવાળા છતે ડોલતા, ચંચળ કુંડળ, બાજુબંધ અને મુકુટ તથા શોભતી છે મસ્તકની માળા જેમની એવા; વળી અસુરના સમૂહે કરી સહિત, વૈરરહિત, ભક્તિએ કરી સહિત (અથવા મસ્તિસંયુત્તા ભક્તિને વિષે સારી રીતે પ્રેરાયેલા) આદર વડે શોભિત, ઉતાવળે એકત્ર થયેલ અને અતિશય વિસ્મિત થયેલ છે સર્વ જાતનાં કટ (સૈન્ય) સમૂહ જેમનાં એવા, શ્રેષ્ઠ સુવર્ણ અને રત્નવડે વિશેષ રૂપયુક્ત કરેલા દેદીપ્યમાન આભૂષણો વડે શોભાયમાન છે અંગો જેમનાં એવા, શરીરવડે નમેલા, ભક્તિને લીધે આવેલા અને અંજલી પૂર્વક કર્યો છે મસ્તકવડે પ્રણામ જેણે એવા દેવસમુદાયે; જે ભગવંતને વાંદીને (નમન કરીને) અને તે વાર પછી વાણીવડે સ્તુતિ કરીને ત્યારપછી ત્રણ વાર પ્રદક્ષિણા કરીને ફરીને જિનને પ્રણામ કરીને દેવ-દાનવ આનંદિત થયા થકા ત્યાંથી પોતાના ભવન પ્રત્યે પાછા ગયા; મહામુનિઓ છે શિષ્ય જેમના એવા, રાગ, દ્વેષ, ભય અને મોહથી રહિત, દેવ, દાનવ અને રાજાઓ વડે વંદાયેલા, શ્રેષ્ઠ અને વિશાળ તપવાળા એવા તે શાન્તિનાથને; અંજલી કરી છે જેણે એવો હું નમસ્કાર કરું છું. ૨૨-૨૩-૨૪-૨૫.
Page #304
--------------------------------------------------------------------------
________________
૩૦૧
શબ્દાર્થ અંબરંતર - આકાશના અંતરાલે. | રઇકર - પ્રીતિ કરનારું. વિઆરણિઆહિ - વિચરનારી. | ચઉરમણીહર - ચતુર જનના લલિઅહંસવહુ- મનોહરસીની પેઠે. | મનને હરણ કરનારું. (અને) ગામિણિઆહિ- ગમન કરનારી. | સુંદર દંતણિઆહિં - સુંદર છે પણ સોણિથણ - પુષ્ટ કટીતટ અને
દર્શન જેનું એવી. સ્તનવડે. દેવસુંદરીહિ - દેવાંગનાઓ વડે. સાલણિઆહિ - શોભતી. | પાયવંદિઆહિ-પગમાં વંદન કરતી. સકલકમલદલ ખીલેલા કમળનાં | વંદિઆ - વંદાયેલા.
પાંદડાં જેવાં. | જલ્સ - જે ભગવંતના. લોઅણિઆહિં - નેત્રવાળી. તે - તે બે. પીણનિરંતર - મોટા અને ગાઢ | સુવિક્રમા - રૂડી ગતિ વાળા.
(અંતર રહિત). કમા - ચરણો. થણભર - સ્તનના ભારવડે. અપ્પણો - પોતાના. વિણમિઅ - વિશેષ નમેલાં છે. | નિડાલએહિ - લલાટ વડે. ગાયલઆહિ- ગાત્ર જેનાં એવી. | મંડણોણ - આભૂષણની રચનાના. મણિકંચણ -મણિ અને સુવર્ણની. | પ્પગારએહિ – પ્રકાર વડે. પસિઢિલ - વિશેષે શિથિલ. કેહિ - કેવા પ્રકારો) વડે. મેહલસોહિએ - મેખલા વડે | અવંગતિલય - અપાંગ, તિલક.
શોભાયમાન છે. પત્તલેહનામએહિ-પત્રલેખ નામના. સોણિતડાહિ- કટીપ્રદેશ જેનો એવી. | ચિલ્લએહિ - દેદીપ્યમાન. વરબિંખિણીનેઉર - શ્રેષ્ઠ ઘુઘરીઓ, સંગય - મળ્યો છે.
ઝાંઝર. અંગયાહિ - અંગો જેનાં એવી. સતિલયવલય - સુંદર તિલક | ભત્તિસન્નિવિટ્ટ - ભક્તિવડે વ્યાપ્ત.
અને કંકણવડે. | વંદણ - વંદન કરવાને. વિભસણિઆહિ-વિશેષે શોભિત | આગમાહિં - આવેલી.
એવી. | હુતિ - છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ત - તેને.
ધુય - ટાળ્યાં છે. અહં - હું.
સવકિલેસં - સર્વદુઃખો જેણે એવા. જિણચંદ - જિનચંદ્રને. પયઓ - આદર વડે. અજિસં - અજિતનાથને. પણમામિ - પ્રણામ કરું છું. જિઅમોહં - જીત્યો છે મોહ જેણે | દીવયં દીપક છંદ.
એવા. | ચિત્તખરા - ચિત્રાક્ષર છંદ.
શ્રીઅજિતજિન સ્તુતિ અંબરંતર-વિઆરણિઆહિ, લલિઅહિંસવહુ-ગામિણિઆહિં પણ સોણિથણસાલિણિઆહિ, સકલ-કમલદલ-લોઅણિઆહિં . ર૬ | દીવયં
પીણ-નિરંતર-થણભર-વિણમિઅગાયલઆહિ, મણિકંચણપસિઢિલમેહલ-સોહિએ-સોણિતડાહિં . વરદ્ધિખિણિ નેઉર-સતિલય-વલય-વિભૂસણિ
આહિં, રઇકર-ચઉર મોહર-સુંદર દિસણિઆહિં . ૨૭. ચિત્તકૂખરા .
૧. પ્રીણ કામીજનને ખુશી કરે એવા. ર વ્યવધાન (અંતર) રહિત. ૩ નાજુક અને કોમળ શરીર હોવાથી નમી ગયેલાં.
૪, મનોહર મનને અન્યત્ર ગમનનો નિષેધ કરવાથી મનને અટકાવનાર એવો અર્થ થાય છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
૩૦૩ દેવસુંદરીહિપાયવંદિઆહિં વંદિઆય જસ્ટ તે સુવિક્રમા કમા, અપ્પણ નિડાલએહિ મંડણોણપગારએહિ, કેહિં કેહિ વિા અવંગતિલય પત્તલેહનામએપ્તિ ચિલ્લએહિં સંગઠં-ગાહિં, ભત્તિસન્નિવિટ્ટવંદણાગમાહિ હુતિ તે વંદિઆ પુણો પુણો || ૨૮નારાયઓ ||
તમહં જિણચંદે, અજિઅંજિઅમોહં . ધુયસવકિલેસ, પયઓ પણમામિા ૨૯ I નંદિઅયો (ચતુર્ભિઃ કલાપકમ્)
અર્થ - આકાશના અંતરાલે વિચરનારી, મનોહર હંસીની પેઠે ગમન કરનારી, પુષ્ટ કટીપ્રદેશ અને સ્તનવડે શોભાયમાન, સંપૂર્ણ (ખીલેલા) કમળના પત્ર જેવાં લોચન (નેત્રોવાળી મ્હોટા અને ગાઢ સ્તનના ભારવડે વિશેષે નમેલાં છે ગાત્ર (શરીર) જેનાં એવી; મણિ અને સુવર્ણની બનાવેલ વિશેષે શિથિલ (ઢીલી) મેખલા (કંદોરા) વડે શોભાયમાન છે કટીપ્રદેશ જેનો એવી, શ્રેષ્ઠ ઘુઘરીઓ, ઝાંઝર, સુંદર તિલક અને કંકણ (વલયવડે) વિશેષે સુશોભિત એવી પ્રીતિ કરનારું, ચતુરજનના મનને હરણ કરનારું અને સુંદર છે દર્શન (દેખાવ-રૂ૫) જેનું એવી; અલંકારો અથવા શરીરના કિરણોનો સમૂહ છે જેને એવી, આભૂષણની રચનાના પ્રકારો વડે તે વળી કેવા કેવા પ્રકાર વડે ? દેદીપ્યમાન
Page #307
--------------------------------------------------------------------------
________________
૩૦૪ અપાંગ (નેત્રને વિષે અંજનની રચના), તિલક અને પત્રલેખ (કસ્તુરી વગેરેની કપોળ સ્થળ ઉપર કરેલી પત્રલેખા) નામ છે જેનાં એવા મળેલાં છે અંગો જેનાં એવી, ભક્તિ વડે વ્યાપ્ત એવું વંદન કરવાને આવેલી એવી દેવાંગનાઓ વડે, પોતાના લલાટે કરીને જે ભગવંતનાં રૂડી ગતિ (ચાલ)વાળા (અથવા રૂડા પરાક્રમવાળા) તે બે ચરણો વંદાયેલ છે અને વળી ફરીથી વંદાયેલ છે; જીત્યો છે મોહ (મોહનીય કર્મ) જેણે એવા અને ટાળ્યાં છે સર્વ પ્રકારનાં દુઃખો અને કષાય જેણે એવા તે અજિતનાથ જિનચંદ્રને આદર સહિત હું નમસ્કાર કરું છું. ૨૬-૨૭-૨૮-૨૯.
શબ્દાર્થ થુઆ - સ્તુતિ કરાયેલા (અને). | બહુઆહિ - બહુ. વંદિઅયસ્સા - વંદન કરાયેલા. ! સુરવર - દેવોની સાથે શ્રેષ્ઠ. રિસિગણ -ઋષિસમુદાય (અને). રઘુગુણ - ક્રીડારૂપ ગુણને વિષે. દેવગણેહિ - દેવસમૂહ વડે. પંડિઅયાહિ - પંડિતા, ડાહી. તો - તે પછી.
વંસસ૬ - વેણુધ્વનિ. દેવવહિં - દેવીઓ વડે. | તંતિતાલમેલિએ - વીણા અને પયઓ - સાવધાનપણે.
પટાદિ મળે છતે. પણમિઅસ્સા -પ્રણામ કરાયેલા. 1 તિઉફખર - ત્રિપુષ્કર નામના જસ્મ-મોક્ષ આપવાને શક્તિવાન.
વાજિત્રના. જગુત્તમ - જગતને વિષે ઉત્તમ. | અભિરામ - મનોહર. સાસણઅસ્સા- શાસન છે જેમનું એવા. | સદમી એકએ- શબ્દ વડે મિશ્રિત ભત્તિવસાગય - ભક્તિને વિશે
કર્યો છતે. આવવાથી. | સુઇસમાણસેઅ - સાંભળવાનું પિંડિઅયાહિ - એકત્ર થયેલા.
સમાનપણું કર્યું છતે. દેવવરચ્છરસા - નર્તકવાદ શ્રેષ્ઠ | સુદ્ધ - શુદ્ધ ઉચ્ચારવાળું. દેવ અને નૃત્ય કુશળ દેવાંગનાઓ | સજ્જગીય - અધિક ગુણવાળા વડે યુક્ત. |
ગીતવડે સહિત.
Page #308
--------------------------------------------------------------------------
________________
ili in
૩૦૫ પાયજાલ - પગને વિષે જાળના | જૂઅજવમંડિઆ - ધૂપ અને આકારવાળી.
જવવડે સુશોભિત. ઘંટિઆહિ- ઘુઘરીઓ વડે ઉપલક્ષિત | ઝયવર - શ્રેષ્ઠ ધ્વજ,
છતે. મગરત્રય-મગર, અશ્વ (અને). વલપમેહલા - બલૈયાં, કંદોરો. | સિરિવચ્છસુલંકણા - શ્રીવત્સ એવાં કલાવનેઉર- કલાપ અને ઝાંઝરના. | શોભાયમાન છે લાંછન જેમને એવા. અભિરામસદ - મનોહર શબ્દ વડે. દીવસમુદ્રમંદર - દ્વીપ, સમુદ્ર મેરૂ મીસએએ - મિશ્રિત કર્યો છતે.
પર્વત (અને). દેવનટ્ટિઆહિ- દેવનર્તકીઓ વડે.
| દિસાગ સોહિયા - દિગ્ગજ વડે હાવભાવવિર્ભમ - હાવભાવ
સુશોભિત. અને વિલાસના.
સસ્થિઅવસહ-સ્વસ્તિક, વૃષભ. પગારએહિં - પ્રકારવાળા.
સીહરહ - સિંહ, રથ (અને). નશ્ચિઊણ - નૃત્ય કરીને.
ચક્રવરંકિયા - ચક્રવડે શ્રેષ્ઠ રીતે
ચિહ્નિત. અંગહારએપ્તિ-અંગના વિક્ષેપ કરીને.
સાવલડ્યા - સ્વભાવે કરીને વંદિઆ - વંદાયેલા.
શોભાયમાન. જસ્સ - જે (ભગવાન)નાં.
| સમપઈટ્ટા- સરખી ભૂમિને વિષે તયં - તે (શાન્તિનાથ).
રહેલાં. તિલોયસવ્વસા - ત્રણ ભુવનના | અદોસટ્ટા- દોષ વડે અદુર. | સર્વ પ્રાણીઓને.
| ગુણેહિ ગુણો વડે. સંતિકારયં - શાન્તિના કરનારા. | જિટ્ટા - જયેષ્ઠ, મોટા. વસંત - વિશેષે શાન્ત થયા છે.
પસાયસિટ્ટા-નિર્મળતા વડે શ્રેષ્ઠ. સવ્વપાવદોસં - સર્વ પાપ અને
તવેણ - તપ વડે. દોષ જેના એવા. | પુટ્ટા - પુષ્ટ. એસ - આ.
સિરીહિ - લક્ષ્મીદેવી વડે. અહં - હું.
ઈટ્ટા - પૂજિત. છત્તચામરપડાગ - છત્ર, ચામર, રિસીહિ-મુનિઓ વડે.
પતાકા. | જુટ્ટા - સેવાયેલા. ૨૦
:
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પાયયા - પૂજય.
તવેણ - તપ વડે. યસવ્વપાવયા - ટાળ્યાં છે સર્વ પાપ જેમણે એવા.
|
હુંતુ - થાઓ ! સિવસુહાણ - મોક્ષસુખના.
સવ્વલોઅ - સર્વ લોકના.
દાયયા - આપનાર.
હિઅમૂલપાવયા - હિતના મૂળને
|
પ્રાપ્ત કરાવનાર.
ભાસુરયં - ભાસુરક છંદ. વાણવાસિયા - વાનવાસિકા છંદ. અપરાંતિકા - અપરાંતિકા છંદ.
સંથુઆ - સ્તુતિ કરાયેલા. થુઅ-વંદિઅયસ્સા રિસિગણ-દેવગણેહિં, તો દેવવહૂહિ પયઓ પણ મિઅસ્સા, જસ્સ જગુત્તમસાસણઅસ્સા, ભત્તિવસા ગય-પિંડિઅયાહિં || દેવવરચ્છરસા બહુઆહિં, સુરવર-૨ઇગુણ-પંડિઅયાહિ ॥ ૩૦ | ભાસુરયં વંસસદ-તંતિ-તાલ-મેલિએ TMતિઉલ્ખરા
૧. નર્મસિયસ્સા (નમંસ્થિતસ્ય) ઇતિ પાઠાન્તરં ભગવંત સમીપે પ્રથમ ગણધર નમસ્કાર કરે, ત્યારબાદ દેવો અને પછી દેવીઓ નમસ્કાર કરે, તે ક્રમ અહીં દર્શાવ્યો છે.
|
૨. જસૂચ મોક્ષણે જસૂ ધાતુ મોક્ષ ક૨વાના અર્થમાં છે. તેથી જાસ્ય એટલે મોક્ષ પ્રાપ્ત કરવાને શક્તિવાન.
૩. શ્રેષ્ઠ દેવોને પ્રીતિ જે થકી થાય એવા (સંગીત કુશળતા વગેરે) ગુણોને વિષે પંડિતા-વિદુષી એવી દેવનર્તકી એવો અર્થ પણ થાય છે. ૪. એક મુખવાળા અને બે મુખવાળા વાજિંત્ર મળીને ત્રણ મુખવાળું વાજીંત્ર તે ત્રિપુષ્કર.
Page #310
--------------------------------------------------------------------------
________________
૩૦૭
ભિરામ-સદ્દમીસએ કએ અ, સુઇસમાણ-ણેઅ- 1સુદ્ધ-સજ્જ ગીય-પાયજાલ-ઘંટિયાહિં, વલય- મેહલા-કલાવ ને ઉરાભિરામ-સદ્દમીસએ કએ અ દેવનટ્ટિઆહિં હાવ મપ્પગાર એહિં, નચ્ચિઊણ ‘અંગહારએહિં વંદિઆ ય જસ્સ તે સુવિક્કમા કમા, તયં તિલોય-સવ્વસત્તસંતિકારયું, પસંતસવ્વ-પાવ-દોસમેસહં નમામિ સંતિ-મુત્તમં જિર્ણ ॥ ૩૧ || નારાયઓ I
ભાવ-વિષ્મ
અર્થ :- ઋષિ સમુદાય અને દેવસમુદાય વડે સ્તુતિ કરાયેલા
૧. અનુનાસિકાદિ દોષરહિત શુદ્ધ ઉચ્ચારવાળું.
૨. ષડ્જ મયૂર, શંખ આદિના શબ્દો વડે (સદ્) સારું અથવા સઘઃ તત્કાળ ગાયેલું. એવો અર્થ થાય છે.
૩ નૃત્યકળામાં કુશળ એવી દેવાંગનાઓ.
૪. મુખની ચેષ્ટાદિ બહુ કામવિકારનો અભિપ્રાય.
૫. ચિત્તમાં રહેલ અલ્પ કામવિકારનો અભિપ્રાય.
૬. વાણી, વસ્ર અને ભૂષણ વગેરેનું ભ્રમથી સ્થાન બદલાવું અથવા વિલાસ. ૭. નેત્ર, મુખ વગેરેના વિકારી ફેરફાર.
૮. હાથ, આંગળી પ્રમુખ અંગના-અભિનય વડે.
૯. શોભિત પંડિત જનોનો આચાર જેમને સમીપે છે એવા. એવો અર્થ પણ થાય છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૮ અને વંદન કરાયેલા. તે પછી દેવીઓ વડે સાવધાનપણે પ્રણામ કરાયેલા અને મોક્ષ આપવાને શક્તિમાન હોવાથી જગતને વિષે ઉત્તમ છે શાસન (આશા) જેમનું એવા જે ભગવંત તેમનાં રૂડા પરાક્રમવાળાં તે બે ચરણકમળો ભક્તિના વિશે આવવાથી એકત્ર થયેલી, ઘણા નર્તકવાદ શ્રેષ્ઠ દેવ અને નૃત્યકુશળ દેવાંગનાઓ વડે યુક્ત તથા દેવોની સાથે શ્રેષ્ઠરતિક્રીડારૂપ ગુણને વિષે પંડિતા (ડાહી) એવી વિનર્તકીઓવડે વેણુધ્વનિ (વાંસળીનો નાદ) વીણા અને ચપટી, પટાદિ તાલ (અથવા કાંતિ, કરતાલ વગેરેના તાલ) મળે છતે ત્રિપુષ્કરનામા વાજિંત્રના મનોહર શબ્દવડે મિશ્રિત કર્યો છતે, સાંભળવાનું સમાનપણું કર્યું છતે (સર્વ શબ્દ સાંભળવામાં કાનનું સાવધાનપણું-એકાગ્રતા), શુદ્ધ તથા અધિક ગુણવાળા ગીત વડે સહિત એવી પગને વિષે જાળના આકારવાળી ઘુઘરીઓ વડે ઉપલક્ષિત છત, વલય (બલૈયાં), કંદોરો, કલાપ (એક જાતનું આભરણ) અને ઝાંઝરના મનોહર શબ્દવડે મિશ્રિત કર્યો છd, હાવભાવ અને વિકાસના પ્રકારવાળા અંગના વિક્ષેપ કરીને નૃત્ય કરીને વંદાયેલા છે જે, તે ત્રણ ભુવનના સર્વપ્રાણીઓને શાન્તિના કરનાર (અથવા મોક્ષને આપનાર) અને વિશેષે શાન્ત થયાં છે સર્વ પાપ (અશુભ કર્મ) તથા દોષ (રાગ, દ્વેષ, મોહ વગેરે) જેમનાં (અથવા જેથી) એવા ઉત્તમ શાન્તિનાથ જિનને આ પ્રત્યક્ષ એવો હું નમસ્કાર કરું છું. ૩૦-૩૧.
શ્રી અજિતનાથ અને શાન્તિનાથની સ્તુતિ છત્ત-ચામર-પડાગ જુઅર જવમંડિઆ, 3ઝય-વરમગ૨-૨ય-સિરિ વચ્છ
૧. નાની ધ્વજા. ૨. યજ્ઞસ્થંભ ૩. સિંહાદિના ચિત્રવાળો મોટો ધ્વજ.
૪. ઉત્તમ પુરુષના વક્ષ:સ્થળ (છાતી)માં આ લક્ષણ હોય છે કોઈને પગમાં પણ હોવાનો સંભવ છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૩૦૯
સુલંછણા ।। દીવ-સમુદ્દ મંદર-દિસા ગય-સોહિઆ, સત્ચિ અ વસહસીહ -રહચક્કવરકિયા ॥ ૩૨ ॥ લલિઅયં ॥
સહાવલઠ્ઠા સમપ્પઇટ્ટા, અદોસદુટ્ટા ગુણેહિં જિટ્ટા પસાયસિટ્ટા તવેણ પુટ્ટા, સિરીહિં ઇટ્ટા રિસીહિં જુટ્ટા II ૩૩ II વાણવાસિઆ
તે તવેણ અ-સવ્વપાવયા, સવ્વલોઅ હિઅ-મૂલ-પાવયા ॥ ૧૧સંથુઆ, અજિઅસંતિ-પાયયા, હુંતુ મે સિવસુહાણ ૧રદાયયા ॥ ૩૪ ॥ અપરાંતિકા. (ત્રિભિર્વિશેષકમ્).
૫. જંબુદ્વીપ વગેરે દ્વીપ અને લવણસમુદ્ર વગેરે સમુદ્ર જાણવા. ૬. મંદિર એવો પાઠ હોય ત્યાં “પ્રાસાદ' એવો અર્થ કરવો,
૭. મેરૂપર્વતની આસપાસ ચારે દિશાએ હસ્તિના આકારના કરિકૂટો ભદ્રશાળ વનમાં છે તે
૮. અસમપ્રતિષ્ઠા : નિરુપમ છે પ્રતિષ્ઠા (ખ્યાતિ) જેમની એવા. ૯. રતાશ તથા કોમળતા અદિ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો. ૧૦. પ્રસાતશિષ્ટાઃ એટલે ઉત્કૃષ્ટ સુખવાળા શ્રેષ્ઠ પુરુષો છે જેમની સમીપે એવા.
૧૧. શંસ્તુતાઃ સુખના કારણભૂત સ્તવન કર્યું છે જેમનું એવા. ૧૨. શિવસુખના દાતાર એવા અજિતનાથ અને શાન્તિનાથ પૂજય મને સ્તુતિ કરાયેલા થાઓ. અર્થાત્ તેમનું નિત્ય દર્શન થાઓ એમ પણ અર્થ લઈ શકાય.
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૧૦
અર્થ:- છત્ર, ચામર, પતાકા, યૂપ અને જવ (લક્ષણો) વડે સુશોભિત શ્રેષ્ઠ ધ્વજ, મગર, અશ્વ અને શ્રીવત્સ એવાં શોભાયમાન છે લાંછનો જેમને એવા, દ્વિીપ સમુદ્ર મેરુ પર્વત અને દિગ્ગજકૂટવડે સુશોભિત, સ્વસ્તિક (સાથિયો), વૃષભ, સિંહ, રથ અને ચક્રવડે શ્રેષ્ઠ રીતે ચિતિત (લક્ષણવાળા); સ્વભાવે (હેજે) કરીને શોભાયમાન. સરખી રીતે ભૂમિ ઉપર પ્રતિષ્ઠિત, રાગાદિ દોષવડે વિકાર નહી પામેલા, ગુણો વડે મોટા, નિર્મળતા (રાગાદિ દોષનો નાશ) વડે શ્રેષ્ઠ, તપવડે પુષ્ટ (યુક્ત), લક્ષ્મીદેવી વડે પૂજાયેલા અને મુનિઓ વડે સેવાયેલા, તપવડે ટાળ્યાં છે સર્વ પાપ (શુભાશુભ કર્મ) જેમણે એવા, સર્વ લોકના હિત (મોક્ષ)ના મૂળ (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ને પ્રાપ્ત કરાવનારા, રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલા તે અજિતનાથ અને શાન્તિનાથ પૂજ્યો મને મોક્ષસુખ આપનારા થાઓ. ૩૨-૩૩-૩૪.
શબ્દાર્થ એવં - એ પ્રકારે.
ગઈ - ગતિને. તવબલવિલિ - તપ સામર્થ્ય વડે | ગયું - પ્રાપ્ત થયેલું.
( વિશાળ. | સાસય - શાશ્વતી. યુએ - સ્તવ્યું.
વિલિ - વિસ્તીર્ણ. મએ - મેં.
બહુગુણuસાયં - બહુ ગુણના અજિઅસંતિજિણ - અજિતનાથ
પ્રસાદવાળું. અને શાન્તિનાથ જિનનું. | મુખસુહેણ - મોક્ષસુખવડે. જુઅલ - યુગલજોડી. | પરમેણ - ઉત્કૃષ્ટ, વવગય - ગયાં છે.
અવિસાયં - વિષાદ રહિત. કમ્મરયમલ - કર્મરૂપ રજ અને | નાસેઉ - નાશ કરો.
મલ જેના એવું. | વિસાયં - વિકલતાને.
Page #314
--------------------------------------------------------------------------
________________
ન હુ - ન જ.
૩૧૧ કુણઉ - કરો.
અજિઅસંતિશય અજિતશાન્તિસ્તવ. પરિસાવિ અને સભા પણ. પસાયં - અનુગ્રહ, મહેરબાની. હુતિ - થાય. ત - તે.
રોગા - રોગો. મોએઉ - હર્ષને આપો. પુÖપન્ના - પૂર્વે થયેલા. નંદિ - સમૃદ્ધિને.
વિ - પણ. પાવે - પ્રાપ્ત કરાવો. | નાસંતિ - નાશ પામે છે. નંદિસેણે નંદિષેણ મુનિને.
જઇ - જો, અભિનંદિ - સમસ્ત પ્રકારે આનંદ. | ઇચ્છહ - ઈચ્છો છો. પરિસાવિ - સભાને પણ.
પરમપN - મોક્ષ પદ. સુહનંદિ - સુખસમૃદ્ધિ.
અહવા - અથવા. દિસઉ - આપો.
કિતિ- કીર્તિને. સંજમેનંદિ-ચારિત્રને વિષે આનંદ.
સુવિત્યાં સારી રીતે વિસ્તાર પામેલી. પકિનઅ-પકિન પ્રતિક્રમણને વિષે.
ભુવણે - ત્રણ ભુવનમાં. ચાઉમ્માસિઅ - ચોમાસી
તા - તો. પ્રતિક્રમણને વિષે. સંવચ્છરિએ - સંવર્ચ્યુરી
તેલુ% - ત્રણ લોકનો.
ઉદ્ધરણે - ઉદ્ધાર કરનાર. પ્રતિક્રમણને વિષે. અવસ્ય - અવશ્ય.
જિણવયણે - જિનેશ્વરના વચનમાં. ભણિયલ્વો - ભણવું.
આયર - આદર. સોઅવ્વો - સાંભળવું.
કુણહ - કરો. સબેહિ - સર્વેએ.
વવગય - નાશ પામ્યા છે. ઉવસગનિવારણો - વિપ્ન
કલિકલુસાણ - ફલેશ અને નિવારણ કરનાર.
મલીનતા જેનાં એવા. એસો -એ (છે).
નિકંત - નિર્મૂળપણે. પઢઈ - ભણે છે.
રાગદોસાણં- રાગદ્વેષ જેમના એવા. નિસુણઈ - સાંભળે છે. પુણલ્મવાણું-પુનર્જન્મજેમના એવા. ઉભાઓ - બન્ને.
નમોહ્યુ - નમસ્કાર હો. કાલંપિ - વખતે.
છે તે - તે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૧૨ દેવાહિદેવાણં - દેવાધિદેવને. | સંપુણ - સંપૂર્ણ પૂર્ણિમાના. પસમઈ - વિશેષે શાન્ત થયા છે. | ચંદવયણસ્સ-ચંદ્રના જેવા મુખવાળા. પુણે - પુણ્ય.
કિરણે - કીર્તન કર્યું છતે. વઠ્ઠઈ - વધે છે.
અજિઅસંતિસ્સ - અજિતનાથ નમંસમાણસ્સ - વંદન કરનારનાં. | અને શાન્તિનાથનું.
એવંતવ-બલ-વિલિ, યુએસએ અજિઅસંતિ-જિણ-જુઅલ, વવગય-કમ્પ-રયમલ, ગઈ ગયં સાસય વિકલીફપા ગાહા
અર્થ - એ પ્રકારે તપ સામર્થ્યવડે વિશાળ ગયા છે કર્મરૂપ રજ અને મલ જેમના એવું, શાશ્વતી અને વિસ્તીર્ણ (વિપુલ સુખવાળી) ગતિને પ્રાપ્ત થયેલું એવું અજિતનાથ અને શાન્તિનાથ જિનનું યુગલ (જોર્ડ) મેં સ્તવ્યું છે. ૩૫.
તં બહુગુણધ્વસાય, મુખસુહેણ પરમેણ અવિસાયં, નાસેઉ મે વિસાયં, કુણી અ પરિસાવિ અ પસાયં ૩૬ ને ગાહા
અર્થ :- જ્ઞાન-દર્શનાદિક અનેક ગુણનો પ્રસાદ છે જેને એવું (અથવા ઘણા પ્રકારની નિર્મળતાવાળું), ઉત્કૃષ્ટ મોક્ષસુખવડે વિષાદ (વિકલતા) રહિત તે યુગલ. મારા વિષાદ અથવા (વિસાત) દુઃખનો નાશ કરો, વળી સભા (આ સ્તવનને
૧. વિમલ ઇતિ પાઠાન્તરમ્. ૨. અવિસાતું ગયું છે સુખ જેનું તે વિસાત અને નવિસાત અવિસાતસુખ રહિત નહિ અર્થાત્ સુખવાળા એવો અર્થ પણ થાય છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૧૩
સાંભળનારી સભા) પણ મારા ઉપર અનુગ્રહ (કહેલ સ્તવનના ગુણનું ગ્રહણ અને દોષના ત્યાગરૂપ મહેરબાની) કરો. ૩૬.
અંત્ય મંગલાચરણ તમોએઅિ નંદિ, પાવેઉ અનંદિસેણમભિનંદિ આ પરિસાવિ અ સુહનંદિ, મમ ય દિસઉ સંજમેનંદિ ૩૭ગાહા.
અર્થ :- યુગલ ભવ્યજનોને હર્ષ કરાવો અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવો અને નંદિષણને સમસ્ત પ્રકારે આનંદ પ્રાપ્ત કરાવો. શ્રોતાજનોની સભાને પણ સુખસમૃદ્ધિ આપો તથા મને સંયમને વિષે આનંદ આપો. ૩૭.
પખિએ ચાઉમ્માસિઅ, સંવચ્છરિએ અવસ્ય ભણિઅવ્વો; સોઅવ્વો સવૅહિં, ઉવસગ્ગ નિવારણો એસો . ૩૮ .
૧. આ નંદિષેણ મુનિ શ્રેણિકના પુત્ર કે બીજા કોઈ મહર્ષિ છે તેનો બરાબર નિર્ણય થતો નથી. કેટલાક વળી એમ કહે છે કે શ્રી શત્રુંજયની ગુફામાં શ્રી અજિતનાથ અને શાન્તિનાથ વર્ષાઋતુમાં રહેલા હતા તે જગ્યાએ અનુપમ સરોવરની સમીપે અજિતનાથનું ચૈત્ય હતું અને મરુદેવી ટુંકની પાસે શાન્તિનાથનું ચૈત્ય હતું. ત્યાં શ્રી નેમિનાથજીના ગણધર નંદિષેણજીએ અજિતશાન્તિ સ્તવનની રચના કરી તેથી તે બંને ચૈત્યો પૂર્વાભિમુખ થયાં. મૂળ ગ્રંથકારે અહીં સુધી રચના કરી છે. તેમાં ૩૭ ગાથા અને ૨૪૨૪ અક્ષરો આવે છે. બાકીની ગાથાઓ અન્યની કરેલી છે. ૨. સંવચ્છ રાઈએ આ દિઅહે ઇતિ પાઠાંતરમુ.
૩. આ સ્તવન એક જ જણે ભણવાનું કહ્યું છે. તેનું કારણ એ કે એક સાથે ઘણાના બોલવાથી કોલાહલ થાય, તેથી સર્વને ઉપયોગપૂર્વક સંભળાય નહિ તેથી એક સાથે બોલવાની પદ્ધતિ ઉચિત નથી.
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૧૪ અર્થ -પખી પ્રતિક્રમણને વિષે, ચૌમાસી પ્રતિક્રમણને વિષે અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણને વિષે (એક જણે આ સ્તોત્ર, અવશ્ય ભણવું અને સર્વ જનોએ સાંભળવું. એ સ્તવન વિદનનું નિવારણ કરનાર છે. ૩૮.
જો પઢઈ જ અ નિસુણઈ, ઉભો કાલપિ અજિઅસંતિથયા નહુ હુતિ તસ્સ “રોગા, પુલ્વપ્નન્ના વિ નાસંતિ. ૩૯
અર્થ - અજિતશાન્તિ સ્તવનને જે પુરુષ બંને વખત પણ (ઉપલક્ષણથી સવાર, બપોર અને સાંજ) ભણે છે અને જે સાવધાનપણે સાંભળે છે તેને રોગો હોતા નથી. તેમજ, પૂર્વ થયેલા (રોગો) પણ નાશ પામે છે.
જઈ ઇચ્છહ પરમપયં, અહવા કિર્તિ સુવિત્થડે ભુવણે, તા તેલુદ્ધરણે, જિણવયણે આયર કુણહ. ૪0ોર
અર્થ :- જો તમે મોક્ષપદને વાંચ્છતા હો અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામેલી કીર્તિ ઈચ્છતા હો તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનારા જિનવચનને વિષે આદર કરો. ૪૦.
આ અજિતશાંતિ સ્તોત્રમાં વપરાયેલા છંદો પ્રાકૃત છંદશાસ્ત્રને અનુસારે પેજ નં. ૩૧પના મથાળે આપવામાં આવેલ છે. ૧. કાસ, શ્વાસ, ભગંદર કોઢ વગેરે રોગો અથવા સર્વ પ્રકારની પીડાઓ. ૨. આ ૪૦ ગાથા પ્રસિદ્ધ છે, તે સર્વત્ર બોલાય છે, તે સિવાય બીજી બે ગાથાઓ પણ જોવામાં આવે છે; તે પેજ નં.૩૧૫ ની નીચે છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૧૫
છંદમાં - ગુરુ અને લઘુ અક્ષરોની ખાસ જરૂર પડે છે, ગુરુ-દીર્ધસ્વર કે તેની સાથેનો કોઈપણ વ્યંજન, તથા અનુસ્વાર, વિસર્ગ કે જોડાએલો અક્ષર જેની પછી આવેલો હોય, તેવા હૃસ્વ
સ્વર કે તેની સાથેનો વ્યંજન-તે ગુરુ અક્ષર કહેવાય છે. (ડ) ગુરુની નિશાની છે ગુરુની માત્રા બે છે.
- લઘુ - હ્રસ્વસ્વર કે તેની સાથેનો વ્યંજન - તે લઘુ અક્ષર કહેવાય છે. (1) લધુની નિશાની માત્રા એક છે. પૂર્વાર્ધ - શ્લોકનો આગલો અર્ધ ભાગ પૂર્વાર્ધ કહેવાય. ઉત્તરાર્ધ - શ્લોકનો પાછલો અર્ધ ભાગ ઉત્તરાર્ધ કહેવાય. પાદ - શ્લોકના એક ભાગને પાદ કહે છે. યતિ - શ્લોકમાં જે ઠેકાણે વિસામો લેવાનો હોય તેને યતિ કહે છે. ગણ - શ્લોકમાં ત્રણ ત્રણ અક્ષરોના ગણ હોય છે. ગુરુ અને
લઘુ અક્ષરોની મેળવણીથી ગણ થાય છે. માતા-રા-જ-ભા-ન-સ-ય-આ સૂત્રને મોઢે કરવું, નીચે પ્રમાણે વાંચવાથી ગણોમાં અક્ષરોનું સ્વરૂપ સમજાશે.
માતારા ડ ડ ડ મગણ તારાજ ડ ડ / તગણ રાજભા ડT ડ ૨ગણ જભાન | ડ | જગણ વવગાયકલિકલુસાણ, વવગનિદ્ધતરાગદોસાણં.
વવગપુણન્મવાણું, નમોલ્યુ તે દેવાધિદેવાણં ૧ . નાશ પામ્યા છે કલેશ અને મલીનતા જેમનાં એવા, નિક્ળપણે નાશ પામ્યા છે રાગ-દ્વેષ જેમના એવા, ગયા છે પુનર્જન્મ જેમના એવા તે દેવાધિદેવોને નમસ્કાર હો. ૧
સવં પસમાં પાર્વ, પુર્ણ વઈ નમસમાણસ્મા
સંપુણચંદવયણમ્સ, કિરણે અજિયસંતિસ્સ | ૨ || સંપૂર્ણ ચંદ્રના જેવા મુખવાળા અજિતનાથ અને શાન્તિનાથ જિનનું કીર્તન કર્યો છતે વંદન કરનારનાં સર્વ પાપ વિશેષ શાન્ત થાય છે અને પુણ્ય વધે છે. ૨.
Page #319
--------------------------------------------------------------------------
________________
ડા,
૩૧૬ ભાનસ
ભગણ નયસ
નગણ, સયમાં
| ડ સગણ યમાતા
ડ ડ યગણ લઘુ ખુલાસો - આ ગણો અક્ષરમેળ છંદમાં વપરાય છે, કોઈ પણ એક અક્ષર લઈ તેની સાથે પછીના બે અક્ષરો વાંચવાથી ત્રણ અક્ષરનો ગણ થશે. પહેલા અક્ષર સાથે ગણ શબ્દ જોડવાથી તે ગણનું નામ થશે. તથા તે ગણમાં ગુરૂ તથા લઘુ ક્યાં ક્યાં લેવા? તે પણ સમજાશે.
તેમજ માત્રામેળ છંદમાં કચ-ટ-ત-૫ નામના પાંચ ગણો વપરાય છે. તેમાં કગણ બે માત્રાનો, ચ ગણ ત્રણ માત્રાનો,ટ ગણ ચાર માત્રાનો, ત ગણ પાંચ માત્રાનો, ૫ ગણ છ માત્રાનો થાય છે. તેમજ લઘુ-ગુરૂની મેળવણીથી તેના અનુક્રમે બે-ત્રણ-પાંચ-આઠ અને તેર ભેદ નીચે પ્રમાણે – કગણ ચગણ ટગણ તગણ પગણ
ડ ડ ડ | ડ ડ ડ ડ ડ ડ! ! ડ ડ ડ ડ ડ
ડ | IIIS ISIS ડ . ડ ડ ડ | ડ
| || | _|| ડ
ડ || | ડ ડ | ડ || ડ | ડાં ડT || ||ી ડી
ડ ડ || (૮) || ડ ||
ડ | | ડ II II || || || (૧૩)
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૧૭
ગાથા છંદ :- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું - સાત ટ ગણ (ચાર માત્રાવાળા) પછી એક ગુરૂ પ્રથમ અર્ધમાં આવે,
ત્યાં વિષમ ટ ગણમાં જગણ ( ડા) ન હોય, છઠ્ઠો ટગણ મધ્યમાં કગણ (ડ) વાળો હોય, બીજા અર્થમાં તો પાંચ ટગણ અને પછી છઠ્ઠો લધુ હોય, બાકીનું પહેલા અર્ધ પેઠે એટલે સાતમો ટગણ અને પછી ગુરૂ એ પ્રકારે ગાથા છંદ જાણવો.
શ્લોક છંદ - પાંચમો અક્ષર સર્વત્ર (ચારે પાદમાં) લઘુ, બીજા અને ચોથા પાદમાં સાતમો અક્ષર લઘુ હોય, છઠ્ઠો અક્ષર વળી ગુરૂ જાણવો એ પ્રકારે પંડિતો શ્લોક છંદ કહે છે.
માગધિકા છંદ:- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું-વિષમ (પહેલા-ત્રીજા) પાદમાં બે ટગણ અને સમ (બીજા-ચોથા) પાદમાં પગણ (છ માત્રા) અને ટગણ અને તે પછી સમ વિષમ બંનેમાં લઘુ કગણ, લઘુ કગણ આવે તેને માગધિકા છંદ જાણવો.
આલિગનક છંદ :- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું. આલિંગનક છંદને વિષે બે લઘુ અને એક ગુરુ આવે, એવા છે ટગણ સર્વ પાદને વિષે આવે છે પણ એટલું વિશેષ છે કે પહેલું પદ ત્રીજાની સાથે અને બીજું પદ ચોથા સાથે યમકવાળું હોય.
સંગતક છંદ-તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું-લઘુ અક્ષરવાળા તગણ (પાંચ માત્રા) ચાર અને એક ગુરુ ત્રણ પાદને વિષે હોય; લઘુ તગણ બે, ટગણ બે, લઘુ તગણ અને અંત્ય ગુરુ ચોથા પાકને વિષે હોય, એ સંગતક છંદ અનુપ્રાસ સહિત હોય. સ્વરની વિવફા વિના એક બે ત્રણ અક્ષરના અંતરે એક વ્યંજન વારંવાર આવ્યા કરે તે અનુપ્રાસ જાણવો.
સોપાનક છંદ :- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું - એક ગુરૂ અને લઘુવાળા ટગણ પાંચ અને ગુરૂ એમ તુલ્ય અક્ષરવાળા પદવડે હિત સોપાનક છંદ જાણવો. દરેક પદમાં ૧૬ અક્ષર છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૧૮
વેષ્ટક છંદ :- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું - તગણ, ચગણ (ત્રણ માત્રા,) પગણ, તગણ, ટગણ બે, તગણ બે, પગણ ટગણ ચાર, તગણ ત્રણ, તગણ ત્રણ, લઘુ, ગુરુ, ચગણ, બે ટગણ, ચગણ ગુરુ એ પ્રમાણે વેષ્ટક છંદ જાણવો.
રાસાલુબ્ધક છંદ -તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું -ટગણ બે, લઘુ, ગુરુ તથા ટગણ ત્રણ, લઘુ, ગુરુ, ટગણ ત્રણ અને છેલ્લું પાદ બીજા સરખું (ટગણ ત્રણ, લઘુ ગુરૂ) જયાં છે તે રાસાલુબ્ધક છંદ જાણવો.
વેષ્ટક છંદ - પ્રથમના વેષ્ટકથી આ જુદો સમજવો. તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું – પગણ, તગણ બે લઘુ, ગુરુ, ટગણ છ, બે ગુરુ, ટગણ સાત, લઘુ ગુરુ, પગણ, ટગણ, બે, તગણ ચગણ, ગુરુ, ટગણ નવ, બે લઘુ, ગુરુ, ટગણ ચાર, ગુરુ બે, ટગણ બે, છગણ, ગુરૂવાળા ટગણ ત્રણ, બે લઘુ ગુરુ એ પ્રમાણે બીજો વેષ્ટક છંદ જાણવો.
રાસાનંદિતક છંદ :- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું - ટગણ બે,લઘુ બે, ગુરુ, પહેલા અને બીજા પાદમાં હોય, ત્રીજા પાદમાં ટગણ બે, લઘુ અને ગુરુ હોય. ચોથા પાદમાં ટગણ બે અને ગુરુ એ લક્ષણવાળો રાસાનંદિતક છંદ જાણવો.
ચિત્રલેખાછંદ-તેનું લક્ષણ આ પ્રકારે જાણવું -તગણ, ટગણ તગણ, ટગણ બે, લઘુ બે અને ગુરુ પહેલા અને બીજા પાદમાં આવે. તથા તગણ, ટગણ, તગણ, ટગણ ત્રણ, એ લઘુ અને ગુરુ ત્રીજા પાદમાં હોય અને ચોથા પાદમાં તગણ, ટગણ, તગણ, ટગણ બે, ચગણ અને ગુરુ આવે એ પ્રકારે ચિત્રલેખા છંદ જાણવો.
નારાયક છંદ :- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું - ગુરુ લઘુરૂપ ચગણ નવ, નગણ, ચગણ આઠ, નગણ, ચગણ આઠ
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૧૯ અને નગણ, દશ ચગણ તેમજ નગણ, ગુરુ બે, એ લક્ષણવાળો નારાચક છંદ જાણવો. અહીં નગણ આવ્યો તે અક્ષરમેળનો સમજવો; તે અક્ષર ગણ ભગણ (ડા) જગણ (iડા), સગણ (ડ), યગણ (ડડ), રગણ (ડાડ), તગણ (ડડા), નગણ (ii), અને મગણ (ડડડ), એ આઠ નામના જાણવા.
કુસુમલતા છંદઃ- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું – વિષમ પદમાં છ કળા અને સમ પદમાં આઠ કળા પ્રથમ હોય અને અંતે રગણ અને ટગણ કુસુમલતા નામના છંદને વિષે હોય. આઠ કળાની ગણતરી હંમેશ માટે સરખી હોતી નથી. આ છંદને ઓપછંદસિક પણ કહે છે.
ભુજ પરિરિચિત છંદ:- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું - પહેલા પાદમાં તગણ, ટગણ, લઘુ, ગુરુ અને બીજામાં પગણ, ટગણ, લધુ બે, ગુરુ હોય એ પ્રકારે પાછલા અર્ધનાં બંને પાદ પણ જાણવાં એ લક્ષણયુક્ત ભુજગપરિરિચિત છંદ જાણવો.
1 ખિધતક છંદ:- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું – ભગણ, રગણ, નગણ, ભગણ, નગણ, લઘુ ગુરુ સર્વ પદમાં હોય તેમજ દશમે અક્ષરે વિશ્રામ કરવો, સર્વ પદમાં અંત્યાક્ષર ચમકવાળાં હોય તે ખિધતક નામનો છંદ જાણવો અને વંશપત્રપતિત પણ કહે છે.
લલિતક છંદ:- તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું – ટગણ ચાર લઘુ, ગુરુ એમ ત્રણ પાદમાં આવે અને ટગણ, તગણ, ટગણ બે લઘુ ગુરુ ચોથા પાદમાં લલિતક નામે છંદને વિષે જાણવો.
કિસલયમાલા નામે છંદ - તેનું લક્ષણ આ પ્રકારે જાણવું - ટગણ પાંચ જગણ (ાડા), લઘુ અને ગુરુ પ્રત્યેક પાદમાં આવે અને સત્તાવીશ માત્રા હોય, એ પ્રકારે કિસલયમાલા નામનો છંદ જાણવો.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૨૦ સુમુખ છંદ :- તેનું લક્ષણ આ પ્રકારે જાણવું-લઘુ વાળા ચગણ બે, ટગણ, લઘુ અને ગુરુ; તગણ બે લઘુ અને ગુરુ; પગણ ટગણ, લઘુ અને ગુરુ, ચગણ બે, ટગણ, લઘુ અને ગુરુ એ પ્રમાણે ચાર પાદ અનુક્રમે જાણવા. સર્વ પાદમાં તેર તેર માત્રા હોય તે સુમુખ છંદ જાણવો.
વિઢિલસિત છંદ-તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું – બે લઘુ અને એક ગુરુ. બે લઘુ અને એક ગુરુ એમ દરેક પાદમાં હોય તે વિશુદ્વિલસિત છંદ જાણવો.
વેષ્ટક નામા છંદ :- પ્રથમનાં વેષ્ટકો કરતાં જુદો સમજવો, તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું-તગણ બે, ટગણ ચાર, તગણ, ટગણ, તગણ ત્રણ, લઘુ ગુરુ, પગણ બે, ટગણ બે અને ગુરુ બે હોય તે વેષ્ટક નામા છંદ જાણવો.
રયણમાલા છંદ - લક્ષણ આ પ્રમાણે જાણવું – પહેલા પાદમાં ટગણ અને બે ગુરુ એમ ચાર વખત આવે અને બાકીના પાદમાં સાત ટગણ અને અંતે બે ગુરુ હોય. પ્રત્યેક પાદ બત્રીસ માત્રાવાળો રયણમાલા છંદમાં હોય.
ક્ષિપ્તક છંદ - તેનું લક્ષણ આ પ્રકારે જાણવું - પગણ ટગણ બે અને ગુરુ દરેક પાદમાં ક્ષિપ્તક છંદ હોય.
દ્વિતીય ક્ષિપ્તક છંદ :- લક્ષણ આ પ્રકારે જાણવું-અથવા રગણ, નગણ, રગણ, લઘુ અને ગુરુ પ્રત્યેક પાદમાં ક્ષિપ્તક છંદમાં જાણવા, આ ક્ષિપ્તક બીજો જાણવો. રથોદ્ધતા છંદ પણ આ પ્રમાણે હોય.
દીપક છંદ - લક્ષણ આ પ્રકારે જાણવું - ચાર પાદને વિષે યમક હોય એવો ક્ષિપ્તક છંદ (પ્રથમનો) તે દીપક છંદ જાણવો. એનું બીજું નામ મંઝિલ છંદ છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૨ ૧
ચિત્રાસરા છંદ - લક્ષણ આ પ્રમાણે જાણવું-પહેલા અને ચોથા પાદમાં પાંચ ટગણ અને બે ગુરુ આવે તથા બીજા-ત્રીજા પાદમાં છ ટગણ અને એક ગુરુ હોય. ચારે પાદમાં યમકવાળો હોય તે ચિત્રાક્ષરા છંદ જાણવો.
બીજો નારાચક છંદ-લક્ષણ આ પ્રકારે જાણવું - અગ્યાર ચગણ, ગુરુ, ચૌદ ચગણ, નગણ, સોળ ચગણ, ટગણ, ત્રણ ચગણ એ પ્રમાણે બીજા નારાચક છંદમાં જાણવું.
નંદિતક છંદ - લક્ષણ આ પ્રમાણે જાણવું - બે લઘુ, ગુરુ, બે લઘુ, ગુરુ અને ગુરુ સર્વ પાદમાં આવે તે નંદિતક છંદ જાણવો.
ભાસુરક છંદ - લક્ષણ આ પ્રકારે જાણવું - તગણ, પગણ, તગણ, ટગણ, તગણ, ટગણ, તગણ, ટગણ, ગુરુ, પગણ, બે ટગણ, ગુરુ બાર ટગણ એ પ્રકારે સુયતિ અને અનુપ્રાસ સહિત ભાસુરક છંદ જાણવો.
અન્ય નારાચક છંદ :- લક્ષણ આ પ્રમાણે જાણવું-તેર ચગણ, નગણ, નવ ચગણ, નગણ, ત્રીશ ચગણ, અને ગુરુ તથા અઢાર ચગણ એ પ્રકારે બીજો નારાચક છંદ જાણવો.
બીજો લલિતક છંદ - લક્ષણ આ પ્રકારે જાણવું – ચગણ, ટગણ, ચાર તેમજ ગુરુ દરેક પાદમાં હોય એવા લક્ષણવાળો બીજો લલિતક છંદ જાણવો.
વાનવાસિકા છંદ:- લક્ષણ આ પ્રકારે જાણવું - ટગણ ચાર, તેમાં નવમી અને બારમી માત્રા લઘુ હોય (દરેક પાદમાં) તે વાનવાસિકા છંદ જાણવો.
અપરાંતિકા છંદ-લક્ષણ આ પ્રકારે જાણવું - આઠ માત્રા રગણ (ડાડ) લઘુ અને ગુરુ સર્વ પાદમાં હોય તેવો અપરાંતિકા છંદ જાણવો.
૨૧
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૨૨ ૭. ભક્તામર સ્તોત્ર
શબ્દાર્થ ભક્તામર ભક્તિમંત દેવતાઓના. | યુગાદ - યુગની આદિમાં. પ્રણતમૌલિ- નમેલા મુકુટને વિષે રહેલ. | આલંબન - આધારભૂત. મણિપ્રભાણામુ -મણિઓની | ભવજલે - ભવસમુદ્રમાં.
- કાન્તિઓને. | પતતાં પડતા. ઉદ્યોતક - પ્રકાશ કરનાર. | જનાનાં - ભવ્યજનોને. દલિત પાપ-દલન કર્યો છે પાપરૂપ. | ય: - જે ભગવંત. તમોવિતાનં - અંધકારનો સમૂહ | સંસ્તુત -રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલા છે.
જેણે એવા. | સકલવામય-સમસ્ત શાસ્ત્ર સંબંધી. સમ્યક - રૂડે પ્રકારે. તત્ત્વબોધાત્ રહસ્યના બોધથકી. જિનપાદયુગે - તીર્થંકરના ચરણ | ઉદ્ભુતબુદ્ધિ - ઉત્પન્ન થયેલી યુગલને. |
બુદ્ધિવડે. * આ ભક્તામર સ્તોત્ર લઘુશાન્તિના કર્તા શ્રી માનદેવસૂરિની પાટે આવેલા શ્રી માનતુંગસૂરિએ રચ્યું છે. સ્તોત્ર રચવાનો હેતુ આ પ્રમાણે જાણવો-શ્રી માલવ દેશમાં ઉજ્જયિની નગરીમાં શ્રી વૃદ્ધભોજ નામે રાજાની સભામાં મયૂર અને બાણ પ્રમુખ ચૌદ વિદ્યામાં પ્રવીણ અને ન્યાય, વેદાંત, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક, પાતંજલી વગેરે ષટ્શાસ્ત્રના જાણ, દેવતાના સાન્નિધ્યવાળા અને ગર્વિષ્ઠ એવા પાંચસો પંડિતો હતા. એકદા મયૂર પંડિત પોતાની પુત્રી જે બાણ પંડિતને પરણાવી હતી, તેના ઘર પાસેથી જતાં તે દંપતીનો માંહોમાંહે થતો કલહ સાંભળીને મર્મમાં હાંસી કરી. તેથી તેની પુત્રીએ તેને શ્રાપ આપ્યો. પુત્રીના શ્રાપથી મયૂર કુછી થયો. પછી તેણે સો કાવ્યવડે સ્તુતિ કરી સૂર્યદેવને પ્રસન્ન કર્યા. સૂર્ય પ્રત્યક્ષ થઈ તેનો કોઢ મટાડ્યો. તેથી તેની ખ્યાતિ થઈ, તેથી બાણ પંડિતે ઈષ્યને લીધે પોતાના હાથ-પગ કાપીને સો કાવ્ય વડે ચંડીદેવીને પ્રસન્ન કરી, ચંડીએ પ્રત્યક્ષ થઈ તેના હાથ-પગ નવા કર્યા; તેથી તેની પણ વિશેષ ખ્યાતિ થઈ. આવા ચમત્કારથી લોકો શિવધર્મની પ્રશંસા કરવા લાગ્યા અને જૈનધર્મની નિંદા કરવા લાગ્યા કે જૈનીઓ ઉદરનિર્વાહ પૂરતી કષ્ટક્રિયા કરે છે, પણ કોઈ
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૨૩
પટુભિઃ - કુશળ.
| સ્તોષ્ય - સ્તવીશ. સુરલોકનાથે - દેવલોકના સ્વામી | કિલ - નિશે.
(ઇન્દ્રો) વડ. અહમપિ - હું પણ. સ્તોત્રે - સ્તોત્રો વડે. તં પ્રથમ - તે પ્રથમ. જગત્રિતય - ત્રણ જગતના. | જિનેન્દ્ર - જિનેશ્વરને. ચિત્તહરે - ચિત્તને હરણ કરનાર. | બુદ્ધયા - બુદ્ધિ વડે. ઉદારે - ઉદાર.
T વિના - રહિત. ચમત્કારી કવિ કે પંડિત તેમનામાં નથી. એક દિવસે વૃદ્ધભોજ રાજાએ શ્રાવકોને પૂછ્યું કે તમારામાં કોઈ વિદ્યાવાળા છે? ત્યારે શ્રાવકોએ કહ્યું કે-હે સ્વામી ! શ્રી માનતુંગસૂરિ આ વખતમાં મહાપ્રાભાવિક છે. તે સાંભળી રાજાએ તેમને બોલાવવાથી તેઓ ત્યાં આવ્યા. પ્રવેશ મહોત્સવ વખતે બ્રાહ્મણોએ ઘીથી ભરેલું કચોળું એક માણસના હાથમાં આપી સૂરિ મહારાજને બતાવ્યું. તેથી સૂરિએ એક સળી વાચી લઈ તે ઘીના કચોળામાં મૂકી. આમ કરવાનું કારણ શ્રાવકોએ પૂછવાથી તેમણે જણાવ્યું કે – ધૃતપૂર્ણ કચોળું બતાવી બ્રાહ્મણોએ સૂચના કરી કે કચોળામાંના ઘીની પેઠે અમારાવડે આ નગરી પૂરી ભરેલ છે તેમાં તમારો અવકાશ નથી. તેથી અમે સળી. નાંખીને સૂચવ્યું કે - જેમ ઘીમાં સળી પ્રવેશ કરે છે તે પ્રમાણે અમારો પણ આ નગરીમાં પ્રવેશ (સમાસ) થશે હવે એક વખત રાજા પાંચશે પંડિતો સાથે સભામાં બેઠા છે. ત્યાં શ્રી માનતુંગસૂરિને બોલાવી પૂછ્યું કે તમારામાં કાંઈ વક્નત્વ શક્તિ છે? ત્યારે સૂરિએ હા પાડવાથી વાદ ચાલ્યો, તેમાં જગત્કર્વત્ત્વનું ખંડન કરી સર્વને નિરુત્તર કર્યા ત્યારે રાજાએ કહ્યું કે બાણ અને મયુરની પેઠે કોઈ દૈવીશક્તિ હોય તો બતાવો. પછી સૂરિના કહેવાથી તાળાંવાળી ૪૨ (૪૮) બેડીઓ પહેરાવીને એક ઓરડામાં તેમને પૂર્યા અને દરવાજા મજબુત રીતે બંધ કરી તેને સાત તાળાં માર્યા અને આજુબાજુ બ્રાહ્મણો તથા પહેરગીરો રાખ્યા પછી માનતુંગસૂરિએ ભક્તામરસ્તોત્ર રચવા માંડ્યું, એકેક કાવ્ય કરતે છતે એક બેડી અને એક તાળું તુટતું ગયું અને દ્વાર તથા તેનાં તાળાં સ્વયમેવ ઉઘડી ગયાં, આવો ચમત્કાર જોઈ રાજાએ વિસ્મય પામી ગુરુનું બહુમાન કર્યું અને તે જૈનશાસનમાં પ્રીતિવાળો થયો આ બૃહદ્ગચ્છીય શ્રીમાનતુંગસૂરિ શ્રી વિરપ્રભુની વીશમી પાટે થયા છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૨૪ અપિ - પણ.
| કલ્પાંતકાલ - પ્રલયકાળના. વિબુધ - દેવતાઓએ. પવનોદ્ધત-પવનવડે ઉદ્ધત થયેલ છે. અર્ચિતપાદપીઠ! - અર્ચન કર્યું છે. નક્રચક્ર - મગરમભ્યનો સમૂહ પાદાસન જેનું એવા.
જેને વિષે એવા. સ્તોતું - સ્તુતિ કરવાને. | વા - અથવા. સમુદતમતિઃ - રૂડે પ્રકારે ઉત્પન્ન | તરીમુ - તરવાને.
થઈ છે મતિ જેને એવો. | અલં સમર્થ. વિગતત્રપઃ વિશેષે ગઈ છે લજ્જા | અંબનિધિ - મહાસાગરને.
જેની એવો. | ભુજાભ્યાં - બે હાથ વડે. બાલ - બાળકને.
સોડહં – એવો હું. વિહાય - મૂકીને.
તથાપિ - તો પણ. જલસંસ્થિત - પાણીમાં રૂડે પ્રકારે | તવ - તમારી.
રહેલ. ભક્તિવશાત્ - ભક્તિના વશ થકી. ઇન્ડબિંબ - ચંદ્રબિંબને. મુનીશ! - મુનિઓના સ્વામી. અન્યઃ - બીજો.
કતું - કરવાને. કઃ - કોણ.
સ્તવ - સ્તવનને. ઇચ્છતિ - ઈચ્છે.
વિગતશકિતઃ - ગયેલ છે શક્તિ જનઃ - મનુષ્ય.
જેની એવો. સહસા - તત્કાળ.
પ્રવૃત્તઃ - પ્રવૃત્ત થયો છું. ગ્રહ તુમ્ - ગ્રહણ કરવાને. પ્રીત્યા - પ્રીતિ વડે. વક્ત - કહેવાને.
આત્મવીર્ય પોતાના બળને. ગુણાનું - ગુણોને.
અવિચાર્ય- નહિ વિચારીને. ગુણસમુદ્ર! - હે ગુણના સાગર! | મૃગઃ - હરણ. શશાંકકાંતાનું-ચંદ્રમા સરખા મનોહર. | મૃગેન્દ્ર - સિંહની. તે - તમારા.
ન અભ્યતી - સામે નથી થતો. ક્ષમ: - સમર્થ થાય. સુરગુરુ - બૃહસ્પતિ. નિજશિશોઃ- પોતાના બાળકના. પ્રતિમ: - સમાન.
| પરિપાલનાર્થ - રક્ષણ અર્થે.
કિં- શું.
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૨૫
મંગળ તથા અભિધેય ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા-, મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાન; સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદા-, વાલંબનું ભવજલે પતતાં જનાનામ્. ૧. યઃ સંસ્તુતઃ સકલ-વામય-તત્ત્વબોધા,દુભૂત-બુદ્ધિ-પટુભિઃ સુરલોક-નાથે; સ્તોત્ર-ર્જગત્રિતય-ચિત્ત-હરે-રુદારે ; સ્તોષ્ય કિલાહમપિત પ્રથમંજિનેન્દ્રમ્ ૨ યુગ્યમ્
અર્થ - ભક્તિમંત દેવતાઓના નમેલા મુકુટને વિષે રહેલા મણિઓની કાન્તિઓને પ્રકાશ કરનાર, દલન કર્યો છે પાપરૂપ અંધકારનો સમૂહ જેણે એવા અને યુગની આદિમાં ભવસમુદ્રમાં પડતા ભવ્યજનોને આધારભૂત એવા (પ્રથમ) તીર્થકરના ચરણયુગલને રૂડે પ્રકારે નમસ્કાર કરીને જે ભગવંત સમસ્ત શાસ્ત્રના રહસ્યના જ્ઞાનથકી ઉત્પન્ન થયેલ બુદ્ધિવડે કુશળ એવા ઇન્દ્રોવડે ત્રણ જગતના ચિત્તને હરણ કરનારાં અને ઉદાર સ્તોત્રો વડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલ છે, તે પ્રથમ જિનેન્દ્રને હું પણ નિશ્ચ સવીશ. ૧-૨.
કવિએ બતાવેલી પોતાની લઘુતા. બુદ્ધયા વિનાડપિ વિબુધા-ચિત-પાદપીઠ!,
સ્તોતું સમુદ્યત -મતિ-વિંગતત્રપોડહમ્; ૧. ધર્મપ્રવર્તનની આદિમાં, અર્થાત્ ધર્મનો વિચ્છેદ થયા પછી ફરી ધર્મની પ્રવૃત્તિ થાય તે યુગની આદિ જાણવી. એટલે ત્રીજા આરાને છેડે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૬
બાલં વિહાય જલ-સંસ્થિત-મિન્દુબિમ્બ,મન્યઃ ક ઇચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ ? ૩. અર્થ :- વિબુધાર્ચિતપાદપીઠ (દેવતાઓએ અથવા પંડિતોએ અર્ચન કર્યુ છે પાદાસન જેનું એવા) ! બુદ્ધિ (પ્રબલપ્રજ્ઞા) વિના પણ સ્તુતિ કરવાને રૂડે પ્રકારે ઉદ્યમવાળી મતિ છે જેની એવો અને વિશેષે ગઈ છે લજ્જા જેને એવો (શક્તિ વિના સ્તુતિ કરવાને તત્પર થયો માટે લજ્જા વિનાનો ધીઠો) હું છું, પાણીને વિષે રૂડે પ્રકારે રહેલ (પ્રતિબિંબિત થયેલ) ચંદ્રમાના બિંબને બાળકને મૂકીને (બાળક સિવાય) બીજો કયો મનુષ્ય તત્કાળ ગ્રહણ કરવાને ઇચ્છે ? અર્થાત્ બાળક વિના બીજો કોઈ બુદ્ધિવાન જળ-પ્રતિબિંબિત ચંદ્રને ગ્રહણ કરવા ઇચ્છતો નથી. તેમ હું પણ બાળકની પેઠે અશક્ત છતાં સ્તુતિ કરવાને ઇચ્છું છું. ૩.
સ્તુતિ કરવાની અશક્યતાનું વર્ણન. વસ્તું ગુણાન્ ગુણસમુદ્ર ! શસાંક-કાંતાનુ, કસ્તે ક્ષમઃ સુરગુરુ-પ્રતિમોડપિ બુદ્ધચા; કલ્પાંત-કાલ-પવનોદ્ધત-નક્ર-ચક્ર,
કો વા' તરીતુમલમં-બુનિધિ ભુજાભ્યામ્. ૪. અર્થ :- હે ગુણસમુદ્ર (ધૈર્ય-ગાંભીર્યાદિ ગુણના સ્થાન) ! ચંદ્રમા સરખા મનોહર-ઉજ્જ્વળ એવા તમારા ગુણોને બુદ્ધિવડે કરીને બૃહસ્પતિ સમાન એવો પણ કયો પુરુષ કહેવાને સમર્થ થાય ? અર્થાત્ કોઈ સમર્થ થતો નથી. અથવા તો પ્રલય કાળના પવન વડે
૧. વા ઉપમાને વિષે વપરાયેલ છે. મતલબ કે જેમ સમુદ્રને કોઈ બે હાથ વડે તરી શકે નહીં, તેમ તમારા ગુણો કહેવાને બૃહસ્પતિ જેવો પણ સમર્થ થાય નહિ.
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૨૭ ઉદ્ધત થયેલ (ઉછળી રહ્યો) છે મગરમસ્યનો સમૂહ જેને વિષે એવા સમુદ્રને કયો પુરુષ બે ભુજાવડે તરવાને સમર્થ થાય? ૪.
સ્તોત્ર રચવાનો હેતુ સોડહં તથાપિ તવ ભક્તિવશાન્જનિશ! કર્યું સ્તવં વિગતશક્તિ-રપિ પ્રવૃત્તઃ; પ્રીત્યાડડત્મવીર્ય-મવિચાર્ય મૃગો મૃગેન્દ્ર, નાગ્યેતિ કિં નિજશિશો: પરિપાલનાર્થમ્. ૫.
અર્થ - હે મુનીશ ! (તત્ત્વને જાણનાર મહર્ષિઓના સ્વામી) (સ્તોત્ર કરવાને અસમર્થ એવો છું. તો પણ તમારી ભક્તિના વશ થકી (ભક્તિના આગ્રહથી) વિશેષ ગઈ છે શક્તિ જેની (શક્તિ રહિત) એવો છતો પણ સ્તવનને કરવાને હું પ્રવૃત્ત થયો છું. હરિણ, સ્નેહવડે પોતાના બાળકના રક્ષણ માટે પોતાનું બળ નહિ વિચારીને સિંહની સામે શું નથી થતો (લડવાને શું સન્મુખ નથી જતો)? ૫.
શબ્દાર્થ અશ્રુતં - થોડા શાસ્ત્રને જાણનાર. | મધ -ચૈત્ર માસમાં. મૃતવતાં - બહુશ્રુતોને. મધુર - મનોજ્ઞ. પરિહાસધામ - હાસ્યનું સ્થાન. | વિરૌતિ - બોલે છે. વત્ - તમારી.
| તત્ - તે. ભક્તિરેવ - ભક્તિ જ. ચાચૂતકલિકા - મનોહર મુખરીકુરુતે - વાચાળ કરે છે.
આમ્રકલિકાનો. બલાત્ - બલાત્કારે. નિકકહેતુ સમૂહ તેજ એક હેતુ છે. મામ્ - મને.
સંસ્તવન - રૂડા સ્તવન વડે. યત - જે કારણ માટે.
ભવસંતતિ - ભવપરંપરાવડે. કોકિલ: - કોયલ.
સન્નિબદ્ધ - બંધાયેલ.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૨૮ પાપ - પાપ.
સમસ્તદોષ-સમગ્રદોષ જે થકી એવું. ક્ષણાત્ - ક્ષણવારમાં. સંકથા - કથા. ક્ષય - ક્ષયને.
જગતાં - જગતુનાં. ઉપૈતિ - પામે છે.
દુરિતાનિ - પાપોને. શરીરમાજ - દેહધારીઓનું. | હન્તિ - હણે છે. આક્રાંત લોક-લોકમાં વ્યાપ્ત થયેલ. દૂરે - દૂર રહો. અલિનીલ - ભ્રમર જેવો કાળો. સહસ્ત્રકિરણઃ - સૂર્ય. અશેષ - સમસ્ત.
કુરુતે - કરે છે. આશુ - શીધ્ર.
પ્રભા એવી - પ્રભા જ. સૂર્યાસુ - સૂર્યનાં કિરણોવડે. પદ્માકરેષ- કમળના સમૂહવાળા ભિન્નભિવ-નાશ પામેલ હોય તેમ. - સરોવરને વિષે. શાર્વર-અંધારી રાત્રિથી ઉત્પન્ન થયેલ.
| જલજાનિ - કમળોને. અંધકાર - અંધારૂં.
વિકાશભાજિ - વિકસ્વર. મત્વા - માનીને.
અત્યભુત - અત્યંત આશ્ચર્ય. ઇતિ - એમ.
ભુવનભૂષણભૂત-ત્રણ ભુવનના મયા - મારા વડે.
આભૂષણ તુલ્ય. ઇદં - આ.
ભૂતૈઃ - સત્ય. આરભ્યતે - આરંભ કરાય છે.
ગુણે: - ગુણો વડે. તનુધિયા - મંદ બુદ્ધિવાળા.
ભુવિ - જગતમાં. પ્રભાવાત્ - પ્રભાવ પડે.
ભવન્ત - તમોને. ચેતો - ચિત્તને.
અભિષુવન્તઃ - સ્તુતિ કરનારા. હરિષ્યતિ - હરણ કરશે.
તુલ્યા - સરખા.
ભવંતિ - થાય છે. સતાં - સજ્જનોનાં.
ભવતઃ - તમારી. નલિનીદલેષ- કમલિનીના પત્રને વિષે.
તેન - તે વડે. મુક્તાફલઘુતિ -મોતિની કાન્તિને.
ભૂલ્યા - સંપત્તિ વડે. નનુ - નિશે.
આશ્રિત - સેવકને. ઉદબિંદુ - પાણીનું ટીપું.
ઇહ - આ લોકમાં. આસ્તાં - દૂર રહો.
આત્મસમ - પોતાની તુલ્ય. અસ્ત - નાશ પામ્યા છે.
| ન કરોતિ - ન કરે.
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૨૯ અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસ-ધામ, ત્વદ્ભક્તિરેવ મુખરી-કુરુતે બલાત્મા; યસ્કોકિલઃ કિલ મધૌ મધુરં વિરૌતિ, તચ્ચારુચૂત-કલિકા-નિકરેક-હેતુ . ૬.
અર્થ - અલ્પશાસ્ત્રના બોધવાળા અને બહુશ્રુત (ઘણા શાસ્ત્રને જાણનારા પંડિતો)ને હાસ્યનું સ્થાન એવા મને તમારી ભક્તિ જ બલાત્કારથી વાચાળ કરે છે. જે કારણ માટે કોયલ નિશ્ચે ચૈત્રમાસ (વસંત ઋતુ)માં મધુર શબ્દ બોલે છે, તેનો મનોહર આપ્રકલિકાનો સમૂહ તે જ એક હેતુ (કારણ) છે, અર્થાત્ જેમ આંબાનો મોર (કોર) ખાવાથી કોયલ મધુર સ્વરે બોલે છે, તેમ હું તમારી ભક્તિરૂપ શક્તિ વડે સ્તોત્ર કરીશ. ૬.
સ્તવના કરવાથી થતો લાભ વત્સસ્તવેન ભવ-સંતતિ-સન્નિબદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીર-ભાજામ્; આક્રાંત-લોકમલિ-નીલ-મશેષ-માશુ, સૂર્યાસુ-ભિન્નમિવ શાર્વર-મધકારમ્. ૭.
અર્થ - હે ભગવંત! તમારા રૂડા સ્તોત્રવડે (ગુણવર્ણન વડે) દેહધારીઓ (પ્રાણીઓ)નું સંસારની પરંપરા વડે બંધાયેલ પાપ (અશુભ કર્મ), જેમ વ્યાપ્ત થયેલ છે લોક જેનાથી એવો (લોકમાં વ્યાપી રહેલો) અને ભ્રમર જેવો કાળો, કૃષ્ણપક્ષની રાત્રિ સંબંધી સમસ્ત અંધકાર, શીધ્ર સૂર્યના કિરણો વડે નાશ પામે છે, તેમ ક્ષણવારમાં ક્ષયને પામે છે. ૭.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૩૦.
સ્તવના કરવાના હેતુની વિશેષ દઢતા મત્વેતિ નાથ! તવ સંસ્તવન મયેદમારભ્યતે તનુધિયાડપિ તવ પ્રભાવાત; ચેતો હરિષ્યતિ સતાં નલિનીદલેષ, મુક્તાફલ-ઘુતિ-મુપૈતિ નનૂદબિન્દુ ૮.
અર્થ - હે નાથ ! તમારા પ્રભાવવડે તમારું આ સ્તોત્ર સજ્જન પુરુષોના ચિત્તનું હરણ કરશે, એ પ્રકારે માનીને (જાણીને) મંદબુદ્ધિવાળા પણ મારા વડે તમારું સ્તોત્ર આરંભ કરાય છે (રચાય છે), અર્થાત્ હું તમારું સ્તોત્ર રચું છું; કેમકે કમલિનીના પટાને વિષે પડેલ જળબિંદુ નિશ્ચ મુકતાફળ (મોતી)ની જેવી કાન્તિને પામે છે. અર્થાત કમલપત્રમાં રહેલ જળબિંદુ કમળના પ્રભાવે મોતી જેવું દેખાય છે, તેમ તમારા પ્રભાવ વડે કરીને આ સ્તોત્ર સજ્જનોને આનંદકારી થશે. ૮.
ભગવંતની કથાનું માહાભ્ય. આસ્તાં તવસ્તવન-મસ્ત-સમસ્તદોષ, –ત્સકથાડપિ જગતાં દુરિતાનિ હન્તિ; દૂરે સહસ્રકિરણઃ કુરુતે પ્રમૈવ, પધાકરેછુ જલજાનિ વિકાશભાજિ. ૯.
અર્થ - હે પ્રભુ! નાશ પામ્યા છે સમસ્ત દોષ (રાગદ્વેષકષાયાદિ) જે થકી એવું તમારું સ્તવન દૂર રહો, પરંતુ તમારી કથા (આ ભવ-પરભવના ચરિત્રની વાર્તા અથવા તમારું નામ) પણ જગતનિવાસી લોકોના પાપને હણે છે. જેમ-સૂર્ય દૂર રહો,
૧. ક્રિયાના અર્થવાળો અવ્યય છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૩૧ પરંતુ તેની કાન્તિ જ (અરુણોદય) કમળના સમૂહવાળા સરોવરને વિષે કમળોને વિકસ્વર કરે છે. ૯.
ગુણસ્તુતિનું ફળ નાયભુત ભુવન-ભૂષણ-ભૂત! નાથ !,
ભૂતૈિગુણભુવિ ભવંત-મભિષ્ટ્રવંતા; તુલ્યા ભવંતિ ભવતો નનુ તેની કિંવા, ભૂત્યાડડશ્રિતં ય ઈહ નાત્મસમં કરોતિ. ૧૦.
અર્થ - હે ત્રણ ભુવનના આભૂષણ તુલ્ય, હે નાથ! સત્ય ગુણોવડે કરીને, પૃથ્વીને વિષે તમારી સ્તુતિ કરનારા મનુષ્યો તમારી સરખા થાય છે. (મોક્ષ પામે એટલે તમારી તુલ્ય થાય) તે અતિ આશ્ચર્ય નથી. અથવા જે સ્વામી આ લોકને વિષે પણ પોતાના આશ્રિત (સેવકને) લક્ષ્મી વડે પોતાની તુલ્ય ન કરે તેવા (સ્વામી) વડે કરીને શું? કાંઈ જ નહિ.
શબ્દાર્થ દષ્ટવા - જોઈને.
| તોષ - સંતોષને. ભવંત - તમોને.
ઉપયાતિ - પામે. અનિમેષ - મટકું માર્યા વિના | જનમ્ય - મનુષ્યની.
એકી નજરે. | ચક્ષુ - નેત્ર, આંખ. વિલોકનીયં - જોવા યોગ્ય. પીવા - પીને. અન્યત્ર - બીજે સ્થાને. પયઃ- પાણીને. ૧. પ્રશ્નના અર્થમાં પણ વપરાય.
૨. જે પોતાના સેવકને પોતાની સમાન કરે તે જ ખરો સ્વામી જાણવો, બીજા સ્વામી કંઈ ગણતરીમાં નથી, એવો આ લોકમાં પણ વ્યવહાર છે. તો હે ભગવંત ! તમે ખરા સ્વામી છો માટે હું પણ તમારી સ્તવના વડે તમારા તુલ્ય તીર્થંકરની ઋદ્ધિ પામીશ. એવી યાચના સ્તોત્રકાર કરે છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૩ર
શશિકરયુતિ - ચંદ્રના કિરણોની | વકત્ર - મુખ.
કાન્તિ જેવા. | ક્વ - ક્યાં. દુષ્પસિન્ધોઃ - ક્ષીર સમુદ્રના. | સુરનરોરગ - દેવ, મનુષ્ય અને ક્ષારંજલ - ખારા પાણીને.
ભવનપતિના. જલનિધઃ- લવણ સમુદ્રના. | નેત્રહારિ-નેત્રને હરણ કરનારૂં. અશિતું - પીવાને.
નિઃશેષ - સમસ્ત પ્રકારે. ઇચ્છે - ઇચ્છે.
નિર્જિત - જીતી છે. હૈઃ - જે.
જગત ત્રિતય - ત્રણ જગતની. શાન્તરાગરુચિભિઃ - શાન્ત રસના | ઉપમાન - ઉપમા જેણે એવું.
ભાવની છાયાવાળા. | બિંબ - બિંબ. પરમાણુભિઃ - પરમાણુઓ વડે. | કલંકમલિન- કલંકવડે ગ્લાનિ પામેલું નિર્માપિત નિર્માણ કરાયેલા છો. નિશાકરસ્ય - ચંદ્રમાનું. ત્રિભુવન - ત્રણ ભુવનને વિષે. | ય - જે. એકલલામભૂત! - અદ્વિતીય વાસરે - દિવસે.
તિલક સમાન. | ભવતિ - થાય છે. તાવંતઃ - તેટલા.
| પાંડુપલાશ-પીળાખાખરાના પાન. એવ - નિશ્ચયાર્થે.
કલ્પ - સરખું. ખલુ - નિશે.
સંપૂર્ણમંડલ - સંપૂર્ણ મંડળવાળા અણવઃ - પરમાણુઓ.
પૂર્ણિમાના. પૃથિવ્યાં - જગતમાં.
શશાંકકલાકલાપ - ચંદ્રની કળાના યત - જે કારણ માટે.
સમૂહના સરખા. તે - તમારા.
શુભ્રા - ઉજ્જવળ. સમાને - સરખું.
ગુણાઃ- ગુણો. અપરં - બીજું.
ત્રિભુવન - ત્રણ ભુવનને. હિ - નિશે.
તવ - તમારા. રૂ૫ - રૂ૫.
લંઘયંતિ - ઉલ્લંઘન કરે છે. અતિ - છે.
યે - જે પુરુષો.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૩૩ સંશ્રિતા - આશ્રય કરીને રહેલા છે. | મનાક - કિંચિત્. તાન્ - તેઓને.
| મનઃ - મન. નિવારયતિ - નિવારણ કરે. વિકારમાર્ગ - વિકારની ચેષ્ટાને. સંચરતઃ - વિચરતા.
કલ્પાંતકાલ - પ્રલયકાળના. યથેષ્ટ - સ્વેચ્છાએ.
મરુતા - વાયુવડે. ચિત્ર - આશ્ચર્ય
ચલિત - કંપાયમાન થયા છે. અત્ર - અહીં.
અચલેન - પર્વતો જેનાથી એવા. યદિ - જો.
મંદરાદ્રિ - મેરૂપર્વતનું. ત્રિદશ - દેવતાઓની. શિખર - શિખર ટોચ. અંગનાભિઃ - સ્ત્રીઓ વડે. ચલિત - ચલાયમાન થયેલું. નીત - પામેલું.
કદાચિત્ - ક્યારેય પણ.
ભગવદ્ દર્શનનું ફળ દિષ્ટવા ભવંત-મનિમેષ-વિલોકનીયં, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુ; પીતા પયઃ શશિકર ઘુતિ-દુગ્ધસિંધો, ક્ષારં જલ જલનિધેરશિતું કઇચ્છે? ૧૧.
અર્થ - મેષોન્મેષ (મટકું મારવું) રહિતપણે જોવા યોગ્ય (એકીટસે-એકી નજરે જોવા યોગ્ય) એવા તમોને જોઈને મનુષ્યની ચ બીજે સ્થાને (અન્ય દેવોમાં) સંતોષ (આનંદ) પામતી નથી, કેમકે ચંદ્રના કિરણની કાન્તિ જેવા (ઉજ્વળ) ક્ષીરસમુદ્રના પાણીને પીને લવણસમુદ્રના ખારા પાણીને પીવાને કોણ ઈચ્છે? ૧૧.
* ક્ષીર સમુદ્રના નિર્મળ જળ તુલ્ય જિનદેવનું દર્શન પામીને લવણસમુદ્રના ખારા પાણી તુલ્ય અન્ય દેવના દર્શનને કોણ વાંછે? અર્થાત્ કોઈ ન જ ઈચ્છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૩૪ ભગવંતના રૂપનું વર્ણન. વૈઃ શાન્તરાગ-રુચિભિઃ પરમાણુભિવં, નિર્માપિતસ્ત્રિભુવનેકલલામ ભૂત !; તાવંત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં, યત્તે સમાન-મપર ન હિ રૂપમસ્તિ. ૧૨.
અર્થ - હે ત્રણ ભુવનને વિષે અદ્વિતીય તિલક (આભરણ) સમાન ! શાન્તરસના ભાવની છાયાવાળા જે પરમાણુઓ વડે તમે નિર્માણ કરાયેલા છો, તે પરમાણુઓ જગતમાં નિશે તેટલા જ છે. જે કારણ માટે તમારા સમાન બીજું કોઈ (રૂપ આ જગતમાં) નિશ્ચ નથી. ૧૨.
ભગવંતના મુખનું વર્ણન વત્ર કવ તે સુર-નરોરગ-નેત્રહારિ, નિઃશેષ-નિર્જિત-જગત્રિયોપમાન; બિંબ કલંક-મલિન અફવ નિશાકરસ્ય, યાસરે ભવતિ “પાંડુ-પલાશ-કલ્પમ્. ૧૩.
અર્થઃ-દેવ, મનુષ્ય અને ભવનપતિ (નાગકુમાર) દેવના નેત્રને હરણ કરનારું (મોહ પમાડનારું) તથા સમસ્ત પ્રકારે જીતી ૧. “શાન્ત થઈ છે રાગની છાયા (ઈચ્છારૂપ મોહનીય કર્મ) જે થકી
એવા” એવો અર્થ પણ થાય છે. ૨. જેની સાથે વિશેષ પ્રીતિ હોય તેને એક વચને બોલાવાય છે. ૩. મસ્તકે ધારણ કરેલી પુષ્પની માળા અથવા તિલક તે લલામ. ૪. બે વસ્તુનો મુકાબલો કરવામાં કવ શબ્દ મોટું અંતર સૂચવનારો છે. ૫. ખાખરાનું પાન પાકવાથી પીળું પડી જાય છે તેના જેવું નિસ્તેજ-ફીકું.
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૩૫
છે ત્રણ જગતની ઉપમા (કમળ, ચંદ્ર દર્પણ આદિ પદાર્થોની) જેણે એવું તમારું મુખ ક્યાં ? અને લાંછન કલંકવડે મલિન (ગ્લાનિ પામેલું) તથા જે દિવસે પીળા ખાખરાના પાન સરખું (નિસ્તેજ) થાય છે એવું ચંદ્રમાનું બિંબ ક્યાં ? અર્થાત્ ચંદ્રબિંબ કરતાં ભગવંતના મુખનું તેજ અત્યંત નિર્મળ છે. માટે તે ઉપમા સંભવે નહિ. ૧૩.
સંપૂર્ણ-મંડલ-શશાંક-કલા-કલાપશુભ્રા ગુણા-ત્રિભુવનં તવ લંઘયંતિ; યે સંશ્રિતા-સ્ત્રિજગદીશ્વર ! નાથમેકં, કસ્તાન્નિ-વારયતિ સંચરતો યથેષ્ટમ્. ૧૪. અર્થ :- :- ત્રણ જગતના ઈશ્વર ! સંપૂર્ણ મંડળવાળા પૂર્ણિમાના ચંદ્રની કળાના સમૂહ સરખા ઉજ્જ્વળ એવા તમારા ગુણો ત્રણ ભુવનને ઉલ્લંઘન કરે છે (ત્રણ ભુવનને વ્યાપીને રહેલા છે.) કેમ કે જે એક (અદ્વિતીય-સમર્થ) નાથને આશ્રય કરીને રહેલા છે, તેને સ્વેચ્છાએ વિચરતા કોણ નિવારણ કરી શકે ? અર્થાત્ ત્રણે ભુવન ભગવંતના ગુણ ગ્રહણ કરવામાં તત્પર હોય છે. ૧૪. ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિનીતં મનાગપિ મનો ન વિકાર-માર્ગમ્; કલ્પાંતકાલ-મરુતા ચલિતા-ચલેન,
કિં મંદરાદ્રિ-શિખર ચલિત કદાચિત્. ૧૫. અર્થ :- હે દેવ ! દેવાંગનાઓ વડે તમારૂં મન જરા પણ
:
વિકારની ચેષ્ટાને પામ્યું નથી તેમાં શું આશ્ચર્ય છે ? કેમ કે કંપાયમાન થયા છે અન્ય પર્વતો જેનાથી એવા પ્રલયકાળના
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૬ પવનવડે ક્યારે પણ મેરુ પર્વતનું શિખર ચલાયમાન થયેલું છે? અર્થાત્ કલ્પાંતકાળનો પવન અન્ય પર્વતને કંપાવી શકે છે પણ મેરુને કંપાવી શકતો નથી, તેમ દેવાંગનાઓ હરિહરાદિ અન્યને ક્ષોભ પમાડે છે, પણ તમને ક્ષોભ પમાડી શકતી નથી. ૧૫.
શબ્દાર્થ નિધૂમવર્તિ - ધુમાડા અને વાટ રહિત. | નિરુદ્ધ - આચ્છાદિત થયો છે. અપવર્જિતતલપૂરઃ- ત્યાગ કર્યો છે | મહાપ્રભાવઃ - મોટો પ્રતાપ.
તેલનો પૂર જેણે એવો. | સૂર્યાતિશાયિ - સૂર્ય થકી અધિક કન્ઝ - સમગ્ર.
મહિમા - મહિમાવાળા. જગત્રયં - ત્રણ જગતને. | મુનીંદ્ર - મુનિઓના સ્વામી. પ્રકટીકરોષિ - પ્રગટ કરો છો. | લોકે - લોકને વિષે. ગમ: - બુઝાઈ જવા યોગ્ય. | નિત્યોદય - નિરંતર ઉદય પામેલું. જાતુ - કદાપિ,
દલિતમોહ-દલન કર્યો છે મોહરૂપ. મરુતાં પવનોને.
મહiધકાર - ખોટો અંધકાર જેણે એવું. અચલાનાં પર્વતો જે થકી એવા. ગમ્ય - ગ્રસવા યોગ્ય. દીપ:- દીપક.
રાહુવદનસ્ય - રાહુના મુખને. અપરઃ - અપૂર્વ લોકોત્તર. વારિદાનાં - વાદળાઓને. અસિ - છો.
વિશ્વાજતે - શોભે છે. જગતપ્રકાશઃ - જગતપ્રસિદ્ધ. મુખાર્જ - મુખરૂપ કમળ. અસ્ત - અસ્તને.
અનલ્પકાન્તિ - ઘણી કાન્તિવાળું. ઉપયાસિ - પામો છો. વિદ્યોતયનું - પ્રકાશ કરતું. રાહુગમ્ય - રાહુવડે પ્રસવા યોગ્ય. | શશાંકબિંબ - ચંદ્રના બિંબરૂપ. સ્પષ્ટીકરોષિ - પ્રકાશ કરો છો. | શર્વરીષ - રાત્રિઓ વિષે. સહસા - તત્કાળ.
શશિના - ચંદ્ર વડે. યુગપત - સમકાળે-એકી સાથે. | અદ્ધિ - દિવસે. જગંતિ - ત્રણ જગતને. વિવસ્વતા - સૂર્યવડે. અંભોધરોદર -મેઘના મધ્યભાગ વડે. | યુષ્મદ્ - તમારા.
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૩૭ મુખેંદુ - મુખરૂપ ચંદ્રમાવડે. | કૃતાવકાશ-અનંત ધર્માત્મક પદાર્થોને દલિતેષ - દલન કરાવે છતે. જ વિષે કર્યો છે પ્રકાશ જેણે એવું. તમસ્તુ - અંધકાર.
એવું - એ પ્રકારે. નિષ્પન્નશાલિ-પાકેલા શાલીના.
તથા - તેવી રીતે. વનશાલિનિ - વન વડે શોભાયમાન
હરિહરાદિષ- હરિહરાદિદેવોને વિષે. થયેલા.
નાયકેષ-પોત-પોતાના શાસનના જીવલોક - મૃત્યુલોક છતે.
નાયક.
| તેજઃ - પ્રકાશ. કાર્ય - પ્રયોજન.
સ્ફરન્મણિષ - દેદીપ્યમાન કિય - શું?
મણિઓને વિષે. જલધરે: - મેઘો વડે.
યાતિ - પામે છે. જલભારનB - પાણીના ભાર વડે નમ્ર
મહત્ત્વ - મોટાઈને. જ્ઞાન - જ્ઞાન.
તુ - વળી. યથા - જેવી રીતે.
કાચશકલે - કાચના ટુકડાને વિષે. ત્વયિ - તમારા વિષે.
કિરણાકુલે - કાન્તિવડે વ્યાપ્ત. વિભાતિ - શોભે છે.
અપિ - પણ. દીપકની ઉપમાની વ્યર્થતા નિધૂમવર્તિ-ર૫વર્જિત-તૈલપુર, કૃત્યં જગત્રય-મિદં પ્રકટીકરોષિ; ગમ્યો ન જાતુ મરતાં ચલિતાચલાનાં, દીપોડપરસ્વમસિ નાથ!જગતપ્રકાશ. ૧૬.
અર્થ - હે નાથ ! તેષરૂપ ધૂમ અને *કામદશારૂપી વાટ રહિત, ત્યાગ કર્યો છે સ્નેહપ્રકાશરૂપ તેલનો પૂર (તેલનું પુરવું) ૧. પરાભવ કરવાનું શક્ય-વશવર્તિ. ૨. અલૌકિક દીપક (દીવો) થી અન્ય સ્વરૂપવાળો બીજો લોકોત્તર દીપક. * કામની દશ અવસ્થાઓ છે, તે આ પ્રમાણે જાણવી. (૧) કામની
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૩૮
જેણે એવા તમે, આ સમગ્ર ત્રણ જગતને કેવળજ્ઞાનરૂપ ઉદ્યોત વડે પ્રકાશ કરો છો, અને ચલાયમાન થયા છે પર્વતો જે થકી એવા પવનોને કદાપિ ગમ્ય નથી (પવન વડે ઓલવાય એવા નથી) એવા જગતપ્રસિદ્ધ (અથવા જગતને વિષે જ્ઞાનનો ઉદ્યોત છે જેનો એવા) તમે અપૂર્વ (લોકોત્તર) દીપક છો. અર્થાત્ લૌકિક દીપક ધૂમ, વાટ અને તેલ સહિત છે અને ઘરમાં જ માત્ર પ્રકાશ કરે છે તથા પવન વડે ઓલવાઈ જાય છે. ત્યારે આપ પૂર્વોક્ત ધૂમ, વાટ અને તેલ રહિત છતાં ત્રણે લોકને પ્રકાશ કરો છો અને ગમે તેવા પવન વડે આપનો જ્ઞાનપ્રકાશ ઓલવાઈ જતો નથી માટે અપૂર્વ દીપક છો. ૧૬.
સૂર્યની ઉપમાન વ્યર્થતા નાસ્તં કદાચિ-દુપયાસિ ન રાહુગમ્ય,
સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્જગંતિ; નાંભોધરોદર-નિરુદ્ધમહાપ્રભાવઃ, સૂર્યાતિશાયિ-મહિમાલસિ મુનીંદ્ર! લોકે. ૧૭.
અર્થ:- કદાપિ (કોઈ પણ વખતે) અસ્ત પામતા નથી. રાહુ વડે ગ્રસવા યોગ્ય (પાપરૂપ રાહુ વડે પરાભવ પામવા યોગ્ય) નથી. તત્કાળ સમકાળે ત્રણ જગતને પ્રકાશ કરો છો અને મેઘ (જ્ઞાનાવરણાદિ કર્મરૂપ વાદળાં)ના મધ્ય ભાગ વડે આચ્છાદિત થયો છે મહોટો પ્રતાપ (જ્ઞાનપ્રકાશ) જેનો એવા ઇચ્છા. (૨) મેળવવાની ચિંતા. (૩) સ્મરણ. (૪) ગુણકીર્તન. (૫) ઉદ્વેગ. (૬) પ્રલપન-જેમ તેમ બોલવું. (૭) ઉન્માદ. (૮) અંગદાહ વગેરે વ્યાધિનો સંભવ. (૯) જડતા અને (૧૦) મરણ (કામની પ્રાપ્તિ નહિ થવાથી મરવા તૈયાર થાય).
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૩૯ નથી. અર્થાત્ સૂર્યની ઉપમા પણ આપને ઘટતી નથી કેમ કે તેના કરતાં પણ અધિક મહિમાવાળા તમે છો. ૧૭.
ચંદ્રની ઉપમાની વ્યર્થતા. નિત્યોદયં દલિતમોહ-મહાંધકાર, ગમ્ય ન રાહુવદનસ્ય ન વારિદાનામ્; વિભ્રાજવે તવ મુખાન્જ-મનલ્પકાન્તિ, વિદ્યોતયજ્જગદપૂર્વ-શશાંક-
બિમ્બમ્. ૧૮. અર્થ:- નિરંતર ઉદય પામેલું, દલન કર્યો છે અજ્ઞાનરૂપ (મોહનીય કર્મરૂપ) મોટો અંધકાર જેણે એવું, રાહુ (કુર્તક વાદીરૂપ)ના મુખને નહિ ગ્રસવા યોગ્ય, આઠ કર્મરૂપ વાદળાંઓને નહિ આચ્છાદન કરવા યોગ્ય, અત્યંત કાન્તિવાળું અને ત્રણ જગતને પ્રકાશ કરતું એવું તમારું મુખરૂપ કમળ અપૂર્વ ચંદ્રમાના બિંબરૂપ શોભે છે. અર્થાત્ ચંદ્રની ઉપમા પણ આપને ઘટતી નથી, કેમકે તેના કરતાં પણ આપ અધિક મહિમાવાળા છો. ૧૮.
કિં શર્વરીષ શશિનાડનિ વિવસ્વતા વા, યુષ્પમુખેંદુ-દલિતેવુ તમસુ નાથ !; નિષ્પન્ન-શાલિ-વન-શાલિનિ જીવલોકે, કાર્ય કિયજ્જલધરે-જેલભાર નદૈ: ૧૯
અર્થ - હે નાથ ! તમારા મુખરૂપ ચંદ્રમાવડે અંધકાર દલન કરાવે છતે, રાત્રિઓને વિષે ચંદ્રવડે અથવા દિવસે સૂર્યવડે શું પ્રયોજન છે? અર્થાત્ તે કંઈ કામના નથી કેમ કે પાકેલા શાલી (ડાંગર)ના વનવડે શોભાયમાન થયેલા જીવલોક છતે, પાણીના ભારવડે નમ્ર થયેલા મેઘવડે શું પ્રયોજન છે?
Page #343
--------------------------------------------------------------------------
________________
३४० અર્થાત્ તમારા મુખરૂપ ચંદ્ર વિદ્યમાન છતે ચંદ્ર-સૂર્યનું કાંઈપણ પ્રયોજન નથી. ૧૯.
પ્રભુના નામની શ્રેષ્ઠતા જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નવં તથા હરિહરાદિષ નાયકેષ; તેજઃ સ્ફરન્મણિષ યાતિ યથા મહત્ત્વ, નૈવ તુ કાચ-શકલે કિરણાકુલેડપિ. ૨૦.
અર્થ:- હે નાથ! અનંત ધર્માત્મક પદાર્થોને વિષે કર્યો છે પ્રકાશ જેણે એવું જ્ઞાન (કેવળજ્ઞાન) જેવી રીતે તમારે વિષે શોભે છે, તેવી રીતે પોતપોતાના શાસનના નાયક એવા હરિહરાદિ દેવોને વિષે એવા પ્રકારનું (જ્ઞાન) નથી શોભતું. કેમ કે દેદીપ્યમાન (જાતિવંત) મણિઓને વિષે જેવી રીતે પ્રકાશ મોટાઈને પામે છે. તેવી રીતે કાતિવડે વ્યાપ્ત (ચળકતા) એવા પણ કાચના કકડાને વિષે એ પ્રકારે મોટાઈ નથી પામતો. અર્થાત્ અન્ય દેવોને વિર્ભાગજ્ઞાન છે; તમારા જેવું કેવળજ્ઞાન તેમનામાં નથી. ૨૦.
શબ્દાર્થ મજે - માનું છું.
એતિ - પામે છે. વર - શ્રેષ્ઠ.
વિક્ષિતેન - દેખાયેલ. હરિહરાદય - હરિહરાદિ દેવો. | ભવતા - તમારા વડે. દેખાઃ - જોયા.
ભુવિ - પૃથ્વીમાં. દૃષ્ટબુ - જોયે છતે.
યેન - જે વડે. મેષ - જેઓને.
કશ્ચિત - કોઈપણ. હૃદય - મારું ચિત્ત.
હરતિ - હરણ કરે છે. તોષ - સંતોષને.
| ભવાન્તરે - બીજા ભવને વિષે.
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૪૧ સ્ત્રીણાં - સ્ત્રીઓના.
પુરસ્સાત્ - આગળ. શતાનિ - સંકડાઓ.
સમ્યમ્ - રૂડા પ્રકારે. શતશો - સેંકડો.
ઉપલભ્ય - પામીને. જનયંતિ - પ્રવે છે.
જયંતિ - જીતે છે. પુત્રાનું - પુત્રોને.
મૃત્યું - મરણ. અન્યા: - બીજી.
શિવઃ - નિરુપદ્રવ. સુત - પુત્રને.
શિવપદસ્ય - મોક્ષપદનો. ત્વદુપમ - તમારા સરખા.
પંથાઃ- માર્ગ-રસ્તો. જનની - માતા.
અવ્યયં - નાશ ન પામે તેવા. પ્રસૂતા -પ્રસવતી -જન્મ આપતી.
વિભું સમર્થ. સવ - બધી.
અચિંત્યં- અચિંત્યમહિમાવાળા. દિશઃ - દિશાઓ.
અસંખ્ય - અસંખ્ય ગુણવાળા. દધતિ - ધારણ કરે છે.
આદ્ય - પહેલા. ભાનિ - નક્ષત્રોને.
બ્રહ્માણ - બ્રહ્મસ્વરૂપ. સહસ્રરશિમ - સૂર્યને.
ઈશ્વરં દેવના દેવ. પ્રાચી - પૂર્વ
અનંત - અંતરહિત.
અનંગકેતુ - કામદેવનો નાશ દિગુ - દિશા. જનયતિ - ઉત્પન્ન કરે છે.
કરવામાં પૂંછડીયા તારા સરખા.
યોગીશ્વર - યોગીઓના ઈશ્વર. સુરદંશુજાલ - દેદીપ્યમાન છે.
વિદિતયોગ - યોગને જાણનાર. કિરણોનો સમૂહ જેનો એવા.
અનેક - અનેક પર્યાયવાળા. ત્વાં - તમોને.
એક - અદ્વિતીય. મુનયઃ- મુનિઓ.
જ્ઞાનસ્વરૂપ - જ્ઞાનસ્વરૂપી. પરમ - ઉત્કૃષ્ટ.
| અમલ - અઢારે દોષરહિત. પુમાંસમ્ - પુરુષ.
પ્રવદંતિ - કહે છે. આદિત્યવર્ણમુ-સૂર્યના જેવા વર્ણવાળા.
સંતઃ - સજ્જન પુરૂષો. અમલ - નિર્મળ.
બુદ્ધઃ- બુદ્ધ છો. તમસઃ - અંધકારની.
ત્વમેવ - તમે જ.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૪૨
વિબુધાર્ચિત -દેવતાઓએ પૂજયો છે. | ધીર! - હે ધીર ! બુદ્ધિબોધાત્ બુદ્ધિનો બોધ જેનો | શિવમાર્ગવિધઃ-મોક્ષની વિધિને.
એવા તેથી. | વિધાનાત - રચવા થકી. શંકરઃ - શંકર.
| વ્યક્ત - પ્રકટ. શંકર–ાત્ - સુખ કરવાપણાથી. | પુરુષોત્તમ - પુરુષોત્તમ. ધાતા - વિધાતા.
અસિ - છો.
નિંદા - સ્તુતિ મળે' વર હરિહરાદય એવ દેખા, દિષ્ટભુ યેષુ હૃદયં ત્વયિ તોષમેતિ; કિં વીક્ષિતેન ભવતા ભુમિ યેન નાન્ય , કશ્ચિન્મનો હરતિ નાથ ! ભવાંતરેડપિ. ૨૧.
અર્થ:- હે નાથ! હરિ-હરાદિ દેવો જોયા તે હું સારું જ માનું છું. જેને દીઠે છતે હૃદય (મારું ચિત્ત) તમારે વિષે સંતોષ (આનંદ)ને પામે છે. દેખેલા એવા તમો વડે કરીને શું? તો કે જે (તમારા દર્શન) વડે પૃથ્વીને વિષે બીજો કોઈ દેવ ભવાંતરને વિષે પણ મનને હરણ નહિ કરે. ૨૧.
માતાની પ્રશંસાદ્વારા પ્રભુસ્તુતિ. સ્ત્રીમાં શતાનિ શતશો જનયંતિ પુત્રાનું, નાન્યા સુતં તદુપમં જનની પ્રસૂતા; ૧. જેમ સામાન્ય વસ્તુને જોયા પછી તેના કરતાં સારી વસ્તુ જોવામાં આવતાં વિશેષ આનંદ થાય છે, તેમ હરિ-હરાદિને મેં પ્રથમ જોયા અને પછી તમને જોયા તેથી તમારી ઉત્તમતા મને વિશેષે દઢ થઈ. માટે પ્રથમ હરિ-હરાદિને જોયા તે સારું થયું તેમ હું માનું છું. તમને સર્વ ગુણસંપન્ન જોઈને હવે રાગ-દ્વેષ, કામ-ક્રોધાદિ દોષવાળા અન્ય દેવોમાં મારું મન ભવાંતરમાં પણ સંતોષ પામશે જ નહિ.
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૪૩ સર્વા દિશો દધતિ ભાનિ સહસ્રરશિમ, પ્રાચ્ચેવ દિજનયતિ સુરદંશુજાલમુ. ૨૨.
અર્થ - સ્ત્રીઓના સંકડાઓ (સેંકડો સ્ત્રીઓ) સેંકડો પુત્રોને પ્રસવે છે પરંતુ તમારા જેવા પુત્રને બીજી માતા જન્મ આપતી નથી. કેમ કે બધી દિશાઓ નક્ષત્રોને ધારણ કરે છે, પણ દેદીપ્યમાન છે કિરણોનો સમૂહ જેનો એવા સૂર્યને પૂર્વ દિશા જ ઉત્પન્ન કરે છે. અર્થાત્ સૂર્યને જન્મ આપનાર જેમ પૂર્વ દિશા જ છે તેમ તમારા જેવા પુત્રને જન્મ આપનાર તો તમારી માતા (મરુદેવા) જ છે. ૨૨.
પ્રભુના પરમ પુરુષત્વનું વર્ણન –ામામનંતિ મુનયઃ પરમં પુમાંસ,માદિત્યવર્ણ-મમલ તમસઃ પુરસ્કા; ત્વમેવ સમ્ય-ગુપલભ્ય જયંતિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર! પંથાઃ ર૩.
અર્થ :- હે મુનીંદ્ર ! મુનિઓ તમને પરમ પુરુષ (નિષ્કમ), પાપરૂપ અંધકારની આગળ સૂર્ય જેવી કાન્તિવાળા અને નિર્મળ (રાગ-દ્વેષરહિત) કહે છે, તમોને જે રૂડા પ્રકારે પામીને (જાણીને) મૃત્યુને જીતે છે, તે સિવાય બીજો કોઈ ઉપદ્રવ રહિત મોક્ષપદનો માર્ગ (રસ્તો) નથી. ૨૩.
સર્વ દેવના નામે જિનસ્તુતિ. –ામવ્યય વિભુ-મચિન્ય-મસંખ્ય-માધું, બ્રહ્માણ-મીશ્વર-મનન્ત-મનંગકેતુમુ; ૧. જન્મ-મરણ ટાળે છે અર્થાત્ સિદ્ધદશાને પામે છે.
૨. જગતનો સંહાર કરવાને પૂછડીયો તારો જેમ હેતુભૂત છે તેમ તમે કામદેવને હણવાને કેતુ તુલ્ય છો.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૪૪
યોગીશ્વર વિદિતયોગ-મનેક-મેકં, જ્ઞાનસ્વરૂપ-મમલં પ્રવદન્તિ સંતઃ. ૨૪.
અર્થ :- હે પ્રભુ ! સંત (સાધુ-સજ્જન) પુરુષો તમોને અવ્યય (નાશ ન પામે તેવા), વિભુ (પરમ ઐશ્વર્ય વડે શોભતાકર્મનું ઉન્મૂલન કરવામાં સમર્થ), અચિત્ત્વ (અચિત્ત્વ ગુણવાળા અથવા આધ્યાત્મિક પુરુષો વડે કરી પણ ચિંતવન થઈ ન શકે એવું સ્વરૂપ છે જેનું એવા), અસંખ્ય ગુણવાળા, આદ્ય (પહેલા તીર્થંકર અથવા લોકવ્યવહારરૂપ સૃષ્ટિની શરૂઆત કરનાર અથવા પંચ પરમેષ્ઠિને વિષે આદ્ય), બ્રહ્મ સ્વરૂપ (પરમાનંદ સ્વરૂપ, નિવૃત્તિરૂપ), ઈશ્વર (દેવના દેવ), અનંત (અનંત જ્ઞાન-દર્શનવાળા અથવા મૃત્યુરૂપ અંત વિનાના), અનંગકેતુ (કામદેવનો નાશ કરવાને પૂંછડીયા તારા જેવા અથવા અંગ-ઔદારિકાદિ શરીર તે રૂપ કેતુ-ચિહ્ન જેને નથી તેવા), યોગીઓના ઈશ્વર (ચાર-જ્ઞાની મુનિઓ અથવા ધ્યાની પુરુષોના ઈશ્વર). યોગ, (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપને જાણનાર અથવા જણાયો છે અષ્ટાંગ યોગ જેનાથી એવા), અનેક (જ્ઞાને કરીને સર્વવ્યાપક હોવાથી અનેક અથવા અનેક પર્યાયવાળા), અદ્વિતીય (સર્વોત્તમ), જ્ઞાનસ્વરૂપ (કેવળજ્ઞાનરૂપ સ્વરૂપ છે જેનું એવા) અને નિર્મળ (અઢાર દોષરહિત) એવા કહે છે. ૨૪. બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત-બુદ્ધિ-બોધાત, ત્ર્યં શંકરોડસિ ભુવનત્રય-શંકરત્વાત્;
૧. વિ=વિશેષ પ્રકારે, દિત=ખંડન કર્યો છે. યોગ=કર્મનો સંબંધ જેણે એવા. એવો પણ અર્થ થાય છે.
૨. તત્ત્વને જાણે તે બુદ્ધ. ૩. સુખને કરે તે શંકર.
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૪૫
ધાતાસિ ધીર ! શિવમાર્ગવિધવિધાનાત્, વ્યક્તિત્વમેવ ભગવન્! પુરુષોત્તમોડસિ. ૨૫.
અર્થ :- હે નાથ દેવતાઓએ અર્ચિત કર્યો છે બુદ્ધિનો બોધ જેનો એવા છો - માટે તમે જ બુદ્ધદેવ છો. ત્રણ ભુવનને સુખને કરવાપણા થકી તમે જ શંકર છો, હે ધીર ! મોક્ષમાર્ગની વિધિ (રત્નત્રયરૂપ)ને રચવાથી (પ્રરૂપવાથકી) તમે જ બ્રહ્મા છો. હે ભગવંત ! તમે જ પ્રકટ પુરુષોત્તમ (કૃષ્ણ) છો. અર્થાત્ બુદ્ધ, શંકર, બ્રહ્મા અને નારાયણ એ યથાર્થ નામ પ્રમાણે ગુણવાળા નથી કેમ કે બુદ્ધ કેવલજ્ઞાન રહિત, શંકર-સંહાર કરનારા, બ્રહ્માહિંસક વેદના ઉપદેશ દેનારા અને કૃષ્ણ કપટ યુક્ત છે; માટે તે નામના યથાર્થ ગુણો સર્વ આપનામાં જ છે. ૨૫.
શબ્દાર્થ તુલ્યું - તમોને,
સંશ્રિતઃ - આશ્રય કરાયેલા છો. નમઃ - નમસ્કાર હો. | નિરવકાશતયા - નિરંતરપણે. ત્રિભુવનાર્તિહરાય-ત્રણ ભુવનની | દોર્ષ:- દોષો વડે.
પીડાને હરનારા. | ઉપારવિવિધાશ્રય - ગ્રહણ કરેલા ક્ષિતિતલ - પૃથ્વીતલને વિષે. | વિવિધ આશ્રયો વડે. અમલભૂષણાય-નિર્મળભૂષણ રૂપ. | જાતગર્વે: - ઉત્પન્ન થયો છે ગર્વ ત્રિજગતઃ - ત્રણ જગતના.
જેને એવા (દોષો). પરમેશ્વરાય - પરમેશ્વરને.
સ્વપ્રાંતરે - સ્વમાંતરમાં. ભવોદધિશોષણાય-ભવસાગરને | ઇક્ષિત - જોવાયેલા.
શોષણ કરનારને. અસિ - છો. વિસ્મય: - આશ્ચર્ય.
ઉચ્ચઃ - ઉંચા. નામ - આમંત્રણના અર્થમાં. | અશોકતરુસંશ્રિત - અશોકવૃક્ષને અશેષેઃ - સમસ્ત.
આશ્રય કરીને રહેલું. ૧. શિવમાર્ગને કરે-રચે તે બ્રહ્મા. ૨. પુરુષોમાંટે ઉત્તમ તે પુરુષોત્તમ.
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ઉન્મયૂર્ખ - ઉંચા છે કિરણો જેનાં એવું. | અંશુલતાવિતાનં - કિરણોની
આભાતિ - શોભે છે.
નિતાંતમ્ - અત્યંત.
શાખાનો સમૂહ છે જેને એવું. તુંગોદયાદ્રિ - ઊંચા મેરૂપર્વતના. શિરસિ - શિખર ઉપર.
સ્પષ્ટ - પ્રકટ.
|
ઉલ્લસત્ઝિરણું - દેદીપ્યમાન છે કિરણો જેનાં એવું.
|
અસ્ત - નાશ કર્યો છે. તમોવિતા - અંધકારનો સમૂહ જેણે. રવેઃ - સૂર્યનું. પયોધરપાર્શ્વવર્તિ - મેઘની પાસે
સહસ્રરમેઃ - સૂર્યના. કુંદાવદાત - મોંગરાના પુષ્પ જેવા
ઉજ્જવળ.
ચલચામર - વિંઝેલા ચામરો વડે. ચારુશોભે - મનોજ્ઞ છે શોભા જેની એવું.
રહેલું.
કલૌતકાંત – સુવર્ણ સરખું મનોહર.
ઉઘચ્છશાંક - ઉદય પામેલા ચંદ્ર સરખા.
સિંહાસને - સિંહાસનને વિષે. મણિમયૂખ - મણિઓના કિરણોની. શિખાવિચિત્રે - પંક્તિવડે ચિત્ર - | શુચિનિર્ઝર - નિર્મળ ઝરણાના. વિચિત્ર. | વારિધાર - પાણીની ધારા છે જેને વિષે એવું.
|
વિભ્રાજતે - શોભે છે. વપુઃ - શરીર.
તટ - શિખર.
કનકાવદાતં - સુવર્ણ જેવું મનોજ્ઞ. | સુગિરેઃ - મેરૂ પર્વતનું. વિયદ્વિલસત્ - આકાશને વિષે | ઇવ - પેઠે.
ઉદ્યોતમાન. | શાતકૌમાં - સુવર્ણમય.
જિનસ્તુતિ
તુવ્યં નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ !, તુભ્યે નમઃ 'ક્ષિતિ-તલા-મલ-ભૂષણાય;
૧. ક્ષિતિ=પૃથ્વી, તલ=પાતાળ અને અમલ=સ્વર્ગ, તેના મંડન તુલ્ય એવો પણ અર્થ થઈ શકે છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૪૭ તુલ્યું નમસ્ત્રિજગત: પરમેશ્વરાય, તુલ્યું નમો જિન! ભવોદધિ-શોષણાય. ર૬.
અર્થ:- હે નાથ ! ત્રણ ભુવનની પીડાને હરનાર તમોને નમસ્કાર હો. પૃથ્વીતળને વિષે નિર્મળ ભૂષણ (અલંકાર) રૂપ તમોને નમસ્કાર હો. ત્રણ જગતના પરમેશ્વર એવા તમોને નમસ્કાર હો. અને તે જિન ! ભવ (ચાર ગતિના ભ્રમણરૂપ) સમુદ્રને શોષણ કરનારા તમોને નમસ્કાર હો. ૨૬.
નિંદા-સ્તુતિ કો વિસ્મયોડત્ર યદિ નામ ગુણેરશેષે-,
સ્વં સંશ્રિતો નિરવકાશયા મુનીશ!, દો-રૂપાત્ત વિવિધાશ્રય-જાત-ગર્વેદ, “સ્વપ્રાંતરેડપિ ન કદાચિ-દપીક્ષિતોડસિ. ર૭.
અર્થ:- હે મુનીશ ! (મુનિઓના ઈશ્વર) સમસ્ત ગુણો વડે તમે નિરંતરપણે રૂડા પ્રકારે આશ્રય કરાયેલા છો; એમાં શું આશ્ચર્ય છે? કેમ કે ગ્રહણ કરેલા વિવિધ આશ્રયો વડે ઉત્પન્ન થયો છે ગર્વ જેને એવા દોષો વડે તમે સ્વપ્રાંતરમાં ક્યારે પણ
૧. કોમળ આમંત્રણમાં વપરાય છે. ૨. અન્ય દેવને વિષે સ્થાન નહિ મળવાથી સ્થાન રહિતપણાનડે એટલે અંતર રહિતપણે, ગુણો તમોને જ આશ્રય કરી રહ્યા છે. ૩. કામ-ક્રોધાદિ. ૪. ગ્રહણ કર્યા જે જાતજાતના (અન્ય દેવના) આશ્રયો (સ્થાનો) તે વડે ઉત્પન્ન થયો છે અહંકાર જેને એવા દોષો. અર્થાત્ અન્ય દેવને વિષે રહેવાનો આશ્રય મળવાથી દોષોએ તમને સ્વમાંતરમાં પણ જોયા નથી. કેમકે ઇચ્છિત સ્થાન મળવાથી બીજાની વાંછા રહેતી નથી. ૫. એક સ્વપ્રમાં બીજું સ્વમ આવે તે.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૪૮ જોવાયેલા નથી, અર્થાત્ ગુણો તમોને આશ્રય કરી રહ્યા છે અને દોષો અન્ય દેવોને આશ્રય કરી રહ્યા છે. ર૭.
અશોકવૃક્ષ નામે પ્રાતિહાર્યનું વર્ણન 'ઉચ્ચેરશોકત-સંશ્રિત-મુન્મયૂખ-, માભાતિ રૂપમ-મલ ભવતો નિતાન્તમુ;
સ્પોલસકિરણ-મસ્ત-તમોવિતાન, બિમ્બ રવેરિવ પયોધર-પાર્થવર્તિ. ૨૮.
અર્થ - હે જિન! ઉંચા અશોકવૃક્ષને આશ્રય કરીને રહેલ (અશોકવૃક્ષની નીચે બેઠેલ), ઉંચા (અથવા અધિક) છે કિરણો જેનાં એવું અને નિર્મળ (પરસેવા રહિત) એવું તમારું શરીર પ્રકટ દેદીપ્યમાન છે કિરણો જેનાં એવું, નાશ કર્યો છે અંધકારનો સમૂહ જેણે એવું અને મેઘ (વાદળા)ની પાસે રહેલું એવું સૂર્યનું બિંબ હોય તેની પેઠે અત્યંત શોભે છે. ૨૮.
સિંહાસન પ્રાતિહાર્ય વર્ણન. સિંહાસને મણિ-મયૂખ-શિખા-વિચિત્ર, વિભ્રાજવે તવ વપુઃ કનકાવદાત; બિમ્બ વિયલિસદં-શુલતા વિતાન, તંગોદયાદ્રિ શિરસીવ સહસ્રરમે . ૨૯.
અર્થ -મણિઓના કિરણોની પંક્તિ (અથવા અગ્રભાગ) વડે ચિત્ર-વિચિત્ર એવા સિંહાસનને વિષે સુવર્ણના જેવું મનોજ્ઞ
૧. જિનેશ્વરના શરીર કરતાં બારગણું ઊંચું અશોકવૃક્ષ હોય છે. ૨. અહીં કિરણના સમૂહ સમાન મણિના કિરણોની પંક્તિ, ઉદયાચળ પર્વત સમાન સિંહાસન અને સૂર્યબિંબ સમાન પ્રભુનું શરીર જાણવું.
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૪૯
તમારું શરીર, ઊંચા મેરૂ પર્વતના શિખર ઉપર આકાશને વિષે ઉદ્યોતમાન્ (પ્રસરેલા) કિરણોની શાખાનો સમૂહ છે જેને એવું સૂર્યનું બિંબ હોય તેની પેઠે વિશેષે કરીને શોભે છે. ૨૯. ચામર પ્રાતિહાર્યનું વર્ણન
કુન્દાવદાત-ચલચામર-ચારુશોભં, વિભાજતે તવ વપુઃ કલ-ધૌતકાન્તમ્; ઉઘચ્છશાંક-શુચિ-નિર્ઝર-વારિધાર-, મુચ્ચુસ્તટ* સુરગિરેરિવ શાતકૌમ્. ૩૦. અર્થ :- હે પ્રભુ ! મોગરાના પુષ્પ જેવા શ્વેત વર્ણવાળાં અને (ઇન્દ્રોએ) વીઝેલા એવાં ચામરો વડે મનોહર છે શોભા જેની એવું તથા સુવર્ણ સરખું મનોહર તમારું શરીર, ઉદય પામેલા ચંદ્ર સરખા નિર્મળ ઝરણના પાણીની ધારા જેને વિષે છે એવું અને સુવર્ણમય મેરૂપર્વતનું ઉંચું શિખર હોય, તેના જેવું વિશેષ કરીને શોભે છે. ૩૦.
શબ્દાર્થ
છત્રત્રયં - ત્રણ છત્ર. શશાંકકાંત - ચંદ્ર સરખું મનોહર. સ્થિત - રહેલું. સ્થગિત - ઢાંકી દીધો છે. ભાનુકરપ્રતાપં - સૂર્યના કિરણોનો પ્રતાપ જેણે એવું.
મુક્તાફલપ્રકરજાલ - મોતીના
|
|
વિવૃદ્ધશોભં - વિશેષ વૃદ્ધિ પામી છે શોભા જેની એવું. પ્રખ્યાપયમ્ - પ્રકર્ષે જણાવનારૂં. પરમેશ્વરત્વ - પરમેશ્વરપણાને.
ઉન્નિદ્ર - વિકસ્વર થયેલા. હેમનવપંકજ - સુવર્ણના નવ
કમળના.
સમૂહની રચના વડે. | પુંજકાન્તિ - સમૂહની કાન્તિ વડે.
* અહીં મેરૂપર્વતના શિખર તુલ્ય ભગવંતનું શરીર અને પાણીની ધારા તુલ્ય વીંઝાતા ચામરો જાણવાં.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૫૦ પર્વલ્લસત્રખ- ઉછળતા નખનાં. | કપોલમૂલ - ગંડસ્થળોને વિષે. મયૂખશિખા-કિરણોની પંક્તિ વડે. | મત્તભ્રમ - મદોન્મત્ત થયેલા અભિરામ - મનોહર.
અને ભમતા. પાદો - બે ચરણો.
ભ્રમરનાદ-ભમરાઓના શબ્દ વડે. પદાનિ - ગમનસ્થાનને. વિવૃદ્ધકોપ - વિશેષે વૃદ્ધિ પામ્યો ધત્તઃ - ધારણ કરે છે.
છે કોપ જેનો એવા. પઘાનિ - કમળોને.
ઐરાવતાભ - ઐરાવત જેવી વિબુધાઃ- દેવતાઓ.
કાન્તિવાળા. પરિકલ્પયંતિ - રચે છે.
ઇર્ભ - હસ્તિને. ઇન્ચે એ પ્રકારની.
ઉદ્ધત - ઉદ્ધત. વિભૂતિઃ - સંપદા.
આપતન્ત - સન્મુખ આવતા.
ભય - ભય. અભૂત - હતી.
આશ્રિતાનાં -આશ્રિતો-ભક્તજનોને. ધર્મોપદેશનવિધી - ધર્મના
ભિન્નભ - ભેદાયેલા હસ્તિના. ઉપદેશની વિધિમાં.
કુંભગલત્ - કુંભસ્થળ થકી પડેલા. પરણ્ય - અન્ય દેવની.
ઉજ્વલશોણિતાક્ત- ઉજ્જવળ યાદક - જેવી.
અને લોહીથી ખરડાયેલા. પ્રભા - કાન્તિ.
મુક્તાફલપ્રકર-મોતીના સમૂહ વડે. દિનકૃતઃ - સૂર્યની.
ભૂષિતભૂમિભાગઃ શોભાવ્યો પ્રહતાંધકારા - પ્રકર્ષે કરીને હણ્યો | છે પથ્વીનો ભાગ જેણે એવો. છે અંધકાર જેણે એવી.
બદ્ધક્રમ: - ફાળ મારતો. તાદક - તેવી.
ક્રમગત - ફાળમાં આવી ગયેલને. કુતઃ - ક્યાંથી.
| હરિણાધિપઃ- સિંહ. ગ્રહગણસ્ય - ગ્રહસમૂહની. | આક્રામતિ - પરાભવ કરે છે. વિકાશિનઃ - પ્રકાશિત થયેલા. | ક્રમયુગાચલ - ચરણ યુગલરૂપ રચ્યોત–- ઝરતા.
પર્વતને. મદાવિલવિલોલ-મદ વડે કલુષિત | સંશ્રિત - આશ્રિત જનને.
થયેલા અને ચંચળ. | તે - તમારા.
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૫૧
છત્રત્રય પ્રાતિહાર્ય વર્ણન છત્રત્રયં તવ વિભાતિ શશાંકકાન્ત,મુચ્ચે સ્થિતં સ્થગિત-ભાનુકર-પ્રતાપ; મુક્તાફલ-પ્રકર-જાલ-વિવૃદ્ધ-શોભે, પ્રખ્યાપયત્રિજગતઃ પરમેશ્વરત્વમ્. ૩૧.
અર્થ:- હે પ્રભુ! ચંદ્ર સરખું મનોહર (અથવા ઉજ્વળ) ઊંચે રહેલું (તમારા મસ્તકે ધારણ કરાયેલું), ઢાંકી દીધો છે સૂર્યના કિરણોનો પ્રતાપ (તેજ અથવા સંતાપ-પીડા) જેણે એવું, મોતીના સમૂહની રચના વડે વિશેષે વૃદ્ધિ પામી છે શોભા જેની એવું અને ત્રણ જગતના પરમેશ્વરપણા (અધિપતિપણા)ને જાણે પ્રકર્ષે કરીને જણાવતું હોય નહિ! તેવું તમારૂં છત્રત્રય વિશેષ શોભે છે. ૩૧.
ઉન્નિદ્ર-હેમ-નવપંકજ-પુંજ-કાન્તિ -
પર્યુલસન્નખ-મયૂખ-શિખાડભિરામૌ; ૧. ત્રણ છત્ર. ૨. એ ત્રણ છત્ર એમ સૂચવે છે કે - આ ભગવંત ત્રણ જગતના સ્વામિ છે, કેમકે અન્ય રાજા-મહારાજાઓને એક છત્ર હોય છે અને ભગવંતને ત્રણ છત્ર છે આ ૩૧મા શ્લોક પછી પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ભામંડલ અને દેવદુંદુભિ એ ચાર અતિશયના વર્ણનવાળા ચાર કાવ્યો સ્તોત્રકારે બનાવ્યાં હતાં પરંતુ તેમાં વર્ણવેલ યુગાદિ દેવની સ્તુતિના આકર્ષણથી ચકેશ્વરીનું આસન કંપતું હતું. તેથી તે ચાર કાવ્યો ગોપવ્યાં છે એમ કહેવાય છે. અહીં દિગંબરોએ ગંભીરતારરવપૂરિદિગ્વિભાગ ઇત્યાદિ ચાર કાવ્યો નવીન બનાવીને ગોઠવ્યાં છે.
૩. અહીં કાન્તિ શબ્દના છે કારને દીર્ઘ કરીને એવો અર્થ પણ કરાય છે - “વિકસિત સુવર્ણના નવ કમળના સમૂહની કાન્તિવાળાં' એવાં ચરણો.
Page #355
--------------------------------------------------------------------------
________________
ઉપર પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર! પત્ત, પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પત્તિ. ૩૨.
અર્થ :- હે જિનેન્દ્ર ! વિકસ્વર થયેલા સુવર્ણના નવ (અથવા નવન) કમળના સમૂહની કાન્તિવડે ચારે તરફ ઉછળતાં નખનાં કિરણોની પંક્તિવડે મનોહર એવા તમારાં બે ચરણો
જ્યારે ગમનસ્થાનને ધારણ કરે છે (ચરણન્યાસ કરે છે - જાય છે) ત્યાં દેવતાઓ કમળોને રચે છે. ૩૨.
અતિશય લક્ષ્મીનું વર્ણન. ઇન્ધ યથા તવ વિભૂતિરભૂજિનેન્દ્ર !, ધર્મોપદેશન-વિધી ન તથા પરસ્ય; યાદક પ્રભા દિનકૃતઃ પ્રહતાંધકારા, તાદફક્તો ગ્રહ-ગણમ્ય વિકાશિનોડપિ. ૩૩.
અર્થ:- હે જિનેન્દ્ર ! ધર્મના વિધિમાં (ધર્મ-વ્યાખ્યાન કરતી વખતે) એ પૂર્વોક્ત પ્રકારની તમારી અતિશયરૂપ સંપદા જે પ્રકારે હોતી હવી, તે પ્રકારે અન્ય દેવોની સંપદા ન હોતી, કેમકે પ્રકર્ષે
૧. તીર્થંકરદેવ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તેમના ચરણ કમળ નીચે દેવતાઓ નવ કમળ વખતોવખત પરાવર્તન કરીને રચે છે. બે ચરણ નીચે બે કમળ રહે છે અને સાત કમળ પાછળ ચાલે છે ભગવંત ચરણ ઉપાડે એટલે તેમાંથી બે કમળ દેવતાઓ આગળ સ્થાપે છે કમળ એનાં એ હોય છે પણ દેવતાઓ તેનું પરાવર્તન કરે છે. એટલે નવીન જણાય છે અહીં કમળનો વર્ણ પીળો અને ભગવંતના નખની કાન્તિ રક્ત (રાતી) છે, તેથી બંનેના મેળાપથી ચરણ કમળનો વિચિત્ર વર્ણ થાય છે, એમ કહ્યું છે. ૨. દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખે તે ધર્મ.
૩. અન્ય હરિ-હરાદિ દેવોમાં સરાગપણું હોવાથી ચોત્રીશ અતિશય અને આઠ પ્રાતિહાર્યરૂપી લક્ષ્મી તેમને હોતી નથી.
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૫૩
કરીને હણ્યો છે અંધકાર જેણે એવી સૂર્યની કાન્તિ જેવી છે તેવી કાન્તિ પ્રકાશિત થયેલ પણ ગ્રહસમૂહની ક્યાંથી હોય ?
ગજ ભયહર કાવ્ય.
ચ્યોતન્મદાવિલ-વિલોલ-કપોલમૂલ-, મત્ત-ભ્રમદ્-ભ્રમર-નાદ-વિવૃદ્ધકોપમ્; ઐરાવતામિ-ભમુ`દ્ધતમાપદંત,
દૃષ્ટવા ભયં ભવતિ નો ભવદાશ્રિતાનામ્. ૩૪. અર્થ ::- ઝરતા મદવડે કરીને કલુષિત થયેલા અને ચંચળ એવા જે ગંડસ્થળો તેને વિષે મદોન્મત થયેલા અને અહીં તહીં ભમતા એવા ભ્રમરોના ઝંકાર શબ્દવડે વિશેષ વૃદ્ધિ પામ્યો છે કોપ જેનો એવા, ઐરાવત હસ્તિ સરખી છે કાન્તિ જેની એવા અને ઉદ્ધત (દુર્દાત) એવા હસ્તિને સન્મુખ આવતો જોઈને તમારા આશ્રિતો (ભક્તજનો)ને ભય ઉત્પન્ન થતો નથી.
ભિન્નેભ-કુંભગલ-દુંજ્વલ-શોણિતાત,મુક્તાફલ-પ્રકર-ભૂષિત-ભૂમિભાગઃ; બદ્ધક્રમઃ ક્રમગતું હરિણાધિપોઽપિ, નાક્રામતિ ક્રમયુગા-ચલ-સંશ્રિતં તે. ૩૫.
૧. મ્હોટી કાયાવાળો હોવાથી ઐરાવત (ઇન્દ્રના હસ્તિ) સરખો કહ્યો છે. ૨. અંકુશાદિ શસ્ત્રના પ્રહારની પણ અવગણના કરતો.
૩. જેમ પર્વતનો આશ્રય લેવાથી મનુષ્યને સિંહ ભય કરી શકતો નથી તેમ તમારા નામસ્મરણ વડે તમારા ચરણનો આશ્રય કરનારા મનુષ્ય મ્હોટા બળવાન સિંહની ફાળમાં આવી ગયા હોય તો પણ તેમને સિંહ મારી શકતો નથી.
૨૩
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૫૪
અર્થ - ભેદાયેલ હસ્તિના કુંભસ્થળ થકી પડેલા, ઉજ્વળ અને લોહીથી ખરડાયેલા એવા મોતીના સમૂહવડે શોભાવ્યું છે, પૃથ્વીપીઠ જેણે એવો તથા ફાળ મારતો એવો સિંહ પણ તમારા ચરણયુગલરૂપ પર્વતનો આશ્રય કરીને રહેલ મનુષ્યને ફાળમાં પ્રાપ્ત થયો હોય (પોતાની પાસે જ આવી ગયો હોય) તો પણ પરાભવ કરતો નથી. અર્થાત્ મારવાને દોડતો નથી - મારી શકતો નથી. ૩૫.
શબ્દાર્થ પવનોદ્ધતં પવનવડે ઉદ્ધત થયેલ. | ઉત્કર્ણ -ઉંચી કરી છે ફણા જેણે એવા. વદ્વિકલ્પ - અગ્નિસદશ. | મયુગેન - ચરણયુગલે કરીને. દાવાનલ - વનના અગ્નિને. નિરસ્તશંકઃ - નાશ થયો છે ભય વલિત - જાજવલ્યમાન.
જેનો એવો. ઉજ્વલ - ઉજ્જવળ. | ત્વજ્ઞામનાગદમની-તમારાંનામરૂપ ઉત્કલિંગ-ઉંચા ગયા છે તણખા | નાગદમની (ઔષધી કે મંત્ર)
જેના એવા. | હરિ - હૃદયને વિષે. વિશ્વ - જગતને.
પુસઃ - પુરુષના. જિઘન્યું - ગળી જવાને ઈચ્છતો. | વલ્સત્ - યુદ્ધ કરતા. સંમુખ - સન્મુખ.
તુરંગગજગર્જિત - ઘોડા અને નામકીર્તનકલં-નામના કીર્તનરૂપ હાથીઓની ગર્જનાઓ વડે.
પાણી. | ભીમનાદ- ભયંકર છે શબ્દો જેને શમયતિ - શાન્ત કરે છે.
વિષે એવું (સૈન્ય). અશેષ - સમસ્ત.
આજી - સંગ્રામને વિષે. રક્તક્ષણં - લાલ નેત્રવાળા. | બલ - સૈન્ય. સમદકોકિલમદોન્મત્ત કોયલના. | બલવતાં - બળવાન. કંઠનીલ - કંઠ જેવા શ્યામવર્ણવાળા. | ભૂપતીનાં - રાજાઓનું. કોધોદ્ધતિ - કોપવડે ઉદ્ધત. દિવાકરમયૂખ-સૂર્યના કિરણોની. ફણિન - સર્પને.
| શિખાપવિદ્ધ-શિખાઓ વડે ભેદાયેલું.
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૫૫ ત્વકીર્તનાત- તમારા કીર્તન થકી. | લભત્તે - પામે છે. તમ ઈવ - અંધકારની પેઠે. અંભોનિધી સમુદ્રને વિષે. ભિદાં - ભેદને.
સુભિત - લોભ પામેલા. ઉપૈતિ - પામે છે.
| ભીષણનચક - ભયંકર નક કંતાગ્રભિન્ન ભાલાની અણીઓ | જાતિના સમૂહો (અને).
વડે ભેદાયેલા. | પાઠીનપીઠ - પાઠીનપીઠ જાતના ગજશોણિત - હસ્તિનારૂધિર રૂ૫. |
જળજંતુ. વારિવાહ-પાણીના પ્રવાહને વિષે. | ભયદોબૂણ - ભય આપનાર વેગાવતારતરણ - ઉતાવળે પ્રવેશ
અને ઉત્કટ. થવાથકી તેને તરવાને | વાડવાગ્નો - વડવાનળ છે જેને આતુરોધભીમે - આતુર થયેલા
વિષે એવા. યોદ્ધાઓ વડે ભયંકર. / રંગત્તરંગ - ઉછળતા કલ્લોલના. યુદ્ધ - યુદ્ધને વિષે.
શિખરસ્થિત શિખર ઉપર રહેલું જય - જયને. વિજિતદુર્જય - વિશેષ પ્રકારે | યાનપાત્રા - વહાણ જેનું એવા જીત્યા છે દુઃખે જીતાય એવા.
પુરુષો. જયપક્ષા - શત્રના પક્ષો જેણે | ત્રાસ - ભયને.
એવા છતાં. | વિહાય - ત્યાગ કરીને. વનાયિણઃ - વનને આશ્રય | સ્મરણાદુ - સ્મરણથકી.
કરીને રહેલા. | વનંતિ - ઇચ્છિત સ્થાને જાય છે.
અગ્નિ ભયહર કાવ્ય. કલ્પાન્તકાલ-પવનોદ્ધત-વત્રિકલ્પ, દાવાનલ જ્વલિત-મુન્દ્રલ-મુસ્કુલિંગમુ; વિશ્વ જિઘસુમિવ સંમુખ-માપદંત,
ત્વન્નામ-કીર્તન-જલે શમયત્યશેષ: ૩૯. ૧. નિરવશેષપણે એવો ક્રિયાવિશેષણ અવ્યયનો અર્થ પણ લઈ શકાય.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૫૬
અર્થ :- પ્રલયકાળના પવનવડે ઉદ્ધત થયેલા (પ્રેરાયેલા) અગ્નિસદેશ, જાજ્વલ્યમાન, ઉજ્વળ (જ્વાળાથી શોભતો અથવા પ્રબળપણે સળગતો), ઉંચા ગયેલ છે તણખા જેના એવો અને જગતને ગળી જવાને જાણે ઇચ્છતો હોય તેમ સન્મુખ આવતો એવો સમસ્ત જે દાવાનળ (વનનો અગ્નિ) તેને તમારા નામના કીર્તનરૂપ જળ શાન્ત કરે છે. ૩૬. સર્પ ભયહર કાવ્ય
રક્તેક્ષણં સમદ-કોકિલ-કણ્ઠનીલં, ક્રોધોદ્ધતં ફણિન-મુત્ફણ-માપતન્તમ્; આક્રામતિ ક્રમ-યુગેન નિરસ્ત-શંક,સ્વન્નામ-નાગદમની હૃદિ યસ્ય પુંસઃ. ૩૭. અર્થ :- હે ભગવંત ! તમારા નામરૂપ નાગદમની જે પુરુષના હૃદયને વિષે વર્તે છે તે પુરુષ, લાલ નેત્રવાળા, મદોન્મત્ત કોયલના કંઠ સરખા શ્યામ વર્ણવાળા, ક્રોધવડે ઉદ્ધત, ઊંચી કરી છે ફણા જેણે એવા અને (કરડવાને) સન્મુખ આવતા એવા સર્પને નાશ થયો છે ભય જેનો એવો (નિર્ભય) છતો (પોતાના) ચરણયુગલવડે ઉલ્લંઘન કરે છે, અર્થાત્ જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપ મંત્ર છે તે પુરુષ નિર્ભયપણે ઉગ્ર સર્પને પોતાના પગ વડે કરીને દોરડાની માફક સ્પર્શ કરે છે - પગવડે દૂર કરે છે - દબાવે છે. ૩૭.
સંગ્રામભયહર કાવ્યયમ્
વલ્ગન્નુરંગ-ગજગર્જિત-ભીમનાદ,
૧. વિષને હરણ કરનાર ઔષધી અથવા જાંગુલી મંત્ર ૨. આ બે કાવ્ય ગણવાથી યુદ્ધને વિષે જય મળે છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૫૭ માજી બલં બલવતામપિ ભૂપતીનામુ; ઉદ્યદિવાકરમયૂખ-શિખાડપવિદ્ધ, તત્કીર્તના ત્તમ ઇવાશુ ભિદામુપૈતિ. ૩૮.
અર્થ - સંગ્રામને વિષે, યુદ્ધ કરતા ઘોડા અને હાથીઓની ગર્જનાવડે ભયંકર છે શબ્દો જેને વિષે એવું અતિશય બળવાન રાજાઓનું પણ સૈન્ય, તમારા કીર્તન થકી ઉદય પામેલા સૂર્યના કિરણોની શિખાઓ વડે ભેદાયેલ અંધકાર હોય તેની પેઠે શીઘ નાશ પામે છે અર્થાત્ સૂર્યના કિરણથી જેમ અંધકાર નાશ પામે છે તેમ તમારા નામ-સ્મરણથી અતિશય બળવાન રાજાનું સૈન્ય નાશ પામે છે. ૩૮.
કુતાગ્ર-ભિન્ન-ગજ-શોણિત-વારિવાહ,વેગાવતાર-તરણા-તુર-યોધભીમે; યુદ્ધ જયં વિજિત-દુર્જય-જયપક્ષા-,
સ્વત્પાદપંકજ-વનાશ્રયિણો લભત્તે. ૩૯.
અર્થ - ભાલાની અણીઓ વડે ભેદાયેલા હસ્તિના રૂધિરરૂપ જળપ્રવાહને વિષે ઉતાવળે પ્રવેશ થવા થકી તેને તરવાને આતુર (વ્યાકુળ) થયેલા યોદ્ધાઓ વડે કરીને ભયંકર યુદ્ધને વિષે તમારા ચરણરૂપ કમળવનનો આશ્રય કરીને રહેલા પુરૂષો વિશેષ પ્રકારે જીત્યા છે દુઃખે જીતાય એવા શત્રુઓના પક્ષોને જેણે એવા છતા જયને પામે છે. અર્થાત્ તમારા ચરણકમળનો આશ્રય કરીને રહેલા જનો મોટા સંગ્રામમાં જય મેળવે છે. ૩૯.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૫૮
જળભયહર કાવ્ય અમોનિધી શુભિત-ભીષણ-નક્રચક્ર,પાઠીનપીઠ - ભય - દોલ્બણ "વાડવાગ્ની; રંગત્તરંગ-શિખર-સ્થિત-યાનપાત્રા, સ્ત્રાસંવિહાય ભવતઃ સ્મરણાવ્રિજન્તિઃ ૪૦.
અર્થ :- ક્ષોભ પામેલા છે ભયંકર નક્ર જાતિના મત્સ્યના સમૂહો અને પાઠીન તથા પીઠ જાતિના જળજંતુઓ અને ભયને આપનાર તથા ઉત્કૃષ્ટ (વિષમ) વાડવાગ્નિ જેને વિષે છે એવા સમદ્રને વિષે, ઉછળતા કલોલના શિખર ઉપર રહ્યું છે વહાણ જેનું એવા પુરુષો, તમારા નામ-સ્મરણથી ત્રાસનો ત્યાગ કરીને ઇચ્છિત સ્થાને જાય છે, અર્થાત તોફાની દરિયામાં પણ તમારા નામ-સ્મરણ વડે નિર્વિદને ઇચ્છિત સ્થાને પહોંચે છે. ૪૦.
શબ્દાર્થ ઉદ્દભૂત - ઉત્પન્ન થયેલ. | દિગ્ધદેહા - લિપ્ત છે શરીર ભીષણજલોદર - ભયંકર જલોદર
જેમનાં એવા. રોગના. | મર્યા- મનુષ્યો. ભારભગ્ના ભારવડેવાંકા થયેલા. | મકરધ્વજતુલ્ય - કામદેવ સરખા. શોચ્યાં - શોક કરવા યોગ્ય. | રૂપાઃ- રૂપવાળા. દશાં - દશાને.
આપાદકંઠ - પગથી માંડીને ઉપગતા:- પ્રાપ્ત થયેલ.
ગળાપર્યત. શ્રુતજીવિતાશા - છોડી દીધી છે | ઉશંખલ-મોટી સાંકળો વડે.
જીવિતની આશા જેણે એવા. | વેષ્ટિતાંગા:- બાંધ્યાં છે અંગો ત્વત્પાદપંકજ - તમારા ચરણકમળની |
જેમનાં એવા. રજોડમૃત - રજ રૂપ અમૃત વડે. | ગાઢ - અત્યંત.
૧. વાડવાનળ અગ્નિ સમુદ્રમાં જ હોય છે તે પાણીથી ઓલાતો નથી.
Page #362
--------------------------------------------------------------------------
________________
૩પ૯ બૃહત્રિગડકોટિ - મોટી બેડીઓની ! તાવકે - તમારા.
અણીયો વડે. | સ્તવં - સ્તવનને. નિવૃજંઘા - નિઃશૈષપણે ઘસાતી | ઈમં - આ.
છે અંધાઓ જેમની એવા. | મતિમાનું - બુદ્ધિમાન. વન્નામામંત્ર-તમારા નામરૂપ મંત્રને. | સ્તોત્રસજં - સ્તોત્રરૂપ માળા. અનિશ - નિરંતર.
ગુણે - જ્ઞાનાદિ ગુણોરૂપ દોરીવડે. મનુજાઃ - મનુષ્યો.
નિબદ્ધાં - ગુંથેલી. સ્મરંતઃ - સ્મરણ કરનાર. ભકુત્યા - ભક્તિરૂપ રચનાવડે. સધ: - તત્કાળ.
મયા - મેં. સ્વયં - પોતાની મેળે.
રુચિરવર્ણ - મનોહર અસરરૂપ. વિગતબંધભયાઃ - વિશેષે ગયો | વિચિત્રપુષ્પાં - ચિત્ર-વિચિત્ર છે બંધનનો ભય જેનો એવા.
પુષ્પોવાળી, મત્તકિપેન્દ્ર - મદોન્મત્ત હતિ. ધરે - ધારણ કરે છે. મૃગરાજ - સિંહ.
કંઠગતાં - કંઠને વિષે. દવાનલાહિ - દાવાનળ, સર્પ. | અજસં - નિરંતર. સંગ્રામવારિધિ-સંગ્રામ, મહાસાગર. માનતુંગ-માનવડે ઉન્નત અથવા મહોદરબંધનોથં - જલોદર અને |
માનતુંગસૂરિને. બંધનથકી ઉત્પન્ન થયેલ. | અવશા - અસ્વતંત્ર (પોતાને નાશ - નાશને.
તાબે રહેનારી). ભય - ભય.
| સમુપૈતિ - પ્રાપ્ત થાય છે. ભિયેવ - બીકે કરીને જેમ હોય તેમ. | લક્ષમી - લક્ષ્મી.
રોગભયહર કાવ્યમ્ ઉદ્ભૂત-ભીષણ- જલોદર-ભારભુન્ના, શોચ્યાં દશા-મુપગતાશ્રુત-જીવિતાશા
–ત્પાદપંકજ-રજોડમૃત-દિગ્ધ-દેહા, મર્યા ભવન્તિ મકરધ્વજ-તુલ્યરૂપા. ૪૧.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૬૦ અર્થ :- ઉત્પન્ન થયેલ ભયંકર જલોદર રોગના ભારવડે વાંકા વળી ગયેલા, શોચનીય દશાને પ્રાપ્ત થયેલા અને છોડી દીધી છે જીવિતની આશા જેણે એવા મનુષ્યો; તમારા ચરણકમળની રજરૂપ અમૃતવડે લિસ (લેપાયેલી છે શરીર જેમનાં એવા છતા કામદેવ સરખા (સુંદર શરીરવાળા) રૂ૫વાળા થાય છે. અર્થાત્ શરીરે અમૃત ચોપડવાથી જેમ સુંદર થાય છે તેમ તમારા ચરણકમળની રજ શરીરે લગાડવાથી જલોદરાદિ દુઃસાધ્ય રોગવાળા મનુષ્યોના રોગો નાશ પામી સુંદર રૂપ થાય છે. ૪૧.
આપાદકઠ-મુરુ-શૃંખલ-વેષ્ટિતાંગા, ગાઢ બૃહત્રિગડ-કોટિનિવૃષ્ટ-જંઘા; વન્નામ-મત્ર-મનિશ મનુજાઃ સ્મરત્તર, સદ્યઃ સ્વયં વિગત-બધ-ભયા ભવત્તિ. ૪૨.
અર્થ-પગથી માંડીને ગળાપર્યત મોટી સાંકળો વડે બાંધ્યા છે અંગો જેમનાં એવા અને અત્યંત મોટી બેડીઓની અણીઓ વડે નિઃશેષપણે ઘસાતી છે જંઘાઓ જેમની એવા પણ તમારા નામરૂપ મંત્ર (ઋષભાય નમ:)ને નિરંતર સ્મરણ કરનારા મનુષ્યો, તત્કાળ પોતાની મેળે વિશેષે ગયો છે બંધનનો ભય જેનો એવા થાય છે. અર્થાત્ તમારા નામ-સ્મરણથી આકરો બંધનભય તત્કાળ નાશ પામે છે. ૪૨.
મત્ત-દ્વિપેન્દ્ર-મૃગરાજ-દવાનલાહિ,સંગ્રામ-વારિધિ-મહોદર-બધનોત્થ; તસ્યાશુ નાશ-મુપયાતિ ભયં ભિયેવ, યસ્તાવકે અવમિમં મતિમાનધીતે. ૪૩.
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૬૧ અર્થ:- હે ભગવંત ! જે બુદ્ધિમાન પુરુષ તમારા આ (ભક્તામર નામના) સ્તવનને ભણે છે તે પુરુષનો મદોન્મત્ત હસ્તિ, સિંહ, દાવાનળ, સર્પ, સંગ્રામ, મહાસાગર, જલોદર અને બંધનથકી ઉત્પન્ન થયેલ ભય, બીકે કરીને જેમ હોય તેમ શીઘ નાશ પામે છે. અર્થાત્ તમારા સ્તોત્રના પઠનથકી ઉપર કહેલા આઠ જાતના ભયો જાણે ભય પામ્યા હોય તેમ નાશ પામે છે. ૪૩.
સ્તોત્રમ્રજ તવ જિનેન્દ્ર ! ગુસૈનિબદ્ધ, ભકત્યા મયા રુચિર-વર્ણ-વિચિત્ર-પુષ્યામ; ધરે જનો ય ઈહ કાઠ-ગતા-મજગ્ન, તે માનતુંગ-મવશા સમુપૈતિ લમી. ૪૪.
અર્થ:- હે જિનેન્દ્ર ! મેં ભક્તિરૂપ રચનાવડે અને જ્ઞાનાદિ ગુણોરૂપ દોરા વડે ગુંથેલી (રચેલી) અને મનોહર અક્ષરરૂપચિત્રવિચિત્રપુષ્પોવાળી તમારા સ્તોત્રરૂપ માળાને જે પુરુષ આ લોકને વિષે નિરંતર કંઠને વિષે ધારણ કરે છે (ગણે છે) તે માનવડે ઉન્નત પુરુષ (અથવા માનતુંગસૂરિ)ને અસ્વતંત્ર (પોતાને તાબે રહેનારી) લક્ષમી પ્રાપ્ત થાય છે. અર્થાત્ તમારા સ્તોત્રને નિરંતર ગણનારાને તાબેદાર લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૪૪.
ઇતિ ભક્તામર સ્તોત્ર સમાપ્તમુ. ૧. રાજય, સ્વર્ગાપવર્ગ અને સત્કાવ્ય કરવાની શક્તિરૂપ અહિં જિનેશ્વરના સ્તોત્રને પુષ્પની માળાની ઉપમા આપી છે. ભગવંતના ગુણરૂપ દોરો, ભક્તિરૂપ રચના અને જુદા જુદા અક્ષરો રૂપ રંગબેરંગી પુષ્પો જાણવાં. આ સ્તોત્રમાં છેવટે પુષ્પમાળા શબ્દ વાપર્યો છે તે મહા-આનંદનો હેતુ છે અને લક્ષ્મી શબ્દ મંગળવાચી છે, તેથી કરીને આ સ્તોત્રને ભણનારા, સાંભળનારા અને તેનું વ્યાખ્યાન કરનારા પુરુષોને કલ્યાણની પરંપરા થાય છે, એવો ભાવ સૂચવે છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૬૨ શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર
કલ્યાણમંદિર - કલ્યાણનું ઘર. | અનિંદિત પ્રશસ્ય. ઉદાર - ઉદાર.
અંઘિપડાં ચરણકમળને. અવદ્યભેદિ - પાપને ભેદનારું. | સંસારસાગર-સંસારસમુદ્રને વિષે. ભીતાભયપ્રદં - ભય પામેલાને | નિમજ્જ - બૂડતા.
અભયને આપનારું. | અશેષજંતુ સમગ્ર પ્રાણીઓને. * આ કલ્યાણમંદિર સ્તોત્ર સિદ્ધસેનદિવાકરસૂરિએ રચ્યું છે. તેની ઉત્પત્તિ આ પ્રમાણે જાણવી-ઉજ્જયિની નગરીને વિષે રહેનાર વિક્રમરાજાના પુરોહિતનો પુત્ર અને દેવસિકા નામની માતાની કુક્ષિ થકી ઉત્પન્ન થયેલ મુકુંદ નામનો પંડિત ભૃગુકચ્છ (ભરૂચ) નગરે વાદ કરવા જતો હતો. રસ્તામાં વૃદ્ધવાદીસૂરિ મળ્યા. તેમની સાથે વાદ કર્યો અને ગોવાળોને સાક્ષી રાખ્યા. તેમાં તે હાર્યો, પછી રાજસભામાં વાદ કરતાં પણ વૃદ્ધવાદી જીત્યા. તેથી તેમનો શિષ્ય થયો. ગુરુએ કુમુદચંદ્ર નામ આપ્યું અને સૂરિપદ આપ્યું ત્યારે સિદ્ધસેનદિવાકર એવું નામ આપ્યું. તેણે એકદા વાદ માટે આવેલા ભટ્ટને સંભળાવવા માટે નવકારને બદલે નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ- એ પ્રકારનું ચૌદ પૂર્વનું પહેલું સંસ્કૃત વાક્ય કહ્યું, વળી એક વખત ગુરૂ મહારાજને કહ્યું કે-આ સઘળા પ્રાકૃત સિદ્ધાંતો છે તેને હું સંસ્કૃત બનાવું? ત્યારે ગુરુએ કહ્યું કે-બાળ, સ્ત્રી, મંદબુદ્ધિવાન અને મૂર્ખ એવા ચારિત્રની ઈચ્છાવાળા મનુષ્યોના હિતને માટે તત્ત્વજ્ઞોએ પ્રાકૃતમાં સિદ્ધાંત રચ્યા છે માટે એ પ્રકારે બોલવાથી તમને મોટું પ્રાયશ્ચિત લાગ્યું, એમ કહીને તેમને ગચ્છ બહાર કર્યા. સંઘે વિનંતિ કરી કે આ મહાપ્રભાવક છે માટે ગચ્છ બહાર કરવા યોગ્ય નથી. એવો સંઘનો અતિઆગ્રહ થવાથી ગુરુએ કહ્યું કે-અઢાર રાજાઓને પ્રતિબોધીને જેન કરશે તો ગચ્છમાં લઈશું, તેથી સિદ્ધસેનજી ઉજ્જયિનીને વિષે ગયા, ત્યાંવિકમરાજા ઘોડા ખેલાવવા જતા હતા, તેણે રથ પાસેથી નીકળતા સિદ્ધસેનદિવાકરજીને પૂછ્યું કે તમે કોણ છો ? આચાર્યે કહ્યું કે સર્વજ્ઞપુત્ર છું, તેથી રાજાએ મનમાં નમસ્કાર કર્યો, એટલે આચાર્યે ધર્મલાભ આપ્યો. એટલે રાજાએ પૂછ્યું-કોને ધર્મલાભ
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૬૩
પોતાયમાનમ્ - વહાણતુલ્ય. અભિનમ્ય - નમસ્કાર કરીને.
જિનેશ્વરસ્ય - જિનેશ્વરનાં. સુરગુરુઃ - બૃહસ્પતિ. ગરિમામ્બુરાશેઃ - મહિમારૂપી મહાસાગરનું.
વિભુઃ - સમર્થ. સુવિસ્તૃતમતિઃ - વિસ્તાર પામેલી છે બુદ્ધિ જેની એવા. વિધાતું - ક૨વાને. તીર્થેશ્વરમ્ય - તીર્થંકરનું.
કમઠસ્મય - કમઠના અહંકારને. ધૂમકેતોઃ - ધૂમકેતુ સમાન.
સ્તોત્રં - સ્તવન.
આપો છો ? આચાર્યે કહ્યું કે- જેણે મનથી નમસ્કાર કર્યો છે તેને. આથી રાજાએ સંતોષ પામી ક્રોડ સોનૈયા આપવા માંડ્યા. તે આચાર્યે નહિ લેતા ધર્મકાર્યમાં વ૫રાવ્યા. વળી એક વખત ચાર શ્લોક લઈને રાજદ્વારે ગયા, ત્યાં રાજાને પૂછાવ્યું કે તમને મળવા માટે એક ભિક્ષુ હાથમાં ચાર શ્લોક લઈને આવ્યો છે, તે આવે કે જાય ? રાજાએ કહેવરાવ્યું કે દશ લાખ સોનામહોર અને ચૌદ હાથી આપવા છતાં તેને આવવું હોય તો ભલે આવે. અગર પાછા જાય. પછી આચાર્યે રાજા પાસે જઈ અનુક્રમે ચાર શ્લોક કહ્યા, તેથી ખુશ થઈને રાજાએ અનુક્રમે એકેક દિશાનું રાજ્ય આપવાનો સંકલ્પ કર્યો, પણ આચાર્યે તે નહીં લેતા “હું જ્યારે આવું ત્યારે મારો ધર્મોપદેશ સાંભળવો' આટલું જ માંગી લીધું. એકદા આચાર્ય મહાકાળના મંદિરમાં શિવપિંડિકા ઉપર પગ રાખીને સૂતા. ત્યાં ઘણા લોકોએ ઉઠાડ્યા છતાં ન ઉઠ્યા, તેથી લોકોએ રાજા પાસે જઈ હકીકત નિવેદન કરી. રાજાએ બળાત્કારે હાંકી કાઢવાને ફરમાવ્યું, તેથી રાજપુરુષો તેમને ચાબુકના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ તે પ્રહાર તેમને નહિ લાગતાં રાજાઓની રાણીઓને લાગવા માંડ્યા, અત્યંત કોલાહલ થવાથી રાજા આશ્ચર્ય પામી મહાકાળના મંદિરમાં આવ્યા, ત્યાં આચાર્યને ઓળખ્યા અને પૂછ્યું કે મહાદેવ પૂજ્ય છે છતાં તેના મસ્તકે તમે પગ કેમ રાખ્યા ? આચાર્યે કહ્યું કે મહાદેવ તો બીજા જ છે, જેની હું સ્તુતિ કરીશ. તે તમે સાવધાનપણે સાંભળો, કહી કલ્યાણમંદિર સ્તોત્ર કરવા માંડ્યું. અગ્યારમો શ્લોક બોલતાં પૃથ્વીકંપ થયો. ધુમાડો નિકળ્યો અને શિવલિંગ ફાટીને ધરણેન્દ્ર સહિત પાર્શ્વનાથ મહારાજની તેજસ્વી પ્રતિમા પ્રગટ થઈ, આચાર્યે સ્તોત્ર
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૬૪ તસ્ય - તેનું.
તવ - તમારૂં. અહમ્ - હું.
વર્ણયિતું વર્ણન કરવાને. એષ - આ પ્રત્યક્ષ.
અસ્માદશાઃ - અમારા સરખા. કિલ - નિશ્ચ.
કર્થ - કેવી રીતે. સંસ્તવન - સ્તવનને. અધીશ!- હે સ્વામી. કિરિષ્ય - કરીશ.
ભવન્તિ - થાય. સામાન્યતઃ - સામાન્યપણે. અધીશા - સમર્થ. અપિ - પણ.
ધૃષ્ટ - ધીઠો. સંપૂર્ણ કરીને કહ્યું કે અહીં ભદ્રા શેઠાણીનો પુત્ર અવંતિસુકુમાર અનશન કરી કાયોત્સર્ગમાં રહી ચ્યવીને નલિની ગુલ્મ વિમાનને વિષે ગયેલ છે, તે સ્થાને પિતાની યાદગીરીમાં તેના પુત્રે મહાકાળ નામનું નવીનચૈત્ય બંધાવી પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. કેટલાક કાળે મિથ્યાદષ્ટિઓએ તેના ઉપર મહાદેવનું લિંગ પધરાવી પ્રતિમાને ઢાંકી દીધી; તે મારી સ્તુતિ વડે હમણાં પાર્થપ્રભુ પ્રગટ થયા છે. સાંભળી રાજાએ હર્ષ પામી તે મંદિરના ખર્ચ માટે ગામ આપ્યાં અને પોતે સમ્યકત્વ અંગીકાર કર્યું. તે પછી સિદ્ધસેનસૂરિએ વિક્રમના અનુયાયી બીજા અઢાર રાજાઓને પ્રતિબોધ્યા. તેના ગુણથી રંજિત થઈ વિક્રમરાજાએ સુખાસન આપ્યું. જેમાં બેસીને તેઓ હંમેશાં રાજસભામાં જવા લાગ્યા. સિદ્ધસેન ૧૮ રાજાને પ્રતિબોધવાને ગયેલા તે આરંભમાં મગ્ન થયેલ છે એમ જાણીને વૃદ્ધવાદી ગુરુ તેમને પ્રતિબોધવા શ્રી ઉજ્જયિની આવ્યા. ત્યાં ભોઈ (સુખાસન ઉપાડનાર)નું રૂપ ધારણ કરીને દ્વારમાં ઉભા રહ્યા. જ્યારે સિદ્ધસેનસૂરિ સુખાસનમાં બેસીને રાજકારે જતા હતા ત્યારે વૃદ્ધવાદીએ એક ભોઈને ઠેકાણે રહી પાલખી ઉપાડી લીધી. વૃદ્ધ હોવાથી ધીમે ધીમે ચાલવા લાગ્યા ત્યારે સિદ્ધસેનસૂરિએ કહ્યું કે - ભૂરિભાર-ભરાકાન્તઃ સ્કંધ -કિં તવ બાધતિ? અહિ આત્મપદને સ્થાને બાધતિ પરસ્મપદનો પ્રયોગ વાપર્યો, તેથી વૃદ્ધવાદી બોલ્યા કે ન તથા બાબતે સ્કંધો યથા બાધતિ બાધતે. આ સાંભળી પોતાની ભૂલ જાણી ચમત્કાર પામ્યા અને ભૂલ કાઢનારને પોતાના ગુરુ જાણી પાલખીમાંથી ઉતરી નમસ્કાર કર્યો. ગુરુએ પ્રતિબોધી સંઘમાં લીધા. તે મહાન કવિ થયા છે તેના જેવા બીજા કોઈ કવિ ત્યારપછી થયા નથી.
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૬૫ કૌશિકશિશ - ઘૂવડનો બાળક. | પ્રકટઃ - પ્રત્યક્ષ. દિવા - અથવા.
યસ્માત - જે કારણ માટે. દિવાંધઃ- દિવસે આંધળો. મીયેત- મપાય? રૂપ - સ્વરૂપને.
કેન - કોના વડે. પ્રરૂપતિ - કહી શકે છે.
રત્નરાશિ - રત્નનો સમૂહ.
અભ્યદ્યતઃ - સાવધાન થયેલો. ઘર્મરમેઃ- સૂર્યના.
જડાશય: - જડબુદ્ધિવાળો. મોહસયાત્ - મોહનીયકર્મના નાશથી.
લસત્ - દેદીપ્યમાન. અનુભવમ્ - અનુભવ કરતો. મર્યો - મનુષ્ય.
અસંખ્યગુણાકરસ્ય - અસંખ્ય નૂન - નિશે.
ગુણના સ્થાનનું. ગુણાનું - ગુણોને.
નિજબાહુયુગે- પોતાના બે હાથ. ગણયિતું - ગણવાને.
| વિતત્ય - પહોળા કરીને. સમેત - સમર્થ થાય છે. વિસ્તીર્ણતાં - વિસ્તારને. કલ્પાંત - પ્રલયકાળને વિષે. કથતિ - કહે છે. વાંતપસ- ફેંકી દીધું છે પાણી | સ્વપિયા. પોતાની બુદ્ધિ વડે.
જેણે એવા. | અંબુરાશેઃ - સમુદ્રના.
મંગળ અને અભિધેય. કલ્યાણમદિર-મુદાર-મવદ્યભેદ, ભીતાભયપ્રદ-મનિન્દિત-મંથ્રિપદ્યમ્; સંસારસાગર-નિમજ્જ-દશેષજજુ, પોતાયમાન-અભિનમ્ય જિનેશ્વરસ્ય. ૧. યસ્ય સ્વયં સુરગુરુર્ગરિમામ્બરાશે, સ્તોત્ર સુવિસ્તૃત-મતિને વિભુર્વિધાતુમુ;
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૬૬ તીર્થેશ્વરસ્ય કમઠ-સ્મય-ધૂમ-કેતો, સ્તસ્યાહમેષકિલ સંસ્તવન કરિષ્ય (યુમમુ) ૨.
અર્થ - કલ્યાણનું ઘર, ઉદાર (મોટું અથવા ભવ્યજનોને વાંચ્છિત આપે તેથી દાતાર), પાપને ભેદન કરનાર, ભય પામેલાને અભય (નિર્ભયતા અથવા મોક્ષ) આપનાર પ્રશસ્ય (જરાપણ દોષ રહિત અને) સંસારરૂપ સમુદ્રને વિષે ડૂબતા સમગ્ર પ્રાણીઓને વહાણ તુલ્ય એવા જિનેશ્વરના ચરણકમળને નમસ્કાર કરીને, કમઠના અહંકારને ધૂમકેતુ સમાન એવા જે (તીર્થંકર પાર્શ્વપ્રભુ)ના મહિમારૂપી મહાસાગરનું સંસ્તવન કરવાને વિસ્તાર પામેલી છે બુદ્ધિ જેની એવો બૃહસ્પતિ પોતે સમર્થ નથી તે તીર્થકરનું સ્તવન, આ (પ્રત્યક્ષ મૂખ) એવો હું નિગ્ધ કરીશ. ૧-૨.
સ્તુતિ કરવાની અશક્યતાનું વર્ણન. સામાન્યતોડપિ તવ વર્ણયિતું સ્વરૂપ, મસ્માદશાઃ કથમાધીશ! ભવન્યધીશા ; વૃોડપિ કૌશિકશિશુ-ર્યદિવા દિવાધો, રૂપે પ્રરૂપતિ કિ કિલ ધર્મરમે? ૩.
અર્થ - હે સ્વામી! અમારા સરખા મંદબુદ્ધિવાળા પુરુષો, સામાન્યપણે પણ તમારું સ્વરૂપ કહેવાને કેવી રીતે સમર્થ થાય! અથવા ધૃષ્ટ (ધીઠો-દ્રઢ પ્રયત્નવડે પ્રગભ) પણ દિવસે આંધળો એવો ઘુવડનો બાળક નિક્ષે સૂર્યના સ્વરૂપને શું કહી શકે છે?
૧. કમઠના ભવથી દશ ભવનું બંધાયેલું વૈર છે જેને એવો અસુરકુમારનિકાયનો મેઘમાળી દેવ.
૨. પૂંછડીવાળો અગર ચોટલીવાળો ગ્રહ ઉદય પામે છે. તેથી ઉપદ્રવ નાશ થાય છે, તેમ આ પાર્શ્વનાથપ્રભુ પણ કમઠના ગર્વનો નાશ કરનાર છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૬૭
અર્થાત્ ગમે તેવો વાચાળ અને બુદ્ધિશાળી ઘૂવડ હંમેશા દિવસે અંધ હોવાથી સૂર્યનું સ્વરૂપ વર્ણવી શકે નહિ તેમ હું મંદબુદ્ધિ હોવાથી તમારું સ્વરૂપ વર્ણવી શકું તેમ નથી. (અહિ કવિ પોતાની લધુતા સૂચવે છે.) ૩.
મોહક્ષયા-દનુભવજ્ઞપિ નાથ! મર્યો, નૂન ગુણાનું ગણયિતું ન તવ ક્ષમત; કલ્પાન્ત-વાન્ત-પયસઃ પ્રકટોડપિ યસ્માનું, મીયેત-કેન જલધેર્નનું રત્નરાશિઃ? ૪.
અર્થ - હે નાથ! મોહનીયાદિ કર્મનો ક્ષય થવાથી-(અથવા અજ્ઞાનના ક્ષયથી) ગુણોને અનુભવતો (ભોગવતો) એવો મનુષ્ય પણ તમારા ગુણોને ગણવાને નિશે સમર્થ થતો નથી, જે કારણ માટે કલ્પાંતકાળને વિષે ફેંકી દીધું છે પાણી જેણે એવા સમુદ્રનો પ્રત્યક્ષ પણ રત્નનો સમૂહ નિક્ષે શું કોઈ વડે માપી શકાય છે? અર્થાત પાણી ઉછળી જવાથી પ્રકટ દેખાતો રત્નસમૂહ જેમ પામી શકાતો નથી તેમ મોહનીયાદિ કર્મના ક્ષયથી પ્રગટપણે તે ગુણોને જાણતા એવા કેવળી પણ તેની ગણતરી કરી શકતા નથી. ૪.
સ્તોત્ર કરવાનો હેતુ અભ્યઘતોડસ્મિ તવ નાથ? જડાશયોડપિ, કર્યું સ્તવં લસદસંખ્ય-ગુણાકરસ્ય; બાલોડપિ કિં ન નિજબાહુ-યુગ વિતત્ય, વિસ્તીર્ણતાં કથથતિ સ્વપિયાડમ્બરાશે ? ૫. ૧. ગુણોને અનુભવતા-કેવળી, અહીં એ સમજવાનું છે કે કેવળી પોતે તમારા ગુણોને અનુભવે છે. જાણે છે, છતાં આયુષ્ય અલ્પ અને ગુણો ઘણા તેથી ગણતરી કરી શકે નહીં (કહી શકે નહી).
Page #371
--------------------------------------------------------------------------
________________
મહિમાવાળું.
૩૬૮ અર્થ :- હે નાથ ! હું જડબુદ્ધિવાળો (મૂખ) છું તો પણ દેદીપ્યમાન અસંખ્ય ગુણના સ્થાન એવા તમારું સ્તવન કરવાને હું સાવધાન (ઉદ્યમવંત) થયેલ છું, બાળક પણ પોતાના બે હાથને પહોળા કરીને પોતાની બુદ્ધિ વડે સમુદ્રના વિસ્તારને શું નથી કહેતો ? અર્થાત બાળક જેમ પોતાના બે હાથ પહોળા કરી સમુદ્રનો વિસ્તાર બતાવે છે તેમ હું પણ મારી શક્તિ અનુસાર આવડે એવી સ્તુતિ કરવાને ઉઘુક્ત થયો છું. ૫.
શબ્દાર્થ છે - જે.
અચિંત્યમહિમા - અચિંત્ય યોગિનાં - યોગીઓને. ન યાંતિ - નથી પ્રાપ્ત થતા. પાતિ - રક્ષણ કરે છે. ગુણાઃ - ગુણો.
ભવતઃ • તમારૂં. વક્ત - કહેવાને.
ભવતઃ - ભવથકી. તેષ - તેને વિષે.
જગતિ - ત્રણ જગતને. મમ - મારી.
તીવાતપ - પ્રચંડ તાપવડે. અવકાશઃ - શક્તિ.
ઉપહતપાન્થજનાનું - પીડાતા જાતા - થયું.
પંથી જનોને. તદ્ - તે માટે.
નિદાથે - ગ્રીષ્મકાળમાં. એવું - એ પ્રકારે.
પ્રાણાતિ - ખુશ કરે છે. અસમીતિકારિતા - અવિચારી | પાસરસ - કમળવાળા સરોવરનો.
કાર્ય. સરસ:- જળકણ સહિત. ઇયં - આ.
અનિલઃ- પવન. જલ્પતિ - બોલે છે.
હકિતિનિ - હૃદયમાં વર્તતે છતે. નિજગિરા - પોતાની ભાષાવડે. ત્વયિ - તમે. નનુ - નિશે.
વિભો!- હે સ્વામી! પક્ષિણઃ - પક્ષીઓ.
શિથિલીભવતિ - શિથિલ થઈ આસ્તાં - દૂર રહો.
જાય છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૬૯ જંતો - જીવોના.
દષ્ટ માત્ર જોવાયે થકે. ક્ષણેન - ક્ષણવારમાં.
ચૌરેઃ - ચોરો વડે. નિબિડાઃ- દઢ.
આશુ - શીધ્ર. કર્મબંધા - કર્મના બંધનો. પશવઃ - પશુઓ. સદ્ય - ક્ષણવારમાં તુરત. પ્રપલાયમાનઃ-પલાયમાન કરતા. ભુજંગમમયાઃ - સર્પમયબંધનો. | તારક - તારનાર. ઈવ - પેઠે,
ભવિના - પ્રાણીઓના. મધ્યભાગ - મધ્યભાગે. ત - તેઓ. અભ્યાગતે - આવ્યું છતે. ત્વાં - તમોને. વનશિખંડિનિ - વનનો મોર. ઉદ્ધાંતિ - વહન કરે છે. ચંદનસ્ય - ચંદન વૃક્ષનાં. હૃદયેન - હૃદય વડે. મુચ્યત્તે - મૂકાય છે. ઉત્તરંત - સંસારસમુદ્રને ઉતરતા. એવ - નિશે.
યતા - અથવા યુક્ત છે. મનુજાઃ - મનુષ્યો.
દતિઃ - ચામડાની મશક, સહસા - તત્કાળ.
તરતિ - તરે છે. રૌદ્રઃ - ભયંકર.
જલ - પાણીને. ઉપદ્રવશતઃ-ઉપદ્રવના સેંકડો વડે. એષ: - આ. વીક્ષિતે - જોવાયે છતે. અંતર્ગતસ્ય - અંદર રહેલ. ગોસ્વામિનિ - કિરણોના સ્વામી | મરુતઃ - પવનનો.
સૂર્ય અથવા ગોવાળ. | સઃ - તે. સ્કુરિતતેજસિ સ્કુરાયમાન તેજવાળા. | અનુભાવઃ - પ્રભાવ (છે)
યે યોગિનામપિ ન યાત્તિ ગુણાસ્તવેશ!, વક્ત કર્થ ભવતિ તેષ કમાવકાશ?, જાતા તદેવ-મસ-મીક્ષિત-કારિતેય, જલ્પત્તિ વા નિજગિરા નનુ પક્ષિણાડપિ. ૬. ૧. દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીના આરાધનવડે ઉત્પન્ન થયું છે જ્ઞાન જેને એવા મહર્ષીઓ.
૨૪
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૭૦ અર્થ:- હે પ્રભુ! તમારા જે ગુણો યોગીઓને પણ કહેવાને પ્રાપ્ત થતા નથી. (વચનગોચર થતા નથી), તેને વિષે (તે ગુણો કહેવાને) મારી શક્તિ કેમ હોય? તે માટે એ પ્રકારે આ (સ્તુતિ કરવાનો આરંભ) અવિચારી કાર્ય થયું. અથવા પક્ષિઓ પણ નિશે પોતાની ભાષા વડે બોલે છે. અર્થાત્ મનુષ્યભાષા ન આવડવાથી પક્ષીઓ જેમ પોતાની ભાષામાં બોલે છે તેમ હું પણ સુંદર અર્થગર્ભિત સ્તુતિ કરવાને અસમર્થ છતાં શક્તિ અનુસાર સ્તુતિ કરું છું. ૬.
ભગવદ્ નામગ્રહણ માહાભ્ય. આસ્તા-મચિન્ય-મહિમા-જિન! સંસ્તવસ્તુ, નામાપિ પાતિ ભવતો ભવતો જગન્તિ; તીવ્રાતપોપહત-પાન્થજનાનું નિદાથે, પ્રણાતિ પાસરસઃ સરસોડનિલોડપિ. ૭.
અર્થ:- હે જિનેશ્વર ! અચિંત્ય મહિમાવાળું તમારું સ્તવન દૂર રહો. તમારું નામ પણ (ગ્રહણ કર્યું છતું) ત્રણ જગતનું ભવ (સંસારભ્રમણ) થકી રક્ષણ કરે છે. ગ્રીષ્મઋતુમાં પ્રચંડ (અસહ્ય) તાપવડે પીડાયેલ (આકુળ-વ્યાકુળ થયેલા) પંથી જનો (મુસાફરો)ને કમળવાળા સરોવરનો સૂકમ જળકણસહિત (ઠંડો) પવન પણ ખુશી કરે છે. અર્થાત ઠંડો પવન મુસાફરોને ખુશી કરે તો પછી પાણીની શી વાત? તેમ તમારું નામમાત્ર ભવભ્રમણ મટાડે તો પછી સ્તવનનો મહિમા તો શું વર્ણવવો? મતલબ કે તમારું સ્તોત્ર ઘણા માહામ્યવાળું છે. ૭.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૭૧
ધ્યાન માહાભ્ય. હર્તિનિ ત્વયિ વિભો! શિથિલીભવન્તિ, જન્સોઃ ક્ષણેન નિબિડા અપિ કર્મબન્ધા; સદ્દો ભુજંગમ-મયા ઇવ મધ્યભાગ-, અભ્યાગતે વનશિખડિનિ ચંદનસ્ય. ૮.
અર્થ - હે સ્વામી! તમે હૃદયને વિષે વર્તતે છતે પ્રાણીના દેઢ પણ કર્મબંધનો, જેમ વનનો મોર વનના મધ્ય ભાગે આવ્યું છતે ચંદન વૃક્ષનાં સર્પમય બંધનો તત્કાળ શિથિલ (ઢીલાં) થઈ જાય છે. તેમ ક્ષણવારમાં શિથિલ થાય છે. અર્થાત્ મોરના આવવાથી સુગંધને લીધે ચંદન (સુખડ) વૃક્ષને વીંટાઈ રહેલા સર્પો જેમ ખસી જાય છે, તેમ તમો ભવ્ય પ્રાણીના હૃદયમાં વસવાથી (તમારું ધ્યાન કર્યું છતે) આકરાં કર્મ હોય તે ઢીલાં થઈ જાય છે. ૮.
દર્શન માહાભ્ય. મુચ્યત્ત એવ મનુજાઃ સહસા જિનેન્દ્ર !, રૌદ્રુપદ્રવ-શૌસ્વયિ વીક્ષિતેડપિ; ગોસ્વામિનિ સ્ફરિત-તેજસિ દેખમાત્ર, ચૌરે-રિવાશુ પશવઃ પ્રપલાયમાનૈઃ. ૯. ૧. કિરણોનો સ્વામી એટલે સૂર્ય, પૃથ્વીનો સ્વામી એટલે રાજા અને ગાયોનો સ્વામી એટલે ગોવાળ એવા ત્રણ અર્થ થાય છે, માટે ત્રણ પ્રકારે અર્થ લેવો.
૨. સૂર્ય પક્ષે પ્રભાત કાળે જગતને પ્રકાશ કરવાથી વિસ્તૃત તેજવાળો, રાજાપક્ષે અખંડિત પ્રતાપવાળો અને ગોવાળપક્ષે ફુરિત બળવાળો એમ અર્થ લેવા.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૭૨
અર્થ :- હે જિનેન્દ્ર ! તમો જોવાયે છતે (તમારું દર્શન થવાથી) મનુષ્યો ભયંકર ઉપદ્રવના સેંકડો (સેંકડો ઉપદ્રવે) વડે; જેમ સ્કુરાયમાન તેજ (પ્રતાપ-બળ) વાળો સૂર્ય (અથવા રાજા અગર ગોવાળ) જોવાયે થકે પલાયન કરતા (નાશી જતા) ચોરોવડે પશુઓ શીઘ્ર મૂકાઈ જાય છે. તેમ શીઘ્રપણે મુકાઈ જાય છે. અર્થાત્ તમારા દર્શનથી સેંકડો ઉપદ્રવો તત્કાળ નાશ પામે છે. ૯.
ધ્યાન માહાત્મ્ય.
ત્વ તારકો જિન ! કથં ? ભવિનાં ત એવ, ત્વા-મુદ્દહન્તિ હૃદયેન યદુત્તરન્તઃ; યદ્વા નૈતિસ્તરતિ યજ્જલ-મેષ નૂન-, મન્તર્ગતસ્ય મરુતઃ સ કિલાનુભાવઃ ૧૦. અર્થ :- હે જિનેન્દ્ર ! તમે પ્રાણીઓના તારનારા કેવી રીતે છો ? જે કારણ માટે સંસારસમુદ્રને ઉતરતા એવા તેઓ (પ્રાણીઓ) જ તમોને હૃદયવડે વહન કરે છે, અથવા તે યુક્ત છે. ચામડાની મસક નિશ્ચે પાણીમાં તરે છે, તે આ પ્રત્યક્ષ અંદર રહેલ વાયુનો જ નિશ્ચે પ્રભાવ છે.
૧૦.
૧. સંસારસમુદ્રને ઉતરતા પ્રાણીઓ તમોને હૃદયમાં ધારણ કરે છે તેથી તમો તારનાર કેવી રીતે હોઈ શકો ? કેમકે વાઘ (વહન થનાર) વહન (વહન ક૨ના૨)માં વાહક હોય તે તારક છે એટલે નાવમાં બેઠેલ પુરુષ નાવનો તારક નથી. આ પ્રમાણે શંકા કરીને સ્તોત્રકાર પોતે જ સમાધાન કરે છે કે પાણીની મસકમાં રહેલ વાયુ જેમ મસકને તારે છે તેમ તમે પ્રાણીઓના હૃદયમાં વહન કરાયે છતે (ધ્યાન કરાયે છતે) તેઓને તારો છો.
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૭૩
શબ્દાર્થ સ્મિનું - જે કામદેવને વિષે. | હંત - નિશે. હરપ્રભૃતય -મહાદેવ વગેરે દેવો. | મહતાં - મોટા પુરુષોનો. હતપ્રભાવાઃ- હણાયો છે પ્રભાવ | પ્રભાવ: - પ્રભાવ.
જેનો એવા. ક્રોધ: - કોપ. સ - તે.
| નિરસ્તઃ - નાશ થયેલો છે. ત્વયા - તારા વડે.
ધ્વસ્ત - હણાયા. રતિપતિઃ - કામદેવ.
તદા - ત્યારે. ક્ષપિતઃ - ક્ષય પામ્યો છે. બત - આશ્ચર્ય છે. ક્ષણેન - ક્ષણવારમાં. કર્મચૌરા - કર્મરૂપી ચોરો. વિધ્યાપિતા:- બુઝાવી નાંખ્યા છે. | પ્લોષતિ - બાળે છે. હુતભુજ: - અગ્નિઓને.
અમુત્ર - આ લોકમાં. પયસા - પાણી વડે.
શિશિરા - શીતળ, ઠંડો. અથ - હવે.
લોકે - લોકને વિષે. યેન - જે.
નીલદ્રમાણિ - લીલા વૃક્ષોવાળા. પીત - પીધું.
વિપિનાનિ - વનખંડોને. દુહેરવાડવેન - દુઃસહવડવાનળે. હિમાની - હિમસમૂહ. અન·ગરિમાણું-ઘણી પ્રૌઢતાવાળા. યોગિનઃ - યોગિઓ. પ્રપન્નાં - પ્રાપ્ત થયેલા.
પરમાત્મરૂપ - સિદ્ધ સ્વરૂપી. જંતવઃ-પ્રાણીઓ.
અન્વષયંતિ - જુએ છે. અહો - આશ્ચર્યો.
હૃદયાંબુજ - હૃદયકમળના. હૃદયે - હૃદયમાં.
કોશદેશે - ડોડાના મધ્યભાગે. દધાનાઃ - ધારણ કરનારા. | પૂતસ્ય - પવિત્ર. જન્મોદધિ - ભવસાગરને. | નિર્મલરુચે નિર્મળ કાન્તિવાળા. લઘુ - શીધ્રપણે.
અન્યત્ - બીજું. તરંતિ - તરે છે.
અક્ષમ્ય - કમળના બીજનું. અતિ લાઘવેન- અત્યંત હલકાપણાએ. | સંભવિ - સંભવે. ચિંત્ય - વિચારવા યોગ્ય. | કર્ણિકાયાઃ- કર્ણિકા થકી.
Page #377
--------------------------------------------------------------------------
________________
3७४
ધ્યાનાર્ - ધ્યાનવડે. | ઉપલભાવ - પાષાણ ભાવને. ભવિનઃ - પ્રાણીઓ.
અપાસ્ય - ત્યાગ કરીને. દેહ - શરીરને.
ચામીકરā - સુવર્ણપણાને. વિહાય - ત્યાગ કરીને. અચિરાત્ - તત્કાળ. પરમાત્મદશાં - સિદ્ધ સ્વરૂપને.
ઇવ - પેઠે. વ્રજંતિ - પામે છે.
| ધાતુ ભેદાઃ - માટી પાષાણમાં તીવ્રાનલાલ્ - પ્રબલ અગ્નિવડે.
મળેલ ધાતુઓ. યસ્મિન્ હર-પ્રભૂતયોડપિ હતપ્રભાવા, સોડપિ ત્વયા રતિપતિઃ ક્ષપિત ક્ષણેન; વિધ્યાપિતા હતભુજ: પયસાથ યેન, પીતં ન કિં તદપિ દુર્તર-વાડવેન. ૧૧.
અર્થ - જે કામદેવને વિષે હરિ-હરાદિ દેવો પણ હણાયો છે પ્રભાવ જેમનો એવા થયા છે તે કામદેવ પણ તારાવડે ક્ષણવારમાં ક્ષય પામ્યો છે. હવે તેવું દૃષ્ટાંત કહે છે - જે પાણીએ અગ્નિઓને બુઝાવી નાંખ્યા છે? તે (પાણી) પણ દુઃસહ વડવાનલે (સમુદ્રના અગ્નિએ) શું નથી પીધું નથી શોષણ કર્યું? અર્થાત બીજા અગ્નિને બુઝાવી નાખનાર પાણીને જેમ વડવાનળ શોષી જાય છે તેમ હરિહરાદિ દેવોને તાબે કરનાર એવા કામદેવને તમે જીત્યો છે. ૧૧.
સ્વામિન્નનલ્પ-ગરિમાણ-મપિ પ્રપન્ના,
સ્વાં જન્તવઃ કથમતો હૃદયે દધાના?; જન્મોદધિ લઘુ તરસ્યતિલાઘવેન, ચિન્યો ન હન્ત મહતાં યદિ વા પ્રભાવ: ૧૨. ૧. અથ શબ્દ દષ્ટાંત કહેવાને મૂકેલ છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૭૫
અર્થ :- હે સ્વામી ! તમોને (સ્વામીપણાએ) પ્રાપ્ત થયેલા પ્રાણીઓ, ઘણી પ્રૌઢતાવાળા એવા પણ તમોને હૃદયમાં ધારણ કરવા છતાં અત્યંત હલકાપણાએ કરીને (બીલકુલ ભાર વિનાના હોય તેમ) ભવસાગરને શીઘ્રપણે કેવી રીતે તરે છે ? એ આશ્ચર્ય છે. અથવા નિશ્ચે મહાન્ (ત્રણ જગતને વિષે ઉત્તમ) પુરુષોનો પ્રભાવ ચિંતવવા યોગ્ય નથી. અર્થાત્ તમે અતિગરિષ્ઠ એટલે ઘણા ભારવાળા છતાં બીલકુલ ભાર વિનાના હલકા હોય તેમ તમોને હૃદયમાં ધારણ કરીને ભવસમુદ્રને તમારા આશ્રિતો જલદીથી તરી જાય છે એ આશ્ચર્ય છે, કેમકે વધારે ભાર તે તરવાને અસમર્થ થાય, આ પ્રમાણે શંકા કરીને તેનું સમાધાન કરે છે કે- મહાન્ પુરુષોનો પ્રભવ એવો છે કે તે મનવડે પણ ચિંતવવા યોગ્ય નથી. કેમકે તે ઘણા ભારવાળાને પણ પોતાના પ્રભાવથી સર્વથા ભાર રહિત હોય તેમ તારે છે. ૧૨.
૧૩.
ક્રોધસ્ત્વયા યદિ વિભો ? પ્રથમં નિરસ્તો, ધ્વસ્તાસ્તદા બત કથં કિલ કર્મચૌરાઃ ?; પ્લોષત્યમુત્ર યદિ વા શિશિરાડપિ લોકે, નીલઙ્ગમાણિ વિપિનાનિનકિંહિમાની અર્થ :- હે પ્રભુ ! તમારા વડે જે ક્રોધ પ્રથમ જ નાશ કરાયો છે તો આશ્ચર્ય છે કે કર્મરૂપી ચોરો નિશ્ચે કેવી રીતે હણાયા ? અથવા આ લોકને વિષે શીતળ પણ હિમસમૂહ, નીલા વૃક્ષવાળા વનખંડોને શું નથી બાળતો ? અર્થાત્ ક્રોધ વિના કર્મરૂપ ચોરને તમે હણ્યા તે મોટું આશ્ચર્ય છે એમ શંકા કરીને સમાધાન કરે છે
૧. યદિ સમાધાન અર્થમાં વપરાય છે, આ પ્રમાણે દરેક ઠેકાણે સમજવું. ૨. મહહિમં = હિમાની.
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૭૬
કે - ઠંડો હિમ જેમ વૃક્ષોને બાળે છે તેમ તમે ક્રોધ વિના પણ કર્મરૂપ ચોરને બાળો છો તે યુક્ત છે. ૨૩.
ત્યાં યોગિના જિન ! સદા પરમાત્મરૂપ-, મન્વષયન્તિ હૃદયામ્બુજ-કોશ-દેશે; પૂતસ્ય નિર્મલરુચે-ર્યદિ વા કિમન્ય-, દક્ષસ્ય સમ્ભવિ પદં નનુ કર્ણિકાયાઃ ૧૪. અર્થ :- હે જિન ! મહર્ષિઓ હૃદયરૂપ કમળના ડોડાના મધ્યભાગને વિષે સિદ્ધસ્વરૂપી એવા તમોને નિરંતર જ્ઞાન ચક્ષુવડે જોવે છે. અથવા નિશ્ચે પવિત્ર અને નિર્મળ કાન્તિવાળા કમળના બીજનું કર્ણિકા થકી બીજું સ્થાન શું સંભવે ? અર્થાત્ કમળના બીજનું સ્થાન જેમ કર્ણિકા છે તેમ તમે પણ કર્મમલનો નાશ થવાથી પવિત્ર એટલે ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થયેલા હોવાથી નિર્મળ કાન્તિવાળા છો માટે યોગીન્દ્રના હૃદયકમળના મધ્યભાગરૂપ કર્ણિકા એ જ તમારું યોગ્ય સ્થાન છે. ૧૪.
ધ્યાનાજ્જિનેશ ! ભવતો ભવિનઃ ક્ષણેન, દેહં વિહાય પરમાત્મ-દશાં વ્રજન્તિ; તીવ્રાનલા-દુપલભાવમપાસ્ય લોકે, ચામીકરત્વ-મચિરાદિવ ધાતુભેદાઃ ૧૫.
-
અર્થ :- હે જિનેશ્વર ! લોકને વિષે ધાતુભેદો (માટીપાષાણમાં મળેલ ધાતુ) પ્રબળ અગ્નિ વડે પાષાણપણાનો ત્યાગ
૧. સંભવતીતિ સંભવિ.
૨. ભ્રમરી થકી બીક પામેલી ઈયળ ભ્રમરીનું ધ્યાન કરતી છતી ભ્રમરીરૂપ જેમ થાય તેમ વીતરાગનું ધ્યાન કરનાર જીવ વીતરાગ સ્વરૂપ થાય છે. અર્થાત્ જે ધ્યાન કરે તે તેવો થાય છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૭૭ કરીને તત્કાલ સુવર્ણપણાને જેમ પામે છે, તેની પેઠે તમારા ધ્યાન થકી ભવ્ય પ્રાણીઓ હણવારમાં શરીરનો ત્યાગ કરીને પરમાત્મદશાને પામે છે, અર્થાત્ તમારું ધ્યાન કરવાથી પ્રાણીઓ તમારા જેવા બને છે. ૧૫.
શબ્દાર્થ અંતઃ - અંતઃકરણને વિષે. | પ્રભાવઃ - પ્રભાવવાળો. સદૈવ - નિરંતર.
પાનીય - પાણીને. જિન - હે જિનેશ્વર.
અમૃત - અમૃત. યસ્ય - જેના.
અનુચિંત્યમાન- ચિંતન કરાયું છતું. વિભાવ્યસે - વિશેષ ચિંતવન | નામ - કોમલ આમંત્રણમાં.
થાઓ છો. નો - નહિ. નં - તમે.
વિષવિકાર - વિષના વિકારને. ભચૈઃ - ભવ્યો વડે.
અપાકરોતિ - દૂર કરે છે. તદપિ - તોપણ.
વીતતમi - તમોગુણ રહિત. નાશયસે - નાશ કરાવો છો. પરવાદિનઃ - પરતીર્થિઓ. શરીર - શરીરને.
નૂન - નિશે. એતદ્ - એવું.
હરિહરાદિધિયા - હરિહરાદિની સ્વરૂપ - સ્વરૂપ.
બુદ્ધિએ. મધ્યવિવર્તિનઃ - મધ્યસ્થ પુરુષનું.
પ્રપન્ના -આશ્રય કરીને રહેલા છે. યદ્ - જે કારણ માટે.
કાચકામલિભિઃ- કમળના
રોગવાળા જનો વડે. વિગ્રહ - ક્લેશને.
સિતઃ- શ્વેત. પ્રશમયંતિ - ઉપશમાવે છે.
| શંખ:- શંખ. મહાનુભાવા - મોટાપ્રભાવવાળા.
ગૃહ્યતે - ગ્રહણ કરાય છે. મનીષિભિઃ- પંડિતો વડે.
| વિવિધ વર્ણ - જુદા જુદા રંગના. અભેદબુદ્ધયા - અભેદબુદ્ધિ વડે. | વિપર્યયેણ - પરાવર્ત કરીને. ધ્યાતઃ - ધ્યાન કરાયો છતો. | ધર્મોપદેશસમયે - ધર્મના ઉપદેશ ભવત્ - તમારા સમાન.
વખતે.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૭૮ સવિધ - સમીપપણા. | વૃતમેવ - બીંટ હોય તેમજ. અનુભાવાત્ - પ્રભાવ થકી. | વિશ્વક - ચારે તરફ. તે - તમારા.
પતતિ - પડે છે. ત: - વૃક્ષ.
અવિરલા - સતત્. અશોક - શોક રહિત.
સુરપુષ્પવૃષ્ટિ - દેવોએ કરેલ અભ્યગતે - ઉદય પામે છતે.
ફૂલની વૃષ્ટિ. દિનપતી - સૂર્ય.
| ત્વદ્ગોચરે - તમો પ્રત્યક્ષ છતે. સમહીરૂહઃ - વૃક્ષોવડે સહિત.
સુમનસાં - સુંદર ચિત્તવાળાનાં. વિબોધ - વિકાસપણાને.
| ગચ્છતિ - જાય છે. ઉપયાતિ - પામે છે. જીવલોકઃ - આખું જગતું.
અધઃ- નીચે. ચિત્ર - આશ્ચર્ય છે.
| હિ - જે કારણ માટે. અવાક્કુખ-નીચું મુખ છે જેનું એવા. | બંધનાનિ - બંધનો.
અન્તઃ સદૈવ જિન! યસ્ય વિભાવ્યસે ત્વ, ભવ્ય કર્થ તદપિ નાશયસે શરીરમ્; એતસ્વરૂપ-મથ 'મધ્ય-વિવત્તિનો હિ, યદ્વિગ્રહ પ્રશમયન્તિ મહાનુભાવાઃ ૧૬.
અર્થ - હે જિન! જે હદયને વિષે ભવ્ય પ્રાણીઓ વડે તમે નિરંતર વિશેષે ચિંતવન કરાઓ છો તો પણ તે (ભવ્યોના) શરીરને તમે કેમ નાશ કરો છો? હવે દષ્ટાંત કહે છે કે - મધ્યસ્થ પુરુષનું નિશે એવું જ સ્વરૂપ છે. જે કારણ માટે મોટા પ્રભાવવાળા પુરુષો કલેશને ઉપશમાવે છે. અર્થાત્ તમે મધ્યસ્થ હોવાથી શરીર અને જીવનો પરસ્પરનો અનાદિ કાળનો વિગ્રહ હતો તે મટાડવા શરીરને નાશ કરો છો અને જીવને મોક્ષ પમાડો છો. ૧૬.
૧. શરીરના મધ્યભાગે રહેનારનું અથવા વિવાદમાં બંને પક્ષ જેને સમાન હોય એવા પક્ષપાત રહિત મધ્યસ્થ પુરુષનું. ૨. વિગ્રહ=શરીર અથવા ફલેશ
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૭૯ આત્મા મનીષિભિ-રયં ત્વદભેદ-બુદ્ધયા, ધ્યાતો જિનેન્દ્ર ! ભવતીહ ભવ...ભાવ; પાનીય-મધ્ય-મૃત-મિત્ય-નુચિત્યમાન, કિં નામ નો વિષવિકાર-મપાકરોતિ. ૧૭.
અર્થ - હે જિનેન્દ્ર!પંડિતોવડે તમારા વિષે અભેદ બુદ્ધિએ કરીને ધ્યાન કરાયો છતો આ આત્મા આ જગતને વિષે તમારા સરખા પ્રભાવવાળો થાય છે. પાણી પણ અમૃત છે. એ પ્રકારે ચિંતવન કરાયું છતું (અથવા મણિમંત્રાદિ વડે સંસ્કારિત કરાયું છતું) ઝેરના વિકારને શું નથી દૂર કરતું? અર્થાત્ અમૃતબુદ્ધિએ ચિંતવેલું અથવા મંત્રિત કરેલું પાણી જેમ ઝેર ઉતારે છે તેમ તમારી સાથે અભેદ ભાવે ધ્યાન કરવાથી કર્મમળ રૂપ ઝેર ઉતારીને આ આત્મા પરમાત્મા થાય છે. ૧૭.
ત્વમેવ વીત-તમસ પરવાદિનોડપિ, નૂન વિભો! હરિહરાદિ-ધિયા પ્રપન્ના; કિં કાચ-કામલિભિરીશ! સિતોડપિ શંખો, નો ગૃહ્યતે વિવિધ વર્ણ-વિપર્યયણ. ૧૮.
અર્થ - હે પ્રભુ! પરતીર્થીઓ (અન્ય દર્શનીઓ) પણ હરિહરાદિ દેવોની બુદ્ધિવડે કરીને રાગદ્વેષરૂપ તમોગુણ રહિત એવા તમોને જે નિશે આશ્રય કરીને રહેલા છે. કાચકામલી (કમળા)ના રોગવાળા જનીવડે શ્વેત એવો પણ શંખવિવિધ રંગના
૧. હું અને પરમાત્મા એકજ સ્વરૂપ છીએ. એવા પ્રકારની એકાગ્રતા તે અભેદબુદ્ધિ.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૮)
પરાવર્તે કરીને શું નથી ગ્રહણ કરાતો? અર્થાત્ પીત કળીના રોગવાળો મનુષ્ય ધોળા શંખને પીળો શંખ, લીલો શંખ એ પ્રકારે જુદા જુદા રંગે દેખે છે, તેમ અન્ય દર્શનીઓ પણ તમારું આ હરિ છે, હર છે, બ્રહ્મા છે, એવી બુદ્ધિથી આરાધના કરે છે.
અશોકવૃક્ષ પ્રાતિહાર્ય ધર્મોપદેશ-સમયે સવિધાનુભાવા, - દાસ્તાં જનો ભવતિ તે તરુ-રપ્યશોક; અભ્યગતે દિનપતૌ સમહીસુહાડપિ, કિં વાવિબોધ-મુપયાતિ ન જીવલોક? ૧૯.
અર્થ :- હે સ્વામી! ધર્મના ઉપદેશ વખતે તમારા સમીપપણાના પ્રભાવ થકી ચેતનવાળા મનુષ્યો તો દૂર રહો, પરંતુ અવ્યક્ત ચેતનવાળા વૃક્ષ પણ શોક રહિત (અશોક) થાય છે. અથવા સૂર્ય ઉદય પામે છતે વૃક્ષો વડે સહિત પણ આખું જગત શું વિકાસપણાને નથી પામતું? અર્થાત્ સૂર્યોદય થયે છતે કેવળ લોક જ નિદ્રાનો ત્યાગ કરીને જાગૃત થાય છે એટલું જ નહિ પરંતુ વૃક્ષો પણ પત્રસંકોચાદિ લક્ષણ નિદ્રા છોડીને વિકસ્વર થાય છે, તેમ તમારા પ્રભાવથી મનુષ્યો શોક રહિત થાય છે એટલું જ નહિ પરંતુ વૃક્ષ પણ શોક રહિત થાય છે - નામથી અશોક થાય છે. તે યુક્ત છે. ૧૯.
સુરપુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય ચિત્ર વિભો! કથ-મવામુખ-વૃત્ત્વમેવ, વિષ્યક પતત્ય-વિરલા સુર-પુષ્પ-વૃષ્ટિ !; ૧. પુષ્પ, દેવતા અને સુંદર ચિત્તવાળા એવા ત્રણ અર્થ થાય છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૮૧ –ગોચરે સુમનસાં યદિ વા મુનીશ!, ગચ્છત્તિ નૂનમધ એવ હિ બંધનાનિ. ૨૦.
અર્થ - હે પ્રભુ! સઘન એવા દેવોએ કરેલા પુષ્પની વૃષ્ટિ ચારે તરફ નીચું છે મુખ જેનું એવા બીટ હોય તેમજ કેમ પડે છે? એ આશ્ચર્ય છે! અથવા હે મુનીશ! તમો પ્રત્યક્ષ છતે સુંદર ચિત્તવાળા (ભવ્યજનો)નાં બંધનો (કર્મના અત્યંતર બંધન અને બેડી વગેરે બાહ્ય બંધન) જે કારણ માટે નીચે જ જાય છે (નાશ પામે છે.) અર્થાત્ પુષ્પના બીટ નીચે જાય છે તે એમ સૂચવે છે કે ભગવંતના સમીપપણાથી જેમ અમારા બીટ (બંધન) નીચે રહે છે તેમ ભવ્ય પ્રાણી અગર દેવતાનાં બંધનો પણ નીચે જશે એટલે ટુટીને નીચે પડશે. ૨૦.
શબ્દાર્થ સ્થાને - યુક્ત.
વ્રજંતિ - પામે છે. ગભીરહદય - ગંભીર હૃદયરૂપ. | તરસા - શીધ્ર. ઉદધિસંભવાયાઃ - સમુદ્રથકી અજરામરત્વ-અજરામરપણાને.
ઉત્પન્ન થયેલી. સુદૂર - અત્યંત. પીયૂષતા - અમૃતપણાને. અવનમ્ય - નમીને. ગિરઃ - વાણીના.
સમુ~તંતઃ - રૂડે પ્રકારે ઉંચે સમુદીરયંતિ - કહે છે.
ઉછળતા છતા. પીતા - પાન કરીને. મજે - માનું છું. યતઃ- જે કારણ માટે. વદંતિ - કહે છે. પરમહંમદ - ઉત્કૃષ્ટ હર્ષના. | શુચયઃ - પવિત્ર. સંગભાજ: - સંયોગને સુરચામરૌઘાડ - દેવોએ વિઝેલ ભજનારા. |
ચામરોના સમૂહો. ૧. તત્ત્વને જાણે તે મુનિ, તેના સ્વામી તે મુનીશ.
Page #385
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠ.
૩૮૨ અસ્મઃ - આ.
ચ્છદચ્છવિઃ - પાંદડાની કાન્તિ નતિ - નમસ્કાર.
જેની એવો. વિદધતે - કરે છે.
અશોકતરુ - અશોક વૃક્ષ. મુનિપુંગવાય - મુનિઓને વિષે બભૂવ - હોતો હોવો.
| સાન્નિધ્યતઃ - સમીપપણા થકી. ઊર્ધ્વગતયા - ઉંચી ગતિવાળા. | વિતરાગ! - રાગદ્વેષ રહિત. શુદ્ધભાવાઃ- શુદ્ધ ભાવવાળા.
નીરાગતાં -વૈરાગ્યને. શ્યામ - નીલ વર્ણવાળા.
વજતિ - પામે છે. ગભીરગિર - ગંભીર વાણીવાળા.
સચેતનઃ - ચેતના સહિતે. ઉજ્વલહેમરત્ન - નિર્મલ સુવર્ણ
ભો ભોઃ- હે લોકો. મિશ્રિત રત્નના બનાવેલ.
પ્રમાદ - આળસને. સિંહાસનā - સિંહાસનને વિષે
અવધૂય - આળસને બેઠેલા.
ભજā - ભજો. ભવ્યશિખંડિનઃ - ભવ્ય પ્રાણીરૂપ
એનં - આ.
મયૂરો. આલોકયંતિ - જૂએ છે.
આગત્ય - આવીને. રભસેન - ઉત્સુકતા વડે.
નિવૃત્તિપુરી - મોક્ષ નગરી. નદંત - ગર્જના કરતો.
પ્રતિ - પ્રત્યે. ઉચ્ચ: - અત્યંત.
સાર્થવાહ - સાર્થવાહને. ચામીકરાદ્રિ - મેરૂ પર્વતના.
એતદ્ - આ પ્રકારે. શિરસિ - શિખર ઉપર. નિવેદયતિ - નિવેદન કરે છે. નવાંબુવાહ - નવીન મેઘને. જગત્રયાય - ત્રણ જગતને. ઉગચ્છતા - ઉંચા જતા. નદનું - શબ્દ કરતો. શિતઘુતિ - નીલ કાન્તિના. અભિનભઃ-આકાશને વ્યાપીને. મંડલેન - મંડલ વડે.
સુરદુંદુભિઃ - દેવદુંદુભિ. લુપ્ત - આચ્છાદન થઈ છે. તે - તમારો.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૮૩ | દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય સ્થાનેગભીર-હૃદયો દધિસમ્ભવાયા, પીયુષતાં તવ ગિરઃ સમુદીરયન્તિ; પીત્વા યતઃ પરમ-સંમદ-સંગભાજો, ભવ્યાવ્રજત્તિ તરસાડપ્ય-જરામરત્વમ્. ૨૧.
અર્થ:- હે સ્વામિન્! ગંભીર હૃદયરૂપ સમુદ્રથકી ઉત્પન્ન થયેલી એવી તમારી વાણીના અમૃતપણાને શ્રોતાઓ કહે છે તે યુક્ત છે. જે કારણ માટે ઉત્કૃષ્ટ હર્ષના સંયોગને ભજનારા ભવ્યજનો તમારી વાણીનું પાન કરીને (અત્યંત આદરવડે સાંભળીને) શીઘપણે પણ અજરામરપણાને પામે છે. અર્થાત્ જે કોઈ અમૃતને પીવે છે તે અજરામર થાય છે તેમ તમારી વાણીનું પાન કરનારા ભવ્યો ચિદાનંદ સ્વરૂપ થઈ અજરામર (મોક્ષ) સ્થાનને પામે છે. માટે તમારી વાણીને અમૃતતુલ્ય કહે છે તે યુક્ત છે. ૨૧.
ચામર પ્રાતિહાર્ય સ્વામિન્! સુદૂર-મવનમ્ય સમુત્પતન્તો, મન્ય વદતિ શુચયઃ સુર-ચામરૌઘા; વેડઐ નતિ વિદધતે મુનિપુંગવાય, તે નૂન-મૂર્ધ્વગતયઃ ખલુ શુદ્ધભાવાઃ ૨૨.
અર્થ:- હે સ્વામિન્ ! એમ માનું છું કે પવિત્ર એવા દેવોએ વિંઝેલા ચામરોનાં સમૂહો, અત્યંત નીચા નમીને પછી રૂડે પ્રકારે ઉંચે ઉછળતા છતા આ પ્રકારે કહે છે - “જે મનુષ્યો
૧. અમૃતની ઉત્પત્તિ સમુદ્રથકી ગણાય છે, માટે વાણીની ઉત્પત્તિ હૃદયસમુદ્રથકી કહી છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૮૪ આ પ્રત્યક્ષ મુનિઓને વિષે શ્રેષ્ઠ પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરે છે, તે શુદ્ધ ભાવવાળા મનુષ્યો નિશ્ચ ઉંચી ગતિવાળા થાય છે.” અર્થાત્ ચામરો એમ સૂચવે છે કે જેમ અમે નીચા નમવાથી ઉંચે ચડીએ છીએ તેમ જે કોઈ આ જિનેશ્વરને નમશે તે ઉંચી ગતિ (મોક્ષ ગતિ)ને પામશે. ૨૨.
સિંહાસન પ્રાતિહાર્ય શ્યામ ગભીર-ગિર-
મુક્તલ-હેમરત્નસિંહાસન-સ્થમિહ ભવ્ય-શિખર્ડિનસ્વામ; આલોકયન્તિ રભસેન નદત્ત-મુચ્ચે-, શ્રામીકરાદ્રિ-શિરસીવ નવાબુવાહમુ. ૨૩.
અર્થ :- હે પ્રભુ! અહીં (સમવસરણને વિષે) નીલા વર્ણવાળા ગંભીર વાણીવાળા, નિર્મળ (ઉજ્વળ-દેદીપ્યમાન) સુવર્ણ મિશ્રિત રત્નના બનાવેલા સિંહાસનને વિષે બેઠેલા એવા તમોને ભવ્ય પ્રાણીરૂપ મયૂરો, મેરૂ પર્વતના શિખર ઉપર અત્યંત ગર્જના કરતા નવીન મેઘને જેમ ઉત્સુકતા (આતુરતા) વડે જોતા હોય તેની પેઠે જુવે છે. ૨૩.
ભામંડલ પ્રાતિહાર્ય ઉ ચ્છતા તવ શિતિ-ઘુતિ-મણ્ડલેન, લુચ્છદચ્છવિ-રશોકતરુ-ર્બભૂવ; ૧. શ્યામ અને નીલવર્ણની એક્તા હોવાથી અહી શ્યામ (કાળો)નો અર્થ લીધેલ છે. કેમકે પ્રભુનો વર્ણ નીલો છે.
૨. અહી મેના શિખરને સ્થાને સિંહાસન, મેઘને સ્થાને પ્રભુનું શ્યામ શરીર, ગર્જનાને સ્થાને પ્રભુની ગંભીર વાણી અને મોરને સ્થાને ભવ્યજનો જાણવા.
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૮૫
સાન્નિધ્યતોડપિયદિ વા તવ વીતરાગ !, નીરાગતાં વ્રજતિ કો ન સચેતનોડપિ. ૨૪.
અર્થ :- હે પ્રભુ! ઉંચે જતા (પ્રસરતા) એવા તમારા નીલકાન્તિના મંડળ (ભામંડળ) વડે આચ્છાદન થઈ છે પાંદડાંની કાન્તિ જેની એવો અશોકવૃક્ષ હોતો થવો. અથવા હે વીતરાગ ! તમારા સમીપપણાથકી ચેતના સહિત એવો પણ કયો પુરુષ નિર્મળત્વને ન પામે ? અર્થાત્ તમારા સમીપપણાથી સચેતન, (પ્રગટ ચેતનવાળો) વૈરાગ્યને પામે છે તો અચેતન (અપ્રગટ ચેતનવાળો) અશોકવૃક્ષ નીરાગતા (નિસ્તેજપણું) ને પામે તે યુક્ત જ છે. કેમકે અચેતનને ગમે તે ફેરવી શકે પણ સચેતનને તો જ્ઞાનવાન હોય તેજ પ્રતિબોધી શકે. ૨૪
દેવદુંદુભિ પ્રાતિહાર્ય ભોઃ ભોઃ પ્રમાદ-અવધૂય ભજથ્વ-મેન-, માગત્ય નિવૃતિ-પુરી પ્રતિ સાર્થવાહમુ; એકત્રિવેદયતિ દેવ! જગત્ ત્રયાય, મજે નદન્નભિનભઃ સુરદુંદુભિસ્તે. ૨૫
અર્થ - હે દેવ! હું એમ માનું છું કે- આકાશને વ્યાપીને શબ્દ કરતો એવો તમારો દેવદુંદુભિ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે (ઉદ્ઘોષણા કરે છે) કે હે - ત્રણ જગતના લોકો ! તમે આળસનો ત્યાગ કરીને અહીં આવીને મોક્ષનગરી પ્રત્યે સાર્થવાહતુલ્ય આ પાર્થપ્રભુને ભજો. અર્થાત્ દેવ દુંદુભિ
૧. તમારું વચનશ્રવણ અને રૂપદર્શન તો દૂર રહો, પરંતુ તમારા સમીપપણા થકી જ અચેતન અશોકવૃક્ષ તો દૂર રહો પરંતુ સચેતન એવો 'પણ કોણ વૈરાગ્ય ન પામે? અર્થાત્ પામે જ.
૨૫
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૮૬ ઉઘોષણા કરીને સૂચવે છે કે હે લોકો! તમે પ્રમાદ દૂર કરીને આ મોક્ષદાયક પ્રભુને ભજો. ૨૫.
શબ્દાર્થ ઉદ્યોતિતેષ પ્રકાશિત થયે છતે. | માણિકયહેમરજત - માણેક, ભવતા - તમારા વડે.
સુવર્ણ અને રૂપાવડે. ભુવનેષ - ત્રણ ભુવનો. પ્રવિનિર્મિતેના પ્રકર્ષે નિર્માણ થયેલા. નાથ ! - હે નાથ !
સાલત્રણ - ત્રણ ગઢ વડે. તારાન્વિતઃ - તારા મંડળ સહિત. અભિત - ચારે તરફ. વિધુઃ - ચંદ્રમા.
વિભાસિ - શોભો છો. અયં - આ.
દિવ્યરાજ - મનોહરપુષ્પની માળાઓ. વિહતાધિકાર: - હણાયો છે | નમતુ - નમસ્કાર કરનાર.
અધિકાર જેનો એવો. | ત્રિદશાધિપાનાં - દેવેન્દ્રોના. મુક્તાકલાપ-મોતીના સમૂહ વડે. | ઉસૂજ્ય - ત્યાગ કરીને. કલિતોચ્છવસિત - સહિત અને | રત્નચિતાન-વૈર્યરત્નના રચેલ.
ઉલ્લસિત. | મૌલિબંધાનું - મુકુટોને. આતપત્ર - ત્રણ છત્રના. પાદૌ - બે ચરણોને. વ્યાજાત્ - મિષ થકી. | શ્રયંતિ - આશ્રય કરે છે. ત્રિધા - ત્રણ પ્રકારે.
પરત્ર - અન્ય સ્થળે. ધૃતતનુઃ - ધારણ કર્યું છે શરીર | ત્વસંગમે - તમારો સંગમ છતે.
જેણે એવો. | સુમનસ - દેવતાઓ, પંડિતો. ધ્રુવં - નિશે.
રમત - રમે છે. અભ્યપેતઃ- પાસે આવેલો છે. જન્મજલધે: - ભવસમુદ્ર થકી. સ્કેન - પોતાના.
વિપરાભુખ - વિશેષ પરાભુખ પ્રપૂરિતજગતુત્રય - પ્રકર્ષે પર્યું છે
થયા છતાં. ત્રણ જગત જેણે તેથી. | વત્ - જે કારણ માટે. પિંડિતેન - એકત્ર થયેલ. | તારયસિ - તારો છો. કાન્તિપ્રતાપયશસાં - કાન્તિ, | અસુમતઃ - પ્રાણીઓને.
પ્રતાપ અને યશના. | નિજપૃષ્ઠલગ્નાનું પોતાની પીઠે સંચયેન - સમૂહ વડે.
વળગેલાને.
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૮૭ યુક્ત - યુક્ત છે.
અલિપિ - કર્મરૂપ લેપ રહિત. પાર્થિવનિપસ્ય - વિશ્વના સ્વામી.
અજ્ઞાનું મૂર્ખજનોને. સતઃ - સુજ્ઞ.
અવતિ - બોધ કર્યો છતે. ચિત્ર - આશ્ચર્ય.
સદેવ - નિરંતર. અસિ - જો.
કથંચિત - કેવી રીતે. કર્મવિપાકશુન્ય - કર્મના વિપાકથી
જ્ઞાન - જ્ઞાન.
રહિત. | વિશ્વેશ્વરઃ-ત્રણ જગતના ઈશ્વર.
ત્વયિ - તમારે વિષે. જનપાલક! - મનુષ્યનું પાલન કરનાર. | સુરતિ - હુરે છે. દુર્ગતઃ-દુઃખે કરીને જાણવા યોગ્ય. | વિશ્વવિકાશહેતુ - ત્રણ જગતને અક્ષરપ્રકતિ -નિશ્ચળ સ્વભાવવાળા. | પ્રકાશ કરવાના હેતુભૂત.
છત્રત્રય પ્રાતિહાર્ય ઉદ્યોતિતેષુ ભવતા ભુવનેષુ નાથ !, તારાન્વિતો વિધુરય વિહતાધિકાર; મુક્તા-કલાપ-કલિતો છુવસિતાતપત્ર, વ્યાજા-ત્રિધા ધૃતતનુ ધ્રુવ-મભ્યપેત ૨૬.
અર્થ - હે નાથ ! તમારા વડે ત્રણ ભુવન પ્રકાશિત થયે છતે તારામંડળ સહિત એવો આ ચંદ્રમા વિશેષે હણાયો છે અધિકાર (જગતને વિષે પ્રકાશવા રૂ૫) જેને એવો છતો મોતીના સમૂહ વડે સહિત અને ઉલ્લસિત એવો ત્રણ છત્રના મિષથી ત્રણ પ્રકારે ધારણ કર્યું છે શરીર જેણે એવો તમારી પાસે સેવા કરવા આવેલો છે. અર્થાત જગતને તમે પ્રકાશિત કર્યું તેથી ચંદ્રમાને પ્રકાશ કરવાનો અધિકાર રહ્યો નથી, માટે ત્રણ છત્રના મિષથી તે તમારી સેવા કરવા આવ્યો હોય એમ જણાય છે. ૨૬.
૧. ઉચ્છવ=મોટા અને સિત=શ્વેત એમ બે પદ નીકળે છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૮૮
સ્પેન પ્રપૂરિત-જગત્ ત્રય-પિણ્ડિતેન, કાન્તિ-પ્રતાપ-યશસામિવ સંચયેન; માણિક્ય-હેમ-રજત-પ્રવિનિર્મિતેન,
૨સાલ-ત્રયેણ ભગવન્નભિતો વિભાસિ. ૨૭.
અર્થ :- હે ભગવાન્ ! પ્રકર્ષે કરીને પૂર્યું છે, ત્રણ જગત જેણે તેથી એકત્ર થયેલા એવા પોતાના કાન્તિ, પ્રતાપ અને યશના સમૂહવડે કરીને જાણે હોય ? તેમ ચારે તરફ નીલરત્ન સુવર્ણ અને રૂપા વડે નિર્માણ થયેલા (રચાયેલા) એવા ત્રણ ગઢ વડે તમે વિશેષ શોભો છે, અર્થાત્ તમારા કાન્તિ, પ્રતાપ અને યશવડે ત્રણ જગત પુરાઈ ગયું તેથી બીજું સ્થાન ન હોવાથી તેઓ ત્રણ ગઢ રૂપે એકત્ર થઈને રહેલા છે. ૨૭. દિવ્યસજો જિન ! નમત્ત્રિદશાધિપાના-, મુસૃજ્ય રત્નરચિતાનપિ મૌલિબંધાન્; પાદૌ શ્રયન્તિ ભવતો યદિ વા પરત્ર, ત્વત્સંગમે સુમનસો ન ૨મત્ત એવ. ૨૮.
૧. નીલરત્ન.
૨. નીલરત્ન, સુવર્ણ અને રૂપાના બનેલા ત્રણ ગઢ અનુક્રમે ભગવંતના સમવસરણને વિષે હોય છે. અહીં નીલરત્નના ગઢ તુલ્ય પ્રભુના શરીરની કાન્તિ (વર્ણ), સુવર્ણના ગઢ તુલ્ય (પીળો) પ્રતાપ અને રૂપાના ગઢ તુલ્ય ઉજ્જવળ યશ થયો.
૩. સૂર્ય, જ્ઞાન, માહાત્મ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઇચ્છા, ધર્મ, ઐશ્વર્ય, પરાક્રમ અને યોનિ એ ૧૪ અર્થમાં ભગ શબ્દ વપરાય છે, તેમાં યોનિ અને સૂર્ય એ બે અર્થવર્જિત ભગ શબ્દ અહીં ગ્રહણ કરવો; તે ભગ જેને હોય તે ભગવાન્ એટલે કે-જ્ઞાનવાન માહાત્મ્યવાન્ ઇત્યાદિ.
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૮૯ અર્થ:- હે જિનેશ્વર!મનોહરપુષ્પની માળાઓ, નમસ્કાર કરનારા દેવેંદ્રોનાડુર્યરત્નના રચેલા પણ મુકુટોનો ત્યાગ કરીને તમારા ચરણયુગલનો આશ્રય કરે છે અથવા તમારો સંગમ છતે પંડિતો (દેવતાઓ) અન્ય સ્થળે રમતા નથી જ. ૨૮.
– નાથ! જન્મજલધે-વિપરાત્મખોડપિ, યત્તારયસ્વસુમતો નિજ-પૃષ્ઠલગ્નાનુ; યુક્ત હિ પાર્થિવ-નિપસ્ય સતસ્તવ, ચિત્ર વિભો યદસિ કર્મ-વિપાક-શૂન્યઃ ૨૯.
અર્થ - હે નાથ ! તમે ભવસમુદ્ર થકી વિશેષે પરામુખ થયેલ છતાં પણ પોતાની પીઠે વળગેલા પ્રાણીઓ (જે જ્ઞાનદર્શન-ચારિત્રાદિ માર્ગ વડે જિનેશ્વર મોક્ષે ગયા છે તે માર્ગને અનુસરવાવાળા) ને જે કારણ માટે તારો છો તે વિશ્વના સ્વામી અને સુજ્ઞ એવા તમોને જે નિશ્ચ યુક્ત છે. પરંતુ હે પ્રભુ, અહીં આશ્ચર્ય છે કે – જે કારણ માટે તમે કર્મના વિપાક (ફળ) રહિત છો. ર૯.
વિરોધાલંકારગર્ભિત અચિજ્ય સ્વરૂપ વિશ્વેશ્વરોડપિ જનપાલક! દુર્ગતત્ત્વ, ૧. અસુ એટલે પ્રાણ, પ્રાણવાળો તે અસુમતુ અર્થાત્ પ્રાણી.
૨. પાર્થિવનિપ એટલે માટીનો ઘડો એવો અર્થ પણ થાય છે તેથી માટીનો ઉંધો રાખેલો ઘડો જેમ પોતાની પીઠે વળગેલાને સમુદ્રથકી તારે છે તેમ તમે પણ તારો છો તે યુક્ત છે. પરંતુ માટીનો ઘટ કુંભારે કરેલ પચનાદિ ક્રિયાઓ યુક્ત છે અને તમે કર્મવિપાક રહિત છો એ અહીં આશ્ચર્ય છે.
૩. જનોનું પાલન કરે તે જનપાલક.
૪. હે જનોને પાળનારા ! કેશવડે દરિદ્રી-રહિત છો. અર્થાત્ દીક્ષા લીધા પછી કેશ વધતા નથી. આવાં પદો પણ નીકળે છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૯૦ કિં વાડક્ષરપ્રકૃતિ-રસ્વલિપિસ્વમીશ!; અજ્ઞાનવત્યપિ સદેવ કથંચિદેવ, જ્ઞાન ત્વયિ હુરતિ વિશ્વ-વિકાશ-હેતુ. ૩૦.
અર્થ - હે જનપાલક! તમે વિશ્વના ઈશ્વર છો પણ દુર્ગત (દરિદ્રી) છો. (આ વિરોધાલંકાર છે તેનો પરિહાર કરે છે કે) - તમે વિશ્વના ઈશ્વર છો તો પણ દુર્ગત એટલે દુઃખે કરીને જાણવા યોગ્ય છો. અથવા હે ઈશ્વર! શું તમે અક્ષર (વર્ણ) સ્વભાવવાળા છો તો પણ બ્રાહ્મી આદિ લિપિ રહિત છો? (આ વિરોધાલંકાર છે તેનો પરિહાર કરે છે કે, તમે નિશ્ચળ પ્રકૃતિવાળા (શાશ્વત અથવા મોક્ષરૂપ સ્વભાવવાળા) છતાં કર્મરૂપ લેપ રહિત છો. અજ્ઞાનવાનું એવા પણ તમારે વિષે ત્રણ જગતને પ્રકાશ કરવાના હેતુભૂત એવું જ્ઞાન, નિચે કેવી રીતે નિરંતર હુરે છે? (આ વિરોધાલંકાર છે તેનો પરિહાર કરે છે કે-) મૂર્ખજનોને બોધ કર્યો છતે ત્રણ જગતને પ્રકાશ કરવાના હેતુભૂત એવું જ્ઞાન નિરંતર તમારે વિષે સ્કૂરે છે. ૩૦.
| શબ્દાર્થ પ્રાભાર - અત્યંતપણે. તેઃ - તે વડે. સંભૂતનભાંસિ - વ્યાપ્ત કર્યું છે | હતા - હણાઈ.
આકાશ જેણે એવી. | હતાશ હણાઈ છે આશાજેની એવો. રજાંસિ - ધૂળો.
ગ્રસ્ત - વ્યાપ્ત થયો. રોષાત્ - ક્રોધ વડે.
તુ - વળી. ઉત્થાપિતાની - ઉડાડી. અમીભિઃ - આ વડે. કમઠન - કમઠાસુર.
અયમેવ - એ જ.
પર - પરંતુ. યાનિ - જે.
દુરાત્મા - દુષ્ટાત્મા છાયા - કાન્તિ, પડછાયો. || ગર્જ - ગર્જના કરતો.
શઠેન - મૂર્ખ.
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૯૧
ઊર્જિતઘનૌઘમ - પ્રબળ મેઘનો | પ્રતિભવ - ભવોભવને વિષે.
સમૂહ છે જેને વિષે એવું. | ભવદુઃખહેતુઃ - સંસારના દુ:ખનું અદભૂભીમ - ઘણું ભયંકર.
કારણ. ભ્રશ્યત્તડિતું આકાશ થકી પડતી | ભવનાધિપ! - હે ત્રણ ભુવનના વીજળી છે જેને વિષે એવું.
સ્વામી ! મુસલમાંસલ-સાંબેલા જેવી પુષ્ટ | ત્રિસંધ્યમ્ - ત્રણ કાળે.
(અને). | આરાધયંતિ - આરાધન કરે છે. ઘોરધાર - બીહામણી છે ધારા | વિધિવત્ - વિધિપૂર્વક.
જેને વિષે એવું. | વિધુતાન્યકૃત્યાઃ - વિશેષ ટાળ્યાં દેત્યેન - કમઠાસુરે.
છે અન્ય કાર્યો જેણે એવા. મુક્ત - વરસાવ્યું.
ભત્યા - ભક્તિ વડે. અથ - હવે.
ઉલ્લસત્પલક - ઉલ્લાસ પામતા
- રોમાંચ વડે. દુસ્તરવારિ-દુઃખેતરવા યોગ્ય પાણી.
પહ્મલદેહદેશઃ- વ્યાપ્ત છે શરીર દછે - કરાયું. દુસ્તરવારિકયંભુડી તરવારનું કામ.
જેનાં એવા. ધ્વસ્તોર્વેકેશ - નીચે વિખરાયેલ
પાદયું - ચરણયુગલને. ઉપરના કેશ હોવાથી.
ભુવિ - પૃથ્વીને.
જન્મભાજઃ - પ્રાણીઓ. વિકૃતાકૃતિ-વિરૂપ થયેલી આકૃતિ. |.
| અસ્મિનું - આ. મર્યમંડ - મનુષ્યના માથાનાં.
| અપારભવવારિનિધી – અપાર પ્રાલંબથુઝુમણાને ધારણ કરનાર.
ભવ સમુદ્રને વિષે. ભયદેવત્ર - ભયંકર મુખ થકી.
શ્રવણગોચરતાં- શ્રવણ ગોચરપણાને. વિનિર્મદગ્નિઃ- નીકળતો છે
ગતઃ- પ્રાપ્ત થયેલા. અગ્નિ જેને એવો. આકર્ણિત - શ્રવણ કરાયે છતે. પ્રેતવજ: - દૈત્યનો સમૂહ. ગોત્રપવિત્રમંત્રે-નામરૂપ પવિત્ર મંત્ર. પ્રતિભવન્તમુ - તમારા પ્રત્યે. | વિપદ્વિષધરી -આપદારૂપી સાપણ. ઇરિતઃ - મુકેલો.
સવિધ - સમીપ. અસ્ય - એને.
| સમેતિ - આવે.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૯૨ કમઠાસુરે કરેલ ઉપસર્ગો પ્રાભાર-સંભૂત-નભાંસિ રજાંસિ રોષા-, દુસ્થાપિતાની કમઠન શઠેન યાનિ; છાયાડપિ તૈસ્તવ ન નાથ! હતા હતાશો, ગ્રસ્તત્ત્વમીભિ-રયમેવ પર દુરાત્મા. ૩૧.
અર્થ - હે નાથ! મૂર્ખ કમઠાસુરે ક્રોધ થકી, અત્યંતપણે વ્યાપ્ત કર્યું છે આકાશ જેણે એવી જે રજો (ધૂળો) તમારા તરફ ઉડાડી; તે રજોવડે તમારી છાયા (શરીરનો પડછાયો અથવા કાત્તિ) પણ ન હણાઈ, પરંતુ એ રજવડે હતાશ (હણાઈ છે આશા જેની એવો) અને દુષ્ટાત્મા એવો એ જ કમઠાસુર વ્યાપ્ત થયો, અર્થાત્ કર્મ રૂ૫ રજવડે વ્યાપ્ત થયો. ૩૧. થર્જદૂર્જિત-ઘન-ઘમદભ્ર-ભીમ, ભ્રશ્યત્તડિમ્મુસલ-માંસલ-ઘોર-ધાર; દૈત્યેન મુક્ત-મથ દુસ્તર-વારિ દધે, તેનૈવ તસ્ય જિન!દુસ્તર-વારિ-કૃત્યમ્. ૩૨.
અર્થ - હે જિનેશ્વર ! ગર્જના કરતો પ્રબળ મેઘનો સમૂહ છે જેને વિષે એવું, ઘણું ભયંકર, આકાશ થકી પડતી વીજળી છે જેને વિષે એવું અને સાંબેલા જેવી પુષ્ટ અને બીહામણી છે ધારા જેને વિષે એવું દુઃખે તરવા યોગ્ય (દુઃસહ્ય) પાણી જે કારણ માટે કમઠાસુરે (તમને ઉપસર્ગ કરવા) વરસાવ્યું, પછી તે જ પાણીવડે તે કમઠાસુરનું ભુંડી તરવારનું કામ કરાયું. અર્થાત્
૧. “ખાડો ખોદે તે પડે” એ કહેવત મુજબ જે અધમો જિનેશ્વરની અવજ્ઞા કરે છે તેને તે અવજ્ઞા પોતાના અનર્થને માટે થાય છે તે બાબત આ અને પછીના બે કાવ્યમાં વર્ણવેલ છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૯૩ ખરાબ તરવાર તેને રાખનારનું છેદન-ભેદન કરે છે તેમ આ પાણી તેના વરસાવનાર કમઠને જ સંસારને વિષે છેદન-ભેદનરૂપ કાર્ય કરનારૂં થયું, મતલબ કે પ્રભુને ઉપસર્ગ કરવાથી તેનો સંસાર વધ્યો. ૩૨,
ધ્વસ્તોળું-કેશ-વિકૃતાકૃતિ-મર્ય-મુણ્ડ-, પ્રાલમ્બસૃભયદ-વફત્ર-વિનિર્મદગ્નિ ; પ્રેતવ્રજ: પ્રતિભવન્ત-મપીરિતો ય, સોડસ્યાભવભ્રતિભવં ભવ-દુઃખહેતુ. ૩૩.
અર્થ - હે પ્રભુ! નીચે વિખરાયેલા ઉપરના કેશ હોવાથી વિરૂપ થયેલી છે આકૃતિ જેની એવા મનુષ્યના માથાના ઝુમણા (લટકતા હારડા)ને ધારણ કરનાર, ભયંકર મુખ થકી નીકળતો છે અગ્નિ જેને એવો જે દૈત્યનો સમૂહ પણ તમારા પ્રત્યે (ઉપસર્ગ કરવા માટે) કમઠાસુરે મૂક્યો તે (દૈત્ય સમૂહ) એ (કમઠાસુર)ને ભવ-ભવને વિષે સંસારના દુઃખનું કારણ હોતો હવો. ૩૩.
ધન્યાસ્ત એવ ભવનાધિપ ! યે ત્રિસંધ્ય-, મારાધયન્તિ વિધિવદ્વિધુતા કૃત્યા, ભકત્યોલ્લસત્પલક-પર્મલ-દેહદેશા , પાદદ્વયં તવ વિભો! ભુવિ જન્મભાજ:. ૩૪.
અર્થ:- હે ત્રણ ભુવનના સ્વામિ ! હે પ્રભુ! વિશેષે ટાળ્યા છે અન્ય કાર્યો જેણે એવા અને ભક્તિવડે ઉલ્લાસ પામતા રોમાંચ વડે વ્યાપ્ત છે શરીર જેનાં એવા જે પ્રાણીઓ પૃથ્વીને વિષે તમારા ચરણયુગલને વિધિપૂર્વક ત્રણે કાળે પૂજે છે, તેઓ જ ધન્ય (પ્રશંસનીય) છે. ૩૪.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૯૪ ગ્રંથકારે આઠ કાવ્યવડે કરેલી વિજ્ઞપ્તિ
અસ્મિન્નપાર-ભવ-વારિનિધૌ મુનીશ !, મન્યે ન મે શ્રવણગોચરતાં ગતોડિસ; આકર્ણિતે તુ તવ ગોત્ર-પવિત્ર-મન્ત્ર, કિં વા વિપદ્વિષધરી સવિધ સમેતિ. ૩૫.
અર્થ :- હે મુનીન્દ્ર ! હું એમ માનું છું કે - આ અપાર ભવસમુદ્રને વિષે તમે મારા શ્રવણગોચરપણાને પ્રાપ્ત થયેલા નથી. કેમકે તમારા નામરૂપ પવિત્ર મંત્ર શ્રવણ કરાયે છતે પણ આપદારૂપી સર્પિણી શું સમીપ આવે ? અર્થાત્ તમારું નામ સાંભળવાથી આપદાઓ આવે જ નહિ, પરંતુ મને આપત્તિઓ આવે છે; જેથી હું માનું છું કે પૂર્વભવમાં મેં તમારું નામ સાંભળ્યું જણાતું નથી. ૩૫
શબ્દાર્થ
જન્માંતરે - અન્ય ભવમાં.
પાદયુગં - ચરણ યુગલ. મયા - મેં.
મહિતમ્ - પૂછ્યું. ઇહિતદાનદશં - વાંછિત
આપવામાં ચતુર.
ઇહ જન્મનિ - આ જન્મમાં. પરાભવનાં - પરાભવોનું. જાતઃ - થયો.
નિકેતનં - સ્થાનક
મોહતિમિર - મોહરૂપ અંધારાવડે. આવૃતલોચનેન - ઢંકાયાં છે નેત્ર જેનાં એવો હું, તેના વડે. પૂર્વ - અગાઉ.
સમૃદ્ - એકવાર. | પ્રવિલોકિતઃ - જોવાયેલા.
મથિતાશયાનાં - મથન કર્યો છે ચિત્તનો આશય જેણે એવા
/
મર્યાવિધઃ - મર્મસ્થાનને ભેદનાર. વિધુરયંતિ - પીડે છે.
માં - મને.
અનર્થાઃ - અનર્થો.
પ્રોદ્યત્- પ્રકર્ષે કરીને ઉદય આવેલી.
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૯૫ પ્રબંધગતયઃ- કર્મબંધનની | મહેશ! - હે મોટા ઈશ્વર.
પ્રવૃત્તિ જેને વિષે છે એવા. | દયાં - કૃપા, મહેરબાની. અન્યથા - નહિતર.
વિધાય - કરીને. એતે - આ.
દુખાકુર -દુઃખની ઉત્પત્તિના કારણ. આકર્ણિતઃ - સાંભળ્યા. ઉદ્દલનતત્પરતાં - ખંડનને વિષે નિરીક્ષિતઃ - દીઠા – જોયા.
તત્પરપણું. ચેતસિ - ચિત્તને વિષે. વિધેહિ - કરો. વિધૃતઃ - ધારણ કરેલા.
નિઃસંખ્યસારશરણે - અસંખ્ય અસ્મિ - છું.
બળનું ઘર. તેન - તે કારણ માટે.
શરણં - શરણને. જનબાંધવ! હે જનહિતકારી!
શરણ્ય - શરણ કરવા યોગ્ય. દુઃખપાત્ર- દુઃખનું ભાજન.
| આસાદ્ય - પ્રાપ્ત કરીને. યસ્માત્ - જે કારણ માટે.
સાદિતરિપુ - નાશ કર્યા છે શત્રુ કિયા - ક્રિયાઓ.
જેણે અને. પ્રતિફલતિ - ફળ આપે છે.
| પ્રથિતાદાત પ્રસિદ્ધ છે પ્રભાવ ભાવશૂન્યા - ભાવ રહિત
જેનો એવા. દુઃખિજાનવત્સલ ! - દુઃખીજનો ઉપર કરુણાવાળું.
પાદપંકજ - ચરણકમળને. શરણ્ય! - શરણ કરવા યોગ્ય.
પ્રણિધાનવંધ્યઃ- ધ્યાન વડે રહિત. કારૂણ્ય - કરુણાપણાના.
વધ્યઃ- હણવા યોગ્ય. પુણ્યવસતે ! - પવિત્ર સ્થાન.
યે - જો. વશિનાં - જિતેન્દ્રિયોને વિષે.
ભુવનપાવન ! - ત્રણ ભુવનને વરેણ્ય - શ્રેષ્ઠ.
પવિત્ર કરનારા. નતે - નમેલા.
હા - ખેદે, મયિ - મારા ઉપર. | હતઃ - દુર્દેવ વડે હણાયેલો છું.
જન્માન્તરેડપિ તવ પાદયુગ ન દેવ!, મન્ય મયા મહિત-મીહિત-દાનદક્ષ;
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૯૬
તેનેહ જન્મનિ મુનીશ ! પરા-ભવાનાં, જાતો નિકેતન-મહં મથિતા-શયાનામ્. ૩૬.
અર્થ :- હે દેવ ! હું માનું છું કે-જન્માંતરને વિષે પણ મેં વાંછિતને આપવામાં ચતુર એવું તમારું ચરણયુગલ પૂજ્યું નથી, તે કારણથી જ હે મુનીશ ! આ જન્મમાં હું મથન કર્યો છે ચિત્તનો આશય જેણે એવા પરાભવોનું સ્થાન થયો છું. અર્થાત્ તમારા ચરણયુગલને પૂજનાર પરાભવનું સ્થાન થતો જ નથી. ૩૬.
નૂનં ન મોહ-તિમિરા-વૃત-લોચનેન, પૂર્વ વિભો ! સમૃદપિ પ્રવિલોકિતોઽસિ; મર્માવિધો વિધુરયન્તિ હિ મા-મનર્થાઃ, પ્રોદ્યત્ત્રબન્ધ-ગતયઃ કથ-મન્યથૈતે. ૩૭.
અર્થ :- હે પ્રભુ ! મોહરૂપ અજ્ઞાનાંધકારવડે આચ્છાદન થયાં છે નેત્રો જેનાં એવા મારા વડે તમે નિશ્ચે પ્રથમ એક વાર પણ જોવાયેલા નથી. નહિતર (તમને જોયા હોત તો) મર્મસ્થાનને ભેદનારા અને પ્રકર્ષે ઉદય આવેલી કર્મબંધની પ્રવૃત્તિ છે જેને વિષે એવા આ દુ:ખો મુજને કેમ પીડે ? અર્થાત્ પ્રભુનું દર્શન કરનારને કષ્ટ પ્રાપ્ત થતું નથી. ૩૭. આકર્ણિતોપિ મહિતોઽપિ નિરીક્ષિતોઽપિ, નૂનં ન ચેતસિ મયા વિકૃતોઽસિ ભક્ત્યા; જાતોઽસ્મિ તેન જનબાંધવ ! દુ:ખપાત્ર, યસ્માત્ ક્રિયાઃ પ્રતિફલત્તિ ન ભાવશૂન્યાઃ. ૩૮. અર્થ :- હે જનહિતકારી ! તમોને (કોઈ પણ ભવને વિષે)
=
સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે અને દીઠા પણ છે; પરંતુ ભક્તિવડે કરીને ચિત્તને વિષે નિશ્ચે ધારણ કરેલા નથી; તે કારણ
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૯૭ માટે જ હું દુઃખનું ભાજન (સ્થાન) થયેલો છું. જે કારણ માટે ભાવ રહિત ક્રિયાઓ (શ્રવણ, પૂજન, દર્શનાદિ) વિશિષ્ટ ફળ આપતી નથી. ૩૮.
– નાથ ! દુઃખિજ-નવત્સલ ! હે શરણ્ય !, કારુણ્ય-પુણ્ય-વસતે ! વશિનાં વરેણ્ય!; ભકત્યા નતે મયિ મહેશ! દયાં વિધાય, દુઃખાકુરોદ્દલન-તત્પરતાં વિધેહિ. ૩૯.
અર્થ :- હે નાથ ! દુઃખીજનો ઉપર કરુણાળુ ! હે શરણ કરવા યોગ્ય! હે કરુણાપણાના પવિત્ર સ્થાન! (અથવા દયા અને ધર્મના સ્થાન !) હે જિતેન્દ્રિયોને વિષે શ્રેષ્ઠ! હે મ્હોટા ઈશ્વર ! તમે ભક્તિવડે નમેલા પ્યારા ઉપર દયા કરીને દુઃખની ઉત્પત્તિના કારણના ખંડનને વિષે તત્પરતા કરો. અર્થાત્ મહારાં દુઃખો ઉતાવળે નાશ કરો. ૩૯. નિઃસંખ્ય-સાર-શરણે શરણે શરણ્ય-, માસાદ્ય સાદિત-રિપુડપ્રથિતાડવદાતમુ; વત્ પાદ-પકજમપિપ્રણિધાન-વંધ્યો', વધ્યોડસ્મિ ચે ભુવનપાવન! હા હતોડસ્મિ. ૪૦.
અર્થ - હે ત્રણ ભુવનને પવિત્ર કરનારા! અસંખ્ય બળના ઘર, શરણ કરવા યોગ્ય, નાશ કર્યા છે શત્ર જેણે એવા અને પ્રસિદ્ધ છે પ્રભાવ જેનો એવા તમારા ચરણકમળના પણ શરણને પામીને જો હું ધ્યાનવડે રહિત છું તો (રાગાદિ શત્રુવડે) હણવા યોગ્ય છું હા ઇતિ ખેદે હું (દુર્દેવવડે) હણાયેલો છું. ૪૦.
૧. પ્રળિધાનવંધો ! વોડમિએ પ્રકારે પાઠાંતર છે. ત્યાં આ પ્રમાણે અર્થ લેવો - હે મિત્ર! તમારા ચરણનું શરણ પામીને પણ જો હું નિષ્ફળ છું, તો હે ભુવનપાવન ! ખેદ થાય છે કે હું દુર્દેવવડે હણાયેલો છું.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શબ્દાર્થ દેવેંદ્રવંઘ ! - દેવેન્દ્રોવડે વંદન | સ્વામી - સ્વામી.
કરવા યોગ્ય | ભુવને - લોકમાં. વિદિત - જામ્યો છે.
અત્ર - આ. અખિલવસ્તુ સાર ! - સમસ્ત | ભવાન્તરે - જન્માંતરમાં.
વસ્તુનું રહસ્ય જેણે એવા. ઇત્યં - એ પ્રકારે. સંસારતારક! - સંસાર સમુદ્રથકી | સમાહિતધિયઃ -સમાધિવાળી છે તારનારા.
બુદ્ધિ જેમની એવા. ભુવનાધિનાથ-ત્રણ ભુવનના નાથ. વિધિવત્ - વિધિપૂર્વક. ત્રાયસ્વ - રક્ષણ કરો.
સાંદ્રોલ્લસત્ - અત્યંત ઉલ્લાસ પામતા. કરુણાહદ - કરુણાના દ્રહ. પુલકંચુકિત - રોમાંચ વડે કંચુકિત છે. પુનીતિ - પવિત્ર કરો. અંગભાગઃ - શરીરના ભાગો સીદંત - સીદાતા.
જેના એવા. અદ્ય - હમણાં.
બિંબનિર્મલ- બિંબના નિર્મળ. ભયદ - ભયંકર.
મુખાબુજ - મુખકમળને વિષે. વ્યસનાબુરાશેઃ -સંકટના સમુદ્ર થકી. બદ્ધલક્ષ્યા બાંધ્યું છે લક્ષ્ય જેણે એવા. યદિ - જો.
યે - જે. ભવદંધિ - તમારા ચરણરૂપ. સંસ્તવ - સ્તોત્રને. સરોહાણાં - કમળોની. રચયંતિ - રચે છે. ભક્તઃ - ભક્તિનું.
ભવ્યાઃ - ભવ્યજનો. કિમપિ - કાંઈ પણ. | જનનયન - મનુષ્યના નેત્રરૂપ. સંતતિસંચિતાયાઃ - પરંપરાના | કુમુદચંદ્ર - ચન્દ્રવિકાશી કમળને સંચયને કરવાવાળી.
ચંદ્રતુલ્ય. એકશરણસ્ય - એક શરણ છે જેને | પ્રભાસ્વરા - પ્રકર્ષે દેદીપ્યમાન.
એવા. | સ્વર્ગસંપદ - સ્વર્ગની લક્ષ્મીને. શરણ્ય - શરણ કરવા યોગ્ય.
| મુકતા - ભોગવીને. ભૂયા - થાઓ.
તે - તેઓ.
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૯૯
વિગલિત - વિશેષે ગળી ગયા છે. | અચિરાત્ - તત્કાળ. મલનિચયાઃ - કર્મમલના સમુહ | મોક્ષ - મોક્ષને.
જેના એવા | પ્રપદ્યન્ત - પ્રાપ્ત કરે છે. દેવેન્દ્રવંદ્ય! વિદિતાડખિલ-વસ્તુસાર !, સંસાર-તારક! વિભો! ભુવનાધિનાથ; ત્રાયસ્વ દેવ! કરુણા-હૃદ! માં પુનીહિ', સીદન્ત-મદ્ય ભયદ-વ્યસનાબુરાશે. ૪૧.
અર્થ:- હે દેવેન્દ્રો વડે વંદન કરવા યોગ્ય ! હે જાણ્યું છે સમસ્ત વસ્તુનું રહસ્ય (પરમાર્થ) જેણે એવા! હે સંસારસમુદ્રથકી તારનાર! હે વિભુ! હે ત્રણ ભુવનના નાથ! હે દેવ! હે કરુણાના દ્રહ (દયાસમુદ્ર) ! સીદાતા (વિષાદ પામતા) એવા મને ભયને આપનાર એવા સંકટના સમુદ્રથકી હમણાં રક્ષણ કરો અને (પાપનો નાશ કરીને) પવિત્ર કરો. ૪૧.
યદ્યસ્તિ નાથ! ભવદંથ્રિ-સરોરુહાણાં, ભક્તઃ ફલ કિમપિ સન્નતિ-સંચિતાયા; તન્મે ત્વદેક-શરણસ્ય શરણ્ય ભૂયા, સ્વામી ત્વમેવ ભુવનેડત્ર ભવાન્તરેડપિ. ૪૨.
અર્થ - હે નાથ ! પરંપરાના સંચયને કરવાવાળી એવી તમારા ચરણકમળની ભક્તિનું જો કંઈપણ ફળ હોય તો તે શરણ કરવા યોગ્ય ! તમારું એક શરણ છે જેને એવા (તમારે જ શરણે આવેલા) મને આ લોકને વિષે અને જન્માંતરને વિષે ૧. પ્રસદ્ય પ્રસાદ કરીને પ્રસીદ પ્રસાદ કરો, એવા બે પાઠાન્તરો પણ છે. ૨. સંતતસંચિતાયા: એવો પાઠ હોય ત્યાં આ પ્રમાણે અર્થ લેવો-નિરંતર
કરવા વડે વૃદ્ધિ પામેલી.
Page #403
--------------------------------------------------------------------------
________________
૪૦૦ પણ તમેજ સ્વામી થાઓ. અર્થાત તમારી ભક્તિનું કાંઈ ફળ મળતું હોય તો હું એટલું માંગું છું કે ભવ-ભવને વિષે તમે મારા સ્વામી થાઓ. ૪૨.
ઇત્યં સમાહિત-ધિયો વિધિવસ્જિને!, સાક્નોલ્લસત્પલક-કંકિતાલ્ગ-ભાગા; ત્વબિમ્બ-નિર્મલ-મુખાબુજ-બદ્ધલક્ષ્યા, યે સંસ્તવં તવ વિભો!રચયન્તિ ભવ્યાઃ ૪૩. જનનયન-કુમુદચન્દ્ર'!, પ્રભાસ્વરા સ્વર્ગસંપદો ભુક્વા; તે વિગલિત-મલ-નિચયા, અચિરાઝ્મોક્ષ પ્રપદ્યન્ત. (યુમમુ) ૪૪.
અર્થ - હે જિનેન્દ્ર ! હે પ્રભુ! હે મનુષ્યના નેત્રરૂપ ચંદ્ર વિકાશી કમળને ચંદ્રમા તુલ્ય! સમાધિવાળી (ધ્યાનવાળી સ્થિર)
બુદ્ધિ છે જેમની એવા, અત્યંત ઉલ્લાસ પામતા રોમાંચવડે કિંકિત છે શરીરના ભાગો જેના એવા તમારા બિંબના નિર્મળ મુખકમળને વિષે બાંધ્યું છે લક્ષ્ય જેણે એવા અને વિશેષે ગળી ગયો છે કર્મમળનો સમૂહ જેનો એવા છતા જે ભવ્ય પ્રાણીઓ એ પૂર્વોક્ત પ્રકારે વિધિપૂર્વક તમારા સ્તોત્રને રચે છે (કરે છે) તેઓ પ્રકર્ષે દેદીપ્યમાન સ્વર્ગ લક્ષ્મીને ભોગવીને તત્કાળ (દેવ થઈને મનુષ્યભવ પામીને) મોક્ષને પ્રાપ્ત કરે છે. ૪૩-૪૪.
ઇતિ *શ્રી કલ્યાણ મંદિર સંપૂર્ણમ્. ૧. અહીં કવિએ પોતાનું દીક્ષા અવસરે ગુરૂએ આપેલું “કુમુદચંદ્ર” નામ સૂચવ્યું છે.
* આ સ્તોત્રમાં દરેક ગાથામાં મંત્રો છે તે ગુરૂગમથી જાણી લેવા.
Page #404
--------------------------------------------------------------------------
________________
૪૦૧ *ોટી શાન્તિ
શબ્દાર્થ ભો ભો ભવ્યા - હે ભવ્ય લોકો. | આતા - હે શ્રાવકો! શુશ્રુત - સાંભળો.
ભક્તિભાવઃ - ભક્તિવડે યુક્ત (છે) વચન - વચનને.
તેષાં - તેઓને. પ્રસ્તુત - અવસર ઉચિત. શાન્તિ - શાન્તિ. સર્વ - સર્વ.
ભવતુ - થાઓ. એતદ્ - આ.
ભવતાં - તમોને. થે - જે .
અહંદાદિ - અરિહંતાદિ યાત્રાયાં - યાત્રાને વિષે.
પંચપરમેષ્ઠીના. ત્રિભુવનગુરો -ત્રિભુવન ગુરુની. | પ્રભાવાત્ - માયાભ્ય થકી.
* આ મોટી શાન્તિના કર્તાએ ગ્રંથને અંતે પોતાનું નામ જણાવ્યું નથી તો પણ અહં તિર્થીયરમાયા સિવાદેવીએ. ગાથાની ટીકા લખતાં ટીકાકાર શ્રી હર્ષકીર્તિસૂરિ લખે છે-શ્રી નેમિનાથની માતા શિવાદેવી કહે છે કે હું તીર્થકરની માતા શિવાદેવી નામની તમારા નગરને વિષે રહેનારી છું, ઇત્યાદિ, તે ઉપરથી શિવાદેવી માતાએ દેવીપણાની અવસ્થામાં આ શાન્તિ રચી છે, એમ નિર્ણય થાય છે. તીર્થકરનો જન્મ થાય ત્યારે ચોસઠ ઇન્દ્રો પ્રભુના જન્મસ્થાને આવે અને જે દિશાના ક્ષેત્રમાં જન્મ થયો હોય તે દિશાના નાયક ઈન્દ્ર (સૌધર્મ અથવા ઇશાન) સર્વને અવસ્થાપિની નિદ્રા મૂકી ભગવંતનું પ્રતિબિંબ ભગવંતની માતા આગળ સ્થાપીને પોતે પાંચ રૂપ કરી પ્રભુને ગ્રહણ કરી મેરૂપર્વત ઉપર પાંડુક વનમાં આવેલી શિલાના સિંહાસનને વિષે પ્રભુને સ્થાપીને ઉત્તમ ઔષધિ મિશ્રિત જળના મોટા એક ક્રોડ અને સાઠ લાખ કળશોવડે પ્રભુને ત્વવરાવે છે અને ઉત્તમ દ્રવ્યવડે પૂજે છે અને પછી સર્વને શાન્તિ થાય તે માટે શાન્તિ પાઠ ભણે છે. એ પ્રકારે ઇન્દ્રાદિક દેવો પ્રભુની જે પ્રકારે ભક્તિ કરે છે તેનું અનુકરણ કરવાના બહાને આપણે પણ (સ્નાત્ર મહોત્સવાદિ દ્વારા) પ્રભુભક્તિ અવશ્ય કરવી જોઈએ, તે કેવી રીતે કરવી? એ વગેરે હકીકત આ સ્તવને વિષે આવે છે. ૨૬
Page #405
--------------------------------------------------------------------------
________________
ઉપર.
૪૦૨ આરોગ્યશ્રી -આરોગ્યતા, લક્ષ્મી. | ગૃહત્યા - ગ્રહણ કરીને. ધૃતિમતિકરી - સંતોષ અને | ગવા - જઈને.
વિશિષ્ટ બુદ્ધિ કરનારી. | કનકાદ્રિધૃકેમેરૂ પર્વતના શિખર ક્લેશવિધ્વંસહેતુ - રાગદ્વેષાદિના
નાશના કારણભૂત. | | વિહિતજન્માભિષેક - કર્યો છે ઇહ- અહીં.
જન્મ સ્નાત્ર મહોત્સવ જેણે એવો. હિ- જે કારણ માટે
શાન્તિ - શાન્તિને. ભરતૈરાવત - ભરતક્ષેત્ર ઉદ્ઘોષયતિ -મોટા શબ્દ ભણે છે.
ઐરાવતક્ષેત્ર, (અને) | યથા - જેમ. વિદેહસંભવાનાં - મહાવિદેહક્ષેત્રને | તતઃ - તેથી.
વિષે ઉત્પન્ન થયેલા. | અહં - હું. સમસ્તતીર્થકતાં સમગ્ર તીર્થકરોના. | કૃતાનુકાર - કરેલનું અનુકરણ થાય. જન્મનિ - જન્મ સમયે. ઇતિકૃત્વા - એમ કરીને. આસનપ્રકમ્માનંતર - આસન | મહાજનો - ઇન્દ્રાદિ દેવસમૂહ.
ચલાયમાન થયા પછી. | યેન - જે માર્ગે. અવધિના - અવધિજ્ઞાન વડે. | | ગતઃ - ગયો. વિજ્ઞાય - જાણીને.
સપંથાઃ- તે જ રસ્તો પ્રમાણ. સૌધર્માધિપતિઃ - સૌધર્મેન્દ્ર. ઇતિ - એ કારણથી. સુઘોષાઘંટા-સુઘોષા નામની ઘંટાને. | | ભવ્યજનૈઃ સહ-ભવ્ય પ્રાણીઓ સાથે. ચાલનાનંતર - વગડાવ્યા પછી. સમેત્ય - આવીને. સકલ - બધા.
સ્નાત્રપીઠે - સ્નાત્ર પીઠિકા ઉપર. સુરાસુરે -સુર, અસુર અને ઇન્દ્રોની. | સ્નાત્રવિધાય - સ્નાત્ર કરીને. સહ – સાથે.
ઉદ્ઘોષયામિ - ઉદ્ઘોષણા કરું છું. સમાગત્ય - રૂડા પ્રકારે આવીને. | તત્ તે. સવિનય - પરમ વિનય સહિત. | પૂજાયાત્રાસ્નાત્રાદિ-પૂજા, યાત્રા અ દ્ભટ્ટારક-અરિહંત ભટ્ટારકને. !
અને સ્નાત્ર વગેરે.
Page #406
--------------------------------------------------------------------------
________________
૪૦૩
મહોત્સવાનંતર - મહોત્સવ કર્યા | દત્ત્વા - દઈને. પછી. | નિશમ્યતાં - સાંભળો.
કર્ણ - કાન.
સ્વાહા - સ્વાહા.
ભો ભો ભવ્યાઃ ! શુષુત વચનં પ્રસ્તુતં સર્વમેત ્, યે યાત્રાયાં ત્રિભુવન-ગુરો-રાર્હતા ભક્તિભાજઃ; તેષાં શાન્તિર્ભવતુ ભવતા-મર્હદાદિપ્રભાવા,દારોગ્યશ્રીકૃતિ-મતિકરી ક્લેશ વિધ્વંસહેતુઃ૪. ૧.
અર્થ :- તીર્થંકરદેવનું સ્નાત્ર કરનાર શ્રાવકોમાંથી વિશિષ્ટ ગુણવાન્ શ્રાવક હોય તે ઉભો થઈને નીચે પ્રમાણે કહે છે-અહો ! આર્હત શાસનમાં રક્ત એવા ભવ્ય લોકો ! આ અવસર ઉચિત સર્વ વચન તમે સાંભળો. જે (તમો) ત્રણ ભુવનના ગુરુ (વીતરાગ)ની યાત્રા (જન્મ-મહોત્સવ)ને વિષે ભક્તિવડે યુક્ત છો તે તમોને અરિહંતાદિ પંચપરમેષ્ઠીના માહાત્મ્ય (પ્રસાદ) થકી આરોગ્યતા, લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી તથા રાગ-દ્વેષાદિના નાશના કારણભૂત એવી (દુઃખ, પાપ અને ઉપસર્ગના ઉપશમરૂપ અથવા કલ્યાણરૂપ) શાન્તિ થાઓ. ૧.
ભો ! ભો ! ભવ્યલોકાઃ ! ઇહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થ-કૃતાં જન્મન્યાસનપ્રકમ્પાનન્તર-મવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘષ્ટા-ચાલનાનન્તર સકલ-સુરાસુરેન્દ્રઃ સહ
૧. મુક્તિ ગમન યોગ્ય જીવો. ૨. અર્હત્ (વીતરાગ) છે દેવ જેના તે, એટલે અરિહંત દેવના ભક્તો. ૩. અવિઘાથી ઉત્પન્ન થયેલા કદાગ્રહ અથવા રાગદ્વેષાદિ કષાય. ૪. નપુંસકલિંગ અથવા સ્ત્રીલિંગ હોય તો પણ હેતુ શબ્દ પુલિંગમાં જ વપરાય છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
૪૦૪
સમાગત્ય, સવિનયમર્યભટ્ટારકે ગૃહિવા ગત્વા કનકાદ્રિ-, વિહિત-જન્માભિષેકઃ શાતિમુઘોષયતિ યથા, તતોડહં કૃતાનુકાર-મિતિ કૃત્વા, મહાજનો યેન ગત સપત્થા, ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય. સ્નાટાપીઠે સ્નાટાં વિધાય, શાન્તિમુદ્દોષયામિ, તપૂજા-યાત્રા-સ્નાત્રાદિ-મહોત્સવાનન્તર-મિતિ કૃત્વા કર્ણદવા નિશમ્યતા નિશમ્યતાં સ્વાહા. ૨.
અર્થ:- હે ભવ્ય પ્રાણીઓ ! જે કારણ માટે અહીં (આ જગતમાં) ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા સમગ્ર તીર્થકરોના જન્મ સમયે સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર, પોતાનું આસન ચલાયમાન થયા પછી અવધિજ્ઞાને (જિનજન્મને) જાણીને સુઘોષા નામની ઘંટાને વગડાવ્યા પછી સર્વ સુર (વૈમાનિક દેવ,) અસુર (ભવનપત્યાદિ દેવ) અને તેના ઇન્દ્રોની સાથે (જિન-જન્મસ્થાને) આવીને પરમ વિનય સહિત અર્ણરૂપ ભટ્ટારક (પૂજ્ય)ને કરસંપુટમાં ગ્રહણ કરીને મેરુ પર્વતના શિખર ઉપર જઈને કર્યો છે જિનજન્મમહોત્સવ જેણે એવો તે સ્નાત્ર મહોત્સવને અંતે શાન્તિની ઉદ્દઘોષણા કરે છે (વેદધ્વનિની જેમ મોટા શબ્દ બોલે છે.) તે કારણ માટે હું પણ કરેલનું અનુકરણ જેમ થાય તેમ કરીને (વિચારીને) વળી મહાન્ જન (ઇન્દ્રાદિદેવ સમૂહ) જે માર્ગે ગયો (પ્રવ) તે જ માર્ગ પ્રમાણ (અર્થાત ૧. અહીં અત્યંત આદર જણાવવા માટે આ શબ્દ બે વખત વાપર્યો છે. ૨. સુષ્ઠ આહા-સ્વાહા સારી રીતે કહેવું તે સ્વાહા. આ પદ દેવોને બલિદાન
આપતાં અને મંત્રપદને અંતે બોલાય છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
૪૦૫
ઈન્દ્રાદિ દેવોએ જેમ કર્યું તેમ આપણે પણ કરવું), એ કારણથી ભવ્ય પ્રાણીઓ સાથે (જિનાલયે) રૂડે પ્રકારે આવીને સ્નાત્ર પીઠિકા ઉપર જિનસ્નાત્ર કરીને હું ખોટા શબ્દ જે શાન્તિ પાઠ કરું છું તે પૂજ,યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવ કર્યા પછી - એ પ્રકારે કરીને કાન દઈને સાંભળવા માટે કાનને સાવધાન કરીને) તમે સાંભળો. સ્વાહા - ૨.
શબ્દાર્થ પુસ્થાઈ - ઉત્તમ દિવસ છે. | રિપુવિજય-શત્રુએ કરેલ પરાભવ પ્રિયંતામુ - સંતુષ્ટ થાઓ. | દુર્ભિશકાંતારેષ-દુષ્કાળને અંતે ભગવંતઃ - ઐશ્વર્યાદિ યુક્ત.
મહા અટવીને વિષે. અહંતઃ- તીર્થકરો.
દુર્ગમાર્ગેષ- વિકટ માર્ગોને વિષે. સર્વજ્ઞાઃ- સર્વને જાણનારા. રહંતુ - રક્ષણ કરો. સર્વદર્શિનઃ - સર્વને જોનારા. વ: - તમારૂં. ત્રિલોકનાથાઃ- ત્રણલોકના નાથ. | નિત્ય - નિરંતર. ત્રિલોકમહિતાઃ- ત્રણ લોક વડે | હ્રીં શ્રીં - મંત્રીબીજ છે.
પૂજાયેલા. | કૃતિમતિકીર્તિ-સંતોષ, મતિ, યશ. ત્રિલોકપૂજ્યા-ત્રણલોકના પૂજય. | | કાનિબુદ્ધિલક્ષ્મી - શોભા, ત્રિલોકેશ્વરાટ-ત્રણ લોકના ઈશ્વર.
બુદ્ધિ, સંપત્તિ. ત્રિલોકોદ્યોતકરા:- ત્રણ લોકને | મેધાવિદ્યાસાધન - ધારણ કરવાની
પ્રકાશ કરનારા. | બુદ્ધિ, વિદ્યાનું સાધન. વર્ધમાનાંતા - મહાવીર સ્વામી પયંત. | પ્રવેશ નગરાદિ પ્રવેશ (અને) શાન્તા - ઉપશાંત થયેલા. નિવેશનેષ-નિવાસસ્થાનોને વિષે. શાન્તિકરાઃ- શાન્તિને કરનાર. | સુગૃહીતનામાનઃ - રૂડે પ્રકારે ભવતુ - થાઓ.
પ્રહણ કરાયાં છે નામો જેનાં એવા. મુનયઃ-મુનિઓ.
જયંત - જયવંતા વર્તો. મુનિપ્રવરા - મુનિશ્રેષ્ઠ. તે નિંદ્રાઃ- તે જિનેશ્વરો.
Page #409
--------------------------------------------------------------------------
________________
સર્પાસ્ત્રામહાજ્વાલા - સર્વ
૪૦૬
અન્નવાળી મહાજ્વાલા.
અંગારક - મંગળ. સહિતાઃ - સહિત. સલોકપાલાઃ - લોકપાળ દેવોએ સહિત. વાસવ - ઇન્દ્ર.
આદિત્ય - બાર પ્રકારના સૂર્ય. સ્કંદ - કાર્તિકેય. વિનાયકોપેતાઃ - ગણેશ સહિત.
ષોડશ - સોળ.
વિદ્યાદેવ્યઃ - વિદ્યાદેવીઓ. રક્ષતુ - રક્ષણ કરો. આચાર્યોપાધ્યાયપ્રસૃતિ - આચાર્ય, ઉપાધ્યાય વગેરે.
ચાતુર્વર્ણસ્ય - ચાર પ્રકારો છે જેને
યે - જે.
વિષે એવા.
શ્રીશ્રમણસંઘસ્ય - શ્રી મહાવીર
|
અન્યેડપિ - બીજા પણ. ગ્રામનગરક્ષેત્રદેવતાદયઃ - ગામ,નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે. પ્રીયંતાં - પ્રસન્ન થાઓ.
પ્રભુના સંઘને.
ભવતુ - થાઓ. તુષ્ટિ - સંતોષ.
પુષ્ટિ - ધર્મની પુષ્ટી. ગ્રહાઃ - નવગ્રહો.
અક્ષીણકોશ - અક્ષયભંડાર (અને). કોષ્ઠાગારાઃ - ધાન્યના કોઠારોવાળા. નરપતયઃ - રાજાઓ.
ૐ પુણ્યા ં પુણ્યાહં પ્રીયંતાં પ્રીયંતાં ભગવન્તોડર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિન-ત્રિલોકનાથાત્રિલોકમહિતા-ત્રિલોકપૂયા-ત્રિલોકેશ્વરાત્રિલોકોદ્યોતકરાઃ. ૩.
૧. ૐ મંગલવાચક છે અવતિ ઇતિ ૐ રક્ષા કરે તે. અર્થાત્ પરમાત્મા. આ પદ પંચપરમેષ્ઠીના અર્થવાચક છે તે આ પ્રકારે અરિહંતનો અ સિદ્ધ એટલે અપુનર્ભવનો અ, આચાર્યનો આ એ ત્રણેની સંધિ કરતાં આ થયો. તેમાં ઉપાધ્યાયના ઉ ની સંધિ કરતાં ઓ થયો અને મુનિનો મ્ જોડ્યો એટલે ૐ પદ સિદ્ધ થયું. અથવા અરિહંતના અ પછી સિદ્ધનો સ્ પછી આચાર્યનો આ તેની સંધિ કરતાં સ્ નો વિસર્ગ થઈ લોપ થયે સંધિ કરતા આ થયો તેમાં ઉ અને મ્ મેળવી સંધિ કરતાં ૐ થાય છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
૪૦૭
અર્થ :- ૐ એ પદ શરૂઆતમાં બોલીને કહે છે કે - આજ ઉત્તમ દિવસ છે, ઉત્તમ દિવસ છે (આજનો દિવસ ધન્ય છે). કેવળજ્ઞાનવડે જાણનાર, કેવલદર્શન વડે સર્વને જોનારા ત્રણ લોકના સ્વામી, ત્રણ લોકવડે (ત્રિભુવનવાસી જીવો વડે પુષ્પાદિકે) પૂજાયેલા, ત્રણ લોકના પૂજ્ય (પૂજવા યોગ્ય), ત્રણ લોકના ઈશ્વર અને ત્રણ લોકને (અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરવાવડે) પ્રકાશ કરનારા એવા ઐશ્વર્યાદિ યુક્ત (ચોવીશ) તીર્થંકરો અત્યન્ત સંતુષ્ટ થાઓ. ૩.
ૐ ઋષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિપદ્મપ્રભ-સુપાર્શ્વ-ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસવાસુપૂજ્ય-વિમલ-અનન્ત-ધર્મ-શાન્તિ-કુંથુ-અરમલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ-વર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા. ૪. ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુર્ભિક્ષકાન્તા૨ેષુ દુર્ગમાર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. ૫.
અર્થ :- ૐ ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભપ્રભુ, સુવિધિનાથપ્રભુ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજયસ્વામી, વિમળનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લીનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામી પર્યંત ઉપશાન્ત થયેલ (ચોવીશ) જિનેશ્વરો, કષાયોદયના ઉપશમરૂપ શાન્તિને કરનારા થાઓ. સ્વાહા, વળી મુનિઓમાં શ્રેષ્ઠ મુનિઓ (તત્ત્વજ્ઞ), શત્રુએ કરેલ પરાભવ,
૧. વિદ્યાના અતિશય-લબ્ધિવાળા ગણધરાદિ સાધુઓ.
Page #411
--------------------------------------------------------------------------
________________
४०८
દુષ્કાળ અને મહાઇટવીને વિષે તથા વિકટ માર્ગોને વિષે તમોને નિરંતર રક્ષણ કરો. સ્વાહા. ૪-૫.
ૐ હ્રીં શ્રી ધૃતિ-મતિ-કીર્તિ-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મીમેધા-વિદ્યાસાધનપ્રવેશ-નિવેશનેષુ સુગૃહીતનામાનો જયન્ત તે જિનેન્દ્રા. ૬.
અર્થ :- 5 (પ્રણવબીજ) હ્રીં (માયાબીજ-વશ કરનાર) અને શ્રી લક્ષ્મીબીજ-લક્ષ્મીનું કારણ) પૂર્વક સંતોષ, મતિ (દીર્ઘ દૃષ્ટિ), યશ, શોભા, બુદ્ધિ (વર્તમાનકાળે ઉપજતી બુદ્ધિ), ધનાદિ, સંપત્તિ, ધારણ કરવાની બુદ્ધિ, વિદ્યાનું સાધન, નગરાદિ પ્રવેશ અને નિવાસસ્થાનને વિષે રૂડે પ્રકારે ગ્રહણ કરાયાં છે નામો જેનાં એવા તે જિનેશ્વરો જયવંતા વાર્તા = સાંનિધ્ય કરવાવાળા થાઓ. ૬.
*% રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજશૃંખલા-વાંકુશીઅપ્રતિચક્રી-પુરૂષદત્તા-કાલી, મહાકાલી-ગૌરીગાંધારિ-સર્જાસ્ત્રા-મહાજ્વાલા-માનવ-વૈરોચ્યાઅચ્છમા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષતુ વો નિત્યં સ્વાહા. ૭.
અર્થ:- ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વાંકુશી, અપ્રતિચક્ર (ચક્રેશ્વરી), નરદત્તા, કાળી, મહાકાળી, ગૌરી, ૧. વિદ્ધમાનાદિ વિદ્યાઓનું સાધન અથવા ચૌદ વિદ્યાનું પાઠન. * મંત્રપદની આદિમાં 8 અને અંતે સ્વાહા એ પ્રકારે પદો બોલવા એવો વૃદ્ધ આમ્નાય છે તે પ્રકારે અહીં સર્વત્ર સમજી લેવું.
૨. આ વિદ્યાદેવીઓ છે. સંતિક સ્તવ અને તિજયપહત્ત એ બે સ્મરણોમાં પણ ૧૬ વિદ્યાદેવીઓનાં નામો આવે છે તે અને આ બધી એક જ સમજવી.
Page #412
--------------------------------------------------------------------------
________________
૪૦૯
ગાંધારી, સર્વ અસ્ત્રવાળી મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા, અચ્છમા, માનસી, મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ તમારું હંમેશા રક્ષણ કરો. સ્વાહા. ૭. ૐ આચાર્યોપાધ્યાય-પ્રકૃતિ-ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ૮.
અર્થ - ૐ આચાર્ય, ઉપાધ્યાય પ્રમુખ ચાર પ્રકારો (સાધુસાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) છે જેને વિષે એવા શ્રી મહાવીર પ્રભુના સંઘને શાન્તિ (અથવા કલ્યાણ) થાઓ, સંતોષ થાઓ, ધર્મની પુષ્ટિ થાઓ. ૮.
ૐ ગ્રહાશ્ચન્દ્ર-સૂર્યાગારક-બુધ-બૃહસ્પતિ-શુક્રશનૈશ્ચર-રાહુ-કેતુ-સહિતા સલોકપાલા સોમ-યમવરૂણ-કુબેર-વાસવાદિત્ય સ્કંદ-વિનાયકોપેતા યે ચાન્ટેડપિ ગ્રામ-નગર-ક્ષેત્રદેવતાદયસ્ત સર્વે પ્રીયંતાં પ્રીયંતા, અક્ષણ-કોશ-કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા. ૯.
અર્થ - નવગ્રહો તે ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, બૃહસ્પતિ (ગુરૂ), શુક્ર, શનૈશ્ચર, રાહુ અને કેતુ (પૂંછડીયો તારો) સહિત (સર્વ પરસ્પર મળેલા) તથા સોમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર લોકપાલોએ સહિત; ઈન્દ્ર, સૂય, કાર્તિકેય અને ગણેશ સહિત; વળી પણ જે ગ્રામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવતાઓ વગેરે છે તે સર્વ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ અને
૧. વર્તમાનકાળે શ્રી વીરપ્રભુનું શાસન વર્તે છે. માટે તેમનો સંઘ. ૨. બાર પ્રકારનાં સૂર્ય એટલે બાર સંક્રાંતિ સૂર્ય. ૩. આદિ શબ્દ ભવનપત્યાદિ દેવો લેવા.
Page #413
--------------------------------------------------------------------------
________________
૪૧૦
રાજાઓ, ક્ષય પામે નહિ તેવા ભંડારો અને ધાન્યના કોઠારો છે જેઓને એવા થાઓ ! સ્વાહા. ૯.
શબ્દાર્થ
મિત્ર - હિતકારી.
ભ્રાતૃ - સહોદર.
કલત્ર - સ્ત્રી.
સુહૃદ્ - મિત્ર.
સ્વજન - જ્ઞાતિજન.
સંબંધિ -
- સગા.
બંધુવર્ગ - પોતાના ગોત્રીઓ પિત્રાઇ. આમોદપ્રમોદકારિણઃ - આમોદ પ્રમોદને કરવાવાળા.
|
અસ્મિન્ - આ. ભૂમંડલઆયતન - પૃથ્વી ઉપર
પોતાના સ્થાનકોને વિષે. નિવાસિ - વસનારા. સાધુ-સાધ્વી - સાધુ, સાધ્વી. શ્રાવક-શ્રાવિકાણાં - શ્રાવક અને
શ્રાવિકાઓના.
માંગલ્યોત્સવાઃ - કલ્યાણ અને
ઉત્સવો.
પ્રાદુર્ભૂતાનિ - ઉદયમાં આવેલ. પાપાનિ - પાપો.
શાëતુ - શાન્ત થાઓ. દુરિતાનિ - અશુભ કર્મફળો. શત્રુવઃ - શત્રુઓ.
પરાર્મુખાઃ - અવળા મુખવાળા. શ્રીમતે - શ્રીમાન્.
શાન્તિનાથાય - શાન્તિનાથને. નમઃ - નમસ્કાર થાઓ. શાન્તિવિધાયિને - શાન્તિને કરનાર. ત્રૈલોક્યસ્ય - ત્રણ લોકની. અમરાધીશ - દેવેન્દ્રોના.
મુકુટ - મુકુટો વડે. અભ્યર્ચિતાંઘયે - પૂજાયેલા છે
ચરણકમળ જેનાં એવા.
રોગોપસર્ગવ્યાધિ - રોગ,
|
ઉપસર્ગ, વ્યાધિ. દુઃખદુર્ભિક્ષદૌર્મનસ્ય - દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અવસ્થતાના. ઉપશમનાય - નિવારણ માટે.
શાન્તિઃ - શાન્તિનાથ. શાન્તિકરઃ - શાન્તિને કરનારા. દિશતુ - આપો.
ગુરુ - તત્ત્વોનો ઉપદેશ કરનારા.
તેષાં - તેઓના.
યેષાં - જેઓના.
ઋદ્ધિ - દોલત. વૃદ્ધિ - વંશવૃદ્ધિ.
ગૃહે - ઘરને વિષે.
Page #414
--------------------------------------------------------------------------
________________
૪૧ ૧
પુરુષોનાં.
ઉત્કૃષ્ટરિષ્ટ-દૂર કર્યા છે ઉપદ્રવ. | ગોષ્ઠિકપુરમુખાણાં - ધર્મસભાના દુષ્ટગ્રહગતિ -માઠા ગ્રહની ગતિ. | સભ્યો અને નગરના મ્હોટા દુઃસ્વપ્નદુર્નિમિત્તાદિ - ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત વગેરે | વ્યાકરણેઃ- નામ ગ્રહણ કરીને.
જેણે એવું. | વ્યાહરેત્ - ઉદ્ઘોષણા કરવી. સંપાદિત - સંપાદન કરી છે. | શ્રીજનપદાનાં - દેશોની. હિતસંપન્ - શુભ લક્ષ્મી જેણે એવું. | શ્રીરાજાધિપાનાં - રાજારૂપ નામગ્રહણ - નામોચ્ચારણ.
અધિપતિઓની. જયતિ - જયવંત વર્તે છે. | શ્રીગોષ્ઠિકાનાં - ધર્મસભાના શાન્તઃ - શાન્તિનાથનું.
સભ્યોની. શ્રીસંઘજગત - સંઘ, જગતુ. | શ્રીપૌરમુખાણાં -નગરના મોટા જનપદરાજપિપ - દેશ, રાજારૂપ
જનોની. અધિપતિ (અને). | પીરજનસ્ય - નગરના જનોની. રાજસન્નિવેશાનાં - રાજાના સારા | બ્રહ્મલોકસ્ય-સમસ્ત જીવલોકની.
રહેવાના સ્થાનોમાં. | શ્રી પાર્શ્વનાથાય -શ્રી પાર્શ્વનાથ પ્રભુને. ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહતું -સ્વજનસંબંધિ-બંધુવર્ણસહિતા નિત્યં “ચામોદ-પ્રમોદકારિણ:૫, અસ્મિશ્ચ ભૂમડલ આયતન-નિવાસિસાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગો-પસર્ગ૧. ભ્રાતૃ મિત્ર ઇતિ ના પાઠ: ૨. છાની વાત કહેવા અને પૂછવા યોગ્ય હોય તેવા મિત્ર. ૩. પુત્ર અને ભત્રિજા વગેરેના શ્વસુર પક્ષવાળા. ૪. સમસ્ત પ્રકારે હર્ષ તે આમોદ અને પ્રકર્ષે હર્ષ તે પ્રમોદ એ બંને શબ્દ - હર્ષવાચક છે તો પણ અધિક આનંદ દેખાડવાને માટે બંને શબ્દ
વાપર્યા છે. ૫. સંતુ ઇતિ શેષ . ૬. થોડો વખત રહેવાવાળા તાવ વગેરે. ૭. ઘણા કાળ રહેવા વાળા કોઢ વગેરે રોગ.
Page #415
--------------------------------------------------------------------------
________________
૪૧૨ વ્યાધિ-દુઃખ-દુર્ભિક્ષ-દૌર્મનસ્યો-પશમનાય શાન્તિર્ભવતુ. ૧૦.
અર્થ - ૐ પુત્ર, મિત્ર, સહોદર, સ્ત્રી, દોસ્ત, જ્ઞાતિજન, સગા અને સગોત્રીઓ (પિત્રાઈઓ)એ સર્વ નિરંતર આમોદ પ્રમોદને કરનારા થાઓ, અર્થાત્ સર્વે વિશેષ કરીને પરસ્પર આનંદને કરવાવાળા થાઓ. વળી આ લોકને વિષે પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે વસનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓના રોગ, ઉપદ્રવ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના ઉપશમને માટે અનિવારણ માટે) શાન્તિ થાઓ. ૧૦.
ૐ તુષ્ટિ'-પુષ્ટિ-ઋદ્ધિ-“વૃદ્ધિ-માંગલ્યોત્સવાઃ સદા પ્રાદુર્ભતાનિ પાપાનિ શાયતુ દુરિતાનિ શત્રવ: પરામુખા ભવન્તુ સ્વાહા. ૧૧.
અર્થ:-% ચિત્તને સંતોષ, પુષ્ટિ દોલત, વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવો થાઓ, ઉદયમાં આવેલ પાપો નિરંતર શાન્ત થાઓ (નાશ પામો), અશુભકર્મફળો શાન્ત થાઓ, શત્રુઓ અવળા મુખવાળા થાઓ. સ્વાહા. ૧૧. ૧. પ્રતિકુલ વિપાક-અરતિ. ૨. ચિત્તની અસ્વસ્થતા. ૩. સમાન વયવાળા મિત્ર. ૪. શરીરાદિની પુષ્ટિ અથવા પુરુષાર્થ સાધવાનું સામર્થ્ય. ૫. પુત્ર-પૌત્રાદિ પરિવારનો વિસ્તાર અથવા શુભ વસ્તુની વૃદ્ધિ. ૬. ભવન્તુ ઇતિ શેષઃ. ૭. ડમરૂકમણિ ન્યાયે કરીને ક્રિયાપદ બંને બાજુ જોડવું. ૮. પુત્રના જન્મ, વિવાહાદિ મહોત્સવ અને ધર્મ કાર્યના મહોત્સવ.
Page #416
--------------------------------------------------------------------------
________________
૪૧ ૩
શ્રીમતે શાન્તિનાથાય, નમઃ શાન્તિવિધાયિને; રૈલોક્યસ્યામરાધીશ,-મુકુટાભ્યચિંતાંઘયેલા
અર્થ:- શ્રીમાનું, ત્રણ લોકને શાન્તિના કરનારા, દેવેન્દ્રોના મુકુટોવડે પૂજાયેલાં છે ચરણકમળ જેમનાં એવા શ્રી શાન્તિનાથને નમસ્કાર થાઓ. ૧.
શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાન, શાન્તિ દિશતુમે ગુરુ; શાન્તિવ સદા તેષાં, યેષાં શાન્તિગૃહે ગૃહે II રો.
અર્થ - શાન્તિને કરનારા, તત્ત્વોપદેશ અને શ્રીમાનું એવા શાન્તિનાથ પ્રભુ મને શાન્તિ આપો. જેઓના ઘરને વિષે શાન્તિનાથ પ્રભુ પૂજાય છે તેઓના ઘરે નિરંતર શાન્તિ જ થાય છે. ૨. ઉભૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ-ગ્રહગતિ-દુઃસ્વપ્ન-દુર્નિમિત્તાદિ; સમ્પાદિત-હિત-સંપન્નામગ્રહણં જયતિ શાન્તઃ Ill
અર્થ - દૂર કર્યા છે ઉપદ્રવ, દુષ્ટ ગ્રહની ગતિ (ખરાબ સ્થાને ગ્રહનું સંક્રમવું), ખરાબ સ્વપ્ન (ઉંટ, મહિષનું આરોહણ વગેરેનું સ્વપ્નમાં દેખવું.) અને દુષ્ટ નિમિત્ત (ખરાબ અંગનું ફરકવું) વગેરે જેણે એવું અને સંપાદન કરી છે શુભ લક્ષ્મી જેણે એવું શાન્તિનાથ પ્રભુનું નામ ગ્રહણ (નામોચ્ચારણ) જયવંત વર્તે છે, અર્થાત્ ભક્તજનોને સુખ અને શ્રેયને કરનારું છે. ૩. શ્રીસંઘ-જગજ્જનપદ-રાજાધિપ-રાજસન્નિવેશાનામ; ગોષ્ઠિક-પુરમુખાણાં, વ્યાહરણે-ટ્યહવેચ્છાત્તિમુ. જા ૧. સમવસરણાદિ પ્રશસ્ત ઋદ્ધિવાળા અને શોભા-કાન્તિવાળા. ૨. પ્રણામ કરતી વખતે ઇન્દ્રોના મુકુટોનું પ્રતિબિંબ ભગવંતના ચરણમાં
પડે છે માટે મુકુટવડે પૂજાયેલા. ૩. આદિ શબ્દ અશુભ શુકન લેવા. ૪. શ્રી સંઘપૌરજનપદ ઇતિ ના પાઠ.
Page #417
--------------------------------------------------------------------------
________________
૪૧૪ અર્થ - શ્રી સંઘ, જગત, દેશ, રાજારૂપ અધિપતિઓ અને રાજાના રહેવાના સ્થાનોનાં તેમજ ધર્મસભાના સભ્યો અને નગરના મ્હોટાપુરુષોનાં નામ ગ્રહણ કરીને શાન્તિની ઉદ્દઘોષણા કરવી. ૪.
શ્રીશ્રમણ-સંઘસ્ય શાન્તિર્ભવતુ, શ્રીજનપદાનાં શાન્તિર્ભવત, શ્રીરાજાધિપાનાં શાતિર્ભવતુ, શ્રીરાજસન્નિવેશાનાં શાન્તિર્ભવતુ, શ્રી ગોષ્ઠિકાનાં શાન્તિર્ભવતુ; શ્રીપૌરમુખાણાં શાન્તિર્ભવતુ, શ્રી પીરજનસ્થ શાન્તિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્યશાન્તિર્ભવતુ, ૐ સ્વાહા 5 સ્વાહા શ્રી પાર્શ્વનાથાય સ્વાહા.
અર્થ :- શ્રી શ્રમણ સંઘને શાન્તિ થાઓ, દેશોને શાન્તિ થાઓ, રાજારૂપ અધિપતિઓને શાન્તિ થાઓ, રાજાના રહેવાના સારાં સ્થાનોને શાન્તિ થાઓ, ધર્મસભાના સભ્યજનોને શાન્તિ થાઓ, નગરના મુખ્ય જનોને શાન્તિ થાઓ, નગરના લોકોને શાન્તિ થાઓ; સમસ્ત જીવલોકને શાન્તિ થાઓ. ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વનાથ પ્રભુને સ્વાહા એટલે આ કુમકુમ, ચંદન, વિલેપન, પુષ્પ, અક્ષત, ધૂપ અને દીપ વગેરે પૂજાનાં સાહિત્યો શ્રી પાર્શ્વપ્રભુને સંતોષને માટે હો.
૧. પુરમુખાણાં ઇતિ પાઠાન્તરે. આ પદ પછી “શ્રી ગચ્છાધિપાનાં શાનિર્ભવત ગચ્છના અધિપતિ (આચાર્યો)ને શાન્તિ થાઓ.” એ પદ ટીકાકારે આપેલ છે. શ્રી પરિવારસ્ય શાન્તિર્ભવતુ એ પદ પણ ટીકામાં છે.
૨. અહીં સ્નાત્રના આરંભને વિષે જે પ્રભુનું સ્નાત્ર કરવાનું હોય તેમનું નામ લેવું જોઈએ પરંતુ તેમ નહિ કરતાં અહીં પાર્શ્વપ્રભુનું નામ સૂચવ્યું છે. વળી લોકોમાં પાર્શ્વપ્રભુ વિશેષ પ્રાભાવિક હોવાથી તેમનું નામ ગ્રહણ કર્યું છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૧૫
શબ્દાર્થ
એષાં શાન્તિઃ - આ શાન્તિપાઠ. | મણિપુષ્પવર્ષ - રત્ન અને પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાદિ - પ્રતિષ્ઠા
યાત્રા અને સ્નાત્રાદિને. | સૃજંતિ - કરે છે. ગાયંતિ - ગાય છે.
અવસાનેષુ - અંતે (ભણવો) શાન્તિકલશેં - શાન્તિકળશને.
કુંકુમચંદનકર્પૂર - કેશર, સુખડ બરાસ. અગરુધૂપવાસ - અગરુ, ધૂપવાસ અને. કુસુમાંજલિસમેતઃ - કુસુમાંજલિ
|
સહિત તથા.
સ્નાત્રચતુષ્ટિકાયાં - સ્નાત્ર મંડપમાં. શ્રીસંઘસમેતઃ - શ્રીસંઘ સહિત છતો. શુચિશુચિવપુઃ - પવિત્ર છે શરીર
જેનું એવા. પુષ્પવસ્ત્રચંદન - પુષ્પ, વસ્ર, ચંદન
(અને).
પુષ્પની વૃષ્ટિ.
આભરણાલંકૃતઃ - અલંકાર વડે સુશોભિત.
|
પુષ્પમાલાં - ફુલની માળાને. કંઠે કૃત્વા - કંઠમાં ધારણ કરીને.
ઉદ્ઘોષયિત્વા - ઉદ્ઘોષણા કરીને. શાન્નિપાનીયું - શાન્તિકળશના જળને.
મસ્તકે - માથે.
દાતવ્ય - નાંખવું. ઇતિ - એ પ્રકારે. નૃત્યંતિ - કરે છે - નાચે છે. નૃત્ય - નાટક.
મંગલાનિ - મંગલકારી ગીતો.
સ્તોત્રાણિ - સ્તોત્રો.
ગોત્રાણિ - વંશના નામો. પઠતિ - ભણે છે. મંત્રાન્ - મંત્રોને.
કલ્યાણભાજઃ - કલ્યાણને ભજનાર. હિ - નિશ્ચે.
જિનાભિષેકે - જિનના સ્નાત્ર મહોત્સવમાં.
શિવં - કલ્યાણ.
અસ્તુ - હો.
સર્વજગતઃ - સર્વ જગતનું. પહિતનિરતા - ૫૨નું હિત
કરવામાં તત્પર.
ભૂતગણાઃ - પ્રાણી સમુદાય.
દોષાઃ - દોષો.
|
|
પ્રયાંતુ - વિશેષ-પામો. નાશં - નાશને. સર્વત્ર - બધે. સુખીભવતુ - સુખી થાઓ. લોકઃ - જીવલોક. તિત્શયરમાયા - નેમિનાથ
તીર્થંકરની માતા.
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૧૬
સિવાદેવી - શિવાદેવી. | પ્રસન્નતા - પ્રસન્નતાને. તુમ્હ - તમારા.
એતિ - પામે છે. નયરનિવાસિની-નગરમાં રહેનારી. | પૂજ્યમાને - પૂજયે છતે. અમ્ય - અમારું.
જિનેશ્વરે - જિનેશ્વરને. સિવ - કલ્યાણ.
કારણે - હેતુ. અસિવોસમ - વિપ્નનો નાશ. ! પ્રધાન - શ્રેષ્ઠ. ક્ષય યાંતિ - ક્ષય પામે છે. | ધર્માણાં - ધર્મને વિષે. છિદંતે - છેદાય છે.
જૈન - જિનેશ્વરનું પ્રવર્તાવેલું. વિનવલ્લય - વિપ્નની વેલડીઓ. | જયતિ - જયવંત વર્તે છે. મનઃ - મન.
શાસન - શાસન. એષાં શાન્તિઃ પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાદ્ય વસાનેપુર શાન્તિકલશ ગૃહત્વા, કુંકુમ-ચંદન-કર્પરાગરુ-ધૂપવાસ-કુસુમાંજલિ-સમેત સ્નાત્ર-ચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેતા, શુચિશુચિવપુઃ પુષ્પ-વસ્ત્ર-ચંદના-ભરણાલંકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા શાન્તિમુઘોષયિત્વાશાન્તિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ
અર્થ :- આ શાન્સિપાઠ તીર્થકરોની પ્રતિષ્ઠા, યાત્રા અને ૧. આદિ શબ્દ પફખી, ચૌમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણને અંતે અને સર્વ ધર્મકાર્યની સમાપ્તિને વિષે મંગળને માટે અવશ્ય ભણવો. ૨. પઠનીયા ઈતિ શેષ.
૩. શુચિશુચિવઢચંદનાભરણાલંકૃતઃ એવો પાઠ હોય ત્યાં અર્થ આ પ્રમાણે લેવો-બાહ્યાવ્યંતર મળ રહિત, (પવિત્ર) શરીર પવિત્ર (દેવપૂજા યોગ્ય) વસ્ત્ર, ચંદનાદિ વિલેપન અને બાજુબંધ, વિટી વગેરે ઘરેણાં વડે સુશોભિત થયો છતો.
૪. સમાપ્તિના અર્થમાં ઇતિ વપરાયેલ છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
૪૧૭ સ્નાત્રાદિને અંતે ભણવો. આ શાન્તિની ઉદ્ઘોષણા કેવી રીતે કરવી તે કહે છે - કોઈ વિશિષ્ટ ગુણવાનું શ્રાવક ઉભો થઈને શાન્તિકળશ (શાન્તિને માટે શુદ્ધ જળથી ભરેલ કળશ)ને ગ્રહણ કરીને (ડાબા હાથમાં ધારણ કરી જમણો હાથ તેના ઉપર ઢાંકી) કેશર, સુખડ, બરાશ, અગરુ, ધૂપવાસ (અગ્નિમાં ધૂપ નાખવાથી નીકળતી સુગંધી અથવા કેશર ચંદનાદિના ઘસવાથી નીકળતો સુગંધી પરિમલ), અને કુસુમાંજલિ (પુષ્પથી ભરેલા અંજલિ-ખોબો) સહિત છતો, સ્નાત્રમંડપને વિષે શ્રી સંઘ સહિત છતો; પવિત્ર છે શરીર જેનું એવો, પુષ્પ, વસ્ત્ર, ચંદન અને અલંકાર (ઘરેણાં) વડે; સુશોભિત છતો; પુષ્પની માળાને ગળામાં ધારણ કરીને શાતિપાઠની ઉઘોષણા કરીને શાન્તિકળશનું પાણી (સર્વ જનોએ પોતાના) મસ્તકે નાખવું.
નૃત્યંતિ નૃત્ય મણિ-પુષ્પ-વર્ષ, સૂજંતિ ગાયંતિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગોત્રાણિ પશ્ચંતિમંત્રાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે. ૧.
અર્થ - કલ્યાણ યુક્ત ભવ્ય પ્રાણીઓ જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવને અંતે નિચે નાટક કરે છે, (જિનેશ્વર ઉપર) રત્ન,
* અહીં મંત્રો આ પ્રમાણે જાણવા - ___ॐ नमो भगवउ अरहउ सं तिजिणस्स सिज्झउ मे भगवइ महइ महाविज्जा संति पसंति उवसंति सव्वं पावं पसमेउ तउ सव्वसत्ताणं दुपयाणं चउप्पयाणं देसगामागरपट्टणखेडे सुपुरिसाणं इत्थीणं नपुंसगाणं स्वाहा । इति शान्तिनाथविद्यामंत्र
આ તથા શ્રી પાર્શ્વનાથનો અને મહાવીર પ્રભુનો વર્ધમાન વિદ્યાનો મંત્ર વગેરે ગુરુ આમ્નાય વડે જાણી લેવો. ૨૭
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૧૮
મોતી, પુષ્પની વૃષ્ટિ કરે છે, મંગળકારી ગીતો ગાય છે, સ્તોત્રો (જિન-સ્તુતિરૂ૫) અને તીર્થકરનાં નામો બોલે છે. (અથવા તીર્થકરના વંશો વર્ણવે છે.) અને મંત્રો (અથવા મંત્રગર્ભિત સ્તવો) ભણે છે.
શિવમસ્તુ સર્વજગત , પરહિતનિરતા ભવંતુ ભૂતગણા; દોષા પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખીભવતુ લોકઃ ૨.
અર્થ :- સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણી સમુદાય પારકાનું હિત કરવામાં તત્પર થાઓ, દોષો (વ્યાધિ, દુઃખ અને દમનપણું વગેરે) વિશેષ નાશ પામો અને જીવલોક સર્વ ઠેકાણે (સર્વ કાર્યમાં) સુખી થાઓ.
અહંતિત્થયર-માયા, સિવાદેવી તુણ્ડ નયરનિવાસિની; અચ્છ સિવં તુ સિવું, અસિવોવસમાં સિવં ભવતુ સ્વાહા . ૩.
અર્થ - હું નેમિનાથ તીર્થકરની માતા શિવાદેવી તમારા નગરને વિષે વસનારી છું (તમારા નગરને સાન્નિધ્ય કરવાવાળી
૧. સુખીભવંતુ લોકાઃ ઇતિ પાઠાન્તરમ્.
+ અહીં ટીકાકાર નાગપુરીયગચ્છી શ્રી ચંદ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિ લખે છે કે શ્રી નેમિનાથ તીર્થંકરની માતા શિવાદેવી કહે છે કે- હું તીર્થંકરની માતા શિવાદેવી વગેરે. આ ઉપરથી આ શાન્તિસ્તવ નેમિનાથ પ્રભુની માતા શિવાદેવી જે માહેંદ્ર દેવલોક ગયેલ છે તેમણે રચ્યું હોય એમ સંભવે છે.
Page #422
--------------------------------------------------------------------------
________________
૪૧૯
છું); તેથી મારું કલ્યાણ થાઓ અને (શિવાદેવી નામોચ્ચાર વડે) તમારું પણ કલ્યાણ થાઓ, વિઘ્નનો નાશ અને કલ્યાણ થાઓ. ૩. ઉપસર્ગા: ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ; મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ॥ ૪ ॥
અર્થ :- જિનેશ્વર પૂજ્યે છતે ઉપસર્ગો ક્ષય પામે છે, વિઘ્નની વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે. ૪.
સર્વમંગલ-માંગલ્યું, સર્વકલ્યાણ-કારણમ્; પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્. ।। ૫ ||
અર્થ :- સર્વ માંગલિકોને વિષે મંગળકારી, સર્વ કલ્યાણનું કારણ અને સર્વ ધર્મોને વિષે શ્રેષ્ઠ એવું જૈન (જિનેશ્વરનું પ્રવર્તાવેલું) શાસન જયવંત વર્તે છે. ૫.
ઇતિ શ્રી બૃહચ્છાન્તિસ્તવ સમ્પૂર્ણમ્.
સંથારાપોરિસિ*
શબ્દાર્થ
નિસીહી - પાપ વ્યાપારનો ત્યાગ | મહામુણીર્ણ - મ્હોટા મુનિઓને. કરીને. | અણુજાણહ - આજ્ઞા આપો. જિઢિજ્જા - હે વૃદ્ધ સાધુઓ. | પરમગુરુ - શ્રેષ્ઠ ગુરુઓ. ગુરુગુણ - મ્હોટા ગુણરૂપ.
નમો - નમસ્કાર હો. ખમાસમણાણું - ક્ષમાશ્રમણોને. ગોયમાઈણું - ગૌતમ વગેરે.
* સાધુ અને રાત્રિ પોસહ કરનારા શ્રાવક રાત્રિની પહેલી પોરિસિમાં સ્વાધ્યાય કરીને પોરિસિ પૂર્ણ થયે સંથારો કરવા માટે (શયન માટે) ગુરૂ મહારાજ સન્મુખ આજ્ઞા માગવાને અર્થે આવે છે તે વખતે કરવાનો વિધિ આ સૂત્રમાં વર્ણવેલ છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૪૨૦ રયણેહિ - રત્નો વડે. | જઇ - જો. મંડિયસરીરા - શોભિત છે શરીર | મે - મારા.
જેનાં એવા. | હુક્સ - થાય. બહુ પડિપુન્ના-બરાબર સંપૂર્ણ થઈ છે. | પમાઓ - મરણ. પોરિસિ - પોરિસિ.
ઈમસ્સ - આ. રાય સંથારએ - રાત્રિ સંબંધી | | દેહસ્સ - શરીરનું.
સંથારાને. ઈમાઈ - આ. ઠામિ - કરું છું.
રયણીએ - રાત્રિને વિષે. સંથાર -સંથારો કરવાની સૂવાની. | આહારમુહિદેહ - આહાર, બાહુવહાણેણં - હાથને ઓશીકું | ઉપકરણ અને શરીર.
કરીને. સā - સર્વને. વામપાસેણે - ડાબા પડખે. | તિવિહેણ - ત્રિવિધે. કુકકુડિ - કુકડીની પેઠે. | વોસિરિઍ - વોસિરાવ્યું, ત્યાગ પાયપસારણ - આકાશમાં પગ
કર્યું છે. પ્રસારવાને. | ચત્તારિ-ચાર. અતરંત - અસમર્થ છતો. મંગલ મંગલરૂપ છે. પમજ્જએ - પુજે.
અરિહંતા - અરિહંતો. ભૂમિ - જમીનને.
સિદ્ધા- સિદ્ધ ભગવંતો. સંકોઈએ - સંકોચીને. સાહૂ - સાધુઓ. સંડાસા - ઢીંચણોને. કેવલિપન્નતો- કેવળીએ પ્રરૂપેલ. વિદ્યુત - પાસુ ફેરવતાં. ધમો - ધર્મ, કાપડિલેહા - શરીરનું પડિલેહણ | લોગુત્તમા-લોકને વિષે ઉત્તમ છે.
કરે. | સરણે - શરણરૂપ. દબ્રાઈવિઓગં - દ્રવ્યાદિનો | પવન્જામિ - અંગીકાર કરું છું.
ઉપયોગ કરે. | અરિહંતે - અરિહંતોને. ઊસાસનિભણા-શ્વાસોશ્વાસ રૂંધીને. | સિદ્ધ - સિદ્ધોને. આ લોએ - જૂએ.
સાધુ - સાધુઓને.
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૨૧ કેવલિપણાં - કેવલીએ પ્રરૂપેલ. | દોસં - વેષ. ધમ્મ - ધર્મને.
કિલહં - કુલેશ. પાણાઇવાય - પ્રાણાતિપાત-જીવહિંસા. { અભકખાણું - અભ્યાખ્યાન અલિએ - મૃષાવાદ-જુઠું બોલવું.
આળ. ચોરિક્કમેહુર્ણ - ચોરી, સ્ત્રીસેવન. | "સુગં - ચાડી. દવિણમુચ્છ દ્રવ્યની મૂછ (પરિગ્રહ). | રઈઅરઇસમાઉd - રતિ, અરતિ કોહં માણે - ક્રોધ, માન.
વડે યુક્ત. માય લોભ - માયા, લોભ. પરપરિવાયું - પરપરિવાદ. પિન્જ - પ્રેમ.
માયામોસં - માયામૃષાવાદ. તહા - તેમજ.
મિચ્છરસલ્લ - મિથ્યાત્વશલ્ય. નિસહી નિસીહી નિસીપી નમો ખમાસમણાણે ગોયમાઈણે મહામુણીર્ણ.
અર્થ -પાપ વ્યાપારોનો ત્યાગ કરીને સવાર ત્રણ) ખોટા મુનિઓ એવા ગૌતમસ્વામી વગેરે ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ.
અણજાણહ જિફ્રિજ્જા! અણજાણહ પરમગુરુ! ગુરુગુણરયણેહિ મંડિયસરીરા ! બહુપડિપુણાપોરિસિ, રાઈયસંથારએ કામિ. ૧.
અર્થ - હે વૃદ્ધ (વડીલ) સાધુઓ! આજ્ઞા આપો, મોટા ગુણરૂપ રત્નોવડે સુશોભિત છે શરીર જેનાં એવા તે શ્રેષ્ઠ મુનિઓ ! આજ્ઞા આપો ! પોરિસિ બરાબર સંપૂર્ણ થઈ છે, હું રાત્રિ સંબંધી સંથારો કરું છું. ૧.
અણજાણહ સંથાર, બાહુવહાણેણ વામપાસેણે; ૧. આ પાઠ કરીને એક નવકાર તથા કરેમિભંતે સૂત્ર એ પ્રમાણે અનુક્રમે ત્રણવાર બોલવાનું છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૨૨
કુક્કડપાયપસારણ, અતરંત ૫મજ્જએ ભૂમિ. ૨. સંકોઇઅ સંડાસા, ઉવįતે અ કાયપડિલેહા; દન્વાઇઉવઓગં, ઊસાસનિરુંભણાલોએ.
અર્થ :- સંથારાની આજ્ઞા આપો ! (ગુરુ મહારાજ આજ્ઞા આપે એટલે) હાથને ઓશીકું કરીને ડાબા પડખે. કુકડીની પેઠે આકાશમાં પગ પ્રસારવાને અસમર્થ છતો જમીનને પુંજે (પુંજીને ત્યાં પગ રાખે) અને ઢીંચણો સંકોચીને સૂવે અને પાસુ ફેરવતાં શરીરનું પડિલેહણ કરે. વળી જાગવું હોય ત્યારે દ્રવ્યાદિનો ઉપયોગ કરે (તેમ છતાં નિદ્રા ઉડે નહિ તો) શ્વાસોશ્વાસ રૂંધીને (નિદ્રા દૂર કરવાને જતા આવતા લોકોને) જુએ. ૨-૩.
૧.
જેમ કુકડી ઊંચા પગ રાખીને સુવે છે તેની માફક સાધુને સુઈ રહેવું જોઈએ અને તેમ સુવાને અસમર્થ હોય તો પછી જમીન પુંજીને પગ નીચે રાખે. ૨. દ્રવ્યાદિનો ઉપયોગ એટલે દ્રવ્ય થકી, હું કોણ છું સાધુ કે ગૃહસ્થ ? એમ વિચારે. ક્ષેત્ર થકી, હું ઉપર છું કે નીચે ? એમ વિચારે. કાળથકી, રાત્રિ છે કે દિવસ ? એમ વિચારે. ભાવ થકી મને લઘુશંકા વગેરેની બાધા છે કે નહિ ? એમ વિચારે.
૩. નિદ્રા દૂર થયા પછી લઘુશંકાદિ બાધા ટાળવા દ્વારા પુંજીને બહાર જાય ત્યાં ચોરાદિનો ભય હોય તો એક સાથે બે જાય, તેમાં એક બારણામાં ઉભો રહે અને બીજો લઘુશંકાદિ બાધા ટાળે. શિકારી જનાવરોનો ભય હોય તો એક સાથે ત્રણ જાય, તેમાં એક બારણામાં ઉભો રહે, બીજો શરીરની બાધા ટાળે અને ત્રીજો તેની પાસે ૨ક્ષપાળ તરીકે ઉભો રહે, જો લઘુશંકાદિ બાધા ટાળનારને વધારે વાર થાય તો બારણામાં ઉભો રહેલ સાધુ પોતાને સ્થાને બીજા સાધુને ઉભો રાખીને પોતે તે બાધા ટાળનાર પાસે જઈને જગાડીને તેડી લાવે. પછી ઇર્યાવધિ પ્રતિક્રમીને સૂક્ષ્મ આનપ્રાણ (શ્વાસોશ્વાસ) લબ્ધિવાળા જે મુનિ હોય તે ચૌદ પૂર્વ સુધીનો પાઠ કરે, તેવી શક્તિના અભાવે શક્તિ મુજબ ઓછું ઓછું ગણે, ઓછામાં ઓછી ત્રણ ગાથા ગણે તેટલી પણ ગણવાને અશક્ત હોય તો પછી સૂઈ રહે.
ઓઘનિયુક્તિ
Page #426
--------------------------------------------------------------------------
________________
૪૨૩
'જઈમે હજ્જ પમાઓ, ઇમસ્ટ દેહસ્ટિમાઈ રયણીએ; આહારમુવહિદેહં, સવ્વ તિવિહેણ વોસિરિઅં. ૪.
અર્થ :- જો રાત્રિને વિષે મારા આ શરીરનું મરણ થાય તો આહાર ઉપકરણ અને શરીર વગેરે સર્વ ત્રિવિધે કરીને (મન, વચન અને કાયાવડે) વોસિરાવ્યું છે. ૪.
ચત્તારિ મંગલં, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, રસાહુ મંગલં, કેવલિપન્નત્તો ધમ્મો મંગલં. ૫.
અર્થ ::- ચાર મને મંગળરૂપ છે - અરિહંતો માંગળિક છે, સિદ્ધો માંગળિક છે, સાધુઓ માંગળિક છે અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ (શ્રુત અને ચારિત્ર) માંગળિક છે. ૫. ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધાલોગુત્તમા, સાહૂ લોગુત્તમા, કેવલિપન્નતો ધમ્મો લોગુત્તમા. ૬.
અર્થ :- ચાર લોકને વિષે ઉત્તમ છે - અરિહંતો લોકમાં ઉત્તમ છે, સિદ્ધો લોકમાં ઉત્તમ છે, સાધુઓ લોકમાં ઉત્તમ છે અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ લોકમાં ઉત્તમ છે. ૬.
ચત્તારિ સરણું પવજ્જામિ, અરિહંતે સરણું પવજ્જામિ, સિદ્ધે સરણે પવામિ, સાહૂ સરણં પવજ્જામિ, કેવલિપણાં ધર્માં સરણે પવામિ. ૭.
૧. અહીં ૧૭ ગાથા પર્યંતની હકીકત રાત્રે સુતી વખતે વિચારવાની છે. ૨. સમ્યજ્ઞાન અને ક્રિયા વડે મોક્ષમાર્ગને સાધે તે સાધુ.
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૨૪ અર્થ: હુંચારને શરણ તરીકે અંગીકાર કરું છું. અરિહંતોને શરણ તરીકે અંગીકાર કરું છું; સિદ્ધોને શરણ તરીકે અંગીકાર કરું છું, સાધુઓને શરણ તરીકે અંગીકાર કરું છું અને કેવળીએ પ્રરૂપેલ ધર્મને શરણ તરીકે અંગીકાર કરું છું. ૭.
પાણાઇવાયમલિએ, ચોરિક્ક મેહુણંદવિણ મુછું, કોઈ માણે માય, લોહં પિન્જ તથા દોસ. ૮.
કલહં અલ્પકખાણ, પેસન્ન રઈઅરઇસમાઉત્ત; પર પરિવાય માયા-મોસ મિચ્છત્તસલ્લે ચ. ૯.
અર્થ - પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ, ચોરી, મૈથુન (સ્ત્રીસેવન), દ્રવ્ય (ધન-ધાન્યાદિ પૌગલિક વસ્તુ)ની મૂછ, માન, માયા, લોભ, રાગ તેમજ દ્વેષ, કલેશ, અભ્યાખ્યાન (પરને આળ દેવું) ચાડી અને રતિ-અરતિવડે યુક્ત, પરપરિવાદ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય. ૮-૯.
શબ્દાર્થ વોસિરિયુ - વોસિરાવ. | મે મારૂં.. ઈમાઈ - આ.
કોઈ - કોઈ પણ. મુકખમગ્ન - મોક્ષમાર્ગના. અસ્સકસ્સાં અન્ય કોઈનો. સંસ... - ગમનને વિષે. એવું - એ પ્રકારે. વિગ્ધભૂઆઈ - અંતરાય કરનાર. અદણમાણસો-અગ્લાનચિત્તવાળો. દુગઈ - માઠી ગતિના. અખાણું - આત્માને. નિબંધણાઈ - કારણભૂત. અણસાઈ - શિખામણ આપે. અઢારસ - અઢાર.
સાસઓ - શાશ્વતો. પાવઠાણાઈ - પાપસ્થાનોને. અપ્પા - આત્મા. એગો - એક છું.
નાણદંસણસંજુઓ - જ્ઞાનદર્શન યુક્ત. અહં - હું.
| સેસા - બાકીના. નOિ - નથી.
બાહિરાભાવા - બાહ્યભાવો.
Page #428
--------------------------------------------------------------------------
________________
સંજોગલક્ષણા - સંયોગ લક્ષણવાળા. સંજોગમૂલા - સંયોગ છે મૂળ કારણ જેનું એવી.
જીવેણ - જીવે.
પત્તા - પ્રાપ્ત કરી.
દુÐપરંપરા - દુઃખની શ્રેણી. તમ્હા - તે કારણ માટે. સંજોગસંબંધ - સંયોગ સંબંધ. સવ્વ - સર્વ.
તિવિહેણ - ત્રિવિધે.
વોસિરિઅં - વોસિરાવ્યો.
અરિહંતો - અરિહંત.
૪૨૫
મહે - મ્હારા.
દેવો - દેવ છે.
જાવજ્જીવં - જીવન પર્યંત. સુસાહુણો - સુસાધુઓ. ગુરુણો - ગુરૂઓ. જિણપણi - વીતરાગ દેવે પ્રરૂપેલ.
તાં - તત્ત્વ.
ઇઅ - એ પ્રકારે.
સમ્મત્ત - સમ્યક્ત્વ. મએ - મેં.
ગહિઅં - ગ્રહણ કર્યું. ખમિય - ખમાવીને. ખમાવિઅ - ખામી.
|
મઇ - મારા વિષે. ખમહ - ખમો. સવ્વહ - સર્વ.
જીવનિકાય - જીવનિકાયોને.
સિદ્ધહસાખ - સિદ્ધની સાક્ષીપૂર્વક. આલોયણહ - આલોયણ કરો.
મુજ્જહ - મારે. વઇરભાવ - વૈરભાવ.
કમ્મવસ - કર્મવશથકી.
ચઉદહરાજ - ચૌદ રાજલોકક્ષેત્રમાં. ભમંત - ભમે છે. ખમાવિઆ - ખમાવ્યા. મુવિ - મને પણ. ખમંત - ખમો.
♥ - જે.
મણેણ - મન વડે. બન્નેં - બંધાયું.
જું - જે.
વાએણું - વચન વડે. ભાસિયં - બોલાયું. પાવું -
- પાપ.
કાયેણ - કાયા વડે.
કયું - કરાયું. મિચ્છામિ - મારૂં મિથ્યા થાઓ.
દુક્કડં - પાપ.
તસ્સ - તે.
વોસિરિસુ ઇમાઇ, મુક્ષ્મમગ્ગસંસવિગ્ધભૂઆઈ; દુર્ગાઇનિબંધણાઈ, અઢારસપાવઠાણાઈ. ૧૦,
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૨૬
અર્થ :- મોક્ષમાર્ગના ગમનને વિષે અંતરાય કરનારા અને માઠી ગતિના કારણભૂત એવા એ પૂર્વોક્ત અઢાર પાપ સ્થાનોને (હે આત્મા) તું વોસિરાવ (ત્યાગ કર). ૧૦.
એગોહં નત્થિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઇ; એવં અદીણમણસો, અપ્પાણમણુસાસઇ. ૧૧.
અર્થ :- હું એકલો છું, મ્હારું કોઈ નથી, હું અન્ય કોઈપણનો નથી, એ પ્રમાણે અગ્લાન ચિત્તવાળો (સાવધાન ચિત્તવાળો) આત્માને શીખામણ આપે. ૧૧.
એગો મે સાસઓ અપ્પા, નાણંદંસણ-સંજુઓ; સેસા મે બાહિરાભાવા, સવ્વ સંજોગલક્ષ્મણા. ૧૨.
અર્થ :- શાશ્વતો (સદાકાળ-નિત્ય રહેનારો) અને જ્ઞાનદર્શનયુક્ત, એક મારો આત્મા છે. બાકીના સંયોગ લક્ષણવાળા સર્વ ભાવો મારાથી બાહ્ય છે અર્થાત્ મારાથી જુદા છે. સંજોગમૂલા જીવેણ, પત્તા દુÐપરંપરા; તમ્હા સંજોગસંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિઅં. ૧૩.
૧૨.
અર્થ :- સંયોગ (ધન-કુટુંબાદિક) છે મૂળ કારણ જેનું એવી દુ:ખની શ્રેણી જીવે પ્રાપ્ત કરી છે તે માટે સર્વ સંયોગનો સંબંધ મેં ત્રિવિધે (મન, વચન, કાયાએ) વોસિરાવ્યો છે. ૧૩.
અરિહંતો મહ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો;
૧. દ્રવ્ય થકી ધન, ધાન્ય, કુટુંબાદિના મેલાપ અને ભાવથકી વિષયકષાયાદિના મેલાપ.
૨. સમ્યજ્ઞાન અને ક્રિયાવાળા આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ.
Page #430
--------------------------------------------------------------------------
________________
૪૨૭
જિણપણાં તત્ત, આ સમ્મત્ત મએ ગહિએ. ૧૪.
અર્થ - માવજીવ સુધી અરિહંત મહારા દેવ છે. સુસાધુઓ મારા ગુરૂ છે. વીતરાગ દેવે પ્રરૂપેલ તત્ત્વ અને માન્ય છે. એ પ્રમાણે સમ્યકત્વને મેં ગ્રહણ કર્યું છે. ૧૪.
ખમિઆ ખમાવિઅ માં ખમિઅર, સવ્વહ જીવનિકાય; સિદ્ધહ સાખ આલોયણહ, મુઝહ વઈર ન ભાવ. ૧૫.
અર્થ:- સર્વ જીવનિકાયોને ખમાવીને અને ખામીને મારે વિષે અપરાધો ખમો. સિદ્ધની સાક્ષીપૂર્વક હું આલોચના કરું છું, મારે કોઈની સાથે વૈરભાવ નથી. ૧૫.
સવ્વ જીવા કમ્યવસ, ચઉદહરાજ ભમંત; તે મે સવ ખમાવિઆ, મુઝવિ તેહ ખમંત. ૧૬.
અર્થ:- સર્વ જીવો કર્મવશ થકી ચૌદ રાજલોકને વિષે ભમે છે, તે સર્વને મેં ખમાવ્યા છે. મને પણ તેઓ ખમો. ૧૬.
જે જે મણેણ બદ્ધ, જે જં વાએણ ભાસિયં પાવે; જે જંકાએણ કર્ય, મિચ્છા મિ દુક્કડ તસ્ર. ૧૭.
અર્થ:- જે જે પાપ મનવડે બંધાયું. જે જે પાપ વચન વડે બોલાયું અને જે જે પાપ કાયા વડે કરાયું છે તે મારું પાપ ફોગટ થાઓ અર્થાત તે પાપનો મિચ્છા મિ દુક્કડ દઉં છું. ૧૭.
ઇતિ સંસ્કારક વિધિ સંપૂર્ણ. ૧. દયા મૂળ અને વિનય મૂળ તત્ત્વ અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને
તપ રૂપ તત્ત્વ. ૨. ખમણ ઇતિ પાઠાન્તરમ્.
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૨૮ શ્રી રત્નાકરપંચવિંશિકા
શબ્દાર્થ
શ્રેયઃ- મોક્ષરૂપ.
| કૃપાવતાર!- કરૂણાના અવતાર. શ્રિયા - લક્ષ્મીના.
| દુરસંસાર - દુ:ખે નિવારણ મંગલકેલિસવ! . માંગલિક | કરી શકાય એવા સંસારના.
ક્રીડાના ગૃહ સમાન. | વિકારવૈદ્ય - વિકારોને નાશ નરેન્દ્રદેવેન્દ્ર રાજાઓ અને દેવેન્દ્રો કરવામાં વૈદ્ય સમાન.
વડે. | શ્રીવીતરાગ - હે વીતરાગ પ્રભુ. નતાંધ્રિપદ્ય - નમસ્કાર કરાયા છે | ત્વયિ - તમારા વિષે તમોને.
ચરણકમળ જેનાં એવા. | મુગ્ધભાવાત્ - ભોળા (અજ્ઞાન) સર્વજ્ઞ - હે સર્વજ્ઞ પ્રભુ.
ભાવથી. સતિશયપ્રધાન સર્વ અતિશયો | વિજ્ઞ! - જ્ઞાનવંત.
વડે શ્રેષ્ઠ. | પ્રભો - પ્રભુ. ચિર - લાંબા કાળ સુધી. | વિજ્ઞપયામિ - વિનંતિ કરું છું. જય - જય પામો.
કિંચિત્ - કાંઈક. જ્ઞાનકલાનિધાન - કેવળજ્ઞાન અને | કિં-.
કલાના ભંડાર. | બાલ - બાળકની. જગત્રયાધાર !-ત્રણ જગતના લીલાકલિત - ક્રીડાએ યુક્ત.
આધારભૂત. | બાલઃ - બાળક. * આ વીતરાગ દેવની સ્તુતિરૂપ પચ્ચીશી શ્રી રત્નાકરસૂરિ મ. એ બનાવેલી હોવાથી તેનું નામ રત્નાકરપંચવિંશિકા કહેવાય છે. શ્રી રત્નાકરસૂરિ મ. ચૌદમા સૈકામાં થઈ ગયા છે તેઓ દીક્ષા લીધા બાદ પરિગ્રહધારી હતા પણ પાછળથી પરિગ્રહ ત્યાગ કરીને શુદ્ધ નિગ્રંથ થયા ત્યારે પોતાના દોષોનો નિખાલસપણે પશ્ચાત્તાપ કરવા માટે આત્મનિંદાગર્ભિત આ સ્તુતિ તેમણે રચી એવી કિંવદંતી ચાલે છે. આ ગ્રંથની સંસ્કૃત ટીકા અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ “સ્તુતિસંગ્રહસાવચૂરિક' ગ્રંથમાં છપાયેલ છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૨૯
પિત્રો - મા-બાપની.
અસ્મિનું- આ. પુરઃ - આગળ, પાસે. માયા -. જલ્પતિ - બોલે છે.
ભ્રાંત - ભ્રમણ કર્યું. નિર્વિકલ્પ:- વિકલ્પ રહિત. અહો - આશ્ચર્યો. તથા - તેમ.
મુર્ધવ - ફોગટ જ. યથાર્થ - સત્ય રીતે.
દગ્ધઃ - બળેલો. કથયામિ - કહું છું.
અગ્નિના અગ્નિ વડે. નાથ! - હે નાથ.
કોધમયેન - ક્રોધરૂપી. નિજાશય પોતાના અભિપ્રાયને. | દષ્ટ: - jખાયેલો. સાનુશય-પશ્ચાત્તાપ સહિત છતો. | દુઝેન - ફૂર. તવાગે - તમારી આગળ. લોભાખ્ય - લોભ નામના. દi - કીધું.
મહોરમેણ - મોટા સર્પ વડે. દાન - દાનને.
ગ્રસ્ત - ગળાયેલો છું. પરિશીલિત - પાળ્યું.
અભિમાનાજગરેણ - અભિમાન તપ: - તા.
રૂપી અજગર વડે. અભિતH - તપ્યો - કર્યો. માયાજાલેન - કપટ રૂ૫ જાળવડે. શુભઃ - ઉત્તમ.
બદ્ધઃ - બંધાયેલો. ભાવઃ - ભાવ-ભાવના. અસ્મિ - છું. અપિ - પણ.
કર્થ - કેવી રીતે. અભવત - થયો.
ભજે - ભજું. ભવે - ભવને વિષે.
ત્વાં - તમોને. શ્રેયઃ શ્રિય મંગલકેલિસ!, નરેન્દ્ર દેવેન્દ્ર-નતાંધ્રિપદ્મા; સર્વજ્ઞ! સર્વાતિશયપ્રધાન!, ચિર જય જ્ઞાનકલાનિધાન !. ૧.
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૩૦
અર્થ :- મોક્ષરૂપ લક્ષ્મીના માંગલિક ક્રીડાના ગૃહ (ઘર) સમાન ! રાજાઓ અને દેવેન્દ્રો વડે નમસ્કાર કરાયા છે ચરણકમળ જેનાં એવા ! સર્વ (ચોત્રીશ) અતિશયો વડે કરીને શ્રેષ્ઠ ! કેવળજ્ઞાન અને કળાના ભંડાર ! એવા હે સર્વજ્ઞ પ્રભુ ! તમે ચિરકાળ જય પામો. ૧.
જગત્પ્રયાધાર ! કૃપાવતાર !, દુર્વા૨સંસાર વિકારવૈદ્ય !; શ્રીવીતરાગ' ! ત્વયિ મુગ્ધ-ભાવાદ્વિજ્ઞ !, પ્રભો ! વિજ્ઞપયામિ કિંચિત્. ૨.
અર્થ :- ત્રણ જગતના આધારભૂત, કરુણાના અવતાર ! દુઃખે નિવારણ કરી શકાય એવા સંસારના વિકારો (સંસારૂપ રોગ)ને નાશ કરવામાં વૈધ સમાન ! વિશેષ જ્ઞાનવંત ! એવા હે શ્રી વીતરાગપ્રભુ ! તમારે વિષે (તમોને) હું ભોળાભાવ (અજ્ઞાનભાવ) થકી કાંઈક વિનંતિ કરું છું. ૨.
કિં બાલલીલાકલિતો ન બાલઃ, પિત્રોઃ પુરો જલ્પતિ નિર્વિકલ્પઃ ?; તથા યથાર્થ કથયામિ નાથ !, નિજાશયં સાનુસયસ્તવાશે. ૩.
અર્થ :- બાળકની ક્રીડાએ કરીને યુક્ત અને વિકલ્પ રહિત એવો બાળક મા-બાપની પાસે શું (સત્યવચન) નથી બોલતો ? અર્થાત્ બોલે છે જ. તેવી રીતે હે નાથ ! પશ્ચાત્તાપે કરી સહિત હું તમારી આગળ મારા પોતાના અભિપ્રાયને સત્ય કહું છું. ૩. ૧. રાગ દ્વેષ રહિત. ૨. સમર્થ.
Page #434
--------------------------------------------------------------------------
________________
૪૩૧
દત્ત ન દાન પરિશીલિત ચ, ન શાલિ શીલ ન તપોભિતસમુ; શુભો ન ભાવોપ્યભવદ્ ભવેડસ્મિનું, વિભો ! મયા ભ્રાન્તમહો મુધવ. ૪.
અર્થ:- હે પ્રભુ! મેં દાન દીધું નથી. વળી સુંદર શીયળ વ્રત પાળ્યું નથી. તપ તપ્યો (કર્યો) નથી અને ઉત્તમ ભાવ પણ થયો નથી. અહો ઇતિ આશ્ચર્યે ! આ ભવ (જન્મ) ને વિષે મેં ફોગટ જ ભ્રમણ કર્યું. ૪.
દગ્ધોડગ્નિના ક્રોધમયેન દો, દુષ્ટ લોભાખ્યમહોરગેણ; ગ્રસ્તોડભિમાનાજગરેણ માયા, જાલેન બદ્ધોડસ્મિ કથં ભજે ત્વામ્! પ.
અર્થ:- ક્રોધરૂપ અગ્નિ વડે હું બળેલો છું, દુષ્ટ (જૂર) લોભ નામના મોટા સર્પ વડે ડંખાયેલો (સાયેલો) છું, અભિમાન રૂપી અજગરવડે હું ગળાયેલો છે અને માયારૂપી જાલ (પાશ) વડે હું બંધાયેલો છું. તેથી તમોને શી રીતે હું ભજું? પ.
શબ્દાર્થ કૃત - કર્યું.
અભૂત થયું. અમુત્રહિત પરલોકમાં હિતકારી કાર્ય. | અસ્માદેશાં અમારા જેવાનો. ઈહલોકે - આ લોકમાં. કેવલં - ફક્ત. લોકેશ! - હે લોકના ઈશ્વર. | એવ - નિશે. સુખ - સુખ.
જન્મ - જન્મ, અવતાર. મે - મને.
જિનેશ - હે જિનેશ્વર. ૧. પ્રસ્તોડસ્મિ માનાજગરણ ઇતિ પાઠાન્તરે.
Page #435
--------------------------------------------------------------------------
________________
રસને.
૪૩૨ જશે - થયો.
| તત્ - તે. ભવપૂરણાય - ભવોને પૂર્ણ કરવા | કસ્ય - કોની.
માટે. | અગ્રતઃ - આગળ મળે - હું માનું છું. નાયક!- હે સ્વામી. મનઃ - મન.
પૂકારોમિ - હું પોકાર કરું. વત્ - જે કારણ માટે.
વૈરાગ્યરંગઃ - વૈરાગ્યનો રંગ. મનોજ્ઞવૃત્ત - સુંદર આચારવાળા.
પરવંચનાય-બીજાને છેતરવાને. ત્વદાસ્ય - તમારા મુખરૂપી.
ધર્મોપદેશઃ- ધર્મનો ઉપદેશ. પીયૂષમયૂખ - ચંદ્રના.
જનરંજનાય - લોકને ખુશી લાભાત - લાભ થકી.
કરવાને. દ્રુત - દ્રવ્યું.
વાદાય -વાદને માટે. મહાનંદરસ - મોટા આનંદના
વિદ્યાધ્યયન- વિદ્યાનો અભ્યાસ.
કિય - કેટલુંક. કઠોર - કઠોર.
બ્રુવે - કહું. તદ્ - તે કારણ માટે.
હાસ્યકર - હાસ્યકારક વૃત્તાંત. અશ્મત - પત્થર થકી.
સ્વમું - પોતાનું.
પરાપવાદન -પર નિંદા વડે. ત્વત્તઃ - તમારી પાસેથી. સુદુષ્માપ્ય - અતિ દુઃખે પ્રાપ્ત થઈ
મુખે - મુખને.
સદોષ - દોષવાળું. શકે એવું.
નેત્રનેત્રને. ઇદં - આ.
પરસ્ત્રીજનવીક્ષણેન - પરની આd - પ્રાપ્ત કરી.
સ્ત્રીઓને જોવા વડે. રત્નત્રય - રત્નત્રયી-જ્ઞાન, | ચેતઃ- ચિત્તને. દર્શન, ચારિત્ર.
પરાપાય - પરનું કષ્ટ. ભૂરિ - ઘણા.
વિચિન્તનેન - ચિતવવા વડે. ભવભ્રમણ ભવમાં ભ્રમણ કરવા વડે. ભવિષ્યામિ - થઈશ. પ્રમાદ - પ્રમાદ રૂપ.
કર્થ - કેવી રીતે. નિદ્રાવશતઃ- નિદ્રાના વશ થકી. | વિભો - હે પ્રભુ. ગત - ગઈ.
અહં - હં.
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૩૩
કૃતં મયાડમુત્ર હિતં ન ચેહ, લોકેઽપિ લોકેશ ! સુખ ન મેડભૂત; અસ્માદેશાં કેવલમેવ જન્મ, જિનેશ ! જશે ભવપૂરણાય. ૬.
અર્થ :- હે લોકના ઇશ ! મેં પરભવમાં હિતકારી કાર્ય ન કર્યું, વળી આ લોકમાં પણ મને સુખ ન થયું; તો હે જિનેશ્વર ! અમારા જેવાનો જન્મ ફક્ત ભવોને પૂર્ણ કરવા માટે જ થયો, અર્થાત્ ભવની સંખ્યાની ગણતરી માટે જ અમે જન્મ ધારણ કર્યો. ૬.
મન્યે મનો યજ્ઞ મનોજ્ઞવૃત્ત!, ત્વદાસ્યપીયૂષમયૂખલાભાત્, દ્રુતં મહાનન્દરસં કઠોરમસ્માદેશાં દેવ ! તદશ્મતોઽપ. ૭.
અર્થ :- હે સુંદર (મનને આનંદદાયક) આચરણવાળા ! હે દેવ ! જે કારણ માટે અમારા જેવાનું મન, તમારા મુખ રૂપી ચંદ્રના લાભ થકી મ્હોટા આનંદના રસને ન દ્રવ્યું (મ્હોટા આનંદવડે રસરૂપ ન કર્યું) તે કારણ માટે અમારા જેવાનું (મન) પત્થર થકી કઠોર છે. એમ હું માનું છું. ૭.
રત્નત્રયં
ત્વત્તઃ સુદુષ્પ્રાપ્યમિદં મયાડડમં, ભૂરિભવભ્રમેણ; પ્રમાદનિદ્રાવશતો ગતં તત્, કસ્યાગ્રતો નાયક ! પૂત્કરોમિ ? ૮.
અર્થ :- હે સ્વામી ! ઘણા ભવમાં ભ્રમણ કરવા વડે અતિ દુષ્પ્રાપ્ય (ઘણા કષ્ટ પ્રાપ્ત થઈ શકે) એવી આ (જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી) રત્નત્રયીને મેં તમારી પાસેથી પ્રાપ્ત કરી હતી. તે પ્રમાદરૂપ નિદ્રાના વશ થકી ગઈ (જતી રહી) તો હવે હું કોની આગળ પોકાર કરું ? ૮.
વૈરાગ્યરંગઃ પરવંચનાય, ધર્મોપદેશો જનરંજનાય;
૧. રંગોડપર પાઠઃ
૨૮
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૩૪ વાદાય વિદ્યાડધ્યયન ચ મેડભૂત, કિય બ્રુવે? હાસ્ય-કર સ્વમીશ! ૯.
અર્થ - હે ઈશ ! મારો વૈરાગ્યનો રંગ બીજાઓને છેતરવાને માટે થયો મારો ધર્મનો ઉપદેશ લોકોને ખુશ કરવાને માટે થયો અને મારો વિદ્યાનો અભ્યાસ વાદવિવાદ કરવા માટે થયો. મારું પોતાનું હાસ્યકારક વૃત્તાંત કેટલું કહું? ૯. પરાપવાદેન મુખ સદોષ, નેત્રંપરસ્ત્રી-જન-વક્ષણેન; ચેતઃ પરાપાયવિચિન્તનેન, કૃત ભવિષ્યામિ કથં? વિભોડહમ્ ૧૦.
અર્થ - હે પ્રભુ! પરની નિંદાવડે મેં મુખને દોષવાળું કર્યું, પરની સ્ત્રીઓને જોવાવડે મેં નેત્રને દોષવાળું કર્યું અને પરનું કષ્ટ ચિંતવવા વડે મેં ચિત્તને દોષવાળું કર્યું, તો હું કેવી રીતે શુદ્ધ થઈશ - મારું શું થશે? ૧૦.
શબ્દાર્થ વિડંબિત - વિડંબના પમાડી. | વેલ્સિ - જાણો છો. યસ્મર - જે કામદેવ રૂ૫. | ધસઃ-નાશ કર્યો, અવગણના કરી. ઘમ્મરાતિ - રોગની પીડા. | મુખ્યમંત્રઃ- અન્ય મંત્રો વડે. દશાવશાત્ - દશાના વશ થકી. પરમેષ્ઠિમંત્ર - પંચપરમેષ્ઠિ મંત્ર.
ā - મારા આત્માને. કુશાસ્ત્રવાક - કુશાસ્ત્રનાં વાક્યો વડે. વિષયાંધલેન-વિષયોમાં અંધ એવા મેં. નિહતા - ઢાંકી દીધી. પ્રકાશિત - પ્રકાશ કર્યું. આગમમોક્તિઃ - આગમની વાણી. તદ્ - તે.
કતું - કરવાને. ભવતઃ - તમોને.
વૃથા કર્મ - ફોગટ કર્મ. હિચૈવ - લજ્જાથી જ. કુદેવસંગાત્ - કુદેવના સંગથી. સર્વ - બધું.
અવાંછિ - ઈચ્છયું. સ્વયમેવ - પોતે જ. | હી - વિસ્મયે.
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૩૫ મતિભમ:- બુદ્ધિનો વિભ્રમ. | પથોધિમધે - સમુદ્રમાં. વિમુચ્ય - મૂકીને.
ધૌતઃ - ધોયો છતો. ગુલક્ષ્યગત - દષ્ટિના લક્ષ્યમાં | અગાત્ - ગયો.
આવેલા.
| તારક - હે! ભવસમુદ્ર થકી ભવંત - તમોને.
તારનાર. ધ્યાતા - ધ્યાન કર્યું.
કિં-શું. મૂઢધિયા - મૂઢ બુદ્ધિવાળા. અંગં - શરીર. હૃદંત - હૃદયમાં.
ચંગ - સુંદર. કટાક્ષવલોજ - કટાક્ષ, સ્તન. ગણઃ - સમૂહ. ગભરનાભિ-ગંભીર નાભિ (અને). | ગુણાનાં - સગુણોનો. કટીતટીયા - કટી પ્રદેશ સંબંધી. | નિર્મલઃ - સ્વચ્છ. સુશાં - સ્ત્રીઓના. | કોડપિ - કોઈ. વિલાસા - વિલાસોને. કલાવિલાસ - કળાનો વિલાસ. લોવેક્ષણા - ચપળ નેત્રવાળી ! હુરતપ્રભઃ -સ્કુરાયમાન કાન્તિ સ્ત્રીઓના.
જેની એવી. વક્તનિરીક્ષણેન- મુખ જોવા વડે. | પ્રભુતા - મોટાઈ, ઠકુરાઈ. ય: - જે.
કોડપિ - કોઈ. માનસ - મન સંબંધી. તથાપિ - તોપણ. રાગલવઃ- રાગનો લેશ. | અહંકારકદર્શિતઃ - અહંકારવડે શુદ્ધસિદ્ધાંત - પવિત્ર સિદ્ધાંતરૂપી. | કદર્થના પામેલો છું.
વિડમ્બિકં યસ્મરઘસ્મરાર્તિ-, દશાવશાસ્વં વિષયાધલેન; પ્રકાશિત તદ્ ભવતો હિયેવ,
સર્વજ્ઞ! સર્વ સ્વયમેવ વેન્સિ. ૧૧. ૧. અંસલવત્સલાદિવદૌણાદિકાલપ્રત્યયાગમન, વિદ્યુત પતારાન્થાલ્લ ઇતિ પ્રાકૃતલક્ષણેનેતિકશ્ચિત્ તત્ત પ્રાકૃતગધસ્યા પ્યગાભાવાત્ મુરલાદેરાકૃતિગણાત્વાચ્ચ નાલપ્રત્યયદુર્લભતા.
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૩૬
અર્થ :- હે સર્વજ્ઞ ! વિષયોમાં અંધ થયેલા એવા મેં કામદેવરૂપી રોગની પીડાની દશાના વશ થકી જે મારા આત્માને વિડંબના પમાડી તે તમોને-તમારી પાસે લજ્જાથી જ મેં પ્રકાશ કર્યું પ્રગટ કર્યું છે તમે પોતે જ તે સર્વ જાણો છો. ૧૧. ધ્વસ્તોડન્યમન્ત્રઃ પરમેષ્ઠિમન્ત્રઃ, કુશાસ્ત્રવાસ્વૈર્નિહતાડડગમોક્તિઃ; કનુઁ વૃથા કર્મ કુદેવસંગા-, ત્યાંછિ હી નાથ ! મતિભ્રમો મે. ૧૨.
અર્થ :- હે નાથ ! બીજા મંત્રો વડે કરીને પરમેષ્ઠી મંત્ર (નવકાર મંત્ર)નો મેં નાશ કર્યો-અવગણના કરી. કુશાસ્ત્રનાં વાક્યોએ કરીને આગમ (સિદ્ધાંત)ની વાણી હણી નાખી. ઢાંકી દીધી અર્થાત્ સાંભળી નહિ અને કુદેવના સંગથી નિષ્ફળ કાર્ય કરવાને મેં ઇછ્યું, તેથી વિસ્મય થાય છે કે મારો બુદ્ધિનો વિભ્રમ થયો છે. ૧૨. વિમુચ્ય દશ્લક્ષ્યગતં ભવાં, ધ્યાતા મયા મૂઢધિયા હૃદન્તઃ; કટાક્ષવક્ષોજગભીરનાભિ-, કટીતટીયાઃ સુદેશાં વિલાસાઃ. ૧૩.
અર્થ :- મૂઢ બુદ્ધિવાળા મેં દૃષ્ટિલક્ષ્યમાં આવેલા પ્રત્યક્ષ એવા આપને મૂકીને હૃદયને વિષે કટાક્ષ, સ્તન, ગંભીરનાભિ અને કટી પ્રદેશ સંબંધી સ્ત્રીઓના વિલાસોનું ધ્યાન કર્યું છે. ૧૩. લોલેક્ષણાવનિરીક્ષણેન, યો માનસો' રાગલવો વિલગ્નઃ;
૧. માનસે એવો પાઠ હોય ત્યાં “મનને વિષે” એવો અર્થ કરવો.
Page #440
--------------------------------------------------------------------------
________________
૪૩૭ ન શુદ્ધસિદ્ધાન્તપયોધિમધે, ધૌતોડÀગાત્તારક! કારણે કિમ્? ૧૪.
અર્થ - હે તારક! (ભવસમુદ્રથકી તારનાર) ચપળ નેત્રવાળી સ્ત્રીઓનાં મુખ જોવા વડે મનસંબંધી જે રાગનો લેશ (અંશ) વિશેષ પ્રકારે લાગેલો છે તે પવિત્ર સિદ્ધાંતરૂપી સમુદ્રમાં ધોયો છતો પણ ગયો નહિ ત્યાં શું કારણ છે? ૧૪.
અંગ ન ચંગ ન ગણો ગુણાનાં, નનિર્મલઃ કોડપિ કલાવિલાસ;
હુરત્મભાન પ્રભુતા ચ કાડપિ, તથાડપ્યહંકારકદર્શિતોડહમ્. ૧૫.
અર્થ - મારું શરીર સુંદર નથી, સદ્ગણોનો સમૂહ નથી કોઈપણ સ્વચ્છ કળાનો વિલાસ નથી અને સ્કુરાયમાન છે કાન્તિ જેની એવી કોઈપણ ઠકુરાઈ (મોટાઈ નથી, તો પણ હું અહંકાર વડે કદર્થના પામેલો છું. ૧૫.
શબ્દાર્થ આયુઃ - આયુષ્ય
ય: - પ્રયત્ન. ગલતિ - જાય છે.
ભૈષજ્યવિધી -ઔષધની વિધિમાં. આશુ - શીઘ.
ધર્મે - ધર્મમાં. પાપબુદ્ધિ - પાપની બુદ્ધિ. સ્વામિનું - હે સ્વામી. ગત - ગઈ.
મહામોહવિડંબના - મોટા વયઃ- અવસ્થા.
મોહવડે વિડંબના. નો - ન ગઈ.
મે - મારું. વિષયાભિલાષ - વિષયવાસના. | વિટાનાં - નાસ્તિકોની.
૧. પ્રધાનપ્રભુતા ઇતિ પાઠાન્તરે.
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૩૮ કટુગી: - કડવી વાણી. કામધેનુ - કામધેનુ. અપિ ઈય - પણ એવી. કલ્પદ્રુમ - કલ્પવૃક્ષ અને. આધારિ - ધારણ કરી. ચિંતામણિષ-ચિંતામણિ રત્નને વિષે. કર્ણ - કાનમાં.
સ્પૃહા - વાંછાની. ત્વયિ - તમે.
આર્તિ - પીડા. કેવલા-કેવળજ્ઞાનરૂપ સૂર્યસમાન. જૈનધર્મે - જૈન ધર્મને વિષે. પરિસ્ફટે - અતિપ્રકટ. ફુટશર્મદ!-પ્રકટસુખ આપનાર. સત્યપિ - છતે પણ.
જિનેશ - હે જિનેશ્વર. વિગુ - ધિક્કાર હો. વિમૂઢભાવ -મૂઢપણાને. મામ્ - મને.
સોગલીલા-સારાભોગની લીલા. દેવપૂજા - દેવની પૂજા. રોગકલા - રોગની જવાળા. પાત્રપૂજા - સુપાત્ર પૂજા. ધનાગમઃ - ધનની પ્રાપ્તિ. શ્રાદ્ધધર્મ:- શ્રાવકોનો ધર્મ. | નિધનાગમ:- મરણની પ્રાપ્તિ સાધુધર્મ - સાધુનો ધર્મ દારા - સ્ત્રી. લડ્વા - પામીને.
કારા - કેદખાનું. માનુષ્ય - મનુષ્યભવ. નરકાસ્ય - નરકના. સમસ્ત - બધું.
ચિત્તે - ચિત્તને વિષે. અરણ્ય - જંગલમાં કરેલ. વ્યચિંતિ - ચિંતવ્યું. વિલાપતુલ્ય - વિલાપ તુલ્ય. | નિત્યં - હંમેશા. ચક્રે - કરી.
મયકા -મેં. અસત્સુ - અસત્ય.
અધમેન - અધમ. આયુર્ગલત્યાશુ ન પાપબુદ્ધિ, ર્ગત વયો નો વિષયાભિલાષા; યત્ન ભૈષજ્યવિધી ન ધર્મ, સ્વામિન્મહામોહવિડમ્બના મે. ૧૬.
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૩૯ અર્થ :- હે સ્વામી! મારું આયુષ્ય શીઘ જાય છે. પણ પાપની બુદ્ધિ જતી નથી. મારૂં વય (અવસ્થા-ઉંમર) ગયું પણ વિષયની વાસના ગઈ નહિ, વળી ઔષધની વિધિમાં પ્રયત્ન કર્યો પણ ધર્મને વિષે યત્ન કર્યો નહિ, એ કારણથી મોટા મોહવડે મારી વિડંબના (કષ્ટ) થઈ. ૧૬.
નાત્મા ન પુણ્ય ન ભવો ન પાપં, મયા વિટાનાં કટુગીરપીયમુ;
આધારિ કર્ણ ત્વયિ કેવલાર્ક, પરિસ્ફટે સત્યપિ દેવ? હિમામ્. ૧૭.
અર્થ - હે દેવ! આત્મા (પરમાત્મા) નથી, પુણ્ય નથી, ભવ (પુનર્જન્મ) નથી અને પાપ નથી, એ પ્રકારે વિષયલુબ્ધ જનોની કડવી વાણી, કેવળજ્ઞાનવડે સૂર્ય સમાન (અથવા કેવળજ્ઞાનરૂપ સૂર્યસમાન) એવા તમે અતિપ્રકટ છતે પણ મેં કાનને વિષે ધારણકરી (સાંભળી) માટે મને ધિક્કાર હો! ૧૭.
ન દેવપૂજા ન ચ પાત્રપૂજા, ન શ્રાદ્ધધર્મશ્ચ ન સાધુધર્મ; લધ્વાડપિ માનુષ્યમિદં સમસ્તે, કૃત મયાડરણ્યવિલાપતુલ્યમ્. ૧૮.
અર્થ -મેં દેવની પૂજા ન કરી, વળી સુપાત્રની પૂજા ન કરી, શ્રાવકધર્મ ન પાળ્યો. વળી સાધુધર્મ ન પાળ્યો, આ મનુષ્યજન્મ પામીને પણ મેં બધું અરણ્યમાં કરેલ વિલાપ તુલ્ય કર્યું.
૧. અધારિ ઇતિ વા આધારિ પાઠમાં આ ડું ઉપસર્ગ લાગેલો છે.
Page #443
--------------------------------------------------------------------------
________________
४४०
ચક્રે મયાડસસ્વપિ કામધેન... કલ્પ ચિન્તામણિષ સ્પૃહાર્નિ; ન જૈનધર્મે ફુટશર્મદેડપિ, જિનેશ? મે પશ્ય વિમૂઢભાવમ્. ૧૯.
અર્થ :- હે જિનેશ્વર ! મેં અસત્ય એવા પણ કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નને વિષે વાંછાની પીડા કરી. (અર્થાત્ કામધેનુ વગેરે અસત્ય પદાર્થો મેળવવા મારું મન આકર્ષાયું, પરંતુ પ્રકર્ષ રીતે સુખને આપનાર જૈનધર્મને વિષે વાંચ્છા કરી નહિ, મારા વિશેષ પ્રકારના મૂઢપણાને તમે જુઓ. ૧૯.
સભોગલીલા ન ચ રોગકીલા, ધનાગમો નો નિધનાગમસ્થ; દારા ન કારા નરકસ્થ ચિત્તે, વ્યચિત્તિ નિત્યં મયકાડધમેન. ૨૦.
અર્થ-અધમ એવા મેં હંમેશાંચિત્તને વિષે સારા સારા ભોગ (સંસારસુખ)ની લીલા ચિંતવી પણ એ રોગોની જ્વાળા છે એમ નચિંતવ્યું વિચાર્યું), ધનની પ્રાપ્તિચિંતવી પણ એ મરણની પ્રાપ્તિ તુલ્ય છે એમ નચિંતવ્યું, સ્ત્રીઓ ચિંતવી પરંતુ એ નરકના કેદખાના (નરકના બંધનરૂપ) છે એમ ન ચિંતવ્યું. ૨૦.
૧. અહીં અસત્સુને ઠેકાણે સત્સુ એવો પાઠ હોય ત્યાં આ પ્રમાણે અર્થ કરવો-કામધેનું, કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન મને પ્રાપ્ત થયે છતે પણ મેં (આર્સિ) આર્તધ્યાન કર્યું, પરંતુ પ્રકટ રીતે સુખ આપનાર એવા પણ જૈનધર્મને વિષે (સ્પૃહા) ઈચ્છા ન કરી, તો હે જિનેશ્વર ! મારી મૂર્ખાઈ જો તું.
Page #444
--------------------------------------------------------------------------
________________
સ્થિતં - ૨હેવાયું. સાધોઃ - સાધુના. હૃદિ - હૃદયને વિષે. સાધુવૃત્તાત્ - આચરણથી. પરોપકારાત્ - પરોપકારકરવા થકી.
યશઃ - યશ.
અર્જિત - ઉપાર્જ્યો.
તીર્થોદ્ધરણાદિકૃત્ય - તીર્થોદ્વાર | વગેરે કાર્ય.
|
મુધા - ફોગટ. હારિત - ગુમાવ્યો.
વૈરાગ્યરંગઃ - વૈરાગ્યનો રંગ. ગુરૂદિત્તેષુ - ગુરુના વચનોમાં. દુર્જનાનાં - દુર્જનોના. વચનેષુ - વચનોને વિષે.
શાન્તિઃ- સમભાવ.
૪૪૧
શબ્દાર્થ
મમ - મને.
તાર્યઃ - તરવા યોગ્ય, તરવો.
કથંકાર - કેવી રીતે.
અયં - આ.
ભવાબ્ધિઃ - ભવસાગર.
પૂર્વે - પૂર્વનાં.
ભવે - ભવમાં.
અકારિ - કર્યું.
અંશ.
પુછ્યું - પુણ્ય.
આગામિ જન્મનિ - આવતા ભવને
વિષે.
અધ્યાત્મલેશઃ - અધ્યાત્મજ્ઞાનનો | ચરિતં - ચરિત્રને.
| સ્વકીયં - પોતાના.
કરિષ્યે - કરીશ.
| યદિ - જો, જે કારણ માટે. ઇદેશ! - એવો.
તેન - તેથી.
નષ્ટા - નાશ પામ્યા.
ભૂતોદ્ ભવત્ - ભૂત વર્તમાન (અને). ભાવિભવત્રયી - ભવિષ્ય એ ત્રણ
ભવ.
કિં - શું.
વા - અથવા.
સુધાભુક્ - હે દેવ.
પૂજ્ય - હે પૂજય.
ત્વદગ્રે - તમારી પાસે.
જલ્પામિ - કહું. યસ્માત્ - જે કારણ માટે. ત્રિજગત્સ્વરૂપ - ત્રણ જગતનાં
સ્વરૂપનું. નિરૂપકઃ - નિરૂપણ કરનાર. ક્રિયદ્ - શું માત્ર.
એતદ્ - આ મારું ચરિત્ર. અત્ર - અહીં, તમારે વિષે.
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૪૨
દીનોદ્ધાર - દીનજનોનો ઉદ્ધાર | શ્રિયં - લક્ષ્મીને.
કરવામાં. | કિન્તુ - પરંતુ. ધુરંધરઃ- અગ્રેસર.
અહમ્ - હે અરિહંત. ત્વદપરઃ-તમારાથી બીજો કોઈ. | કેવલ - ફક્ત. નાસ્તુ - નથી.
અહો - આશ્ચર્યો. મદન્યઃ - મારાથી બીજો કોઈ. સર્બોધિરત્ન સમ્યક્ત્વ રત્નને. કૃપાપાત્ર- કૃપાનું ભાજનમાં-દયા | શિવ - મોક્ષ ફળને આપનાર.
કરવા યોગ્ય. | શ્રીરત્નાકર -મોક્ષલક્ષ્મીના સમુદ્ર. અત્ર જને - આ લોકને વિષે. | મંગલેકનિલય-મંગળના અદ્વિતીય જિનેશ્વર - હે જિનેશ્વર.
સ્થાન રૂપ. એમાં - પ્રત્યક્ષ સંસારની. શ્રેયસ્કર - કલ્યાણકારક. ન યાચે - માગતો નથી. | | પ્રાર્થયે - માગું છું.
સ્થિત ન સાધોઈંદિ સાધુવૃત્તાત્, પરોપકારાન્ન યશોજિત ચ; કૃતં ન તીર્થોદ્ધરણાદિકૃત્ય, મયા મુધા હારિકમેવ જન્મ. ૨૧.
અર્થ - મારા વડે સારા આચરણથી સાધુ પુરુષના હૃદયમાં ન રહેવાયું (અર્થાત્ સારા આચરણ વડે સાધુ પુરુષનું ચિત્ત મેં પ્રસન્ન કર્યું નહિ), પરોપકાર કરવા થકી મેં યશ ન ઉપાર્જન કર્યો, વળી તીર્થોદ્ધાર વગેરે કાર્ય મેં કર્યું નહિ, તેથી મેં ફોગટ જ જન્મ ગુમાવ્યો છે. ૨૧.
વૈરાગ્યરંગો ન ગુરૂદિતેષ, ન દુર્જનાનાં વચનેષુ શાન્તિ; નાધ્યાત્મલેશો મમ કોડપિ દેવ!, તાર્યકર્થકારમય ભવાબ્ધિ. ૨૨.
Page #446
--------------------------------------------------------------------------
________________
૪૪૩
અર્થ - હે દેવ! ગુરૂના વચનોને વિષે (ગુરુના ઉપદેશ વડે) મને વૈરાગ્યનો રંગ ન થયો, દુર્જનોનાં વચનોને વિષે મને શાન્તિ (સમભાવ) ન થઈ અને અધ્યાત્મજ્ઞાનનો અંશ કાંઈ પણ મને થયો નહિ તો આ ભવસાગર શી રીતે મારે તરવો? ૨૨.
પૂર્વે ભવેડકારિ મયા ન પુણ્ય-, માગામિજન્મ પિ નો કરિષ્ય; યદીદશોડહં મમ તેને નષ્ટા, ભૂતભવભાવિભવત્રયીશ!. ૨૩.
અર્થ :- મેં પૂર્વભવમાં પુણ્ય ન કર્યું અને આવતા જન્મને વિષે પણ નહિ કરીશ. જે કારણ માટે હું એવો છું, તે કારણથી મારા ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે ભવો નાશ પામ્યાનિષ્ફળ ગયા. ૨૩.
કિં વા મુધાડહં બહુધા *સુધાભુક, પૂજ્ય ! ત્વદગ્રે ચરિત સ્વકીયમ્; જલ્પામિ યસ્માત્ *ત્રિજગસ્વરૂપ-, નિરૂપકવૅ કિયદેતદત્ર. ૨૪.
અર્થ - અથવા તો હે દેવ! હે પૂજ્ય! તમારી પાસે મારા પોતાના ચરિત્રને બહુ પ્રકારે ફોગટ હું શું કહું? જે કારણ માટે ત્રણ જગતના સ્વરૂપનું નિરૂપણ કરનારા તમે છો. તો અહી (તમારા વિષે) આ મારૂં ચરિત્ર શું માત્ર છે. ૨૪.
* સુધાભુપૂજ્ય ! એ પ્રકારે સમાસાન્ત પદ લઈએ ત્યારે દેવતાના પૂજય એવો અર્થ થાય છે.
+ ત્રિજગસ્વરૂપ! હે ત્રણ જગત છે સ્વરૂપ જેનું એવા અને નિરૂપક = સર્વજ્ઞ એવા બે પદો જુદાં પણ લઈ શકાય છે.
Page #447
--------------------------------------------------------------------------
________________
४४४
શાર્દૂલવિક્રીડિત છંદ દીનોદ્ધારધુરધર-સ્વદારો નાસ્ત મદન્યઃ કૃપાપાત્રનાત્રજનેજિનેશ્વર!તથાડપ્રેતાં ન યાચેશિયમ કિંવહસિદમેવ કેવલમહો સબોધિરત્નશિવ, શ્રીરત્નાકર ! મંગલેકનિલય! શ્રેયસ્કર પ્રાર્થયે. ૨૫.
અર્થ:- હે જિનેશ્વર! દીન (દુઃખી) જનોને ઉદ્ધાર કરવામાં ધુરંધર (અગ્રેસર) તમારાથી બીજો કોઈ નથી અને આ લોકમાં મારાથી બીજો કોઈ કૃપાનું પાત્ર નથી તો પણ પ્રત્યક્ષ લક્ષ્મી (સંસારલક્ષ્મી)ને હું માગતો નથી. પરંતુ અહો ઇતિ આશ્ચર્યો! હે અહંનું દેવ ! હે મોક્ષલક્ષ્મીના સમુદ્ર ! માંગલિકના અદ્વિતીય સ્થાનરૂપ ! મોક્ષફળને આપનાર અને કલ્યાણકારી એવા આ સમ્યકત્વ રત્નને જ ફક્ત હું માગું છું. ૨૫.
ઇતિ શ્રી રત્નાકરપંચવિંશિકા અથ પચ્ચકખાણો
શબ્દાર્થ ઉગ્ગએ સૂરે - સૂર્ય ઊગ્યે છતે. | આહાર - આહારને. નમુક્કારસહિઅં-નમસ્કાર સહિત. | અસણું - અશન. મુસિહિએ - મુઠ્ઠી સહિત. | પાણ - પાણી. પચ્ચકખામિ-પચ્ચક્ખાણ કરું છું. | ખાઈમં - ખાદિમ. ચઉવિડંપિ - ચાર પ્રકારના. | સાઈમ - સ્વાદિમ.
* પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ) શબ્દનો અર્થ ત્યાગ કરવું અને પાળવું એમ બે પ્રકારે થાય છે, તે આ પ્રમાણે-અવિરતિપણાનાં સ્વરૂપ પ્રત્યે પ્રતિકપ્રતિકૂળપણે આકઆગાર મર્યાદાકરણ સ્વરૂપે કરીને આખ્યાન=કહેવું છે જેને વિષે તે પ્રત્યાખ્યાન અથવા પ્રતિ-આત્મ સ્વરૂપ પ્રત્યે આ=અભિવ્યાપીને અનાશંસારૂપ ગુણનું કરણ તેનું આખ્યાન=કહેવું કથન
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૪૫ અસત્ય - સિવાય.
વોસિરામિ - ત્યાગ કરૂં છું. અણાભોગેણં - અણજાણતાં. | પોરિસિં-પહોર દિવસ ચડે ત્યાં સુધી. સહસાગારેણ - સહસાત્કારે. | સાઢપોરિસિં- દોઢ પહોર સુધી. મહત્તરાગારેણંોટા લાભને અર્થે. | પચ્છકાલેણે - વખતની ખબર સવસમાહિત્તિયાગારેણં - સમાધિ
નહિ પડવાથી. નિમિત્ત ઔષધાદિ કારણે. | દિસામોહેણું દિશાનો વિપર્યાસ થવાથી. છે જેને વિષે તે પ્રત્યાખ્યાન. અથવા પરલોકપ્રતિ=પ્રત્યે આત્રક્રિયાયોગાળે શુભાશુભ ફળનું કથન છે જેને વિષે તે પ્રત્યાખ્યાન આ પચ્ચકખાણ મૂળ ગુણરૂપ અને ઉત્તર-ગુણરૂપ એવા બે ભેદે છે. મૂળગુણ પચ્ચકખાણના બે ભેદ છે-દેશથી અને સર્વથી, તેમાં સર્વથી મૂળગુણ પચ્ચકખાણ પાંચ મહાવ્રતરૂપ, તે સાધુને હોય, અને દેશથી મૂળગુણ પચ્ચકખાણ પાંચ અણુવ્રતરૂપ તે શ્રાવકને હોય. સર્વથી ઉત્તરગુણ પચ્ચકખાણ પિંડવિશુદ્ધિ પાંચ સમિતિ, બાર ભાવના, બારપ્રકારનો તપ, બાર પ્રતિમા અને અભિગ્રહ વગેરે અનેક પ્રકારે છે; તે સાધુને હોય અને દેશથી ઉત્તર ગુણ પચ્ચકખાણ અનાગતાદિ દશ પ્રકારનું યથાયોગ્ય રીતે હોય, દશ ભેદ આ પ્રમાણે છે-૧ અનાગત પચ્ચકખાણ (પર્યુષણાદિ પર્વમાં ગુરૂ, ગ્લાન વગેરેનું વૈયાવચ્ચ કરવાને કારણે અગાઉથી અઢમાદિ તપ કરે તે) ર અતિક્રાન્ત (પર્યુષણ પર્વમાં વૈયાવચ્ચાદિ કારણે તપ ન થયો હોય તો પછીથી કરે તે) ૩ કોટિસહિત (ચૌવિહાર ઉપવાસાદિ પચ્ચકખાણ કર્યું હોય તે પુરૂં થતાં તેવું જ બીજું પચ્ચકખાણ ફરીથી કરે તે) ૪ નિયંત્રિત (પુષ્ટ, નિરોગી કે ગ્લાનપણે ગમે તેમ હોય તો પણ અમુક દિવસે અમુક તપ કરીશ એવો અગાઉથી નિયમ લઈ ધારેલ દિવસે કરે છે, આ પચ્ચકખાણ પહેલા સંઘયણવાળા દશ પૂર્વી જિનકલ્પીને હતું. હાલ વિચ્છેદ થયું છે.)પ અનાગાર (આગાર રાખ્યા વિના પચ્ચકખાણ કરે તે.) ૬ સાગાર (આગાર સહિત) ૭ નિરવશેષ (ચાર પ્રકારના આહાર અને અણાહારી વસ્તુનું પચ્ચકખાણ કરે તે) ૮ પરિમાણ કૃત (દત્તિ, કવળ કે ઘરની સંખ્યા ધારે તે.) ૯ સાંકેતિક (સંકેત એટલે અંગુઠાદિ ચિત વડે કરી પચ્ચકખાણ ધારે તે) ૧૦ અદ્ધા પચ્ચકખાણ (કાળના પરિમાણવાળું પચ્ચકખાણ તે અદ્ધા પચ્ચકખાણ,) તે નમુક્કારસી આદિ દશ ભેદે છે જે આ પુસ્તકમાં સવિસ્તાર આવશે, આ પચ્ચક્ખાણના ૧૪૭ ભાંગા છે. તે સામાયિકવ્રતના ૪૯ ભાંગા અગાઉ
Page #449
--------------------------------------------------------------------------
________________
४४६
સાહુવયણેણં - સાધુનું વચન | પુરિમઠું - દિવસના પ્રથમના સાંભળીને. |
અર્ધભાગ સુધી. "નમુક્કારસહિય - મુક્રિસહિઅંનું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં મુક્રિસહિઅં કહી ગયા છીએ તે પ્રકારના ૪૯ ભાંગાને અતીત, અનાગત અને વર્તમાનકાળના ભેદે ત્રણ ગુણા કરવાથી થાય છે. પૂર્વોક્ત સાંકેતિક નામનું નવમું પચ્ચકખાણ આઠ ભેદે છે, તે આ પ્રમાણે-૧ અંગુકસહિ(મુઠ્ઠીમાં અંગુઠો રાખું ત્યાં સુધી) ૨ મુદ્દસહિઅ (મુઠી વાળી રાખું ત્યાં સુધી), ૩ ગંઠિસહિએ (ગાંઠ બાંધી રાખું ત્યાં સુધી) ૪ ઘરસહિઅ (ઘરે જાઉં ત્યાં સુધી) ૫ પ્રસ્વેદસહિએ (શરીરે પરસેવાના બિંદુ નીકળે ત્યાં સુધી) ૬ ઉસ્સાસસહિએ (શ્વાસોચ્છવાસ લઉં અથવા જીવું ત્યાં સુધી.) ૭ થિબુકસહિઅ (વાસણે ચોંટેલાં પાણીના બિંદુ સૂકાય ત્યાં સુધી), ૮ જોઈફખસહિઅ (દીવા પ્રમુખની જયોત રહે ત્યાં સુધી) આ પચ્ચકખાણ પોરિસી આદિના પચ્ચકખાણની સાથે સાથે કરાય છે. પચ્ચકખાણ પૂરૂ થયું હોય અને ભોજન સામગ્રી તૈયાર ન હોય અથવા કાર્ય પ્રસંગે જમવાને ઢીલ હોય ત્યારે આવા પચ્ચકખાણ માંહેનું કોઈપણ કરી શકાય છે અને પોરિસિ આદિ પચ્ચકખાણ ન હોય તો પણ થાય છે. સાધુને મંડળીએ ગુરુ વગેરે ન આવ્યા હોય અથવા સાગારિકાદિનું કારણ હોય ત્યારે અભિગ્રહરૂપ સંકેત પચ્ચકખાણ થાય છે.
૧. રાઇઅપ્રતિક્રમણ કરતાં તપચિંતવણીના કાઉસ્સગ્ન વખતે અમુક પચ્ચકખાણ કરીશ એમ ધારી લેવું અને પછી ગુરુમુખે અગર સ્થાપનાચાર્ય સન્મુખ પચ્ચખાણ કરી લેવું. અને દેરાસરમાં દેવ સન્મુખ પણ પચ્ચકખાણ લેવું, જો પ્રભાતનું પ્રતિક્રમણ ગુરુ સાથે ઉપાશ્રયે ન કર્યું હોય તો ગુરૂ મહારાજને વાંદીને પચ્ચકખાણ લેવું આ પચ્ચકખાણ લેવા આશ્રયી ચૌભંગી આ પ્રમાણે જાણવી-(૧) ગુરુ પચ્ચકખાણના જાણ અને શ્રાવક પણ જાણ, (૨) ગુરુ જાણ અને શ્રાવક અજાણ, (૩) ગુરુ અજાણ અને શ્રાવક જાણ, (એ ત્રણ ભંગ શુદ્ધ જાણવા), તથા (૪) ગુરુ અને શ્રાવક બંને અજાણ (આ ભાગે પચ્ચકખાણ અશુદ્ધ જાણવું. આ પચ્ચકખાણનો કાળ સૂર્યોદય થયા પછી બે ઘડી સુધીનો છે માટે સૂર્યોદય પહેલાં લેવું અને બે ઘડી દિવસ થયે નવકાર ગણીને પાળવું. અન્યથા પચ્ચકખાણ ભંગ થાય, આ નવકારશી
Page #450
--------------------------------------------------------------------------
________________
४४७ પચ્ચકખાઈ ચઉવિલંપિ આહારં, અસણં, “પાણે, ખાઈમ, સાઈમ, “અન્નત્થણાભોગેણં, કર્યા પછી પોરિસી આદિ પચ્ચકખાણ થાય પણ તે વિના થાય નહિ અને જો કરે તો તે પોરિટી આદિક કાળસંકેત રૂપ જાણવો. નવકારસીનો બે ઘડીનો કાળ છે. તે રાત્રિ ભોજનનો દોષ નિવારવા તીરણરૂપ જાણવો. નમુક્કારસહિયના પચ્ચકખાણમાં મહત્તરાગારેણં અને સવ્વસમાવિત્તિયાગારેણં એ બે આગાર લેવા નહિ. એકલી નવકારસીનું પચ્ચકખાણ લેવાથી બે ઘડી પછી પચ્ચકખાણ પારતાં વાર લાગે તેટલો કાળ ફોગટ અવિરતિપણે જાય માટે સાથે મુક્રિસહિય પચ્ચકખાણ પણ લેવામાં આવે છે અને તેથી તે પચ્ચખાણમાં આગાર ચાર કહેવામાં આવે છે.
૨. ગુરૂ આદિ પચ્ચકખાણ આપતા હોય ત્યારે તેઓ અહીં પચ્ચખાઈ પદ કહે અને લેનારે તે વખતે પચ્ચકખામિ કહેવું.
૩. ભૂખ શમાવવાને સમર્થ એવું કોઈ એક દ્રવ્ય હોય તો આહાર અથવા લવણાદિકની પેઠે મિશ્રણ થવાથી સુસ્વાદ આપે જેથી કાદવ જેવી અસાર વસ્તુને પણ સુધાતુર છતો ખાઈ જાય તે આહાર જાણવો.
૪. શીધ્ર ભૂખ શમાવે તે અશન-મગ, ભાત, સાથવો, રોટલી, રોટલા, પુડલા, પ્રમુખ, દૂધ, દહીં, માખણ, ઘી પ્રમુખ, ખાજાં, દહીંથરાં, પ્રમુખ, પકવાન્ન, સૂરણ પ્રમુખ કંદ, ફલ, ફૂલ, શાક વગેરે જાણવાં.
૫. પીવા યોગ્ય પદાર્થો તે પાન કુવા પ્રમુખનાં પાણી, છાસની આછ, કેરડા, જવ, કાકડી પ્રમુખના ધોયણ અને મદિરા પ્રમુખ જાણવાં.
૬. જે ખાવાથી થોડી તૃપ્તિ થાય તે ખાદિમ. સેકેલાં ધાન્ય, ફળ, મેવા પ્રમુખ જાણવા.
૭. સ્વાદ-લહેજતદાર લેવા માટે ખવાય અથવા જેના સ્વાદમાં પ્રથમ ખાધેલા આહારાદિનો સ્વાદ લય પામે તે સ્વાદિમ. સુઠ, જીરૂ, અજમો, પીપર, મરી, એલચી, લવીંગ પ્રમુખ તથા ચૂરણ કે ગોળીમાં નાંખેલ ગોળ પ્રમુખ અને તંબોળાદિ જાણવા.
૮. આ આગારમાં કહેલ અન્નત્થ એ પદ બીજા દરેક આગારમાં લાગુ પડે છે. એટલે જે આગારો (છૂટ) કહ્યા તે સિવાયનું મારે પચ્ચકખાણ છે. અનાભોગ એટલે વિસ્મરણ, અર્થાત્ કાર્ય-વ્યગ્રતાદિક કારણે અજાયે લીધેલ
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૪૮
સહસાગારેણં, મહત્તરાગારેણં, 'સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરામિ. II ઇતિ II
*પોરિસિ-સાઢ-પોરિસિનું
ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં,
પચ્ચક્ખાણ ભૂલી જવાય અથવા પચ્ચક્ખાણનો વખત પૂરો થયા વિના અથવા થયો હોય છતાં પાર્યા વિના ખાવા યોગ્ય પદાર્થ ભૂલથી મોઢામાં નાંખીએ તો પચ્ચક્ખાણનો ભંગ થાય નહિ. એ માટે આ આગાર રાખવામાં આવે છે. પરંતુ કોઈ વસ્તુ મુખમાં નાંખતાં કે નાંખ્યા પછી યાદ આવે તો તરત જ તે વસ્તુ બાહર કાઢી નાખવી. જાણ્યા છતાં જો ખાય તો પચ્ચક્ખાણનો ભંગ થાય અને અજાણતાં મુખમાં નાખેલ પદાર્થ ખવાઈ ગયા પછી યાદ આવે તો પચ્ચક્ખાણનો ભંગ થાય નહિ. પરંતુ ફરીથી ભૂલ ન થાય તેટલા માટે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું. આ પ્રમાણે સર્વ આગારોમાં સમજી લેવું.
૯. સહસાત્કારે સ્વયં (સ્વભાવે જ) મુખમાં આવી પડે એટલે પચ્ચક્ખાણનો ઉપયોગ હોવા છતાં વરસાદના છાંટા કે દહીં મથતાં દહીંના છાંટા વગેરે અચાનક મોઢામાં પડે તો પચ્ચક્ખાણ ભંગ થાય નિહ.
૧૦. મોટી નિર્જરાના હેતુભૂત સંઘાદિ કાર્યને માટે ડિલની આજ્ઞાથી પચ્ચક્ખાણનો કાળ થયા પહેલાં પારે તો ભંગ થાય નહિ.
૧૧. તીવ્રશૂળાદિ રોગથી વિલ થયેલને શરીરની સ્વસ્થતા સાચવવા માટે ઔષધ પથ્યાદિ કારણે પચ્ચક્ખાણનો કાળ પૂર્ણ થયા પહેલાં જમે તો પચ્ચક્ખાણ ભંગ થાય નહિ. આવે પ્રસંગે ચિત્તની સ્થિરતાએ પરિણામ ટકે ત્યાં સુધીનો નિયમ સાચવવો પણ પરિણામ ટકતા ન હોય તો પછી અન્યથા પ્રવૃત્તિ કરતાં દોષ નથી.
૧૨. ગુર્વાદ પચ્ચક્ખાણ આપતા હોય ત્યારે અહીં વોસિરઇ પદ કહે અને પચ્ચક્ખાણ લેનાર હોય તે વોસિરામિ પદ કહે,
*
પુરૂષ પ્રમાણ છાયા જે વખતે હોય તે પોરિસી (પોરૂષી) અથવા તે છાયાનું માપ આ પ્રમાણે જાણવું. પુરૂષ જમણા કાને સૂર્યનું બિંબ રાખીને દક્ષિણાયન (કર્કસંક્રાંતિ) ના પહેલે દિવસે ઢીંચણની છાયા જોવી. તે બે પગલાં (બાર આંગળનું એક પગલું) છાયા હોય ત્યારે પોરિસિ જાણવી, તે
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૪૯
સાઢપોરિસિં, મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાઇ, ઉગ્ગએ સૂરે, ચઉવ્વિહંપિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, 'સાહવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ વોસિરઈ.
અર્થ :- સૂર્યોદય થયે છતે એક પહોર અથવા દોઢ પહોર સુધી મુટ્ટિસહિત અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનું હું પચ્ચક્ખાણ કરૂં છું, તે અન્નત્ય સહસા૦, પચ્છન્નકાલે૦, દિસા, સાહુ૦ મહત્તરાળ, સવ્વસમાહિ૦ એ આગારોએ છૂટ રાખીને ત્યાગ કરું છું.
પછી માસે ચાર ચાર આંગળ છાયામાં વધારવું એટલે પોષ માસે મકરસંક્રાંતિ (ઉત્તરાયન) ના દિવસે ચાર પગલાં છાયા હોય ત્યારે પોરિસિ થાય અને ત્યાંથી ચાર ચાર આંગળીની હાનિ કરતાં અષાઢ માસે બે પગલાંની છાયા હોય.
૧. પોરિસીના પચ્ચક્ખાણમાં આ પદ બોલવું નહિ. આ (સાર્ધપૌરુષી) સાઢપોરિસિનો કાળ દોઢ પહોરનો સમજવો.
૨. પ્રચ્છન્નકાલેન- કાળની પ્રચ્છન્નતા તે મેઘ, રાજગ્રહાદિ, દિગ્દાહ અને પર્વત પ્રમુખે કરી સૂર્ય ઢંકાઈ જવાથી વખતની બરાબર ખબર નહિ પડવાથી અધૂરી પોરિસિએ પૂરી થઈ માનીને જમે તો પચ્ચક્ખાણનો ભંગ થાય નહિ, પણ પાછળથી ખબર પડે તો મોઢામાં હોય તે રાખમાં પરઠવવું, દરેક આગારમાં આ વાત સમજી લેવી.
૩. દિગ્મોહેન- દિશાનો વિપર્યાસ થયો એટલે પૂર્વને પશ્ચિમ દિશા છે. એમ ભૂલથી માની લે અને તેથી પચ્ચક્ખાણ વખતની સમજ નહિ પડવાથી અધુરા વખતે પૂરો થયો ગણીને જમે તો ભંગ થાય નહિ.
૪. સાધુવચનેન-એટલે ઉગ્યાડા પોરિસિ એ પ્રકારનું સાધુનું વચન સાંભળીને અધુરા વખતે જમે તો પચ્ચક્ખાણ ભંગ થાય નિહ. પણ પાછળથી એમ માલુમ પડે કે સાધુ તો છ ઘડી દિવસ ચડે ત્યારે પોરિસિ ભણે છે તો પૂર્વની રીતે બેસી રહે.
૨૯
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૫૦
પુરિમષ્ઠનું અવઢનું પચ્ચખાણ સૂરે ઉગ્ગએ પુરિમઠું મુક્રિસહિઅં પચ્ચકખાઈ ચઉવિલંપિ આહારં, અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણે સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરઇ.
અર્થ:- સૂર્યોદય થયા પછી બે પહોર સુધી અશન, પાણી, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના “આહારનું હું પચ્ચકખાણ કરું છું. તે અન્નત્થ૦ સહસા પચ્છa૦, દિશા, સાદુળ, મહારાઓ, સવ્વસમાહિ૦ એ આગારો વડે છૂટ રાખી ત્યાગ કરું છું.'
એકાસણા બિયાસણાનું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, મુક્રિસહિઅં, પચ્ચકખાઈ, ઉગ્ગએ સૂરે, ચઉવિલંપિ આહારં, અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવરિયા
૧. પૂર્વાદ્ધ દિવસનો પૂર્વાદ્ધ એટલે પ્રથમનો અર્થો દિવસ-બે પહોરનું માન આ પચ્ચકખાણનું છે. - ૨. અવઢનું પચ્ચકખાણ કરવું હોય ત્યારે આ પદને ઠેકાણે “અવઢ' એ પદ બોલવું અવઢ (અપાધ)નો કાળ ત્રણ પહોરનો સમજવો.
૩. અહીંથી દરેક પચ્ચકખાણમાં ઘણા ખરા આગારો એના એ વખતો વખત આવવાથી શબ્દાર્થ કે ભાવાર્થ લખેલ નથી અને જે આગારોના અર્થ આવ્યા નથી તે દરેક ફુટનોટમાં લખ્યા છે. એક વખત ભોજન કરવાનું છે. જેને વિષે અથવા એક નિશ્ચલ છે આસન જેમાં (એકાસન) એકાસણું જાણવું.
૪. બે વખત ભોજન કરવું તેને બિયાસણ (દવ્યશન) જાણવું.
Page #454
--------------------------------------------------------------------------
________________
૪પ૧
ગારેણં, વિગઈઓ પચ્ચકખાઈ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્યસંસણું, *ઉકિપત્તવિવેગેણં, પડુચ્ચ-મખિએણે, “પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયા
૧. વિકૃતિ-વિગઈ છ છે. તે આ પ્રમાણે ૧ દુધ, ૨ દહીં, ૩ ઘી, ૪ તેલ, ૫ ગોળ અને ૬ કડાવિગય (તાવડામાં તળાઈને ઉપર આવે તેવા પકવાન્ન) આ પચ્ચકખાણ વડે છ માંહેની કોઈપણ એક અગર વધારે વિગઈનો ત્યાગ કરવાનો છે અને માંસ, મદિરા, માખણ, મધુ એ ચાર મહાવિગઇનો તો શ્રાવકને ત્યાગ જ હોય છે.
૨. લેપાલેપેન-વૃત પ્રમુખ જે વિગઈનો સાધુને નિયમ હોય તે વૃતાદિ વિગઈથી ગૃહસ્થનો હાથ ખરડાયાથી લુછી નાખ્યો હોય તેવા હાથથી અથવા ખરડાયેલા ચાટવાને લૂછી નાંખીને તે વડે વહોરાવે તો પચ્ચકખાણ ભંગ થાય નહિ. (સાધુને માટે આ આગાર છે.)
૩. ગૃહસ્થસંસૃષ્ટન- શાક પ્રમુખ દ્રવ્યને ગૃહસ્થ પોતાના માટે વિગઈથી જરા વધારી સંસ્કારિત કર્યા હોય અથવા રોટલી, રોટલા, માંડાદિને ગોળ, ઘી, પ્રમુખ વિગઈ વડે જરા ચોપડ્યા હોય તેમ છતાં નીવી કે વિગઇના પચ્ચકખાણમાં લેવામાં આવે તો પણ મુનિને પચ્ચકખાણનો ભંગ થાય નહિ.
૪. ઉક્ષિતવિવેકેન-રોટલી, રોટલા કે માંડાદિ ઉપર ગોળ, પ્રમુખ પિંડ (કઠણ) વિગઈ મૂકેલ હોય પછી તે લઈ લેવામાં આવે છતાં તેનો કંઈક અંશ ચોંટી રહેલો હોય તેવા રોટલા વગેરે લેવામાં આવે તો મુનિને પચ્ચકખાણનો ભંગ થાય નહિ, ગૃહસ્થને આ આગાર હોય નહિ.
* પ્રતીત્યપ્રક્ષિતન-રોટલી, રોટલા પ્રમુખને કુણા રાખવા માટે કરતી વખતે તેલ કે ઘીની આંગળીથી ચોપડીને કરે (રાખે) તે તેમાં લગારેક વિગઈનો ભાગ આવ્યા છતાં પચ્ચકખાણનો ભંગ થાય નહિ.
+ પારિષ્ઠાપનિકાકારેણ-જે આહાર ગૃહસ્થના ઘરથી વિધિપૂર્વક (એષણીય) લીધો હોય અને ઉચિત રીતે મુનિઓને વહેંચી આપ્યો હોય અને વિવેકથી વાપરવામાં આવ્યો હોય છતાં વધી પડે અને પરઠવવો જ પડે એમ જણાય તો પરઠવવાથી થતા દોષથી બચવાની ખાતર ગુરૂ મહારાજની આજ્ઞા વડે વધી પડેલ આહારાદિ વાપરતાં પચ્ચકખાણનો ભંગ થાય નહિ. અહીં ચોવિહાર ઉપવાસમાં પ્રાસુક પાણી, તિવિહાર ઉપવાસમાં અન્ન તથા પાણી અને આયંબીલના પચ્ચકખાણમાં વિગઈ,
Page #455
--------------------------------------------------------------------------
________________
૪પર
ગારેણં, બિયાસણ પચ્ચક્ખાઈ, તિવિલંપિ આહાર,
અસણં, ખાઇમં, સાઇમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, “સાગારિયાગારેણં, આઉટણપસારેણં, ગુરુઅભુટ્ટાણેણં, પારિદ્રાવણિયાગારેણં, અન્ન અને પાણી વાપરી શકાય, આ આગાર યતિને માટે છે. પણ પાઠ સંલગ્ન હોવાથી શ્રાવકમાં પણ બોલાય છે.
૧. એકાસણાનું પચ્ચખાણ લેવું હોય ત્યારે આ પદને ઠેકાણે “એકાસણું” પાઠ કહેવો.
૨. અહીં દુવિહંપિ આહારનો પાઠ બોલે તો જમ્યા પછી પાણી અને સ્વાદિમ વાપરી શકાય, તિવિહારનું પચ્ચકખાણ કરે તો જમ્યા પછી પાણી વાપરી શકાય, અને ચઉવિહારનું પચ્ચખાણ કરે તો ચઉવ્વિલંપિ આહાર પાઠ બોલે અને જમ્યા પછી ચારે આહારનો ત્યાગ કરે. જમ્યા પછી પણ જે પચ્ચકખાણ એકાસણું વગેરે કરેલ હોય તે પ્રમાણે દિવસચરિમ ચૌવિહાર, તિવિહાર, દુવિહારનું પચ્ચકખાણ યથાસંભવ લેવું.
* ચઉવિહારે અસણં પાણું ખાઈમ સાઇમં અને દુવિહારે. અસણં ખાઈમ એ પ્રમાણે પાઠ બોલવા.
+ સાગારિકાગારેણ-સાગારી એટલે ગૃહસ્થ. બંદિવાન પ્રમુખ તેના કારણે આ આગાર છે. એટલે મુનિને ગૃહસ્થના દેખતાં આહાર પાણી કરવાની મનાઈ છે. તેથી કોઈ ગૃહસ્થ આહાર કરતી વખતે આવ્યો હોય ને થોડીવારમાં જવાનો હોય તો તેટલી વાર આહાર કરવાની ઢીલ કરે અને ત્યાં સ્થિર રહેવાનો હોય તો અન્યત્ર જઇ આહાર કરે તો પચ્ચકખાણ ભંગ થાય નહિ. અને ગૃહસ્થને જમતી વખતે જેની દૃષ્ટિ પડતાં અન્ન પચે નહિ તેવો બંદિવાનાદિ આવ્યો હોય અથવા સર્પ, અગ્નિ પ્રમુખનો ઉપદ્રવ જણાય તો અન્યત્ર જઈ ભોજન કરતાં ભંગ થાય નહિ.
૩. આકુંચનપ્રસારણેન-જમવા બેઠા પછી ખાલી ચડી જવાના કે એવા બીજા કારણે હાથ-પગાદિ અંગોપાંગ સંકોચવા કે પ્રસારવા પડે તેથી આસન જરાક ચલાયમાન થાય તો પચ્ચકખાણનો ભંગ થાય નહિ.
૪. ગુર્વવ્યુત્થાનન-એકાસણાદિ કરતાં પોતાના ગુરૂ મહારાજ કે પ્રાહુણા મુનિ આવ્યા હોય તો તેનો વિનય-સત્કાર સાચવવા ઉભા થવું પડે તો તેથી પચ્ચકખાણ ભંગ થાય નહિ.
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૫૩ મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુ-લેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ.
ઇતિ બિયાસણા “એકાસણાનું પચ્ચકખાણ. ૧. પાનકસ્ય-પાણીના, તિવિહાર કે ચઉબિહારે એકાસણું કરનારને આ પાણી સંબંધીના છ આગાર અવશ્ય કહેવા અને દુવિહારમાં અચિત્તભોજીને કહેવા અને અચિત્ત જળ વાપરનારને પણ આ આગાર કહેવા.
૨. લપાતા અહીં ત્રીજી વિભક્તિ પંચમીના અર્થમાં હોવાથી પંચમી લખી છે. લેપકૃત પાણી તે ઓસામણ, આમલી અને દ્રાક્ષનાં પાણી સમજવાં. આ છએ આગારમાં વા શબ્દ મૂક્યો છે તેથી એકથી બીજા ભેદનું અધિકપણું બતાવેલ છે એટલે કે લેપકૃત કરતાં અપકૃત સારૂં. તે કરતાં ત્રણ ઉભરાએ ઉકાળેલ સારૂં એમ યથાયોગ્ય જણવું એ છમાંથી ગમે તે પ્રકારનું જળ એકાસણાદિ પચ્ચકખાણવાળાને વાપરી શકાય તે માટે આ આગારો છે.
૩. અપકૃતાઢા અપકૃત પાણી તે લેપ વગરનું કાંજી પ્રમુખનું ધાવણ કે છાશની આછ વગેરે સમજવું.
૪. અચ્છા અચ્છ એટલે નિર્મળ જળ તે ત્રણ ઉકાળાથી ઉકાળેલું ઉષ્ણ જળ અથવા ફળાદિનું ધોવણ જાણવું.
૫. બહુલે પાદ્રા બહુલેપ એટલે ચોખા પ્રમુખનું ધોવણ.
૬. સસિકથા આટાથી ખરડાયેલ હાથ કે વાસણનું ધોવણ જેમાં આટાના રજકણ પણ આવી જાય છે.
૭. અસિકથાકા આટાથી ખરડાયેલ હાથ અથવા વાસણનું ધોવણ જેમાં આટાના રજકણ આવે નહિ એવું ગાળેલું ધોવણનું પાણી.
૮. એ કલઠાણ (એકસ્થાન)નું પચ્ચકખાણ કરવું હોય ત્યારે આઉટણપસારેણં એ આગાર વર્જીને બીજા બધા આગાર એકાસણા પ્રમાણે લેવા. આ પચ્ચકખાણમાં જમણો હાથ અને મુખ સિવાયના બધા અંગોપાંગ સ્થિર રાખવા અને જમતી વખતે જ ઠામ ચૌવિહાર કરવો.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૫૪
આયંબિલનું પચ્ચખાણ ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, મુક્રિસહિઅંપચ્ચકખાઈ, ઉગ્ગએ સૂરે ચઉવિલંપિ આહારં, અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણું, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં || આયંબિલ પચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્યસંસણ, ઉફિખત્તવિવેગેણં, પારિદ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, એગાસણું પચ્ચકખાઈ તિવિહંપિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણપસારેણં, ગુરુઅમ્મુટ્ટાણેણં, પારિદ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થણ વા, અસિત્થણ વા, વોસિરઇ.
ઇતિ આયંબિલનું પચ્ચખાણ
* JI તપમાં ૮૦ તિગત વિનાનો નિ
JI.I
upવાનો છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૫૫ તિવિહાર ઉપવાસનું સૂરે ઉગ્ગએ, અલ્પત્તરું પચ્ચકખાઈ તિવિલંપિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ટાવણિયાગારેણં, મહત્તરાગારેણું સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણહાર પોરિસિ, સાઢ પોરિસિ, મુક્રિસહિપચ્ચકખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્વેણ વા, વોસિરઈ.
ઇતિ તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ
ચઉવિહાર ઉપવાસનું સૂરે ઉગ્ગએ, અન્મત્તઢું પચ્ચખાઈ ચઉવિહંપિ, આહારં, અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિદ્રાવણિયા
* ઉપવાસ કરનારને આગળ પાછળ એકાસણું હોય અથવા આગળની રાત્રિએ ચૌવિહાર અને પછી નમુક્કારસી હોય તો અહીં ચઉત્પત્તિ અલ્પત્તરું એ પાઠ લેવાનો છે. બે ઉપવાસવાળાને છઠ્ઠભાં ત્રણવાળાને અઠ્ઠભd એ પ્રમાણે પાઠ લેવાનો જાણવો. તે પછી દરેક ઉપવાસ બબે ભક્ત વધારેનું પચ્ચકખાણ જાણવું.
૧. પોરિસી આદિ જે પચ્ચકખાણ છે ત્યાં સુધી પાણીના આહારનું પચ્ચકખાણ કરું છું. ૨. અભક્તાર્થ એટલે જમવાનું જેમાં નથી તે ઉપવાસ. ૩. સાંજે પચ્ચકખાણ લેવાનું હોય ત્યારે આ આગાર ન લેવો.
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૫૬
ગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં,
વોસિરઇ.
ઇતિ ચઉવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ.
સાંજનાં પચ્ચક્ખાણ 'પાણહારનું પચ્ચક્ખાણ પાણહાર, દિવસચરિમ, પચ્ચક્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું વોસિરઇ.
ચઉવિહારનું પચ્ચક્ખાણ
દિવસચરમ, પચ્ચક્ખાઇ, ચઉવિહંપિ, આહાર, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ વોસિરઇ.
તિવિહારનું પચ્ચક્ખાણ દિવસરિમં, પચ્ચક્ખાઈ, તિવિહંપિ, આહાર,
૧. બિયાસણ, એકાસણ, આયંબિલ અને તિવિહાર ઉપવાસ કરનારને સાંજે પ્રતિક્રમણમાં આ પચ્ચક્ખાણ લેવાનું છે. પ્રતિક્રમણ ન કરે તેમને પણ ઉક્ત વ્રતોમાંનું કોઈ કર્યું હોય તો લેવાનું છે.
૨. દિવસનો બાકીનો ભાગ રહ્યો ત્યારથી આખી રાત્રિ પર્યંત પાણી તથા આહારનો ત્યાગ કરૂં છું.
૩. અહીં અલ્પ આયુષ્ય બાકી હોય અને ચારે આહારનો ત્યાગ કરવો હોય તો ભવરમં એ પદ કહેવું.
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૫૭ અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, વોસિરઇ.
દુવિહારનું પચ્ચકખાણ દિવસચરિમ, પચ્ચકખાઈ, દુવિલંપિ, આહાર, અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરઈ.
દેશાવગાશિકનું પચ્ચખાણ દેસાવગાસિયું, ઉપભોગ, પરિભોગં, પચ્ચફખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ.
શ્રી પાક્ષિક ખામણા.* ઈચ્છામિ ખમાસમણો!"પિયંચમે અંભે!હટ્ટાણું, * ચૌદ અગર ઓછા નિયમ ધારનારને આ પચ્ચખાણ લેવાનું છે. ૧.દેશાવકાશિક સર્વવ્રતોનો થોડો અવકાશ એટલે અમુક અમુક વસ્તુ વાપરવા સિવાય બીજા ભોગોપભોગ યોગ્ય પદાર્થનો ત્યાગ કરું છું. અહીં એકલી દિશિના નિયમ રાખનારને ઉપભોગ પરિભોગ પાઠ કહેવાનો નથી. ૨. આહાર, વિલેપનાદિ એકવાર ભોગવવા યોગ્ય પદાર્થો તે ઉપભોગ. ૩. સ્ત્રી, આભરણ, વસ્ત્ર વગેરે વારંવાર ભોગવાય તે પરિભોગ. ૪. આ ખામણાં પફિખ, ચોમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં મુનિ મહારાજ બોલે છે, મુનિરાજ ન હોય ત્યારે શ્રાવકો ખામણાને બદલે નવકાર બોલી છેલ્લું પદ બોલે છે.
૫. જેમ રાજાના નોકરો માંગલિક કાર્ય કર્યા બાદ રાજાને ખબર પૂછી નમસ્કાર કરે છે તેમ આ સૂત્રવડે શિષ્યો પોતાના ગુરુ મહારાજને માંગલિક
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૫૮
તુટ્ઠાણું, અપ્પાયંકાણું, અભગ્ગજોગાણું, સુસીલાણું, સુવ્વયાણં, સાયરિયઉવજ્ઝાયાણં, નાણેણં, દંસણેણં, ચરિત્તેણં, તવસા, અપ્પાણં, ભાવેમાણાણું બહુસુભેણ ભે ? દિવસો પોસહો પક્ષો વઇક્કતો ? અન્નો ય ભે ! કલ્લાણેણં પર્જોવટ્ટિઓ ? સિરસા મણસા મત્થએણ વંદામિ. ૧.
--
અર્થ :- હે ક્ષમાશ્રમણ ! મને પ્રિય છે (જે પૂછું તે મારા અંતઃકરણને પ્રિય છે) જે કારણ માટે હર્ષ યુક્ત, સંતુષ્ટ, રોગ રહિત, અભગ્ન સંયમ યોગવાળા, ઉત્તમ બ્રહ્મચર્યવાળા, સુંદર મહાવ્રતવાળા, આચાર્ય-ઉપાધ્યાય સહિત એવા, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વડે પોતાના આત્માને ભાવતા એવા આપનો પર્વરૂપ દિવસ અને પક્ષ; બહુ શુભ પ્રકારે વ્યતિક્રમ્યો છે ? તેમજ આપનો બીજો પર્વ કે પક્ષરૂપ દિવસ કલ્યાણ વડે ઉપસ્થિત થયો છે ? એ પ્રકારે માંગલિક વાક્યનું ઉચ્ચારણ કરીને મસ્તક અને મન વડે નમસ્કાર કરૂં છું. ૧. ઇચ્છામિ ખમાસમણો ! પુલ્વિ ચેઇયાઇ વંદિત્તા નમંસિત્તા તુÇ ં પાયમૂલે વિહરમાણેણં જે કેઇ બહુ દેવસિયા, સાહુણો દિટ્ટા, સમાણા વા, વસમાણા
રીતે દિવસ-૫ક્ષાદિ પસાર થયાનું પૂછે છે અને નમસ્કાર કરે છે. એથી ગુરુનો વિનયોપચાર થાય છે.
* અહીં ગુરૂ મહારાજતુબ્સેહિં સમં એટલે કે શિષ્ય ! તારી સાથે અમે પણ અનુવંદના કરીએ છીએ, એમ કહે છે. આ વચન કહેવાથી શિષ્યને અત્યંત હર્ષ થાય છે અને ગુરૂ પ્રત્યે ભક્તિભાવ પ્રગટે છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૫૯ વા, ગામાણુગામ દુઇજ઼માણા વા, રાયણિયા સંપુચ્છિતિ, ઓમરાણિયા વંદંતિ, અર્જાયાવંદતિ, અજ્જિયાઓ વંદંતિ, સાવયા વંતિ, સાવિયાઓ વંદંતિ, અહંપિનિયલ્લો નિક્કસાઓ તિકફ્ટ સિરસા માણસા મત્યએણવંદામિ. ૨.
અર્થ - હે ક્ષમાશ્રમણ ! ઇચ્છું છું - પૂર્વકાળે ચેત્યો (જિનબિંબો)ને વંદન કરીને, નમસ્કાર કરીને તમારા ચરણકમળમાં (તમારી સાથે) વિહાર કરતાં જે કોઈ બહુ દિવસના દીક્ષા પર્યાયવાળા સાધુઓ મેંદીઠા, તેમાં જંઘાબળ ક્ષીણવાળા મુનિઓ, નવકલ્પ વિહાર કરનારા મુનિઓ, ગ્રામાનુગ્રામ વિચરનારા સાધુઓમાં રત્નાધિકને વંદન કરતાં તેમણે તમને સુખસાતા પૂછી છે. આપ કરતાં ઓછા પર્યાયવાળા આચાર્યોએ વંદના કરી છે, સાધુઓ તમને વાંદે છે, સાધ્વીઓ વાંદે છે, શ્રાવકો વાંદે છે, શ્રાવિકાઓ વાંદે છે. હું પણ નિઃશલ્ય (શલ્ય રહિત) અને નિકષાય (કષાય રહિત) થઈને મસ્તક વડે અને મનવડે તમને નમસ્કાર કરું છું. ૨.
ઈચ્છામિ ખમાસમણો ! ઉવક્રિઓહ તુમ્ભણહ, સંતિએ અહાકપું વા, વત્થ વા, પડિગ્રહવા, કંબલ વા, પાયપુચ્છર્ણ વા, રયહરણ વા, અખરવા, પર્ય વા, ગાહ વા, સિલોગ વા, સિલોગદ્ધ વા, અટું વા, હેલું વા, પસિર્ણ વા, વાગરણ વા, તુમેહિં ચિત્તેિણે
૧. અહીં ગુરુ મહારાજ અહમવિ વંદામિ ચેઇઆઇ એ વચન કહે છે એટલે હું પણ પ્રભુપ્રતિમાને વંદન કરું છું આ ખામણાથી ચૈત્યવંદન તથા ગુરૂવંદન થાય છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૬૦ દિન્નમએ અવિણએણે પડિચ્છિઅં; તસ્સ મિચ્છા મિ દુક્કડં. ૩.
અર્થ - હે ક્ષમાશ્રમણ ! હું ઇચ્છું , ઉપસ્થિત થયો છું, તમારા સંબંધી યથાકધ્ય એવું વસ્ત્ર, પાત્ર, કાંબળ, રજોહરણ અને અક્ષર, પદ, ગાથા, શ્લોક, અર્થ, હેતુ, પ્રશ્ન અથવા વ્યાકરણ (ઉત્તર) એ સર્વ તમોએ તો મને પ્રીતિપૂર્વક આપ્યું છતાં મેં અહંકારાદિવડે અવિનયથી ગ્રહણ કર્યું હોય તેનો મિચ્છા મિ દુક્કડ દઉં છું. ૩.
ઈચ્છામિ ખમાસમણો ! અહમપુથ્વાઈ ક્યાઈ ચા મેકિઈકમ્માઈ, આયારમંતરે, વિણયમંતરે, સેહિઓ, સેહાવિયો, સંગઠિઓ, ઉવગતિઓ, સારિઓવારિઓ, ચોઈપડિચોઈઓ, ચિઅત્તા મેપડિચોયણા, અભુઠ્ઠિઓહ, તુલ્મહે તવતેઅસિરીએ ઈમાઓ ચાઉરંતસંસારકંતારાઓ સાહઠ નિWરિસ્સામિ તિકઠું સિરસા મણસા મથએણે વંદામિ. ૪.
અર્થ - હે ક્ષમાશ્રમણ ! આચાર સંબંધી દોષવાળા, વિનય સંબંધી દોષવાળા, પૂર્વે મેં કરેલ એવા અપૂર્વ કૃતિકર્મો (શુદ્ધ) કરવાને હું ઇચ્છું છું. આપે મને શિક્ષા આપી છે, શિક્ષા અપાવી
૧. અહીં ગુરૂ આયરિયસતિયું એટલે એ સઘળું આચાર્યજી મહારાજને આધીન છે; એમ કહે છે. આ વચનથી ગુરૂ મહારાજ પોતાનું નિરાલંકારપણું સૂચવે છે અને તેથી પોતાના ગુરૂ ઉપર ભક્તિભાવ પ્રગટ થાય છે. આ ત્રીજા ખામણાથી શિખે કરેલા અવિનયાદિ અપરાધનો મિથ્યા-દુષ્કૃત દેવાય છે. - ૨. અહીં ગુરૂ-નિત્થારગ પારગા હોહ-હે શિષ્ય ! તું સંસારથી પાર પામનારો થા. એમ કહે છે. આ ગુરૂનું આશીર્વચન જાણવું આ ચોથા ખામણાથી ગુરૂના ઉપકારને યાદ કરી ગુરૂનું બહુમાન થાય છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૬૧ છે, શિષ્યપણે ગ્રહણ કર્યો છે, જ્ઞાનાદિ, વસ્ત્રાદિ વડે ઉપગ્રહિત કર્યો છે, સારણા, વારણા, ચોયણા, પડિચોયણા કરી છે, પ્રીતિવડે મને વારંવાર પ્રેરણા કરી છે તેથી હું તમારા સન્મુખ ઉઘુક્ત થયો છું, અને તમારી તપ રૂપ તેજલક્ષ્મી વડે હું આ ચારગતિ રૂપ સંસાર અટવી થકી કષાયાદિ સંતરીને વિસ્તાર પામીશસંસારસમુદ્રનો પાર પામીશ ! એ હેતુથી મસ્તકે કરીને અને મને કરીને નમસ્કાર કરું છું.
અષ્ટપ્રકારી પૂજાના દુહા જવણ વિલેપન કુસુમની, ધૂપ દીપ મનોહાર; અખંડ અક્ષત નૈવેદ્યની, અષ્ટમી ફળ સુવિચાર. ૧. ભાવ-સ્તવને કારણે; દ્રવ્ય-સ્તવ અધિકાર; કારણથી કારજ સીધે, તેણે ધુર પૂજ ઉદાર. ૨. ઇણી પેરે જલપૂજા કરી, કરીએ અપ્પા શુદ્ધ; માને છીણું જે એહમાં, જાણો તેહ અબુદ્ધ. ૩. હવે કરવા ગુણવાસના, અસંખ્યાત પ્રદેશ; ચંદનની પૂજા કરો, આણી ભાવ વિશેષ. ૪. પૂજા ને પરિણામ દોઉ, કરો ચંદનકી રીત; શીતળતા ને સુગંધતા, જિમ ભાંજે ભવભીત. ૫. હવે ત્રીજી સુમનસ તણી, પૂજા અતિહિ ઉદાર; સુમનસ સુખ જીણથી લહે, તિણે સુમનસ પ્રકાર. ૬. પ્રણિધાને સદ્ગતિ હોએ, પૂજ્ય કિમ નવી હોય; સુમનસ ભાવે દુર્ગતા), પૂજા પંચાશક જોય. ૭. ૧. એકાગ્રભાવે. ૨. ચોકખાભાવે. ૩. દુર્ગતા (ગરીબ) નારી, ભગવાન્ મહાવીર દેવને વંદન-પૂજન કરવા જતાં માર્ગમાં જ આયુષ્ય ક્ષયે વી ચોકખા ભાવથી સદ્ગતી પામી.
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૬૨ હુતાશનથી કાષ્ઠ કું, તિમ ધ્યાનાનલે કર્મ; તિણે મિષે ધૂપપૂજા કરો, પામો ક્યું શિવશર્મ. ૮. ઇણીપરે ધૂપ પૂજા કરી, જિન આગળ શુભ ભાવ; ટાળી વિભાવની પરિણતિ, દૂર કરો પરભાવ. ૯. જગપ્રદીપ પુર દીપ શુભ, કરતાં ભાવો એહ; અવરાણું જે અનાદિનું, જ્ઞાન લાહો નિજ તેહ. ૧૦. કેવળનાણ પઇવશું, જર્યું લહે લોકાલોક; હું પૂજા દ્રવ્યદીપથી, કરતાં શિવ ફળ રોક. ૧૧. હવે અક્ષતપૂજા કરો, શાલિ વ્રીહિ ગોધૂમ; ઉજ્વળ પ્રભુ પર ઢોઈને, ટાળો મોહકી ધૂમ. ૧૨. અક્ષય ફળ લેવા ભણી, અક્ષત પૂજા ઉદાર; ઈહ ભવ પણ નવિ ક્ષય હોવે, રાજ ઋદ્ધ ભંડાર. ૧૩. હવે નૈવેદ્ય નિવેદના, કીજે જીમ હલીરાય; ભવનિર્વેદ” પ્રભુ મુખે, માગો અવિચળ ઠાય. ૧૪. કર્તા ભોક્તા મુજ નહિ, પુગલ ભાવનો જીવ; તિણે પુદ્ગલની ત્યાજના, કરતાં શર્મ સદેવ. ૧૫. ફળપૂજા કરતાં થકાં, સફળ કરો અવતાર; ફળ માંગો પ્રભુ આગળ, તાર તાર મુજ તાર. ૧૬. જસફળ ઓપમાં જગ નહિ, પામ્યા પછી ન અંત; અવ્યાબાધ અચળ અરુજ, માગો સુખ અનંત. ૧૭.
ઇતિ અષ્ટપ્રકારી પૂજાના દુહા સંપૂર્ણ. ૧ અગ્નિ. ૨ જગદીપક શ્રી જિનેશ્વર આગળ જયણા યુક્ત (ગાયના ઘીનો) દીપ પ્રગટાવતાં. ૩ પ્રદીપ-દીપક. ૪ (અણી શુદ્ધ) શાલી-ચોખાદિ. ૫ સંસાર ઉપરથી વૈરાગ્ય.
Page #466
--------------------------------------------------------------------------
________________ 463 અથ ગૌતમાષ્ટક છંદ વીર જિણેસર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિશદીશ; જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલસે નવે નિધાન. 1. ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત હેલા સંપજે; ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. 2. જે વૈરી વિરૂઆ વંકડા, તસ નામે નાવે ટુકડા; ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમનાં કરું વખાણ. 3. ગૌતમ નામે નિર્મલ કાય, ગૌતમ નામે વાધ આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. 4. શાલ દાલ સુરહાં છૂત ગોળ, મનવંછિત કાપડ તંબોલ; ઘર સુઘરણી નિર્મળ ચિત્ત,ગૌતમ નામે પુત્ર વિનીત. 5. ગૌતમ ઉદયો અવિચળ ભાણ, ગૌતમ નામ જપો જગજાણ; મહોટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફલ વિહાણ. 6. ઘર મયગલ ઘોડાની જોડ, વારૂ પહોંચે વિંછિત કોડ; મહીયલ માને મોહોટા રાય, જો તૂઠે ગૌતમના પાય. 7. ગૌતમ પ્રણમ્યાં પાતિક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. 8. પુણ્યવંત અવધારો સહુ, ગુરુ ગૌતમમાં ગુણ છે બહુ કહે લાવણ્યસમય કરજોડ, ગૌતમ તૂઠે સંપત્તિ કોડ. 9 એકસો સિત્તેર જિન ચૈત્યવંદન સોળે જિનવર શામળા, રાતા ત્રીશ વખાણું; લીલા મરકત મણિસમા, આડત્રીશ ગુણખાણું. 1. 1. શીઘ્ર-તત્કાલ. 2 પાસે-નજદીક આવી ન શકે-પરાભવ કરી ન શકે. 3. નિશ્ચય કરી માનો.
Page #467
--------------------------------------------------------------------------
________________ 464 પીલા કંચન વર્ણ સમા, છત્રીશે જિનચંદ; શંખ વરણ સોહામણું, પચાશે સુખકંદ. 2. સીત્તેર સો જિન વંદીએ, ઉત્કૃષ્ટા સમકાલ; અજિતનાથ વારે હુવા, વંદું થઈ ઉજમાલ. 3. નામ જપતાં જિનતણું, દુરગતિ દૂર જાય; ધ્યાન ધ્યાતાં પરમાત્માનું, પરમ મહોદય થાય. 4. જિનવર નામે જશ ભલો, સફલ મનોરથ સાર; શુદ્ધ પ્રતીતિ જિનતણી, શિવસુખ અનુભવ ધાર. 5. શ્રી સિદ્ધચક્ર નમસ્કાર ચૈત્યવંદન જો ધરિ સિરિ અરિહંત, મૂલ દઢપીઠ પટ્ટિયો; સિદ્ધ સૂરિ ઉવજઝાય સાહુ, ચિહું પાસગિરિઢિયો. 1. દંસણ નાણ ચરિત્ત તવ હી, પડિસાહા સુંદર; તરફખર સરવગ્ન લદ્ધિ, ગુરૂપયદલ દુબરૂ. 2. દિસીપાલજખજખિણિ, પમુહ સુરકુસુમેહિં અલંકિયો; સો સિદ્ધચક્ક ગુરૂકપ્પતરૂ અખ્ત મનવંછિય ફલદીયો. 3. શ્રી વિશસ્થાનકનું ચૈત્યવંદન પહેલે પદે અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ; ત્રીજે પ્રવચન મન ધરો, આચારજ સિદ્ધ. 1. નમો થેરાણું પાંચમે, પાઠક ગુણ છે; નમો લોએ સવ્વસાહૂણં, જે છે ગુણગરિકે. . નમો નાણસ્સ આઠમે, દર્શન પદ ધ્યાવો; વિનય કરો ગુણવંતનો, ચારિત્ર મન ભાવો. 3.
Page #468
--------------------------------------------------------------------------
________________ 465 નમો બંભવયધારિણે તેરમે કિરિયાણું; નમો તવસ્સ ચૌદમે, ગોયમ નમો જિણાણું. 4. ચારિત્ર નાણ સુઅસ્સને એ, નમો તિસ્થસ્ય જાણી; જિન ઉત્તમ પદ પાને, નમતાં હોય સુખખાણી. 5. શ્રી પર્યુષણનું ચૈત્યવંદન પર્વ પર્યુષણ ગુણનીલો, નવ કલ્પવિહાર; ચાર માસાન્તર થીર રહે, એહીંજ અર્થ ઉદાર. 1. અષાઢ સુદ ચઉદશ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તેરમે, પડિક્કમતાં ચૌમાસ. ર.. શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુના બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભળે થઈ એક તાન. 3. જિનવર ચૈત્ય જાહારીએ, ગુરૂ ભક્તિ વિશાલ; પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીએ શિવ વરમાળ. 4. દર્પણથી નિજરૂપને, જાવે સુદૃષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાન રમણ મુનિ ભૂપ. પ. આત્મ સ્વરૂપવિલોકતાં એ, પ્રગટ્યો મિત્ર સ્વભાવ; રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. 6. નવ વખાણ પૂજી સુણો, શુકુલ ચતુર્થી સીમા; પંચમી દિન વાંચે સુણે, હોય વિરાધક નિયમા. 7. એ નહીં પર્વ પંચમી, સર્વ સમાણી ચોથે; ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. 8. શ્રુત કેવલી વયણા સુણી, લહી માનવ અવતાર શ્રી શુભવીરને શાસને, પામ્યા જય જયકાર. 9. 30
Page #469
--------------------------------------------------------------------------
________________ 466 શ્રી ચોવીશ જિન લંછન ચૈત્યવંદન ઋષભલંછન ઋષભદેવ, અજિતલંછન હાથી; સંભવલંછન ઘોડલો, શિવપુરનો સાથી. 1. અભિનંદન લંછન કપિ, ક્રૌંચ લંછન સુમતિ; પાલંછન પડાપ્રભ, વિશ્વદેવા સુમતિ. ર. સુપાર્શ્વલંછન સાથીયો, ચંદ્રપ્રભ લંછન ચંદ્ર; મગર લંછન સુવિધિ પ્રભુ શ્રીવચ્છ શીતલજિણંદ. 3. લંછન ખગ્રી શ્રેયાંસને, વાસુપૂજ્યને મહિષ; સૂવર લંછન પાયે વિમલદેવ, ભવિયા તે નમો શિષ. 4. સિંચાણો જિન અનંતને એ, વજલંછન શ્રીધર્મ, શાંતિલંછન મરગલો, રાખે ધર્મનો મર્મ. 5. કુંથુનાથ જિન બોકડો, અરિજન નંદાવર્તા મલ્લિ કુંભ વખાણીયે, સુવ્રત કચ્છપ વિખ્યાત. 6. નમિજિનને નીલો કમલ, પામીએ પંકજમાંહિ, શંખલંછન પ્રભુ નેમિજી, દીસે ઉંચે આંહિ. 7. પાર્શ્વનાથજીને ચરણે સર્પ, નીલવરણ શોભિત; સિંહલંછન કંચન તનુ, વર્તમાન વિખ્યાત. 8. એણીપેરે લંછન ચિંતવી એ, ઓલખીએ જિનરાય; જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, લહમીરતન સૂરિરાય. 9. સામાન્ય જિન ચૈત્યવંદન જય જય તું જિનરાજ આજ, મળીયો મુજ સ્વામી; અવિનાશી અકલંક રૂપ, જગ અંતરજામી. 1. રૂપારૂપી ધર્મ દેવ, આતમ આરામી; ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવલીલા પામી. 2.
Page #470
--------------------------------------------------------------------------
________________ 467. સિદ્ધ બુદ્ધ તું વંદતાં, સકળ સિદ્ધિવર બુદ્ધ; રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ ઋદ્ધ. 3. કાળ બહુ સ્થાવર ગમ્યો, ભમીયો ભવમાંહી; વિકલૈંદ્રિય માંહી વસ્યો, સ્થિરતા નહીં ક્યાંહી. 4. તિર્યંચ પંચેન્દ્રિય માંહી, દેવ કરમે હું આવ્યો; કરી કુકર્મ નરકે ગયો, તુમ દરિશન નહિ પાયો. 5. એમ અનંત કાળે કરી, પામ્યો નર અવતાર; હવે જગતારક તુંહી મળ્યો, ભવજલ પાર ઉતાર. 6. શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવનસ્વામી; અષ્ટ કર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. 1. પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભવ તણાં, પાતક સબ દહીએ. 2. ૐ હ્રીં વર્ણ જોડી કરીએ, જપીએ પાર્થ નામ; વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ઠામ. 3. અથ સિદ્ધાચલનાં ચૈત્યવંદનો જય જય નાભિનરિંદનંદ, સિદ્ધાચલ મંડણ; જય જય પ્રથમ નિણંદચંદ, ભવદુઃખ વિહંડણ. 1. જય જય સાધુ સૂરદ વંદ, વંદિએ પરમેસર; જય જય જગદાનંદ કંદ, શ્રી ઋષભ જિસેસર. 2. અમૃત સમ જિનધર્મનો એ, દાયક જગમાં જાણ; તુજ પદ પંકજ પ્રતધર, નિશદિન નમત કલ્યાણ. 3.
Page #471
--------------------------------------------------------------------------
________________ 468 (2) શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુરગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. 1. અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીરથનો રાય; પુરવ નવાણું રીખવદેવ, જ્યાં ઠવીયા પ્રભુપ્રાય. 2. સૂરજકુંડ સોહામણો, કવડજક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણો, જિનવર કરું પ્રણામ. 3. શ્રી સીમંધરસ્વામીનાં ચૈત્યવંદનો શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો; કરુણાવંત કરુણા કરી, અમને વંદાવો. 1. સકળ ભક્ત તુમે ધણી, જો હોવે અમ નાથ; ભવોભવ હું છું તાહરો, નહીં મેલું હવે સાથ. 2. સયલ સંગ છેડી કરીએ, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવરમણી વરશું. 3. એ અળજો મુજને ઘણો એ, પુરો સીમંધર દેવ; ઈહાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. 4. કર જોડીને વિનવું એ, સામો રહી ઇશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમકિત દાન. 5. શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુળે, બહુ શોભા તુમારી. 1. ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જાયો જયકારી; વૃષભ લંછને વિરાજમાન, વંદે નર નારી. 2.
Page #472
--------------------------------------------------------------------------
________________ 469 ધનુષ પાંચશે દેહડીએ, સોહીએ સોવન વાન; કતિવિજય ઉવજઝાયનો, વિનય ધરે તુમ ધ્યાન. 3. અથ બીજનું ચૈત્યવંદન દુવિધ ધર્મ જીણે ઉપદિશ્યો, ચોથા અભિનંદન, બીજે જમ્યા તે પ્રભુ, ભવદુઃખ નિકંદન. 1. દુવિધ ધ્યાન તમે પરિહરો, આદરો દોય ધ્યાન; ઈમ પ્રકાશ્ય સુમતિ જિને, તે ચવિયા બીજ દિન. 2. દોય બંધન રાગ દ્વેષ, તેહને ભવિ તજીએ; મુજ પરે શીતલ જિન કહે, બીજ દિન શીવ ભજીએ. 3. જીવાજીવ પદાર્થનું, કરો નાણ સુજાણ; બીજ દિને વાસુપૂજ્ય પરે, કહો કેવળનાણ. 4. નિશ્ચયનય વ્યવહાર દોય, એકાંતે ન ગ્રહીએ; અરજિન બીજ દિને ઍવી, એમ જિન આગળ કહીએ. 5. વર્તમાન ચોવિશીએ, હુઆ જિન કલ્યાણ; બીજ દિને કેઈ પામીયા, પ્રભુ નાણ નિર્વાણ. 6. એમ અનંત ચોવીસી એ, હુઆ બહુ કલ્યાણ; જિન ઉત્તમ પદ પાને, નમતાં હોય સુખ ખાણ. 7. અથ શ્રી જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે; ત્રિકરણયું ત્રિ લોક જન, નિસુણો મન-રાગે. 1. આરાધો ભલી ભાતમેં, પાંચમ અજાળી; જ્ઞાન આરાધન કારણે, એહજ તિથિ નિહાળી. 2.
Page #473
--------------------------------------------------------------------------
________________ 47) જ્ઞાન વિના પશુ સારિખા, જાણો એણે સંસાર; જ્ઞાન આરાધનથી લહે, શિવપદ સુખ શ્રીકાર. 3. જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ-કુસુમ ઉપમાન; લોકાલોક પ્રકાશકર, જ્ઞાન એક પરધાન. 4. જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો છે; પૂર્વ કોડી વરસા લગે, અજ્ઞાની કરે તેહ. 5. દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન જ્ઞાન તણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન. 6. પંચ માસ લઘુ પંચમી, જાવજીવ ઉત્કૃષ્ટી; પંચ વરસ પંચ માસની, પંચમી કરો શુભ દૃષ્ટિ. 7. એકાવન હી પંચનો એ, કાઉસ્સગ્ગ લોગસ્સ કેરો; ઉજમણું કરો ભાવશું, ટાળો ભવ ફેરો. 8. એણીપેરે પંચમી આરાધીએ, આણી ભાવ અપાર; વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય હો સાર. 9. શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન મહા શુદિ આઠમ દિને, વિજયાસુત જાયો; તેમ ફાગણ સુદી આઠમે, સંભવ ચવી આવ્યો. 1. ચૈતર વદની આઠમે, જમ્યા ઋષભ નિણંદ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ. 2. ૧માધવ શુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. 3. એહિજ આઠમ ઉજળી, જમ્યા સુમતિ નિણંદ; આઠ જાતિ કળશ કરી, નવરાત્રે સુર ઈદ. 4. 1 વૈશાખ.
Page #474
--------------------------------------------------------------------------
________________ 471 જમ્યા જેઠ વદી આઠમે, મુનિસુવ્રતસ્વામી; નેમ અષાડ સુદી આઠમે, અષ્ટમી ગતિ પામી. 5. શ્રાવણ વદની આઠમે, નમિ જન્મ્યા જગભાણ; તેમ શ્રાવણ સુદી આઠમે, પાસજીનું નિરવાણ. 6. ભાદરવા વદી આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પાને, સેવ્યાથી શિવવાસ. 7. શ્રી એકાદશીનું ચૈત્યવંદન શાસનનાયક વીરજી, પ્રભુ કેવળ પાયો; સંઘ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આયો. 1. માધવ સિત એકાદશી, સોમલ દ્વિજ ય; ઈદ્રભૂતિ આદે મલ્યા, એકાદશ વિજ્ઞ. 2. ૪એકાદશસે ચઉગુણો, તેનો પરિવાર; વેદ અર્થ અવળો કરે, મન અભિમાન અપાર. 3. જીવાદિક સંશય હરી એ, એકાદશ ગણધાર; વીરે થાપ્યા વંદીએ, જિનશાસન જયકાર. 4. મલ્લિ જન્મ અર મલ્લિ પાસ, વર ચરણ વિલાસી; ઋષભ અજિત સુમતિ નમિ, મલ્લિ ઘનઘાતી વિનાશી, 5. પદ્મપ્રભ શિવવાસ પાસ, ભવભવના તોડી; એકાદશી દીન આપણી, ઋદ્ધિ સઘળી જોડી. 6. દસ ક્ષેત્રે ગિહું કાલના, ત્રણશે કલ્યાણક; વરસ અગિયાર એકાદશી, આરાધો વરનાણ. 7. 1. મોક્ષ. 2. વૈશાખ શુક્લ-શુદી એકાદશીને દિવસે સોમલ નામના . વિપ્ર-બ્રાહ્મણે આરંભેલા યજ્ઞ પ્રસંગે. 3. અગિયાર વિદ્વાન (વિપ્રો). 4. ચુંમાલીસશે.
Page #475
--------------------------------------------------------------------------
________________ ૪૭ર અગિઆર અંગ લખાવીએ, એકાદશ પાઠાં; પંજણી ઠવણી વીંટણી, મશી કાગળ ને કાઠાં. 8. અગિઆર અવ્રતછાંડવાએ, વહોપડિમા અગિયાર; ખીમાવિજય જિનશાસને, સફળ કરો અવતાર. 9. શ્રી નવપદજીનું સ્તવન. સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીકેજી; વિધિપૂર્વક આરાધન કરતાં, ભવભવ પાતક છીએ. ભવીજન ભજીએજી અવર અનાદિની ચાલ, નિત્યનિત્ય તજીએજી (એ આંકણી) 1. દેવના દેવ ૧દયાકર ઠાકર, ચાકર સુર નર ઇન્દાજી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમી શ્રી જિનચંદા-ભવી૨. અજર અવિનાશી અકળ અજરામર, કેવળ દંસણનાણીજી; અવ્યાબાધ૩ અનંતું વીરજ, સિદ્ધ પ્રણમાં ગુણખાણી-ભવી) 3. વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ યોગપીઠજી; સુમેરુ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચારજ ૪ઈઢ-ભવી) 4. અંગ ઉપાંગ નંદિ અનુયોગા, છ છેદ ને મૂળ ચારજી; દસ પયજ્ઞા એમ પણયાલીસપ, પાઠક તેહના ધાર-ભવી૫. વેદ૬ ત્રણ ને હાસ્યાદિક ષટ, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અત્યંતર નવવિધ બાહ્યની, ગ્રંથી તજે મુનિરાય-ભવી) 6. ઉપશમ ક્ષય-ઉપશમ ને લાયક, દર્શન ત્રણ પ્રકારજી; શ્રદ્ધા પરિણતિ આતમકેરી, નમીએ વારંવાર-ભવી) 7. 1. દયાના ભંડાર. 2 જેને ફરી જન્મ લેવાનો નથી. 3 કશી બાધારહિત. અખંડ સુખ. 4 ઈષ્ટ (ભાવાચાર્ય). 5 પીસ્તાલીશ આગમ 6 પુરુષ, સ્ત્રી અને નપુંસક.
Page #476
--------------------------------------------------------------------------
________________ 473 અઠ્યાવીશ ચૌદ ને ષટ દુગ૭ એક, મત્યાદિકના જાણજી; એમ એકાવન ભેદે પ્રણો, સાતમે પદ વરનાણ-ભવી. 8. નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારે જી; નિગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચય શુદ્ધ પ્રકારે-ભવી૦૯. બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુજી; તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ-ભવી) 10. એ નવપદમાં પણ છે ધર્મી, ધર્મ તે વરતે ચ્યારજી; દેવ ગુરુને ધર્મતે એહમાં, દો૧૦ તીન૧૧ચાર પ્રકારનુભવી) 11. મારગદેશકનઅવિનાશીપણું૧૪,આચાર૫વિનય૧૬સંકેતજી; સહાયપણું 7 ધરતા સાધુજી, પ્રણમો એહીજ હેતે૧૮-ભવી) 12. વિમલેશ્વર સાંનિધ્ય૧૯ કરે તેહની, ઉત્તમ જે આરાધેજી; પવિજય કહે તે ભવિપ્રાણી નિજ આતમ હિત સાધે-ભવી૦૧૩. શ્રી વિશસ્થાનકનું સ્તવન. હાંરે મારે પ્રણમું સરસ્વતી માગું વચન વિલાસ જો, વિશે રે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લોલ; હાંરે મારે પ્રથમ અરિહંત પદ લોગસ્સ ચોવીશ જો, બીજે રે સિદ્ધ સ્થાનક પન્નર ભાવશું રે લોલ. 1. 7 બે. 8 અરિહંતાદિક પાંચ પરમેષ્ઠીઓ. 9 સમ્યગ્દર્શન (સમકિત) આદિ ચાર પ્રકાર. 10 અરિહંત અને સિદ્ધ તે બે દેવ. 11 આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ. 12 દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર પ્રકારનો ધર્મ જાણવો. 13 અરિહંતનો મોક્ષમાર્ગદર્શક ગુણ. 14 સિદ્ધનો અવિનાશીપણાનો ગુણ. 15 આચાર્યનો જ્ઞાનાદિક પાંચ આચાર પાળવા-પળાવવાનો ગુણ. 16 ઉપાધ્યાયનો વિનય ગુણ (જડ જેવા શિષ્યને પણ સુશિક્ષાદાનથી સુવિનીત કરે એવો ગુણ). 17 અન્ય ભવ્યાત્માઓને ધર્મમાર્ગમાં આલંબનરૂપ થવાનો ગુણ (સાધુનો). 18 એટલા માટે અરિહંતાદિકને ત્રિકરણ શુદ્ધ પ્રણામ કરવાનો છે. 19 સહાયતા કરે.
Page #477
--------------------------------------------------------------------------
________________ 474 હાંરે મારે ત્રીજે પવયણશું ગણશો લોગસ્સ સાત જો, ચઉથે રે આયરિયાણં છત્રીશનો સહી રે લોલ; હાંરે મારે ઘેરાણું પદ પાંચમે દશ ઉદાર જો, છટ્ટે રે ઉવજઝાયાણં પચવીશનો સહી રે લોલ. 2. હાંરે મારે સાતમે નમો લોએ સવ્વસાહૂણં સત્તાવીશ જો, આઠમે નમો નાણસ્સ પંચે ભાવશું રે લોલ; હાંરે મારે નવમે દરિસણ સડસઠ મનને ઉદાર જો, દશમે નમો વિણયસ્સ દશ વખાણીએ રે લોલ. 3. હારે મારે અગિયારમેનમોચારિત્તસ્સ લોગસ્સ સત્તર જો, બારમે નમો બંભસ્મ નવગુણે સહી રે લોલ; હાંરે મારે કિરિયાણું પદ તેરમે વળી પચવીશ જો, ચઉદયે નમો તવસ્સ બાર ગુણે સહી રે લોલ, 4. હાંરે મારે પંદરમે નમો ગોયમન્સ અઠ્ઠાવીશ જો, નમો જિણાણે ચઉવ્વીસ ગણશું સોળમે રે લોલ; સત્તરમે નમો ચારિત્તસ્સ લોગસ્સ સિત્તેર જો, નાણસ્સનો પદ ગણશું એકાવન અઢારમે રે લોલ. 5. હારે મારે ઓગણીશમેનમો સુઅસ્સવીશ પીસ્તાલીશજો, વીશમે નમો હિન્દુસ્ત વીશ ભાવશું રે લોલ; હાંરે મારે તપનો મહિમા ચારશે ઉપર વિશ જો, માસે એક ઓળી પૂરી કીજીએ રે લોલ. 6. હાંરે મારે તપ કરતાં વળી ગણીયે દોય હજાર જો, નવકારવાળી વીશે સ્થાનિક ભાવશું રે લોલ; હાંરે મારે પ્રભાવના સંઘ સાહષ્મીવચ્છલ્લ સાર જો, ઉજમણા વિધિ કીજીએ વિનય લીજીએ રે લોલ. 7. હાંરે મારે તપનો મહિમા કહે શ્રી વીર જિનરાય જો, વિસ્તારે ઇમ સંબંધ ગોયમ સ્વામીને રે લોલ;
Page #478
--------------------------------------------------------------------------
________________ ૪૭પ હાંરે મારે તપ કરતાં વળી તીર્થકર પદ હોય જો, દેવગુરુ ઈમ કાંતિ સ્તવન સોહામણો રે લોલ. 8. શ્રી સીમંધર જિન સ્તવન. ધન્ય ધન્ય ક્ષેત્ર મહાવિદેશજી, ધન્ય પુંડરિગિણી ગામ; ધન્ય તિહાંના માનવીજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ; સીમંધર સ્વામી કહીયે રે હું મહાવિદેહે આવીશ; જયવંતા જિનવર કહીયે રે, હું તમને વાંદીશ. 1. ચાંદલીયા સંદેશડોજી, કહેજો સીમંધર સ્વામ; ભરતક્ષેત્રના માનવજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ-સી) 2. સમવસરણ દેવે રચ્યું તિહાં, ચોસઠ ઇન્દ્ર નરેશ; સોના તણે સિંહાસન બેઠા, ચામર છત્ર ધરેશ-સી) 3. ઈન્દ્રાણી કાઢે ગણું લીજી, મોતીના ચોક પરેશ; લળી લળી લીયે લૂંછણાંજી, જિનવર દીયે ઉપદેશ-સીતા 4. એહવે સમે મેં સાંભળ્યું જી, હવે કરવા પચ્ચકખાણ; પોથી ઠવણી તિહાં કણેજી, અમત વાણી વખાણ-સી) 5. રાયને વહાલા ઘોડલાજી, વેપારીને વહાલાં છે દામ; અમને વહાલા શ્રી સીમંધર સ્વામી, જેમ સીતાને શ્રીરામ-સી૦૬. નહીં માગું પ્રભુ રાજ્ય ઋદ્ધિજી, નહીં માંગું ગરથભંડાર; હું માંગું પ્રભુ એટલુંજી, તુમ પાસે અવતાર-સી૦ 7. દેવે ન દીધી પાંખડીજી, કેમ કરી આવું હજાર; મુજરો મ્હારો માનજો જી, પ્રહ ઉગમતે સૂર-સી૮. સમયસુંદરની વિનતીજી, માનજો વારંવાર; બે કર જોડી વિનવું જી, વિનતડી અવધાર-સી૯.
Page #479
--------------------------------------------------------------------------
________________ 476 શ્રી સીમંધર જિન સ્તવન | (રૂપૈયો તે આલું રોકડો મારા વહાલાજી-એ દેશી) મનડું તે માહરૂં મોકલે, મારા વહાલાજી રે; સસહર સાથે સંદેશ, જઈને કહેજો મારા વાલાજી રે. ભરતના ભક્તને તારવા માત્ર એકવાર આવોને આ દેશ-જઈ૦ 1. પ્રભુજી વસો પુષ્કલાવતી, મા,મહાવિદેહ ક્ષેત્રમઝાર; જઈo. પુરી રાજે પુંડરિગિણી, માત્ર જિહાં પ્રભુનો અવતાર. જઈ૦ 2. શ્રી સીમંધર સાહિબા, મા વિચરંતા વીતરાગ; જઈo પડિબોહે બહુ પ્રાણીને, માત્ર તેહનો પામે કુણ તાગ. જઈ૦ 3. મન જાણે ઉડી મળું, માત્ર પણ પોતાને નહી પાંખ; જઈo. ભગવંત તુમ જોવા ભણી, માત્ર અલજો ધરે છે બેહુ આંખ. જઈ૦૪. દુર્ગમ મોટા ડુંગરા, માત્ર નદી નાળાનો નહીં પાર; જઈ૦ ઘાટીની આંટી ઘણી, માળ અટવી પંથ અપાર. જઈ૦ 5. કોડી સોનૈયે કાસીદી, માળ કરનારો નહીં કોય; જઈ૦ કાગળીયો કેમ મોકલું, મારા હોંશ તે નિત્ય નવલી હોય. જઈ૦ 6. લખું કે જે લેખમાં, મા૦ લાખ ગમે અભિલાષ; જઈ૦ તમે લેજામાં તે લાહો, મા, મુજ મન પૂરે છે સાંખ. જઈ૦ 7. લોકાલોક સરૂપનાં, માત્ર જગતમાં તમે છો જાણ; જઈo. જાણ આગે શું જણાવીએ, માટે આખર અમે અજાણ. જઈo 8. વાચક ઉદયની વિનતિ, માવ સસહર કહ્યા સંદેશ; જઈo માની લેજો માહરી, મા૦ વસતાં દૂર વિદેશ. જઈo 90 1 શશધર-ચંદ્રમા. 2 પ્રતિબોધે. 3 ડો. 4 આપ તે તરત જાણી જાઓ છો.
Page #480
--------------------------------------------------------------------------
________________ 477 શ્રી યુગમંધર જિન સ્તવન. " (મધુકરની દેશીમાં) શ્રી યુગમંધરને કેજો, કે દધિસુત વિનતડી સુણજો રે; શ્રી યુગ0 એ આંકણી કાયા પામી અતિ કુડી, પાંખ નહીં આવું ઉડી; લબ્ધિ નહિ કોયે રૂડી રે. શ્રીયુ.૦ 1. તુમ સેવામાંહી સુર કોડા, ઈહાં આવે જો એક દોડી; આશા ફળે પ તક મોડી રે. શ્રીયુગ૦ 2. દુષમ સમયમાં ઇણે ભરતે, અતિશય નાણી નવિવરતે; કહીએ કહો કોણ સાંભળતે રે. શ્રીયુગ) 3. શ્રવણ સુખીયા તુમનામે, નયણા દરિસણ નવિ પામે; એ તો ઝગડા ન ઠામે રે. શ્રીયુ.૦ 4. ચાર આંગળ અંતર રહેવું શોકલડીનીપરે દુઃખ સહેવું પ્રભુ વિના કોણ આગળ કહેવું રે. શ્રીયુગ૦પ. મોટા મેળ કરી આપે, બેહને તોલ કરી થાપે; સજ્જન જસ જગમાં વ્યાપે રે. શ્રીયુ૦ . બેહુનો એકમતો થાવે, કેવલ નાણ જુગલ પાવે; તો સવિ વાત બની આવે રે. શ્રીયુગ) 7 ગજલંછન ગજગતિગામી, વિચરે વપ્રાવિજય સ્વામી; નયરી વિજયા ગુણધામી રે. શ્રીયુગ) 8. માતા સુતારાએ જાયો, સુદઢ નરપતિકુલ આયો; પંડિત જિનવિજય ગાયો રે. શ્રીયુ.૦ 9. 1 આંખ અને કાનને ચાર આંગળનું છેટું છે, તેથી કાન શ્રીયુગમંધર સ્વામીનું નામ સાંભળે છે પણ પ્રભુ દૂર હોવાથી આંખ દેખી શકતી નથી; તેથી આંખને શોક્યની પેઠે દુઃખ થાય છે.
Page #481
--------------------------------------------------------------------------
________________ 478 શ્રી સિદ્ધાચલજીનું સ્તવન (જસોદા માવડી-એ દેશી) જાત્રા+નવાણું કરીએ, વિમલગિરિજાત્રા ન વાણું કરીએ. પૂરવ નવાણું વાર શેત્રુંજા ગિરિ, ઋષભ નિણંદ સમોસરીએ. વિમલ૦ 1. કોડિ સહસ ભવ પાતક તૂટે, શેત્રુજા સામો ડગ ભરીએ. વિમલ૦ 2. સાત છઠ દોય અઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ. વિમલ૦ 3. પુંડરીક પદ જપીયે મન હરખે, અધ્યવસાય શુભ ધરીયે. વિમલ૦ 4. પાપી અભવી ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ. વિમલ૦ 5. ભૂમિસંથારોને નારીતણો સંગ. દૂર થકી પરિહરીયે. વિમલ૦ 6. સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરુ સાથે પદ ચરીયેવિમલ૦ 7. પડિક્કમણાં ઢોયવિધિશું કરીયે, પાપ પડલ વિખરીયે. વિમલ૦ 8. કલિકાળે એ તીરથ મોહોતું, પ્રવહણ+ જિમ ભરદરિયે. વિમલ૦ 9. +નવ્વાણું યાત્રા કરનારાઓએ (અને ઉપલક્ષણથી વિધિરસિક અન્ય યાત્રાળુઓએ) યાત્રા કરતાં જે છરી પાળવી જોઈએ, તેના નામ 1 થી 6 અંક દ્વારા બતાવવામાં આવ્યાં છે. અભવી (અભવ્ય) એવા પાપી (એવો અર્થ જામ્યો છે.) + નાવ-વહાણ.
Page #482
--------------------------------------------------------------------------
________________ 478 ઉત્તમ એ ગિરિવર સેવંતાં, પદ્ય કહે ભવ તરીયે. વિમલ૦ 10. શ્રી સિદ્ધાચલજીનું સ્તવન. સિદ્ધિગિરિ ધ્યાવો ભવિકા, સિદ્ધિગિરિ ધ્યાવો; ઘર બેઠા પણ બહુ ફળ પાવો ભવિકા, બહુ ફળ પાવો; નંદીસર યાત્રાયે જે ફળ હોવે, તેથી બમણેરૂં ફળ કુંડલગિરિ હોવે. ભ0 કું૦ 1. તિગણું ચકગિરિ ચોગણું ગજદંતા, તેથી બમણેરૂ ફળ જંબૂ મહત્તા. ભ૦ જે૦ પટગણું ધાતકી ચૈત્ય જાહારે, બત્તીસ ગણેરૂં ફળ પુફખલ વિહારે. ભ૦ 50 2. તેથી શતગણું ફલ મેરુ ચૈત્ય જાહારે, સહસ ગણેરૂં ફળ સમેતશિખરે. ભ૦ સ0 લાખ ગણેરું ફળ અંજનગિરિ જાહારે, દશ લાખ ગણેરું ફળઅષ્ટાપદ ગિરનારે. ભ0 અ૦ 3. કોડિ ગણેરું ફળ શ્રી સિદ્ધાચલ ભેટે, જેમને અનાદિના દુરિત ઉમેટે, ભ૦૬૦ ભાવ અનંતે અનંત ફળ પાવે, જ્ઞાનવિમળસૂરિ એમ ગુણ ગાવે. ભ૦ એ૦ 4. શ્રી રાયણ પગલાનું સ્તવન. શ્રી આદીશ્વર અંતરયામી, જીવન જગત આધાર; શાનત સુધારસ જ્ઞાન ભરિયો, સિદ્ધાચલ શણગાર; રાયણ રૂડી રે, જિહાં પ્રભુ પાય ધરે, દેખત દુઃખ હરે; પુણ્યવંતા પ્રાણી રે, પ્રભુજીની સેવા કરેo વિમલગિરિ વંદો રે. 1.
Page #483
--------------------------------------------------------------------------
________________ 480 ગુણ અનંતા ગિરિવર કેરા, સિધ્યા સાધુ અનંત; વળી રે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવંત; ભવોભવ કેરાં રે પાતક દૂર કરે. વિમલગિરિ વંદો રે૦ 2. વાવડીયું રસકુંપા કેરી, મણિ-માણેકની ખાણ; રત્નખાણ બહુ રાજે હો તીરથ, એવી શ્રી જિનવાણ; સુખના સ્નેહી રે બંધન દૂર કરે. વિમલગિરિ વંદો રે૦ 3. પાંચ કોડિશું પુંડરિક સિધ્યા, ત્રણ કોડિશું રામ; વીશ કોડિશું પાંડવ સિધ્યા, સિદ્ધક્ષેત્ર સિદ્ધઠામ; મુનિવર મ્હોટા રે અનંતા સિદ્વિવરે. વિમલગિરિ વંદો રે૦ 4. એસો તીરથ ઓર ન જગમેં, ભાખે શ્રી જિનભાણ; દુર્ગતિ કાપે ને પાર ઉતારે (વ્હાલો), આપે કેવળનાણ; ભવજિન ભાવે રે જે એનું ધ્યાન ધરે. વિમલગિરિ વંદો રે૫. દ્રવ્ય ભાવશું પૂજા કરતાં, પૂજો શ્રી જિનપાય (જિનરાય); ચિદાનંદ સુખ આતમ વેદી, જ્યોતિસે જ્યોત મિલાય; કીરતિ એહની રે માણેક મુનિ કરે. વિમલગિરિ વંદો રે૦ 6. શ્રી આદિજિન સ્તવન (આદિ તે અરિહંત-એ રાગ) આદિ જિણંદ અરિહંતજી, પ્રભુ અમને રે; તુમે ઘો દરિશન મહારાજ, શું કહું તમને રે, આઠ પહોરમાં એક ઘડી, પ્ર૦ લાધ્યું તમારું ધ્યાન- શું 1. , મધુકરને મન માલતી, ક0 જિમ મોરને મન મેહ; શુંo સીતાને મન રામજી, પ્ર. તેમ વાધ્યો તુમશું નેહ-શું૦ 2.
Page #484
--------------------------------------------------------------------------
________________ 481 રોહિણીને મન ચંદજી, પ્ર0 વળી રેવાયે ગજરાજ; શુંo સમય સમય પ્રભુ સાંભળે, પ્ર) મનડામાં મહારાજ-શું૦ 3. નિઃસ્નેહી થઈ નવિ છૂટીયે, પ્ર0 કરુણાવંત કહાઓ; શુંo ગુણ અવગુણ જોતા રખે, પ્ર૦ તો તારક કેમ કહાઓ- શું 4. રઢ લાગી પ્રભુ રૂપની, પ્ર૦ મુને ન ગમે બીજી વાત; શું વાયે વાત બને નહીં, પ્ર0 મળીયે મૂકી બ્રાંત-શું. 5. સેવે ચિંતામણિ ફળ પ્ર) તું તો ત્રિભુવનનાથ; શું સો વાતે છોડું નહીં, પ્ર0 હવે આવ્યાં મુજ હાથ-. મુંહની વાત મૂકો પરી, પ્ર0 જિમ જાણો તિમ તાર; શુંo સહગુરુ સુંદર કવિરાયનો, પ્ર૦ પાને પ્રભુશું પ્યાર-શું૦ 7. શ્રી સુમતિજિન સ્તવન (ઝાંઝરિયા મુનિવરની - એ દેશી) સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલબિંદુ જેમ વિસ્તરેજી, જળમાંહે ભલી રીતિ; સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ. 1. સજ્જન શું જે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણોજી, મહીં માંહે મહકાય-સોભાગી 2. આંગળીએ નવિ મેરૂ ઢંકાએ, છાબડીએ રવિ તેજ; અંજલીમાંકિમચંગનમાએ, મુજ મન તિમ પ્રભુખેજ-સો૦ 3. હુઓ કિપેનહિં અધર અરુણ, જિમ ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ-સો 4. ઢાંકી ઈસુ પલાલશંજી, ન રહે લહી વિસ્તાર; વાચક યશ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર-સોપ. 1 હોઠ. 2 શેલડી. 31
Page #485
--------------------------------------------------------------------------
________________ 482 શ્રી વાસુપૂજ્યસ્વામીનું સ્તવન. (સાહેબા મોતીડો હમારો-એ દેશી) સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચોરી લીધું; સાહેબા વાસુપૂજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય એ આંકણી. અમે પણ તેમશું કામણ કરશું, ભકત્યે ગ્રહી મન ઘરમાં ધરશું. સા૦ 1. મન ઘરમાં ધરીયા ઘર શોભા, દેખત નિત્ય રહેશે સ્થિર-થોભા; મન વૈકુંઠે અકુંઠિત ભક્તિ, યોગી ભાખે અનુભવ યુફતે સા૦ 2. ફલેશે વાસિત મન સંસાર, કુલેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તો અમે નવનિધિ ઋદ્ધિ પાયા. સા૦ 3. સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભકત્યે અમ મનમાં પેઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સા૦ 4. ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ કે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર-નીરપરે તેમશું મળશું, વાચક યશ કહે હે હળશું.સાવ 5. 1 અસ્મલિત. 2 આકુળતા. 3 અંતરભેદ ટાળીશું. 4 પ્રેમે પ એકતા કરીશું.
Page #486
--------------------------------------------------------------------------
________________ 483 શ્રી શાંતિજિન સ્તવન શાંતિ જિનેશ્વર સાહેબ વંદો, અનુભવરસનો કંદો રે; મુખ મટકે લોચનને લટકે, મોહ્યા સુર નર વંદો રે. શાંતિ. 1. મંજર દેખીને કોયલ ટોકે, મેઘઘટા જેમ મોરો રે; તેમ જિનપ્રતિમા નિરખી હરખું વળી જેમ ચંદ ચકોરો રે. શાંતિ૦ 2. જિનપ્રતિમા શ્રી જિનવર ભાખી, સૂત્ર ઘણા છે સાખી રે, સુરનર મુનિવર વંદન પૂજા, કરતાં શિવ અભિલાષી રે. શાંતિ૦ 3. રાયપસણી પ્રતિમા પૂજી, સુરિઆભ સમકિત ધારી રે; જીવાભિગમે પ્રતિમા પૂજી, વિજયદેવ અધિકારી રે. શાંતિ) 4. જિનવર બિંબ વિના નવિ વંદું, આણંદજી એમ બોલે રે, સાતમે અંગે સમકિત મૂલે, અવર નહિ તસ તોલે રે. શાંતિ) 5. જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવસુખ માગે રે; રાય સિદ્ધારથે પ્રતિમા પૂજી, કલ્પસૂત્ર માંહે રાગે રે. શાંતિ૦ 6. વિદ્યાચારણ મુનિવર વંદી, પ્રતિમા પાંચમા અંગે રે; જંઘાચારણ મુનિવર વંદી, જિનપડિમા મનરંગે રે. શાંતિ) 7. આર્યસુહસ્તિસૂરિ ઉપદેશે, ચાવો સંપ્રતિ રાય રે; સવા કોડિજિનબિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માયરે. શાંતિ૦ 8. મોકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમારે રે; જાતિસ્મરણે સમકિત પામી, વરીઓ શિવસુખ સાર રે. શાંતિ૦ 9. ઇત્યાદિક બહુ પાઠ કહ્યાં છે, સૂત્ર માંહે સુખકારી રે; સૂત્રતણો એક વરણ ઉથાપે, તે કહ્યો બહુલ સંસારી રે. શાંતિ. 10. તે માટે જિન આણાધારી, કુમતિ કદાગ્રહ નિવારી રે; ભક્તિતણાં ફલ ઉત્તરાધ્યયન, બોધિબીજ સુખકારી રે. શાંતિ) 11. 1. ભગવતી સૂત્રમાં.
Page #487
--------------------------------------------------------------------------
________________ 484 એક ભવે દોય પદવી પામ્યા, સોળમા શ્રી જિનરાય રે; મુજ મનમંદિરીએ પધરાવ્યા, ધવલ મંગળ ગવરાય રે. શાંતિ 12. જિન ઉત્તમ પદરૂપ અનુપમ, કરતિ કમલની શાળા રે; જીવવિજય કવિ પ્રભુજીની ભક્તિ, કરતા મંગલમાળા રે.શાંતિ) 13. શ્રી પાર્શ્વજિન સ્તવન મોહન મુજરો લેજો રાજ, તુમ સેવામાં રહેશું; વામાનંદન જગદાનંદન, જે સુધારસ ખાણી; મુખ મટકે લોચનને લટકે, લોભાણી ઇન્દ્રાણી. મોહન, 1. ભવ પટ્ટણ ચહું દિશિ ચારે, ગતિ ચોરાસી લાખ ચઉટા; ક્રોધ માન માયા ને લોભાદિક, ચોવટીયા અતિ ખોટા. મોહન૦૨. અનાદિ નિગોદનો બંધીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક આંક્યો; મોહન) 3. ભવસ્થિતિ કર્મવિવર લઈનાઠો, પુન્ય ઉદયપણવાળો; સ્થાવર વિગલૈંદ્રિપણું ઓલંગી, પંચેદ્રિપણું લાધ્યો. મોહન) 4. માનવભવઆરજ કુલસર,વિમલબોધ મળ્યોમુજને, ક્રોધાદિ રિપુ શત્રુ વિમાસી, તેણે ઓળખાવ્યો તુજને. મોહન) પ. પાટણ માંહે પરમ દયાળુ, જગત વિભૂષણ ભેટ્યા; સત્તર બાણુ શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેટ્યા. મોહન) 6. સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું ખિમાવિજય જિન ચરણ રમણ સુખ, રાજ પોતાનું લીધું. મોહન૦ 7.
Page #488
--------------------------------------------------------------------------
________________ 485 મહાવીર સ્વામીના પંચ કલ્યાણકનું - દશ ઢાળનું સ્તવન ઢાળ પહેલી (પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત-એ દેશી) સરસ્વતિ ભગવતિદીયો મતિ ચંગી, સરસ સુરંગી વાણ; તુજ પસાય માય ચિત્ત ધરી હું, જિનગુણ રયણની ખાણ. 1. ગિરૂઆ ગુણ વિરજી, ગાઈશું ત્રિભુવન રાય; તુજ નામે ઘર મંગલમાલા, ચિત્ત ધરે બહુ સુખ થાય. ગિરૂઆ૦ 2. જંબૂઢીપે ભરત ક્ષેત્રમાંહિ, નયર માહણકુંડ ગામ; ઋષભદત્ત વર વિપ્ર વસે તિહાં, દેવાનંદા તસ પ્રિયા નામ. ગિરૂઆ૦ 3. સુર વિમાન વર પુષ્પોત્તરથી, ચવિ પ્રભુ લીયે અવતાર; તવ તે માણી રયણી મળે, સુપન લહે દશ ચાર. ગિરૂઆ૦ 4. ધૂરે મયગલ મલપતો દેખે, બીજે વૃષભ વિશાલ; ત્રીજે કેશરી લક્ષ્મી ચોથ, પાંચમે ફુલની માળ. ગિરૂઆ૦ 5. ચંદ્ર સૂર્ય ધ્વજ કલશ પમિસર, દેખે દેવ વિમાન; રયણરેહા રયણાસર રાજે, ચૌદમે અગ્નિ પ્રધાન. ગિરૂઆ૦ 6. આનંદભર તવ જાગી સુંદરી, કંતને કહે પરભાત; સુણી વિપ્ર કહે તુજ સુત હોશે, ત્રિભુવન માંહે વિખ્યાત. ગિરૂઆ૦ 7. અતિઅભિમાન કીયો મારિચિ ભવે, જાઓ જાઓ કરમવિચાર; તાત સુતા વર તિહાં થયા કુંવર, વલી નીચ કુલે અવતાર. ગિરૂઆ૦ 8. ઈણ અવસર ઇન્દ્રાસન ડોલે, નાણે કરી હરિ જોય; માહણી કુખે જગ ગુરૂ પેખે, નમી કહે અઘટતું હોય. ગિરૂઆ૦ 9.
Page #489
--------------------------------------------------------------------------
________________ 486 તતક્ષણ હરિ હરણેદ્ર તેડાવી, મોકલિયો તેણે થાય; માહણી ગર્ભ અને ત્રિસલાનો, બિહુ બદલી સુર જાય. ગિરૂઆ૦ 10. વલિ નિશિભર તે દેવાનંદા, સુપન લહે અસાર; જાણ્યે સુપનત્રિસલા કર ચઢિયા, જઈ કહેનિજ ભરતાર. ગિરૂઆ૦૧૧. કંથ કહે તું દુઃખ હર સુંદરી, મુજ મન અચિરજ હોય; મરૂલ રણમાં કલ્પદ્રુમદીઠો, આજ સંશય ટલ્યો સોય.ગિરૂઆ૦૧૨. ઢાળ બીજી નયરિ ક્ષત્રિફંડ નરપતિ, સિદ્ધારથ ભલા એ; આણ ન ખંડે રે તમ તણી, જગ જસનિર્મલો એ. 1. તસ પટરાણી ત્રિસલા સતી, કુખે જગપતિ એ; પરમ હર્ષ હિયડે ધરી, ઠવિયા સુરપતિ એ. 2. સુખ સેજે પોઢી દેવી, તો ચૌદ સુપન લહે એ; જાગતી જિન ગુણ ગાવતી, હર્ષતી ગહગહે એ. 3. રાજહંસ ગતિ ચાલતી, પિયુ કને આવતી એ; પ્રહ ઉગમતે સૂર તો, વિનવે નિજ પતિ એ. 4. વાત સુણી રાય રંજિયો, પંડિત તેડિયા એ; તેણે સમે સુપન વિચાર તો, પુસ્તક છોડીમાં એ. 5. બોલે મધુરી વાણ તો, ગુણનિધિ સુત હોશે એ; સુખ સંપત્તિ ઘરે વાધશે, સંકટ ભાંજશે એ. 6. પંડિતને રાય સુઠિયા, લચ્છી દીયે ઘણી એ; કહે એ વાણી સકલ હોજો, અમને તુમ તણી એ. 7. નિજપદ પંડિત સંચર્યા, રાય સુખે રહે એ; દેવી ઉદર ગર્ભ વાધતો, શુભ દોહલા લહે એ. 8. માત ભક્તિ જિનપતિ કરે, ગર્ભ હાલે નહીં એ; સાત માસ વાડા વોલીયા, માય ચિંતા લહીએ. 9.
Page #490
--------------------------------------------------------------------------
________________ 487 સહીયરને કહે સાંભળો,કણે મહારો ગર્ભહર્યોએ; હું રે ભોલી જાણું નહીં, ફોગટ પ્રગટ કર્યો છે. 10. સખી કહે અરિહંત સમરતાં, દુઃખદોહગ ટળે એ તવ જિન જ્ઞાન પ્રયુજીયો, ગર્ભ તે સલસલે એ. 11. માત પિતા પરિવારનું, દુઃખ નિવારિયું એ; સંયમ ન લેઉં માય તાયછતાં, જિનનિર્ધારીયું એ. 12. અણદીઠે મોહ એવડો તે, કિમ વિછોહ ખમે એ; નવ માસ વાડા ઉપરે, દિન સાડા સાતમે એ. 13. ચૈત્ર શુક્લ દિન તેરસે, શ્રીજિન જનમીઆ એ; સિદ્ધારથ ભૂપતિ ભલો, ઓચ્છવ તવ માંડિયા એ. 14. (વસ્તુની-દેશી) પુત્ર જન્મ્યો પુત્ર જનમ્યો, જગત શણગાર, શ્રી સિદ્ધારથ નૃપ કુળ તિલો, કુળમંડણ કુળતણો દીવો; શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિસલા દેવી સુત ચિરંજીવો; એમ આશીષ દીએ ભલી, આવી છપન્ન કુમારી, સૂતિકર્મ કરે તે સહી, સોહે જિસી હરિની નારી. 1. ઢાળ-ત્રીજી ચહ્યું રે સિંહાસન ઇન્દ્ર, જ્ઞાને નિરખતા એ; જાણી જન્મ નિણંદ, ઇન્દ્ર તવ હરખતા એ. 1. આસનથી રે ઉઠેવ, ભક્તિ હૃદયે ઘણીએ; વાજે સુઘોષા ઘંટ, સઘલે રણઝણે એ. 2. ઇન્દ્ર ભવનપતિ વીશ, વ્યંતર તણાએ; બત્રીસ રવિ શશિ દોય, દશ હરિ કલ્પના એ. 3.
Page #491
--------------------------------------------------------------------------
________________ 488 ચોસઠ ઇન્દ્ર મિલેવી, પ્રણમી કહે એ; રત્નગર્ભા જિનમાત, દુજી એસી નહીં એ. 4. જન્મમહોત્સવ કરે દેવ, સરવે આવીયા એ; માયને દેઈ નિદ્રા મંત્ર, સુત લે મેરૂ ગયા એ. 5. કંચન મણિ રે ભંગાર, ગંધોદક ભર્યા એ; કિમ સહેશે લઘુ વીર, હરિ શંકા ધરે એ. 6. વહેશે નીર પ્રવાહ, કિમ તે નામીયે એ; ન કરે નમણા સ્નાત્ર, જાણ્યું સ્વામીએ એ. 7. ચરણ અંગુઠ મેરૂ, ચાંપી નાચિયો એ; મુજ શિર પગ ભગવત, ઇમ કહી માચિયો એ. 8. ઉલટયા સાયર સાત, સરવે જલહલ્યા એ; પાયાલે નાઝિંદ્ર, સઘલા સલવલ્યા એ. 9. ગિરિવર ગુટે ટૂંક, ગડગડે ઘણું ; ત્રણ ભુવનના લોક, કંપિત લથડ્યા એ. 10. અનંત બલ અરિહંત, સુરપતિ કહે છે; મુજ મન મુરખ મૂઢ, એટલું નવિ લહે એ. 11. પ્રદક્ષિણા દેઈ ખામય, મહોત્સવ કરે એ; નાચે સુર ગાએ ગીત, પુણ્ય પોતે ભરે એ. 12. ઈણ સમે સરગની લીલ, તૃણ સમ ગણે એ; જિન મુકી માયને પાસ, પદ ગયા આપણે એ. 13. માય જાગી જાએ પુત્ર, સુરવર પૂજિયો એ; કુંડલ દોઈ દેવદુષ્ય, અમિય અંગુઠે દીયો એ. 14. જન્મમહોત્સવ કરે તાત, રિદ્ધિયે વાધીયો એ; સ્વજન સંતોષી નામ, વર્ધમાન થાપીયો એ. 15.
Page #492
--------------------------------------------------------------------------
________________ 489 ઢાળ ચોથી પ્રભુ કલ્પતરૂ પરે વાધે, ગુણ મહિમા પાર ન લાધે; રૂપે અભુત અનુપમ અકલ, અંગ લક્ષણ વિદ્યા સકલ. 1. મુખ ચંદ્ર કમલદલ નયણાં, શ્વાસ સુરભિગંધ મીઠાં વયણાં; હેમવર્ણ તનુ સોહાવે, અતિ નિરમલ નીરે નવરાવે. 2. તપ તેજે સૂર્ય સોહે, જોતાં સુર નરનાં મન મોહે; રમે રાજકુંવર શું વનમાં, માય તાયને આનંદ મનમાં. 3. પ્રભુ અતુલ મહાબલ વીર, ઇન્દ્ર સભામાંહે કહે જિન વીર; એક સુર મૂઢ વાત ન માને, આવ્યો પરખવાને રમવાને. 4. અહિં થઈ વૃક્ષ આમલિયો રાખે, પ્રભુ હાથે ઝાલી દૂર નાખે; વલી બાલકથઈ આવી રમીયો, હારી વીરને ખાંધે લઈ ગમીયો. 5. માય તાય દુઃખ ધરી કહે મિત્ર, વર્ધમાનને લઈ ગયો શત્રુ; જોતા સુર વાધે ગગનેમિથ્યાત્વી, વીરે મુઠીયેહણ્યો પડ્યોધરતી. 6. પાય નમી નામ દીધું મહાવીર, જેહવો ઇન્દ્ર કહ્યો તેહવો ધીર; સુર વલીયો ને પ્રભુ આવ્યા રંગે, માય તાયને ઉલટ અંગે. 7. (વસ્તુની દેશી) રાય ઓચ્છવ રાય ઓચ્છવ, કરે મનરંગ; લેખન શાલાએ સુત ઠવે, વીર જ્ઞાન સયલ જાણે; તવ સૌધર્મ ઈન્દ્ર આવીયા, પૂછે ગ્રંથ સ્વામી વખાણે; જેન વ્યકરણ તિહાં કિયો, આણંદે સુરરાય; વચન વદે પ્રભુ ભારતી, પંડ્યો વિસ્મય થાય. 1. ઢાળ પાંચમી યૌવન વય જિન આવિયા એ, રાયે કન્યા યશોદા પરણાવીયા એ; વિવાહ મહોત્સવ શુભ કિયા એ, સવિ સુખ સંસારનાં વિલસીમાં એ. 1.
Page #493
--------------------------------------------------------------------------
________________ 480 અનુક્રમે હુઈ એક કુંવરી એ, ત્રીસ વરસજિનરાજ લીલા કરી એ; માતા-પિતા સદ્ગતિ ગયાં એ, પછી વીર વૈરાગે પૂરિયા એ. 2. મયણરાય મનશું છતિયો એ, વીરે અથીર સંસાર મન ચિંતિયો એ; રાજરમણી ઋદ્ધિ પરિહરી એ, કહે કુટુંબને લેશું સંયમસિરી એ. 3. ઢાળ છઠ્ઠી પિતરીયો સુપાસ રે, ભાઈ નંદીવર્તન; કહે વત્સ એમ ન કીજિયે એ. 1. આગે માય તાયવિચ્છોહરે, તું વલી વ્રત લીએ; ચાંદે ખાર ન દીજિયે એ. 2. નીર વિણ જિમ મત્સ્ય રે, વીર વિના તિમ; ટલવલતું સહુ એમ કહે છે. 3. કૃપાવંત ભગવંત રે, નેહ વચને કહી; બે વરસ ઝાઝેરાં રહે છે. 4. ફાસુ લીએ અન્ન પાન રે, પરઘર નવિ જીમે; ચિત્ત ચારિત્ર ભાવે રમે એ. 5. ન કરે રાજની ચિંત રે, સુર લોકાંતિક; આવી કહે સંયમ સમે એ૦ 6. બુઝ બુઝ ભગવંત રે, છોડી વિષય સુખ; આ સંસાર વધારણો એ. 7. ઢાળ સાતમી આલે આલે ત્રિશલાનો કુંવર, રાજા સિદ્ધારથનો નંદન; દાન સંવત્સરી એ. એક કોડી આઠ લાખ દિન પ્રતે એ, કનક રયણ રૂપા મોતી તો; મૂઠીચું ભરી ભરીએ આલેઇ આલે) 1.
Page #494
--------------------------------------------------------------------------
________________ 491 ધણ કણ ગજ રથ ઘોડલા એ, ગામ નયર પુર દેશ તો; મનવાંછિત ફલ્યાં એ. નિરધન તે ધનવંત થયા એ, તસ ઘરે ન ઓળખે નારી તો, સમ કરે વલી વલી એ. આલેઇ આલે૨. દુઃખ દારિદ્ર હરે જગતતણાં એ, મેઘ પરે વરસીદાન તો, પૃથ્વી અનૃણ કરી એ. એ બહુ નર નારી ઉત્સવ જુએ એ, સુરનર કરે રે મંડાણ તો; જિન દીક્ષા વરી એ. આલેo આલેo 3. વિહાર ક્રમ જગગુરૂ કિયો એ, કેડે આવ્યો માહણ મિત્ર તો; નારી એ સંતાપિયો એ. જિન યાચક હું વિસર્યો એ, પ્રભુ બંધ થકી દેવદુષ્ય તો; પટ ખંડ કરી દીજીએ એ. આલેઇ આલે) 4. ઢાળ આઠમી (છઠ્ઠી ભાવના-ધરો-એ દેશી) જસ ઘર પ્રભુ કરે પારણું, સુર તિહાં કંચન વરસે અતિ ઘણું આંગણું દીપે તેજે તેહ તણું એ, દેવદુંદુભિ વાજે એ; તિણ નાદે અંબર ગાજે એ,છાજે એત્રિભુવનમાં સોહામણું એ. 1. (ત્રોટક) સોહામણું પ્રભુ તપ તપે બહુ, દેશ વિદેશે વિચરતા; ભવ્ય જીવને ઉપદેશ દેઈ, સાતે ઇતિ શમાવતા; ષટ માસ વન કાઉસ્સગ્ન રહી, જિન કઠીન કર્મ દહે સહી; ગોવાળ ગોકુલ ભળાવીયા, વીર મુખે બોલ્યા નહીં. 2. (ઢાળ) ગોકુલ સવિ દહ દિશિ ગયા, તિણે આવી કહે મુનિ, કિહાં ગયા ઋષિરાય, ઉપર. મૂરખ કોપીયા એ,
Page #495
--------------------------------------------------------------------------
________________ 492 ચરણ ઉપર રાંધી ખીર, તેણે ઉપસર્ગે ન ચલ્યા ધીર; મહાવીર શ્રવણે ખીલા ઠોકીયા એ. 3. - (ત્રોટક) ઠોકીયા ખીલા દુઃખે પીત્યા, કો ન લહે ઉતમ કરી ગયા; જિનરાયને મન શત્રુ મિત્ર સરિખા, મેરૂ પરે ધ્યાને રહ્યા; ઉનહી વરસે મેઘ બારે, વીજળી ઝબકે ઘણી; બેઉ ચરણ ઉપર ડાભ ઊગ્યો, ઈમ સહે ત્રિભુવન ધણી. 4. (ઢાળ) ઇક દિન ધ્યાન પૂરું કરી, પ્રભુ નયરીયે પહોતા ગોચરી, તિહાં વૈદ્યશ્રવણે ખીલા જાણીયાએ, પારણું કરી કાઉસ્સગ્ગ રહ્યા; તિહાં વેલ્વે સંચ ભેલા કીયા, બાંધીયા વૃક્ષે દોર ખીલા તાણીયાએ. 5. (ત્રોટક) તાણી કાઢચા દોય ખીલા, વીર વેદના થઈ ઘણી; આક્રંદ કરતાં ગિરિ થયો, શતખંડ જાઓ ગતિ કરમ તણી; બાંધે રે જીવડો કર્મ હસતાં, રોવંતાં છૂટે નહિં; ધન્ય ધન્ય મુનિવર રહે સમચિત્ત, ઈમ કર્મ ગુટે સહી. 6. ઢાળ નવમી જુઓ જુઓ કરમે શું કીધું રે, અન્ન વરસરૂષભે ન લીધું રે; કરમ વશે મ કરો ખેદ રે, મલ્લિનાથ પામ્યા સ્ત્રીવેદ રે. 1. કર્મે ચક્રી બ્રહ્મદત્ત નડીયો રે, સુભૂમ નરકે એ પડિયો રે; ભરત બાહુબલ શું લડીયો રે, ચક્રિ હરિરાય જસ ચડિયો રે. 2. સનસ્કુમારે સહ્યા રોગ રે, નલ દમયંતી વિયોગ રે; વાસુદેવને જરાકુંવરે માર્યો રે, બલદેવ મોહનીયે ધાર્યો રે. 3. ભાઈ શબ મસ્તકે વહીયો રે, પ્રતિબોધ સુર મુખે લહિયો રે; શ્રેણિક નરક એ પહુત રે, વન ગયા દશરથ પુત રે. 4.
Page #496
--------------------------------------------------------------------------
________________ 493 સત્યવંત હરિશ્ચંદ્ર ધીર રે, ડુંબ ઘરે શીર વહ્યું નીર રે; કુબેરદત્તને કુયોગ રે, બેન વલી માતાજું ભોગ રે. 5. પર હસ્ત ચંદનબાલા રે, ચર્ચે સુભદ્રાને આલ રે; મયણરેહા મૃગાંકલેખા રે, દુઃખ ભોગવ્યાં તે અનેકા રે. 6. કરમે ચંદ્ર કલંક્યો રે, રાય રંક કોઈ ન મુક્યો રે; ઈન્દ્ર અહલ્યા શું લુબ્બો રે, રત્નાદેવી ઇશ વશ કીયો રે. 7. ઈશ્વર નારીયે નચાવ્યો રે, બ્રહ્મા ધ્યાનથી મુકાવ્યો રે; અહો અહો કર્મ પ્રધાન રે, જીત્યા જીત્યા શ્રી વર્તમાન રે. 8. ઢાળ દશમી ઈમ કર્મ ખપાવી, ધીર પુરુષ મહાવીર; બાર વરસ તણું તપ, તે સઘળું વિણ નીર; શાલિવૃક્ષ તળે પ્રભુ પામ્યા કેવળજ્ઞાન, સમોસરણ રચ્યું સુર, દેશના દીયે જિનભાણ. 1. અપાપા નયરી, યજ્ઞ કરે વિપ્ર જેહ, સર્વ બુઝવી દીક્ષા દીયે, વીરને વંદે તેવ; ગૌતમ ઋષિ આદે, ચારસે ચાર હજાર; સહસ ચઉદ મુનીશ્વર, ગણધરવર અગ્યાર. 2. ચંદનબાલા પ્રમુખ, સાધવી સહસ છત્રીસ; દોઢ લાખ સહસ નવ, શ્રાવક દે આશીષ; ત્રણ્ય લાખ શ્રાવિકા, ઉપર સહસ અઢાર; સંઘ ચતુર્વિધ સ્થાપ્યો, ધન ધન જિન પરિવાર. 3. પ્રભુ અશોક તરૂ તલ, ત્રિગડે કરે વખાણ; સુણે પરષદા બારે, યોજન વાણી પ્રમાણ; ત્રણ છત્ર સોહે શિર, ચામર ઢાલે ઈન્દ્ર; નાટક બદ્ધ બત્રીસ, ચોત્રીસ અતિશય નિણંદ. 4.
Page #497
--------------------------------------------------------------------------
________________ 484 ફુલપગર ભરે સુર, વાજે દુંદુભિ નાદ; નમે સકલ સુરાસુર, છાંડી સવિ પ્રમાદ; ચિહું રૂપે સોહે, ધર્મ પ્રકાશ ચાર; ચોવીસમો જિનવર, આપે ભવનો પાર. 5. પ્રભુ વરસ બહોતેર, પાલી નિર્મલ આય; ત્રિભુવન ઉપગારી, તરણ તારણ જિનરાય; કાર્તિક માસે દિન, દીવાલી નિવણ; પ્રભુ મુક્ત પહોંચ્યા, પ્રણમે નિત્ય કલ્યાણ. 6. કલશ ઇમ વીર જિનવર સયલ સુખકર, નામે નવ નિધિ સંપજે, ઘર ઋદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ પામે, એક મને જે નર ભજે, તપગચ્છ ઠાકર ગુણ વૈરાગર, હીરવિજય સૂરીશ્વરો, હંસરાજ વંદે મન આણંદે, કહે ધન્ય મુજ એ ગુરૂ. 1. 2. શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવનું પાંચ ઢાળનું સ્તવન. દોહા શ્રી શુભવિજય સુગુરૂ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય. 1. સમકિત પામે જીવ તે, ભવ ગણતી એ ગણાય; જો વળી સંસારે ભમે, તો પણ મુક્ત જાય. 2. વીર જિનેશ્વર સાહિબો, ભમિયો કાળ અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયો અરિહંત. 3.
Page #498
--------------------------------------------------------------------------
________________ 45 ઢાળ પહેલી (કપુર હોયે અતિ ઉજલો રે-દેશી) પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર; કાષ્ઠ લેવા અટવી ગયો રે, ભોજન વેળા થાય રે; પ્રાણી ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગરે. પ્રાણી૧. મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોય; દાન દેઈ ભોજન કરું રે, તો વાંછિત ફળ હોય રે. પ્રાણી) 2. મારગ દેખી મુનિવરા રે, વંદે દેઈ ઉપયોગ; પૂછે કેમ ભટકો ઈહાં રે, મુનિ કહે સાથ વિજોગ રે. પ્રાણી, 3. હરખ ભરે તેડી ગયો રે, પડિલાભ્યા મુનિરાજ; ભોજન કરી કહે ચાલીએ રે, સાથ ભેળા કરૂં આજ રે. પ્રાણી, 4. પગવટીયે ભેગા કર્યારે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ, સંસારે ભૂલા ભમો રે, ભાવ મારગ અપવર્ગ રે. પ્રાણીઓ 5. દેવ ગુરૂ ઓળખાવીયા રે, દીધો વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યો સમકિત સાર રે. પ્રાણી) 6. શુભ ધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સર્ગ મોઝાર; પલ્યોપમ આયુ ચવી રે, ભરત ઘરે અવતાર રે. પ્રાણી૦ 7. નામે મરીચી યૌવને રે, સંયમ લીએ પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડીક શુભ વાસ રે. પ્રાણી૦ 8. ઢાળ બીજી (વિવાહલાની દેશી) નવો વેષ રચે તેણી વેળા, વિચરે આદીસર ભેળા; જળ થોડે સ્નાન વિશેષ, પગે પાવડી ભગવે વેષ. 1.
Page #499
--------------------------------------------------------------------------
________________ 46 ધરે ત્રિદંડ લાકડી મ્હોટી, શિર મંડણ ને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અંગે, થૂલથી વ્રત ધરતો રંગે. 2. સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે; સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ. 3. જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરીચી નામ; વિરનામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલા. 4. ચક્રવર્તી વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે; મરીચીને પ્રદક્ષિણા દેતા, નમી વંદીએ એમ કહેતા. 5. તમે પુન્યાવંત ગવાશો, હરિ ચક્રી ચરમ જિન થાશો; નવિ વંદુ ત્રિદંડિક વેશ, નમું ભક્તિયે વીર જિનેશ. 6. એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મન હર્ષ ન માવે; મ્હારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ. 7. એમ વાસુદેવ ધુર થઈશું, કુળ ઉત્તમ હારૂં કહીશું; નાચે કુળ મદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો. 8. એક દિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે; ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક. 9. દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચી લીયો પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. 10. તુમ દરશને ધરમનો વહેમ, સુણી ચિંતે મરીચી એમ; મુજ યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો. 11. મરીચી કહે ધર્મ ઉભયમાં, લીએ દીક્ષા જોવન વયમાં એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર. 12. લાખ ચોરાસી પૂરવ આય, પાળી પાંચમે સ્વર્ગે સિધાય; દશ સાગર જીવિત ત્યાંહી, શુભ વીર સદા સુખ માંહી. 13.
Page #500
--------------------------------------------------------------------------
________________ 497 ઢાળ ત્રીજી (ચોપાઈની દેશી) પાંચમે ભવ કોલ્લાગ સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ; એંસી લાખ પુરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી. 1. કાળ બહુ ભમીયો સંસાર, ધૃણાપુરી છઠ્ઠો અવતાર; બહોંતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડિક વેષ ધરાય. 2. સૌધર્મે મધ્ય સ્થિતિએ થયો, આઠમે ચૈત્ય સન્નિવેશે ગયો; અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડી, પૂર્વ આયુ લાખ સાઠે મુઓ. 3. મધ્યસ્થિતિએ સુર સ્વર્ગઇશાન, દશમે મંદિરપુર દ્વિજ ઠાણ; લાખ છપ્પન પૂરવાપુરી, અગ્નિભૂતિ ત્રિદંડિક મરી. 4. ત્રીજે સરગ મધ્યાયુ ધરી, બારમે ભવ શ્વેતાંબી પુરી; પુરવ લાખ ચુમ્માલીસ આય, ભારદ્વિજ ત્રિદંડિક થાય. 5. તેરમે ચોથે સ્વર્ગે રમી, કાલ ઘણો સંસારે ભમી; ચઉદને ભવ રાજગૃહી જાય, ચોત્રીસ લાખ પૂર્વને આય. 6. થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સ્વર્ગે મરીને ગયો; સોળમે ભવ ક્રોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય. 7. સંભૂતિ મુનિ પાસે અણગાર, દુક્કર તપ કરી વરસ હજાર; માસખમણ પારણું ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા. 8. ગાયે હણ્યા મુનિ પડિયા વશા, વિશાખાનંદી પિરિયોહસ્યા; ગૌશૃંગ મુનિ ગર્વે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી. 90 તપબળથી હોજ્યો બળ ધણી, કરી નિયાણું મુનિ અણસણી; સત્તરમે મહાશુક્ર સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા. 10. 32
Page #501
--------------------------------------------------------------------------
________________ 498 ઢાણ ચોથી (નદી યમુના કે તીર, ઉડે દોય પંખીયાં-દેશી) અઢારમેં ભવે સાત સુપને સૂચિત સતી, પોતનપુરીએ પ્રજાપતિ રાણી મૃગાવતી; તસ સુત નામે ત્રિપૃષ્ટ વાસુદેવ નીપજ્યા; પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા. 1. વીશમે ભવ થઈ સિંહ ચોથી નરકે ગયા, તિયાંથી આવી સંસારે ભવ બહુળા થયા; બાવીસમે નર ભવ લહી પુણ્ય દશા વર્યા, ત્રેવીશમે રાજધાની મુકાએ સંચર્યા. 2. રાય ધનંજય ધારણી રાણીએ જનમિયા, લાખ ચોરાશી પૂરવ આયુ જીવિયા; પ્રિય મિત્ર નામે ચક્રવર્તી દીક્ષા લહી, કોડી વરસ ચારિત્ર દશા પાળી સહી. 3. મહાશુક્ર થઈ દેવ ઇણે ભરતે ચવી, છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી; ભદ્રા માય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્ર દીક્ષા આચરી. 4. અગિયાર લાખને એંસી હજાર છસ્સે વળી, ઉપર પીસ્તાલીસ અધિક પણ દિન ફળી; વિશ સ્થાનક માસક્ષમણે જાવજીવ સાધતા, તીર્થકર નામકર્મ તિહાં નિકાચતા. 5. લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા, છવીશમે ભવ પ્રાણત કલ્પ દેવતા; સાગર વીસનું જીવિત સુખભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો હવે. 6.
Page #502
--------------------------------------------------------------------------
________________ 499 ઢાળ પાંચમી (ગજરામારૂજી ચાલ્યા ચાકરી રે -એ દેશી) નયર માહણકુંડમાં વસે રે, મહારિદ્ધિ રૂષભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે. પેટ૦ 1. વ્યાસી દિવસને અંતરે રે, સુર હરિગમેષી આય; સિદ્ધારથ રાજા ઘરે રે, ત્રિસલા કુખે છટકાય રે. ત્રિસલા૦ 2. નવ માસાંતરે જનમિયા રે, દેવ દેવીયે ઓચ્છવ કીધ; પરણી યશોદા જોવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. નામેo 3. સંસાર લીલા ભોગવી રે, ત્રીસ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે આ કેવળીરે, શિવ વહુનું તિલકશિર દીધરે. શિવ૦ 4. સંઘ ચતુર્વિધ થાપીયો રે, દેવાનંદા રૂષભદત્ત પ્યાર; સંયમ દેઇ શિવ મોકલ્યાં રે, ભગવતી સૂત્રે અધિકાર રે. ભગ0 પ. ચોત્રીસઅતિશય શોભતારે, સાથે ચઉદસહસઅણગાર; છત્રીસ સહસ તે સાધવી રે, બીજો દેવ દેવી પરિવાર રે. બીજO 6. ત્રીસ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહોતેર વરસનું આયખુંરે, દીવાળીયે શિવપદ લીધરે. દીવાળી) 7. અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદિ અનંત નિવાસ; મોહરાય મલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશરે. તન૦ 8. તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ; તો અમને સુખીયા કરો રે, અમે ધરીયે તમારી આશરે. અમે૦૯. અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરૂ ઉપદેશ લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીયે કુમતિનો લેશ રે. નવિ૦ 10. મોટાનો જે આસરો રે, તેથી પામીએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે. શુભ૦ 11.
Page #503
--------------------------------------------------------------------------
________________ પ00 કળશ ઓગણીશ એકે (1901) વરસછેકે, પૂર્ણિમા શ્રાવણ વરો; મેં થણ્યો લાયક વિશ્વનાયક, વર્લૅમાન જિનેશ્વરો; સંવેગ રંગ તરંગ ઝીલે, જસ વિજય સમતા ધરો; શુભવિજય પંડિત ચરણ સેવક, વીરવિજય જય જય કરો. 1. શ્રી વીરજિન સ્તવન. (ભોલીડા હંસારે વિષય ન રાચીએ-એ દેશી.) સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે નાટક નાચિયો, હવે મુજ દાન દેવરાવ. હવે મુજ પાર ઉતાર. સિદ્ધા) 1. ત્રણ રતન મુજ આપો તાતજી, જેમ નાવે રે સંતાપ; દાન દેયંતા રે પ્રભુ કોસકિસી, આપો પદવી રે આપ. સિદ્ધા૦ 2. ચરણ અંગુઠે રે મેરુ કંપાવીયો, મોડ્યાં સુરનાં રે માન; અષ્ટકર્મના રે ઝગડા જીતવા, દીધાં વરસી રે દાન. સિદ્ધા૦ 3. શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ધારથનો રે વંશ દીપાવીયો, પ્રભુજી તમે ધન્ય ધન્ય. સિદ્ધા૦ 4. વાચકશેખર કીર્તિવિજય ગુરુ, પામી તાસ પસાય; ધર્મતણા એહ જિન ચોવીશમા, વિનયવિજય ગુણ ગાય. સિદ્ધા૫. શ્રી મહાવીર જિન સ્તવન (કડખાની દેશી) તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે; દાસ અવગુણભર્યો જાણી પોતા તણો દયાનિધિ દીન પર દયા કીજે. તાર૦ 1. 1 સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર. 2 કસર-લોભ. 3 ગરીબ.
Page #504
--------------------------------------------------------------------------
________________ 501 રાગ દ્વેષે ભર્યો મોહ વેરી નડ્યો, લોકની રીતમાં ઘણું ય રાતો; ક્રોધ વશ ધમધમ્યો શુદ્ધગુણ નવિરમ્યો, ભમ્યો ભવમાંહિ હું વિષય માતો તાર૦૨. આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિના, તેહવો કાર્યતિણે કો ન સિધો. તાર૦ 3. સ્વામી દર્શન સમોનિમિત્તલહી નિર્મલો, જો ઉપાદાન એ શુચિ ન થાશે; દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો, સ્વામિસેવા સહી નિકટ લાશે. તાર૦ 4. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દરિસણ 4 શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ જીતી વસે મુક્તિધામે. તાર૦પ. જગત વત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો; તારજો બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે જોશો. તાર૦ 6. વિનતિ માનજો શક્તિ એ આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાધી સાધકદશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. તાર૦ 7. 1 આસક્ત થયો. 2 વિષયસુખમાં મસ્ત થયેલ. 3 લાવશે. 4 દર્શન-સમકિત.
Page #505
--------------------------------------------------------------------------
________________ પ૦ર શ્રી વિરપ્રભુનું દીવાલીનું સ્તવન. મારગદેશક મોક્ષનો રે, કેવળજ્ઞાન નિધાન; ભાવદયા સાગર પ્રભુ રે, પર ઉપગારી પ્રધાનો રે; વીરપ્રભુ સિદ્ધ થયા, સંઘ સકલ આધારો રે; હવે ઇણ ભારતમાં, કોણ કરશે ઉપગારો રે. વીર૦ 1. નાથ વિહૂણું સૈન્ય ક્યું રે, વીર વિહૂણો રે સંઘ; સાધે કોણ આધારથી રે; પરમાનંદ અભંગો રે. વીર. 2. માતા વિહૂણો બાળ ક્યું રે, અરહો પરહો અથડાય; વીર વિહૂણા જીવડા રે, આકુલ વ્યાકુલ થાય રે. વીર. 3. સંશયછેદક વીરનો રે, વિરહ તે કેમ ખમાય; જે દીઠે સુખ ઉપજે રે; તે વિણ કેમ રહેવાય રે. વીર૦ 4. નિર્ધામક ભવસમુદ્રનો રે, ૨ભવાટવી સત્યવાહ; તે પરમેશ્વર વિણ મલે રે, કેમ વાધે ઉત્સાહ રે. વીર૦ 5. વીર થકાં પણ શ્રુતતણો રે, હતો પરમ આધાર; હવે ઈહાં શ્રુત આધાર છે રે, અહો જિનમુદ્રા સાર રે. વર૦ 6. ત્રણ કાળે સવિ જીવને રે, આગમથી આણંદ; સેવો ધ્યાવો ભવિજના રે, જિન પડિયા સુખકંદો રે. વિર૦ 7. ગણધર આચારજ મુનિ રે, સહુને ઇણીપરે સિદ્ધ; ભવ ભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધ રે. વી૨૦ 8. અથ શ્રી પજુસણ પર્વનું સ્તવન. (આંખડીએ મેં આજ શેત્રુજો દીઠો રે - એ દેશી) સુણજો સાજન સંત પાસણ આવ્યાં રે, તમે પુન્ય કરો પુન્યવંત ભવિક મન ભાવ્યાં રે. (આંકણી). 1 તારક. 2 સંસાર-અટવીનો પાર પમાડનાર સાર્થવાહ.
Page #506
--------------------------------------------------------------------------
________________ પ૦૩ વીર જિPસરઅતિઅલવેસર, વહાલા મારાપરમેશ્વર એમ બોલે, પર્વમાંહે પજુસણ મોટા, અવર ન આવે તસ તોલે રે. પશુઓ 1. ચૌપદમાં જેમ કેસરી મોટો, વાળ ખગમાં ગરૂડતે કહીએ રે; નદીમાંહે જેમ ગંગા મરોટી, નગમાં મેરૂ લહીએ રે. પશુO 2. ભૂપતિમાં ભરતેસર ભાખ્યો, વાળ દેવમાંહે સુરઇન્દ્ર રે; તીરથમાં શેત્રુંજો દાખ્યો, ગ્રહગણમાં જેમ ચંદ્ર રે. પશુo 3. દશેરા દીવાળી ને વળી હોળી, વા૦ અખાત્રીજ દીવાસો રે; બળેવ પ્રમુખ “બહુલાંછે બીજાં પણ નહિ મુક્તિનો વાસો રે. પશુ0 4. તે માટે તમે અમર પળાવો, વા૦ અઠ્ઠાઈ મહોત્સવ કીજે રે; અઠ્ઠમ તપ અધિકાઈએ કરીને, નરભવ લાહો લીજે રે. પશુo પ. ઢોલ દદામા ભેરી નફેરી, વા૦ કલ્પસૂત્રને જગાવો રે; ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની ટોળી મળી આવો રે. પશુ0 6. સોના રૂપાને ફૂલડે વધાવો, વાળ કલ્પસૂત્રને પૂજો રે; નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી ધ્રુજે રે. પા૦ 7. એમ અઠ્ઠાઈનો મહોત્સવ કરતાં, વા બહુ જીવ જગ ઉદ્ધરિયા રે, વિબુધ વિમળવર સેવકએહથી, નવનિધિઋદ્ધિસિદ્ધિ વરિયારે.પજા૮. શ્રી પાંચ કારણનું સ્તવન દુહા સિદ્ધારથ સુત વંદિયે, જગદીપક જિનરાજ; વસ્તુતત્ત્વ સવિ જાણિયે, જસ આગમથી આજ. 1. સ્યાદ્વાદથી સંપજે, સકલ વસ્તુ વિખ્યાત; સપ્તભંગી રચના વિના, બધ ન બેસે વાત. 2. 1 આકાશમાં ઉડતા પક્ષી. 2 પર્વત. 3 રાજા. 4 દેવતાઓનો રાજાઈન્દ્ર. 5 બહોળાં. 6 પર્વો લૌકિક.
Page #507
--------------------------------------------------------------------------
________________ 504 વાદ વદે નય જૂજુઆ, આપ આપણે ઠામ; પૂરણ વસ્તુ વિચારતાં, કોઈ ન આવે કામ. 3. અંધ પુરૂષે એહ ગજ, ગ્રહી અવયવ એકેક; દૃષ્ટિવંત પુરૂષે એહ ગજ, અવયય મળી અનેક. 4. સંગતિ સકલ નયે કરી, જુગતિ યોગ શુદ્ધ બોધ; ધન્ય જિનશાસન જગ જયો, જિહાં નહિ કિશ્યો વિરોધ. પ. ઢાળ પહેલી કાળવાદ (રાગ-આશાવરી) શ્રી જિનશાસન જગજયકારી, સ્યાદ્વાદ શુદ્ધ રૂપ રે; નય એકાંત મિથ્યા નિવારણ, અકલ અભંગ અનૂપ રે. શ્રી.૦ 1. કોઈ કહે એક કાળતણે વશ, સકળ જગત ગતિ હોય રે; કાળે ઉપજે કાળે વિણસે, અવર ન કારણ કોય . શ્રી. 2. કાળે ગર્ભ ધરે જગ વનિતા, કાળે જન્મે પુત્ત રે; કાળે બોલે કાળે ચાલે, કાળે ચાલે ઘરસુત્ત રે. શ્રી૦ 3. કાળે દૂધ થકી દહીં થાય, કાળ-ફળ પરિપાક રે; વિવિધ પદારથ કાળ ઉપજાવે, કાળે સહુ થાય ખાખ રે. શ્રી 4. જિન ચોવીશ બાર ચક્રવર્તી, વાસુદેવ અને બલદેવ રે; કાળે કલિત કોઈ ન દીસે, જસુ કરતા સુર સેવ રે. શ્રી પ. ઉત્સર્પિણી અવસર્પિણી આરા, એ જુઈ જઈ ભાત રે, ષટઋતુ કાળ વિશેષવિચારો, ભિન્ન ભિન્ન દિન રાત રે. શ્રી૬. કાળે બાળવિલાસ મનોહર, યૌવન કાળા કેશ રે; વૃદ્ધ પણે પળી વપુ અતિ દુર્બલ, શક્તિ નહિ લવલેશ રે. શ્રી) 7.
Page #508
--------------------------------------------------------------------------
________________ પીપ ઢાળ બીજી સ્વભાવવાદ (ગિરૂઆ ગુણ વીરજી-દેશી) તવ સ્વભાવવાદી વિદેજી, કાળ કિસ્યુ કરે રંક; વસ્તુ સ્વભાવે નીપજેજી, વિણસે તિમજ નિઃશંક. સુવિવેક વિચારી, જાઓ જુઓ વસ્તુ સ્વભાવ. એ આંકણી) 1. છતે યોગ જોબનવતીજી, વાંઝણી ન જણે બાળ; મુછ નહિ મહિલા મુખેજી, કરતલ ઉગે ન વાળ. સુ9 ર. વિણ સ્વભાવ નવી નીપજેજી, કેમ પદારથ કોય; આંબ ન લાગે લીંબડેજી, બાગ બસને જોય. સુ૦ 3. મોરપિંછ કુણ ચિત્તરેજી, કોણ કરે સંધ્યારંગ; અંગ વિવિધ સવિ જીવનાંજી, સુંદર નયન કુરંગ. સુ૦ 4. કાંટા બોર બબુલનાંજી, કોણે અણીયાલા કીધ; રૂપ રંગ ગુણ જાજાઆજી, તરુફલ ફૂલ પ્રસિદ્ધ. સુ૦ 5. વિષધર મસ્તકનિત્યવસેજી, મણિહરે વિષ તતકાલ; પર્વત સ્થિર ચલ વાયરોજી, ઉર્ધ્વ અગ્નિ જ્વાલ. સુ૦ 6. મસ્ય તુંબ જળમાં તરેજી, બૂડે કાગ પહાણ; પંખી જાત ગયણે ફિરેજી, ઇણીપરે સયલ વિનાણ. સુ) 7. વાયુ સુંઠથી ઉપશમેજી, હરડે કરે વિરેચ; સીઝે નહિં કણ કાંગડુજી, શક્તિ સ્વભાવ અનેક. સુ૦ 8. દેશ વિશેષ કાષ્ઠનાંજી, ભૂમિમાં થાય પહાણ; શંખ અસ્થિનો નીપજેજી, ક્ષેત્ર સ્વભાવ પ્રમાણ. સુ0 9. રવિ* તાતો શશી શીતલોજી, ભવ્યાદિક બહુ ભાવ; છએ દ્રવ્ય આપ આપણાંજી, ન તજે કોઈ સ્વભાવ. સુ૦ 10. * ઉષ્ણ
Page #509
--------------------------------------------------------------------------
________________ પ૦૬ ઢાળ ત્રીજી ભવિતત્વતાવાદ (કપૂર હોય અતિ ઉજળો રે-એ દેશી) કાળ કીસ્યુ કરે બાપડોજી, વસ્તુ સ્વભાવ અકજ્જ; જ નવિહોયે ભવિતવ્યતાજી, તો કેમ સીઝે કર્જ રે. પ્રાણી! મ કરો મન જંજાળ, ભાવિભાવ નિહાળ રે. પ્રાણીઓ 1. જલનિધિ તરે જંગલ ફરેજી, કોડિજતન કરે કોય; અણભાવી હોવે નહીંછ, ભાવી હોય તે હોય રે. પ્રાણી૨. આંબે મોર વસંતમાંજી, ડાળે ડાળે કઈ લાખ; કઈ ખર્યા કેઈ ખાખટીજી, કેઈ આધા કેઈ શાખશે. પ્રાણી) 3. બાઉલજેમ ભવિતવ્યતાજી, જિણ જિણ દિશિ ઉજાય; પરવશ મન માણસ તણુંજી, તૃણ જેમ પૂઠે ધાય રે. પ્રાણી) 4. નિયતિવશે વિણ ચિંતવ્યું, આવી મળે તતકાળ; વરસા સોનું ચિતવ્યુંજી, નિયતિ કરે વિસરાળ રે. પ્રાણી૫. બ્રહ્મદત્ત ચક્રી તણાંજી, નયણ હણે ગોવાલ; દોય સહસ જસ દેવતાજી, દેહ તણા રખવાલ રે. પ્રાણી૬. કોકુહો કોયલ કરેજી, કેમ રાખી શકે પ્રાણ; આહેડી શર તાકિયોજી, ઉપર ભમે સીંચાણ રે. પ્રાણી, 7 આહેડી નાગે ડસ્પોજી, બાણ લાગ્યો સીંચાણ; કોકુહો ઉડી ગયો છે, જુઓ જુઓ નિયતિ પ્રમાણ રે. પ્રાણી, 8. શસ્ત્ર હણ્યાં સંગ્રામમાંજી, રાને પડ્યા જીવંત; મંદિરમાંથી માનવજી, રાખ્યા નહીં રહંત રે. પ્રાણી) 9. 1 નકામો. 2 કાર્ય. 3 સમુદ્ર.
Page #510
--------------------------------------------------------------------------
________________ પ૦૭ ઢાળ ચોથી કર્મવાદ (રાગ મારૂણી-મનોહર હીરજી રે-એ દેશી) કાળ સ્વભાવ નિયત મતિ કૂડી, કર્મ કરે તે થાય; કર્મે નિરય તિરય નર સુરગતિજી, જીવ ભવાંતરે જાય. ચેતન ચેતીયે રે, કર્મસમો નહીં કોય. ચેતન૦ 1. કમેં રામ વસ્યા વનવાસે, સીતા પામે આલ; કર્મે લંકાપતિ રાવણનું, રાજ થયું વિસરાલ. ચેતન૦ 2. કમેં કીડી કમેં કુંજર, કમેં નર ગુણવંત; કર્મે રોગ શોક દુઃખ પીડિત, જન્મ જાય વિલપંત. ચેતન) 3. કમેં વરસ લગે રિસહસર, ઉદક ન પામે અન્ન; કર્મે વિરને જાવો યોગમાં રે, ખીલા રોપ્યા કન્ન. ચેતન૪. કર્મે એક સુખપાલે બેસે, સેવક સેવે પાય; એક હય ગય રથ ચઢ્યા ચતુર નર, એક આગળ ઉજાય. 20 5. ઉદ્યમ માની અંધ તણી પરે, જગ હીંડે હા હૂતો; કર્મબલી તે લહે સકળ ફળ, સુખકર સેજે સૂતો. ચેતન 6. ઉંદર એકે કીધો ઉદ્યમ, કરંડીયો કરકાલે; માંહે ઘણા દિવસનો ભૂખ્યો, નાગ રહ્યો દુઃખ ડોલે. ચેતન૦ 7. ૧વિવર કરી મૂષક તસ મુખમાં, દિયે આપણો દેહ; માર્ગ લઈ નાગ વન પધાર્યા, કર્મ મર્મ જાઓ એહ. ચેતન૦ 8. ઢાળ પાંચમી ઉદ્યમવાદ સકલ ઉદ્યમવાદી ભણે એ, એ ચારે અસમર્થ તો; સકલ પદારથ સાધવા એ, એક ઉદ્યમ સમર્થ તો. 1. 1. કાણું પાડી
Page #511
--------------------------------------------------------------------------
________________ પ૦૮ ઉદ્યમ કરતા માનવી એ, શું નવિ સીઝે કાજ તો? રામે રાયણાયર તરી એ, લીધું લંકા રાજ્ય તો. ર. કરમ નિયત તે અનુસરે એ, જેહમાં શક્તિ ન હોય તો; ‘દેઉલ વાઘ મુખે પંખીયાએ, પિયુ પેસતા જોય તો. 3. વિણ ઉદ્યમ કિમ નીકળે એ, તિલ માંહેથી તેલ તો ઉદ્યમથી ઉંચી ચઢે એ, જુઓ એકેંદ્રિય વેલ તો. 4. ઉદ્યમ કરતાં એક સમે એ, જેહનવિ સીઝે કાજ તો; તે ફરી ઉદ્યમથી હુવે એ, જો નવિ આવે વાજ તો. 5. ઉદ્યમ કરી ઓર્યા વિના એ, નવિ રંધાયે અન્ન તો; આવી ન પડે કોલીઓ એ, મુખમાં પાખે જન્નતો. 6. કર્મ પુત્ર ઉદ્યમ પિતા એ, ઉદ્યમ કીધાં કર્મ તો; ઉદ્યમથી દૂર ટળે એ, જુઓ કર્મનો મર્મ તા. 7. દઢપ્રહારી હત્યા કરી એ, કીધાં પાપ અનંત તો; ઉદ્યમથી ષટ માસમાં એ, આપ થયા અરિહંત તો. 8. ટીપે ટીપે સર ભરે એ, કાંકરે કાંકરે પાળ તો; ગિરિ જેહવા ગઢ નીપજે એ, ઉદ્યમ શક્તિ નિહાલ તો. 9. ઉદ્યમથી જલબિંદુઓ એ, કરે પાષાણમાં ઠામ તો; ઉદ્યમથી વિદ્યા ભણે એ, ઉદ્યમે જોડે દામ તો. 10. ઢાળ છઠ્ઠી (એ છીંડી કહાં રાખી-એ દેશી) એ પાંચે નવ વાદ કરતા, શ્રી જિનચરણે આવે; અમિયરસ જિનવાણી સુણીને, આનંદ અંગ ન માવે રે પ્રાણી! સમકિતમતિ મન આણો, નય એકાંત મ તાણો રે પ્રાણી ! તે મિથ્યામતિ જાણો રે પ્રાણી સમ૦ 1 એ આંકણી. 1. 1 સમુદ્ર-રત્નાકર. 2. દેરાસર ઉપર કોરી કાઢેલા વાઘના મુખમાં 3. યત્ન-પ્રયત્ન કર્યા વગર
Page #512
--------------------------------------------------------------------------
________________ 509 એ પાંચે સમુદાય મળ્યા વિણ, કોઈ કાજ ન સીઝે; અંગુલીયોગે કરતણી પરે, જે બુઝે તે રીઝે રે પ્રાણી ! સમ) 2. આગ્રહ આણી કોઈ એકને, એહમાં દીજે વડાઈ; પણ સેના મિલી સકલ રણાંગણ, જીતે સુભટ લડાઈરે પ્રાણી. સમ૩. તંત સ્વભાવે પટ ઉપજાવે, કાળક્રમે રે વણાય; ભવિતવ્યતા હોય તો નિપજે, નહીં તો વિન ઘણાંય રે પ્રાણી. સમ) 4. તંતુવાય ઉદ્યમ ભોકતાદિક, ભાગ્ય સકલ સહકારી; એમ પાંચે મળી સકલ પદારથ, ઉત્પત્તિજાઓવિચારી રેપ્રાણી. સમ૦૫. નિયતિ વશે હલુકરમો થઈને, નિગોદ થકી નીકળીયો; પુણ્ય મનુજમવાદિ પામી, સદ્ગુરુને જળ મળીયો રે પ્રાણી. સમ૦ 6. ભવસ્થિતિ પરિપાક થયો તવ, પંડિતવિર્ય ઉલ્લસીયો; ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઈને વસીયોરેપ્રાણી. સમ૦૭. વદ્ધમાન જિન એણીપરે વિનયે, શાસન નાયક ગાયો; સંઘ સકલ સુખ હોયે જેહથી, સ્યાદ્વાદ રસ પાયો રે પ્રાણી! સમ૦ 8. કળશ ઇમ ધર્મનાયક મુક્તિદાયક, વીર જિનવર સંથો ; સયસત્તર સંવત વહ્રિલોચન, વર્ષ હર્ષ ધરી ઘણો; શ્રી વિજયદેવસૂરદ પટધર, શ્રી વિજયપ્રભુમુણાંદ એ; શ્રી કીરિવિજયવાચકશિષ્ય એણી પરે, વિનય કહે આનંદ એ. સમ્યકત્વરત્ન વિના સર્વ ક્રિયા નકામી. (રાગ-વેલાવલ) જબ લગે સમકિત રત્નકું, પાયા નહિ પ્રાણી; તબ લગેનિજ ગુણ નવિ વધે, તરુવિણજિમખાણી. જબ૦ 1. તપ સંયમ કિરિયા કરો, ચિત્ત રાખો ઠામ; દર્શન વિણ નિષ્ફળ હોવે, જિમ વ્યોમે ચિત્રામ. જબ૦ 2.
Page #513
--------------------------------------------------------------------------
________________ 510 સમકિત વિરહિત જીવને, શિવસુખ હોવે કેમ? વિણ હેતે કાર્ય ન નીપજે, મૃદન વિણ ઘટ એમ. જબ૦ 3. પરંપર કારણ મોક્ષકો, એ છે સમકિત મૂળ; શ્રેણિક પ્રમુખ તણી પરે, હોય સિદ્ધિ અનુકૂળ. જબ૦ 4. ચારે અનંતાનુબંધીયા, ત્રિક દર્શન મોહ; જ્ઞાન કહે જે ક્ષય કરે, વંદું તેહ જીતકોહ૫. જબ૦ 5. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મનમોહના જિનરાયા, સુરનર કિન્નર ગુણ ગાયા રે. મન૦ જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી રે. મન૦ 1. મટકાનું મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવમ રે; મન, સમતારસ કેરાં કચોલાં, નયણાં દીઠે રંગરોલાં રે. મન૦ 2. હાથ ન ધરે હથીયાર, નહિ જપમાલાનો પ્રચાર રે; મન, ઉસંગે ન ધરે વામા‘, જેહથી ઉપજે સવી કામારે. મન૦ 3. ન કરે ગીતનૃત્યના ચાળા, એતો પ્રત્યક્ષનટનાખ્યાલારે, મન, ન બજાવે આપે વાજાં, ન ધરે વસ્ત્ર જીરણ સાજા રે. મન, 4. ઇમ મૂરતિ તુજ નિરૂપાધી, વીતરાગપણે કરી સાધીરે; મન કહે માનવિજય°ઉવઝાયા, મેંઅવલંબ્યા તુજ પાયારે. મન9૫. ભાવ મંદિર સમકિત દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડલ ગયાં દૂર રે; માતા મરૂદેવીનો લાડલોજી, દીઠો આનંદ પૂર રે. સમકિત) 1. 1 માટી. 2 કુંભ. 3 અતિ આકરા ક્રોધાદિ. 4 સમકિત મોહનિય, મિશ્ર મોહનિય અને મિથ્યાત્વ મોહનિય. 5 કષાય રહિત. 6 નાશ પામી દૂર થઈ. 7 ખોળામાં. 8 સ્ત્રી. 9 કામવિકારો. 10 ઉપાધ્યાય. 11 ચરણ.
Page #514
--------------------------------------------------------------------------
________________ 511 આયુવર્જિત સાતે કર્મનીજી, સાગર કોડાકોડી હીન રે; સ્થિતિ પ્રથમ કરણે કરીજી, વીર્ય અપૂર્વ મોગર લીન રે. સમ0૨. ભુંગળ ભાંગી આકષાયનીજી,મિથ્યાત્વમોહની સાંકળ સાથરે; બાર ઉઘાડયાં શમ સંવેગનાંજી, અનુભવ ભવને બેઠા નાથ રે. સમ૦ 3. તોરણ બાંધ્યાં જીવદયા તણાંજી, સાથીયો પૂર્યો શ્રદ્ધા રૂપ રે; ધૂપઘટાપ્રભુ ગુણ અનુમોદનાજી, દીપ મંગળ આઠ અનૂપરે. સમ૦ 4. સંવર પાણીએ અંગ પખાળીએજી, કેશર ચંદન ઉત્તમ ધ્યાન રે; આત્મચિ મૃગમદ મહમહેજી, પંચાચાર કુસુમ પ્રધાન રે. સમ૦૫ ભાવે પૂજો રે પાવન આત્માજી, પૂજો પરમેસર પરમ પવિત્ર રે; કારણ જોગે કારજ નીપજેજી, સમાવિજય જિન આગમ રીતે રે. સમ0 6. શ્રી સીમંધર સ્વામીની સ્તુતિઓ 1. શ્રી સીમંધર જિનવર, સુખકર સાહિબ દેવ; અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ; સકલાગમ પારગ, ગણધર ભાષિત વાણી; જયવંતી આણા, જ્ઞાનવિમળ ગુણખાણી. 1, 2. મહાવિદેશક્ષેત્રમાં સીમંધર સ્વામી, સોનાનું સિંહાસનજી; રૂપાનાં ત્યાં છત્ર બિરાજે, રત્નમણિના દીવા દીપેજી; કુંકુમવરણી ત્યાં ગહેલી બિરાજે, મોતીના અક્ષત સારાજી; ત્યાં બેઠા સીમંધરસ્વામી, બોલે મધુરી વાણીજી; કેસર ચંદન ભર્યા કચોળાં, કસ્તુરી બરાશેજી; પહેલી તે પૂજા અમારી હોજો, ઉગમતે પ્રભાતેજી. 1.
Page #515
--------------------------------------------------------------------------
________________ પ૧૨ શ્રી શત્રુંજયતીર્થની થોયો 1. પુંડરિકમંડન પાય પ્રણમીજે, આદીશ્વર જિનચંદાજી; નેમિ વિના ત્રેવીસ તીર્થકર, ગિરિ ચઢયા આનંદાજી; આગમમાંહિ પુંડરિક મહિમા, ભાખ્યો જ્ઞાન દિગંદાજી; ચૈત્રી પુનમ દિન દેવી ચકકેસરી, સૌભાગ્ય દ્યો સુખકંદાજી. 1. - 2. વિમલાચલ મંડન, જિનવર આદિ જિણંદ; નિર્મમ નિર્મોહી, કેવલજ્ઞાનદિણંદ; જે પૂર્વ નવાણું, આવ્યા ધરી આણંદ; શત્રુંજય શિખરે, સમવસર્યા સુખકંદ. 1. 3. શ્રી સિદ્ધાચલ મંડન, ઋષભનિણંદ દયાળ; મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રાણ કાળ; એ તીરથ જાણી, પૂર્વ નવાણું વાર; આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. 1. શ્રી સિદ્ધચક્રજીની થોયો શ્રી સિદ્ધચક્ર સેવો સુવિચાર, આણી હૈડે હર્ષ અપાર; જેમ લહો સુખ શ્રીકાર, મન શુદ્ધ નર્વ ઓળી કીજે; અહોનિશ નવપદ ધ્યાન ધરીને, જિનવર પૂજા કીજે; પડિક્કમણાં દોય ટંકનાં કીજે, આઠે થોયે દેવ વાંદીજે; ભૂમિ સંથારો કીજે, મૃષા તણો કીજે પરિહાર; અંગે કશીલ ધરીને સાર, દીજે દાન અપાર. 1. 1 શ્રી પુંડરિકગિરિના અલંકારરૂપ. 2 કેવળજ્ઞાન દિવાકર કેવલી મહારાજ. 3 સારી સમજ મેળવી. 4 દિનરાત (સદાય). 5 જૂઠ બોલવાનો ત્યાગ કરવો. 6 શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું.
Page #516
--------------------------------------------------------------------------
________________ 513 અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વ સાધુ વંદીએ; દર્શન જ્ઞાન ગુણીજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીએ; અહોનિશ નવપદ ગુણણું ગણીને, નવ આયંબિલ પણ કીજે; નિશ્ચલ રાખીને મન ઇશ, જપો પદ એક એકને ઇશ; નવકારવાળી વિશ, છેલ્લે આયંબિલ પણ કીજે; સત્તરભેદી જિનપૂજા રચી, માનવભવફળ લીજે. 2. - સાતસે કુષ્ટીના રોગ નાઠા, “વહણ લઈ સંયોગ; દૂર હુવા કર્મના ભોગ, કુષ્ટ અઢારે દૂરે જાય; દુઃખ દારિદ્ર સવી દૂર પલાય, મનવંછિત ફળ થાય; નિધનીયાને દે બહુ ધન, અપુત્રીને પુત્ર રતન; જો સેવે શુદ્ધ મન, નવકાર સમો નહિ કોઈ મંત્ર; સિદ્ધચક્ર સમો નહિ કોઈ જંત્ર, સેવો ભવિયણ એકંત. 3. જો સેવ્યો મયણા શ્રીપાળ, ઉંબર રોગ ગયો તત્કાળ; પામ્યા મંગળમાળ, શ્રીપાળ પેરે જે આરાધે; તસ ઘર દિન દિન દોલત વાધે, અંતે શિવસુખ સાધે; વિમલેશ્વર જક્ષ સેવા (સાંનિધ્ય) સારે, આપદા કષ્ટ સવી દૂર નિવારે; દોલત લક્ષ્મી વધારે, મેઘવિજય કવિરાયનો શીશ; હેડે ભાવ ધરી જગશે, વિનયવિજય નિશદિશ૬. 4. શ્રી વીશસ્થાનક સ્તુતિ પૂછે ગૌતમ વીર જિગંદા, સમવસરણ બેઠા શુભ કંદા; પૂજિત અમર સુરિંદા, કેમ નિકાચ પદ જિનચંદા; કિણવિધ તપ કરતાં બહુ ફંદા, ટળે દૂરિત દંદા; તો ભાખે પ્રભુજી ગનિંદા, સુણ ગૌતમ -. વસુભૂતિ નંદા, નિર્મળ તપ અરવિંદા, વિશસ્થાનક તપ કર મહેંદા; જીમ તારક સમુદાયે ચંદા, તિમ એ તપ સવિ ઈદા. 10 1 ઉપાધ્યાયજી. 2 નવ દિવસ સુધી રસકસ વગરનું લખું ભજન એક વખત કરવું. 3 સત્તર પ્રકારી પૂજા. 4 કોઢીઆ. 5 નવહણ છાંટવાથી. 6 નિશે. 7 શિષ્ય. 8 રાત-દિન. 33
Page #517
--------------------------------------------------------------------------
________________ 514 પ્રથમ પદ અરિહંત ભણીને, બીજે સિદ્ધ પવયણ ત્રીજે; આચારજ થિર ઇવીએ, ઉપાધ્યાય ને સાધુ ગ્રહીજે; નાણ સણ પદ વિનય વહીજે, અગિઆરમેં ચારિત્ર લીજે; બંભવયધારિણે ગણીઓ, કિરિયાણં તવસ્સ કરિજે; ગોયમ જિણાણે લહજે, ચારિત્ર નાણ સુઅસ્ટ હિન્દુસ્ત કીજે; ત્રીજે ભવ તપ કરતા સુણીને, એ સવિ જિન તપ લીજે. 2. આદિ નમો પદ સઘળે ઠવીશ, બાર પંદર વળી બાર છત્રીશ; દશ પણ વિશ સગવીશ, પાંચ ને સડસઠ તેર ગણીશ; સિત્તેર નવ કિરિયા પચવીશ, બાર અઠ્ઠાવીશ ચોવીશ સત્તર એકાવન પીસ્તાલીશ, પાંચ લોગસ્સ કાઉસ્સગ્ન રહીશ; નવકારવાળી વીશ, એક એક પદે ઉપવાસજ વીશ; માસ ષટે એક ઓળી કરીશ, એમ સિદ્ધાંત જગીશ. 3. શક્તિ એકાસણું તિવિહાર, છઠ્ઠ અઠ્ઠમ માસખમણ ઉદાર; પડિક્કમણું દોય વાર, ઈત્યાદિક વિધિ ગુરુગમ ધાર; એક પદ આરાધન ભવપાર, ઉજમણું વિવિધ પ્રકાર; માતંગ યક્ષ કરે મનોહાર, દેવી સિદ્ધાર્થ શાસન સુખકાર; વિદન મિટાવણહાર, ક્ષમાવિજય જસ ઉપર પ્યાર; શુભ ભવિયણ ધર્મઆધાર, વીરવિજય જયકાર. 4. શ્રી શાંતિજિન થાય. ગજપુર અવતારા, વિશ્વસેનકુમારા; અવનિતલે ઉદાર, ચક્કવિ લચ્છી ધારા; પ્રતિદિવસ સવાર, સેવીયે શાંતિ સારા; ભવજલધિ અપારા, પામીએ જેમ પારા. 1. જિનગુણ જસમલ્લિ, વાસના વિશ્વવલ્લિ; મન સદન ચસલ્લિ, માનવંતી નિસલ્લિ;
Page #518
--------------------------------------------------------------------------
________________ 515 સકલકુશલવલિ, ફુલડે વેગ ફૂલી; દુરગતિ તસ દૂલ્લિ, તા સદા શ્રીબહૂલી. 2. જિનકથિત વિશાલા, સૂત્રશ્રેણી રસાલા; સકલસુખસુખાલા, મેળવા મુક્તિમાલા; પ્રવચનપદમાલા, દૂતિકા એ દયાલા; ઉર ધરી સુકુમાલા, મુકીયે મોહજાલા. 3. અતિ ચપલ વખાણી, સૂત્રમાં જે પ્રમાણી; ભગવતી બ્રહ્માણી, વિદનહર્તા નિર્વાણી; જિનપદ લપટાણી, કોડી કલ્યાણ ખાણી; ઉદયરતને જાણી, સુખદાતા સયાણી. 4. શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ. શંખેશ્વર પાસજી પૂજીયે, નરભવનો લાહો લીજીયે; મનવંછિત પૂરણ સુરત, જય વામાસુત અલવેસરૂ. 1. દોરાતાજિનવર અતિભલા, દોય ધોળાજિનવર ગુણનીલા; દોય નીલા દોય* શામલ કહ્યા, સોળેજિન કંચન વણ લહ્યા. 2. આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હઈડે રાખીઓ; તેહનો રસ જેણે ચાખીયો, તે હુઓ શિવસુખ સાખીયો. 3. ધરણેન્દ્ર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી; સહુ સંઘનાં સંકટ ચૂરતી, નયવિમલનાં વાંછિત પૂરતી. 4. બીજની થાય દિન સકલ મનોહર, બીજ દિવસ સુવિશેષ; રાય રાણા પ્રણમે, ચંદ્ર તણી જિહાં રેખ; 1 શ્રી પદ્મપ્રભ અને વાસુપૂજ્ય. ર શ્રી ચંદ્રપ્રભ અને સુવિધિનાથ. 3 શ્રી મલ્લિનાથ અને પાર્શ્વનાથ. 4 શ્રી મુનિસુવ્રત અને નેમિનાથ. 5 બાંકી રહેલા શ્રી ઋષભાદિક 16.
Page #519
--------------------------------------------------------------------------
________________ 516 તિહાં ચંદ્ર વિમાને, શાશ્વતા જિનવર જેહ; હું બીજ તણે દિન, પ્રણમું આણી નેહ. 1. અભિનંદન ચંદન, શીતળ શીતળનાથ; અરનાથ સુમતિજિન, વાસુપૂજ્ય શિવ સાથ; ઈત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિરવાણ; હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણ. 2. પ્રકાશ્યો બીજે, દુવિધ ધર્મ ભગવંત; જેમ વિમળ કમળ દોય, વિપુલ નયનવિકસંત; આગમ અતિ અનુપમ, જિહાંનિશ્ચય વ્યવહાર; બીજે સવિ કીજે, પાતકનો પરિહાર. 3. ગજગામિની કામિની, કમળ સુકોમળ ચીર; ચકેસરી કેશર, સરસ સુગંધ શરીર; કર જોડી બીજે, હું પ્રણમું તલ પાય; એમ લબ્દિવિજય કહે, પુરો મનોરથ માય. 4. પંચમીની થોય. શ્રાવણ શુદિ દિન પંચમીએ, જમ્યા નેમિ નિણંદ તો; શ્યામ વરણ તનુશોભતું એ, મુખ “શારદકો ચંદ તો; સહસ વરસ પ્રભુ આઉખું એ, બ્રહ્મચારી ભગવંત તો; અષ્ટ કરમ હેલે હણી એ, પહોતા મુક્તિ મહંત તો. 1. અષ્ટાપદ પર આદિજિન એ, પહોત્યા મુક્તિ મોઝાર તો; વાસુપૂજ્ય ચંપાપુરીએ, નેમિ મુક્તિ ગિરનાર તો; પાવાપુરી નગરીમાં વળી એ, શ્રીવીરતણું નિર્વાણ તો; સમેતશિખર વશ સિદ્ધ હુઆ એ, શિરવહું તેમની આણ તો. 2. 1 હાથણી જેવી ચાલવાળી. 2 કમળ જેવા સુકોમળ વસ્ત્રવાળી. 3 કેશર જેવી સરસ સુગંધી કાયાવાળી. 4 શરીર. 5 શરદ પૂર્ણિમા સંબંધી-અતિ ઉજવળ-નિર્મળ-સ્વચ્છ. 6 જોતજોતામાં જલ્દી.
Page #520
--------------------------------------------------------------------------
________________ પ૧૭ નેમિનાથ જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તો; જીવદયા ગુણવેલડી એ, કીજે તાસ જતન તાં; મૃષા ન બોલો માનવી એ, ચોરી ચિત્ત નિવાર તો; અનંત તીર્થકર એમ ભણે એ, પરિહરીએ પરનાર તો. 3. ગોમેધ નામે જક્ષ ભલો એ. દેવી શ્રી અંબિકા નામ તો; શાસન સાંનિધ્ય જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તો; તપગચ્છ નાયક ગુણનીલો એ, શ્રીવિજયસેનસૂરિરાય તો; રષભદાસ પાય સેવતાં એ, સફળ કરો અવતાર તો. 4. શ્રી અષ્ટમીની થોય. ચોવિશે જિનવર, હું પ્રણમું નિત્યમેવ; આઠમ દિન કરીએ, ચંદ્રપ્રભુની સેવ; મૂર્તિ મનમોહન, જાણે પૂનમચંદ; દીઠે દુઃખ જાયે, પામે પરમાનંદ. 1. મળી ચોસઠ ઈન્દ્ર, પૂજે પ્રભુજીના પાય; ઈન્દ્રાણી અપચ્છરા, કર જોડી ગુણ ગાય; નંદીસર દ્વીપે, મળી સુરવરની કોડ; અઠ્ઠાઈ મહોચ્છવ, કરે તે હોડાદોડ. 2. શત્રુંજય શિખરે, જાણી લાભ અપાર; ચોમાસું રહીયા, ગણધર મુનિ પરિવાર; ભવિયણને તારે, દેઈ ધર્મ ઉપદેશ; દૂધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. 3. પોસહપડિક્કમણું કરીએવ્રત પચ્ચખાણ; આઠમ દિન કરીએ, અષ્ટ કર્મની હાણ; અષ્ટ મંગલ થાયે, દિનદિન કોડ કલ્યાણ; એમ સુખ સુરિ કહે, જીવિત જન્મ પ્રમાણ. 4. 1 અસત્ય-જુઠ. 2 સેવા-ચાકરી.
Page #521
--------------------------------------------------------------------------
________________ પ૧૮ એકાદશીની થોય. એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે ને મ; કોણ કારણ એ પર્વ મોહોટું, કહો મુજશું તેમ; જિનવર કલ્યાણક અતિ ઘણાં, એકસો ને પચાસ; તેણે કારણ એ પર્વ મોહોટું, કરો મૌન ઉપવાસ. 1. અગીયાર શ્રાવક તણી પ્રતિમા, કહી તે જિનવર દેવ; એકાદશી એમ અધિક સેવો, વનગજા જીમ રેવ; ચોવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરુ ચંગ; જેમ ગંગ નિર્મલ નીર જેહવો, કરો જિનશું રંગ. 2. અગીયાર અંગ લખાવીએ, અગીયાર પાઠાં સાર; અગીયાર કવલી વીંટણાં, ઠવણી પંજણી સાર; ચાબખી ચંગી વિવિધ રંગી, શાસ્ત્રતણે અનુસાર; એકાદશી એમ ઉજવો, જેમ પામીએ ભવપાર. 3. વર કમળ નયણી કમળ વયણી કમળ સુકોમળ કાય; ભુજ દંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય; એકાદશી એમ મન વશી, ગણી હર્ષ પંડિત શિશ; શાસનદેવી વિદન નિવારો, સંઘ તણાં નિશ દિશ. 4. શ્રી પર્યુષણની થોય મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર; પર્યુષણ કેરો, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ; એ પર્વ પર્વમાં, જીમ તારામાં ચંદ. 1. નાગકેતુની પરે, કલ્પસાધના કીજે; વ્રતનિયમ આખડી, ગુરુમુખ અધિકી લીજે; 1 કૃષ્ણ વાસુદેવ. ૨રૂડી-મનોહર. ૩કમળ જેવા મુખવાળી. 4 સદાય.
Page #522
--------------------------------------------------------------------------
________________ 519 દોય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર; કર પડિક્કમણાં ધર, શિયલ અખંડિત ધાર. 2. જે ત્રિકરણ શુદ્ધિ, આરાધે નવ વાર; ભવ સાત આઠ નવ, શેષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરોમણી, કલ્પસૂત્ર સુખકાર; તે શ્રવણે સુણીને, સફલ કરો અવતાર. 3. સહુ ચૈત્ય જુહારી, ખમત ખામણાં કીજે; કરી સાહષ્મીવચ્છલ, કુગતિ દ્વારપટ દીજે; અઠ્ઠાઈ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ; ઈમ કરતાં સંઘને, શાસનદેવ સહાઈ. 4. શ્રી પર્યુષણાની થાય વરસ દિવસમાં અષાડ ચોમાસ, તેહમાં વળી ભાદરવો માસ; આઠ દિવસ અતિ ખાસ, પર્વ પાસણ કરો ઉલ્લાસ; અટ્ટાઈધરનો કરવો ઉપવાસ, પોસહ લીજે ગુરુ પાસ; વડા કલ્પનો છઠ્ઠ કરીને, તેહ તણો વખાણ સુણીજે; ચૌદ સુપન વાંચીએ, પડવેને દિન જન્મ વંચાય; ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય, વીર જિસેસરરાય. 1. બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર; વીર તણો પરિવાર, ત્રીજા દિને શ્રી પાર્શ્વ વિખ્યાત; વળી નેમિસરનો અવદાત, વળી નવ ભવની વાત; ચોવીશે જિન અંતર તેવીશ, આદિજિનેશ્વર શ્રી જગદીશ; તાસ વખાણ સુણીશ, ધવલ મંગલ ગીત, ગહુંલી કરીએ; વળી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. 2. આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણો પડતો વજડાવો; ધ્યાન ધરમ મન ભાવો, સંવત્સરી દિન સાર કહેવાય;
Page #523
--------------------------------------------------------------------------
________________ 52) સંઘ ચતુર્વિધ ભેળો થાય, બારશા સૂત્ર સુણાય; થિરાવલીને સમાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી; સાંભળજો નરનારી, આગમ સૂત્રને પ્રણમીશ; કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણીશ. 3. સત્તરભેદી જિનપૂજા રચાવો, નાટક કેરા ખેલ મચાવો; વિધિશું સ્નાત્ર ભણાવો, આડંબરશું દેહરે જઈએ; સંવત્સરી પડિક્કમણું કરીએ, સંઘ સર્વને ખમીએ; પારણે સાહમિ વચ્છલ કીજે, યથાશક્તિએ દાન દીજે; પુન્ય ભંડાર ભરીને, શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર; જસવંતસાગર ગુરુ ઉદાર, નિણંદ સાગર જયકાર. 4. શ્રી પર્યુષણની થોય પુન્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી; કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિશ નામીજી; કુંવર ગયવર બંધ ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી; સદગુરુ સંગે, ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી. 1. પ્રથમ વખાણે ધર્મસારથિપદ, બીજે સુપના ચારજી; ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકારજી; પાંચમે દીક્ષા છ શિવપદ, સાતમે જિન ત્રેવીશજી; આઠમે થિરાવળી સંભળાવી, પિઉડા પૂરો જગીશજી. ર. છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજેજી; વરસી પડિક્કમણું મુનિવંદન, સંઘ સયળ ખામીજેજી; આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજેજી; ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. 3. તીરથમાં વિમલાચળ ગિરિમાં, મેરુ મહીધર જેમજી; મુનિવરમાંહિ જિનવર મોટા, પર્વ પજુસણ તેમજી; 1 ગજરાજ. 2. સંવચ્છરી પ્રતિક્રમણ. 3. પર્વત.
Page #524
--------------------------------------------------------------------------
________________ 521 અવસર પામી સાહમિવચ્છલ, બહુપકવાન વડાઈજી; ખિમાવિજય જિન દેવી સિદ્વાઈ, દિનદિન અધિક વધાઈજી. 4. અથ ક્રોધની સજઝાય કડવા ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે કડવાં) 1. ક્રોધે કોડ પૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. કડવાં૦ 2. સાધુ ઘણો તપીયો હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશીઓ નાગ. કડવાં) 3. આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જો નવિ મળે, તો પાસેનું પરજાળે. કડવાં) 4. ક્રોધતણી ગતિ એહવી, કહે કેવળનાણી; હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી. કડવાં) 5. ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમ રસે નાહી. કડવાં) 6. અથ માનની સઝાય રે જીવ માન ન કીજીયે, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. 20 1. સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે. 202. વિનય વડો સંસારમાં, ગુણમાંહે અધિકારી રે; માને ગુણ જાએ ગળી, પ્રાણી જોજો વિચારી રે. 20 3. માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે; દુર્યોધન ગરવે કરી, અંતે સવિ હાર્યો રે. 20 4. 1. પકડી.
Page #525
--------------------------------------------------------------------------
________________ પરર સુકાં લાકડાં સારિખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે. 20 5. અથ માયાની સક્ઝાય સમકિતનું મૂળ જાણીએજી, સત્યવચન સાક્ષાતુ સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વરે. પ્રાણી ! મ કરીશ માયા લગાર. (એ આંકણી.) 1. મુખ! મીઠો જુઠો મનેજી, કૂડ કપટનો રે કોટ; જીભે તો જી જી કરે છે, ચિત્તમાંહે તાકે ચોટ રે. પ્રાણી) 2. આપ ગરજે આઘો પડે છે, પણ ન ધરે વિશ્વાસ; મનશું રાખે આંતરો છે, એ માયાનો પાશ રે. પ્રાણી) 3. જેહશું બાંધે પ્રીતડી છે, તેહશું રહે પ્રતિકૂળ; મેલ ન છંડે મનતણો જી, એ માયાનું મૂળ રે. પ્રાણી) 4. તપ કીધો માયા કરી છે, મિત્રશું રાખ્યો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજોજી, તો પામ્યા સ્ત્રીવેદ રે. પ્રાણી) 5. ઉદયરત્ન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવા તણો જી, એ મારગ છે શુદ્ધ રે. પ્રાણી, 6. અથ લોભની સઝાય તમે લક્ષણ જોજો લોભનાં રે, લોભે મુનિજન પામે ક્ષોભના રે; લોભે ડાહ્યા મન ડોલ્યા કરે રે, લોભે દુર્ધર પંથે સંચરે રે. 10 1. તજે લોભ તેહનાં લઉં ભામણાંરે, વળી પાયે નમીને કરૂં ખામણાં રે; લોભે મરજાદા ન રહે કેહની રે, તુને સંગત મેલો તેહની રે. તુ0૨. લોભે ઘર મેલી રણમાં મરે રે, લોભે ઉંચ તે નીચું આચરે રે; લોભ પાપ ભણી પગલાં ભરે રે, લોભે અકારજ કરતાંનઓસરેરે. 80 3. લોભે મનડું ન રહે નિર્મળું રે, લોભે સગપણ નાસે વેગળું રે; લોભે ન રહે પ્રીતિ ને પાવઠુંરે, લોભે ધન મેળવે બહું એકઠું રે. 80 4. લોભે નાલનીરે છે
Page #526
--------------------------------------------------------------------------
________________ પ૨૩ લોભે પુત્ર પ્રત્યે પિતા હણે રે, લોભે હત્યા પાતિક નવિ ગણે રે, તે તો દામ તણે લોભે કરી રે, ઉપર મણિધર થાએ તે મરી રે. 805. જોતાં લાભનો થોભ દીસે નહીં રે, એવું સૂત્ર સિદ્ધાંતે કહ્યું સહી રે; લોભે ચક્રી સુભૂમ નામે જુવોરે, તેતો સમુદ્રમાડુબી મુઓરે. તુ0૬. એમ જાણીને લોભને ઠંડજો રે, એક ધર્મશું મમતા મંડજો રે; કવિ ઉદયરત્ન ભાખે મુદા રે, વંદુ લોભ તજે તેહને સદા રે. 80 7. શ્રી અરણિક મુનિની સજઝાય અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શિશોજી; પાય અણધાણે રે વેલ પરજલે, તન સુકુમાલ મુનીશોજી. અર૦ 1. મુખ કરમાયું રે માલતી ફુલ ક્યું, ઉભો ગોખની હેઠોજી; ખરે બપોરે દીઠો એકલો, મોહી માનિની દીઠોજી. અર૦ 2. વયણ રંગીલોરે નયણે વિધિયો, ઋષિ થંભ્યો તેણે ઠાણોજી; દાસીને કહે ભારે ઉતાવળી, ઋષિને તેડી ઘેર આણોજી. અર૦ 3. પાવન કીજે ઋષિ ઘર આંગણું, વહોરો મોદક સારોજી; નવજોબન રસ કાયા કાં દહો, સફલ કરો અવતારોજી. અર૦ 4. ચંદ્રવદનીએ ચારિત્રથી ચૂકવ્યો, સુખવિલસે દિન રાતોજી; બેઠો ગોખે રે રમતો સોગઠે, તવ દીઠી નિજ માતાજી. અર૦ 5. અરણિક અરણિક કરતી મા ફરે, ગલીયે ગલીયે બજારોજી; કહો કોણે દીઠો રે મારો અરણીયો, પુંઠે લોક હજારોજી. અર૦ 6. હું કાયર છું રે મોરી માવડી, ચારિત્ર ખાંડાની ધારો; ધિધિ વિષયા રે મારા જીવને, મેં કીધો અવિચારોજી. અર૦ 7. ગોખથી ઉતરી રે જનની પાય પડ્યો, મનશું લાજયો અપારીજી; વચ્છ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું જેથી શિવસુખ સારોજી. અર૦ 8. 1. મસ્તક. 2. ખુલ્લા પગે). 3. મોહનગારી સ્ત્રીએ.
Page #527
--------------------------------------------------------------------------
________________ પરે૪ એમ સમજાવી રે પાછો વાળીયો, આણ્યો ગુરુની પાસોજી; સદગુરુ શીખ દીએ રે ભલીપરે, વૈરાગ્યે મન વાશ્યોજી. અર૦ 9. અગ્નિ ધીખતી રે શિલા ઉપરે, અરણિકે અણસણ કીધુંજી; રૂપવિજય કહે ધન્ય એ મુનિવરુ, જેણે મનવંછિત લીધુંજી. અર૦૧૦. આઠ મદની સક્ઝાય. મદ આઠ મહામુનિ વારીએ, જે દુર્ગતિના દાતારો રે; શ્રી વીર જિPસર ઉપદિશે, ભાખે સોહમ ગણધારો રે. મદ૦ 1. હાંજી જાતિનો મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીએ કીધો રે; જઈ ચંડાળ તણે કુળ ઉપન્યો, તપથી સવિ કારજ સીધો રે. મદ0૨. હાંજી કુળમદ બીજો દાખીયો, મરિચી ભવે કીધો પ્રાણી રે; કોડાકોડી સાગર ભવમાં ભમ્યો, મદમ કરો અમ મન જાણી રે. મદ૦ 3. હાંજી બળમદથી દુઃખ પામી, શ્રેણિક વસુભૂતિ જીવો રે; જઈ ભોગવ્યા દુઃખ નરકતણાં, મુખ પાડંતા નિત્ય રીવો રે. મદ૦ 4. હાંજી સનતકુમાર નરેસરૂ, સુર આગળ રૂપ વખાણ્યું રે; રોમ રોમ કાયા બગડી ગઈ, મદ ચોથાનું એ ટાણું રે. મદ0 પ. હાંજી મુનિવર સંજમ પાળતાં, તપનો મદ મનમાં આયો રે; થયા કૂરગડુ ઋષિરાજીયા, પામ્યા તપનો અંતરાયો રે. મદ૦ 6. હાંજી દેશ દશારણનો ધણી, રાયદશારણભદ્ર અભિમાની રે; ઇન્દ્રની ઋદ્ધિ દેખી બુઝીયો, સંસાર તજી થયો જ્ઞાની રે. મદ૦ 7. હાંજી સ્થૂલભદ્ર વિદ્યાનો કર્યો, મદ સાતમો જે દુખદાઈ રે; શ્રત પૂરણ અર્થ નવિ પામીયા, જુઓ માનતણી અધિકાઈ રે. મદ૦ 8. હાંજી રાય સુબૂમ ષટ ખંડનો ધણી, લોભનો મદ કીધોઅપાર રે, હયગય રથ સવિસાયર ગળ્યું, ગયો સાતમી નરકમોઝાર રે. મદ૦૯. 1. શ્રેણિક રાજાનો જીવ. 2. રાડો (કરૂણા જનક). 3. સ્વોત્કાર્યઆપબડાઈ કર્યાનાં ફળ જુઓ.
Page #528
--------------------------------------------------------------------------
________________ પર૫ એમ તન ધન જોબન રાજનો, મધરો મનમાં અહંકારો રે; એહઅથિર અસત્ય સવિકારમું ક્ષણમાં વિણસેલહુવારોરે. મદ૦ 10. મદ આઠ નિવારો વ્રતધારી, પાળો સંજમ સુખકારી રે; કહે માનવિજય તે પામશે, અવિચળ પદવી નરનારી રે. મદ૦ 11. શિખામણની સઝાય જીવ વારું મોરા વાલમા, પરમારીથી પ્રીત મ જોડ; પરનારીની સંગત નહીં ભલી, તારા કુલમાં લાગશે ખોડ. જીવ૦ 1. જીવ આ સંસાર છે કારમો, દીસે છે આળ પંપાળ; જીવ એહવું જાણી ચેતજે, આગળ માછીડે નાંખી છે જાળ. જીવ૦૨. જીવ માતાપિતા ભાઈબેનડી, સહુ કુટુંબ તણો પરિવાર; જીવ વહેતી વારે સહુ સગું, પછી લાંબા કીધા જુહાર. જીવ૦ 3. જીવ ડહેલી લગે સગી અંગના, શેરી લગે સગી માય; જીવ સીમ લગે સાજન ભલો, પછી હંસ એકલો જાય. જીવ૦ 4. જીવ જાતાં થકાં નવી જાણીયું, નવી જાણ્યો વાર કુવાર; જીવ ગાડું ભરીયું ઈધણે, વળી ખોખરી હાંડલી સાર. જીવ૦ 5. જીવ આઠમ પાખી નવ ઓળખી, જીવ બહુલાં કીધાં પાપ; જીવ સુમતિવિજયમુનિ એમ ભણે, જીવ આવાગમન નિવાર. જીવ૦ 6. આપસ્વભાવની સઝાય આપ સ્વભાવમાં રે, અવધુ સદા મગનમેં રહેના; જગત જીવ હે કર્માધીના અચિરજ કછુઆ ન લીના. આપ૦ 1. તુમ નહી કેરા કોઈ નહીં તેરા કયા કરે મેરા મેરા; તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા. આપ૦ 2. વપુ” વિનાસી તું અવિનાશી, અબ હે ઇનકા વિલાસી; વપુસંગો જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી આ૫૦ 3. 1. ખોટો-અસાર. 2. સ્ત્રી. 3. કર્મ વશ પડેલા. 4. શરીર. 5. શરીરની મમતાને જ્યારે સર્વથા ટાળે-દૂર કરે.
Page #529
--------------------------------------------------------------------------
________________ પર૬ રાગ ને રીસા દોય ખવીસા, એ તુમ દુઃખકા દીસા; જબ તુમ ઇનકે દૂર કરીસા, તબ તુમ જગકા ઇસા. આપ૦ 4. પરકી આશ સદા નિરાશા, એ હે જગજન પાસા; તે કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા. આપ૦ 5. કબીક કાજી કબરીક પાજી, કબીક હુવા અપભ્રાજી; કબીક જગમેં કીર્તિ ગાજી, સબ પુદ્ગલકી બાજી. આપ૦ 6. શુદ્ધ ઉપયોગ ને સમતા ધારી, જ્ઞાન ધ્યાન મનોહારી; કર્મ કલંકકું દૂર નિવારી, જીવ વરે શિવ નારી આપ૦ 7. શ્રી પ્રદેશ રાજાની સજઝાય શ્રી શંખેશ્વર પ્રણમું પાસ, પ્રગટ પ્રભાવી પૂરે આશ; સાધુશિરોમણિ કેશિકુમાર, મહામુનિવર મોટો ગણધાર. 1. સેતંબી નગરી સમોસર, પ્રશ્ન દશ પરદેશી કરે; સાંભળો સુર નરગ સંદેહ, પિતા અધરની માહરો જેહ. 2. પાપ કરી નરગે તે ગયો, પાછો મુજ આવી નહિ કહ્યો; કેશી કહે નગરમંડાણ, સૂરિમંતા નારિ સુજાણ. 3. સેવંતી દીઠી વ્યભિચાર, તુ કાં ન દીએ જાવા જાર; તિમ તેહને ન દીએ આવવા, પરમાધામી નરગે એહવા. 4. વળી નૃપ કહે નથી સુરલોક, માતા માહરી ધરમસલોક, ગઈ સરગે આવી નવિ કહ્યું, પુણ્યથકી ફલ એમ એ લહ્યું. પ. ગુરુ કહે જાય તું મજ્જન કરી, દેવકુલે શુચિ વસ્ત્ર ધરી; પકોઇક શ્વપચ તેડે નવિ જાય, તિમ સુર ના સુખ મહિમાય. 6. 1 નાયક-પરમેશ્વર ર નિર્ભર્સના લાયક 3 શ્વેતાંબિકા. ૪.(સ્નાન કરી) સારાં વસ્ત્રો પહેરીને દેવમંદિરે (જાય). 5. તે વખતે કોઈ ચંડાળ તને તેડવા આવે તો તું જેમ ન જાય.
Page #530
--------------------------------------------------------------------------
________________ પર૭ વલી સંશય મુજ જીવ સુરંગ, ચોર ગ્રહી અથ કોઠી અભંગ; ઘાલી જોયો નવિ દીઠો જીવ કિહાં ગયો ગુરુ કહે સુણ પારથીવ 7. ભૂમિગૃહ પેસી કોઈ ઢોલ, તાડે શબ્દ સુણાય અતોલ; કુણ મારગે તે શબ્દ નીકળ્યોતિમ જીવ વાપુસમો અટકળ્યો. 8. વળી કહે તિહાં કીડા ઊપન્યા, જીવ કયે મારગ નિપજ્યા ગુરુ કહે લોખંડ તપાવ્યો, અગનિ કયે છિદ્ર માંહે ઠવ્યો. 9. વહ્નિ જીમ પઈઠો લોહમાંહિ, તિમજીવઉપન્યા કોઠીમાંહિ; વળી ભૂપતિ કહે વૃદ્ધ યુવાન, નાખે બાણ ધરી એક તાન. 10. એક આસણ એક દૂરે જાય, સરિખો જીવ તો અંતર કાંય; જીવ પદારથ ઈમ નહીં મહી, ગુરુ કહે સુણ રાજન્ ગહગહી. 11. તનુ ઉપગરણ સવિ ાનાં થયા, સરિખા જીવ પણ કરમે ગ્રહ્યા; વળી કહે એક દીન ચોર ઝાલીઓ, શૂલારોપ કરી ઊતારિઓ. 12. હિંસી તોલ્યો સરિખો થયો, જીવ અજીવ અધિકો નવિ લહ્યો; ગુરુ કહે દડો વાયે ભયો, ઠાલો તોલ્યો સમ ઉતર્યો. 13. તિમ એ જીવ ગુરુ લઘુ નવિ હોય, વળી રાજા જંપે ગુરુ જોય; ચોર ગ્રહી જોયો વધ કરી, ખડોખંડ કરી ફિરી ફિરી. 14. નવિ લાધ્યો તે જીવ સુજાણ, કર્યો નિશ્ચય મેં જીવ અઠાણ; ગણધર કહે અરણી પાષાણ, અગ્નિમાંહી અછે નૃપ જાણ. 15. નવિ દિસે તે બાહિર મહીં, જીવ અછે પણ દીસે નહી; જંપે ભૂપતિ ઘટ પટ થંભ, દીસે છે પણ જીવ અચંભ. 16. કાં નજર નાવે રે જીવ, તેણે મુજ મન સંશય અતીવ; આચારજ કહે સાંભળ ભૂપ, તરુ હાલે છે વાયુ સરૂપ. 17. તરુ દીસે નવિ દીસે વાય, એહ સરૂપી જીવ કહેવાય; કહે નરપતિ કુંજર કુંથુઆ, સરીખા જીવ તો કાં જાન્યુઆ. 18. 1. હે રાજા તું સાંભળ. 2. ભોંયરામાં. 3. વગાડે. 4. કર્યું માર્ગે.
Page #531
--------------------------------------------------------------------------
________________ પર૮ એક મોટો એક લઘુતર હોય, એ સંશય મુજ હઈડે જોય; ગણધર કહે દીવો ગ્રહમાંહિ, અજાવાળું કરે સઘળે ત્યાંહિ. 19. કંડક મહેલ્યો તવ તિહાં, અજાવાળું વ્યાપે વળી જીહાં; તિમ એ જીવ તનુ વ્યાપી રહ્યો, ગુરુલઘુ કાયાએ તિમ લહ્યો. 2). દસમું પ્રશ્ન પૂછે નૃપ વલી, સાંભળો ગણનાયક મન રુલી; પેઢીગત કિમ મુકું ધર્મ, હોએ લાજ મુઝ લાગે શર્મ. 21. ગુરુ કહે વ્યાપારી જીમ કોય, વ્યાપારે પોહોંચે તું જોય; લોહખાણી દેખી તે ભરે, વળી તિહાંથી આઘા સંચરે. 22. ત્રાંબ દેખી છેડી લોહ, એક ને છેડે આણી મોહ; રૂ! હેમ રયણ ઇમ લીએ, એક ન છંડે લોઢું લીએ. ર૩. ઘરે આવ્યા તે લીલા કરે, લોહગ્રાહક તે દુઃખીઓ ફરે; તિમ કુમત ઝંડી આપણો, કહેણ કરો અમ જીમ સુખ ઘણો. 24. તેહ વચન નિજ હઈડે ધરે, ગુરુ વંદી ચરણ અણુસરે; સામી તે મુઝ તાર્યો આન, બેસાર્યો શિવપુરને રાજ. રપ. બાર વ્રત ગુરુ કને ઉચરી, શુદ્ધ શ્રાવકના વ્રત આદરી; પહેલે દેવલોક થયો દેવ, સૂર્યાભ નામ કરે સુરસેવ. 26. અવધિ કરી જોઈ જિનસંગ, બત્રીસબદ્ધ નાટક ઉછરંગ; કરી વીરજિન વંદી જાય, ગૌતમ પૂછે પ્રણની પાય. 27. સામી એ કુણ કિમ પામી ઋદ્ધિ, સકલ વાત કહી સુપ્રસિદ્ધિ; એક ભવાંતર મુગતિ જશે, અવિચલ સુખ પૂરા પામશે. 28. રાયપાસેણીમાંહિ અધિકાર, જોઈ કીધો એહ વિચાર; અધિકું ઓછું જે અહીં હોય, પંડિત જન શુદ્ધ કરજો સોય. 29. ગુરુનામે લહીએ ગહગટ્ટ, ગુરુનામે લઈએ શિવવટ્ટ; એહવા ગુરુની સેવા મિલે, તો મનવંછિત આશા ફલે. 30. સંવત સત્તર પણવીસો સાર, આસાઢ સુદિ તેરસ રવિવાર; શ્રીજયવિજયપંડિત-સુપસાય, મેરુવિજય રંગે ગુણગાય. 31.
Page #532
--------------------------------------------------------------------------
________________ પર શ્રી સ્થાપના કુલક સજઝાય પૂરવ નવમાંથી ઉદ્ધરી, જિમ ભાખે શ્રી ભદ્રબાહુ રે; સ્થાપના કલ્પ અમે કહું, તિમ સાંભળજો સહુ સાહુ રે. 1. પરમગુરુ વયણે મન દીજે, તો સુરતરુ ફળ લીજે. એ ટેક0 લાલ વરણ જે થાપના, માંહે રેખા શ્યામ તે જોય રે; આયુ જ્ઞાન બહુ સુખ દીએ, તે તો નીલકંઠસમ હોય રે. 2. પત વરણ જે થાપના, માંહે દીસે બિંદુ શ્વેત રે; તેહ પખાલી પાઈએ, સવી રોગ વિલયનો હેત રે. 3. શ્વેત વરણ જે થાપના, માહે પીત બિંદુ તલ હોય રે; નયન રોગ છાંટે ટળે, પીતાં ટળે શૂલ શરીર રે. 4. નીલ વરણ જે થાપના, માંહી પીત બિંદુ તે સાર રે; તે પખાલી પાઈએ, હોય અહિ” વિષનો ઉતાર રે. પ. ટાલે વિશુચિકા રોગ જે, વૃત લાભ દીએ “વૃતવન્ન રે; રક્ત વર્ણ પાસે રહ્યો, મોહે માનિની કેરાં મગ્ન રે. 6. શુદ્ધ શ્વત જે સ્થાપના, માંહે દીસે રાતી રેખ રે; કંકથકી વિષ ઉતરે, વળી સિઝે કાર્ય અશેષ રે. 7. અર્ધ રક્ત જે થાપના, વળી અર્ધ પીત પરિપુષ્ઠ રે; તેહ પખાળી છાંટીએ, હરે અક્ષિ રોગને દુષ્ટ રે. 8. જંબુવર્ણ જે થાપના, માંહે સર્વ વર્ણનાં બિંદુ રે; સર્વ સિદ્ધિ તેહની હોયે, મોહે નરનારીના વૃંદ રે. 9. 1 ચૌદ પૂર્વધર યુગપ્રધાન શ્રીમાન યશોભદ્રસૂરીશ્વરજીના પટ્ટધર શિષ્યરત્ન. 2 સ્થાપનાચાર્ય તરીકે જે અક્ષ (ગોળ શંખ-દક્ષિણાવર્તી રાખવા ફરમાવેલ છે તેના ગુણનું જેમાં પ્રતિપાદન કરવામાં આવે છે તે ગ્રંથ. 3. મહાદેવ સદેશ. 4. સર્પ. 5. ધી વર્ણી સ્થાપના. 6. નેત્ર. 34
Page #533
--------------------------------------------------------------------------
________________ પ૩) જાતિ પુષ્પ સમ થાપના, સુતવંશ વધારે તેહ રે; મોરપિચ્છ સમ થાપના, વંછિત દીએ ન સંદેહ રે. 10. સિદ્ધિ કરે ભય અપહરે, પારદ સમબિંદુ તે શ્યામ રે; મષક સમ જે સ્થાપના, ટાળે અહિ વિષ ઠામ રે. 11. એક આવર્ત સુખ દીએ, બહુ આવતું ભંગ રે; ત્રિતું આવર્તે માન દે, ચિહું આવર્ત નહિ રંગ રે. 12. પંચ આવર્તે ભય હરે, છ આવર્તે દીએ રોગ રે; સાત આવર્ત સુખ કરે, વળી ટાલે સઘળા રોગ રે. 13. વિષમાવર્ત સુખ ફળ ભલું સમ આવર્તે ફળ હીન રે; ધર્મ નાશ હોય તેહથી, એમ ભાખે તત્ત્વ પ્રવીણ રે. 14. જેહ વસ્તુમાં થાપિયે, દક્ષિણ આવર્તે તેહ રે; તે અખૂટ સઘળું હોય, કહે વાચક યશ ગુણગેહ રે. 15. પખિ પ્રતિક્રમણની વિધિ પ્રથમ દેવસિક પ્રતિક્રમણમાં વંદિતુ કહી રહિયે ત્યાં સુધી સર્વ કહેવું; પણ ચૈત્યવંદન સકલાહનું કહેવું અને થોયો સ્નાતસ્યાની કહેવી. પછી ખમાસમણ દઈને “દેવસિઅ આલોઇએ પડિઝંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પક્રિખમુહપત્તિ પડિલેહું? ઇચ્છે' એમ કહી મુહપત્તિ પડિલેહવી, પછી વાંદણાં બે દેવાં. પછી ઈચ્છાકારેણ સંદિo ભગ0 અમ્મુઠ્ઠિઓહ સંબુદ્ધાખામણેણં અભિંતર પકિMઅં ખામેઉં? ઇચ્છે ખામેમિ પખિએ *પનરસ દિવસાણું પનરસ રાઇઆણં, જંકિંચિ અપત્તિયં૦ કહી, ઈચ્છાકારેણ સંવ ભગ0 પફિખ આલોઉં? 1. પારો. 2. એકી એટલે 1-3-5-7- વગેરે. 3. બેકી એટલે ૨-૪૬-વગેરે. 4. એક પખાણ (અંતોપખસ્સ) પન્નરસરાઈદિઆણં.
Page #534
--------------------------------------------------------------------------
________________ પ૩૧ ઇચ્છે આલોએમિ જો મે પક્રિખઓ અઇઆરો કઓ૦ કહી “ઇચ્છાકારેણ સંદિ૦ ભ૦ પકિખ અતિચાર આલોઉં? ઇચ્છે” એમ કહી અતિચાર કહિયે પછી “એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમકિતમૂલ બાર વ્રત એકસો ચોવીશ અતિચાર માટે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ” કહી સવ્વસ્સવિ પક્રિખઅ દુઐિતિએ દુષ્માસિઅ દુચ્ચિઢિા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઇચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડ” કહી ઈચ્છકારી ભગવનું પસાય કરી પખિતપ પ્રસાદ કરોજી એમ ઉચ્ચાર કરીને આવી રીતે કહીયે; “ચઉત્થણ, એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ બેઆસણાં, બે હજાર સક્ઝાય, યથાશક્તિ તપ કરી પહોંચાડવો.” પછી પ્રવેશ કર્યો હોય તો, “પઇક્રિઓ કહીએ અને કરવો હોય તો “તહત્તિ કહીએ, તથા ન કરવો હોય તો અણબોલ્યા રહીએ. પછી વાંદણા બે દેવાં. પછી “ઇચ્છાકાળ અદ્ભુઠ્ઠિઓડયું પત્તેઅખામણેણં અભિંતરપફિખએ ખામેઉં ? ઇચ્છે ખામેમિ પકિખ, પનરસ દિવસાણું પનરસ રાઇઆણે જંકિંચિ અપત્તિયં કહી સકલ સંઘને " મિચ્છા મિ દુક્કડ' કહી વાંદરા બે દેવાં. પછી દેવસિઅ આલોઇઅ પડિકંતા ઈચ્છાકાસંદિo ભગવનું પકિખ “પડિક્કનું સમ્મ પડિક્કમામિ ઇચ્છે એમ કહી કરેમિ ભંતે સામાઇયં૦ કહી. ઇચ્છામિ પડિક્કમિઉં જો મે પખિઓ૦ કહેવું. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિo 1. ગુરુ પડિક્કમેહ કહે પછી. 2. તપ. 3. યથાશક્તિ કેટલાક બોલે છે. 4. એક પખાણું પનરસ દિવસાણું પનરસરાઈઆણં. 5. પખિએ પડિક્કમાવહ ! ગુરુ કહે સમં પડિકમેહ, શિષ્ય કહે “ઇચ્છ” સમ્મ પડિક્કમામિ.
Page #535
--------------------------------------------------------------------------
________________ પ૩ર પખિસૂત્ર કહું ? એમ કહી નવકાર ગણીને સાધુ હોય તો પફિખસૂત્ર કહે અને સાધુ ન હોય તો ત્રણ નવકાર ગણીને શ્રાવક વંદિતુ કહે પછી સુઅદેવયાની થોય કહેવી, પછી નીચે બેસી જમણો ઢીંચણ ઉભો રાખી, એક નવકાર ગણી, કરેમિ ભંતેo ઈચ્છામિ પડિ) કહી વંદિg કહેવું. પછી કરેમિ ભંતે ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે પખિઓ૦ તસ્સ ઉત્તરી) અન્નત્થ૦ કહીને બાર લોગસ્સનો કાઉસ્સગ ચંદેસુ નિમ્મલયરા સુધી કરવો, અથવા અડતાળીશ નવકારનો કાઉસ્સગ કરી પારીને પ્રકટ લોગસ્સ કહી. મુહપત્તિ પડિલેહીને વાંદણા બે દેવાં પછી ઇચ્છાકાઅદ્ભુઢિઓડહં સમત્તખામણેણં અભિંતર પફિખ ખામેઉં ? ઇચ્છે ખામેમિ પફિખ, એક પખાણું પનરસ રાઇઆણં પનરસ દિવસાણં જંકિંચિ અપત્તિઅં૦ કહી પછી ખમાસમણ દઈને ઇચ્છાકા પફિખ ખામણાં ખાણું? એમ કહી ખામણાં ચાર ખામવાં, પછી દેવસિય પ્રતિક્રમણમાં વંદિg કહ્યા પછી બે વાંદણાં દઈએ ત્યાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસિયની પેઠે જાણવું, પણ સુઅદેવયાની થોયોને ઠેકાણે જ્ઞાનાદિ૦ની થોયો કહેવી, સ્તવન અજિતશાંતિનું કહેવું, સજઝાયને ઠેકાણે ઉવસગહર તથા સંસારદાવાની થોયો ચાર કહેવી અને લઘુશાંતિને ઠેકાણે હોટી શાન્તિ કહેવી. ઇતિ પકિખ પ્રતિકમણ વિધિ ચઉમાસી પ્રતિક્રમણની વિધિ એમાં ઉપર કહ્યા મુજબ પફિખની વિધિ પ્રમાણે કરવું પણ એટલું વિશેષ જે બાર લોગસ્સનો કાઉસ્સગ્નને ઠેકાણે વિશ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો અને પફિખ શબ્દને ઠેકાણે ચઉમાસી
Page #536
--------------------------------------------------------------------------
________________ પ૩૩ શબ્દ કહેવો તથા તપને ઠેકાણે “ફેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીતિ, આઠ એકાસણાં, સોળ બેઆસણાં, ચાર હજાર સઝાય” એ રીતે કહેવું. સંવચ્છરી પ્રતિક્રમણની વિધિ એમાં ઉપર લખ્યા મુજબ પકિનની વિધિ પ્રમાણે કરવું પણ એટલું વિશેષ જે બાર લોગસ્સનો કાઉસ્સગ્નને ઠેકાણે ચાલીશ લોગસ્સ અને એક નવકાર અથવા એકસો ને સાઇઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તપને ઠેકાણે “અઠ્ઠમભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીશ બેઆસણાં અને છ હજાર સઝાય૦” એ રીતે કહેવું અને પફિખ શબ્દને ઠેકાણે સંવચ્છરી શબ્દ કહેવો. ઇતિ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ *પોસહ લેવાની વિધિ પ્રથમ ખમાસમણ દઈ, પ્રકટ લોગસ્સ કહેવા પર્યત ઇરિયાવહી પડિક્કમી, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું ?" એમ બોલી, ગુરુ આદેશ આપે એટલે ઇચ્છે” કહીને મુહપત્તિ પડિલેહવી, પછી ખમા “ઇચ્છા પોસહ સંદિસાહું? ઇચ્છે” ખમા“ઇચ્છા, પોસહ ઠાઉં?” પછી ઇચ્છ' કહી બે હાથ જોડી નવકાર ગણી “ઇચ્છકારી 9 ધર્મની પુષ્ટિને જે ધારણ કરે તેને “પૌષધ” કહીએ. શ્રાવકના બાર વ્રતમાં એ અગ્યારમું વ્રત છે. અષ્ટમી ચતુર્દશી વગેરે પર્વ તિથિને દિવસે ચાર પહોરનો અથવા આઠ પહોરનો કરવામાં આવે છે. તે પૌષધના
Page #537
--------------------------------------------------------------------------
________________ પ૩૪ ભગવદ્ પસાય કરી પોસહદંડક ઉચ્ચરાવોજી” કહેવું એટલે ગુરૂ પોસહની કરેમિ ભંતે ઉચ્ચરાવે.+ પછી ખમાસમણ દઈ “ઇચ્છા સામાયિક મુહપત્તિ પડિલેહું? ઇચ્છે” કહી મુહપત્તિ પડિલેહીને, ખમાતુ “ઇચ્છા સામાયિક સંદિસાહું ?" ઈચ્છે, કહી ખમા) “ઇચ્છા, સંદિo મુખ્ય ચાર ભેદ છે, (1) આહાર પોસહ-ઉપવાસ વગેરે તપ કરવો તે. (2) શરીર સત્કાર પોસહ-શરીરની સ્નાન-વિલેપનાદિ વડે વિભૂષા-સત્કાર ન કરવો તે. (3) બ્રહ્મચર્ય પોસહ-શિયળ પાળવું તે. અને (4) અવ્યાપાર પોસહ-સાવદ્ય વ્યાપાર સર્વનો ત્યાગ કરવો તે. આ ચારે પ્રકારના પોસહના દેશથી અને સર્વથી એમ બે બે ભેદ થતાં મુખ્ય આઠ ભેદ થાય છે અને સંયોગી ભેદ 80 થાય છે. પરંતુ પૂર્વાચાર્યની પરંપરાએ હાલમાં માત્ર આહાર પોસહ જ દેશથી અને સર્વથી કરવામાં આવે છે. બાકીના ત્રણ પ્રકારના પોસહ તો સર્વથી જ થઈ શકે છે. આહાર પોસહમાં ચૌવિહાર ઉપવાસ કરવો તે સર્વથી અને તિવિહાર ઉપવાસ આયંબિલ, નીવિ અને એકાસણું કરવું તે દેશથી સમજવો. માત્ર રાત્રિના ચાર પહોરનો પોસહ કરનારે પણ દિવસે એમાંનું કાંઈપણ વ્રત કરેલું હોવું જોઈએ, એવો નિયમ +પોસહમાં 18 દોષ ટાળવા તેનાં નામ. 1. પોસહમાં વ્રત વિનાના બીજા શ્રાવકનું પાણી ન પીવું. 2. પોસહ નિમિત્તે સરસ આહાર લેવો નહિ. 3. ઉત્તરપારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી નહિ. 4. પોસહમાં અથવા પોસહ નિમિત્તે આગલે દિવસે દેહવિભૂષા કરવી નહિ. 5. પોસહ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવાં નહિ. 6. પોસહ નિમિત્તે આભૂષણ ઘડાવવાં નહિ અને પોસહમાં આભૂષણ પહેરવાં નહિ. 7. પોસહ નિમિત્તે વસ્ત્ર રંગાવવાં નહિ. 8. પોસહમાં શરીર ઉપરથી મેલ ઉતારવો નહિ.
Page #538
--------------------------------------------------------------------------
________________ 535 ભગ0 સામાયિક ઠાઉં?” “ઇચ્છે', કહી બે હાથ જોડી નવકાર ગણી, “ઈચ્છકારી ભગવનું પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી” કહેવું, ગુરુ “કરેમિ ભંતે સામાઈયંનો પાઠ કહે. પછી ખમાળ ઇચ્છા “બેસણે સંદિસાહું ?" ઈચ્છે ખમારા ઇચ્છા, “બેસણે ઠાઉં?” ઇચ્છે) ખમા“સઝાય સંદિસાહું?” “ઇચ્છે૦' ખમાઇચ્છા“સક્ઝાય કરું?” “ઇચ્છેo” કહી, ત્રણ નવકાર ગણવા. પછી ખમાતુ ઈચ્છા બહુવેલ સંદિસાહું?” “ઇચ્છું” ખમા૦ ઇચ્છા, “બહુવેલ કરશું” ઇચ્છે,' ખમાળ ઇચ્છા૦ “પડિલેહણ કરું ?" “ઇચ્છે' કહીને મુહપત્તિ વગેરે પાંચ વાનાં પડિલેહવાં, પોસહ લીધા અગાઉ ઘરે અથવા ઉપાશ્રયે પડિલેહણ કરી હોય તેણે અહિં તેમજ ઉપધિ સંબંધિ આદેશ વખતે માત્ર મુહપત્તિ જ પડિલેહવી (મુહપત્તિ 50 બોલથી, ચરવળો 10 બોલથી, કટાસણ 25 બોલથી, સુતરનો કંદોરો 10 બોલથી અને ધોતિયું રપ બોલથી પડિલેહવું) 9. પોહમાં અકાળે શયન કરવું નહિ, નિદ્રા લેવી નહિ. (રાત્રિને બીજે પ્રહરે સંથારાપોરિસી ભણાવીને નિદ્રા લેવી.) 10. પોસહમાં સારી કે નઠારી સ્ત્રી સંબંધી કથા કરવી નહિ. 11. પોસહમાં આહારને સારો-નઠારો કહેવો નહિ. 12. પોસહમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી નહિ. 13. પોસહમાં દેશકથા કરવી નહિ. 14. પોસહમાં પુંજ્યા-પડિલેહ્યા વિના લઘુનીતિ-વડીનીતિ પરઠવવી નહીં. 15. પોસહમાં કોઈની નિંદા કરવી નહિ. 16. પોસહમાં (વગર પોસાતી) માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્ત્રી વગેરે સંબંધીઓ સાથે વાર્તાલાપ કરવો નહિ. 17. પોસહમાં ચોર સંબંધી વાર્તા કરવી નહિ. 18. પોસહમાં સ્ત્રીનાં અંગોપાંગ નિરખીને જોવાં નહિ આ અઢાર દોષ જરૂર ટાળવા.
Page #539
--------------------------------------------------------------------------
________________ પ૩૬ પછી ખમાસમણ દઈ “ઇચ્છકારી ભગવત્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી” એમ કહી વડિલ (બ્રહ્મચર્ય વ્રતધારી)નું અણપડિલેહ્યું એક વસ્ત્ર (ઉત્તરાસન) પડલેહવું પછી ખમા) ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહું ?" “ઇચ્છે' કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમા) “ઇચ્છાઓ ઉપધિ સંદિસાહું?' ઇચ્છે કહી ખમા૦ ઇચ્છા “ઉપધિ પડિલેહું?” કહીને પૂર્વે પડિલેહતાં બાકી રહેલ ઉત્તરાયણ, માગું કરવા જવાનું વસ્ત્ર અને રાત્રિ પોસહ કરવો હોય તો કામળી વગરે રપ-૨૫ બોલથી પડિલેહવાં. પછી એક જણે ડંડાસણ જાચી લેવું. તેને પડિલેહી, ઇરિયાવહી પડિક્કમીને કાજો લેવો. કાજો શુદ્ધ કરીને એટલે તપાસીને ત્યાં જ સ્થાપનાચાર્યની સન્મુખ ઉભા રહીને ઈરિયાવહી પડિક્કમવા. પછી કાજો ઉદ્ધરી યથાયોગ્ય સ્થાનકે ૩૫નાહં કરો કહીને પાઠવવો. પરઠવ્યા પછી ત્રણ વાર વોસિરે કહેવું. પછી મૂળ સ્થાનકે આવીને સૌ સાથે દેવ વાંચવા અને સઝાય કરવી. પડિલેહણની વિધિ પ્રથમ ઇરિયાવહી પડિક્કમીને ખમાસમણ દઈ “ઇચ્છા, પડિલેહણ કરું? ઇચ્છે' કહી; ઉભડક પગે બેસી મુહપત્તિ, ચરવળો, કટાસણું તથા સઘળાં વસ્ત્રની એક સાથે પૂર્વે કહ્યા તેટલા પોસહ કરવાને ઇચ્છનારે પ્રભાતમાં વહેલાં ઊઠીને રાઈ પડિક્રમણ જરૂર કરવું જોઈએ. વિધિના જાણ શ્રાવકો તો પડિલેહણ અને દેવવંદન પણ સાથે જ કરે છે. ત્યારપછી જિનમંદિરની જોગવાઈ હોય તો જિનપૂજા કરીને પછી ઉપાશ્રયે આવી ગુરુ સમક્ષ પોસહ ઉચ્ચરવો હાલમાં આ પ્રમાણે પ્રવૃત્તિ છે પરંતુ મુખ્ય વૃત્તિએ રાઈપડિક્કમણની સાથે જ, પ્રતિક્રમણ કરી, સામાયિક પાર્યા સિવાય પોસહ ઉચ્ચરવો અને તેમાં પડિલેહણના આદેશ વખતે જ પડિલેહણ કરવી અને દેવ વાંદવા અને સઝાય કરવી, પ્રતિક્રમણ સાથે પડિલેહણ ન કરનારે આ પ્રમાણે વિધિ કરવી.
Page #540
--------------------------------------------------------------------------
________________ પ૩૭ બોલથી પડિલેહણ કરવી. પછી ડંડાસણ લઈ, પડિલેહા કાજો લઈ શુદ્ધ કરી, ત્યાં જ ઇરિયાવહી પડિક્કમીને “અણજાણહ જસુગ્રહો” કહી પરઠવવો. અને ત્યાર પછી પૂર્વોક્ત વિધિએ પોસહ લેવો; પણ તેમાં પડિલેહણ ન કરવી અને કાજો ન લેવો. છેવટે “વિધિ કરતાં જે કાંઈ અવિધિ થઈ હોય તેનો મિચ્છા મિ દુક્કડ' લઈને દેવ વાંદવા અને સઝાય કરવી. દેવ વાંદવાની વિધિ પ્રથમ ખમાસમણ દઈ ઇરિયાવહી પડિક્કમી, લોગસ્સ કહી ઉત્તરાસણ નાખીને ખમાળ ઇચ્છાચૈત્યવંદન કરું? ઇચ્છું કહી ચૈત્યવંદન કરી નમુર્ણ અને જયવીયરાય (આભવમખેડા સુધી) કહી ખમા) દઈ ચૈત્યવંદન કરી, નમુત્થણું કહી યાવત્ ચાર થયો કહેવી. પછી નમુસ્કુર્ણ કહીને બીજી વાર ચાર થયો કહેવી પછી નમુત્થણે કહી, જાવંતિ) ખમા, જાવંત) કહી, નમોજી બોલી સ્તવન (ઉવસગ્ગહર અથવા બીજ) કહેવું અને જયવીયરાય અર્ધા (આભવમખેડા સુધી) કહેવા. પછી ખમા૦ દઈ ચૈત્યવંદન કરી; નમુત્થણે કહીને જયવીયરાય સંપૂર્ણ કહેવા ત્યારપછી વિધિ કરતાં અવિધિ થઈ હોય તેનો મિચ્છા મિ દુક્કડ દઈને પ્રભાતના દેવવંદનમાં છેવટે સક્ઝાય કહેવી; (બપોરે અથવા સાંજે ન કહેવી) તે સક્ઝાયને માટે એક ખમા દઈ ઇચ્છા૦ સક્ઝાય કરું? ઇચ્છે કહી નવકાર ગણીને ઉભડક પગે બેસીને એક જણ મન્નજિયાણની સઝાય કહે (ત્યાર પછી નવકાર ન ગણવો.) પોરસી ભણાવવાનો વિધિ. હવે છ ઘડી દિવસ ચડ્યા પછી પોરસી ભણાવવી. તેની 1. પોસહ લીધા અગાઉ કાજો લેનારને કાજો લીધા અગાઉ દરિયા) પડિક્કમવા નહિ.
Page #541
--------------------------------------------------------------------------
________________ પ૩૮ વિધિ-પ્રથમ ખમાળ ઈચ્છાબહુપડિપુન્ના પોરિસિ? કહી બીજાં ખમા૦ દઈ ઈરિયાવહી પડિક્કમવા; પછી ખમા) દઈ ઈચ્છા, પડિલેહણ કરું? ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહવી. રાઈ મુહપત્તિ પડિલેહણ વિધિ. ત્યાર પછી ગુરુ હોય તેમની સમક્ષ રાઈ મુહપત્તિ પડિલેહવી. તેની વિધિ આ પ્રમાણે - પ્રથમ ખમાદઈ, ઇરિયાવહી પડિક્કમી, ખમા) દઈ ઇચ્છા૦ રાઈ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહવી પછી બે વાંદરાં દેવાં; પછી ઇચ્છા, રાઇયં આલોઉં? ઇચ્છે કહી તેનો પાઠ કહેવો. પછી સવ્યસ્તવિ રાઈઅ) કહીને પદસ્થ હોય તો તેમને બે વાંદણાં દેવાં. પદસ્થ ન હોય તો એક ખમાસમણ દેવું. પછી ઈચ્છકાર સુહરાઇવ કહીને ખમાસમણ દઈ અમ્મુઢિઓહ ખમાવવું, પછી બે વાંદણાં દઈ ઈચ્છકારી ભગવનું પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી, એમ કહીને પચ્ચકખાણ કહેવું. (લેવું.). સાંજની પડિલેહણ વિધિ. પ્રથમ ખમા દઈ ઇચ્છા બહપડિપુન્ના પોરસી કહી ખમાળ ઇચ્છા) ઇરિયાવહિયં પડિક્કમામિ કહી. ઈરિયાવહી પડિક્કમવા, પછી ખમાળ ઇચ્છા) ગમણાગમણે આલોઉં? ઇચ્છે કહી ગમણાગમણે આલોવવા. પછી ખમાઇચ્છાપડિલેહણ કરૂં? ઇચ્છે કહી ખમાઇચ્છાપોસહશાલા પ્રમાણું? ઇચ્છે કહીને ઉપવાસવાળાઓએ મુહપત્તિ, કટાસણું ને ચરવળો પડિલેહવા, અને જગ્યા હોય તેણે કંદોરો, ધોતીયું, સુધાં પાંચ 1. આ વિધિ ગુરુ સમક્ષ રાઈ પ્રતિક્રમણ કર્યું હોય તેને કરવાની નથી. તેમ ગુરુ ન હોય ત્યારે પણ કરવાની નથી.
Page #542
--------------------------------------------------------------------------
________________ પ૩૯ વાનાં પડિલેહવાં, જમ્યા હોય તેમણે ઇરિયાવહિયં પડિક્કમવા. પછી ખમાળ દઈ “ઇચ્છકારી ભગવત્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી” એમ કહીને વડીલનું એક વસ્ત્ર પડિલેહવું. પછી ખમાળ ઇચ્છાઉપાધિ મુહપત્તિ પડિલેહું? ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહીને ખમાળ ઇચ્છા સઝાય કરું? ઇચ્છે કહી નવકાર ગણીને મન્ડજિણાણની સઝાય ઉભડક પગે બેસીને કહેવી પછી ખાધું હોય તો વાંદણાં દઈને પાણહારનું પચ્ચકખાણ કરે (ચૌવિહાર ઉપવાસવાળાઓએ તો પચ્ચખાણ કરવાનું નથી પણ પ્રભાતે તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ લીધું હોય અને પાણી ન પીધું હોય તો આ વખતે ચૌવિહારનું પચ્ચકખાણ કરે) પછી ખમાળ ઇચ્છા ઉપધિ સંદિસાહું ઇચ્છું ખમાળ ઇચ્છા ઉપધિ પડિલેહું ? ઈચ્છે કહી પ્રથમ પડિલેહતાં બાકી રહેલ વસ્ત્રોની પડિલેહણા કરે. તેમાં રાત્રિ પોસહ કરનાર પ્રથમ કામળી, પડિલેહ પડિલેહણ થઈ રહે એટલે સર્વ ઉપધિ (વસ્ત્રાદિ) લઈને ઉભા થાય એટલે એક જણ ડંડાસણ લાવી, પડિલેહી, ઇરિયાવહી પડિક્કમી, કાજો લઈ શુદ્ધ કરી, ઇરિયાવહિ પડિક્કમીને વિધિયુક્ત પરઠવે, પછી સર્વ દેવ વાંદે. માંડલાંની વિધિ રાત્રે વડીનીતિ, લઘુનીતિ વગેરે પરઠવવા યોગ્ય જગ્યા જોઈ આવીને, પ્રતિલેખન નિમિત્તે નીચે પ્રમાણે માંડલાં કરવાનાં છે. તેમાં પ્રથમ સંથારા પાસેની જગ્યાએ છ માંડલા કહેવાં. 2. ૧૩ીધા રસન્ને ક્યારે *સવારે ૩Uહિયારે 1. આઘાટ કારણે. 2. નજીકમાં. 3. વડીનીતિ. 4. લઘુનીતિ. 5. સહન ન થઈ શકે છે, અહીં પ્રમાર્જના કરું છું એ દરેક ઠેકાણે સંબંધ છે.
Page #543
--------------------------------------------------------------------------
________________ 540 2. आघाडे आसन्ने पासवणे अणहियासे. 3. आघाडे 'मज्झे उच्चारे पासवणे अणहियासे, 4. आघाडे मज्झे पासवणे अणहियासे. 5. आघाडे 'दूरे उच्चारे पासवणे अणहियासे. 6. आघाडे दूरे पासवणे अणहियासे. બીજાં છ માંડલા ઉપાશ્રયના બારણાની તરફ ઉપર પ્રમાણે જ કહેવાં, પણ ૩Uદિયાને બદલે 'હિયારે કહેવું. ત્રીજા છ માંડલા ઉપાશ્રયના બારણા બહાર નજીક રહીને કરવાનાં તથા ચોથા છ ઉપાશ્રયથી સો હાથને આશરે દૂર રહીને કરવાનાં છે. બાર માંડલામાં ફકત ૩ધાને બદલે ૩TTધારે શબ્દ કહેવો. બાકીના શબ્દો ઉપરના છ છ માંડલામાં લખ્યા પ્રમાણે જ કહેવા. એ પ્રમાણે 24 માંડલાં કર્યા પછી ઈરિયાવહી પડિક્કમીને ચૈત્યવંદન કહેવાપૂર્વક પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણના સામાન્ય હેતુઓ | (દેવસિય પ્રતિક્રમણના હેતુઓ) પ્રથમ સામાયિક લેવું જોઈએ. “સમ” એટલે સમતા તેનો આય” એટલે લાભ છે જેને વિષે તે “સામાયિક” કહેવાય. ધર્મનું મૂળ આજ્ઞા છે. તેથી દરેક ક્રિયા ગુરુ મહારાજની આજ્ઞાપૂર્વક તેમની સમીપે કરીએ, જેમ જિનને વિરહ જિનપ્રતિમાનું પૂજનવંદન ફળદાયી થાય છે તેમ તેમને (ગુરુ મહારાજને) વિરહ૫ સ્થાપનાચાર્યની સમક્ષ આજ્ઞાપૂર્વક કરાતી ક્રિયાઓ સફળ થાય છે. ગુરુસ્થાપના ન હોય તો (થોડા કાળ માટે) પુસ્તક અથવા 1. વચ્ચે. 2. છેટે. 3. સહન ન થઈ શકે તો. 4. ઘાટ કારણ ન હોય તો. 5. નવકારથી પંચપરમેષ્ઠિની અને પંચિંદિયથી ગુરુની એમ બંને સ્થાપના એકી સાથે સ્થપાય છે, કેમકે દેવવંદન, સ્તવનાદિ વખતે પહેલી અને અન્ય સ્થાને બીજી ઉપયોગી છે. 6. અક્ષાદિરૂપ યાવતુ કથિત સ્થાપના.
Page #544
--------------------------------------------------------------------------
________________ 541 નવકારવાળીની સ્થાપના સ્થાપીએ તે સ્થાપવા માટે જમણો હાથ અવળો સ્થાપના સન્મુખ રાખીએ, આમ કરવાનું કારણ સ્થાપનામાં આચાર્યના ગુણોનું આહ્વાન કરવું તે છે. કારણ કે આહ્વાન મુદ્રાની આકૃતિ તેવી છે. પછી “નવકાર તથા પંચિંદિય”માં “નવકાર” મહામંગળરૂપ છે અને “પંચિંદિયમાં આચાર્યના છત્રીસ ગુણનું વર્ણન છે. તેનું આરોપણ સ્થાપનામાં કરવાનું છે એ હેતુ છે. પછી “ખમાસમણ” દેવું તે ગુરુના વિનય અર્થે છે. પછી “ઈરિયાવહિયં” પ્રતિક્રમવા સંબંધી આદેશ માગવો, કેમકે આજ્ઞા એ ધર્મનું આરાધન છે, એમ આદેશ સંબંધી સર્વત્ર સમજવું, પછી “ઇરિયાવહિયં” પડિક્કમવા. તેનું કારણ એ કેતેની અંદર પાપનું આલોચવું થાય છે. પછી “તસ્સ ઉત્તરી કહેવું, તે ઈરિયાવહિ પડિક્કમતાં અશુદ્ધ રહેલાં એવાં પાપ (અશુદ્ધ આત્મા)ની વિશુદ્ધિને અર્થે છે. પાપની વિશુદ્ધિ થવાથી સંવર-ક્રિયાઓ વિશેષ ફળીભૂત થાય છે. પછી શેષ પાપને ટાળવા અર્થે કાયોત્સર્ગ કરવો, તેના રક્ષણાર્થે ક્ષેત્રને વાડ હોય તેની પેઠે આગાર (છૂટ) રાખવાની જરૂર છે તે માટે “અન્નત્થ0” કહેવો, પછી એક “લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો, તેનો હેતુ એ છે કે - તેથી પ્રભુના નામોનું સ્મરણ-ધ્યાન થાય છે, તે કાઉસ્સગ્નનું માન પચ્ચીશ શ્વાસોચ્છવાસનું કહ્યું છે, તેથી “ચંદેસુ નિમ્મલયરા” સુધી પચ્ચીશ પદ થાય છે. તે એકેક પદે એકેક શ્વાસોચ્છવાસ ગણતાં ત્યાં સુધી કાઉસ્સગ્ન કરવો જોઈએ. લોગસ્સ’ ન આવડે તો ચાર “નવકાર” ગણવા. જો કે તેથી તો બત્રીશ શ્વાસોચ્છવાસ થાય છે; પણ “લોગસ્સ” નથી આવડતો તેથી “નવકાર”થી ન છૂટકે-અપવાદરૂપે કામ ચલાવવું પડે છે. પછી પ્રકટ “લોગસ્સ”
Page #545
--------------------------------------------------------------------------
________________ પ૪૨ કહેવો. તેનું કારણ એ કે સામાયિક લેવા પૂર્વે દેવવંદન કરવું જોઈએ તે સામાન્યતઃ “લોગસ્સ”ના પાઠથી થઈ જાય છે. પછી “ખમાસમણ” દઈ મુહપત્તિ પડિલેહવાનો આદેશ માગી મુહપત્તિ પડિલેહવી, તેનું કારણ એ છે કે આગળ ખમાસમણપૂર્વક આદેશો માગવાના છે, તે ખમાસમણ દેતાં પાંચે અંગ (બે હાથ, બે ઢીંચણ, મસ્તક) ભેળાં થાય ત્યાં જીવહિંસાનો સંભવ છે; તેથી તેમાં કોઈ જીવ રહેલ હોય તે પડિલેહણથી દૂર થાય, પછી “ખમાસમણ” પૂર્વક “સામાયિક સંદિસાહુ” અને સામાયિક ઠાઉં” એવા બે આદેશો માગવાના છે. પહેલાથી સામાયિક લેવા સંબંધી આદેશ (આજ્ઞા) મંગાય છે, ને બીજાથી સામાયિકમાં સ્થિર થવા સંબંધી આદેશ મંગાય છે, પછી એક “નવકાર” ગણી ગુરુ પાસે સામાયિક દંડક ઉચ્ચરાવવા સંબંધી પ્રાર્થના કરવામાં આવે છે, અત્રે ગુરુ ન હોય તો સામાયિક લીધેલ કે લેતા જ્ઞાનવૃદ્ધ શ્રાવક પાસે તે પ્રમાણે પ્રાર્થના કરવામાં આવે છે, અને તે “કરેમિ ભંતે ઉચ્ચરાવે છે. આ પ્રાર્થના ગુરુના વિનયાર્થે છે ગુરૂને અભાવે જે વડીલ શ્રાવક હોય તેની પાસે સૂત્રો બોલવા સંબંધી આદેશો માગવા. તેના પાર્યા પછી કાઉસ્સગ્ગ પારવો, સર્વ આદેશો તેમને જ માગવા દેવા, અને બીજાઓએ તેમની નિશ્રાએ વર્તવું, ઇત્યાદિ વિનયકરણી કરવી જરૂરની છે. જિનાજ્ઞા એવી જ છે. માટે તેનો ઉપયોગપૂર્વક ખપ કરવો. પછી ચાર ખમાસમણ દેવાપૂર્વક ચાર આદેશો માગવામાં આવે છે. તેમાં બેસણે “સંદિસાહુ” એ બેસવાની રજા માંગવા સંબંધી છે. અત્રે ઉભો હોય તે જ બેસવાની આજ્ઞા માગે તેથી સામાયિક ઉભા ઉભા લેવું એમ સૂચવાય છે. બેઠેલો બેસવાની આજ્ઞા માગે તે જેમ હાસ્યપાત્ર થાય છે. તેમ અત્રે પણ સમજવું.
Page #546
--------------------------------------------------------------------------
________________ પ૪૩ પછી “બેસણે હાઉ” એટલે બેસું છું. એજ પ્રકારે “સક્ઝાય સંદિસાહું” એટલે સ્વાધ્યાય કરવાની આજ્ઞા આપો અને “સઝાય કરૂં” એટલે સ્વાધ્યાય (પઠન-પાઠન)માં પ્રવર્તે છું. પછી માંગલિક અર્થે ત્રણ નવકાર ગણવા. અહીંથી દૈવસિક પ્રતિક્રમણનો પ્રારંભ થાય છે. પ્રથમ પચ્ચકખાણ લેવા માટે ગુરુના વિનયાર્થે વાંદણાં દેવામાં આવે છે, તેની પહેલાં ખમાસમણ દેવાપૂર્વક મુહપત્તિ પડિલેહવી. આ ખમાસમણ દેવાનો અધિકાર શ્રી એનપ્રશ્નમાં છે. મુહપત્તિ પડિલેહી, વાંદણાં દેઈ, પચ્ચખાણ લઈ ખમાસમણ દઈ “ચૈત્યવંદન” કરવું. તે કરતી વખતે બંને ઢીચણો ભૂમિપર સ્થાપીને યોગમુદ્રાએ બેસવું. પછી જંકિચિ કહેવું. ચૈત્યવંદન અને જંકિંચિથી જિનનું સ્તવન તથા વંદન થાય છે. હરકોઈ શુભકાર્યના આરંભમાં દેવવંદન કરવું જોઈએ, એ હેતુથી અત્ર પણ ચાર સ્તુતિએ દેવવંદન કરવામાં આવે છે, પહેલી સ્તુતિથી અમુક અરિહંતનું આરાધન, બીજીથી સર્વ અરિહંતનું આરાધન, ત્રીજીથી શ્રુતજ્ઞાનનું આરાધન અને ચોથીથી ધર્મકાર્યોમાં નડતાં વિનોને દૂર કરનારા શાસનદેવતાનું સ્મરણ થાય છે. આ દેવવંદનમાં બાર અધિકાર આવે છે, તે લખીએ છીએ“નમુત્થણંથી જીઅભયાણ” સુધી પહેલો અધિકાર ગણાય છે. તેથી સમવસરણમાં વિરાજિત ભાવ અરિહંત ભગવાનને વંદના થાય છે. નમુત્થણની છેલ્લી ગાથાથી દ્રવ્યજિનને વંદના થાય છે. અનાગતકાળે થનારા તીર્થકરો જેમના જીવો અત્યારે દેવલોક વગેરેમાં છે તે તેમ જ સિદ્ધિસ્થાનમાં ગયેલા તીર્થકરો પણ દ્રવ્યજિન કહેવાય છે. એ બીજો અધિકાર. “અરિહંત ચેઈઆણંથી ત્રીજો અધિકાર ગણાય છે, અને તેથી એક ચૈત્યના સ્થાપનાજિન 1. ડાબો ઢીંચણ ઉભો રાખી ચૈત્યવંદન કરવામાં નમ્રતા અને જમણો ઢીંચણ ઉભો રાખી વંદિત્ત બોલવામાં વીરાસન બતાવવામાં આવે છે.
Page #547
--------------------------------------------------------------------------
________________ 544 (પ્રતિમા)ને વંદના થાય છે, “લોગસ્સ’ એ ચોથો અધિકાર છે. તેથી નામજિનને (જિનેશ્વરના નામકીર્તનરૂ૫) વંદના થાય છે. “સવ્વલોએ અરિહંત ચેઈઆણંથી ત્રણ ભુવનના સ્થાપનાજિનને વંદન થાય છે. એ પાંચમો અધિકાર. “પુફખરવરદીથી વિહરમાન જિન (વિચરતા જિન શ્રી સીમંધરાદિ)ને વંદન થાય છે; એ છઠ્ઠો અધિકાર, “તમતિમિરપડલ' ઇત્યાદિ ત્રણ ગાથાથી શ્રુતજ્ઞાનને વંદન થાય છે, એ સાતમો અધિકાર. “સિદ્ધાણં બુદ્ધાણં”થી સર્વ સિદ્ધોને વંદન થાય છે, એ આઠમો અધિકાર, નવમા અધિકારમાં “જો દેવાણ વિ દેવો” ઇત્યાદિ બે ગાથાથી તીર્થાધિપતિ શ્રી વીરસ્વામિની સ્તુતિ થાય છે. દશમે અધિકારે “ઉર્જિતસેલસિહરે” એ ગાથાથી રેવતાચલમંડન શ્રી નેમિનાથને વંદન થાય છે. ચત્તારિઅદસદોય” એ ગાથાથી અષ્ટાપદ પર્વતને વિષે સ્થાપેલા ચોવીશ જિનને તથા બીજી અનેક રીતે જિનેશ્વરોને વંદન થાય છે, એ અગ્યારમો અધિકાર અને છેલ્લે એટલે બારમા અધિકારે “વૈયાવચ્ચગરાણ” ઈત્યાદિ પાઠથી સમ્યગ્દષ્ટિ દેવનું સ્મરણ થાય છે. એ પ્રકારે બાર અધિકારના સ્થાનકો જાણી તે તે સ્થાનકે ચૈત્યવંદન કરનારાઓએ ઉપયોગપૂર્વક વંદન કરવાનું લક્ષ્યમાં રાખવું જરૂરનું છે. વળી ચાર ખમાસમણપૂર્વક ચારને થોભવંદન કરવાનું છે. પહેલા ખમાસમણથી “ભગવાન” એ પદવડે અરિહંત ભગવાનું અથવા ધર્માચાર્ય પણ લેવા, એટલે જેનાથી ધર્મ પામ્યા હોઈએ તેને વંદન કરવું, બાકીના ત્રણ પાઠથી અનુક્રમે આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુને વંદન થાય છે. અને વળી “ઇચ્છકારી સમસ્ત શ્રાવક વંદું” એ પાઠથી સર્વ શ્રાવકોને વંદન કરાય છે (આ વિધિનો પ્રચાર થોડો હોવાથી તે પ્રમાણે વર્તવા અને અન્યને વર્તાવવા ઉપયોગ રાખવો) પછી “દેવસિયપડિક્કમણે ઠાઉં”નો
Page #548
--------------------------------------------------------------------------
________________ 545 આદેશ માગી જમણો હાથ તથા મસ્તક ચરવળા પર સ્થાપી સબ્યસ્તવિ દેવસિય”નો પાઠ કહેવો. અહીં ચરવળા ઉપર હાથ તથા મસ્તક સ્થાપવા તે ગુરુના ચરણ સ્પર્શવારૂપ સમજવું, તથા માથે ભારથી નમવાનું થયું એમ પણ સમજવાનું છે. “સબૂસ્તવિ દેવસિય”થી દિવસના પાપનું સામાન્યપણે આલોચન થાય છે. તે પ્રતિક્રમણનું બીજક સમજવું. પછી ઉભા થઈ “કરેમિ ભંતે”નો પાઠ કહેવો, અહીંથી પહેલું આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય કરણ. - પછી કાંઈક ફુટ રીતે પાપની, આલોચનારૂપ “ઇચ્છામિ ઠામિ' કહેવું. પછી “તસ્સ ઉત્તરી” આદિ કહી પંચાચારની આઠ ગાથાનો કાયોત્સર્ગ કરવો, તે કાયોત્સર્ગની અંદર પંચાચાર સંબંધી જે દૂષણો લાગ્યાં હોય, તે સમકિતની શુદ્ધિ માટે સંભારી કાઢવાં, જેથી આગળ પાપને વિશેષ આલોચતી વખતે સુગમ પડે. પછી લોગસ્સ” કહેવો એ બીજું આવશ્યક. પછી ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહિને વાંદરાં બે દેવાં (અહીં) મુહપત્તિના 50 બોલ, વાંદણાંના પચ્ચીશ આવશ્યક તથા સત્તર પ્રમાર્જની વગેરે બાબતો પર ધ્યાન રાખવાનું છે.) એ ત્રીજ આવશ્યક. અહિંથી આગળ ચાલતાં છેક “અમ્પટ્ટિયો” સુધી પ્રતિક્રમણ નામક ચોથું આવશ્યક જાણવું. અહીં ગુરુની સમક્ષ પાપ આલોચવું છે, તેથી તેમના વિશેષ વિનાયાર્થે દ્વાદશાવર્ત વંદન કરવું. પછી “જો મે દેવસિયો અઈઆરોકઓ” તથા “સાત લાખ અને અઢાર પાપસ્થાનક”ને આલોચવા, તે પાપની સામાન્ય આલોચના જાણવી. પછી “સદ્ગુસ્સવિ” કહેવું, તે ગુરુ આગળ પ્રાયશ્ચિત માગવારૂપ છે, અત્ર ગુરુ “પડિક્કમેહ” એટલે પ્રતિક્રમણ ૩પ
Page #549
--------------------------------------------------------------------------
________________ પ૪૬ કરો” એમ કહે. એ પ્રકારના દશ માંહેલા બીજા પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરી. બેસીને માંગલિક અર્થે એક “નવકાર' ગણે, સમતાની વૃદ્ધિને અર્થે “કરેમિ ભંતે' કહે. વારંવાર કરેમિ ભંતે” કહેવાથી સમતાની વિશેષ વૃદ્ધિ થાય છે. જે અતિ આવશ્યક છે. પછી સામાન્ય પાપ આલોચવા રૂપ “ઈચ્છામિ પડિક્કમિઉં જો મે દેવસિયો' કહે, પછી “વંદિતુ' કહે, તે વિશેષ સ્કુટપણે પાપની આલોચનારૂપ છે. જે જે દોષ લાગ્યા હોય તે તે દોષોનું પ્રાયશ્ચિત્ત કરવા મહાપશ્ચાત્તાપપૂર્વક મહાવૈરાગ્યભાવથી ચિંતન કરવાનું છે. જેવા સંફિલષ્ટ અધ્યવસાય પાપ બાંધતી વખતે આવ્યા હોય તેવા જ અગર તેથી વધારે વિશુદ્ધ અધ્યવસાય પાપને આલોચતી વખતે આવે તો તથા પ્રકારે યથાર્થ રીતે તે પાપનો ક્ષય થઈ શકે છે; અન્યથા પ્રતિક્રમણ કર્યા છતાં પાપનો ક્ષય થતો નથી. ઉપયોગ વગરની ક્રિયા નિષ્ફળપ્રાયઃ થાય છે, માટે સાવધાનપણે આલોચના કરવાનું ખાસ ધ્યાનમાં રાખવું. વંદિત્ત કહેતી વખતે ડાબો ઢીંચણ વાળીને જમીન ઉપર સ્થાપવો અને તે (ડાબા ઢીંચણ)ના તળીયા ઉપર જમણા પગની બાજુના પાછળના અધોભાગનો સર્વ ભાર આવે તેમ જમણો પગ ઉભો રાખી બેસવું, ખરી રીતે તો આ બે ઢીંચણ જેવી રીતે સ્થાપવાના કહ્યા છે તેવીજ રીતે ભૂમિ પર ફક્ત બંને પગની અંગુલી જ સ્થાપીને ઉભડક બેસવાનું છે, તેમ ન બને તો ઉપર મુજબ બેસવું. આવા ઉત્કટ આસનથી ઉપયોગ એકાગ્ર થાય છે, અને તેથી અતિચારની ચિંતના બરાબર થાય છે “તસ્ય ધમ્મસ્સવ” ગાથાથી ઉભા થઈને શેષ “વંદિg” બોલે. આ વિધિ ભારને ઉતારીને હળવા થનાર મજારની પેઠે શ્રાવક પણ પાપરૂપી ભારથી હળવો થયો એમ સૂચવવા અર્થે છે.
Page #550
--------------------------------------------------------------------------
________________ 547 પછી ગુરુને અપરાધ ખમાવવા અર્થે બે વાંદણાપૂર્વક અમ્મુઠ્ઠિઓ અલ્પિતર” સૂત્રથી અપરાધ ખમાવે. પ્રતિક્રમણ કરવાથી પણ જે અશુદ્ધ રહ્યો હોય તેવા ચારિત્રાચારના અતિચારની શુદ્ધિને માટે કાઉસ્સગ્ન કરવાનો છે તેથી પ્રથમ બે વાંદણાં દે. અહીંથી પાંચમું આવશ્યક શરૂ થાય છે. ચારિત્રાચારની વિશુદ્ધિ કષાયની ઉપશાંતિએ જ થાય, તેથી આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિરાદિ પ્રત્યે તથા સર્વ જીવ પ્રત્યે કરેલા અપરાધ ખમાવવા માટે “આયરિય વિઝાએ સૂત્ર બોલે, તે પહેલાં વંદન કરે (બે વાંદણાં દે), તેનું કારણ. જેમ દરેક ક્રિયા પંચપરમેષ્ટિને નમસ્કાર કરીને કરવામાં આવે છે તેમ ગુરુ સમીપની સર્વ ક્રિયા ગુરુના બહુમાનાર્થે વંદન કરવાપૂર્વક કરવી તે છે, તેમજ આઠ કારણે વાંદણાં દેવામાં આવે છે તેમાંનું કાયોત્સર્ગ પણ એક કારણ છે. અવગ્રહમાંથી પાછો ઓસરતો ઓસરતો “આયરિય વિઝાએ બોલે તે જાણે પોતે કષાયચતુષ્ટયથી પાછો નિવર્તતો હોય એમ બતાવે છે. તે પછી સમતાની વૃદ્ધિ અર્થે “કરેમિ ભંતે” કહી પ્રથમ લખેલા હેતુ પ્રમાણે “ઈચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી” ઈત્યાદિ કહી બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. તેનું કારણ ચારિત્ર વિનાનું એકલું જ્ઞાન પાંગળું છે. ચારિત્ર સહિત જ્ઞાન સફળ થાય છે. બીજા આચારો કરતાં ચારિત્રાચારમાં વિશેષ દૂષણ લાગે છે, તેથી તેની વિશુદ્ધિ માટે પ્રથમ કાયોત્સર્ગ કરવો પછી સમ્યગુ જ્ઞાનનું મૂળ દર્શન (શ્રદ્ધા-સમ્યકત્વ) છે, તેથી દર્શનાચારની વિશુદ્ધિ માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ગ જ્ઞાનાચારથી પ્રથમ કરવો. તેને માટે ચતુર્વિશતિ જિનના ગુણોત્કીર્તનમાં “લોગસ્સ0 સવ્વલોએ” ઇત્યાદિ કહીને કાઉસ્સગ કરે. પછી જ્ઞાનાચારની વિશુદ્ધિને અર્થે પુખરવરદીઓ સુઅસ્સે ભગવઓ” ઈત્યાદિ કહેતો એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરે.
Page #551
--------------------------------------------------------------------------
________________ પ૪૮ પછી એ સર્વ આચારના નિરતિચારપણે સમ્યક આચરણથી ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત કરનાર સર્વ સિદ્ધોને વંદન કરવારૂપ “સિદ્ધાણં બુદ્ધાણ” કહે. પછી શ્રુતજ્ઞાનથી જ ધર્મનું સર્વ સ્વરૂપ સમજાય છે, તે શ્રતધર્મની વૃદ્ધિ મૃતદેવતાથી થતી હોવાથી તેના સ્મરણ અર્થે એક નવકારનો કાયોત્સર્ગ કરી પારીને “સુઅદેવયાની” સ્તુતિ કહે, સ્વલ્પ પ્રયાસે દેવતા સાધ્ય હોવાથી આઠ શ્વાસોચ્છવાસ (એક નવકારના આઠ શ્વાસોચ્છવાસ થાય છે)નો કાયોત્સર્ગ કરવો. તે જ પ્રમાણે જે ક્ષેત્રમાં આપણે છીએ તે દેવતા અનુકૂળ હોય તો આપણું જ ધર્મકાર્ય નિર્વિદનપણે પરિપૂર્ણ થાય તેથી તેના સ્મરણાર્થે પણ એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને “જીસે ખિત્તે સાહુની થોય કહેવી. પછી મંગલાર્થે એક નવકાર ગણી, બેસીને મુહપત્તિ પડિલેહવી. તે હવે પછી ગુરુને દ્વાદશાવર્ત વંદન કરવું છે તેને અર્થે છે. લૌકિકમાં પણ રાજા અમુક કાર્ય બતાવે તે કર્યા બાદ પ્રણામ કરીને નિવેદન કરવાનું પ્રવર્તન છે. આ છેલ્લું વંદન સમજવું. પચ્ચકખાણરૂપી છટું આવશ્યક તો પહેલાં જ થઈ ગયું છે તેથી હવે તે કરવાનું નથી. પછી છ આવશ્યક સંભારવાં, પછી “ઇચ્છામો અણુસર્રેિ' કહી બેસી ઉચ્ચ સ્વરે “નમો ખમાસમણાણં નમોડતુ” ઇત્યાદિ પૂર્વક “નમોડસ્તુ વદ્ધમાનાય”ની ત્રણ સ્તુતિ અને “નમુત્થણ તથા સ્તવન” કહેવાં. “ઇચ્છામો અણસર્ફિ” એટલે અમે અનુશાસ્તિગુરુની આજ્ઞા-હિતશિક્ષાને ઇચ્છીએ છીએ, તે આજ્ઞા પ્રમાણ 1. અહીં ગુરૂ મહારાજની આજ્ઞાપૂર્વક મેં પ્રતિક્રમણ કર્યું છે એમ સંભાવના કરવાની મતલબ એ છે કે પ્રતિક્રમણ સંબંધી હવે બીજા આદેશ ગુરૂમહારાજ પાસે માગવાના નથી.
Page #552
--------------------------------------------------------------------------
________________ 549 કરવા રૂપ “નમો ખમાસમણાણ” ઈત્યાદિ પદથી ગુરુને તથા પંચપરમેષ્ઠિને નમસ્કાર થાય છે. અને ઉચ્ચ સ્વરે ત્રણ સ્તુતિ તથા નમુત્થણે અને સ્તવન કહેવાય છે તે “પડાવશ્યક નિર્વિદને પૂર્ણ થયાં” તેનો હર્ષ ઉત્પન્ન થયેલો છે એ સૂચવવા અર્થે છે. “નમોડસ્તુ” તથા રાઇ પ્રતિક્રમણમાં “વિશાલલોચન'ને બદલે સ્ત્રીઓ “સંસારદાવા”ની ત્રણ ગાથા કહે, કારણ કે “નમોડસ્તુ, વિશાલલોચન, નમોડહંતુ”એ પૂર્વાન્તર્ગત છે, તેથી સ્ત્રીઓ ન કહે, એમ કહેવું છે. પછી ઉત્કૃષ્ટ કાળે વર્તતા 170 જિન વાંદવા અર્થે ‘વરકનક” કહે તથા ચાર ખમાસમણપૂર્વક ગુર્નાદિકને વંદન કરે, પછી અઢીદ્વીપમાં રહેલા મુનિઓના વંદન અર્થે “અઠ્ઠાઇક્વેસુ” કહે, દરેક ક્રિયા દેવ-ગુરુના વંદનપૂર્વક શરૂ થાય અને દેવ-ગુરૂના વંદનપૂર્વક પૂરી થાય. એ અર્થે અત્ર છેલ્લે પણ દેવ-ગુરૂને વંદન કરવામાં આવે છે. આ દેવ-ગુરુવંદન મુનિને નમોડર્ડથી ચાર ખમાસમણ દેવા સુધી જાણવું અને શ્રાવકને અઢાઇક્વેસુ કહેવા પર્યત જાણવું. પછી પ્રથમના “કાઉસ્સગ્ગ” કરતાં રહેલ અતિચારને ટાળવા અર્થે દેવસિક પ્રાયશ્ચિત્ત વિશોધનાર્થે ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરે, પછી મંગળાથે પ્રકટ લોગસ્સ કહી, બે ખમાસમણ દેવાપૂર્વક સઝાયના બે આદેશ માગી બેસી, એક નવકાર ગણી સઝાય કહે. ત્રણ આચારની વિશુદ્ધિ અર્થે કાઉસ્સો કરવામાં આવ્યા છે અને તપ આચારની વિશુદ્ધિ માટે પચ્ચખાણ કર્યું છે, તેથી વિશુદ્ધિ થઈ ગઈ છે તથા પ્રતિક્રમણ કરતાં જે વીર્ય ફોરવવું પડે તેથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. સઝાય કહ્યા બાદ દુઃખખિય કર્મખિય નિમિત્તે ચાર લોગસ્સનો કાઉસ્સગ કરવો.
Page #553
--------------------------------------------------------------------------
________________ પપ0 આ લોગસ્સ પૂરા કહેવા; બાકી સર્વ કાઉસ્સગો “ચંદેસ નિમૅલયરા” સુધી કહેવા. કાઉસ્સગ્ન કર્યા પછી પારીને મંગલાર્થે એક જણ “લઘુશાંતિ” કહે, બીજા કાયોત્સર્ગમાં જ સાંભળે. કાઉસ્સગ્ગ પારી પ્રકટ “લોગસ્સ” કહે તે પછી ઇરિયાવહિ પ્રતિક્રમે તથા ચઉક્કસાયથી જયવીયરાય સુધી ચૈત્યવંદન કરી સામાયિક પારવા પર્યત જે વિધિ છે તે સર્વ કરે. સઝાય પછીની વિધિની હકીકત મૂળગ્રંથમાં નથી, તે વર્તમાન પ્રવૃત્તિને અનુસારે લખી છે. ઇતિ દેવસિક પ્રતિક્રમણના હેતુ રાઇપ્રતિક્રમણના સામાન્ય હેતુઓ પ્રથમ સામાયિક લઈ “કુસુમણિ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈ પાયચ્છિત્ત વિસોહણ€ કાઉસ્સગ કરૂ ? ઇચ્છે, કુસુમિણ દુસુમિણ ઊઠ્ઠાવણી રાઈ પાયચ્છિત વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ” ઇત્યાદિ કહી ચાર લોગસ્સનો 108 શ્વાસોચ્છવાસ પ્રમાણ એટલે “સાગરવરગંભીરા” પદ સુધી ગણતાં એક લોગસ્સના 27 પદ થાય તેને ચાર ગુણા કરતાં 108 પદ થાય છે, તેટલો કાયોત્સર્ગ કરવો. અત્ર એ વિશેષ છે કે કુસ્વપ્ન આવ્યું હોય અગર ન આવ્યું હોય તો 100 શ્વાસોચ્છવાસ (ચંદેસુ નિમલયરા સુધી ચાર લોગસ્સ)નો કાયોત્સર્ગ કરે અને સ્વપ્રમાં સ્ત્રીસેવન પણ થયું હોય તો 108 શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરે, પણ પ્રમાદવશાતુ કેવું સ્વપ્ર આવ્યું હતું તેની સ્મૃતિ ન રહે, તેથી 108 શ્વાસોચ્છવાસ પ્રમાણનો કાયોત્સર્ગ કરવાનું પ્રવર્તન છે. એ કાયોત્સર્ગથી રાત્રિ સંબંધી ઘણાં પાપ દૂર થાય છે. 1. રાગાદિમય કુસ્વપ્ર અને દ્વેષાદિમય દુઃસ્વપ્ર.
Page #554
--------------------------------------------------------------------------
________________ પપ૧ પછી સર્વ ધર્માનુષ્ઠાન દેવ-ગુરુવંદન પૂર્વક કરવું, માટે પ્રથમ જગચિંતામણિ”નું ચૈત્યવંદન “જયવીરાય” પર્યત કરવું. પછી “ભરફેસર”ની સક્ઝાય ઉત્તમ પુરુષો તથા સ્ત્રીઓના નામ સ્મરણાર્થે કહેવામાં આવે છે. પછી - ગુરુમહારાજને સુખશાતા પૂછી રાઈ પડિક્કમ ઠાઈને શિક્રસ્તવ', કહેવાય છે, તે પ્રતિક્રમણનો આરંભ થયો તેની પહેલાં દેવવંદન કરવા અર્થે છે. પ્રથમ ચૈત્યવંદન કર્યું પણ તે આવશ્યક બહારની ક્રિયા છે. પછી “કરેમિ ભંતે” કહે તે પહેલું આવશ્યક. પછી ચારિત્રાચાર, દર્શનાચાર તથા જ્ઞાનાચારની વિશુદ્ધિ અર્થે અનુક્રમે એક લોગસ્સ. એક લોગસ્સ તથા આઠ ગાથાનો કાયોત્સર્ગ કરવામાં આવે છે, અત્ર ચારિત્રાચારનો એક લોગસ્સનો કાયોત્સર્ગ કરવામાં આવ્યો અને દૈવસિકમાં બે લોગસ્સનો કરવામાં આવે છે તેનું કારણ દિવસ કરતાં રાત્રિને વિષે પ્રવૃત્તિ ઓછી હોવાને લીધે પ્રાય: અલ્પ દોષ લાગે છે તે છે. દોષનું ચિંતવન ત્રીજા કાયોત્સર્ગમાં કરાય છે અને પહેલા કાયોત્સર્ગમાં નહિ; તેનું કારણ એ છે કે પહેલા કાયોત્સર્ગમાં નિદ્રાનો ઉદય હોય તેથી દોષનું સંભારવું બરાબર ન થાય તે માટે ત્રીજામાં સંભારવામાં આવે છે. પહેલા કાઉસ્સગ્ન પછી “લોગસ્સ” કહેવાય છે, તે બીજું આવશ્યક. ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદરાં દેવાય છે, તે ત્રીજું આવશ્યક. વાંદણાં દીધા પછી ઇચ્છા રાઈએ આલોઉ૦. સાત લાખ, અઢાર પાપસ્થાનક, વંદિત્ત, અબ્યુટ્ટિઓ વગેરે કહેવામાં આવે છે. તે સર્વ ચોથા આવશ્યકની ક્રિયા છે. તેના હેતુ દૈવસિક પ્રતિક્રમણ પેઠે જાણવા, પછી પ્રથમ ત્રણ કરાઇપ્રતિક્રમણનો કાઉસ્સગ્ગ 50 શ્વાસોચ્છવાસ પ્રમાણ કહેલો છે. તેથી ચારિત્રાચાર અને દર્શનાચારના મળી બે લોગસ્સનો કાઉસ્સગ્નને પાંચમા આવશ્યક તરીકે ગણવું ઠીક લાગે છે.
Page #555
--------------------------------------------------------------------------
________________ પપ૨ આચારોના કાયોત્સર્ગથી પણ અશુદ્ધ રહેલ અતિચારોની એકત્ર શુદ્ધચર્થે તપ ચિંતવનનો કાયોત્સર્ગ કરવાનો છે તે ન આવડે તો સોળ નવકારનો કરે. એમ પ્રવર્તન છે. પણ ખરી રીતે તો તપનું ચિંતવન કરવું જોઈએ, તેની વિધિ આ પ્રમાણે “શ્રી વીર ભગવંતે છ માસી તપ કર્યો, હે ચેતન ! તે તું કરી શકીશ? (અત્ર ઉત્તર મનમાં ચિંતવવો કે) શક્તિ નથી, પરિણામ નથી. તો એક ઉપવાસ ઓછો કર. શક્તિ નથી, પરિણામ નથી, તો બે ઉપવાસ ઓછા કર, એમ યાવ-ર૯ ઉપવાસ ઓછા કરવા પર્યત ચિંતવવું અને દરેક વખતે શક્તિ નથી, પરિણામ નથી, એમ મનમાં બોલવું. પછી પંચમાસી કર, ચઉમાસી કર, ત્રિમાસી કર, દ્વિમાસી કર, માસક્ષમણ કર, અહીં પણ દરેક વખતે ઉત્તર મનમાં ચિંતવતા જવું, પછી એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન; એમ તેર દિવસ ન્યૂન (17 ઉપવાસ) સુધી વિચારવું. પછી 34 ભક્ત (16 ઉપવાસ) કરી શકીશ? ૩ર ભક્ત કર, 30 ભક્ત કર, એમ બબે ભક્ત ઓછા કરતાં યાવતુ ચીથભક્ત સુધી કહેવું પછી આયંબિલ કર, નીવિ કર, એકાસણ કર, અવઢ કર, પુરિમઠુકર, સાઢપોરિસિ કર, પોરિસિ કર, નમુકારસી મુફિસહિએ કર; અહીં સર્વ સ્થાનકે શક્તિ નથી, પરિણામ નથી, એમ ચિંતવવું, પણ જે તપ કર્યો હોય પણ અત્યારે કરવો ન હોય ત્યાં કહેવું કે શક્તિ છે પણ પરિણામ નથી, અને છેલ્લે જે તપ કરવો હોય ત્યાં શક્તિ પણ છે અને પરિણામ પણ છે એમ કહી કાયોત્સર્ગ પારીને લોગસ્સ કહેવો. પછી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદરાં દેવાં પછી તીર્થવંદનાદિક કરી કાયોત્સર્ગમાં જે પચ્ચકખાણ કરવા ધાર્યું હોય તે અત્ર પ્રકટપણે લેવું, એ છટું આવશ્યક, પછી પડાવશ્યક પૂરા થયા તેનો હર્ષ થયો તેથી વીરસ્તુતિરૂપ વિશાલ લોચન કહે,
Page #556
--------------------------------------------------------------------------
________________ પપ૩ પણ મંદસ્વરે કહે, કારણ કે ઉચ્ચ સ્વરે બોલવાથી હિસક જીવો જાગી હિંસામાં પ્રવર્તે તો કારણિક પોતે થાય, આખું રાઈપ્રતિક્રમણ મંદ સ્વરે જ કરવું જોઇએ. પછી ચાર થોઈએ દેવવંદન કરે. પછી ચાર ખમાસમણપૂર્વક ગુર્નાદિકને વાંદી, “અઢાઇક્વેસુ” કહે, પછી સીમંધરસ્વામીનું તથા સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરે. તે સામાચારી પ્રમાણે તથા સામાયિકનો બે ઘડી કાળ પૂર્ણ કરવા માટે સૂચન થાય છે. આ પ્રતિક્રમણમાં “જગચિંતામણિ” તથા વિશાલલોચન એમ બે ચૈત્યવંદનો આવે છે, છતાં શ્રી સીમંધરસ્વામિ આદિનાં ચૈત્યવંદન કરીએ છીએ, તે વિશેષ માંગળિક અર્થે સમજવાં. તેજ પ્રમાણે સાંજના પ્રતિક્રમણમાં “નમોડસ્તુ વર્તમાનાય” તથા “ચઉકસાય” ચૈત્યવંદનો આવે છે, છતાં આરંભમાં દેવવંદન કરીએ છીએ, તે પણ વિશેષ માંગલિકના અર્થે સમજવું. - ભગવાનાદિને વાંદ્યા પહેલાં શ્રાવક પૌષધમાં હોય તો તે “બહુવેલ સંદિસાહું” તથા “બહુવેલ કરશું” એવા આદેશો માગે, છૂટા શ્રાવકને તેમ કરવાનું નથી. પફની, ચૌમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણના સામાન્ય હેતુઓ સૂક્ષ્મ અને બાદર અતિચારની વિશુદ્ધિ માટે દિવસ અને રાત્રિને છેડે દેવસી અને રાઈ પ્રતિક્રમણ કરવા છતાં, પણ પક્ષ ચતુર્માસ અને સંવત્સરને અંતે પકુખી, ચોમાસ અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણ વિશેષ પ્રકારે કરાય છે. તે ઉત્તરીકરણ કરવાને અર્થે એટલે દેવસી-રાઈ પ્રતિક્રમણ દરરોજ કરવા છતાં પણ રહી ગયેલ દોષોનું નિવારણ કરવાને અર્થે સમજવું.
Page #557
--------------------------------------------------------------------------
________________ પપ૪ જેમ શરીરને તૈલાદિ વડે સંસ્કાર કર્યા છતાં પણ ધૂપ, વિલેપન અને આભૂષણાદિકે કરીને વિશેષ શોભિત કરે છે તેમ અહીં પણ વિશેષ શુદ્ધિ કરે છે. તેને માટે શાસ્ત્રકાર દૃષ્ટાંત આપે છે, કે - જેમ ઘરને હંમેશાં સાફ કરવામાં આવે છે તો પણ પર્યાદિકને વિષે વિશેષ પ્રકારે એટલે ચારે બાજુથી ખૂણેખાંચરેથી સાફ કરવામાં આવે છે, તેમ અહીં પણ હંમેશ પ્રતિક્રમણ કરવા છતાં પપ્પી આદિ પ્રતિક્રમણ વિશેષ શુદ્ધિને માટે કરવાનાં છે. વળી નિત્ય પ્રતિક્રમણ કરતાં કોઈક અતિચાર વિસ્મૃત થઈ ગયેલ હોય, સાંભર્યા છતાં ભયાદિકથી ગુરુ સમક્ષ પ્રતિક્રમ્યો નહોય અથવા તો પરિણામની મદતાથી સમ્યફ પ્રકારે પ્રતિક્રમેલ ન હોય તેવા અતિચારને પ્રતિક્રમવા માટે પકખી આદિ પ્રતિક્રમણ કરવાનાં છે. પાક્ષિક (પકુખી) પ્રતિક્રમણમાં વંદિત્તા સુધી દેવસી પ્રતિક્રમણ પ્રમાણે વિધિ કરવાની છે તેથી તેના હેતુ દેવની પ્રતિક્રમણ પ્રમાણે સમજી લેવા. ક્ષમા છે પ્રધાન જેમાં એવાં અનુષ્ઠાનો સફળ છે. એમ જણાવવા માટે 3 ફિરોઢું સંવૃદ્ધાગ્રામri ઇત્યાદિ પાઠવડે સંબુદ્ધ જે ગુર્વાદિક તેમને ખમાવવામાં આવે છે. અને ગુર્નાદિકને ખમાવવા છે તે માટે અગાઉ દ્વાદશાવર્ત વંદન (વાંદણાં) દેવામાં આવે છે અને વાંદણાં દેતાં વિરાધનાનો સંભવ છે તેથી વાંદરા અગાઉ શરૂઆતમાં પકિખ મુહપત્તિ પડિલેહવાની છે. તે પછી સંક્ષેપ અને વિસ્તારથી પાપ આલોવવા માટે આલોચનસૂત્ર અને અતિચાર કહે અને પછી સવરવ વય ઇત્યાદિ સૂત્ર કહીને ઉપવાસાદિરૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. પછી પ્રત્યેક ખામણાંવડે સર્વને ખમાવે, તેની પહેલાં ને પછી વિનયાર્થે ગુરુમહારાજને દ્વાદશાવર્ત વંદન કરે પછી પખી
Page #558
--------------------------------------------------------------------------
________________ પપપ ને વંદિત્તા સૂત્ર કહ્યા પછી બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તે પ્રતિક્રમણ કર્યા છતાં અશુદ્ધ રહેલા અતિચારોની શુદ્ધિને અર્થ જાણવો. પછી સમ્પત્તીમાં ઇત્યાદિ વડે છેવટે ખમાવવામાં આવે છે, છેવટે કરેલા કાયોત્સર્ગમાં સ્થિત રહ્યાછતાં શુભ એકાગ્ર ભાવવડે કોઈ અપરાધ ન સાંભર્યા હોય તેને ખમાવવા માટે જાણવું, અથવા અહીં સર્વથા પખી પ્રતિક્રમણની સમાપ્તિ થાય છે તેથી પ્રથમના ક્ષામણક પછી કંઈ અપ્રીતિકારી થયું હોય અથવા વિતથ (ખોટી) ક્રિયા થઈ હોય તો તે અહીં ખમાવવા માટે જાણવું. આ વિધિને ભગવંતે ત્રીજા વૈદ્યના ઔષધ સમાન કહી છે. પછી પક્રિખ-ખામણાં ખામવાનાં છે તેનો હેતુ ખામણાંના અર્થના પ્રસ્તાવે જણાવેલ છે, ત્યાંથી જોઈ લેવો. ત્યારપછી વંદિત્તાસૂત્ર પછીની વિધિ દેવસિ પ્રતિક્રમણ પ્રમાણે કરવાની છે માટે તેના હેતુ દેવસિ પ્રતિક્રમણ પેઠે જાણી લેવા. એમાં એટલું વિશેષ છેજે શ્રુતદેવતા પખીસૂત્રના પ્રાંતે સંભારેલ હોવાથી તેના કાઉસ્સગ્નને સ્થાને ભવનદેવતાનો કાઉસ્સગ્ન કરે. ક્ષેત્રદેવતાની નિરંતર સ્મૃતિમાં ભવનનું ક્ષેત્રમંતર્ગતપણું હોવાથી તત્ત્વથી તો તેમની સ્મૃતિ પણ દરરોજ થઈ જાય છે, તોપણ પર્વદિવસે તેનું બહુમાન કરવા માટે સાક્ષાતુ તેનો કાઉસ્સગ્ન કરાય છે. આમાં પંચવિધ આચારની વિશુદ્ધિ આ પ્રમાણે જાણવી-જ્ઞાનાદિ ગુણવાનની પ્રતિપત્તિરૂપ હોવાથી વાંદણાં અને સંબુદ્ધા ક્ષામણકથી જ્ઞાનાચારની, બાર લોગસ્સના કાઉસ્સગ્ન પછી પ્રકટ લોગસ્સ (ચઉવીસન્થો) કહેવાવડે દર્શનાચારની, અતિચારની આલોચના, પ્રત્યેક ક્ષામણક પખી સૂત્ર અને સમાપ્ત ક્ષામણક વગેરેથી ચારિત્રાચારની; તપની પ્રતિપત્તિ અને બાર લોગસ્સના કાઉસ્સગ્ન
Page #559
--------------------------------------------------------------------------
________________ પપ૬ વગેરે વડે બાહ્ય-અત્યંતર તપઆચારની અને એ સર્વ પ્રકાર વડે સમ્યમ્ આરાધના કરવાથી વીર્યાચારની વિશુદ્ધિ જાણવી. આ પ્રમાણે ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ સમજવું, ચઉમાસી પ્રતિક્રમણમાં ર૦ લોગસ્સનો અને સંવચ્છરી પ્રતિક્રમણમાં 40 લોગસ્સ, ઉપર એક નવકારનો કાઉસ્સગ્ગ કરાય છે, તે નવકાર માંગલિક અર્થે સમજવો. આ“હેતુઓ” “પ્રતિક્રમણગર્ભહેતુ” તથા “પ્રશ્નોત્તર રત્નચિંતામણિ” ગ્રંથને આધારે લખવામાં આવ્યા છે. સમાપ્ત શ્રી પદ્માવતી આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઇણ વેળા આવે. 1. તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની શાખ; જે મેં જીવ વિરાધીયા, ચીરાશી લાખ. તે મુજ૦ 2. સાત લાખ પૃથ્વી તણા, સાતે અપકાય; સાત લાખ-તેઉકાયના, સાતે વળી વાય. તે મુજ૩. દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ; બિતિ ચઉરિદ્ધિ જીવના, બે બે લાખ વિચાર. તે મુજ0 4. દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ0 પ. ઇણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂ, દુર્ગતિના દાતાર. તે મુજ) 6. હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે મુજ૦ 7.
Page #560
--------------------------------------------------------------------------
________________ પપ૭ પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયાં, વળી રાગ ને દ્વેષ. તે મુજO 8. કલહ કરી જીવ દુહવ્યા, કીધા કૂડા કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તે મુજ૦ 9. ચાડી કીધી ચોતરે, કીધો થાપણ મોસો; કુગુરૂ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો. તે મુજ૦ 10. ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલાં, માર્યા દિન રાત. તે મુજ0 11. કાજી મુલાને ભવે, પઢી મંત્રા કઠોર; જીવ અનેકઝબ્બે કીયા, કીધાં પાપ અઘોર. તે મુજ) 12. માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કોળી ભવે, મૃગ પાડ્યા પાશ. તે મુજ૦ 13. કોટવાળને ભવે મેં કિયા, આકારા કર દંડ; બંદીવાન મરાવીયા, કોયડા છડી દંડ. તે મુજ0 14. પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ. તે મુજ૦ 15. કુંભારને ભવે મેં કીધા, નીમાહપચાવ્યા તેલી ભવે તિલ પીલીયા, પાપે પીંડ ભરાવ્યાં. તે મુજ૦ 16. હાલી ભવે હળ ખેડીયાં, ફાડયાં પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણાં કીધાં, દીધાં બળદ ચપેટ. તે મુજ૦ 17. માળીને ભવે રોપીયાં, નાનાવિધ વૃક્ષ; મૂળ પત્ર ફળ ફુલના, લાગ્યાં પાપ તે લક્ષ. તે મુજ૦ 18. 1. વિનાશ. 2. નોંભાડા. 3. ખેડૂત.
Page #561
--------------------------------------------------------------------------
________________ પપ૮ અધોવાઈયાને ભવે, ભર્યા અધિકા ભાર; પોઠી પેઠે કીડા પડયા, દયા નાણીલગાર. તે મુજ૦ 19. છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ; અગ્નિઆરંભ કીધા ઘણા, ધાતુવાદ અભ્યાસ. તે મુજ) 20. શૂરપણે રણ ઝુઝતાં, માર્યો માણસ વૃંદ; મદિરા માંસમાખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે મુજ0 21. ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણા, પોતે પાપજ સંચ્યાં. તે મુજ૦ 22. કર્મ અંગાર કીયા વળી, ઘરમેં દવ દીધા; સમ ખાધા વીતરાગના, કૂડા કોસજ કીધા. તે મુજ૦ 23. બીલી ભવે ઉંદર લીયા, ગીરોલી હત્યારી; મૂઢ ગમાર તણે ભવે, મેં જુ લીખ મારી. તે મુજ0 24. ભાડભુંજા તણે ભવે, એ કેંદ્રિય જીવ; જવારી ચણા ગહું શેકીયા, પાડતા રીવ૬. તે મુજ) 25. ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક; રાંધણ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રક. તે મુજ) 26. વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટવિયોગ પાડ્યા ઘણા, કયારૂદનવિખવાદ. તે મુજ0 ર૭. સાધુ અને શ્રાવક તણાં, વ્રત લઈને ભાંગ્યાં; મૂળ અને ઉત્તર તણાં, મુજ દૂષણ લાગ્યાં. તે મુજ) 28. સાપ વીંછી સિંહ ચાવરા, શકરા ને સમળી; હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબળી. તે મુજ) 29. 1. ગાડાં ભાડે ફેરવનારા. 2. પોઠીયા બળદ. 3. ન આણી. 4. ભટ્ટીથી ચણા વગેરે અનાજ શેકનાર. 5. રાડો. 6. અધિક. 7. બાજપક્ષી. - -
Page #562
--------------------------------------------------------------------------
________________ પપ૯ સૂવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા; જીવાણી ઢોળ્યાં ઘણાં, શીળ વ્રત ભંજાવ્યાં. તે મુજ0 30. ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ ત્રિવિધત્રિવિધ કરી વોસિરૂંતીણશું પ્રતિબંધ. તે મુજO 31. ભવ અનંત ભમતાં થકાં, કીધાં પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, તીણશું પ્રતિબંધ. તે મુજ૦ 32. ભવ અનંત ભમતાં થકાં, કિધા કુટુંબ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, તીણશું પ્રતિબંધ. તે મુજ0 33. ઇણી પરે ઇહભવપરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, કરૂં જન્મ પવિત્ર. તે મુજ0 34 એણી વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે મુજ0 35. રાગી વૈરાગી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તત્કાળ. તે મુજ૦ 36. ચાર શરણાં મુજને ચાર શરણાં હોજો, અરિહંત સિદ્ધ સુ-સાધુજી, કેવલીધર્મ પ્રકાશીયો, રત્ન અમુલખ લાધુજી. મુજને૦ 1. ચઉગતિ તણાં દુઃખ છેદવા, સમરથ શરણાં હોજી; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણાં તેહોજી. મુજને) 2. સંસારમાંહી જીવને, સમરથ શરણાં ચારોજી; ગણી સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકારોજી મુજનેo 3. 1 નઠારાં. 2 વિખેરી. દૂર કરી.
Page #563
--------------------------------------------------------------------------
________________ પ૬૦ (2) સર્વજીવ ક્ષમાપના. લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકજી; મિચ્છામિ દુક્કડ દીજીએ, જિનવચને લહિએ ટેક જી. લાખ૦ 1. સાત લાખ ભૂદગ-તેલ વાઉના, દશ ચોદે વનના ભેદોજી; ખટવિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉ ચઉદે નરના ભેદોજી, લાખ૦૨. મુજ વૈર નહિ કેહશું, સહુશું મૈત્રી ભાવો જી; ગણી સમયસુંદર એમ કહે, પામીયે પુણ્ય પ્રભાવોજી. લાખ૦ 3. (3) અઢાર પાપ ત્યાગ. પાપ અઢારે જીવ પરિહરો, અરિહંતસિદ્ધની શાખે છે; આલોવ્યાં પાપ તે છૂટીએ, ભગવંત એણી પેરે ભાખે છે. પાપ૦ 1. આશ્રવ કષાય દોય બંધવા, વળી કલહ અભ્યાખ્યાન જી; રતિ અરતિ પશુન નિંદના, માયા મોહ મિથ્યાત્વ જી. પાપ૦ 2. મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડ તેહો જી; ગણી સમયસુંદર એમ કહે, જૈન ધર્મનો મર્મ એહો જી. પાપ૦ 3. (4) શ્રાવકનાં દીક્ષાનાં મનોરથો ધન ધન તે દિન મુજ કદિ હોશે, હું પામીશ સંજમ સૂધીજી; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરુ વચને પ્રતિબદ્ધો જી. ધન૦ 1. અંત પ્રાન્ત ભીક્ષા ગોચરી, રણ વને કાઉસ્સગ્ન કરશું જી; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધ ધરશું જી. ધન૦ 2. સંસારના સંકટ થકી, છૂટીશ જિનવચન અવધારો જી; ધન ધન સમયસુંદર તે ઘડી, હું પામીશ ભવનો પારો. ધન૦ 3. સમાપ્ત
Page #564
--------------------------------------------------------------------------
________________ શિક વીકેવી કેવી કેવી કેવી કેવી કેવી કેવી કેવી કેવી કેવી કેવી કેવી કેવી વીકલીફવકવી શ્રી જૈન શ્રેયકર મંડળ, મહેસાણા (અમારા પ્રકાશનો) છત્ર સામાયિક ચૈત્યવંદનાદિ સૂત્રો | દ્રવ્યગુણ પર્યાયનો રાસ બે પ્રતિક્રમણ મૂળ (ગુજ.) | જિનગુણ પદ્યાવલી | સમકિત 67 બોલની સઝાય ઠા એ બે પ્રતિક્રમણ મૂળ (સાથે) આત્મહિતકર આધ્યાત્મિક - પંચ પ્રતિક્રમણ મૂળ (ગુજ.) વસ્તુ સંગ્રહ) પંચ પ્રતિક્રમણ મૂળ (હિન્દી) | અભક્ષ્ય અનંતકાય વિચાર કે | પંચ પ્રતિક્રમણ (સાર્થ). (ગુજ.) હe ના જીવ વિચાર અભક્ષ્ય અનંતકાય વિચારે | નવતત્ત્વ પ્રકરણ (હિન્દી) દિક | દંડક - લધુસંગ્રહણી સમાસ સુબોધિકા ભાષ્યત્રયમ્, સિદ્ધહેમ રહસ્યવૃત્તિ કર્મગ્રન્થ ભાગ ૧લો (1-2). ગ કર્મગ્રન્થ ભાગ ૨જો (3-4). | પહેલી ચોપડી ઉન્ન કર્મગ્રન્થ ભાગ ૩જો (પ-૮) | ધર્મોપદેશ તત્ત્વજ્ઞાન શા તત્ત્વાર્થાધિગમસૂત્ર | પંચસંગ્રહ ભાગ 3 7ii પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ | તત્વાર્થાધિગમસૂત્ર ભાગ 1 8 (5. શ્રી પ્રભુદાસભાઈ કત) | તત્વાર્થાધિગમસૂત્ર ભાગ 2 જગ આનંદઘન ચોવીશી સાથે | (5. શ્રી પ્રભુદાસભાઈ કૃત) (H ગ્રાહકોને સૂચના ) 1. પુસ્તકો અગાઉથી નાણાં મળ્યા પછી કે વી.પી. થી મોકલી શકાય છે. || 2. પોસ્ટેજ પેકીંગ વગેરે ખર્ચ અલગ સમજવાનું છે. વ8333333333333333333 ઃપ્રાપ્તિસ્થાન: શ્રી જૈન શ્રેયસ્કર મંડળ | શ્રી જૈન શ્રેયસ્કર મંડળ નું સ્ટેશન રોડ, મહેસાણા (ઉ.ગુ.), બાબુ બિલ્ડીંગ, ગ પી. નં. 384001 | તળેટી રોડ, પાલીતાણા દિલ ફોનઃ (02762) 222927| (સૌરાષ્ટ્ર) પીન નં. 364270