________________
૧૯૧
અર્થ:- સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઇન્દ્ર સમુદાયે મેરુ પર્વતના શિખર ઉપર રાજહંસોની પાંખો વડે ઉડેલી કમળની રજ વડે પીળું થયેલ જે ક્ષીરસમુદ્રનું પાણી તેના વડે ભરેલા, અપ્સરાના સ્તનના સમૂહની સાથે અતિસ્પર્ધા કરનારા એવા સુવર્ણના કળશો વડે જે તીર્થકરોનો જન્માભિષેક કરેલ છે. તેઓના ચરણકમળોને હું નમ્યો છું. ૨.
શ્રુત-સિદ્ધાંત સ્તુતિ
(સ્ત્રગ્ધરાવૃત્તમ્) અહંન્નપ્રસૂત, ગણધરરચિતંદ્વાદશાંગવિશાલ, ચિત્ર બડ્વર્ણયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમભિઃ || મોક્ષાગ્રદ્વારભૂતં વ્રતચરણફલ શયભાવપ્રદીપ, ભકત્યા નિત્યં પ્રપદ્ય કૃતમહ-મખિલ સર્વલોકૈકસારમ્ II ૩.
અર્થ:- અહંતના મુખથકી પ્રગટ થયેલ, ગણધરોએ રચેલ દ્વાદશ અંગરૂ૫ વિશાલ, આશ્ચર્યકારી, ઘણા અર્થયુક્ત બુદ્ધિમંત સાધુ સમુદાયના નાયકો (આચાર્યો)એ ધારણ કરેલ, મોક્ષના અગ્રદ્વાર તુલ્ય, વ્રત અને ચારિત્રનું ફળ છે જેમાં એવા, જાણવા યોગ્ય ભાવોને (જણાવવામાં) દીપક સમાન અને સર્વ લોકને વિષે અદ્વિતીય સારભૂત સમસ્ત સિદ્ધાંતને હું નિરંતર ભક્તિ વડે અંગીકાર કરું છું. ૩.