________________
૧૯૨ નિષ્પ - કવ્યોમનીલ ઘુતિમલસદૃશં બાલ-ચંદ્રાભદંષ્ટ્ર, મત્ત ઘંટારવેણ પ્રસૂતમદજલ પૂરયન્ત સમત્તાત્ આરૂઢો દિવ્યનાગ વિચરતિ ગગને કામદ: કામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા સર્વકાર્યેષુ સિદ્ધિ ૪
અર્થ - વાદળ રહિત આકાશ જેવા નીલવર્ણવાળામદપૂર્ણિત નેત્રવાળા, બીજના ચંદ્રની કાન્તિ જેવી ઉજ્વલ દાઢા (દંકૂશળ) વાળા, ઘંટના શબ્દવડે મદોન્મત્ત, પ્રસરતા મદરૂપ પાણીને સર્વે બાજુએ પૂરતા એવા દિવ્ય હસ્તિ ઉપર બેઠેલ, મનોવાંછિત આપનાર, સ્વેચ્છાચારી સર્વાનુભૂતિ નામનો યક્ષ આકાશમાં વિચરે છે, તે મને હંમેશ સર્વ કાર્યમાં સિદ્ધિ આપો. ૪.
૫૮. ભવનદેવતા-સ્તુતિઃ
શબ્દાર્થ જ્ઞાનાદિ - જ્ઞાનાદિક. વિદધાતુ - કરો. ગુણયુતાનાં - ગુણયુક્તનું. | ભવનદેવી - ભવનદેવી. સ્વાધ્યાય - સ્વાધ્યાય (અને) | શિવ - કલ્યાણ. સંયમરતાનાં - ચારિત્રમાં રક્તનું. 1 સર્વસાધૂનાં - સર્વ સાધુઓનું.
૧. આ અતિ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના કતદાન શિષ્ય બાલચન્દ્રાચાર્યે બનાવી છે. પ્રથમ સંઘે માન્ય કરી નહોતી, પણ બાલચંદ્ર કાળ કરીને વ્યંતર થવાથી તેણે સંધને ઉપદ્રવ કર્યો તેથી, તથા અવિરૂદ્ધ વચન હોવાથી સંઘે માન્ય કરીને ચતુર્દશીના પ્રતિક્રમણમાં દાખલ કરી એવો વૃદ્ધવાદ છે. બાલચંદ્ર શબ્દ કર્તાનું નામ પણ સૂચવ્યું છે.