________________
૩૭૯ આત્મા મનીષિભિ-રયં ત્વદભેદ-બુદ્ધયા, ધ્યાતો જિનેન્દ્ર ! ભવતીહ ભવ...ભાવ; પાનીય-મધ્ય-મૃત-મિત્ય-નુચિત્યમાન, કિં નામ નો વિષવિકાર-મપાકરોતિ. ૧૭.
અર્થ - હે જિનેન્દ્ર!પંડિતોવડે તમારા વિષે અભેદ બુદ્ધિએ કરીને ધ્યાન કરાયો છતો આ આત્મા આ જગતને વિષે તમારા સરખા પ્રભાવવાળો થાય છે. પાણી પણ અમૃત છે. એ પ્રકારે ચિંતવન કરાયું છતું (અથવા મણિમંત્રાદિ વડે સંસ્કારિત કરાયું છતું) ઝેરના વિકારને શું નથી દૂર કરતું? અર્થાત્ અમૃતબુદ્ધિએ ચિંતવેલું અથવા મંત્રિત કરેલું પાણી જેમ ઝેર ઉતારે છે તેમ તમારી સાથે અભેદ ભાવે ધ્યાન કરવાથી કર્મમળ રૂપ ઝેર ઉતારીને આ આત્મા પરમાત્મા થાય છે. ૧૭.
ત્વમેવ વીત-તમસ પરવાદિનોડપિ, નૂન વિભો! હરિહરાદિ-ધિયા પ્રપન્ના; કિં કાચ-કામલિભિરીશ! સિતોડપિ શંખો, નો ગૃહ્યતે વિવિધ વર્ણ-વિપર્યયણ. ૧૮.
અર્થ - હે પ્રભુ! પરતીર્થીઓ (અન્ય દર્શનીઓ) પણ હરિહરાદિ દેવોની બુદ્ધિવડે કરીને રાગદ્વેષરૂપ તમોગુણ રહિત એવા તમોને જે નિશે આશ્રય કરીને રહેલા છે. કાચકામલી (કમળા)ના રોગવાળા જનીવડે શ્વેત એવો પણ શંખવિવિધ રંગના
૧. હું અને પરમાત્મા એકજ સ્વરૂપ છીએ. એવા પ્રકારની એકાગ્રતા તે અભેદબુદ્ધિ.