SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮) પરાવર્તે કરીને શું નથી ગ્રહણ કરાતો? અર્થાત્ પીત કળીના રોગવાળો મનુષ્ય ધોળા શંખને પીળો શંખ, લીલો શંખ એ પ્રકારે જુદા જુદા રંગે દેખે છે, તેમ અન્ય દર્શનીઓ પણ તમારું આ હરિ છે, હર છે, બ્રહ્મા છે, એવી બુદ્ધિથી આરાધના કરે છે. અશોકવૃક્ષ પ્રાતિહાર્ય ધર્મોપદેશ-સમયે સવિધાનુભાવા, - દાસ્તાં જનો ભવતિ તે તરુ-રપ્યશોક; અભ્યગતે દિનપતૌ સમહીસુહાડપિ, કિં વાવિબોધ-મુપયાતિ ન જીવલોક? ૧૯. અર્થ :- હે સ્વામી! ધર્મના ઉપદેશ વખતે તમારા સમીપપણાના પ્રભાવ થકી ચેતનવાળા મનુષ્યો તો દૂર રહો, પરંતુ અવ્યક્ત ચેતનવાળા વૃક્ષ પણ શોક રહિત (અશોક) થાય છે. અથવા સૂર્ય ઉદય પામે છતે વૃક્ષો વડે સહિત પણ આખું જગત શું વિકાસપણાને નથી પામતું? અર્થાત્ સૂર્યોદય થયે છતે કેવળ લોક જ નિદ્રાનો ત્યાગ કરીને જાગૃત થાય છે એટલું જ નહિ પરંતુ વૃક્ષો પણ પત્રસંકોચાદિ લક્ષણ નિદ્રા છોડીને વિકસ્વર થાય છે, તેમ તમારા પ્રભાવથી મનુષ્યો શોક રહિત થાય છે એટલું જ નહિ પરંતુ વૃક્ષ પણ શોક રહિત થાય છે - નામથી અશોક થાય છે. તે યુક્ત છે. ૧૯. સુરપુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્ય ચિત્ર વિભો! કથ-મવામુખ-વૃત્ત્વમેવ, વિષ્યક પતત્ય-વિરલા સુર-પુષ્પ-વૃષ્ટિ !; ૧. પુષ્પ, દેવતા અને સુંદર ચિત્તવાળા એવા ત્રણ અર્થ થાય છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy