________________ 549 કરવા રૂપ “નમો ખમાસમણાણ” ઈત્યાદિ પદથી ગુરુને તથા પંચપરમેષ્ઠિને નમસ્કાર થાય છે. અને ઉચ્ચ સ્વરે ત્રણ સ્તુતિ તથા નમુત્થણે અને સ્તવન કહેવાય છે તે “પડાવશ્યક નિર્વિદને પૂર્ણ થયાં” તેનો હર્ષ ઉત્પન્ન થયેલો છે એ સૂચવવા અર્થે છે. “નમોડસ્તુ” તથા રાઇ પ્રતિક્રમણમાં “વિશાલલોચન'ને બદલે સ્ત્રીઓ “સંસારદાવા”ની ત્રણ ગાથા કહે, કારણ કે “નમોડસ્તુ, વિશાલલોચન, નમોડહંતુ”એ પૂર્વાન્તર્ગત છે, તેથી સ્ત્રીઓ ન કહે, એમ કહેવું છે. પછી ઉત્કૃષ્ટ કાળે વર્તતા 170 જિન વાંદવા અર્થે ‘વરકનક” કહે તથા ચાર ખમાસમણપૂર્વક ગુર્નાદિકને વંદન કરે, પછી અઢીદ્વીપમાં રહેલા મુનિઓના વંદન અર્થે “અઠ્ઠાઇક્વેસુ” કહે, દરેક ક્રિયા દેવ-ગુરુના વંદનપૂર્વક શરૂ થાય અને દેવ-ગુરૂના વંદનપૂર્વક પૂરી થાય. એ અર્થે અત્ર છેલ્લે પણ દેવ-ગુરૂને વંદન કરવામાં આવે છે. આ દેવ-ગુરુવંદન મુનિને નમોડર્ડથી ચાર ખમાસમણ દેવા સુધી જાણવું અને શ્રાવકને અઢાઇક્વેસુ કહેવા પર્યત જાણવું. પછી પ્રથમના “કાઉસ્સગ્ગ” કરતાં રહેલ અતિચારને ટાળવા અર્થે દેવસિક પ્રાયશ્ચિત્ત વિશોધનાર્થે ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરે, પછી મંગળાથે પ્રકટ લોગસ્સ કહી, બે ખમાસમણ દેવાપૂર્વક સઝાયના બે આદેશ માગી બેસી, એક નવકાર ગણી સઝાય કહે. ત્રણ આચારની વિશુદ્ધિ અર્થે કાઉસ્સો કરવામાં આવ્યા છે અને તપ આચારની વિશુદ્ધિ માટે પચ્ચખાણ કર્યું છે, તેથી વિશુદ્ધિ થઈ ગઈ છે તથા પ્રતિક્રમણ કરતાં જે વીર્ય ફોરવવું પડે તેથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. સઝાય કહ્યા બાદ દુઃખખિય કર્મખિય નિમિત્તે ચાર લોગસ્સનો કાઉસ્સગ કરવો.