SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૮ પછી એ સર્વ આચારના નિરતિચારપણે સમ્યક આચરણથી ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત કરનાર સર્વ સિદ્ધોને વંદન કરવારૂપ “સિદ્ધાણં બુદ્ધાણ” કહે. પછી શ્રુતજ્ઞાનથી જ ધર્મનું સર્વ સ્વરૂપ સમજાય છે, તે શ્રતધર્મની વૃદ્ધિ મૃતદેવતાથી થતી હોવાથી તેના સ્મરણ અર્થે એક નવકારનો કાયોત્સર્ગ કરી પારીને “સુઅદેવયાની” સ્તુતિ કહે, સ્વલ્પ પ્રયાસે દેવતા સાધ્ય હોવાથી આઠ શ્વાસોચ્છવાસ (એક નવકારના આઠ શ્વાસોચ્છવાસ થાય છે)નો કાયોત્સર્ગ કરવો. તે જ પ્રમાણે જે ક્ષેત્રમાં આપણે છીએ તે દેવતા અનુકૂળ હોય તો આપણું જ ધર્મકાર્ય નિર્વિદનપણે પરિપૂર્ણ થાય તેથી તેના સ્મરણાર્થે પણ એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને “જીસે ખિત્તે સાહુની થોય કહેવી. પછી મંગલાર્થે એક નવકાર ગણી, બેસીને મુહપત્તિ પડિલેહવી. તે હવે પછી ગુરુને દ્વાદશાવર્ત વંદન કરવું છે તેને અર્થે છે. લૌકિકમાં પણ રાજા અમુક કાર્ય બતાવે તે કર્યા બાદ પ્રણામ કરીને નિવેદન કરવાનું પ્રવર્તન છે. આ છેલ્લું વંદન સમજવું. પચ્ચકખાણરૂપી છટું આવશ્યક તો પહેલાં જ થઈ ગયું છે તેથી હવે તે કરવાનું નથી. પછી છ આવશ્યક સંભારવાં, પછી “ઇચ્છામો અણુસર્રેિ' કહી બેસી ઉચ્ચ સ્વરે “નમો ખમાસમણાણં નમોડતુ” ઇત્યાદિ પૂર્વક “નમોડસ્તુ વદ્ધમાનાય”ની ત્રણ સ્તુતિ અને “નમુત્થણ તથા સ્તવન” કહેવાં. “ઇચ્છામો અણસર્ફિ” એટલે અમે અનુશાસ્તિગુરુની આજ્ઞા-હિતશિક્ષાને ઇચ્છીએ છીએ, તે આજ્ઞા પ્રમાણ 1. અહીં ગુરૂ મહારાજની આજ્ઞાપૂર્વક મેં પ્રતિક્રમણ કર્યું છે એમ સંભાવના કરવાની મતલબ એ છે કે પ્રતિક્રમણ સંબંધી હવે બીજા આદેશ ગુરૂમહારાજ પાસે માગવાના નથી.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy