________________ પર શ્રી સ્થાપના કુલક સજઝાય પૂરવ નવમાંથી ઉદ્ધરી, જિમ ભાખે શ્રી ભદ્રબાહુ રે; સ્થાપના કલ્પ અમે કહું, તિમ સાંભળજો સહુ સાહુ રે. 1. પરમગુરુ વયણે મન દીજે, તો સુરતરુ ફળ લીજે. એ ટેક0 લાલ વરણ જે થાપના, માંહે રેખા શ્યામ તે જોય રે; આયુ જ્ઞાન બહુ સુખ દીએ, તે તો નીલકંઠસમ હોય રે. 2. પત વરણ જે થાપના, માંહે દીસે બિંદુ શ્વેત રે; તેહ પખાલી પાઈએ, સવી રોગ વિલયનો હેત રે. 3. શ્વેત વરણ જે થાપના, માહે પીત બિંદુ તલ હોય રે; નયન રોગ છાંટે ટળે, પીતાં ટળે શૂલ શરીર રે. 4. નીલ વરણ જે થાપના, માંહી પીત બિંદુ તે સાર રે; તે પખાલી પાઈએ, હોય અહિ” વિષનો ઉતાર રે. પ. ટાલે વિશુચિકા રોગ જે, વૃત લાભ દીએ “વૃતવન્ન રે; રક્ત વર્ણ પાસે રહ્યો, મોહે માનિની કેરાં મગ્ન રે. 6. શુદ્ધ શ્વત જે સ્થાપના, માંહે દીસે રાતી રેખ રે; કંકથકી વિષ ઉતરે, વળી સિઝે કાર્ય અશેષ રે. 7. અર્ધ રક્ત જે થાપના, વળી અર્ધ પીત પરિપુષ્ઠ રે; તેહ પખાળી છાંટીએ, હરે અક્ષિ રોગને દુષ્ટ રે. 8. જંબુવર્ણ જે થાપના, માંહે સર્વ વર્ણનાં બિંદુ રે; સર્વ સિદ્ધિ તેહની હોયે, મોહે નરનારીના વૃંદ રે. 9. 1 ચૌદ પૂર્વધર યુગપ્રધાન શ્રીમાન યશોભદ્રસૂરીશ્વરજીના પટ્ટધર શિષ્યરત્ન. 2 સ્થાપનાચાર્ય તરીકે જે અક્ષ (ગોળ શંખ-દક્ષિણાવર્તી રાખવા ફરમાવેલ છે તેના ગુણનું જેમાં પ્રતિપાદન કરવામાં આવે છે તે ગ્રંથ. 3. મહાદેવ સદેશ. 4. સર્પ. 5. ધી વર્ણી સ્થાપના. 6. નેત્ર. 34