SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નમો ઉવજઝાયાણં . ૪. શ્રી ઉપાધ્યાય (મહારાજો)ને નમસ્કાર થાઓ. ૪ આવે એવી ચતુરાઈવાળી, (૨૧) ધર્મ-અર્થ પ્રતિબદ્ધ. (૨૨) દીપ સમાન પ્રકાશક - (પ્રગટ) અર્થ સહિત. (૨૩) પરનિંદા અને પોતાના વખાણ વગરની. (૨૪) કત, કર્મ, ક્રિયા, કાળ, વિભક્તિ સહિત.(૨૫) આશ્ચર્યકારી. (૨૬) વક્તા સર્વગુણસંપન્ન છે એવું જેમાં લાગે એવી. (૨૭) વૈર્યવાળી. (૨૮) વિલંબ રહિત. (૨૯) ભ્રાંતિ રહિત. (૩૦) સર્વ પોતાની ભાષામાં સમજે એવી. (૩૧) શિષ્ટબુદ્ધિ ઉપજાવે એવી. (૩૨) પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે એવી. (૩૩) સાહસિકપણે બોલે એવી. (૩૪) પુનરુક્તિદોષ વગરની. (૩૫) સાંભળનારને ખેદ ન ઉપજે એવી. આઠ પ્રાતિહાર્યના આઠ અને મૂળ અતિશયના ચાર મળી કુલ ૧૨ ગુણ અરિહંત ભગવાનના જાણવા. આઠે કર્મનો ક્ષય કરીને સાધ્યું છે મોક્ષપદ જેણે તે સિદ્ધ. સિદ્ધ ભગવાનના આઠ ગુણ છે, તે આ પ્રમાણે - ૧. અનંતજ્ઞાન : જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે. ૨. અનંતદર્શનઃ દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે દેખે છે. ૩. અવ્યાબાધ સુખઃ વેદનીય કર્મનો ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડા રહિત- નિપાધિકપણું પ્રાપ્ત થાય છે. ૪. અનંત ચારિત્ર: મોહનીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આમાં ક્ષાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વભાવમાં સદા અવસ્થિત રહે છે. તે જ ચારિત્ર છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy