SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નમો આયરિયાણં . ૩. શ્રી આચાર્ય (મહારાજો)ને નમસ્કાર થાઓ. ૩ વપરાશ્રયી અપાયાપગમાતિશય - જેનાથી પારકાના ઉપદ્રવ નાશ પામે, એટલે જ્યાં ભગવાન વિચરે, ત્યાં દરેક દિશામાં મળીને સવાસો જોજન સુધી પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુષ્કાળ આદિ થાય નહિ. ૨. જ્ઞાનાતિશય - જેનાથી ભગવાન લોકાલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે તે, કારણ કે તેમને કેવળજ્ઞાન છે તેથી કાંઈપણ તેમને અજ્ઞાત રહી શકતું નથી. ૩. પૂજાતિશય - જેનાથી શ્રી તીર્થકર સર્વને પૂજાય છે, એટલે ભગવંતની પૂજા રાજા, બલદેવાદિ, દેવતા, ઈન્દ્ર આદિ કરે છે. અગર કરવાની અભિલાષા કરે છે તે. ૪. વચનાતિશય - જેનાથી શ્રી તીર્થકરની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે. કારણ કે તેમની વાણી સંસ્કારાદિક ગુણવાળી છે. આ વાણી ૩૫ ગુણ સહિત છે. તે ગુણો નીચે પ્રમાણે – (૧) સર્વ ઠેકાણે સમજાય તેવી. (૨) યોજન પ્રમાણ સંભળાય તેવી. (૩) પ્રૌઢ. (૪) મેઘ જેવી ગંભીર. (૫) શબ્દ વડે સ્પષ્ટ. (૬) સંતોષકારક. (૭) દરેક મનુષ્ય એમ જાણે જે મને જ કહે છે એવી. (૮) પુષ્ટ અર્થવાળી. (૯) પૂર્વાપર વિરોધ રહિત. (૧૦) મહાપુરુષને છાજે એવી. (૧૧) સંદેહ વગરની. (૧૨) દુષણરહિત, અર્થવાળી. (૧૩) કઠણ વિષયને સહેલો કરે એવી. (૧૪) જયાં જેવું શોભે ત્યાં તેવું બોલાય એવી.(૧૫) પદ્રવ્ય અને નવ તત્ત્વને પુષ્ટ કરે એવી. (૧૬) પ્રયોજન સહિત. (૧૭) પદરચના સહિત. (૧૮) છ દ્રવ્યો, નવતત્ત્વ પટુતા સહિત. (૧૯) મધુર. (૨૦) પારકો મર્મ જણાઈન
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy