________________ પ૦૭ ઢાળ ચોથી કર્મવાદ (રાગ મારૂણી-મનોહર હીરજી રે-એ દેશી) કાળ સ્વભાવ નિયત મતિ કૂડી, કર્મ કરે તે થાય; કર્મે નિરય તિરય નર સુરગતિજી, જીવ ભવાંતરે જાય. ચેતન ચેતીયે રે, કર્મસમો નહીં કોય. ચેતન૦ 1. કમેં રામ વસ્યા વનવાસે, સીતા પામે આલ; કર્મે લંકાપતિ રાવણનું, રાજ થયું વિસરાલ. ચેતન૦ 2. કમેં કીડી કમેં કુંજર, કમેં નર ગુણવંત; કર્મે રોગ શોક દુઃખ પીડિત, જન્મ જાય વિલપંત. ચેતન) 3. કમેં વરસ લગે રિસહસર, ઉદક ન પામે અન્ન; કર્મે વિરને જાવો યોગમાં રે, ખીલા રોપ્યા કન્ન. ચેતન૪. કર્મે એક સુખપાલે બેસે, સેવક સેવે પાય; એક હય ગય રથ ચઢ્યા ચતુર નર, એક આગળ ઉજાય. 20 5. ઉદ્યમ માની અંધ તણી પરે, જગ હીંડે હા હૂતો; કર્મબલી તે લહે સકળ ફળ, સુખકર સેજે સૂતો. ચેતન 6. ઉંદર એકે કીધો ઉદ્યમ, કરંડીયો કરકાલે; માંહે ઘણા દિવસનો ભૂખ્યો, નાગ રહ્યો દુઃખ ડોલે. ચેતન૦ 7. ૧વિવર કરી મૂષક તસ મુખમાં, દિયે આપણો દેહ; માર્ગ લઈ નાગ વન પધાર્યા, કર્મ મર્મ જાઓ એહ. ચેતન૦ 8. ઢાળ પાંચમી ઉદ્યમવાદ સકલ ઉદ્યમવાદી ભણે એ, એ ચારે અસમર્થ તો; સકલ પદારથ સાધવા એ, એક ઉદ્યમ સમર્થ તો. 1. 1. કાણું પાડી