________________
૧૩૭
અર્થ:- નિષેધવા યોગ્ય (શંકા, વધાદિ અશુભ કાર્યને) કરવે કરી તથા કરવા યોગ્ય (દેવપૂજા, સામાયિકાદિ શુભ કાર્યને) ન કરવે કરી, વળી (નિગોદાદિ સૂમ વિચારને) અણસહવે કરી અને જિનાગમથી વિરૂદ્ધ પ્રરૂપણા કરવે કરી જે પાપ લાગ્યું હોય તે દૂર કરવાને પ્રતિક્રમણ કરવાનું) છે. ૪૮
સર્વજીવ પ્રત્યે ક્ષામણા ખામેમિ સવજીવે, સવ્વ જીવા ખમંતુ મે | મિત્તી એ સવ્વભૂએસ, વેરં મજ્જન કેણઈ ૪૯તા.
અર્થ:- સર્વ જીવોને હું નમાવું છું. સર્વ જીવો મારા અપરાધને ખમજો-માફ કરજો. મારે સર્વ જીવોની સાથે મૈત્રીભાવ છે. કોઈ જીવની સાથે મારે વૈરભાવ નથી. ૪૯
એવ-મહં આલોઇએ, નિદિઆ ગરહિએ દુગંછિએ સમ્મ | તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસ આપવા
અર્થ:- આ પ્રમાણે સમ્યફપ્રકારે પાપ આલોચું, આત્માની સાખે નિંદા કરી, ગુરુ સાખે ગર્વણા કરી અને દુર્ગછા કરી અને ત્રિવિધ પડિક્કમતો થકો ચોવીશ જિનને હું વાંદું છું.૫૦
ઈતિ વંદિતા સૂત્ર. ૩૩