________________
૩૨૫
મંગળ તથા અભિધેય ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાણા-, મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાન; સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગે યુગાદા-, વાલંબનું ભવજલે પતતાં જનાનામ્. ૧. યઃ સંસ્તુતઃ સકલ-વામય-તત્ત્વબોધા,દુભૂત-બુદ્ધિ-પટુભિઃ સુરલોક-નાથે; સ્તોત્ર-ર્જગત્રિતય-ચિત્ત-હરે-રુદારે ; સ્તોષ્ય કિલાહમપિત પ્રથમંજિનેન્દ્રમ્ ૨ યુગ્યમ્
અર્થ - ભક્તિમંત દેવતાઓના નમેલા મુકુટને વિષે રહેલા મણિઓની કાન્તિઓને પ્રકાશ કરનાર, દલન કર્યો છે પાપરૂપ અંધકારનો સમૂહ જેણે એવા અને યુગની આદિમાં ભવસમુદ્રમાં પડતા ભવ્યજનોને આધારભૂત એવા (પ્રથમ) તીર્થકરના ચરણયુગલને રૂડે પ્રકારે નમસ્કાર કરીને જે ભગવંત સમસ્ત શાસ્ત્રના રહસ્યના જ્ઞાનથકી ઉત્પન્ન થયેલ બુદ્ધિવડે કુશળ એવા ઇન્દ્રોવડે ત્રણ જગતના ચિત્તને હરણ કરનારાં અને ઉદાર સ્તોત્રો વડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલ છે, તે પ્રથમ જિનેન્દ્રને હું પણ નિશ્ચ સવીશ. ૧-૨.
કવિએ બતાવેલી પોતાની લઘુતા. બુદ્ધયા વિનાડપિ વિબુધા-ચિત-પાદપીઠ!,
સ્તોતું સમુદ્યત -મતિ-વિંગતત્રપોડહમ્; ૧. ધર્મપ્રવર્તનની આદિમાં, અર્થાત્ ધર્મનો વિચ્છેદ થયા પછી ફરી ધર્મની પ્રવૃત્તિ થાય તે યુગની આદિ જાણવી. એટલે ત્રીજા આરાને છેડે.