________________
૧૮૫
૫૫. રાઇઅ પ્રતિક્રમણ વિધિ પ્રથમ પૂર્વ રીતિએ સામાયિક લેવું. પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંહિસહ ભગવત્ કુસુમિણ દુસુમિણ ઉડાવણી રાઈઅ પાયચ્છિત્તવિસોહણë કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છે કુસુમિણદુસુમિણ. કહી, અન્નત્થ૦ કહી, કામભોગાદિનાં તે રાત્રિએ દુઃસ્વપ્ન આવ્યાં હોય તો સાગરવરગંભીરા સુધી અને બીજા દુઃસ્વપ્ન આવ્યાં હોય તો ચંદેસુ નિમ્મલયરા સુધી ચાર લોગસ્સ યા સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી, પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિo ભગ0 ચૈત્યવંદન કરું ? ઇચ્છે” એમ કહી બેસીને પંચાંગપ્રણિપાતે જગચિંતામણિનું ચૈત્યવંદન જયવીયરાય પર્યત કહેવું. પછી ભગવાનાદિ ચારને થોભવંદન કરવું પછી ઉભા થઈ બે ખમાસમણ દેવાપૂર્વક સજઝાયનો આદેશ માગી બેસીને એક નવકાર ગણી, ભરફેસરની સજઝાય કહેવી. પછી ઈચ્છકાર સુહરાઇવનો પાઠ કહેવો. પછી “ઈચ્છાકારેણ સંદિ૦ ભગવે રાઇઅ પડિક્કમણે ઠા? ઇચ્છે” એમ કહી જમણો હાથ ઉપધિ ઉપર સ્થાપી, સવ્વસ્ટવિ રાઇઅ દુઐિતિઅ૦ નો પાઠ કહેવો, પછી નમુત્થણે કહી ઉભા થઈ કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ૦ તસ્સ ઉત્તરી, અન્નત્થ૦ કહી એક લોગસ્સ યા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી પછી લોગસ્સ સવ્વલોએ અરિ૦ અન્નત્થ૦ કહી. એક લોગસ્સ યા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી પારી પછી પુફખરવરદીવ સુઅસ્સે ભગવઓ) વંદણ) અન્નત્થ૦ કહી અતિચારની આઠ ગાથા અથવા આઠ નવકારનો કાઉસ્સગ્ન કરી પારી પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી, પછી ઉભા થઈ વાંદણા બે દેવાં, પછી