SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 02 વ્યામોહિત ન થવું તે અમૂઢદૃષ્ટિ, સમકિતધારીના અલ્પગુણની પણ શુદ્ધ મનથી પ્રશંસા કરવી તે ઉપભ્રંહણ, યોગ્ય જીવોને જિનધર્મમાં જોડવા તથા તે પામેલાને સ્થિર કરવા તે સ્થિરીકરણ; સાધર્મીકબંધનું અનેક પ્રકારે હિત ચિંતવન તે વાત્સલ્ય, અને અન્યદર્શનીઓ પણ જૈનશાસનની અનુમોદના કરે તેવાં કાર્ય કરવાં તે પ્રભાવના; આ આઠ લક્ષણો દર્શનાચારનાં જાણવાં. ૩ પણિહાણજોગજુત્તો, પંચહિં સમિઇહિં, તીહિં ગુત્તીહિં | એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઈ નાયવ્યો॥૪॥ અર્થ :- પ્રણિધાન યોગ અર્થાત્ એકાગ્ર-સાવધાનપણે કરી મન, વચન, કાયાના સર્વ યોગ ચારિત્ર પાળવાને વિષે યુક્ત એવો ચારિત્રાચાર તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ કરી આઠ પ્રકારનો છે એમ જાણવો. ૪ બારસવિહંમિવિતવે, સબ્મિતર-બાહિરે કુસલદિઢે । અગિલાઈ અણાજીવી, નાયવ્યો સો તવાયારો ॥૫॥ અર્થ :- બાર પ્રકારના તપને વિષે પણ તે તપ આચાર (નિશ્ર્ચયથી) જાણવો. તે તપ આચાર દુર્ગંછાભાવ રહિતપણે તથા હું તપ કરું તો મારી આજીવિકા ચાલે એવા દોષ રહિત (તે બાર પ્રકારનો તપ,) છ અત્યંતર અને છ બાહ્ય એમ બાર પ્રકારથી તીર્થંકરોએ ઉપદેશ્યો છે. ૫
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy