________________
૧૨૨
અર્થ :- એ પ્રમાણે નિશ્ચયથી ઘંટી, ચરખા પ્રમુખ યંત્રમાં શેરડી, તલ વગેરે પીલાવવા, નાક, કાન વીંધવા-વીંધાવવા, અગ્નિદાહ દેવો; સરોવર, દ્રહ અને તળાવ વગેરેને સુકાવી નાખવાં, હિંસક જીવો તથા વ્યભિચારી સ્ત્રી વિગેરેનું પોષણ કરવું. આ પાંચ સામાન્ય કર્મને શ્રાવકે વવાં. ૨૩ આઠમા વ્રતના અતિચાર
સત્યગ્નિ-મુસલ-જંતગ,-તણ-કટ્ટેમંતભૂલ-ભેસજ્જ ॥ દિન્ને દવાવિએ વા, પડિક્કમે દેસિઅં સર્વાં॥૨૪॥
અર્થ :- શસ્ર, અગ્નિ, સાંબેલું, યંત્ર, તૃણ, કાષ્ઠ, સર્પ વગેરેને ખીલવવાના (સ્થિર કરવાના) મંત્ર, નાગદમણી પ્રમુખ જડીબુટ્ટી અને ગોળી, ચૂરણ વગેરે ઉપદ્રવકારી વસ્તુઓ બીજાને આપવા થકી, બીજાની પાસે અપાવવા થકી તથા આપનારને અનુમોદવા થકી જે અતિચાર લાગ્યા હોય, તે દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડિક્કમું છું. ૨૪. હાણુ-વટ્ટણ-વશગ, વિલેવણે સદ્દરૂવ-રસ-ગંધે ॥ વત્થાસણ-આભરણે, પડિક્કમે દેસિઅં સર્વાં॥૨૫॥
અર્થ :- અણગળ પાણી વગેરેથી ન્હાવું, પીઠી ચોળી શરીરનો મેલ ઉતારવો, અબીલ, ગુલાલ, અલતાદિક તથા કેશર ચંદનાદિનું વિલેપન કરવું; શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન,