________________
૧૨૧ કાચા પદાર્થ વાપરવા અને તુચ્છ પદાર્થ ભક્ષણ કરવા, એ સચિત્તના ત્યાગના પાંચ અતિચાર મળેથી જે અતિચાર લાગ્યા હોય તે દિવસ સંબંધી સર્વને હું પડિક્કામું છું. ૨૧
ઈગાલી-વણ-સાડી, ભાડી-ફોડીસુવએ કર્મો . વાણિજ્જ ચેવ દંત, લખરસ-કેસ-વિસવિસયં રરા
અર્થ - કુંભાર અને ભાડભુંજા વગેરેના અગ્નિ સંબંધી કર્મ તે અંગાર કર્મ, પુષ્પ, ફળ, વનસ્પતિ, અનાજ વગેરે ઉગાડવા તથા છેદવાં તે વનકર્મ, ગાડાં, બેલ વગેરે વેચવા, વેચાવવા તે શકટકર્મ, ઘોડા, ઉંટ, બળદ વગેરે ભાડે આપવા તે ભાટિક કર્મ, કુવા, વાવ વગેરે ખોદવા, ખોદાવવા તે સ્કોટિક કર્મ, આ પાંચ કર્મ શ્રાવકે અત્યંતપણે વર્જવાં વળી નિશ્ચયે પાંચ વાણિજ્ય તેમાં હાથીદાંત, મુક્તાફળ વગેરે જ્યાં નિપજતાં હોય તે સ્થાનકે જઈ ખરીદ કરવાં તે દંતકુવાણિજ્ય; લાખ, કસુંબો, હરતાલ વગેરેનો વ્યાપાર તે લાખકુવાણિજ્ય, ઘી, તેલ, ગોળ વગેરેનો વ્યાપારતે રસકુવાણિજ્ય; મોર, પોપટ, મનુષ્ય અને પશુનો વ્યાપાર તે કેશકુવાણિજ્ય. અફીણ, સોમલ વગેરે તથા શસ્ત્રાદિનો વ્યાપાર તે વિષવિષયકુવાણિજ્ય; એ પાંચ કુવાણિજ્યને શ્રાવકે વર્જવાં. ૨૨
એવંખ જંતપિલ્લણ-કમ્મ, નિલૂંછણે ચ દવદાણું | સર-દહ-તલાય-સોસ, અસઈ-પોસ ચ વજિજ્જા ર૩