________________
૩૯૪ ગ્રંથકારે આઠ કાવ્યવડે કરેલી વિજ્ઞપ્તિ
અસ્મિન્નપાર-ભવ-વારિનિધૌ મુનીશ !, મન્યે ન મે શ્રવણગોચરતાં ગતોડિસ; આકર્ણિતે તુ તવ ગોત્ર-પવિત્ર-મન્ત્ર, કિં વા વિપદ્વિષધરી સવિધ સમેતિ. ૩૫.
અર્થ :- હે મુનીન્દ્ર ! હું એમ માનું છું કે - આ અપાર ભવસમુદ્રને વિષે તમે મારા શ્રવણગોચરપણાને પ્રાપ્ત થયેલા નથી. કેમકે તમારા નામરૂપ પવિત્ર મંત્ર શ્રવણ કરાયે છતે પણ આપદારૂપી સર્પિણી શું સમીપ આવે ? અર્થાત્ તમારું નામ સાંભળવાથી આપદાઓ આવે જ નહિ, પરંતુ મને આપત્તિઓ આવે છે; જેથી હું માનું છું કે પૂર્વભવમાં મેં તમારું નામ સાંભળ્યું જણાતું નથી. ૩૫
શબ્દાર્થ
જન્માંતરે - અન્ય ભવમાં.
પાદયુગં - ચરણ યુગલ. મયા - મેં.
મહિતમ્ - પૂછ્યું. ઇહિતદાનદશં - વાંછિત
આપવામાં ચતુર.
ઇહ જન્મનિ - આ જન્મમાં. પરાભવનાં - પરાભવોનું. જાતઃ - થયો.
નિકેતનં - સ્થાનક
મોહતિમિર - મોહરૂપ અંધારાવડે. આવૃતલોચનેન - ઢંકાયાં છે નેત્ર જેનાં એવો હું, તેના વડે. પૂર્વ - અગાઉ.
સમૃદ્ - એકવાર. | પ્રવિલોકિતઃ - જોવાયેલા.
મથિતાશયાનાં - મથન કર્યો છે ચિત્તનો આશય જેણે એવા
/
મર્યાવિધઃ - મર્મસ્થાનને ભેદનાર. વિધુરયંતિ - પીડે છે.
માં - મને.
અનર્થાઃ - અનર્થો.
પ્રોદ્યત્- પ્રકર્ષે કરીને ઉદય આવેલી.