________________ 478 શ્રી સિદ્ધાચલજીનું સ્તવન (જસોદા માવડી-એ દેશી) જાત્રા+નવાણું કરીએ, વિમલગિરિજાત્રા ન વાણું કરીએ. પૂરવ નવાણું વાર શેત્રુંજા ગિરિ, ઋષભ નિણંદ સમોસરીએ. વિમલ૦ 1. કોડિ સહસ ભવ પાતક તૂટે, શેત્રુજા સામો ડગ ભરીએ. વિમલ૦ 2. સાત છઠ દોય અઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ. વિમલ૦ 3. પુંડરીક પદ જપીયે મન હરખે, અધ્યવસાય શુભ ધરીયે. વિમલ૦ 4. પાપી અભવી ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ. વિમલ૦ 5. ભૂમિસંથારોને નારીતણો સંગ. દૂર થકી પરિહરીયે. વિમલ૦ 6. સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરુ સાથે પદ ચરીયેવિમલ૦ 7. પડિક્કમણાં ઢોયવિધિશું કરીયે, પાપ પડલ વિખરીયે. વિમલ૦ 8. કલિકાળે એ તીરથ મોહોતું, પ્રવહણ+ જિમ ભરદરિયે. વિમલ૦ 9. +નવ્વાણું યાત્રા કરનારાઓએ (અને ઉપલક્ષણથી વિધિરસિક અન્ય યાત્રાળુઓએ) યાત્રા કરતાં જે છરી પાળવી જોઈએ, તેના નામ 1 થી 6 અંક દ્વારા બતાવવામાં આવ્યાં છે. અભવી (અભવ્ય) એવા પાપી (એવો અર્થ જામ્યો છે.) + નાવ-વહાણ.