________________ 477 શ્રી યુગમંધર જિન સ્તવન. " (મધુકરની દેશીમાં) શ્રી યુગમંધરને કેજો, કે દધિસુત વિનતડી સુણજો રે; શ્રી યુગ0 એ આંકણી કાયા પામી અતિ કુડી, પાંખ નહીં આવું ઉડી; લબ્ધિ નહિ કોયે રૂડી રે. શ્રીયુ.૦ 1. તુમ સેવામાંહી સુર કોડા, ઈહાં આવે જો એક દોડી; આશા ફળે પ તક મોડી રે. શ્રીયુગ૦ 2. દુષમ સમયમાં ઇણે ભરતે, અતિશય નાણી નવિવરતે; કહીએ કહો કોણ સાંભળતે રે. શ્રીયુગ) 3. શ્રવણ સુખીયા તુમનામે, નયણા દરિસણ નવિ પામે; એ તો ઝગડા ન ઠામે રે. શ્રીયુ.૦ 4. ચાર આંગળ અંતર રહેવું શોકલડીનીપરે દુઃખ સહેવું પ્રભુ વિના કોણ આગળ કહેવું રે. શ્રીયુગ૦પ. મોટા મેળ કરી આપે, બેહને તોલ કરી થાપે; સજ્જન જસ જગમાં વ્યાપે રે. શ્રીયુ૦ . બેહુનો એકમતો થાવે, કેવલ નાણ જુગલ પાવે; તો સવિ વાત બની આવે રે. શ્રીયુગ) 7 ગજલંછન ગજગતિગામી, વિચરે વપ્રાવિજય સ્વામી; નયરી વિજયા ગુણધામી રે. શ્રીયુગ) 8. માતા સુતારાએ જાયો, સુદઢ નરપતિકુલ આયો; પંડિત જિનવિજય ગાયો રે. શ્રીયુ.૦ 9. 1 આંખ અને કાનને ચાર આંગળનું છેટું છે, તેથી કાન શ્રીયુગમંધર સ્વામીનું નામ સાંભળે છે પણ પ્રભુ દૂર હોવાથી આંખ દેખી શકતી નથી; તેથી આંખને શોક્યની પેઠે દુઃખ થાય છે.