________________ 478 ઉત્તમ એ ગિરિવર સેવંતાં, પદ્ય કહે ભવ તરીયે. વિમલ૦ 10. શ્રી સિદ્ધાચલજીનું સ્તવન. સિદ્ધિગિરિ ધ્યાવો ભવિકા, સિદ્ધિગિરિ ધ્યાવો; ઘર બેઠા પણ બહુ ફળ પાવો ભવિકા, બહુ ફળ પાવો; નંદીસર યાત્રાયે જે ફળ હોવે, તેથી બમણેરૂં ફળ કુંડલગિરિ હોવે. ભ0 કું૦ 1. તિગણું ચકગિરિ ચોગણું ગજદંતા, તેથી બમણેરૂ ફળ જંબૂ મહત્તા. ભ૦ જે૦ પટગણું ધાતકી ચૈત્ય જાહારે, બત્તીસ ગણેરૂં ફળ પુફખલ વિહારે. ભ૦ 50 2. તેથી શતગણું ફલ મેરુ ચૈત્ય જાહારે, સહસ ગણેરૂં ફળ સમેતશિખરે. ભ૦ સ0 લાખ ગણેરું ફળ અંજનગિરિ જાહારે, દશ લાખ ગણેરું ફળઅષ્ટાપદ ગિરનારે. ભ0 અ૦ 3. કોડિ ગણેરું ફળ શ્રી સિદ્ધાચલ ભેટે, જેમને અનાદિના દુરિત ઉમેટે, ભ૦૬૦ ભાવ અનંતે અનંત ફળ પાવે, જ્ઞાનવિમળસૂરિ એમ ગુણ ગાવે. ભ૦ એ૦ 4. શ્રી રાયણ પગલાનું સ્તવન. શ્રી આદીશ્વર અંતરયામી, જીવન જગત આધાર; શાનત સુધારસ જ્ઞાન ભરિયો, સિદ્ધાચલ શણગાર; રાયણ રૂડી રે, જિહાં પ્રભુ પાય ધરે, દેખત દુઃખ હરે; પુણ્યવંતા પ્રાણી રે, પ્રભુજીની સેવા કરેo વિમલગિરિ વંદો રે. 1.