________________ 480 ગુણ અનંતા ગિરિવર કેરા, સિધ્યા સાધુ અનંત; વળી રે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવંત; ભવોભવ કેરાં રે પાતક દૂર કરે. વિમલગિરિ વંદો રે૦ 2. વાવડીયું રસકુંપા કેરી, મણિ-માણેકની ખાણ; રત્નખાણ બહુ રાજે હો તીરથ, એવી શ્રી જિનવાણ; સુખના સ્નેહી રે બંધન દૂર કરે. વિમલગિરિ વંદો રે૦ 3. પાંચ કોડિશું પુંડરિક સિધ્યા, ત્રણ કોડિશું રામ; વીશ કોડિશું પાંડવ સિધ્યા, સિદ્ધક્ષેત્ર સિદ્ધઠામ; મુનિવર મ્હોટા રે અનંતા સિદ્વિવરે. વિમલગિરિ વંદો રે૦ 4. એસો તીરથ ઓર ન જગમેં, ભાખે શ્રી જિનભાણ; દુર્ગતિ કાપે ને પાર ઉતારે (વ્હાલો), આપે કેવળનાણ; ભવજિન ભાવે રે જે એનું ધ્યાન ધરે. વિમલગિરિ વંદો રે૫. દ્રવ્ય ભાવશું પૂજા કરતાં, પૂજો શ્રી જિનપાય (જિનરાય); ચિદાનંદ સુખ આતમ વેદી, જ્યોતિસે જ્યોત મિલાય; કીરતિ એહની રે માણેક મુનિ કરે. વિમલગિરિ વંદો રે૦ 6. શ્રી આદિજિન સ્તવન (આદિ તે અરિહંત-એ રાગ) આદિ જિણંદ અરિહંતજી, પ્રભુ અમને રે; તુમે ઘો દરિશન મહારાજ, શું કહું તમને રે, આઠ પહોરમાં એક ઘડી, પ્ર૦ લાધ્યું તમારું ધ્યાન- શું 1. , મધુકરને મન માલતી, ક0 જિમ મોરને મન મેહ; શુંo સીતાને મન રામજી, પ્ર. તેમ વાધ્યો તુમશું નેહ-શું૦ 2.