________________ 545 આદેશ માગી જમણો હાથ તથા મસ્તક ચરવળા પર સ્થાપી સબ્યસ્તવિ દેવસિય”નો પાઠ કહેવો. અહીં ચરવળા ઉપર હાથ તથા મસ્તક સ્થાપવા તે ગુરુના ચરણ સ્પર્શવારૂપ સમજવું, તથા માથે ભારથી નમવાનું થયું એમ પણ સમજવાનું છે. “સબૂસ્તવિ દેવસિય”થી દિવસના પાપનું સામાન્યપણે આલોચન થાય છે. તે પ્રતિક્રમણનું બીજક સમજવું. પછી ઉભા થઈ “કરેમિ ભંતે”નો પાઠ કહેવો, અહીંથી પહેલું આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય કરણ. - પછી કાંઈક ફુટ રીતે પાપની, આલોચનારૂપ “ઇચ્છામિ ઠામિ' કહેવું. પછી “તસ્સ ઉત્તરી” આદિ કહી પંચાચારની આઠ ગાથાનો કાયોત્સર્ગ કરવો, તે કાયોત્સર્ગની અંદર પંચાચાર સંબંધી જે દૂષણો લાગ્યાં હોય, તે સમકિતની શુદ્ધિ માટે સંભારી કાઢવાં, જેથી આગળ પાપને વિશેષ આલોચતી વખતે સુગમ પડે. પછી લોગસ્સ” કહેવો એ બીજું આવશ્યક. પછી ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહિને વાંદરાં બે દેવાં (અહીં) મુહપત્તિના 50 બોલ, વાંદણાંના પચ્ચીશ આવશ્યક તથા સત્તર પ્રમાર્જની વગેરે બાબતો પર ધ્યાન રાખવાનું છે.) એ ત્રીજ આવશ્યક. અહિંથી આગળ ચાલતાં છેક “અમ્પટ્ટિયો” સુધી પ્રતિક્રમણ નામક ચોથું આવશ્યક જાણવું. અહીં ગુરુની સમક્ષ પાપ આલોચવું છે, તેથી તેમના વિશેષ વિનાયાર્થે દ્વાદશાવર્ત વંદન કરવું. પછી “જો મે દેવસિયો અઈઆરોકઓ” તથા “સાત લાખ અને અઢાર પાપસ્થાનક”ને આલોચવા, તે પાપની સામાન્ય આલોચના જાણવી. પછી “સદ્ગુસ્સવિ” કહેવું, તે ગુરુ આગળ પ્રાયશ્ચિત માગવારૂપ છે, અત્ર ગુરુ “પડિક્કમેહ” એટલે પ્રતિક્રમણ ૩પ