SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ 544 (પ્રતિમા)ને વંદના થાય છે, “લોગસ્સ’ એ ચોથો અધિકાર છે. તેથી નામજિનને (જિનેશ્વરના નામકીર્તનરૂ૫) વંદના થાય છે. “સવ્વલોએ અરિહંત ચેઈઆણંથી ત્રણ ભુવનના સ્થાપનાજિનને વંદન થાય છે. એ પાંચમો અધિકાર. “પુફખરવરદીથી વિહરમાન જિન (વિચરતા જિન શ્રી સીમંધરાદિ)ને વંદન થાય છે; એ છઠ્ઠો અધિકાર, “તમતિમિરપડલ' ઇત્યાદિ ત્રણ ગાથાથી શ્રુતજ્ઞાનને વંદન થાય છે, એ સાતમો અધિકાર. “સિદ્ધાણં બુદ્ધાણં”થી સર્વ સિદ્ધોને વંદન થાય છે, એ આઠમો અધિકાર, નવમા અધિકારમાં “જો દેવાણ વિ દેવો” ઇત્યાદિ બે ગાથાથી તીર્થાધિપતિ શ્રી વીરસ્વામિની સ્તુતિ થાય છે. દશમે અધિકારે “ઉર્જિતસેલસિહરે” એ ગાથાથી રેવતાચલમંડન શ્રી નેમિનાથને વંદન થાય છે. ચત્તારિઅદસદોય” એ ગાથાથી અષ્ટાપદ પર્વતને વિષે સ્થાપેલા ચોવીશ જિનને તથા બીજી અનેક રીતે જિનેશ્વરોને વંદન થાય છે, એ અગ્યારમો અધિકાર અને છેલ્લે એટલે બારમા અધિકારે “વૈયાવચ્ચગરાણ” ઈત્યાદિ પાઠથી સમ્યગ્દષ્ટિ દેવનું સ્મરણ થાય છે. એ પ્રકારે બાર અધિકારના સ્થાનકો જાણી તે તે સ્થાનકે ચૈત્યવંદન કરનારાઓએ ઉપયોગપૂર્વક વંદન કરવાનું લક્ષ્યમાં રાખવું જરૂરનું છે. વળી ચાર ખમાસમણપૂર્વક ચારને થોભવંદન કરવાનું છે. પહેલા ખમાસમણથી “ભગવાન” એ પદવડે અરિહંત ભગવાનું અથવા ધર્માચાર્ય પણ લેવા, એટલે જેનાથી ધર્મ પામ્યા હોઈએ તેને વંદન કરવું, બાકીના ત્રણ પાઠથી અનુક્રમે આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુને વંદન થાય છે. અને વળી “ઇચ્છકારી સમસ્ત શ્રાવક વંદું” એ પાઠથી સર્વ શ્રાવકોને વંદન કરાય છે (આ વિધિનો પ્રચાર થોડો હોવાથી તે પ્રમાણે વર્તવા અને અન્યને વર્તાવવા ઉપયોગ રાખવો) પછી “દેવસિયપડિક્કમણે ઠાઉં”નો
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy