________________
૪૨૩
'જઈમે હજ્જ પમાઓ, ઇમસ્ટ દેહસ્ટિમાઈ રયણીએ; આહારમુવહિદેહં, સવ્વ તિવિહેણ વોસિરિઅં. ૪.
અર્થ :- જો રાત્રિને વિષે મારા આ શરીરનું મરણ થાય તો આહાર ઉપકરણ અને શરીર વગેરે સર્વ ત્રિવિધે કરીને (મન, વચન અને કાયાવડે) વોસિરાવ્યું છે. ૪.
ચત્તારિ મંગલં, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, રસાહુ મંગલં, કેવલિપન્નત્તો ધમ્મો મંગલં. ૫.
અર્થ ::- ચાર મને મંગળરૂપ છે - અરિહંતો માંગળિક છે, સિદ્ધો માંગળિક છે, સાધુઓ માંગળિક છે અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ (શ્રુત અને ચારિત્ર) માંગળિક છે. ૫. ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધાલોગુત્તમા, સાહૂ લોગુત્તમા, કેવલિપન્નતો ધમ્મો લોગુત્તમા. ૬.
અર્થ :- ચાર લોકને વિષે ઉત્તમ છે - અરિહંતો લોકમાં ઉત્તમ છે, સિદ્ધો લોકમાં ઉત્તમ છે, સાધુઓ લોકમાં ઉત્તમ છે અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ લોકમાં ઉત્તમ છે. ૬.
ચત્તારિ સરણું પવજ્જામિ, અરિહંતે સરણું પવજ્જામિ, સિદ્ધે સરણે પવામિ, સાહૂ સરણં પવજ્જામિ, કેવલિપણાં ધર્માં સરણે પવામિ. ૭.
૧. અહીં ૧૭ ગાથા પર્યંતની હકીકત રાત્રે સુતી વખતે વિચારવાની છે. ૨. સમ્યજ્ઞાન અને ક્રિયા વડે મોક્ષમાર્ગને સાધે તે સાધુ.