________________
૩૫૬
અર્થ :- પ્રલયકાળના પવનવડે ઉદ્ધત થયેલા (પ્રેરાયેલા) અગ્નિસદેશ, જાજ્વલ્યમાન, ઉજ્વળ (જ્વાળાથી શોભતો અથવા પ્રબળપણે સળગતો), ઉંચા ગયેલ છે તણખા જેના એવો અને જગતને ગળી જવાને જાણે ઇચ્છતો હોય તેમ સન્મુખ આવતો એવો સમસ્ત જે દાવાનળ (વનનો અગ્નિ) તેને તમારા નામના કીર્તનરૂપ જળ શાન્ત કરે છે. ૩૬. સર્પ ભયહર કાવ્ય
રક્તેક્ષણં સમદ-કોકિલ-કણ્ઠનીલં, ક્રોધોદ્ધતં ફણિન-મુત્ફણ-માપતન્તમ્; આક્રામતિ ક્રમ-યુગેન નિરસ્ત-શંક,સ્વન્નામ-નાગદમની હૃદિ યસ્ય પુંસઃ. ૩૭. અર્થ :- હે ભગવંત ! તમારા નામરૂપ નાગદમની જે પુરુષના હૃદયને વિષે વર્તે છે તે પુરુષ, લાલ નેત્રવાળા, મદોન્મત્ત કોયલના કંઠ સરખા શ્યામ વર્ણવાળા, ક્રોધવડે ઉદ્ધત, ઊંચી કરી છે ફણા જેણે એવા અને (કરડવાને) સન્મુખ આવતા એવા સર્પને નાશ થયો છે ભય જેનો એવો (નિર્ભય) છતો (પોતાના) ચરણયુગલવડે ઉલ્લંઘન કરે છે, અર્થાત્ જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપ મંત્ર છે તે પુરુષ નિર્ભયપણે ઉગ્ર સર્પને પોતાના પગ વડે કરીને દોરડાની માફક સ્પર્શ કરે છે - પગવડે દૂર કરે છે - દબાવે છે. ૩૭.
સંગ્રામભયહર કાવ્યયમ્
વલ્ગન્નુરંગ-ગજગર્જિત-ભીમનાદ,
૧. વિષને હરણ કરનાર ઔષધી અથવા જાંગુલી મંત્ર ૨. આ બે કાવ્ય ગણવાથી યુદ્ધને વિષે જય મળે છે.