________________
૨૯૨ ગણાઈરે-રવ, ધરણિધરપ્પ-વરાછરેઅસારં . ૧૫// કુસુમલયા ll
સત્તે અસયા અજિએ, સારીરે અબેલે અજિસં . તવ સંજમે આ અજિએ, એસ થુણામિ જિર્ણ અજિસં. ૧૬ ભુઅગપરિરિગિઅં.
અર્થ - નિર્મળ ચંદ્રની પ્રભા કરતાં અધિક સૌમ્યતાવાળા, વાદળ રહિત સૂર્યના કિરણો કરતાં અધિક તેજવાળા, ઈન્દ્રના સમુદાય કરતાં અધિક રૂપવાળા, મેરુપર્વત કરતાં અધિક સ્થિરતાવાળા, વળી સત્ત્વ (વ્યવસાય)માં નિરંતર અજિત નહિ જીતાય એવા), શરીર સંબંધી બળમાં પણ અજિત તપ અને સંયમને વિષે અજિત એવા પ્રકારે હું અજિતનાથ જિનને સ્તવું છું. ૧૫-૧૬.
૧. સંયમ સત્તર પ્રકારે છે તે આ પ્રમાણે-પાંચ ઇન્દ્રિય અને ચાર કષાયનો જય, પાંચ અવ્રતનો ત્યાગ અને ત્રણ યોગ (મન, વચન, કાયા)નું નિવર્તન, સંયમના ૧૭ પ્રકાર બીજી રીતે પણ છે, તે આ પ્રમાણે ૧ પૃથ્વીકાય સંયમ, ૨ અપૂકાય સંયમ, ૩ તેઉકાય સંયમ, ૪ વાઉકાય સંયમ, ૫ વનસ્પતિકાય સંયમ, ૬ બેઇન્દ્રિય સંયમ, ૭ તે ઈન્દ્રિય સંયમ, ૮ ચૌરિન્દ્રિય સંયમ, ૯ પંચેન્દ્રિય સંયમ, ૧૦ પ્રેક્ષ્ય (જોવું) સંયમ, ૧૧ ઉપેક્ષ્ય (ઉપેક્ષા કરવી) સંયમ, ૧૨ પ્રમાર્જન સંયમ, ૧૩ અપહત્ય (પરઠવું) સંયમ, ૧૪ મન સંયમ, ૧૫ વચન સંયમ, ૧૬ કાય સંયમ અને ૧૭ અજીવ (ઉપકરણ) સંયમ.