________________
૩૩૦.
સ્તવના કરવાના હેતુની વિશેષ દઢતા મત્વેતિ નાથ! તવ સંસ્તવન મયેદમારભ્યતે તનુધિયાડપિ તવ પ્રભાવાત; ચેતો હરિષ્યતિ સતાં નલિનીદલેષ, મુક્તાફલ-ઘુતિ-મુપૈતિ નનૂદબિન્દુ ૮.
અર્થ - હે નાથ ! તમારા પ્રભાવવડે તમારું આ સ્તોત્ર સજ્જન પુરુષોના ચિત્તનું હરણ કરશે, એ પ્રકારે માનીને (જાણીને) મંદબુદ્ધિવાળા પણ મારા વડે તમારું સ્તોત્ર આરંભ કરાય છે (રચાય છે), અર્થાત્ હું તમારું સ્તોત્ર રચું છું; કેમકે કમલિનીના પટાને વિષે પડેલ જળબિંદુ નિશ્ચ મુકતાફળ (મોતી)ની જેવી કાન્તિને પામે છે. અર્થાત કમલપત્રમાં રહેલ જળબિંદુ કમળના પ્રભાવે મોતી જેવું દેખાય છે, તેમ તમારા પ્રભાવ વડે કરીને આ સ્તોત્ર સજ્જનોને આનંદકારી થશે. ૮.
ભગવંતની કથાનું માહાભ્ય. આસ્તાં તવસ્તવન-મસ્ત-સમસ્તદોષ, –ત્સકથાડપિ જગતાં દુરિતાનિ હન્તિ; દૂરે સહસ્રકિરણઃ કુરુતે પ્રમૈવ, પધાકરેછુ જલજાનિ વિકાશભાજિ. ૯.
અર્થ - હે પ્રભુ! નાશ પામ્યા છે સમસ્ત દોષ (રાગદ્વેષકષાયાદિ) જે થકી એવું તમારું સ્તવન દૂર રહો, પરંતુ તમારી કથા (આ ભવ-પરભવના ચરિત્રની વાર્તા અથવા તમારું નામ) પણ જગતનિવાસી લોકોના પાપને હણે છે. જેમ-સૂર્ય દૂર રહો,
૧. ક્રિયાના અર્થવાળો અવ્યય છે.