________________
૩૨ ૧
ચિત્રાસરા છંદ - લક્ષણ આ પ્રમાણે જાણવું-પહેલા અને ચોથા પાદમાં પાંચ ટગણ અને બે ગુરુ આવે તથા બીજા-ત્રીજા પાદમાં છ ટગણ અને એક ગુરુ હોય. ચારે પાદમાં યમકવાળો હોય તે ચિત્રાક્ષરા છંદ જાણવો.
બીજો નારાચક છંદ-લક્ષણ આ પ્રકારે જાણવું - અગ્યાર ચગણ, ગુરુ, ચૌદ ચગણ, નગણ, સોળ ચગણ, ટગણ, ત્રણ ચગણ એ પ્રમાણે બીજા નારાચક છંદમાં જાણવું.
નંદિતક છંદ - લક્ષણ આ પ્રમાણે જાણવું - બે લઘુ, ગુરુ, બે લઘુ, ગુરુ અને ગુરુ સર્વ પાદમાં આવે તે નંદિતક છંદ જાણવો.
ભાસુરક છંદ - લક્ષણ આ પ્રકારે જાણવું - તગણ, પગણ, તગણ, ટગણ, તગણ, ટગણ, તગણ, ટગણ, ગુરુ, પગણ, બે ટગણ, ગુરુ બાર ટગણ એ પ્રકારે સુયતિ અને અનુપ્રાસ સહિત ભાસુરક છંદ જાણવો.
અન્ય નારાચક છંદ :- લક્ષણ આ પ્રમાણે જાણવું-તેર ચગણ, નગણ, નવ ચગણ, નગણ, ત્રીશ ચગણ, અને ગુરુ તથા અઢાર ચગણ એ પ્રકારે બીજો નારાચક છંદ જાણવો.
બીજો લલિતક છંદ - લક્ષણ આ પ્રકારે જાણવું – ચગણ, ટગણ, ચાર તેમજ ગુરુ દરેક પાદમાં હોય એવા લક્ષણવાળો બીજો લલિતક છંદ જાણવો.
વાનવાસિકા છંદ:- લક્ષણ આ પ્રકારે જાણવું - ટગણ ચાર, તેમાં નવમી અને બારમી માત્રા લઘુ હોય (દરેક પાદમાં) તે વાનવાસિકા છંદ જાણવો.
અપરાંતિકા છંદ-લક્ષણ આ પ્રકારે જાણવું - આઠ માત્રા રગણ (ડાડ) લઘુ અને ગુરુ સર્વ પાદમાં હોય તેવો અપરાંતિકા છંદ જાણવો.
૨૧