________________
૪૦૯
ગાંધારી, સર્વ અસ્ત્રવાળી મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા, અચ્છમા, માનસી, મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ તમારું હંમેશા રક્ષણ કરો. સ્વાહા. ૭. ૐ આચાર્યોપાધ્યાય-પ્રકૃતિ-ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ૮.
અર્થ - ૐ આચાર્ય, ઉપાધ્યાય પ્રમુખ ચાર પ્રકારો (સાધુસાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) છે જેને વિષે એવા શ્રી મહાવીર પ્રભુના સંઘને શાન્તિ (અથવા કલ્યાણ) થાઓ, સંતોષ થાઓ, ધર્મની પુષ્ટિ થાઓ. ૮.
ૐ ગ્રહાશ્ચન્દ્ર-સૂર્યાગારક-બુધ-બૃહસ્પતિ-શુક્રશનૈશ્ચર-રાહુ-કેતુ-સહિતા સલોકપાલા સોમ-યમવરૂણ-કુબેર-વાસવાદિત્ય સ્કંદ-વિનાયકોપેતા યે ચાન્ટેડપિ ગ્રામ-નગર-ક્ષેત્રદેવતાદયસ્ત સર્વે પ્રીયંતાં પ્રીયંતા, અક્ષણ-કોશ-કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા. ૯.
અર્થ - નવગ્રહો તે ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, બૃહસ્પતિ (ગુરૂ), શુક્ર, શનૈશ્ચર, રાહુ અને કેતુ (પૂંછડીયો તારો) સહિત (સર્વ પરસ્પર મળેલા) તથા સોમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર લોકપાલોએ સહિત; ઈન્દ્ર, સૂય, કાર્તિકેય અને ગણેશ સહિત; વળી પણ જે ગ્રામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવતાઓ વગેરે છે તે સર્વ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ અને
૧. વર્તમાનકાળે શ્રી વીરપ્રભુનું શાસન વર્તે છે. માટે તેમનો સંઘ. ૨. બાર પ્રકારનાં સૂર્ય એટલે બાર સંક્રાંતિ સૂર્ય. ૩. આદિ શબ્દ ભવનપત્યાદિ દેવો લેવા.