________________
४०८
દુષ્કાળ અને મહાઇટવીને વિષે તથા વિકટ માર્ગોને વિષે તમોને નિરંતર રક્ષણ કરો. સ્વાહા. ૪-૫.
ૐ હ્રીં શ્રી ધૃતિ-મતિ-કીર્તિ-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મીમેધા-વિદ્યાસાધનપ્રવેશ-નિવેશનેષુ સુગૃહીતનામાનો જયન્ત તે જિનેન્દ્રા. ૬.
અર્થ :- 5 (પ્રણવબીજ) હ્રીં (માયાબીજ-વશ કરનાર) અને શ્રી લક્ષ્મીબીજ-લક્ષ્મીનું કારણ) પૂર્વક સંતોષ, મતિ (દીર્ઘ દૃષ્ટિ), યશ, શોભા, બુદ્ધિ (વર્તમાનકાળે ઉપજતી બુદ્ધિ), ધનાદિ, સંપત્તિ, ધારણ કરવાની બુદ્ધિ, વિદ્યાનું સાધન, નગરાદિ પ્રવેશ અને નિવાસસ્થાનને વિષે રૂડે પ્રકારે ગ્રહણ કરાયાં છે નામો જેનાં એવા તે જિનેશ્વરો જયવંતા વાર્તા = સાંનિધ્ય કરવાવાળા થાઓ. ૬.
*% રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજશૃંખલા-વાંકુશીઅપ્રતિચક્રી-પુરૂષદત્તા-કાલી, મહાકાલી-ગૌરીગાંધારિ-સર્જાસ્ત્રા-મહાજ્વાલા-માનવ-વૈરોચ્યાઅચ્છમા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષતુ વો નિત્યં સ્વાહા. ૭.
અર્થ:- ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વાંકુશી, અપ્રતિચક્ર (ચક્રેશ્વરી), નરદત્તા, કાળી, મહાકાળી, ગૌરી, ૧. વિદ્ધમાનાદિ વિદ્યાઓનું સાધન અથવા ચૌદ વિદ્યાનું પાઠન. * મંત્રપદની આદિમાં 8 અને અંતે સ્વાહા એ પ્રકારે પદો બોલવા એવો વૃદ્ધ આમ્નાય છે તે પ્રકારે અહીં સર્વત્ર સમજી લેવું.
૨. આ વિદ્યાદેવીઓ છે. સંતિક સ્તવ અને તિજયપહત્ત એ બે સ્મરણોમાં પણ ૧૬ વિદ્યાદેવીઓનાં નામો આવે છે તે અને આ બધી એક જ સમજવી.