________________
૧૧૫ રાજાના દેશમાં રાજ્ય તરફથી જવાનો નિષેધ કર્યો હોય છતાં વ્યાપારાદિ પ્રસંગે જવું, ખોટાં તોલ રાખવાં, ખોટાં માપ રાખવાં; તેથી જે પાપ લાગ્યું હોય તે સંબંધી સર્વને હું પડિક્કમું છું. ૧૪.
ચોથા વ્રતના અતિચાર ચઉલ્થ અણુયંમિ, નિર્ચા પરદારગમણ-વિરઇઓ | આયરિઅમuસત્યે, ઇત્ય પમાયપ્રસંગેણં ૧પો.
અર્થ - અહીંયાં ચોથા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતા થકા, નિરંતર પરદારા સાથે ગમન કરવાની વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યું હોય તે જેમકે-૧૫.
અપરિગ્દહિઆ ઇત્તર, અસંગવિવાહ તિવ-અણુરાગે છે "ચઉત્થવયસ્સઈઆરે, પડિક્કમે દેસિઅં સવૅ ૧દો.
અર્થ - અપરિગ્રહીતા અર્થાત કુંવારી કન્યા અથવા વિધવાની સાથે મૈથુન કરવું, બીજાએ થોડા વખત માટે રાખેલી વેશ્યાની સાથે મૈથુન કરવું, અનંગક્રીડા કરવી (સૃષ્ટિ નિયમ
૧. આ ચોથું વ્રત બે પ્રકારે ગ્રહણ થઈ શકે છે, તેથી સ્વદારાસંતોષીને છેલ્લા ત્રણ અતિચાર અને પહેલા બે સેવાય તો વ્રતભંગ જ થાય અને પરસ્ત્રીગમનવિરમણવાળાને પાંચ અતિચાર સમજવા. અહીં પુરુષને સ્ત્રી આશ્રયી કહ્યું છે તે પ્રમાણે સ્ત્રીને પુરુષ આશ્રયી અતિચાર, અનાચાર વગેરે સમજી લેવું.