________________
૩૯
ચંદેસુ નિમ્મલયરા, આઈસ્ચેસુ અહિયં પયાસયરા ॥ સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ II
અર્થ :- ચંદ્રસમુદાયથી વિશેષ નિર્મળ, સૂર્યસમુદાયથી વિશેષ પ્રકાશ કરનાર (અને) સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર એવા સિદ્ધ (પરમાત્મા) મને મોક્ષ આપો ! ૭
પદ (૨૮), સંપદા (૨૮), ગુરુ (૨૭), લઘુ (૨૨૯), સર્વ વર્ણ (૨૫૬)
ઈતિ નામસ્તવ` સૂત્ર ૮. ઘઉં ઘઉં વર્ણ
ભંડાર તથા દેશ-નગરાદિની વૃદ્ધિ થઈ, સર્વ રાજા આજ્ઞામાં વર્તવા લાગ્યા; એવો ગર્ભનો પ્રભાવ જાણી વર્ધમાન નામ દીધું, વળી બાલ્યાવસ્થામાં મેરુપર્વત અંગુઠે ચાંપ્યો તથા આમલકી ક્રીડા કરતાં દેવતા હાર્યો, તેથી ઈન્દ્ર મહારાજે શ્રી મહાવીર એવું બીજું નામ દીધું. તેમનું સાત હાથનું શરીર અને બહોતેર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને લાંછન સિંહનું જાણવું. શ્રીમહાવીરસ્વામી ૨૪મા તીર્થંકર થયા, ત્યારપછી કોઈપણ તીર્થંકર ભગવાન આ ભરતક્ષેત્રમાં થયા નથી, તેમજ આ અવસર્પિણી કાળમાં થવાના નથી. હાલમાં જે જૈનધર્મ પ્રવર્તે છે તે શ્રીવીરપ્રભુનું જ શાસન સમજવું. તેમની પાટે શ્રી સુધર્માસ્વામી ગણધર થયા, હાલમાં જે સાધુઓ જૈનધર્મને માનનારા છે તે સઘળા તેઓની પરંપરાના સમજવાના.
૧. આ સૂત્રમાં નામપૂર્વક તીર્થંકરોની સ્તવના કરેલ છે તેથી આ સૂત્રનું બીજું નામ નામસ્તવ છે.