________________ પપ૩ પણ મંદસ્વરે કહે, કારણ કે ઉચ્ચ સ્વરે બોલવાથી હિસક જીવો જાગી હિંસામાં પ્રવર્તે તો કારણિક પોતે થાય, આખું રાઈપ્રતિક્રમણ મંદ સ્વરે જ કરવું જોઇએ. પછી ચાર થોઈએ દેવવંદન કરે. પછી ચાર ખમાસમણપૂર્વક ગુર્નાદિકને વાંદી, “અઢાઇક્વેસુ” કહે, પછી સીમંધરસ્વામીનું તથા સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરે. તે સામાચારી પ્રમાણે તથા સામાયિકનો બે ઘડી કાળ પૂર્ણ કરવા માટે સૂચન થાય છે. આ પ્રતિક્રમણમાં “જગચિંતામણિ” તથા વિશાલલોચન એમ બે ચૈત્યવંદનો આવે છે, છતાં શ્રી સીમંધરસ્વામિ આદિનાં ચૈત્યવંદન કરીએ છીએ, તે વિશેષ માંગળિક અર્થે સમજવાં. તેજ પ્રમાણે સાંજના પ્રતિક્રમણમાં “નમોડસ્તુ વર્તમાનાય” તથા “ચઉકસાય” ચૈત્યવંદનો આવે છે, છતાં આરંભમાં દેવવંદન કરીએ છીએ, તે પણ વિશેષ માંગલિકના અર્થે સમજવું. - ભગવાનાદિને વાંદ્યા પહેલાં શ્રાવક પૌષધમાં હોય તો તે “બહુવેલ સંદિસાહું” તથા “બહુવેલ કરશું” એવા આદેશો માગે, છૂટા શ્રાવકને તેમ કરવાનું નથી. પફની, ચૌમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણના સામાન્ય હેતુઓ સૂક્ષ્મ અને બાદર અતિચારની વિશુદ્ધિ માટે દિવસ અને રાત્રિને છેડે દેવસી અને રાઈ પ્રતિક્રમણ કરવા છતાં, પણ પક્ષ ચતુર્માસ અને સંવત્સરને અંતે પકુખી, ચોમાસ અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણ વિશેષ પ્રકારે કરાય છે. તે ઉત્તરીકરણ કરવાને અર્થે એટલે દેવસી-રાઈ પ્રતિક્રમણ દરરોજ કરવા છતાં પણ રહી ગયેલ દોષોનું નિવારણ કરવાને અર્થે સમજવું.