________________ પપ૨ આચારોના કાયોત્સર્ગથી પણ અશુદ્ધ રહેલ અતિચારોની એકત્ર શુદ્ધચર્થે તપ ચિંતવનનો કાયોત્સર્ગ કરવાનો છે તે ન આવડે તો સોળ નવકારનો કરે. એમ પ્રવર્તન છે. પણ ખરી રીતે તો તપનું ચિંતવન કરવું જોઈએ, તેની વિધિ આ પ્રમાણે “શ્રી વીર ભગવંતે છ માસી તપ કર્યો, હે ચેતન ! તે તું કરી શકીશ? (અત્ર ઉત્તર મનમાં ચિંતવવો કે) શક્તિ નથી, પરિણામ નથી. તો એક ઉપવાસ ઓછો કર. શક્તિ નથી, પરિણામ નથી, તો બે ઉપવાસ ઓછા કર, એમ યાવ-ર૯ ઉપવાસ ઓછા કરવા પર્યત ચિંતવવું અને દરેક વખતે શક્તિ નથી, પરિણામ નથી, એમ મનમાં બોલવું. પછી પંચમાસી કર, ચઉમાસી કર, ત્રિમાસી કર, દ્વિમાસી કર, માસક્ષમણ કર, અહીં પણ દરેક વખતે ઉત્તર મનમાં ચિંતવતા જવું, પછી એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન; એમ તેર દિવસ ન્યૂન (17 ઉપવાસ) સુધી વિચારવું. પછી 34 ભક્ત (16 ઉપવાસ) કરી શકીશ? ૩ર ભક્ત કર, 30 ભક્ત કર, એમ બબે ભક્ત ઓછા કરતાં યાવતુ ચીથભક્ત સુધી કહેવું પછી આયંબિલ કર, નીવિ કર, એકાસણ કર, અવઢ કર, પુરિમઠુકર, સાઢપોરિસિ કર, પોરિસિ કર, નમુકારસી મુફિસહિએ કર; અહીં સર્વ સ્થાનકે શક્તિ નથી, પરિણામ નથી, એમ ચિંતવવું, પણ જે તપ કર્યો હોય પણ અત્યારે કરવો ન હોય ત્યાં કહેવું કે શક્તિ છે પણ પરિણામ નથી, અને છેલ્લે જે તપ કરવો હોય ત્યાં શક્તિ પણ છે અને પરિણામ પણ છે એમ કહી કાયોત્સર્ગ પારીને લોગસ્સ કહેવો. પછી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદરાં દેવાં પછી તીર્થવંદનાદિક કરી કાયોત્સર્ગમાં જે પચ્ચકખાણ કરવા ધાર્યું હોય તે અત્ર પ્રકટપણે લેવું, એ છટું આવશ્યક, પછી પડાવશ્યક પૂરા થયા તેનો હર્ષ થયો તેથી વીરસ્તુતિરૂપ વિશાલ લોચન કહે,