________________ પપ૧ પછી સર્વ ધર્માનુષ્ઠાન દેવ-ગુરુવંદન પૂર્વક કરવું, માટે પ્રથમ જગચિંતામણિ”નું ચૈત્યવંદન “જયવીરાય” પર્યત કરવું. પછી “ભરફેસર”ની સક્ઝાય ઉત્તમ પુરુષો તથા સ્ત્રીઓના નામ સ્મરણાર્થે કહેવામાં આવે છે. પછી - ગુરુમહારાજને સુખશાતા પૂછી રાઈ પડિક્કમ ઠાઈને શિક્રસ્તવ', કહેવાય છે, તે પ્રતિક્રમણનો આરંભ થયો તેની પહેલાં દેવવંદન કરવા અર્થે છે. પ્રથમ ચૈત્યવંદન કર્યું પણ તે આવશ્યક બહારની ક્રિયા છે. પછી “કરેમિ ભંતે” કહે તે પહેલું આવશ્યક. પછી ચારિત્રાચાર, દર્શનાચાર તથા જ્ઞાનાચારની વિશુદ્ધિ અર્થે અનુક્રમે એક લોગસ્સ. એક લોગસ્સ તથા આઠ ગાથાનો કાયોત્સર્ગ કરવામાં આવે છે, અત્ર ચારિત્રાચારનો એક લોગસ્સનો કાયોત્સર્ગ કરવામાં આવ્યો અને દૈવસિકમાં બે લોગસ્સનો કરવામાં આવે છે તેનું કારણ દિવસ કરતાં રાત્રિને વિષે પ્રવૃત્તિ ઓછી હોવાને લીધે પ્રાય: અલ્પ દોષ લાગે છે તે છે. દોષનું ચિંતવન ત્રીજા કાયોત્સર્ગમાં કરાય છે અને પહેલા કાયોત્સર્ગમાં નહિ; તેનું કારણ એ છે કે પહેલા કાયોત્સર્ગમાં નિદ્રાનો ઉદય હોય તેથી દોષનું સંભારવું બરાબર ન થાય તે માટે ત્રીજામાં સંભારવામાં આવે છે. પહેલા કાઉસ્સગ્ન પછી “લોગસ્સ” કહેવાય છે, તે બીજું આવશ્યક. ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહીને વાંદરાં દેવાય છે, તે ત્રીજું આવશ્યક. વાંદણાં દીધા પછી ઇચ્છા રાઈએ આલોઉ૦. સાત લાખ, અઢાર પાપસ્થાનક, વંદિત્ત, અબ્યુટ્ટિઓ વગેરે કહેવામાં આવે છે. તે સર્વ ચોથા આવશ્યકની ક્રિયા છે. તેના હેતુ દૈવસિક પ્રતિક્રમણ પેઠે જાણવા, પછી પ્રથમ ત્રણ કરાઇપ્રતિક્રમણનો કાઉસ્સગ્ગ 50 શ્વાસોચ્છવાસ પ્રમાણ કહેલો છે. તેથી ચારિત્રાચાર અને દર્શનાચારના મળી બે લોગસ્સનો કાઉસ્સગ્નને પાંચમા આવશ્યક તરીકે ગણવું ઠીક લાગે છે.