SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૪ જેમ શરીરને તૈલાદિ વડે સંસ્કાર કર્યા છતાં પણ ધૂપ, વિલેપન અને આભૂષણાદિકે કરીને વિશેષ શોભિત કરે છે તેમ અહીં પણ વિશેષ શુદ્ધિ કરે છે. તેને માટે શાસ્ત્રકાર દૃષ્ટાંત આપે છે, કે - જેમ ઘરને હંમેશાં સાફ કરવામાં આવે છે તો પણ પર્યાદિકને વિષે વિશેષ પ્રકારે એટલે ચારે બાજુથી ખૂણેખાંચરેથી સાફ કરવામાં આવે છે, તેમ અહીં પણ હંમેશ પ્રતિક્રમણ કરવા છતાં પપ્પી આદિ પ્રતિક્રમણ વિશેષ શુદ્ધિને માટે કરવાનાં છે. વળી નિત્ય પ્રતિક્રમણ કરતાં કોઈક અતિચાર વિસ્મૃત થઈ ગયેલ હોય, સાંભર્યા છતાં ભયાદિકથી ગુરુ સમક્ષ પ્રતિક્રમ્યો નહોય અથવા તો પરિણામની મદતાથી સમ્યફ પ્રકારે પ્રતિક્રમેલ ન હોય તેવા અતિચારને પ્રતિક્રમવા માટે પકખી આદિ પ્રતિક્રમણ કરવાનાં છે. પાક્ષિક (પકુખી) પ્રતિક્રમણમાં વંદિત્તા સુધી દેવસી પ્રતિક્રમણ પ્રમાણે વિધિ કરવાની છે તેથી તેના હેતુ દેવની પ્રતિક્રમણ પ્રમાણે સમજી લેવા. ક્ષમા છે પ્રધાન જેમાં એવાં અનુષ્ઠાનો સફળ છે. એમ જણાવવા માટે 3 ફિરોઢું સંવૃદ્ધાગ્રામri ઇત્યાદિ પાઠવડે સંબુદ્ધ જે ગુર્વાદિક તેમને ખમાવવામાં આવે છે. અને ગુર્નાદિકને ખમાવવા છે તે માટે અગાઉ દ્વાદશાવર્ત વંદન (વાંદણાં) દેવામાં આવે છે અને વાંદણાં દેતાં વિરાધનાનો સંભવ છે તેથી વાંદરા અગાઉ શરૂઆતમાં પકિખ મુહપત્તિ પડિલેહવાની છે. તે પછી સંક્ષેપ અને વિસ્તારથી પાપ આલોવવા માટે આલોચનસૂત્ર અને અતિચાર કહે અને પછી સવરવ વય ઇત્યાદિ સૂત્ર કહીને ઉપવાસાદિરૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. પછી પ્રત્યેક ખામણાંવડે સર્વને ખમાવે, તેની પહેલાં ને પછી વિનયાર્થે ગુરુમહારાજને દ્વાદશાવર્ત વંદન કરે પછી પખી
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy