________________ પપપ ને વંદિત્તા સૂત્ર કહ્યા પછી બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તે પ્રતિક્રમણ કર્યા છતાં અશુદ્ધ રહેલા અતિચારોની શુદ્ધિને અર્થ જાણવો. પછી સમ્પત્તીમાં ઇત્યાદિ વડે છેવટે ખમાવવામાં આવે છે, છેવટે કરેલા કાયોત્સર્ગમાં સ્થિત રહ્યાછતાં શુભ એકાગ્ર ભાવવડે કોઈ અપરાધ ન સાંભર્યા હોય તેને ખમાવવા માટે જાણવું, અથવા અહીં સર્વથા પખી પ્રતિક્રમણની સમાપ્તિ થાય છે તેથી પ્રથમના ક્ષામણક પછી કંઈ અપ્રીતિકારી થયું હોય અથવા વિતથ (ખોટી) ક્રિયા થઈ હોય તો તે અહીં ખમાવવા માટે જાણવું. આ વિધિને ભગવંતે ત્રીજા વૈદ્યના ઔષધ સમાન કહી છે. પછી પક્રિખ-ખામણાં ખામવાનાં છે તેનો હેતુ ખામણાંના અર્થના પ્રસ્તાવે જણાવેલ છે, ત્યાંથી જોઈ લેવો. ત્યારપછી વંદિત્તાસૂત્ર પછીની વિધિ દેવસિ પ્રતિક્રમણ પ્રમાણે કરવાની છે માટે તેના હેતુ દેવસિ પ્રતિક્રમણ પેઠે જાણી લેવા. એમાં એટલું વિશેષ છેજે શ્રુતદેવતા પખીસૂત્રના પ્રાંતે સંભારેલ હોવાથી તેના કાઉસ્સગ્નને સ્થાને ભવનદેવતાનો કાઉસ્સગ્ન કરે. ક્ષેત્રદેવતાની નિરંતર સ્મૃતિમાં ભવનનું ક્ષેત્રમંતર્ગતપણું હોવાથી તત્ત્વથી તો તેમની સ્મૃતિ પણ દરરોજ થઈ જાય છે, તોપણ પર્વદિવસે તેનું બહુમાન કરવા માટે સાક્ષાતુ તેનો કાઉસ્સગ્ન કરાય છે. આમાં પંચવિધ આચારની વિશુદ્ધિ આ પ્રમાણે જાણવી-જ્ઞાનાદિ ગુણવાનની પ્રતિપત્તિરૂપ હોવાથી વાંદણાં અને સંબુદ્ધા ક્ષામણકથી જ્ઞાનાચારની, બાર લોગસ્સના કાઉસ્સગ્ન પછી પ્રકટ લોગસ્સ (ચઉવીસન્થો) કહેવાવડે દર્શનાચારની, અતિચારની આલોચના, પ્રત્યેક ક્ષામણક પખી સૂત્ર અને સમાપ્ત ક્ષામણક વગેરેથી ચારિત્રાચારની; તપની પ્રતિપત્તિ અને બાર લોગસ્સના કાઉસ્સગ્ન