________________ પપ૬ વગેરે વડે બાહ્ય-અત્યંતર તપઆચારની અને એ સર્વ પ્રકાર વડે સમ્યમ્ આરાધના કરવાથી વીર્યાચારની વિશુદ્ધિ જાણવી. આ પ્રમાણે ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ સમજવું, ચઉમાસી પ્રતિક્રમણમાં ર૦ લોગસ્સનો અને સંવચ્છરી પ્રતિક્રમણમાં 40 લોગસ્સ, ઉપર એક નવકારનો કાઉસ્સગ્ગ કરાય છે, તે નવકાર માંગલિક અર્થે સમજવો. આ“હેતુઓ” “પ્રતિક્રમણગર્ભહેતુ” તથા “પ્રશ્નોત્તર રત્નચિંતામણિ” ગ્રંથને આધારે લખવામાં આવ્યા છે. સમાપ્ત શ્રી પદ્માવતી આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઇણ વેળા આવે. 1. તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની શાખ; જે મેં જીવ વિરાધીયા, ચીરાશી લાખ. તે મુજ૦ 2. સાત લાખ પૃથ્વી તણા, સાતે અપકાય; સાત લાખ-તેઉકાયના, સાતે વળી વાય. તે મુજ૩. દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ; બિતિ ચઉરિદ્ધિ જીવના, બે બે લાખ વિચાર. તે મુજ0 4. દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ0 પ. ઇણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂ, દુર્ગતિના દાતાર. તે મુજ) 6. હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે મુજ૦ 7.