________________ 513 અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વ સાધુ વંદીએ; દર્શન જ્ઞાન ગુણીજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીએ; અહોનિશ નવપદ ગુણણું ગણીને, નવ આયંબિલ પણ કીજે; નિશ્ચલ રાખીને મન ઇશ, જપો પદ એક એકને ઇશ; નવકારવાળી વિશ, છેલ્લે આયંબિલ પણ કીજે; સત્તરભેદી જિનપૂજા રચી, માનવભવફળ લીજે. 2. - સાતસે કુષ્ટીના રોગ નાઠા, “વહણ લઈ સંયોગ; દૂર હુવા કર્મના ભોગ, કુષ્ટ અઢારે દૂરે જાય; દુઃખ દારિદ્ર સવી દૂર પલાય, મનવંછિત ફળ થાય; નિધનીયાને દે બહુ ધન, અપુત્રીને પુત્ર રતન; જો સેવે શુદ્ધ મન, નવકાર સમો નહિ કોઈ મંત્ર; સિદ્ધચક્ર સમો નહિ કોઈ જંત્ર, સેવો ભવિયણ એકંત. 3. જો સેવ્યો મયણા શ્રીપાળ, ઉંબર રોગ ગયો તત્કાળ; પામ્યા મંગળમાળ, શ્રીપાળ પેરે જે આરાધે; તસ ઘર દિન દિન દોલત વાધે, અંતે શિવસુખ સાધે; વિમલેશ્વર જક્ષ સેવા (સાંનિધ્ય) સારે, આપદા કષ્ટ સવી દૂર નિવારે; દોલત લક્ષ્મી વધારે, મેઘવિજય કવિરાયનો શીશ; હેડે ભાવ ધરી જગશે, વિનયવિજય નિશદિશ૬. 4. શ્રી વીશસ્થાનક સ્તુતિ પૂછે ગૌતમ વીર જિગંદા, સમવસરણ બેઠા શુભ કંદા; પૂજિત અમર સુરિંદા, કેમ નિકાચ પદ જિનચંદા; કિણવિધ તપ કરતાં બહુ ફંદા, ટળે દૂરિત દંદા; તો ભાખે પ્રભુજી ગનિંદા, સુણ ગૌતમ -. વસુભૂતિ નંદા, નિર્મળ તપ અરવિંદા, વિશસ્થાનક તપ કર મહેંદા; જીમ તારક સમુદાયે ચંદા, તિમ એ તપ સવિ ઈદા. 10 1 ઉપાધ્યાયજી. 2 નવ દિવસ સુધી રસકસ વગરનું લખું ભજન એક વખત કરવું. 3 સત્તર પ્રકારી પૂજા. 4 કોઢીઆ. 5 નવહણ છાંટવાથી. 6 નિશે. 7 શિષ્ય. 8 રાત-દિન. 33