________________ પ૧૨ શ્રી શત્રુંજયતીર્થની થોયો 1. પુંડરિકમંડન પાય પ્રણમીજે, આદીશ્વર જિનચંદાજી; નેમિ વિના ત્રેવીસ તીર્થકર, ગિરિ ચઢયા આનંદાજી; આગમમાંહિ પુંડરિક મહિમા, ભાખ્યો જ્ઞાન દિગંદાજી; ચૈત્રી પુનમ દિન દેવી ચકકેસરી, સૌભાગ્ય દ્યો સુખકંદાજી. 1. - 2. વિમલાચલ મંડન, જિનવર આદિ જિણંદ; નિર્મમ નિર્મોહી, કેવલજ્ઞાનદિણંદ; જે પૂર્વ નવાણું, આવ્યા ધરી આણંદ; શત્રુંજય શિખરે, સમવસર્યા સુખકંદ. 1. 3. શ્રી સિદ્ધાચલ મંડન, ઋષભનિણંદ દયાળ; મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રાણ કાળ; એ તીરથ જાણી, પૂર્વ નવાણું વાર; આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. 1. શ્રી સિદ્ધચક્રજીની થોયો શ્રી સિદ્ધચક્ર સેવો સુવિચાર, આણી હૈડે હર્ષ અપાર; જેમ લહો સુખ શ્રીકાર, મન શુદ્ધ નર્વ ઓળી કીજે; અહોનિશ નવપદ ધ્યાન ધરીને, જિનવર પૂજા કીજે; પડિક્કમણાં દોય ટંકનાં કીજે, આઠે થોયે દેવ વાંદીજે; ભૂમિ સંથારો કીજે, મૃષા તણો કીજે પરિહાર; અંગે કશીલ ધરીને સાર, દીજે દાન અપાર. 1. 1 શ્રી પુંડરિકગિરિના અલંકારરૂપ. 2 કેવળજ્ઞાન દિવાકર કેવલી મહારાજ. 3 સારી સમજ મેળવી. 4 દિનરાત (સદાય). 5 જૂઠ બોલવાનો ત્યાગ કરવો. 6 શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું.