________________
૧૯૪
૬૦. સકલાહ
શબ્દાર્થ
સકલ - સર્વને. અર્હત્ - પૂજવાને યોગ્ય. પ્રતિષ્ઠાનં - સ્થાનરૂપ. અધિષ્ઠાનં - સ્થાનક. શિવશ્રિયઃ - મોક્ષલક્ષ્મીનું ભૂર્ભુવઃ સ્વસ્રયી - પાતાળ, મૃત્યુ અને સ્વર્ગરૂપ ત્રણ લોકના.
|
ઇશાનં - ઈશ્વર-સ્વામી. આર્હત્ત્વ - અર્હતના સમૂહનું. પ્રણિદધ્મહે - અમે ધ્યાન કરીએછીએ.
નામ - નામનિક્ષેપ. આકૃતિ - સ્થાપનાનિક્ષેપ. દ્રવ્ય - દ્રવ્યનિક્ષેપ (અને). ભાવૈઃ - ભાવનિક્ષેપ વડે. પુનતઃ - પવિત્ર કરનારા. ત્રિજગજ્જનં – ત્રણ જગતના લોકોને. ક્ષેત્રે - ક્ષેત્રમાં.
કાલે - કાળમાં. સર્વસ્મિન્ - સર્વને વિષે.
અર્હતઃ - અર્હન્તોને. સમુપાસ્મહે - રૂડા પ્રકારે સેવીએ
છીએ.
આદિમં - પહેલા.
પૃથિવીનાથં - પૃથ્વીના પતિ, રાજા. નિષ્પરિગ્રહઁ - નિષ્પરિગ્રહી-સાધુ. તીર્થનાથં - તીર્થપતિ, તીર્થંકર.
ઋષભસ્વામિન- ઋષભદેવસ્વામિને.
|
સ્નુમઃ - અમે સ્તવીએ છીએ.
અર્હન્ત - પૂજ્ય.
અજિત - અજિતનાથને. વિશ્વ - જગતરૂપી.
કમલાકર - કમળવાળા સરોવરને. ભાસ્કર - સૂર્યસમાન. અમ્લાન - નિર્મળ.
કેવલાદર્શ - કેવળજ્ઞાનરૂપ દર્પણમાં. સંક્રાંતજગત - પ્રતિબિંબિત કર્યું છે ત્રણ જગત જેણે એવા.
* આ ચૈત્યવંદન પક્ષી, ચોમાસી અને સંવચ્છ૨ી પ્રતિક્રમણના આરંભમાં કહેવામાં આવે છે. કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે પોતે કરેલા ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર નામના ગ્રંથમાં ૨૬ મા શ્લોક સિવાય નૃતાપÛ૦ પર્યંત ૨૫ શ્લોક મંગલાચરણ તરીકે રચેલા છે. તેથી આ ચૈત્યવંદનના કર્તા ઉક્ત આચાર્ય છે, એમ નિર્ણય થાય છે.