________________
૨૧૯
કીધો, જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર, ઇસ્યા ગુણ ભણી ન માન્યા ન પૂજ્યા. 'મહાસતી મહાત્માની ઇહલોક પરલોક સંબંધીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ આતંક, કષ્ટ આવ્યે ખીણ વચન ભોગ માન્યા. મહાત્માનાં ભાત-પાણી મલ શોભા તણી નિંદા કીધી, કુચારિત્રીયા દેખી ચારિત્રિયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજાપ્રભાવના દેખી પ્રશંસા કીધી. પ્રીતિ માંડી દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો કીધો. શ્રી સમ્યક્ત્વ વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ
પહેલે સ્થૂલપ્રાણાતિપાતવિરમણવ્રતે પાંચ અતિચાર. વહબંધછવિચ્છેએ૦ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસવશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢે બંધને બાંધ્યો, અધિક ભાર ઘાલ્યો. નિર્વાંછન કર્મ કીધાં. ચારા-પાણી તણી વેલાએ સારસંભાળ ન કીધી. લેહણે દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેણે ભૂખે આપણે જમ્યા, કન્હે રહી મરાવ્યો. બંદીખાને ઘલાવ્યો, સળ્યાં ધાન, તાવડે નાંખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં,
૧. સાધ્વી. ૨. સાધુ મુનિરાજ. ૩. ભોગપ્રાપ્ત્યર્થે. ૪. દીન. ૫. ગાઢો-આકરો, ઘાવ-પ્રહાર, ઘાલ્યો-કર્યો સજ્જ માર માર્યો. ૬. નાક, કાન વિંધવા, ઘોડા-બળદ ખશી કરવા. ૭. તડકે.