________________
૨૧૮ વિનાયક 'જીરાઊલાને માન્યું, ઈયું. બૌદ્ધ સાંખ્યાદિક સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીઆ, જોગી, દરવેશ. અનેરા દર્શનીયા તણો કષ્ટ; મંત્ર, ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભૂલ્યા "વ્યામોહ્યા, કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવચ્છરી, હોલિ, બળેવ, માહી પૂનમ, અજાપડવો, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક ચોથ, નાગપંચમી, ઝીલણા છઠ્ઠી, શીલસાતમી, ધ્રુવઆઠમી, નૌલી નવમી, અહવા દશમી, વ્રત અગિયારશી, વચ્છબારશી, ધનતેરશી, અનંત ચઉદશી અમાવાસ્યા. આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નવોદક, યાગ, ભોગ, ઉતારણાં કીધાં. કરાવ્યાં, અનુમોદ્યાં. પિંપલે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં, ઘર બાહિર, ક્ષેત્રે, ખલે, કુવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ, સમુદ્ર, કુંડે, પુણ્યહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં અનુમોદ્યાં, દાન દીધાં. ગ્રહણ, શનૈશ્ચર, માહમાસે, નવરાત્રિએ ન્યાયા. અજાણના થાપ્યાં, અને રાઈ વ્રત-વ્રતોલાં કીધાં, કરાવ્યાં, વિતિગિચ્છા-ધર્મ સંબંધીઆ ફલાણે વિષે સંદેહ
૧. અન્યમતે દેવવિશેષ. ૨. બ્રાહ્મણ. ૩. વેષધારી. ૪. ફકીર. ૫ ભોળવાણ. ૬. મરી ગયેલા પાછળ તેની મરણતિથિ સંબંધી ભોજન અગર જ્ઞાતિભોજન કરાવે છે તે. ૭. અજાણ માણસોએ સ્થાપેલા એવા.