________________
૨૧૭ નહીં, ખંડણા વિરાધના હુઇ. ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહી સૂક્ષ્મબાદર જાણતાં-અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૩.
*વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વમૂલ બાર વ્રત, સમ્યકત્વતણા પાંચ અતિચાર, સંકા-કંખવિગિચ્છા, શંકા-શ્રી અરિહંતતણા બળ, અતિશય જ્ઞાનલક્ષમી, ગાંભીર્યાદિક ગુણ શાશ્વતી પ્રતિમા ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રીજિનવચનતણો સંદેહ કીધો, આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો; આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, અવિનાયક, હનુમંત, સુગ્રીવ. વાલીનાહ ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી. જુજુઆ દેવ-દેહરાના પ્રભાવ દેખી રોગ આતંક કષ્ટ આવ્ય ઈહલોક પરલોકાર્પે પૂજ્યા માન્યા. સિદ્ધ
* પાંચ આચારો પૈકી જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર એ ત્રણના અતિચારની વાત સાધુ અને શ્રાવક બન્નેને એક સરખી રીતે સામાન્ય લાગુ પડતી હોવાથી ઉક્ત ત્રણ આચારના અતિચારોનું વર્ણન પ્રથમ સામાન્ય આપ્યું હવે અહીંથી શ્રાવક યોગ્ય અતિચારનું વર્ણન કરે છે તેથી વિશેષતઃ કહ્યું.
૧. જીવાદિ નવતત્ત્વના યથાર્થ રહસ્યનું શ્રદ્ધાન-પ્રતીતિ. ૨. નાગદેવસર્પ. ૩. ગામની દેવી. ૪. ગણેશ. ૫. જુદાં જુદાં.